કીડીને કણ, હાથીને મણ

      કીડીને કણ, હાથીને મણ

 

ભગવાન સૌની ચિંતા કરે છે. જેની જેટલી જરૂરિયાત તેટલું તેને મળી રહે એવી કોઈને કોઈ ગોઠવણ કુદરતની રચના થકી એ કરતો હોય છે. એટલે નાહકની ચિંતા નહીં કરવી.

જેના માટે જે નિર્મિત થયું હોય તે એને મળી જ રહે છે એવો ઈશ્વરની શક્તિમાં વિશ્વાસ રાખવાનો સંકેત આ કહેવત આપે છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)