જન્મદિવસની અનોખી ઉજવણીઃ ગજરાજોનું પૂજન કરીને ભોજન કરાવ્યું

અમદાવાદઃ એનિમલ વેલફેર બોર્ડ..અને પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટી સાથે જોડાયેલા લોકો એ મંગળવારની વહેલી સવારે એક નવતર પ્રયોગ કર્યો. જીવદયા અને પ્રાણીઓ સાથેની લાગણીઓ વ્યક્ત કરવા સંગઠનના એક સભ્ય ની વર્ષગાંઠ હાથીઓના પૂજન અર્ચન કરી ઉજવી. જગન્નાથ મંદિર અમદાવાદ ના પ્રાંગણ માં પૂજા વિધિ બાદ ગજરાજોને યજમાનોએ સ્વહસ્તે ભોજન કરાવ્યું હતું.