આજના ઝડપી અને વ્યસ્ત જીવનને યુવાઓ કેવી રીતે સંભાળી શકે?

પ્રશ્ન 1: આજની યુવા પેઢી મોબાઈલ એપ્પ અને નવા ઉપકરણોના મોહમાં પડી ગયા છે. એમનો દિવસ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવાથી શરૂ થાય અને ટ્વિટ સાથે સમાપ્ત થાય છે. તો એવી પરિસ્થિતિમાં તેઓ પોતાના જીવન પર નિયંત્રણ કેવી રીતે રાખી શકે છે?

સદ્‍ગુરુ:  જેમને પોતાનું જીવન પોતાના હાથમાં નથી લીધું, એમનું ધ્યાન કાયમ કોઈને કોઈ વસ્તુમાં ભટકતું રહે છે. તો ઉપકરણ કોઈ સમસ્યા નથી. સમસ્યા પોતાની આદતોથી મજબૂર થઈને કોઈ કાર્ય કરવું છે. આપણા યુવાઓ, બાળકો અને મોટાઓને પણ કોઈ આદતથી મજબૂર ન થવું જોઈએ. જમવું, બેસવું, ઊભું થવું અને કામ કરવું આ બધુ વસ્તુ જાગરુકતા સાથે થવી જોઈએ. જો આપણે આ બધુ જાગરુકતા સાથે કરીએ છીએ, તો આપણે યંત્રોનો ઉપયોગ પણ જાગરુકતા સાથે કરીશું.

પ્રશ્ન 2: આજે યુવાઓ પર માહિતીઓનો જે પ્રભાવ પડે છે, એને જોતાં તેઓ પોતાનું રોજનું જીવન કેવી રીતે વ્યવસ્થિત કરી શકે?

સદ્‍ગુરુ:  આપણે માહિતીઓ વિષે ફરિયાદ ન કરવી જોઈએ. 100 વર્ષ પહેલા, જો આપણાથી ફક્ત 100 કિ.મી. દૂર પર કોઈ દુર્ઘટના થાય છે, કે કઈક સારું થાય છે, તો તેના વિષે આપણે એક મહિના પછી ખબર પડતી હતી. આજે, આખી દુનિયામાં શું થઈ રહ્યું છે એ તમને એજ ક્ષણે ખબર પડી જાય છે. તો ટેક્નોલૉજી સારી કે ખરાબ નથી હોતી. એમાં પોતાનો કોઈ ગુણ નથી હોતો—તે આ વાત પર નિર્ભર કરે છે કે તમે એને કેવો ઉપયોગ કરો છે? તમે જે પણ બીજી ટેક્નોલૉજી વાપરો છો—ટેલિફોન, મોબાઈલ ફોન, કમ્પ્યુટર કે સોશિયલ મીડિયા—તે એટલી ઉન્નત કે ગૂઢ નથી, જેટલું આપનું માનવ તંત્ર (શરીર). તમારે પહેલા એની તરફ ધ્યાન આપવું પડશે, પછી બાકી બધાને તમે સ્વાભાવિક રીતે સંભાળી શકશો.

પ્રશ્ન 3: આજનો યુવા, જેમના પરિવાર અને મિત્રો સાથે સંબંધ ટૂટતા જાય છે, તે પોતાની ભાવનાત્મક બુદ્ધિના સ્તર પર કેવી રીતે સારું બની શકે છે?

સદ્‍ગુરુ:  મોટા ભાગે મનુષયોમાં ભાવનાઓનો પાસો સૌથી મોટો હોય છે, એટલા માટે ભાવનાત્મક સુરક્ષા સૌથી વધુ મહત્વપૂર્ણ છે. જો એક મનુષ્ય સાચે જ જાગૃત થઈ જાય તો ભાવનાઓથી ફરક નથી પડતો, એટલા માટે બાળપણથી જ બાળકોને ભાવનાત્મક સુરક્ષા મળવી જોઈએ. એનો અર્થ એ છે કે એમની આજુ-બાજુ, એક પ્રેમપૂર્ણ વાતાવરણ હોવો જોઈએ, ફક્ત ઘરે જ નહીં,  જ્યાં પણ બાળકો જાય, એમને પ્રેમ અને સ્નેહપૂર્ણ વાતાવરણ મળવો જોઈએ. આ સૌથી મહત્વપૂર્ણ છે.


(સદ્‍ગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 3.9 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.