મીઠું માણસજાત સાથે હજારો વરસોથી જોડાયેલું છે. માનવ સભ્યતા સ્થાયી થઈ અને રાંધેલો-પાકેલો ખોરાક ખાતી થઈ ત્યારથી મીઠું ખોરાકના માધ્યમથી લોકોને જોડતું થયું છે. ભારતની આઝાદીમાં મીઠાએ પણ ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. (રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા દાંડી-ગુજરાતમાં મીઠાનો સત્યાગ્રહ કે દાંડી સત્યાગ્રહ કે દાંડી કૂચ કે અહિંસક સવિનય કાનૂનભંગ ચળવળ – માર્ચ/એપ્રિલ 1930)
