આંબાવાડીના દલિતોની રેલી

અમદાવાદઃ આંબાવાડીના ભૂદરપૂરા વિસ્તારમાં આવેલી રાજપૂત સમાજની હોસ્ટેલને બંધ કરાવવા માટે દલીત સમાજના લોકો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં દલીતોએ એકત્ર થઈ અને ભૂદરપુરાથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. દલિત સમાજના લોકોને રેલીને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. (તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)