વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્રએ નવા H-1B વિઝા અરજીઓ પર 1,00,000 ડોલરની ભારે ફી લગાવવાનું એલાન કર્યું છે. આ પગલાની ટીકા માત્ર ભારત જેવા દેશોએ જ નહીં, પરંતુ અમેરિકન મિડિયાએ પણ કરી છે. અનેક અમેરિકન મિડિયા આઉટલેટ્સે ચેતવણી આપી છે કે આ નીતિ તે ગ્લોબલ ટેલેન્ટને અમેરિકાથી દૂર કરી શકે છે, જેણે અમેરિકાને ટેકેનોલોજી સુપરપાવર બનાવવામાં મદદ કરી છે. અમેરિકન મિડિયાએ આ વાતને ઉજાગર કરી છે કે કેવી રીતે ભારતીય એન્જિનિયરો અને કોડર્સ દાયકાઓથી સિલિકોન વેલીમાં ઈનોવેશન કરી રહ્યા છે.
CNBCએ એક રિપોર્ટમાં ચેતવણી આપી છે કે આ પગલાથી અમેરિકા ‘દુનિયાનું પ્રીમિયર ટેલેન્ટ હબ’ બનવાથી દૂર થઈ શકે છે. કેનેડા, સિંગાપુર અને બ્રિટન પહેલાથી જ વિદેશી ટેક વર્કર્સ માટે રસ્તા સરળ બનાવવા લાગ્યા છે. આ વર્કર્સમાં ઘણા ભારતીય છે. જ્યારે વોશિંગ્ટન તેમની એન્ટ્રીને અત્યંત મોંઘી બનાવી રહ્યો છે.
અમેરિકાની ટોચની ટેક કંપનીઓમાં કામ કરવા માટે હજારો સ્કિલ્ડ ભારતીયો વિઝા રૂટનો મોટા પાયે ઉપયોગ કરે છે. અમેરિકન સરકારે સ્પષ્ટ કર્યું છે કે H-1B વિઝા અરજીની 1 લાખ ડોલરની નવી ફી ફક્ત નવા અરજદારો પર લાગુ થશે અને હાલના વિઝાધારકો અથવા વિઝા રિન્યુઅલ પર તેનો કોઈ અસર નહીં થાય.
ન્યુ યોર્ક ટાઈમ્સે આ પગલાને ભારતના પ્રતિભાશાળી મગજ પર “સીધો પ્રહાર” ગણાવ્યો છે. એ પણ કહેવામાં આવ્યું કે H-1B વિઝા અરજીઓ પર 1,00,000 ડોલરની ફીનો નિર્ણય શિક્ષણ, રિસર્ચ અને ઈનોવેશનમાં દાયકાઓથી ચાલતા અમેરિકા-ભારત સહયોગને તોડી શકે છે. આ પગલાથી અમેરિકન કંપનીઓ માટે ભારતમાંથી કર્મચારીઓને ભરતી કરવી લગભગ 20–30 ગણી મોંઘી થઈ જશે.
એક એનાલિસિસમાં CNNએ કહ્યું કે ટ્રમ્પનો નવો નિર્ણય ભારતના સ્કિલ્ડ પ્રોફેશનલ્સ પર અસમાન અસર કરશે અને લાખો લોકોની કરિયરનો રસ્તો બદલાવી દેશે. આ તે ટોચની ટેક કંપનીઓના બિઝનેસ મોડલને પણ અસર કરશે, જે ગ્લોબલ ટેલેન્ટ પર ખૂબ જ નિર્ભર છે. આજે અમેરિકામાં કેટલાક સૌથી સફળ કોર્પોરેટ નેતાઓ H-1B સિસ્ટમની જ દેન છે.
દક્ષિણપશ્ચિમ ચોમાસાનો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે, અને આગામી સાત દિવસમાં ચોમાસું સંપૂર્ણપણે વિદાય લેશે. જોકે, તે વિદાય લઈ રહ્યું હોવા છતાં, કેટલાક રાજ્યો પર ચોમાસાના વાદળો ભારે વરસાદ કરી રહ્યા છે. કોલકાતા, પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. આગામી છ દિવસોમાં, ઉત્તરપૂર્વ ભારત (આસામ, મેઘાલય), મહારાષ્ટ્ર, પૂર્વ ભારત અને દક્ષિણ ભારતમાં તોફાની પવનો સાથે ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે. જ્યારે ઉત્તર ભારતમાં ગરમી અને ભેજનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે દિલ્હી-એનસીઆરમાં હવામાન દર બે થી ત્રણ દિવસે બદલાઈ શકે છે. ચાલો જાણીએ કે 29 સપ્ટેમ્બર સુધી દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર દેશમાં હવામાન કેવું રહેશે.
ગંગા પશ્ચિમ બંગાળ કિનારે, ઉત્તર ઓડિશાને અડીને આવેલા અને બંગાળના ઉપસાગરના ઉત્તરપશ્ચિમ કિનારે એક નીચા દબાણનો વિસ્તાર હાજર છે. 25 સપ્ટેમ્બર સુધીમાં ઉત્તરપશ્ચિમ અને મધ્ય બંગાળની ખાડી પર એક નીચા દબાણનો વિસ્તાર વિકસિત થવાની ધારણા છે. દરમિયાન, આગામી 24 કલાકમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગોમાંથી વિદાય લેશે.
મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા, દક્ષિણ છત્તીસગઢ, તેલંગાણા અને ઉત્તરીય આંતરિક કર્ણાટકથી દક્ષિણ મહારાષ્ટ્ર કિનારે ઉપરના પવનોનું ચક્રવાતી પરિભ્રમણ સક્રિય છે. 26 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ઉત્તર-પશ્ચિમ અને સંલગ્ન પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાં એક મજબૂત ડિપ્રેશન બનવાની પણ ધારણા છે, જે પવન અને વરસાદને ઉત્તેજિત કરશે.
દિલ્હી-એનસીઆરમાં હવામાન કેવું રહેશે?
દિલ્હી-એનસીઆરમાં હવામાન હાલમાં સ્વચ્છ છે અને 26 સપ્ટેમ્બર સુધી આવું જ રહેશે. સવારે અને સાંજે ઠંડા પવનો ફૂંકાઈ શકે છે, પરંતુ દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ ગરમી અને ભેજની લાગણી લાવી શકે છે. આઇએમડીના અહેવાલ મુજબ, 27, 28 અને 29 સપ્ટેમ્બરે દિલ્હીમાં હળવા વાદળો જોવા મળી શકે છે. તે પછી, ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં શિયાળો આવવાની ધારણા છે. છેલ્લા 24 કલાકમાં, દિલ્હીમાં મહત્તમ તાપમાન 35.3 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 23.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. છેલ્લા 24 કલાકમાં, દિલ્હીમાં ઉત્તર-પશ્ચિમ તરફથી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયા હતા, જેમાં 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.
દેશના અન્ય ભાગોમાં હવામાન આ પ્રકારનું રહેશે
આઇએમડીના અહેવાલ મુજબ, આગામી પાંચ દિવસમાં પૂર્વી અને મધ્ય ભારતમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા અને તોફાની પવન ફૂંકાશે. 24 થી 27 સપ્ટેમ્બર દરમિયાન ઓડિશા, વિદર્ભ અને છત્તીસગઢમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. 24 સપ્ટેમ્બરે બિહારમાં અલગ અલગ સ્થળોએ અને 24-25 સપ્ટેમ્બરે ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી છે.
આગામી સાત દિવસોમાં પશ્ચિમ ભારતમાં અલગ અલગ સ્થળોએ ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી છે. 27 થી 29 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં અને 26 થી 29 સપ્ટેમ્બર દરમિયાન મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડા, કોંકણ અને ગોવામાં છૂટાછવાયા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તરપૂર્વ ભારતમાં, ૨૪ થી ૨૯ સપ્ટેમ્બર દરમિયાન આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં છૂટાછવાયા વાવાઝોડા અને ભારે વરસાદની સંભાવના છે.
દક્ષિણ ભારતમાં, 26 થી 28 સપ્ટેમ્બર દરમિયાન દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ અને તેલંગાણામાં, 25 થી 28 સપ્ટેમ્બર દરમિયાન તમિલનાડુમાં, 25 થી 28 સપ્ટેમ્બર દરમિયાન કેરળ અને માહેમાં, 26-27 સપ્ટેમ્બર દરમિયાન રાયલસીમા અને દરિયાકાંઠાના કર્ણાટકમાં અને 26 થી 28 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર આંતરિક કર્ણાટકમાં અલગ-અલગ વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે. 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં હાજરી આપવા માટે ન્યૂયોર્ક આવેલા ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની કાર પોલીસે રોકી હતી. ડોનાલ્ડ ટ્રમ્પના કાફલાની અપેક્ષાએ પોલીસે આ કાર્યવાહી કરી હતી, ત્યારબાદ મેક્રોન રસ્તા પરથી ઉતરી ગયા અને ટ્રાફિક પોલીસ અધિકારીઓ સાથે વાત કરવાનું શરૂ કર્યું. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
New York’ta, Trump’ın konvoyu için yolları kapatan polis, Macron’un aracını da durdurdu.
Araçtan inen Macron, Trump’ı arayarak esprili bir dille yolu açmasını istedi. pic.twitter.com/4UzFu18ZdP
વાયરલ વીડિયોમાં એક અધિકારી મેક્રોન સાથે વાત કરતા અને ટ્રમ્પના કાફલાનો ઉલ્લેખ કરીને તેમને રસ્તો બંધ કરવાનું કહેતા જોવા મળે છે. ત્યારબાદ, મેક્રોન ફોન પર કોઈની સાથે વાત કરતા જોવા મળે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મેક્રોને આ ફોન યુએસ રાષ્ટ્રપતિને કર્યો હતો.
ટ્રાફિક જામ: ટ્રમ્પ માટે મજા
ન્યૂયોર્ક પોલીસે રોક્યા પછી તરત જ, મેક્રોને ટ્રમ્પને ફોન કર્યો. ફોન પર, તેમણે ટ્રમ્પને કહ્યું, “તમે કલ્પના પણ કરી શકતા નથી કે હું ન્યૂયોર્કની શેરીમાં તમારી રાહ જોઈ રહ્યો છું. તમારા કારણે અહીં બધું બંધ થઈ ગયું છે.”
ત્યારબાદ મેક્રોન ન્યૂયોર્કના રસ્તાઓ પર ઉભેલા લોકો સાથે વાત કરવાનું શરૂ કર્યું. તેમણે તેમાંથી કેટલાક સાથે ફોટો પણ પડાવ્યો. જોકે, આ મામલે ન્યૂયોર્ક પોલીસ દ્વારા કોઈ નિવેદન જારી કરવામાં આવ્યું નથી.
મેક્રોન યુએનની બેઠકમાં હાજરી આપવા માટે ન્યૂયોર્ક પહોંચ્યા
ઇમેન્યુઅલ મેક્રોન યુએન જનરલ એસેમ્બલીની બેઠકમાં હાજરી આપવા માટે ન્યૂયોર્ક પહોંચ્યા હતા. બેઠકના પહેલા દિવસે તેમણે પેલેસ્ટાઇનને માન્યતા આપવાની જાહેરાત કરી હતી. ફ્રાન્સ સંયુક્ત રાષ્ટ્રનું કાયમી સભ્ય છે. આ વખતે, યુએનની બેઠક આતંકવાદ, આબોહવા પરિવર્તન, પેલેસ્ટાઇન અને સીરિયા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
આ બેઠક પર સમગ્ર વિશ્વ ફ્રાન્સ પર નજર રાખી રહ્યું છે કારણ કે ફ્રાન્સ પ્રથમ યુરોપિયન દેશ અને યુએનનો કાયમી સભ્ય છે જેણે પેલેસ્ટાઇનને એક અલગ રાષ્ટ્ર તરીકે માન્યતા આપવાની જાહેરાત કરી છે.
નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ અનેક એશિયાઈ દેશોમાં સર્જાયેલા રાજકીય ઊથલપાથલ અંગે સોશિયલ મિડિયા પર એક પોસ્ટ કરી, જેને કારણે રાજકીય ચર્ચા ચૌરે ને ચૌટે છે. ભાજપે તેમના આ નિવેદનને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર સીધો હુમલો ગણાવ્યો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં એશિયાના ઘણા દેશોમાં તખતાપલટ થયા અને સરકારો બદલાઈ ગઈ. એના પર મનીષ તિવારીએ વંશવાદી રાજકારણ વિરુદ્ધ વધતા ગુસ્સાને વ્યક્ત કર્યો હતો.
હવે કોઈનો વિશેષાધિકાર સ્વીકાર્ય નથી : મનીષ તિવારી
કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ X પર પોસ્ટ કરી લખ્યું હતું કે જનરેશન X, Y, Z હવે કોઈનો વિશેષાધિકાર સ્વીકારતી નથી. જુલાઈ, 2023માં શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે, જુલાઈ 2024માં બાંગ્લાદેશમાં શેખ હસીના, સપ્ટેમ્બર 2025માં નેપાળમાં કેપી શર્મા ઓલી અને ફિલિપિઈન્સમાં ફર્ડિનાંડ માર્કોસ જુનિયર વિરુદ્ધ થયેલા વિરોધ આંદોલનો તેની સાબિતી છે.” તેમણે જણાવ્યું હતું કે સોશિયલ મિડિયા ટ્રેન્ડ્સે વંશવાદને ધ્વસ્ત કર્યો છે અથવા તો તેને પડકાર્યો છે.
Senior Congress leader Manish Tewari, member of the G-23 rebel group, takes aim at Rahul Gandhi — the ultimate ‘Nepo Kid’ of Indian politics.
Forget Gen Z, even Congress’s own veterans are fed up with his regressive politics. The revolt is now from within! https://t.co/v8HoxXKgG9
ભાજપે તેમના નિવેદનને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે જોડ્યું હતું. ભાજપ IT સેલના પ્રમુખ અમિત માલવિયાએ કહ્યું કે G-23 બાગી ગ્રુપના સભ્ય, વરિષ્ઠ કોંગ્રેસ નેતા મનીષ તિવારી, ભારતીય રાજકારણના સૌથી મોટા ‘નેપો કિડ’ રાહુલ ગાંધી પર પ્રહાર કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે “Gen-Z તો દૂરની વાત છે, કોંગ્રેસના પોતાના દિગ્ગજો પણ તેમની રાજકારણથી કંટાળી ગયા છે. હવે બળવો અંદરથી જ છે.
કોંગ્રેસ નેતાની સ્પષ્ટતા
અમિત માલવિયાને જવાબ આપતાં મનીષ તિવારીએ તેમના પોસ્ટમાં ભાજપના તાર્કિક દાવાને નકારી કાઢ્યો. તેમણે કહ્યું હતું કે હું ફક્ત ઈચ્છું છું કે કેટલાક લોકો જીવનમાં આગળ વધે. આ ચર્ચાને કોંગ્રેસ અને ભાજપ વચ્ચેના રાજકીય ઘમાસાણ સુધી મર્યાદિત રાખવી નહીં જોઈએ, પરંતુ દક્ષિણ અને પૂર્વ એશિયાના મોટા બનાવો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ત્યાં જે કંઈ થઈ રહ્યું છે, તેના રાષ્ટ્રીય સુરક્ષામાં ગંભીર પ્રભાવ છે.
રાહી ગરબામાં જવા તૈયાર થઈ રહી હતી. મમ્મી હેતાક્ષી એને એકીટસે જોઈ રહ્યા હતા એટલે રાહીએ પૂછ્યું, “મમ્મી, તમે આમ કેમ જોઈ રહ્યાં છો?” હેતાક્ષીએ ઊંડો શ્વાસ લઈને કહ્યું, “બેટા, મને પણ ગરબા રમવાનો શોખ હતો.”
“નવરાત્રિ એ મારો પણ મનગમતો તહેવાર! પણ તું જાણે છે, હું અને માસી ફક્ત દાદી કે ભાઈ સાથે જ ગરબે જઈ શકતાં. ભાઈને રસ ન હોય અને દાદી થાકેલાં હોય તો ગમે એટલી ઈચ્છા હોય, અમે ગરબા રમવા માટેના જઈ શકીએ. પપ્પાનો નિયમ હતો કે એકલા નહીં જવાનું. આજે તને તારા મિત્રો સાથે એકલા ગરબા રમવા માટે જતી જોઈને મને આનંદ થાય છે. તારામાં હું મારી જાતને શોધું છું…”
આજની યુવતીઓ માટે નવરાત્રિ માત્ર તહેવાર નહીં, પરંતુ સ્વતંત્રતા અને આત્મવિશ્વાસનું પ્રતીક બની ગઈ છે. એક સમય હતો, જ્યારે ગરબા રમવા જવા માટે માતા-પિતા કે પરિવારના વડીલ સભ્ય સાથે જ બહાર જવાની પરંપરા હતી, પરંતુ હવે યુવતીઓ પોતાના મિત્રોના ગ્રુપમાં નિડરતાથી ગરબા રમવા જાય છે. રાતભર ગરબે ઘૂમતા પણ એ પોતાની સુરક્ષા અંગે સજાગ રહે છે. મોબાઈલમાં ટ્રેકિંગ, કેબ શેરિંગ કે મિત્રોની વચ્ચે રહેવા જેવા નાના પગલાં લઈ એ પોતાને સંભાળે છે.
શું ખરેખર આજની પેઢીની યુવતીઓએ સાબિત કરી દીધું છે કે તહેવાર માણવા માટે હવે કોઈ સહારો નહીં, પરંતુ આત્મવિશ્વાસ અને સતર્કતા જ સાચો સાથસંગાથ છે!
પરિસ્થિતિ બદલાઈ ગઈ છે..
પહેલાના સમયમાં નવરાત્રિ માહોલ આજથી એકદમ જુદો હતો. પોળના આંગણે કે નજીકના ચોકમાં ગરબા યોજાતા, જ્યાં છોકરીઓ છોકરાઓથી અલગ જ ગરબા રમતા. કોમર્શિયલ ગરબા ઘણા ઓછા થતા. દીકરીઓ માતા-પિતા કે ભાઈ સાથે જ ગરબા માણવા જઈ શકતી, કેમ કે એ સમયના વિચારો મુજબ છોકરીઓએ છોકરાઓ સાથે ગરબા રમવા જવું યોગ્ય ગણાતું ન હતું. સામાજિક માન્યતાઓ વધારે કડક હોવાથી છોકરીઓ પર નિયંત્રણ વધુ હતું.
ચિત્રલેખા.કોમસાથે વાત કરતા અભિનેત્રી અને દિગ્દર્શક ઇવેન્ટ કોચર જાનકી પટેલ કહે છે કે, હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આજની ઝેન્જી જનરેશન માટે ગરબા એક કોમર્શિયલ અને ગ્રુપ એક્ટિવિટી બની ગયા. નવરાત્રિના ગરબા વિશાળ કોમર્શિયલ મેદાનોમાં યોજાય છે, જ્યાં છોકરાઓ-છોકરીઓ એકસાથે ગ્રુપમાં રમે છે. જે આજની જનરેશન માટે આ સંપૂર્ણ સ્વાભાવિક બાબત છે. પરંપરાગત બે-તાળી કે ત્રણ-તાળી ગરબાની જગ્યાએ હવે નવા નવા સ્ટેપ્સ, ફ્યુઝન અને સ્ટાઈલિશ મૂવ્સ જોવા મળે છે. સાથે સાથે સેફ્ટીનું મહત્વ હવે નવા રીતે સમજાયું છે. આજની યુવતીઓ પોતાની સુરક્ષા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે.
પરંપરા અને આધુનિકતા સાથે રહી શકે છે
નવરાત્રિ એ આપણા સંસ્કૃતિનો જીવંત ઉત્સવ છે. પરંતુ આજની પેઢી માટે આ તહેવારનો અર્થ માત્ર ભક્તિ કે મોજશોખ નથી. આજની યુવતીઓ નવરાત્રિને પોતાના સ્વતંત્રતા અને આત્મવિશ્વાસનો મહોત્સવ બનાવે છે.
ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા શિક્ષિકા નિશા સુતારિયા કહે છે કે, “પહેલાં યુવતીઓને ગરબા રમવા જવા માટે ઘરની પરવાનગી અને પરિવારના સાથની જરૂર પડતી. પરંતુ આજે યુવતીઓ મિત્રો સાથે નિડરતાથી જાય છે. આનંદ માણે છે, ગરબા રમે છે, પણ સાથે જ પોતાની સુરક્ષાને ભૂલતી નથી. મોબાઇલમાં સેફ્ટી એપ, ગ્રુપમાં રહેવું, કે સમયસર ઘરે પરત આવવું આવી બાબતો દર્શાવે છે કે આજની યુવતીઓ સ્વતંત્ર છે, પણ બેદરકાર નથી. આજની જનરેશન નવરાત્રિનો આનંદ માણતી વખતે જ સમાજને સમજાવે છે કે પરંપરા અને આધુનિકતા સાથે રહી શકે છે. ગરબા રમતા રમતા યુવતીઓ સાબિત કરે છે કે જીવનનો સાચો ઉત્સવ ત્યારે જ છે જ્યારે વ્યક્તિ સ્વતંત્રતા સાથે સંસ્કૃતિને જીવવે છે. આ બદલાતી માનસિકતા માત્ર આજની પેઢીને નહીં, પરંતુ આવનારી પેઢીને પણ પ્રેરણાદાયી સાબિત થશે.”
પોતાની અંદરની શક્તિ ઉજાગર કરે છે
આજની પેઢીની યુવતીઓ માટે નવરાત્રિનો અર્થ માત્ર પરંપરા કે મોજશોખમાં સીમિત રહેવાનો નથી. આ તહેવાર હવે એમના માટે આત્મવિશ્વાસ અને સ્વતંત્રતાનો જીવંત પ્રતીક બની ગયો છે. આ બદલાવ માત્ર સામાજિક નથી, પણ માનસિક દૃષ્ટિએ પણ મહત્ત્વનો છે. યુવતીઓ હવે પોતાની સુરક્ષા અંગે સજાગ છે.
ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા રેડિયોલોજિસ્ટ, પ્રોફેસર, ડો. નેહલ દિવાનજી કહે છે કે, સ્ત્રીનો સાચો શણગાર એના વસ્ત્રો કે આભૂષણમાં નથી, પરંતુ એના આત્મવિશ્વાસમાં છે. એક રેડિયોલોજિસ્ટ તરીકે હું વારંવાર જોઉં છું કે યુવતીઓ આરોગ્ય અંગે વધારે જાગૃત બની રહી છે. તેઓ પોતાની કાળજી રાખે છે, નિયમિત ચેકઅપ કરે છે અને પોતાના આરોગ્યને પ્રાથમિકતા તરીકે સ્વીકારે છે. આ જાગૃતિ એમને માત્ર શારીરિક રીતે જ નહીં, પરંતુ માનસિક રીતે પણ મજબૂત બનાવે છે. નવરાત્રિના આ તહેવારમાં તેઓ પોતાની અંદરની શક્તિ ઉજાગર કરે છે. નવરાત્રિ હવે માત્ર નૃત્ય કે ભક્તિનો ઉત્સવ નથી. એ આજની યુવા પેઢીની શક્તિ, હિંમત અને આત્મવિશ્વાસનો પણ ઉત્સવ છે.”
આ અઠવાડિયે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક H-1B વિઝા માટે $100,000 ફીની જાહેરાત કરી. આ વિઝા યુએસમાં કામ કરતા વિદેશી વ્યાવસાયિકો માટે, ખાસ કરીને ટેકનોલોજી કંપનીઓ માટે મહત્વપૂર્ણ છે. આ નિર્ણયથી સ્થળાંતરિત કામદારોમાં ગભરાટ ફેલાયો. સિલિકોન વેલીની ઘણી કંપનીઓએ તેમના કર્મચારીઓને યુએસની બહાર મુસાફરી ન કરવાની સલાહ આપી, કારણ કે તેમને ડર હતો કે તેમને પાછા ફરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. પરિસ્થિતિ વધુ વણસી રહી છે, વ્હાઇટ હાઉસે સ્પષ્ટતા કરી કે આ ફી ફક્ત નવી વિઝા અરજીઓ પર જ લાગુ થશે અને ફક્ત એક જ વાર.
અમેરિકા પર ભારે અસર પડશે
નિષ્ણાતો કહે છે કે આ નિર્ણય યુએસ અર્થતંત્રને નુકસાન પહોંચાડી શકે છે. ટેક કંપનીઓ એન્જિનિયરો, વૈજ્ઞાનિકો અને આઇટી નિષ્ણાતો માટે H-1B વિઝા પર આધાર રાખે છે. અર્થશાસ્ત્રી અતાકન બકીસ્કન કહે છે કે આનાથી વિદેશી પ્રતિભાને આકર્ષવામાં મુશ્કેલી પડશે અને ઉત્પાદકતા પર અસર પડશે.
તેમના અહેવાલ મુજબ, યુએસ વિકાસ દર, જે અગાઉ 2% હોવાનો અંદાજ હતો, તે હવે ઘટાડીને 1.5% કરવામાં આવ્યો છે. બ્રોકરેજ ફર્મ XTB ના રિસર્ચ ડિરેક્ટર કેથલીન બ્રુક્સે જણાવ્યું હતું કે એમેઝોન, માઇક્રોસોફ્ટ, ગૂગલ અને એપલ જેવી કંપનીઓ પાસે મોટી સંખ્યામાં H-1B વિઝા કર્મચારીઓ છે. જ્યારે ટેક સેક્ટર ખર્ચ ઉઠાવી શકે છે, ત્યારે આરોગ્યસંભાળ અને શિક્ષણ જેવા ક્ષેત્રોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
ભારતીયોને સૌથી વધુ H-1B વિઝા મળ્યા
ભારતીયો H-1B વિઝા કાર્યક્રમમાં મોખરે છે, જેમની પાસે લગભગ 70% વિઝા છે. આ જ કારણ છે કે ગૂગલ, માઇક્રોસોફ્ટ અને IBM જેવી કંપનીઓમાં ભારતીય મૂળના CEO છે. માત્ર ટેક ક્ષેત્રમાં જ નહીં, પરંતુ લગભગ 6% અમેરિકન ડોકટરો પણ ભારતીય મૂળના છે. પરિણામે, આ નિર્ણયની સીધી અસર ભારતીય વ્યાવસાયિકો પર પડશે.
અમેરિકા પર દબાણ વધશે
નિષ્ણાતો માને છે કે શરૂઆતમાં ભારતને ફટકો પડશે, પરંતુ વાસ્તવિક દબાણ યુએસ કંપનીઓ પર પડશે. NASSCOM એ ચેતવણી આપી છે કે આનાથી ઘણા પ્રોજેક્ટ્સ અટકી શકે છે અને ગ્રાહકો નવી શરતો લાદી શકે છે. TCS અને ઇન્ફોસિસ જેવી ભારતીય IT કંપનીઓ પહેલાથી જ યુએસમાં તેમના સ્થાનિક કાર્યબળનો વિસ્તાર કરી રહી છે અને તેમના કામનો મોટો ભાગ ભારત અથવા અન્ય દેશોમાં ખસેડી રહી છે.
લખનૌઃ ઉત્તર પ્રદેશ સરકારે પોલીસ રેકોર્ડ અને જાહેર નોટિસમાંથી તમામ જાતિ-સંદર્ભોને તાત્કાલિક દૂર કરવાની સાથે-સાથે વાહનો પર જાતિ આધારિત સ્ટિકર લગાવનારા અથવા નારા લખાવનારા પર મોટર વાહન અધિનિયમ હેઠળ દંડ લગાવવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત રાજ્યમાં રાજકીય હેતુઓ માટે યોજાતી જાતિ આધારિત રેલી અને જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે જાતિ ગૌરવ કે ઘૃણાને પ્રોત્સાહન આપતી સોશિયલ મિડિયા પોસ્ટ પર કડક નજર રાખવામાં આવશે. સરકારનું કહેવું છે કે આ નિર્ણયનો હેતુ જાતિ આધારિત ભેદભાવને સમાપ્ત કરવાનો છે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે તમામ પોલીસ અધિકારીઓ અને જિલ્લા પ્રશાસન માટે જારી કરાયેલો આ આદેશ 16 સપ્ટેમ્બરના અલાહાબાદ હાઇકોર્ટના એક ચુકાદાને આદેશ તરીકે લેવામાં આવ્યો છે. અધિકૃત આદેશ અનુસાર કાર્યકારી મુખ્ય સચિવ દીપકકુમારે સૂચના આપી છે કે આરોપીઓની જાતિ હવે પોલીસ રજિસ્ટરમાં, કેસની વિગતમાં, ધરપકડ દસ્તાવેજોમાં અથવા પોલીસ સ્ટેશનના નોટિસ બોર્ડ પર નોંધવી નહીં.
સરકારી આદેશમાં જણાવવામાં આવ્યું છે કે શહેરો અને ગામોમાં એવાં બોર્ડ અથવા સંકેતો દૂર કરવા અધિકારીઓને કહેવામાં આવ્યું છે, જે જાતિગત ઓળખનો મહિમા કરે છે અથવા કોઈ વિસ્તારને ચોક્કસ જાતિ સાથે જોડે છે. રાજ્યમાં જાતિ આધારિત રેલી અને જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ઓનલાઇન જાતિ આધારિત દુશ્મનાવટ ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
“स्वजातीय, वर्चस्ववादी और ताकतवर लोगों को हर जगह बैठाया हुआ है। यह जो 5000 साल पुरानी बातें थी उनको दूर कैसे करेंगे, बाबा साहब को जाति की वजह से ही भेदभाव का सामना करना पड़ा।”
સરકારના આ આદેશને લઈને સમાજવાદી પાર્ટી (સપા)ના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે સોમવારે X પર એક પોસ્ટ દ્વારા સત્તારૂઢ પક્ષ પર તીવ્ર પ્રહાર કર્યો હતો. યાદવે લખ્યું હતું કે 5000 વર્ષોથી મનમાં વસેલા જાતિ આધારિત ભેદભાવને દૂર કરવા માટે શું કરવામાં આવશે? અને વસ્ત્ર, વેશભૂષા અને પ્રતિક ચિહ્નોના માધ્યમથી થતા જાતિ પ્રદર્શનથી ઉપજેલા ભેદભાવને નાબૂદ કરવા માટે શું કરવામાં આવશે?
બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફે ઘણી અટકળો પછી આખરે પોતાની ગર્ભાવસ્થાની ખુશખબરી આપી છે. અભિનેત્રી તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી એક તસવીર પણ શેર કરી છે.
બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ અને વિકી કૌશલના ઘરે પારણું બંધાવવાનું છે. કેટરિના કૈફે પોતાની પ્રગ્નેન્સીની જાહેરાત કરી છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પતિ વિકી કૌશલ સાથેના તેના ગર્ભાવસ્થાના ફોટોશૂટનો ફોટો શેર કર્યો છે. ફોટો શેર કરતા અભિનેત્રીએ લખ્યું, “આપણે આપણા જીવનનો સૌથી સુંદર અધ્યાય શરૂ કરવા જઈ રહ્યા છીએ. આપણા હૃદય આનંદ અને કૃતજ્ઞતાથી ભરાઈ ગયા છે.”
જાહ્નવી સહિત અનેક સેલિબ્રિટીઓએ અભિનંદન પાઠવ્યા હતા. કેટરિના અને વિકી કૌશલ દ્વારા ખુશખબરની સત્તાવાર જાહેરાત બાદ અસંખ્ય સ્ટાર્સ અભિનંદનનો વરસાદ વરસાવી રહ્યા છે. ભૂમિ પેડનેકરે લાલ હૃદયનું ઇમોજી ઉમેર્યું. આ દરમિયાન, જાહ્નવી કપૂરે કમેન્ટ સેક્સનમાં લાલ હૃદયનું ઇમોજી મૂક્યું, “અભિનંદન, અભિનંદન, અભિનંદન.” લખ્યું. હુમા કુરેશીએ લખ્યુ,”વાહ, અભિનંદન!”. સેલેબ્સ સિવાય ચાહકો પણ કપલને શુભેચ્છા પાઠવી રહ્યા છે.
ઘણા મહિનાઓથી ગર્ભાવસ્થાની અફવાઓ ફેલાઈ રહી હતી. અનેક ફોટા અને વીડિયોને કારણે નેટીઝન્સે અનુમાન લગાવ્યું હતું કે તે ગર્ભવતી હતી. જોકે, હવે તેણે સત્તાવાર રીતે તેની ગર્ભાવસ્થાની જાહેરાત કરી છે.
કેટરિના અને વિકીના લગ્ન 2021 માં થયા હતા
9 ડિસેમ્બર, 2021 ના રોજ કેટરિના કૈફે અભિનેતા વિકી કૌશલ સાથે પરંપરાગત હિન્દુ વિધિઓ અનુસાર લગ્ન કર્યા. આ લગ્ન રાજસ્થાનના સવાઈ માધોપુરના એક ભવ્ય કિલ્લામાં થયા હતા, જેમાં ફક્ત પરિવાર અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. લગ્નના ફોટા લાંબા સમયથી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા હતા. આજે, કેટરિના વિકી સાથે સુખી લગ્ન જીવનનો આનંદ માણી રહી છે. કેટરિના અને વિકી કૌશલ ટૂંક સમયમાં માતાપિતા બનવાના છે. આ ક્ષણ તેમના માટે ખૂબ જ ખાસ રહેશે.
નવી દિલ્હી: દેશની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન તૈયાર થઈ ગઈ છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે વંદે ભારત સ્લીપર ટ્રેન તૈયાર થઈ ચૂકી છે અને તેની ટેસ્ટિંગ પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ કયા રૂટ પર વંદે ભારત સ્લીપર ટ્રેન દોડશે તેનો હજી સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી. વંદે ભારત ટ્રેન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સપનાના પ્રોજેક્ટ્સમાંની એક છે.
રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે વંદે ભારત સ્લીપર ટ્રેનને જોડામાં ચલાવવી પડે છે. તેથી બીજી ટ્રેન પણ તૈયાર થઈ રહી છે, જે 10 ઓક્ટોબર સુધી તૈયાર થઈ જશે. બંને ટ્રેન તૈયાર થઈ ગયા બાદ કોઈ એક રૂટ પસંદ કરીને તેને ચલાવવામાં આવશે. છેલ્લા થોડા સમયથી મિડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે પહેલી સ્લીપર ટ્રેન દિલ્હીથી પટના અથવા દિલ્હીથી બનારસ વચ્ચે દોડશે. કેટલાક રિપોર્ટમાં દિલ્હીથી કોલકાતા વચ્ચે પણ પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન ચલાવવાનો દાવો થયો હતો.દેશમાં પહેલી સ્લીપર ટ્રેન કયા રૂટ પર દોડશે તે નક્કી થયું નથી, પરંતુ સૂત્રોના મુજબ પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન ઓક્ટોબરનાં અંત સુધી પાટા પર દોડતી જોવા મળી શકે છે.
🚨Indian Railways has successfully completed field trials for the first prototype Vande Bharat Sleeper train, said Railway minister in Loksabha pic.twitter.com/od6ReSjFFE
વંદે ભારત સ્લીપર ટ્રેનનું નિર્માણ BEML દ્વારા કરવામાં આવ્યું છે. ટ્રેનની બોડી હાઈ ગ્રેડ ઓસ્ટેનિટિક સ્ટેનલેસ સ્ટીલથી બનેલી છે, જે તેને મજબૂત અને સુરક્ષિત બનાવે છે. તેને 160 કિમી પ્રતિ કલાકની ઝડપ માટે ડિઝાઇન કરવામાં આવી છે, જ્યારે તેની ટ્રાયલ 180 કિમી/કલાકની ઝડપે કરવામાં આવી છે.
કોચનું ઇન્ટિરિયર અત્યંત આકર્ષક અને આધુનિક છે, જેમાં વધુ સારી લાઇટિંગ અને સુંદર ડિઝાઇન છે. બર્થને રાજધાની એક્સપ્રેસ કરતાં પણ વધુ આરામદાયક બનાવવામાં ધ્યાન આપવામાં આવ્યું છે. સ્વચાલિત દરવાજા, ટચ-ફ્રી બાયો-વેક્યુમ ટોયલેટ અને CCTV કેમેરા જેવી સુવિધાઓ પણ તેમાં સામેલ છે.
આગામી ફિલ્મ ‘હક’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ઈમરાન હાશ્મી અને યામી ગૌતમ દમદાર ભૂમિકાઓમાં છે. આ ફિલ્મ એક કેસ પર આધારિત છે.
ઇમરાન હાશ્મી અને યામી ગૌતમ અભિનીત આગામી ફિલ્મ “હક” નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. તે એક મહિલાની વાર્તા કહે છે જે તેના પતિથી નારાજ છે, જે તેના અધિકારોને દબાવી રહ્યો છે. તે ન્યાયની માંગ કરી રહી છે. તે સુપ્રીમ કોર્ટમાં પણ ગઈ છે, કોર્ટને તેના અધિકારો આપવા માટે વિનંતી કરી છે.
અધિકારો માટે લડાઈ
ટીઝરમાં, ઇમરાન હાશ્મી યામી ગૌતમને કહે છે કે જો તે સાચી મુસ્લિમ અને વફાદાર પત્ની હોત, તો તે ક્યારેય આવું ન કહેત. યામી ગૌતમ જવાબ આપે છે, “હું ફક્ત શાઝિયા બાનો છું. અમે ફક્ત એક જ વસ્તુ માટે લડ્યા છીએ: અમારા અધિકારો.”
યામી ગૌતમ ન્યાય માટે કોર્ટમાં જાય છે. તેને કહેવામાં આવે છે કે તેણે કાઝી પાસે જવું જોઈએ. યામી ગૌતમ જવાબ આપે છે, “જો કોઈના લોહીથી આપણા હાથ રંગાયેલા હોય તો શું તમે મને હજુ પણ આ જ વાત કહેશો?” ઇમરાન હાશ્મી જવાબ આપે છે, “શરિયા કાયદાના મુદ્દા પર હવે આ કોર્ટમાં ચર્ચા થશે.”
જજે ઇમરાન હાશ્મીને કહ્યું કે આ તેની જાતિનો મામલો નથી. આખો દેશ આ મામલામાં સામેલ થવાનો છે. આ પછી, ઇમરાન હાશ્મી અને યામી ગૌતમ સુપ્રીમ કોર્ટમાં આમને-સામને આવે છે. યામી ગૌતમ કહે છે કે આપણે ભારતીય મહિલાઓ છીએ, તેથી કાયદાએ આપણી સાથે એ જ આદર કરવો જોઈએ જેવો તે બીજા બધા સાથે કરે છે.
ફિલ્મ “હક” મોહમ્મદ અહેમદ ખાન વિરુદ્ધ શાહ બાનો બેગમ કેસમાં સુપ્રીમ કોર્ટના સીમાચિહ્નરૂપ ચુકાદા પર આધારિત છે. એસ.વર્મા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 7 નવેમ્બર, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. જંગલી પિક્ચર્સ દ્વારા નિર્મિત, ઇન્સોમ્નિયા ફિલ્મ્સ અને બાવેજા સ્ટુડિયોના સહયોગથી ફિલ્મ બની છે.