નવી દિલ્હીઃ કોંગ્રેસે દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીમાં નકલી મતદારોના બુસ્ટર ડોઝથી જીત્યા હતા. ભાજપે છ લોકસભા વિસ્તારોની મતદાર યાદીઓના આંકડા રજૂ કરીને સાબિત કરી દીધું કે તેની અને ચૂંટણી પંચની સાઠગાંઠ છે, એમ કોંગ્રેસ કહે છે. કોંગ્રેસ પાર્ટીના મિડિયા વિભાગના પ્રમુખ પવન ખેડાએ એ સવાલ પણ ઉઠાવ્યો હતો કે રાહુલ ગાંધી વોટ ચોરીનો ખુલાસો કરે છે તે પછી થોડા જ સમય બાદ ચૂંટણી પંચે નોટિસ આપીને સોગંદનામું માગ્યું, પરંતુ ભાજપના નેતા અનુરાગ ઠાકુરના પ્રેસ કોન્ફરન્સને 24 કલાક વીતી ગયા હોવા છતાં તેમને નોટિસ કેમ ન આપી?
શું હવે 2024ની લોકસભા ચૂંટણી રદ ન થવી જોઈએ?
પવન ખેડાએ વધુમાં કહ્યું હતું કે નકલી મતદાર યાદીની વાત સાબિત થઈ ગયા પછી શું હવે 2024ની લોકસભા ચૂંટણી રદ ન થવી જોઈએ? ભાજપે બુધવારે રાયબરેલી, વાયનાડ, ડાયમન્ડ હાર્બર અને કન્નૌજ લોકસભા સીટ પર મતદાર નોંધણીમાં ગેરરીતિઓના આક્ષેપ લગાવ્યા હતા અને રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડરા, અભિષેક બેનર્જી અને અખિલેશ યાદવને લોકસભાની સભ્યપદેથી રાજીનામું આપવા માગ કરી હતી.
अगर BJP के पास इलेक्ट्रॉनिक डेटा आ ही गया है तो हमें भी वाराणसी की वोटर लिस्ट की पेन ड्राइव का इंतजार है।
• अगर वाराणसी की इलेक्ट्रॉनिक वोटर लिस्ट मिल जाए तो सबको यकीन हो जाएगा कि काउंटिंग के दिन प्रधानमंत्री को फर्जी वोटरों का एक बूस्टर डोज मिला था।
• नरेंद्र मोदी वाराणसी… pic.twitter.com/FOlD79azVf
— Congress (@INCIndia) August 14, 2025
ખેડાએ કહ્યું હતું કે સાત ઓગસ્ટે સૌએ જોયું કે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વોટ ચોરીનું સત્ય બહાર લાવ્યા. આ ખુલાસાથી ભાજપના લોકો છ દિવસ સુધી આઘાતમાં રહ્યા, પછી અનુરાગ ઠાકુરને પ્રેસ કરવા મોકલ્યા, પરંતુ તેમના આ પગલાથી ચૂંટણી પંચની ભૂમિકા વધુ ગંભીર બની ગઈ છે. તેમણે કહ્યું હતું કે ભાજપે પોતાના છ લોકસભા વિસ્તારોના આંકડા આપ્યા અને આ ક્ષેત્રોમાં નકલી મતદારો છે અને મતદાર યાદીમાં ગડબડ છે, તે સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે.
પવન ખેડાએ સવાલ કર્યો હતો કે તેમને આ આંકડા એટલા ઝડપથી કેવી રીતે મળી ગયા અને જ્યારે ચૂંટણી પંચ પાસે ઇલેક્ટ્રોનિક મતદાર યાદી છે, ત્યારે તે યાદી કોંગ્રેસને કેમ આપવામાં આવતી નથી? પવન ખેડાએ દાવો કર્યો, “આથી સ્પષ્ટ છે કે ચૂંટણી પંચ પાસે ઇલેક્ટ્રોનિક મતદાર યાદી છે, પરંતુ તે જનતા અને વિપક્ષને આપવી નથી ઇચ્છતું.




ધર્મ, પ્રાંત, સંપ્રદાય, પરંપરાથી વસેલા ભારત દેશમાં અનેક જીવો પૂજાય છે. એમાંય હિંદુ ધર્મમાં કેટલાક જીવોને ભગવાનની સમકક્ષ દરજ્જો આપી પૂજવામાં આવે છે. એમનાં મંદિરો પણ બનાવવામાં આવે છે. લાખો જીવોનું કલ્યાણ થાય, સન્માન થાય અને પૂજા થાય એવી દરેક માટે પ્રાર્થના પણ હિંદુ ધર્મમાં કરવામાં આવે છે. પૃથ્વી પરના જીવ નાગનું પૂજન નાગપાંચમીના દિવસે કરવામાં આવે છે. પુરાણોમાં, દંત કથાઓમાં અને વિવિધ પ્રાંતોમાં નાગના મહત્વનો ઉલ્લેખ સદીઓથી કરવામાં આવ્યો છે. નાગને દેવતા રૂપે રજૂ કરી એના મંદિરો બનાવી પૂજા અર્ચના પણ કરતો ભારતમાં એક મોટો વર્ગ છે. ભારત કૃષિ પ્રધાન દેશ છે. આ દેશના મોટા ભાગના ખેડૂત સાપ અને નાગને સકારાત્મક દ્રષ્ટિએ જૂએ છે. સંસ્કૃતિ અને આસ્થાને કારણે ઘણાં પ્રાંતના લોકો નાગનું પૂજન કરે છે.
આ વર્ષે શ્રાવણ માસના બુધવારે નાગ પંચમી હોવાથી નાગ દેવતા સ્થાપિત હોય એ મંદિરોમાં શ્રધ્ધાળુઓની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી. શહેરના શાહીબાગ વિસ્તારમાં સાબરમતી નદીના તટ પર આવેલા નાગ દેવતાના મંદિરના પ્રાંગણમાં તેમજ શહેર ગામના નાના મોટા મંદિરોમાં નાગ પાંચમીની પૂજા અર્ચના કરવામાં આવી હતી.સાણંદ પાસે કાણેટી ગામમાં નાગ દેવતાનું અલાયદું મંદિર છે. વિરમગામ પાસે વિરોચનનગરમાં પણ ખેતિયા નાગરાજનું મંદિર છે. આ સાથે નાગરાજાની સ્થાપના થઈ હોય અને એની પૂજા કરી ઉત્સવ થતાં હોય એવા ઘણાં મંદિરોનું નિર્માણ થયું છે. શ્રાવણની નાગ પંચમીના દિવસે ગુજરાતમાં કેટલાક શ્રધ્ધાળુઓ નાગ દેવતા સમક્ષ દુધની સાથે નાળિયેર તેમજ બાજરીના લોટની કુલેરને પ્રસાદ રૂપે ધરાવે છે.





