રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં કોરોનાવાઈરસ બીમારીના કેસ ખૂબ વધી જતાં વીક-એન્ડ કર્ફ્યૂ બાદ સોમવાર, 19 એપ્રિલની રાતથી છ દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આ જાહેરાત કરી છે.
છ-દિવસનું લોકડાઉન સોમવાર 26 એપ્રિલની સવારે પાંચ વાગ્યા સુધી લાગુ રહેશે.
દિલ્હીમાં ગઈ કાલે એક જ દિવસમાં કોરોનાના 25,462 કેસ નોધાયા હતા.