મહાભારતના વનપર્વમાં સંકટ વ્યવસ્થાપન અંગે મળતી અમૂલ્ય શીખ એ છે કે જ્યારે વ્યક્તિ ધ્યેયથી ચંચળ બને,
સંશયગ્રસ્ત થાય ત્યારે તેને ખોટી રીતે દબાવીને નહીં પરંતુ સમજાવીને ઉર્જાવાન બનાવી ધ્યેય તરફ વાળવો એ જ સાચું નેતૃત્વ છે. અર્જુન જ્યારે ધર્મસંકટમાં મુકાય છે અને પોતાનો માર્ગ ભૂલવા લાગે છે ત્યારે શ્રીકૃષ્ણ ધીરજપૂર્વક તેને પોતાના કર્મ, ધર્મ અને ધ્યેય અંગે સમજાવે છે. અહીં ક્રાઈસિસ મેનેજમેન્ટનાં ત્રણ સોપાનો – સમજૂતી, સંવાદ અને આત્મસંયમ મહત્વનો ભાગ ભજવે છે. આજે પણ ઘણા બધા જાણીતા નેતાઓ અને સંસ્થાઓએ આ સોપાનો અંગીકાર કર્યા છે. કોર્પોરેટ ક્ષેત્રે પણ આવાં અનેક ઉદાહરણો છે.
આવા જ એક ઉદાહરણ તરીકે, નારાયણ મૂર્તિએ ઈન્ફોસીસમાં જ્યારે શરૂઆતના તબક્કે રોકાણકારોનો વિશ્વાસ ઓછો હતો ત્યારે ધીરજપૂર્વક સમજૂતી સાથે ટીમના દરેક સભ્યને જોડી રાખ્યો અને નૈતિકતાથી કંપનીને આગળ વધારી. બીજું ઉદાહરણ લઈએ તો રતન ટાટાએ 2008માં તાતા નેનો કાર પ્રોજેક્ટ સફળ ના થવા છતાં પણ ટીમને મોરલ સપોર્ટ આપ્યો અને આર્થિક નુકસાન બાદ પણ સંસ્થા તેમજ ટીમ સાથે અડીખમ ઉભા રહ્યા. આવાં ઉદાહરણો દર્શાવે છે કે સંકટ સામે લડવા માટે પોઝિટિવ દ્રષ્ટિકોણ અને ઇફેક્ટિવ સંવાદ ખૂબ જ મહત્વ ધરાવે છે.

અર્જુનની જેમ ઘણા કર્મચારીઓ સંકટ વખતે ગભરાટમાં કે ઉશ્કેરાટમાં આવીને પોતાની મર્યાદાઓ અને શક્તિઓ ભૂલી જાય છે ત્યારે નેતાનું કામ હોય છે તેમને પુનઃ તેમની ક્ષમતાનો અહેસાસ કરાવવાનું. સ્પેસએક્સના એલન મસ્ક પણ એક સમયે રોકાણકારોની ટીકા અને ટેકનિકલ નિષ્ફળતાઓ વચ્ચે પોતાની ટીમને પ્રેરિત કરતા રહ્યા અને સંવાદથી જ તેમને વિશ્વાસમાં લીધા અને એને કારણે એમણે કંપનીને એકવાર નહીં અનેકવાર પુનર્જીવિત કરી.

મહાભારતનો આ પ્રસંગ એ બતાવે છે કે સંકટ સમયે લીડર શાંતિ, નમ્રતા અને આધ્યાત્મિક સમજથી સમગ્ર ટીમને એક ઉર્જા આપે તો તેનું શું પરિણામ આવી શકે! સંકટ એ અવસર છે જેમાં નેતૃત્વની સાચી પરીક્ષા થાય છે. આ પ્રસંગ ટાઈમલેસ મેનેજમેન્ટ મેન્યુઅલ છે, જે આજે પણ દરેક સંસ્થાને શીખવે છે કે સંકટ નિવારણ માત્ર વ્યવહારુ યુક્તિથી નહીં પરંતુ ધૈર્ય અને વિચારોના સંવાદથી થાય છે. યાદ રાખો એ લીડર શુડ બી એ ડીલર ઇન હોપ.
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી‘ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ‘ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)




આ વર્કશોપનું સંચાલન સેન્ટર ફોર એનવાયરનમેન્ટ એજ્યુકેશન (CEE) દ્વારા Yflow, અમદાવાદના સહયોગથી કરવામાં આવ્યું હતું. જેમાં પરંપરા અને તહેવારોને પ્રકૃતિ સાથે સંતુલનમાં ઉજવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
ઈકો-ફ્રેન્ડલી વિઘ્નહર્તા એટલે પ્રકૃતિ સાથે સંવાદ કરતા ગણેશજી… આપણા ત્યાં ગણેશજીની સ્થાપના અને બાદમાં તેમના વિસર્જનની પરંપરા છે. આથી જ્યારે બાપાને વિદાય આપે ત્યારે તેમનું સ્વરૂપ કોઈ પણ રીતે પર્યાવરણને નુક્સાન ન કરે તે જોવાનું કામ આપણા ભક્તોનું છે. આ વર્કશોપમાં ભાગ લેનારા દરેક વ્યક્તિએ કુદરતી વસ્તુઓમાંથી જ ગજાનનની મૂર્તિ બનાવવાની કલા શીખી. જેમાં માટી, પ્રાકૃતિક રંગોનો સમાવેશ થાય છે. આ પહેલથી ગણેશ ચતુર્થીની ઉજવણી દરમિયાન પર્યાવરણને નુકસાન ટાળીને પરંપરાગત મૂલ્યોને જાળવી રાખવાનું ધ્યેય રાખવામાં આવ્યું.
અસારવા યુથ સર્કલના પ્રમુખ સંજય પટેલ
શ્રાવણની અમાસના દિવસે બપોરે 12 વાગ્યે મહા આરતી યોજાઈ. અહીં મેળા દરમિયાન અસારવા યુથ સર્કલ અને અન્ય સામાજિક સંસ્થાઓ દ્વારા ઠેર-ઠેર પાણી પરબનું તથા ઇન્ક્વાયરી ઓફિસનું આયોજન કરવામાં આવ્યું. અસારવા નીલકંઠ મહાદેવ આશરે 700 વર્ષ પહેલાં સ્વામી હિરાપુરીજી મહારાજ દ્વારા આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.
આ મહારાજ લુણાવાડાના મનોહરનાથગિરીજી મહારાજના શિષ્ય હતા. મનોહરનાથગિરીજી મહારાજે એમને ભભૂતિનો ગોળો તથા અન્નપૂર્ણા માતાજીની પ્રતિમા આપી હતી. એ લઇને હિરાપુરીજી મહારાજ અમદાવાદ આવ્યા અને અસારવા ગામે કનૈરા વૃક્ષ નીચે ચૈતન્ય ધૂણી સ્થાપી તપસ્યા કરી હતી.
એ સમયે સત્પુરુષ બેહચરદાસ મણકીવાળાએ મહારાજની પ્રેરણાથી નીલકંઠ મહાદેવ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. એ સમયથી આજ સુધી દર વર્ષની જેમ આ પરંપરાગત મેળાનું આયોજન કરવામાં આવે છે.




મૃતક નયનને શ્રધ્ધાંજલિ આપવા માટે સેવન્થ ડે સ્કૂલ જન આક્રોશ વાલી મંડળ સંઘર્ષ સમિતિ સાથે સામાજિક અને રાજકીય આગેવાનો જોડાયા. નયનને ન્યાય મળે એ માટે બેનર્સ સાથે વિદ્યાર્થીઓ પણ જોડાયા. નયનને ન્યાય અપાવવા શહેરના ઘણાં બજારોમાં બંધનું એલાન અપાયું હતું.
વેપારીઓનું બંધનું એલાન..
નયન માટે સ્કૂલ પાસે શ્રધ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો. આ સાથે શહેરના રીલિફ રોડ, રેવડી બજાર, કાપડ માર્કેટ, ઘીકાંટા, ગાંધી રોડ જેવા અનેક વિસ્તારમાં કાપડ, મોબાઇલ, ઇલેકટ્રિકલ્સ, ઇલેક્ટ્રોનિક્સ બજાર જેવાં અનેક વેપાર સાથે સંકળાયેલા વેપારીઓએ આક્રોશ સાથે સજ્જડ બંધ પાળ્યો હતો.