સુથારનું મન બાવળીએ |
માણસનું મન પોતાની રુચિ અનુસારની વસ્તુઓ શોધે છે. એનું મન રુચિ અનુસારની વસ્તુઓ ઉપર જ ચોંટે છે. એની રુચિને અનુસારની વસ્તુ હોય ત્યારે વાતમાં એને વિશેષ રસ પડે અને એમાં પણ જો સ્વાર્થ ભળે તો એ વાત સવિશેષ ગમે.

સુથાર લાકડું ઘડીને જાતજાતની વસ્તુઓ બનાવે છે. એટલે એ કોઈ ઝાડ જુએ, જેના પ્રતીકરૂપે અહીંયાં બાવળીયાનો ઉલ્લેખ છે, તો એનું મન એમાંથી કેટલું લાકડું મળે અને શું શું વસ્તુઓ બની શકે એની ગણતરી ઝપાટાબંધ માંડી લે. આ સંદર્ભમાં જ કહેવાયું છે કે સુથારનું મન બાવળીએ.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)




