AMA ખાતે સાયકોલોજી કોન્ફરન્સનું આયોજન

અમદાવાદ: AMA  ખાતે “કાર્યના ભવિષ્યને આકાર આપતા મનોવૈજ્ઞાનિક પ્રવાહો” વિષય પર એક દિવસીય સાયકોલોજી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. સાયકોલોજી કોન્ફરન્સમાં મનોવિજ્ઞાન, વ્યવસ્થાપન અને સંબંધિત ક્ષેત્રોના અગ્રણી નિષ્ણાતો દ્રારા તેમના મંતવ્યો અને વિચારો રજૂ કરવામાં આવ્યા હતાં.AMA ના પ્રમુખ ડૉ. સાવન ગોડિયાવાલાએ કહ્યું, આ કોન્ફરન્સનો ઉદ્દેશ્ય આધુનિક કાર્યસ્થળના વિકસતા મનોવૈજ્ઞાનિક દૃશ્યનું અન્વેષણ કરવાનો છે, જેમાં એવી નિર્ણાયક પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે કે જે વ્યક્તિઓ અને સંસ્થાઓનું ઘડતર કરે છે અને તેમની પ્રગતિમાં કેવી રીતે ફાળો આપે છે. “બધા વિકારોને પ્રિસ્ક્રિપ્શનની જરૂર નથી. તેમાંથી ૯૦% વિકારોને ઉપચાર દ્રારા ઉકેલી શકાય છે. સકારાત્મક બનો, તમારી જાત સાથે જીવો, ક્ષણમાં જીવો.”

ડૉ. પ્રશાંત ભીમાણી, સિનિયર સાયકોલોજિસ્ટ, સ્પીકર અને લેખકે “કાર્યના ભવિષ્યને આકાર આપતા મનોવૈજ્ઞાનિક પ્રવાહો” વિષય પર મુખ્ય વક્તવ્ય આપ્યું હતું, જણાવ્યું હતું કે “દરેક છઠ્ઠો ભારતીય ચિંતાથી પીડાય છે અને દરેક ચોથો ભારતીય ડિપ્રેશનથી પીડાય છે. કાર્યનું ભવિષ્ય મૂલ્ય આધારિત સ્થિતિસ્થાપકતા, આશાવાદ અને આશા છે.”

પ્રણવ  પંડયાએ, સહ-સ્થાપક અને ચેરમેન, દેવ આઈ.ટી. લિમિટેડ; ભૂતપૂર્વ ચેરમેન અને ડાયરેક્ટર, જેશીયા આઈ.ટી. એસોસિયેશન દ્રારા “કોર્પોરેટ જીવન અને કાર્યસ્થળમાં માનસિક સુખાકારી અને સ્થિતિસ્થાપકતા” વિષય પર સંબોધન કર્યું હતું. જણાવ્યું હતું કે “આપણું કાર્ય હવે શ્રમ-પ્રધાન નથી, પરંતુ ભાવનાત્મક રીતે સઘન છે, આપણે ભાવનાત્મક ગુણોત્તર અને આધ્યાત્મિકતા પર નિર્ણાયક રીતે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.”

ડૉ. મંજુલા પૂજા શ્રોફ, MD અને CEO, કેલોરેક્સ ગ્રુપ દ્રારા “કાર્યસ્થળમાં સુખાકારી: શું આપણે ભવિષ્યના કાર્યબળને સમજીએ છીએ?” વિષય પર સંબોધન કરવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે “આપણે એક એવી પેઢી બની ગયાં છીએ કે જે સામનો કરી શકતી નથી… છુપાવવાની આદત બની ગઈ છે અને તેથી જ તમે ‘ભૂતિયા પેઢી’ બની ગયા છો. ૧૮-૨૯ વર્ષની વય વચ્ચે ૩૫% આત્મહત્યા સોશિયલ મીડિયાને કારણે થાય છે.”

ડૉ. કામાયની માથુર, ભૂતપૂર્વ ડાયરેક્ટર અને વડા, મનોવિજ્ઞાન વિભાગ, ગુજરાત યુનિવર્સિટી; ડૉ. નીતા સિંહા, એસોસિયેટ પ્રોફેસર, સ્કૂલ ઑફ લિબરલ સ્ટડીઝ, પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી; અને મધુસૂદન મુકરજી, એસોસિયેટ પ્રોફેસર, એસ.એલ.યુ. આર્ટ્સ એન્ડ એચ. એન્ડ પી. ઠાકોર કૉલેજ ફોર ગર્લ્સ દ્રારા “કિશોરોમાં ભાવનાત્મક વિકૃતિઓ, યુવાનોમાં સુખાકારી અને માનસિક સ્વાસ્થ્ય” વિષય પર પેનલ ડિસ્કશન સંબોધવામાં આવ્યું હતું અને પેનલ ડિસ્કશનનું સંચાલન ડૉ. વિશાલ ઘુલે, ડીન, એસોસિયેટ પ્રોફેસર, I/O સાયકોલોજી, સ્કૂલ ઑફ લિબરલ આર્ટ્સ, એમ.આઈ.ટી. વર્લ્ડ પીસ યુનિવર્સિટી દ્રારા કરવામાં આવ્યું હતું. “સારું અનુભવવું અને સારું કરવું એ બંનેમાં તફાવત છે. સુખાકારી એટલે સારું થવું. બધા માટે સહાનુભૂતિ અત્યંત જરૂરી છે.”

રિધ્ધિ દોશી પટેલ, સ્થાપક – એલ.એ.જે.એ; ટેડએક્સ સ્પીકર; સર્ટિફાઇડ ચાઈલ્ડ સાયકોલોજિસ્ટ; પેરેન્ટિંગ કાઉન્સેલર; કોર્પોરેટ ટ્રેનર (માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી), ડૉ. વિશાલ ઘુલે અને ડૉ. મનીષ ચાવડા (ટ્રેનર, કન્સલ્ટન્ટ અને કાઉન્સેલર; એચઆર (સ્ટ્રેસ મેનેજમેન્ટ)માં પીએચ. ડી. દ્રારા “નેતૃત્વ માટે સહાનુભૂતિ અને ભાવનાત્મક બુધ્ધિ” વિષય પર સંબોધન કરવામાં આવ્યું હતું. સમાપન અને આભાર દર્શન ડૉ. વિશાલ ઘુલે અને રિધ્ધિ દોશી પટેલ દ્રારા કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ૩૫૦ જેટલાં મનોવિજ્ઞાન, વ્યવસ્થાપન અને સંબંધિત ક્ષેત્રોના અગ્રણી નિષ્ણાતો, સંશોધકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતાં. રિધ્ધિ દોશી પટેલે જણાવ્યું હતું કે “એ.એમ.એ.ની આ પહેલ “આસ્ક મી એનિથિંગ” ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તમારી પાસે ફક્ત તમારા માટે જ કેટલાક ઉકેલો હોઈ શકે છે. તેનો હેતુ યુવાનોમાં જાગૃતિ ફેલાવવાનો અને મનોવિજ્ઞાનનો સાચો અર્થ સમજાવવાનો હતો.”