Home Blog Page 656

હવે શુક્ર ગ્રહ પર ભારત મોકલશે ચંદ્રયાન-4 મિશનઃ ઇસરો ચીફ

શ્રીહરિકોટાઃ અંતરિક્ષ ક્ષેત્રમાં ભારત સફળતાની નવી ઊંચાઈઓ સતત સર કરી રહ્યું છે. પોતાનાં નવાં સ્પેસ મિશનો દ્વારા ભારત વિશ્વને બતાવી રહ્યું છે કે અતિ જટિલ અને અદ્યતન ટેક્નોલોજીમાં પણ હવે તે કોઈથી પાછળ નથી. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક યાનનું સોફ્ટ લેન્ડિંગ કરાવ્યા બાદ હવે ભારત પોતાનાં ચંદ્રયાન-4 મિશનમાં વ્યસ્ત થઈ ગયું છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)ના ચીફ વી. નારાયણનએ શનિવારે મોટી જાહેરાત કરી હતી.

 ભારત લોન્ચ કરશે ચંદ્રયાન-4 મિશન

નવી દિલ્હીમાં નેશનલ સ્પેસ ડેના પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ભારત પોતાનું ચંદ્રયાન-4 મિશન લોન્ચ કરશે. આ મિશન શુક્ર ગ્રહ માટેનું ઓર્બિટર મિશન હશે. એટલે કે ભારતીય અંતરિક્ષ યાન શુક્ર ગ્રહની પરિક્રમા કરતાં કરતાં સંશોધન કરશે. ઈસરોના ચેરમેને ભારપૂર્વક જણાવ્યું હતું કે વર્ષ 2035 સુધી ભારત પોતાનું ભારતીય અંતરિક્ષ સ્ટેશન સ્થાપિત કરશે અને આ અંતરિક્ષ સ્ટેશનનું પહેલું મોડ્યુલ પણ 2035માં જ મોકલાશે. તેમણે વધુમાં કહ્યું હતું કે વર્ષ 2040માં ભારત ચંદ્ર પર પગ મૂકશે. આ સફળતા બાદ ભારત ચંદ્ર પર માનવયુક્ત મિશન મોકલનારા દેશોની એલિટ ક્લબમાં સામેલ થશે.

ઇસરોનાં આવનારાં મિશનો વિશેની માહિતી

* ચંદ્રયાન-4 મિશન

* શુક્ર યાન (Venus Orbiter Mission)

* ભારતીય અંતરિક્ષ સ્ટેશન (BAS) 2035 સુધી

* માનવ ચંદ્ર પર ઊતરશે 2040 સુધી

ભારતની અંતરિક્ષ યાત્રામાં મોદીનો ફાળો

ઈસરો પ્રમુખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી અને શ્રેય આપ્યું હતું કે તેમના પ્રયત્નોથી જ ભારતે પોતાના અંતરિક્ષયાત્રી શુભાંશુ શુક્લાને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) મોકલ્યો હતો. નારાયણને જણાવ્યું હતું કે વડા પ્રધાનનો વિચાર હતો કે આપણા રોકેટથી ‘ગગનયાત્રી’ મોકલતાં પહેલાં એક જણને ISS મોકલવો જોઈએ. તેમના વિઝનથી જ આ સફળતા મળી. શુક્લા ISS ગયા અને સુરક્ષિત પાછા ફર્યા હતા.

વિદ્યાર્થીની હત્યાનો મામલો: શાળાઓમાં શિસ્ત સમિતિનો આદેશ

અમદાવાદની સેવન્થ ડે શાળામાં ધો.10ના વિધાર્થી દ્વારા ધો.8ના વિદ્યાર્થીની હત્યાની બનેલી દુ:ખદ ઘટનાએ સમગ્ર શિક્ષણ જગતને હચમચાવી દીધું છે. આ ઘટના બાદ શાળાઓમાં વિદ્યાર્થીઓની સલામતી અને શિસ્તને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. ઘટના બાદ કેટલાંક મહત્વના અને કડક પગલાં શિક્ષણ વિભાગ તેમજ શાળાઓ દ્વારા લેવામાં આવી રહ્યા છે. વડોદરા શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં બાળકોની સલામતી માટે પગલાં લેવાના ભાગરૂપે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. આ આદેશમાં તમામ શાળાઓમાં શિસ્ત સમિતિની રચના કરવા માટે આચાર્યો તેમજ શાળા સંચાલકોને જણાવવામાં આવ્યું છે.

આ અંગે ચિત્રલેખા.કોમ દ્વારા છોટી સી મુલાકાતમાં વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડે સાથે વાત કરવામાં આવી તો એમણે કહ્યું કે…

ચિત્રલેખા.કોમ: શિસ્ત સમિતિમાં કયા-કયા સભ્યોનો સમાવેશ કરવામાં આવશે?

મહેશ પાંડે: સ્કૂલ સેફ્ટિ પોલીસી-2016 અનુસાર શાળાઓને લખાયેલા પત્રમાં શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીની સલામતી અને સુરક્ષા બાબતે પગલાં લેવા જણાવવામાં આવ્યું છે. અમે દરેક પ્રાથમિક અને માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા આધારે શિસ્ત સમિતિની રચના કરવાના છીએ. આ શિસ્ત સમિતિમાં શાળાના આચાર્ય, શિક્ષક, વિદ્યાર્થી, વર્ગના મોનિટર, જનરલ સેક્રેટરીને સભ્ય તરીકે રાખવામાં આવશે.

બાળકોની સલામતી માટે ક્યા ચોક્કસ પગલાં લેવામાં આવશે?

આ સમિતિ દ્વારા સમગ્ર શાળા પરિસરમાં રિશેષના સમયે, રમત-ગમતના મેદાનમાં અને શાળામાં આવવા-જવાના સમયે સલામતી જાળવવા નિરીક્ષણ કરાશે. શિક્ષકની ગેરહાજરી હોય ત્યારે બાળકો વર્ગખંડમાં એકલા બેસી ન રહેતા તેમને સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં જોડવાના રહેશે. શાળાના આચાર્ય અને શિક્ષકની નૈતિક ફરજના ભાગરૂપે શાળાના વિદ્યાર્થીઓની સલામતીને અગ્રતા આપવાની રહેશે. વિદ્યાર્થીઓના બેગની ઓચિંતી તપાસ કરાશે. તમામ ટીચિંગ સ્ટાફની નૈતિક ફરજ છે કે તેઓ વિદ્યાર્થીઓને સલામત વાતાવરણ આપે તેમજ કોઈ પણ ઘટના બને તો તરત જ તેનો રિપોર્ટ ફરજિયાત કચેરીને મોકલવો.

શાળાઓમાં બુલિંગ (Bullying) અને હિંસા જેવી ઘટનાઓને રોકવા માટે શું ખાસ વ્યવસ્થા કરવામાં આવશે?

શાળા કક્ષાએ વિદ્યાર્થીઓની સલામતી અને શિસ્ત વિષયક અનિચ્છનીય ઘટના ન બને તે જોવાની જવાબદારી આચાર્ય અને શિક્ષકોની રહેશે. આ માટે સમયાંતરે વિદ્યાર્થીઓના સ્કૂલ બેગની આકસ્મિક ચકાસણી કરવાની રહેશે. બાળક શાળાએ આવે તે પૂર્વે તેમના વાલીઓ દ્વારા પણ સ્કૂલ બેગની ચકાસણી કરવા માટે વાલી બેઠકમાં વાલીઓને સૂચના આપવાની રહેશે. સ્કૂલમાં તેમની બેગ જ નહીં, પરંતુ વ્હીકલની પણ તપાસ કરાશે. દરમિયાન કોઈ પણ તિક્ષ્ણ હથિયાર મળશે તો વિદ્યાર્થીના વાલીને બોલાવી તેની હાજરીમાં કાઉન્સેલિંગ કરાશે. ત્યાર બાદ પણ વિદ્યાર્થી ન સુધરે તો તેને સસ્પેન્ડ કે ડિસ્મિસલ સુધીની કાર્યવાહી સ્કૂલોને કરવા મૌખિક સૂચના અપાઈ છે.

શું આ આદેશ ફક્ત સરકારી શાળાઓ માટે છે, કે ખાનગી અને અર્ધ-સરકારી શાળાઓને પણ આવરી લેવામાં આવશે?

સ્કૂલ સેફ્ટિ પોલીસી-2016 ગુજરાતની તમામ શાળાઓને લાગુ પડે છે. પછી સરકારી હોય, અર્ધ સરકારી હોય કે ખાનગી શાળા હોય. દરેકે નિયમોનું પાલન કરવું પડશે. શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીની સલામતી અને સુરક્ષા માટે પગલાં લેવા પડશે.

અમદાવાદની સેવન્થ ડે શાળાની દુ:ખદ ઘટનાને પગલે શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને શિસ્તને મજબૂત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે. બાળકોના જીવનની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટનાઓ ન બને તે માટે શાળાઓની સાથે-સાથે વાલીઓએ પણ જાગૃત અને જવાબદાર બનવાની જરૂરિયાત છે.

(રાધિકા રાઓલ-અમદાવાદ)

અમેરિકા જતા પાર્સલની અવરજવરને રોકશે ટપાલ વિભાગ, ટેરિફ વિવાદ વચ્ચે નિર્ણય

અમેરિકા દ્વારા ટેરિફ ડ્યુટી સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા પછી, ભારતીય ટપાલ વિભાગ સાથે સંબંધિત મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ટપાલ વિભાગ 29 ઓગસ્ટથી અમેરિકા જતા પાર્સલની અવરજવરને અસ્થાયી રૂપે સ્થગિત કરશે. ટપાલ વિભાગે જાહેરાત કરી છે કે તે 25 ઓગસ્ટથી અમેરિકામાં મોટાભાગના ટપાલ માલ સ્વીકારવાનું અસ્થાયી રૂપે બંધ કરશે. આવું મહિનાના અંતમાં અમલમાં આવનારા યુએસ ટેરિફ નિયમોમાં ફેરફાર પછી થશે.

અમેરિકાએ 30 જુલાઈના રોજ 800 યુએસ ડોલર સુધીના મૂલ્યના માલ માટે ડ્યુટી-ફ્રી મુક્તિ પાછી ખેંચી લેવાનો આદેશ જારી કર્યો હતો. 29 ઓગસ્ટથી, અમેરિકામાં મોકલવામાં આવતી બધી પોસ્ટલ વસ્તુઓ, તેમની કિંમત ગમે તે હોય, ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) ટેરિફ ફ્રેમવર્ક હેઠળ કસ્ટમ ડ્યુટી લાગશે.

ફક્ત US$100 સુધીની કિંમતની ભેટ વસ્તુઓ જ ડ્યુટી-ફ્રી રહેશે. ઓર્ડર મુજબ ફક્ત આંતરરાષ્ટ્રીય કેરિયર્સ અને યુએસ કસ્ટમ્સ દ્વારા મંજૂર કરાયેલા અન્ય “યોગ્ય પક્ષો” જ પોસ્ટલ શિપમેન્ટ પર ડ્યુટી એકત્રિત કરી શકે છે અને ચૂકવી શકે છે. પરંતુ આ પક્ષોને મંજૂરી આપવાની અને ડ્યુટી વસૂલવાની પ્રક્રિયા હજુ સ્પષ્ટ ન હોવાથી, એરલાઇન્સે કહ્યું છે કે તેઓ 25 ઓગસ્ટ પછી યુએસ માટે પોસ્ટલ પાર્સલ લઈ જઈ શકશે નહીં.

આને ધ્યાનમાં રાખીને ભારતીય પોસ્ટ 25 ઓગસ્ટથી અમેરિકામાં તમામ પ્રકારની વસ્તુઓનું બુકિંગ સ્થગિત કરશે. જોકે, US$100 સુધીના પત્રો દસ્તાવેજો અને ભેટોને આમાંથી મુક્તિ આપવામાં આવશે. ટપાલ વિભાગે જણાવ્યું હતું કે જે ગ્રાહકોએ પહેલાથી જ પાર્સલ બુક કરાવ્યા છે અને તેમને મોકલી શકતા નથી તેઓ પોસ્ટેજ રિફંડનો દાવો કરી શકે છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,”પોસ્ટ વિભાગ ગ્રાહકોને થયેલી અસુવિધા બદલ ખૂબ જ દિલગીર છે અને ખાતરી આપે છે કે અમેરિકામાં શક્ય તેટલી વહેલી તકે સંપૂર્ણ સેવાઓ પુનઃસ્થાપિત કરવા માટે તમામ શક્ય પગલાં લેવામાં આવી રહ્યા છે.”

સંદેશાવ્યવહાર મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પોસ્ટ વિભાગે 25 ઓગસ્ટ, 2025 થી યુએસ જતી તમામ પ્રકારની પોસ્ટલ વસ્તુઓનું બુકિંગ અસ્થાયી રૂપે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. પત્રો/દસ્તાવેજો અને ભેટ વસ્તુઓ સિવાય જેની કિંમત US $100 સુધીની છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP) અને યુનાઇટેડ સ્ટેટ્સ પોસ્ટલ સર્વિસ (USPS) તરફથી વધુ સ્પષ્ટતા પ્રાપ્ત થયા પછી, આ મુક્તિ પામેલી શ્રેણીઓ સ્વીકારવામાં આવશે અને યુએસ મોકલવામાં આવશે.

ભારતમાં કયા રાજ્યમાં છે સૌથી વધુ ઘૂસણખોરો?

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીએ 15 ઓગસ્ટે દેશમાં હાજર ઘૂસણખોરોની વાત કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે આ ઘૂસણખોરો દેશના યુવાઓની નોકરી છીનવી રહ્યા છે. હવે એ જ વાત પીએમએ બિહારના ગયાજીમાં પણ પુનરાવર્તિત કરી હતી. એ સાથે જ તેમણે જણાવ્યું હતું કે કેવી રીતે ડેમોગ્રાફી બદલાઈ રહી છે. કયા રાજ્યમાં ગેરકાયદે ઘૂસણખોરોની સમસ્યા સૌથી વધુ વિકરાળ બની રહી છે.

ભારતમાં કુલ કેટલા ગેરકાયદે પ્રવાસી?

વર્ષ 2016માં સરકાર તરફથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને લઈને માહિતી આપવામાં આવી હતી, જેમાં કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજુએ જણાવ્યું હતું કે ભારતમાં અંદાજે બે કરોડ બાંગ્લાદેશી ગેરકાયદે રીતે રહી રહ્યા છે, જે ઓસ્ટ્રેલિયાની આખી વસ્તી જેટલા છે. આ પહેલાં UPA સરકારે 2004માં 1.2 કરોડનો આંકડો આપ્યો હતો. આ આંકડો ફક્ત બાંગ્લાદેશી ઘૂસણખોરોનો છે, જ્યારે મ્યાનમાર, નેપાળ અને અન્ય દેશોથી પણ ગેરકાયદે રીતે લોકો ભારતમાં પ્રવેશ કરે છે. હવે 2025 સુધી આ આંકડો ઘણો વધી ગયો હોવાની શક્યતા છે.

કયા રાજ્યોમાં છે સૌથી વધુ ગેરકાયદે લોકો?

પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ એવા લોકો છે, જે કોઈ પણ માન્ય દસ્તાવેજ વગર રહી રહ્યા છે. અહીં આવા લોકોની સંખ્યા 57 લાખથી પણ વધુ બતાવવામાં આવી હતી. તેના પછી બીજા નંબરે આસામ આવે છે, જ્યાં ગેરકાયદે ઘૂસણખોરોની સંખ્યા આશરે 50 લાખ બતાવવામાં આવી હતી. આ જ કારણ છે કે આસામમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (NRC) ચલાવવામાં આવ્યું છે. જેમાં ગેરકાયદે પ્રવાસોની ઓળખ કરવામાં આવી. જ્યારે NRC ની અંતિમ યાદી બહાર પડી, ત્યારે તેમાંથી 19 લાખ લોકો બહાર રહી ગયા અને તેમની નાગરિકતા પર સવાલ ઊભા થયા છે.

શું પીએમ મોદી ચલાવશે ડેમોગ્રાફી મિશન?

NDA સરકારે નક્કી કર્યું છે કે દેશનું ભવિષ્ય ઘૂસણખોરો નક્કી નહીં કરે. મોદી સરકાર ગેરકાયદે રીતે દેશમાં આવેલા લોકો સામે એક નવું અભિયાન શરૂ કરવાની છે.

રશિયા પાસેથી તેલ ખરીદવા પર ભારતનો ટ્રમ્પનો જવાબ

વિદેશ મંત્રી એસ જયશંકરે રશિયા સાથે ભારતના ઉર્જા સંબંધોનો બચાવ કરતા કહ્યું કે અમારી તેલ ખરીદી રાષ્ટ્રીય અને વૈશ્વિક બંને હિતમાં છે. વિદેશ મંત્રીએ કહ્યું કે અમેરિકા સાથેની વાતચીતમાં વેપારનો મુદ્દો અવરોધ બની રહ્યો છે, પરંતુ ભારત સ્વતંત્ર રીતે નિર્ણયો લેવાનું ચાલુ રાખશે. વિદેશ મંત્રીએ ભારતની ઉર્જા સુરક્ષા પર ભાર મૂક્યો અને રશિયન તેલ ખરીદવા પરની ટીકાનો જવાબ આપ્યો.

જયશંકરે કહ્યું, તે હાસ્યાસ્પદ છે કે વેપાર તરફી યુએસ વહીવટના લોકો અન્ય લોકો પર વેપાર કરવાનો આરોપ લગાવી રહ્યા છે. જો તમને ભારતમાંથી તેલ અથવા રિફાઇન્ડ ઉત્પાદનો ખરીદવામાં સમસ્યા હોય, તો તે ખરીદશો નહીં. કોઈ તમને આ કરવા માટે દબાણ કરી રહ્યું નથી. યુરોપ ખરીદે છે, અમેરિકા ખરીદે છે. જો તમને તે ગમતું નથી, તો તે ખરીદશો નહીં.

જયશંકરનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે વેપારને લઈને તણાવ છે. અમેરિકાએ ભારત પર 50% ટેરિફ લાદ્યો છે, જેમાં 25% પેનલ્ટી ટેરિફ પણ શામેલ છે. રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર આ દંડ લાદવામાં આવ્યો છે.

જયશંકરે કહ્યું કે જ્યારે 2022 માં તેલના ભાવ વધ્યા ત્યારે વિશ્વભરમાં ચિંતા વધી ગઈ. તે સમયે એવું કહેવામાં આવ્યું હતું કે જો ભારત રશિયા પાસેથી તેલ ખરીદવા માંગે છે, તો તેને ખરીદવા દો. કારણ કે આનાથી ભાવ સ્થિર થશે. ભારતની ખરીદીનો હેતુ બજારોને શાંત કરવાનો પણ છે. અમે ભાવ સ્થિર રાખવા માટે રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યા છીએ. આ રાષ્ટ્રીય અને વૈશ્વિક બંનેના હિતમાં છે.

જયશંકરે કહ્યું કે અમે રશિયા સાથે વેપાર વધારવા માંગીએ છીએ. મારી રશિયા મુલાકાત દરમિયાન થયેલી વાટાઘાટોમાં અમે દ્વિપક્ષીય સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. રશિયા-યુક્રેન યુદ્ધ પર અમારું વલણ ખૂબ જ સ્પષ્ટ રહ્યું છે. અમે શક્ય તેટલી વહેલી તકે આ મુદ્દાનો ઉકેલ ઇચ્છીએ છીએ.

વિદેશ મંત્રી એસ. જયશંકર 19 થી 21 ઓગસ્ટ દરમિયાન રશિયાની મુલાકાતે હતા. તેમણે અહીં યોજાયેલા ભારત-રશિયા આંતરરાષ્ટ્રીય વેપાર, આર્થિક, વૈજ્ઞાનિક, તકનીકી અને સાંસ્કૃતિક સહકાર (IRIGC-TEC) ના 26મા સત્રની સહ-અધ્યક્ષતા કરી હતી.

આર્યન ખાનની ધ બેડ્સ ઓફ બોલીવુડનું પહેલું ગીત રિલીઝ

આર્યન ખાનના પહેલા શો ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’નું પહેલું ગીત ‘બદલી સી હવા હૈ’ આજે રિલીઝ થયું છે. આ ગીતમાં શોના મુખ્ય કલાકારો લક્ષ્ય અને રાઘવ ડાન્સ કરતા અને મસ્તી કરતા જોવા મળે છે. આ ગીત એક ડાન્સ સોંગ છે.

ટી-સીરીઝે આ ગીતને તેની યુટ્યુબ ચેનલ અને સોશિયલ મીડિયા પર રિલીઝ કર્યું છે. ઇન્સ્ટાગ્રામ પર આ ગીત શેર કરતા ટી-સીરીઝે લખ્યું, ‘ડાન્સ ફ્લોર પર ફક્ત આ પવન ફૂંકાશે. બદલી સી હવા હૈ ગીત રિલીઝ થઈ ગયું છે.’

આ ગીતમાં શોના મુખ્ય કલાકારો જોવા મળે છે. જેમાં લક્ષ્ય, સહર બાંબા અને રાઘવ જુયાલ જોવા મળે છે. ત્રણેય મસ્તી કરતા અને નાચતા જોવા મળે છે. આ દરમિયાન લક્ષ્ય અને સહર વચ્ચે રોમાંસ પણ જોવા મળે છે અને લક્ષ્ય અને રાઘવ વચ્ચે મિત્રતા પણ જોવા મળે છે.

અનિરુદ્ધનું સંગીત અને અરિજીતનો અવાજ

સાઉથના સ્ટાર સંગીતકાર અનિરુદ્ધ રવિચંદ્રએ આ ગીતને સંગીત આપ્યું છે. જ્યારે ગીતના શબ્દો કુમારે લખ્યા છે. અરિજીત સિંહ અને અમીરા ગિલે આ ગીતને અવાજ આપ્યો છે. આ ગીત એક પાર્ટી ગીત છે, જેના પર તમે મન મૂકીને નાચી શકો છો.

 

View this post on Instagram

 

A post shared by T-Series (@tseries.official)

‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ વિશે વાત કરીએ તો શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન આ શો સાથે દિગ્દર્શનની દુનિયામાં પ્રવેશ કરી રહ્યો છે. આ તેમનો પહેલો દિગ્દર્શિત-લેખિત શો છે. આ એક બોલીવુડ મસાલાવાળી વેબ સીરિઝ છે, જેમાં એક્શન-રોમાન્સ સાથે ડ્રામા પણ હશે. આ શો બોલીવુડ પર આધારિત છે. આ શોમાં એક વિશાળ સ્ટાર કાસ્ટ જોવા મળશે.’ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ 18 સપ્ટેમ્બરથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.

EDના દરોડા બાદ કોંગ્રેસના ધારાસભ્ય કે.સી. વીરેન્દ્રની ધરપકડ

નવી દિલ્હીઃ EDએ કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય કે. સી. વીરેન્દ્રને ધરપકડ કરી છે. EDએ 22 અને 23 ઓગસ્ટે કે. સી. વીરેન્દ્રના બેંગલુરુ, હુબલી, મુંબઈ, જોધપુર અને ગોવામાં આવેલાં અનેક સ્થાનો પર દરોડા પાડ્યા હતા. વીરેન્દ્રના ગોવામાં આવેલા પાંચ કસિનો પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા.

EDને ખબર પડી છે કે કોંગ્રેસના ધારાસભ્ય અનેક ઓનલાઇન સટ્ટાબાજીની સાઇટ્સ ચલાવતા હતા. EDને દરોડા દરમિયાન કોંગ્રેસ ધારાસભ્યનાં સ્થાનો પરથી 12 કરોડ રૂપિયા રોકડા મળ્યા હતા. તેમાં એક કરોડ રૂપિયાની વિદેશી કરન્સી પણ સામેલ છે અને અનેક લક્ઝરી કાર પણ મળી છે. આ સિવાય લગભગ 6 કરોડ રૂપિયાની કિંમતના સોનાના દાગીના અને 10 કિલો ચાંદી પણ મળી છે.

30 સ્થળોએ EDના દરોડા

ધારાસભ્યની ધરપકડ ગંગટોકમાંથી થઈ છે. ધારાસભ્ય પોતાના કેટલાક સાથીદારો સાથે ગંગટોકમાં કસિનો માટે જમીન લીઝ પર લેવા ગયા હતા. EDએ વીરેન્દ્રનાં 30 સ્થળોએ દરોડા પાડ્યા હતા અને 17 બેંક ખાતાંઓ તથા બે બેંક લોકર ફ્રીઝ કરી દીધા છે. વીરેન્દ્રના ભાઈ કે.સી. નાગરાજ અને તેમના પુત્ર પૃથ્વી એન. રાજના સ્થાનોમાંથી અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. ED જણાવ્યા મુજબ કે.સી. વીરેન્દ્રના ભાઈ કે.સી. થિપ્પેસ્વામી પણ આ કામમાં સામેલ હતા. કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે અને જેમ રીતે સતત પાર્ટીના ધારાસભ્યોનાં સ્થાનો પરથી મોટી માત્રામાં રોકડ અને બેહિસાબ સંપત્તિ મળી રહી છે, તેનાથી નિશ્ચિત રીતે કોંગ્રેસ માટે મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે.

ઓનલાઈન ગેમિંગ કેસમાં ED ની કાર્યવાહી, કોંગ્રેસ MLAની ધરપકડ

ED એ કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્યની ધરપકડ કરી છે. એજન્સીએ કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ૩૦ સ્થળોએ કેસી વીરેન્દ્રની મિલકતો અને રહેઠાણો પર પણ દરોડા પાડ્યા હતા અને કરોડો રૂપિયા તેમજ ઘરેણાં જપ્ત કર્યા હતા. એવો આરોપ છે કે ધારાસભ્ય અનેક ઓનલાઈન સટ્ટાબાજી સાઇટ્સ ચલાવતા હતા.

ED એ જણાવ્યું હતું કે બેંગલુરુ ટીમે શુક્રવારે ચિત્રદુર્ગ શહેરના ધારાસભ્ય કેસી વીરેન્દ્ર અને અન્ય લોકો સામે 30 સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં ચિત્રદુર્ગ જિલ્લામાં 6, બેંગલુરુમાં 10, જોધપુરમાં 3, હુબલીમાં એક, મુંબઈમાં બે અને ગોવામાં 8 પરિસરનો સમાવેશ થાય છે.

ગોવાના સ્થળોમાં પાંચ કેસિનોનો સમાવેશ થાય છે – પપીઝ કેસિનો ગોલ્ડ, ઓશન રિવર્સ કેસિનો, પપીઝ કેસિનો પ્રાઇડ, ઓશન 7 કેસિનો અને બિગ ડેડી કેસિનો. ગેરકાયદેસર ઓનલાઈન અને ઓફલાઈન સટ્ટાબાજી સંબંધિત કેસમાં આ દરોડા પાડવામાં આવ્યા હતા.

દુબઈથી પણ કનેક્શન મળ્યું

ઈડીએ જણાવ્યું હતું કે, તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી કિંગ567, રાજા567, પપીઝ003 અને રત્ના ગેમિંગ જેવા નામોથી ઘણી ઓનલાઈન સટ્ટાબાજી સાઇટ્સ ચલાવી રહ્યો હતો. આ ઉપરાંત, આરોપીનો ભાઈ, કેસી થિપ્પાસ્વામી દુબઈથી ત્રણ વ્યવસાયિક સંસ્થાઓ ચલાવી રહ્યો છે – ડાયમંડ સોફ્ટેક, ટીઆરએસ ટેક્નોલોજીસ અને પ્રાઇમ9 ટેક્નોલોજીસ, જે કેસી વીરેન્દ્રની કોલ સેન્ટર સેવા અને ગેમિંગ કામગીરી સાથે સંકળાયેલા છે.

12 કરોડ રૂપિયા રોકડા અને દાગીના જપ્ત

ધારાસભ્યના ઘરે દરોડામાં 12 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા છે, જેમાં લગભગ એક કરોડ રૂપિયા વિદેશી ચલણ, 6 કરોડ રૂપિયાના સોનાના દાગીના, લગભગ 10 કિલો ચાંદીની વસ્તુઓ અને ચાર વાહનોનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે ઓનલાઈન ગેમિંગ બિલ સંસદમાં પસાર થયાના થોડા દિવસો પછી ઈડીની આ કાર્યવાહી કરવામાં આવી છે.

‘ભારત પોતાનું સ્પેસ સ્ટેશન બનાવશે’ : PM મોદી

સ્પેસ ડે નિમિત્તે દેશવાસીઓને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે આ વખતે સ્પેસ ડેની થીમ છે – ‘આર્યભટ્ટથી ગગનયાન’. તેમાં ભૂતકાળનો આત્મવિશ્વાસ અને ભવિષ્યનો સંકલ્પ પણ છે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે આટલા ઓછા સમયમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ યુવાનોમાં ઉત્સાહ અને આકર્ષણનો પ્રસંગ બની ગયો છે. આ દેશ માટે ગર્વની વાત છે.

હું અવકાશ ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ લોકો, વૈજ્ઞાનિકો, તમામ યુવાનોને રાષ્ટ્રીય અવકાશ દિવસ પર અભિનંદન આપું છું. તાજેતરમાં, ભારતે ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિકશાસ્ત્ર પર આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડનું પણ આયોજન કર્યું છે. વિશ્વના 60 થી વધુ દેશોના 300 યુવાનોએ તેમાં ભાગ લીધો હતો. ભારતના યુવાનોએ પણ મેડલ જીત્યા છે. અવકાશ પ્રત્યે યુવાનોની રુચિ વધારવા માટે ઇસરો દ્વારા એક પહેલ કરવામાં આવી રહી છે.

પીએમ મોદીએ કહ્યું કે અવકાશ ક્ષેત્રમાં એક પછી એક નવા સીમાચિહ્નો બનાવવા એ ભારત અને ભારતીય વૈજ્ઞાનિકોનો સ્વભાવ બની ગયો છે. માત્ર 2 વર્ષ પહેલાં, આપણે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ દેશ બન્યા. આપણે અવકાશમાં ડોકિંગ અને અનડોકિંગ કરવાની ક્ષમતા ધરાવતો વિશ્વનો ચોથો દેશ બન્યા છીએ. ત્રણ દિવસ પહેલા, હું ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને મળ્યો.

તેમણે ISS પર ત્રિરંગો લહેરાવીને દરેક ભારતીયને ગર્વથી ભરી દીધો છે. જ્યારે તેઓ મને ત્રિરંગો બતાવી રહ્યા હતા, ત્યારે તે લાગણી શબ્દોની બહાર છે. તેમની સાથેની મારી વાતચીતમાં, મેં નવા ભારતના યુવાનોની હિંમત અને અનંત સપના જોયા છે. આ સપનાઓને આગળ વધારવા માટે, અમે ભારતનો અવકાશયાત્રી પૂલ પણ તૈયાર કરવા જઈ રહ્યા છીએ. હું આપણા યુવાનોને ભારતના સપનાઓને પાંખો આપવા માટે આ અવકાશયાત્રી પૂલમાં જોડાવા કહું છું.

તેમણે કહ્યું કે આજે ભારત સેમી-ક્રાયોજેનિક એન્જિન અને ઇલેક્ટ્રિક પ્રોપલ્શન જેવી પ્રગતિશીલ તકનીકોમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ટૂંક સમયમાં, આપ બધા વૈજ્ઞાનિકોની મહેનતથી, ભારત ગગનયાન પણ ઉડાવશે અને આવનારા સમયમાં, ભારત પોતાનું અવકાશ મથક પણ બનાવશે. અત્યાર સુધી આપણે ચંદ્ર અને મંગળ પર પહોંચી ગયા છીએ અને આપણે ઊંડા અવકાશમાં પણ જોવાનું છે, જ્યાં ઘણા મહત્વપૂર્ણ રહસ્યો છુપાયેલા છે.

ડિવોર્સની અફવા વચ્ચે સુનિતાએ કહ્યું મારી જેમ ગોવિંદાને કોઈ પ્રેમ ન કરી શકે

ગોવિંદા અને સુનિતા આહુજાના કથિત છૂટાછેડાની અફવા ચાલી રહી છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે સુનિતાએ ગોવિંદાથી અલગ થવાનો નિર્ણય લીધો છે અને મુંબઈની બાંદ્રા ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી છે. જોકે, આ અહેવાલોને સંપૂર્ણપણે પાયાવિહોણા પણ ગણાવવમાં આવ્યા હતાં.

અભિનેતા ગોવિંદાની પત્ની સુનિતા આહુજાએ તાજેતરમાં જ અભિનેતા સાથેના તેના સંબંધો વિશે વાત કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈ પણ તેને તેના જેવો પ્રેમ કરી શકે નહીં. તેણીએ એ પણ સ્વીકાર્યું કે તેણી 1990 ના દાયકામાં ગોવિંદા જે રીતે હતો તે યાદ કરે છે. તમને જણાવી દઈએ કે સુનિતા આહુજાએ આ વાતો એવા સમયે કહી છે જ્યારે મીડિયા રિપોર્ટ્સ દાવો કરી રહ્યા છે કે તેણીએ ગોવિંદાથી છૂટાછેડા માટે અરજી કરી છે.

ફ્રીપ્રેસ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ, સુનિતાએ તાજેતરમાં ‘ઈટ ટ્રાવેલ રિપીટ’ને આપેલા ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે તે 1990ના દાયકાના સુપરસ્ટાર ગોવિંદાને યાદ કરે છે. સુનિતાએ કહ્યું, ‘ગોવિંદાને મારા જેટલું કોઈ જાણતું નથી અને જીવનમાં કોઈ તેને ક્યારેય ઓળખશે નહીં. ગોવિંદાને મારા જેટલો કોઈ પ્રેમ કરી શકે નહીં, અને કોઈ તેને આટલું સમજી પણ ન શકે’.

જ્યારે સુનિતાને પૂછવામાં આવ્યું કે તેને ગોવિંદાનું કયું વર્ઝન વધુ ગમે છે, ત્યારે તેણે કહ્યું કે તે 90ના દાયકાના સુપરસ્ટારને યાદ કરે છે. એક ચંચળ અને રમતિયાળ. તેણે કહ્યું,’જૂનો ગોવિંદા, પાછા આવો મારા મિત્ર. મેરા ચી ચી, તું પાછો આવો…ચી ચી, મારી પાસે આવો’. તમને જણાવી દઈએ કે ગોવિંદાના મેનેજરે અમર ઉજાલા સાથેની વાતચીતમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે તે બંને એકબીજાને છૂટાછેડા આપી રહ્યા નથી. સુનિતાએ કોઈ છૂટાછેડા માટે અરજી કરી નથી. છૂટાછેડાના સમાચાર સંપૂર્ણપણે પાયાવિહોણા છે.