શ્રાવણના પ્રથમ દિવસે સોમનાથના બિલ્વશૃંગાર દર્શન

સોમનાથઃ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ખાતે પવિત્ર શ્રાવણ માસની શરુઆત થતા ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. શ્રાવણ માસના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભક્તો ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે અહીંયા આવી પહોંચ્યા હતા. સોમનાથમાં શ્રાવણનું વિશેષ મહત્વ રહેલું છે. શ્રાવણ માસ ભગવાન શિવને ખૂબ પ્રિય છે. આ શ્રાવણ માસમાં જે ભક્તો આસ્થા અને શ્રદ્ધા તેમજ તન-મન-ધનથી ભગવાન શિવની આરાધના-જપ-તપ-પૂજન-અર્ચન કરે તે વ્યક્તિ પર ભગવાન શિવની કૃપા વરસે છે.