વડા પ્રધાન મોદીની ગુજરાત મુલાકાત; માતા હિરાબાને મળ્યા…

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરદાર પટેલ જયંતિ (૩૧ ઓક્ટોબર)ના દિને સરદાર સાહેબની વિશ્વમાં સૌથી વિરાટ પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ખાતે આદરાંજલી અર્પણ કરવા અને 'રાષ્ટ્રીય એકતા પરેડ' તેમજ 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ઉજવણી કરવા માટે 30 ઓક્ટોબર, બુધવારે અમદાવાદ આવી પહોંચ્યા હતા. એરપોર્ટ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદના મેયર બીજલ પટેલ, રાજ્યના મુખ્ય સચિવ ડો. જે.એન. સિંહ, રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા તેમજ વરિષ્ઠ અધિકારીઓએ મોદીને આવકાર આપ્યો હતો. મોદી બાદમાં ગાંધીનગર નિવાસસ્થાને ગયા હતા અને એમના માતા હિરાબાને મળ્યા હતા અને એમના આશીર્વાદ લીધા હતા.