આંધ્રપ્રદેશના વેંકટેશ્વર મંદિરમાં ભાગદોડ, 9ના મોત

આંધ્ર પ્રદેશ: શ્રીકાકુલમ જિલ્લામાં આવેલા વેંકટેશ્વર સ્વામી મંદિરમાં નાસભાગ થતા 9 લોકોનાં મોત થયા છે. તેમજ અનેક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. મૃતકોમાં મોટાભાગે મહિલાઓ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 9 શ્રદ્ધાળુઓના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. અધિકારીઓને આશંકા છે કે મૃત્યુઆંક વધી શકે છે, કારણ કે ઘાયલોમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોમાં મોટાભાગની મહિલાઓ સામેલ છે.

9 શ્રદ્ધાળુઓનાં મોત

કાશિબુગ્ગા વેંકટેશ્વર મંદિરમાં શનિવારે સવારે મોટી સંખ્યામાં લોકો ભગવાન વેંકટેશ્વરના વાર્ષિક ઉત્સવમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. રાજ્ય સરકાર પાસેથી મળતી માહિતી મુજબ અચાનક ભીડ વધી જવાના કારણે અફરાતફરી મચી ગઈ હતી. જેના કારણે ઘણા લોકો દબાઈ ગયા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ વેંકટેશ્વર મંદિરમાં ભાગદોડ અને મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું. CMએ X પર પોસ્ટ કરતા તેમણે લખ્યું, “આ હૃદયદ્રાવક ઘટના શ્રીકાકુલમ જિલ્લાના વેંકટેશ્વર મંદિરમાં બની.” તેમણે પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. મુખ્યમંત્રીએ કહ્યું કે વહીવટીતંત્રને તમામ પીડિતો અને ઘાયલોને તાત્કાલિક સહાય પૂરી પાડવાનો આદેશ આપવામાં આવ્યો છે.