ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો

 

ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો

 

પોતાના હોય એટલે કે જેમનું પાલન કરવાની જવાબદારી પોતાને શિરે હોય તેવા આધારીતો તરફ બેદરકારી બતાવી. એમને ભૂખે મરવાનો દિવસ આવે તેમ કરવું. એથી ઊલટું જેની સાથે સ્નાનસૂતકનો પણ સંબંધ ન હોય તેવા સાવ પરાયાને ઉપર પડતાં જઇ પોષવા.

પ્રકૃતિ અથવા જાતે દુ:ખ વેઠીને પોતાના પરિવારને સહન કરતું રાખીએ પારકાને દાન કરવું તે નરી મૂર્ખતા છે. એ પ્રકારનો મતલબ આ કહેવતમાંથી નીકળે છે.

આવા જ અર્થવાળી કહેવત ‘ઘરમાં ગરીબાઇ ને ગોરને સીધું જોઈએ’ તે છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)