શ્રીનગરમાં આવેલા એશિયાના સૌથી મોટા બગીચા – ટ્યૂલિપ ગાર્ડનને 25 માર્ચ, બુધવારે જાહેર જનતા તથા પર્યટકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કશ્મીરના લેફ્ટેનન્ટ ગવર્નરના સલાહકાર બશીર એહમદ ખાને રીબન કાપીને બગીચાને ખુલ્લો મૂકાયેલો જાહેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ગાર્ડનની મુલાકાત લેવા અને આતિથ્યનો આનંદ માણવાની લોકોને ભલામણ કરી છે.