સૌથી મોટુ દાન છે ક્ષમાદાન, રહમ તથા કરુણાનું દાન

જ્યારે “તમે” ના બદલે “હું” આવી જાય છે ત્યારે વ્યક્તિ વિચારવા લાગે છે હું સારો વક્તા, હું સારો સેવક, હું સારો આયોજક…. હું સારો….. હું સારો…. અહીંથી જ ઈર્ષા, ઘૃણા, પ્રભાવિત થવું તથા અલબેલાપન ચાર યમદૂત આત્માને દબાવવાનું શરૂ કરી દે છે, જેનાથી મુક્તિનો એક જ ઉપાય છે કે હું-હું કરવાના બદલે પ્રભુ મહિમા રૂપી ધૂણી જગાવીને રાખીએ. ઘણીવાર એ વિચાર પણ રહમદિલ બનવાથી રોકી દે છે કે અત્યારે ચારે તરફ અહમ ફેલાયેલ છે તો પછી હું રહમદિલ કેવી રીતે બની શકું! પરંતુ વિચારવા જેવી વાત છે કે ઉનાળાના દિવસોમાં જ્યારે બહારનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ થી વધવા લાગે છે ત્યારે આપણે ઘરમાં ઠંડકના અનુભવ માટે ઉપાયો કરીએ છીએ. એ જ રીતે બહાર ગમે તેટલી ક્રૂરતા હોય પરંતુ મનની કરુણા ક્યારેય પણ ઓછી ન થાય. બહાર ગમે તેટલો અંધકાર હોય છતાં પણ મનનો દિપક હંમેશા પ્રજ્વલિત રહે. બહાર ભલે અગ્નિ ભભૂકે પરંતુ અંદર શીતળતાની લહેર ચાલતી રહે. સાચા દિલનો રહમ એ જ છે તે જે ગુણ-દોષ નથી જોતો. આગળ પાછળની વ્યર્થ બાબતોથી દૂર રહે છે. બદલાની આશા નથી રાખતો. બીજાનું દુઃખ દર્દ તેને દ્રવિત કરી દે છે.

ક્રૂરતા વ્યક્તિને નબળો, મનોબળ વગરનો તથા ભયભીત કરી દે છે. વિશ્વના ઇતિહાસમાં ક્રૂરતા વાળી મોટાભાગની વ્યક્તિઓએ પોતાનો અંત આત્મહત્યા દ્વારા અથવા રીબાઈને પોતાના પાપોની પીડા ભોગવતા-ભોગવતા, પોતે કરેલ પાપોનો પસ્તાવો કરતા-કરતા કરેલ છે. ઇતિહાસ દ્વારા કોઈ વ્યક્તિ જો બોધ ગ્રહણ નથી કરતો તો તે પોતાના હાથે ખોટા કાર્યોની કાંટો થી ભરેલ પથારી તૈયાર કરે છે અને લોહીલુહાણ થાય છે. આ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના માતાઓ-બહેનો અને કેટલાક ભાઈઓની પાસે એવા હજારો ઉદાહરણ છે કે જેઓએ અનેક અત્યાચારો સહન કર્યા. પરંતુ આ ભાઈ-બહેનોએ અંતિમ ઘડી સુધી પોતાના ઉપર અત્યાચાર કરવા વાળા પ્રત્યે નફરત ન કરી. રહમ દિલ બની તેમના પ્રત્યે શુભ ભાવના રાખી. તેમના પાપ કર્મોને ભૂલીને તમને માફ પણ કર્યા.

 

ઈશ્વરીય અભ્યાસ (પઢાઈ) ના લક્ષ મુજબ શ્રીલક્ષ્મીદેવી કે શ્રીનારાયણ દેવ તો અભ્યાસ પૂરો થયા બાદ બનીશું. પરંતુ વર્તમાન સમયે તો કરુણા દેવી, રહમ કુમાર બની જઈએ. પોતાની અંદર ચેક કરો કે મારામાં બીજા કોના-કોના પ્રત્યે કેટલી નફરત-ઈર્ષ્યા છે? કોની સાથે બદલો લેવાની મનમાં ગાંઠ વાળેલી છે?

રહમ ભાવ આ બધા દુષણોને સમાપ્ત કરી દે છે. દેશના રાષ્ટ્રપતિ જો રીઢા ગુનેગારને માફ કરી શકે છે તો શું શુભ ભાવનાથી ભરપૂર ભગવાનના બાળકો પોતાની આધ્યાત્મિક શક્તિનો પ્રયોગ કરીને, મન મોટાવ ભૂલીને પોતાના ભાઈઓને માફ ન કરી શકે! અન્નદાન, વસ્ત્રદાન, જ્ઞાનદાન આ બધાથી મોટું છે ક્ષમાદાન, રહમ તથા કરુણા દાન. ભગવાન શિવ કહે છે – ‘અજાણી દુઃખી આત્માઓ ઉપર રહમદિલ બનો. સાથે સાથે આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ માટે પણ રહમદિલ બનાવવાની આવશ્યકતા છે. દિલથી રહમની ભાવના અલબેલાપનને સમાપ્ત કરી દે છે. સાચા ભક્ત રહમ દિલ હોય છે, તેઓ પાપ કરવાથી ડરે છે. રહમની ભાવના પ્રેમ તથા દયા થી ભરપૂર હોય. જે ભગવાન ને સારું નથી લાગતું તેનાથી દિલ નો વૈરાગ્ય કરો.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)