આવજો મુંબઈ… પ્રવાસી કામદારો બોરીવલીથી ઝારખંડ રવાના થયા…

કોરોના વાઈરસ-લોકડાઉનને કારણે બે મહિનાથી મુંબઈમાં ફસાઈ ગયેલા ઝારખંડનિવાસી 1800 જેટલા પ્રવાસી મજૂર-કામદારો 22 મે, શુક્રવારે મુંબઈના બોરીવલી સ્ટેશનેથી ઝારખંડ માટેની સ્પેશિયલ શ્રમિક ટ્રેન દ્વારા રવાના થયા હતા. થાકીને લોથપોથ થઈ ગયેલા શ્રમિકો અને એમના બાળકો સવારે 10 વાગ્યે ટ્રેન ચાલુ થતા જ આનંદમાં આવી ગયા હતા. આ કામદારો મલાડ (પૂર્વ)ના વિસ્તારોમાં રહેતા હતા. આ નિઃસહાય લોકોને એમના વતન પહોંચવા માટેની વ્યવસ્થા સ્થાનિક નેતાઓએ કરી હતી. (તસવીરોઃ દીપક ધુરી)