સોમનાથના દરિયાકાંઠાને ચોખ્ખો કરાયો

ગીર ફાઉન્ડેશન(ગાંઘીનગર), જી.પી.સી.બી, સોમનાથ ટ્રસ્ટ દ્વારા આજે ગુરુવારે સવારે સોમનાથ દરિયાઇ કાંઠા આસપાસ સ્વચ્છતા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. તેમજ આ સ્વચ્છતા કેમ્પેઈનમાં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા, અંબુજા સિમેન્ટ લીમીટેડ, જી.એચ.સી.એલ, સિધ્ધિ સિમેન્ટ, ઇન્ડિયન રેયોન, ગદરે મરીન, ગીર સોમનાથ સામાજીક વનિકરણ વિભાગ, વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસો, બી.વી.જી.ના અધિકારીઓ/ કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા હાથ ધરવામાં આવી હતી.