શબરીમાલા મંદિર વિવાદઃ અંકલેશ્વરમાં રેલી…

અંકલેશ્વરમાં 28 ઓક્ટોબર, રવિવારે શબરીમાલા અયપ્પા મંદિર સેવા સમાજ દ્વારા રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (RSS) પ્રેરિત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તે વેળાની તસવીર. રેલીમાં અનેક પુરુષો અને સ્ત્રીઓ સામેલ થયાં હતાં. કેરળસ્થિત શબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશવા દેવાના સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં તેમજ હાલમાં જ મંદિરમાં પોલીસે પ્રવેશ કર્યો તેના વિરોધમાં આ રેલી કાઢવામાં આવી હતી.