Monday, June 16, 2025
Google search engine
HomeNewsGujaratભાજપ કોંગ્રેસનું ઘર્ષણ પહોંચ્યું પોલીસના ચોપડે, બે ફરિયાદ નોંધાઈ

ભાજપ કોંગ્રેસનું ઘર્ષણ પહોંચ્યું પોલીસના ચોપડે, બે ફરિયાદ નોંધાઈ

લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ પહેલી વાર વિપક્ષ નેતા તરીકે રાહુલ ગાંધી સંસદમાં નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે વિશ્વ હિન્દુ પરિષદની લાગણી દુભાય તેવી ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણીના પડધા ગુજરાતમાં પડતા જોવા મળ્યા. જ્યાં અમદાવાદ સ્થિત કોંગ્રેસના મુખ્ય કાર્યલય ખાતે ભાજપ અને કોગ્રેસ સામ સામે આવ્યા હતા. જેને લઈ અમદાવાદના એલિસબ્રિજ પોલીસ સ્ટેશન ખાતે બે ફરિયાદ દાખલ કરવામાં આવી છે

 અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસનાં કાર્યકરો વચ્ચે ઘર્ષણ મામલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદ ભાજપ યુવા મોરચાના પ્રમુખ વિનય દેસાઈએ કોંગ્રેસનાં 26 કાર્યકર્તાઓ સામે નામજોગ સહિત કુલ 250 ના ટોળાં સામે ફરિયાદ નોંધાવી છે. ભાજપ તરફી નોંધાયેલ ફરિયાદમાં શહેઝાદ ખાન પઠાણ, પ્રગતિ આહીર, NSUI ના સંજય સોલંકીનું નામ સામેલ છે. અત્યાર સુધી કુલ 5 લોકોની અટકાયત કરવામાં આવી છે. ગત રોજ બંને પક્ષના કાર્યકર્તાઓએ એક-બીજા પર પથ્થરમારો કર્યો હતો. આ મામલે હવે કુલ 2 પોલીસ ફરિયાદ થઈ છે. માહિતી મુજબ, ઈજાગ્રસ્ત પોલીસકર્મીએ પણ બંને પક્ષનાં 150 ના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં 4 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા છે. અત્યારે સરકાર તરફે ફરિયાદ લેવામાં આવી છે અને કેટલાક લોકોને ડિટેઈન પણ કરવામાં આવ્યા હતા.

શુ છે આખો મામલો?

વાત એમ છે કે, પેહલી જુલાઈના રોજ સંસદમાં વિપક્ષ નેતા તરીકે રાહુલ ગાંધીને ભાષણ આપ્યું હતું. ભાષણમાં તેમણે હિન્દુઓની લાગણી દુભાય તેવી ટીપ્પણી કરી હતી. ટિપ્પણી કર્યા બાદ તારીખ બીજી જુલાઈના રોજ રાહુલ ગાંધી ભવન ખાતે વહેલી સવારે 4 વાગ્યા આસપાસ વિશ્વ હિન્દુ પરીષદ અને બજરંગ દળના કાર્યકર્તા દ્વારા પોસ્ટોરો લગાડવામાં આવ્યા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જે બાદ કોંગ્રેસ નેતા અને ભાજપના નેતાના નિવેદનો આવ્યા અને ફરી એક વખત કોંગ્રેસ કાર્યલય બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તા વચ્ચે પથ્થરમારો થયો. લગભગ એક કલાક ઘર્ષણ થયા બાદો પોલીસે સ્થિતી કંટ્રોલમાં લીધી જે બાદ આજે બંને પક્ષોએ એક બીજા પર નામ જોગ ફરિયાદ નોંધાવી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular