નવી દિલ્હીઃ છેલ્લાં પાંચ વર્ષોમાં (2020-21થી 2024-25 સુધી), કેન્દ્રીય GST (CGST) ફીલ્ડ અધિકારીઓએ લગભગ રૂ. 7.08 લાખ કરોડની GST ચોરી પકડી છે, જેમાં માત્ર ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) કૌભાંડનો હિસ્સો રૂ. 1.79 લાખ કરોડ છે, એમ આ માહિતી નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં આપી હતી.
વિત્ત વર્ષ 2024-25માં જ રૂ. 2.23 લાખ કરોડની GST ચોરી પકડવામાં આવી હતી, જેમાંથી લગભગ 15,283 કેસોમાં ITC કૌભાંડ દ્વારા ₹58,772 કરોડની હેરાફેરી કરવામાં આવી હતી. આ વર્ષ દરમિયાન કુલ 30,056 કેસ પકડાયા હતા, એટલે કે આ વર્ષે પકડાયેલા કુલ કેસોમાંથી અડધાથી વધારે કેસો ITC કૌભાંડ સાથે સંકળાયેલા હતા.
વર્ષ 2023-24માં રૂ. 2.30 લાખ કરોડની GST ચોરી પકડી હતી, જેમાંથી રૂ. 36,374 કરોડ ITC કૌભાંડથી સંકળાયેલા છે. વર્ષ 2022-23માં રૂ. 1.32 લાખ કરોડની ચોરી, જેમાં ₹24,140 કરોડ ITC દાવા કરવામાં આવ્યા હતા. વર્ષ 2021-22માં રૂ. 73,238 કરોડની ચોરી થઈ હતી, જેમાં રૂ. 28,022 કરોડ ITCનું કૌભાંડ અને 2020-21માં રૂ. 49,384 કરોડની ચોરી થઈ હતી, જેમાં રૂ. 31,233 કરોડ ITC કૌભાંડ હતું.
છેલ્લાં પાંચ વર્ષમાં CGST અધિકારીઓએ કુલ 91,370 કેસોમાં ટેક્સ ચોરી પકડીલી છે. આ કેસોમાંથી આશરે ₹1.29 લાખ કરોડની વસૂલાત વોલેન્ટરી ડિપોઝિટ દ્વારા કરાઈ છે. GST ચોરી રોકવા માટે સરકાર દ્વારા અનેક પગલાં લેવામાં આવ્યા છે, જેમ કે ઈ-ઈનવોઈસિંગ, GST એનાલિટિક્સ સિસ્ટમ દ્વારા પકડાઈ રહેલી ખામીઓનું મોનિટરિંગ, ઇન્ટેલિજન્સ શેરિંગ, ઓડિટ માટે હાઈ-રિસ્ક કરદાતાઓની ઓળખ વગેરે. રાજ્ય મંત્રી પંકજ ચૌધરીના જણાવ્યા મુજબ આ પગલાં આવક સુરક્ષા માટે અને ઠગોને પકડવા માટે ઉપયોગી સાબિત થઈ રહ્યાં છે.


તેમણે જણાવ્યું કે વિશ્વની પરિસ્થિતિ ગંભીર છે, પરિવારો વિખરાઈ અને તૂટી રહ્યા છે. કારણ કે આધ્યાત્મિકતા અને પરસ્પર વિશ્વાસનો અભાવ છે. ધ્યાન આપણને પોતાની જાત, પરિવાર અને પરમાત્મા સાથે સંબંધ જોડવામાં મદદ કરે છે. વૈશ્વિક એકતા માટે આપણે પોતાનામાં વિશ્વાસ રાખવો જોઈએ.”
કાર્યક્રમમાં બ્રહ્માકુમારી ચંદ્રિકાદીદીએ ધ્યાન દ્વારા સ્મૃતિ શક્તિ વિકસાવવા પ્રેરણા આપી. પૂર્વ મુખ્ય સચિવ પી. કે. લહરીએ કહ્યું કે, “માનસિક સ્વાસ્થ્ય વિના શાંતિ અને સુખ શક્ય નથી, અને ધ્યાન એકમાત્ર ઉપાય છે.” ઉદ્યોગપતિ રુચિર પારેખ અને ટેક્સ એક્સપર્ટ મુકેશ પટેલે ધ્યાનની ઉપયોગીતા અને સંસ્થાના કાર્યોની પ્રશંસા કરી. કાર્યક્રમના અંતે પ્રસિદ્ધ ગાયક હરીશ મોયલ દ્વારા સુંદર સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પંથકમાં રહેતાં હરેશસિંહ 





સ્થાનિક અસારવા ગામ પરિવારના સંજય પટેલ કહે છે, “શ્રી માતર ભવાની માતાજીની પૌરાણિક વાવ હાલમાં જર્જરિત હાલતમાં છે. તંત્ર દ્વારા આ હેરિટેજ સાઈટના સંરક્ષણ માટે લાંબા સમયથી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. સ્થાનિક રહેવાસીઓ અને ભક્તજનો દ્વારા સતત રજૂઆતો પછી પણ હાલત યથાવત છે.”
આવા સંજોગોમાં આસ્થાના સ્થાન અને ઐતિહાસિક પૌરાણિક ધરોહરના સંરક્ષણ માટે સ્થાનિકોએ ઝુંબેશ શરૂ કરી છે. તંત્રની નિષ્ક્રિયતા સામે અસારવાના લોકોએ આંદોલન કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. આ વાવમાં ટાંકેલી માહિતી અનુસાર માતા ભવાનીની આ વાવ 11મી સદીમાં તૈયાર કરવામાં આવી હતી.સોલંકી યુગમાં રાજા કરણે 1083 થી 1093 દરમિયાન આ કુવા, ઝરુખા સાથેની કલાત્મક બહુમાળી વાવ બનાવી હોવાનું અનુમાન છે. વાવની અંદર માતા ભવાની બિરાજમાન છે. આ સાથે અન્ય દેવી દેવતાઓ પણ બિરાજમાન છે. શિવલિંગ સાથે મહાદેવજી પણ આ ઐતિહાસિક વાવમાં છે. માતા ભવાનીની વાવની સૌથી મહત્વની બાબત એ છે કે અહીં નવરાત્રિએ વાવમાં આસ્થાથી ગરબાની માંડવીઓને સજાવવામાં આવે છે. દીપોત્સવ દરમિયાન આખીય વાવને સજાવી ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.