Home Blog Page 5652

રાશિ ભવિષ્ય

[wptab name=’દૈનિક’]

(તા. 19/09/2017)

મેષ 40_2પોતાના હુન્નરની મદદથી સફળતા મેળવી શકો, નાણાકીય પરિસ્થિતિમાં ઉતાર ચઢાવની સ્થિતિ રહી શકે.

——————————————

વૃષભ 40મહત્વપૂર્ણ નિર્ણય હાલ પુરતો મુલતવી રાખવો, બિનજરૂરી વિવાદોથી દૂર રહેવું, વ્યવસાયમાં નવી તકો પ્રાપ્ત થાય.

——————————————-

મિથુન 40_1 કૌટુંબિક જવાબદારીઓમાં વધારો થઇ શકે, અવિવાહીતોને લગ્ન બાબતે સારા સમાચાર મળી શકે.

——————————————-

કર્ક 40આવકના પ્રમાણમાં ખર્ચ વધતો જણાય, જીવનસાથી સાથે સારી પળો વિતાવી શકો, કારકિર્દી બાબતે પ્રગતિ જણાય.

——————————————–

સિંહ 40_4 કાર્ય સ્થળે કામનું ભારણ વધતું જણાય, કુટુંબીજન સાથે મુસાફરીનું આયોજન થઇ શકે, આર્થિક પ્રગતિ સાધી શકો.

———————————————

કન્યા 40 સટ્ટાકીય બાબતમાં વધુ લાલચ નુકસાન ના કરાવે તે ધ્યાન રાખવું, કાયદાકીય બાબતોમાં ચોક્કસ રહેવું.

——————————————–

તુલા 40_2નોકરિયાત વર્ગને બઢતી કે બદલીના યોગ માટે હજુ વધુ રાહ જોવી પડી શકે, વેપાર અર્થે બહારગામ જવાનું થાય.

——————————————–

વૃશ્ચિક 40વિદ્યાર્થીઓને અભ્યાસમાં વધુ મહેનતની જરૂર જણાય, વ્યાપારમાં સમજી વિચારીને ખર્ચ કરવો, મધ્યમ દિવસ.

——————————————–

ધન 40લાંબા સમયથી રોકાયેલા કાર્યો ફરીથી હાથ ઉપર લઇ શકશો, વ્યવસાયમાં કાર્ય-પદ્ધતિ બદલાતા લાભ થઇ શકે.

——————————————–

મકર 40વગદાર વ્યક્તિ તરફથી લાભ મળે, સકારાત્મકતા તમને નવા સાહસમાં સારું ફળ આપે, પરિવર્તનનો અનુભવ થાય.

——————————————–

કુંભ 40_1નસીબ તમારો સાથ આપતું લાગે, કાર્યક્ષેત્રે અન્યને મદદરૂપ થવાનો અભિગમ રાખવો, ઘર અને ઓફીસના કાર્યો વચ્ચે વ્યસ્ત રહો.

——————————————–

મીન 40_1કાર્યસ્થળે બઢતી કે બદલીના યોગ છે, સતત પ્રયત્ન કરતા ધાર્યું પરિણામ મળે, નવા રોકાણમાં સારું વળતર મળે.

[/wptab]

[wptab name=’અઠવાડિક’]

meshમેષ રાશિના જાતકોને આ સપ્તાહ દરમ્યાન પોતાની ફરજ અને સ્વતંત્રતા જેવા વિષયો પર વધુ ધ્યાન આપવું પડી શકે. તમે નોકરી કે ઘરના કાર્યોમાં પોતાની નિશ્ચિત ફરજને લીધે બંધાઈ જાઓ તેવું બની શકે. અલબત તમારી પાસે પોતાની યોગ્યતા સાબિત કરવા માટે જરૂરી કાબેલિયત પણ હશે. નોકરીમાં નજીકના સમયમાં આવતો બદલાવ તમને મદદરૂપ થશે, તમારે આત્મવિશ્વાસ સાથે પોતાના ધ્યેયમાં લાગેલા રહેવાનું છે. મોટું કાર્ય પૂર્ણ થઇ શકે. સ્વાસ્થ્ય સારું રહેશે.

———————————————————————————————————————-

vrushabhવૃષભ રાશિના જાતકો સમૃદ્ધ જીવનશૈલીના ચાહકો છે, તેઓ કીમતી વસ્તુઓને પણ ખુબ ચાહે છે, પ્રેમમાં પણ તેઓ ખુબ ઉત્સાહી રહે છે. આ સપ્તાહે તમે અંગત સંબંધોમાં તકલીફનો અનુભવ કરશો. તમે પોતાને વ્યક્ત કરવામાં અવરોધ અનુભવો, અજાણ્યો ડર તમને સતાવી શકે. કાર્યોમાં તમે ભૂતકાળને યાદ કરશો, તમારા નજીકના ભૂતકાળમાં કરેલ મહત્વના કાર્યની અસર આ સમયે તમે અનુભવો તેવું બને. કુટુંબીજનોનો સાથ સહકાર વધશે, મન સ્થિર કરીને આગળ વધવું. સ્વાસ્થ્ય મધ્યમ રહે.

———————————————————————————————————————–

mithunમિથુન રાશિના જાતકોને આ સપ્તાહ કુટુંબ અને સામાજિક બાબતો માટે મહત્વનું રહેશે. આ સમય દરમ્યાન તમે ટૂંકા પ્રવાસનું આયોજન કે દુરના સ્થળોની મુલાકાત લેવાનું પસંદ કરશો. નાણાકીય બાબતોમાં તમે પોતાના આયોજનને બદલો તેવું બની શકે, તમારી ધારણા પ્રમાણે આર્થિક પ્રવાહ ના જળવાય તેવું બને. મોટા આર્થિક નિર્ણયમાં તમારે જાણકાર વ્યક્તિની સલાહ લેવી જોઈએ. સંતાન પક્ષે તમને શુભ સમાચાર મળી શકે. સ્વાસ્થ્ય બાબતે તમે વધુ જાગૃત બનશો.

———————————————————————————————————————–

karakકર્ક રાશિના જાતકોને આ સપ્તાહ દરમ્યાન પોતાના લક્ષ્ય વિષે વધુ સ્પષ્ટતા મળશે, તમે કારકિર્દી વિષયક કે વ્યવસાય બાબતે કોઈ મહત્વનો નિર્ણય લેવા માંગતા હોવ તો તેમાં મૂંઝવણ દુર થઇ શકે. તમારે આ દરમ્યાન કાર્યમાં ધીરજ અને આયોજન બંનેને ધ્યાનમાં લેવાના છે. આ સપ્તાહે નાણાંકીય સોદા પાર પડી શકે. સ્થિર સંપતિના વેચાણમાં નિર્ણય થઇ શકશે. સંતાન પક્ષે વધુ ખર્ચ થઇ શકે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવી શકે, સ્વાસ્થ્ય બાબતે સજાગ રહેવું જોઈએ.

———————————————————————————————————————–

leoસિંહ રાશિના જાતકોને પાછલા સપ્તાહે કાર્યોમાં જે અવરોધ આવ્યો હશે તે આ સપ્તાહે દુર થશે. તમે પોતાના અનુભવ અને આવડતના જોરે પોતાના કાર્યને આગળ વધારી શકશો, તમને કુદરતી સહાય મળી રહે. મન આનંદ અનુભવે તથા નવા વિચારોમાં અમલ પણ થઇ શકે. કુટુંબના સભ્યો અને મિત્રો ખુલીને તમારી સાથે પોતાની લાગણીઓ વ્યક્ત કરશે. નવી ચીજ વસ્તુઓની ખરીદી થઇ શકશે. લગ્ન વિષયક નિર્ણય થઇ શકશે. કોઈ રોગ કે તકલીફ હોય તો તે ઝટ દુર થાય.

———————————————————————————————————————–

kanyaકન્યા રાશિના જાતકોને ગુરુ અને શુક્રના શુભ કર્તરી યોગ થકી જીવનમાં આનંદ અને ઉત્સાહનો સંચાર થશે. તમે શારીરિક અને માનસિક રીતે વધુ ઉર્જા અને તંદુરસ્તીનો અનુભવ કરશો. નવ યુવાનોને પોતાના મહત્વના નિર્ણયોમાં મદદ મળી રહેશે. કારકિર્દી બાબતે તમે વધુ ભાગ્યશાળી બનશો, નવા સ્થળે નવી વ્યક્તિઓ સાથે મુલાકાત તમને ખુબ મદદરૂપ થશે. આ રાશિના જાતકોને પ્રેમ પ્રસંગમાં સફળતા મળી શકે, એકબીજા પ્રત્યે વિશ્વાસ અને પ્રેમ વધે. સ્વાસ્થ્ય સારું રહેશે.

———————————————————————————————————————–

tulaaતુલા રાશિના જાતકો માટે આ સમય પોતાના ડર અને મર્યાદાઓ પર વિજય મેળવવાનો છે. તમે શુભ સમાચાર મેળવશો, તમે સફળ વ્યક્તિ તરીકે પોતાને રજૂ કરી શકશો. પરંતુ આ સમય દરમ્યાન તમારે પોતાના અહમને પણ કાબુમાં રાખવો પડશે, તમે પોતાની સફળતા સાથે અન્યને ભૂલી ના જાઓ તેનું ધ્યાન રાખશો. જીવનસાથી અને ઘરના સભ્યોને ખુશ રાખવું જરૂરી રહેશે. આરામ અને વધુ પડતો આહાર તમારા સ્વાસ્થ્યને તકલીફ આપી શકે છે, દિનચર્યામાં નિયમિતતા જાળવવી.

———————————————————————————————————————–

wrussikવૃશ્ચિક રાશિના જાતકોને આ સપ્તાહે કાર્યો અસામાન્ય ગતિથી આગળ વધે, તમે પોતાની આસ્થા અને આત્મવિશ્વાસના જોરે અઘરા લાગતા કાર્યને પાર પાડી શકશો. લાભ ભાવે થતી અમાસ તમારા આર્થિક કાર્યોને પૂર્ણતા તરફ આગળ વધારશે. સપ્તાહ દરમ્યાન આવનાર સમય માટે તમે અનેક યોજનાઓ ઘડી કાઢો તેવું બની શકે, પરંતુ તમારે યોગ્ય સમયે જ પોતાના નિર્ણય જાહેર કરવા જોઈએ. લગ્નવિષયક નિર્ણય થઇ શકશે. સ્વાસ્થ્યસુખ સારું રહે.

———————————————————————————————————————–

dhanધન રાશિના જાતકોને આ સપ્તાહ સંબંધ થકી સફળતાના યોગ કરે છે. તમે મહત્વના કાર્યમાં કઈક ખૂટતું  હોય તેવો અનુભવ કરશો, પરંતુ નજીકની વ્યક્તિ કે તમારો સાથીદાર આ બાબતે તમને ખુબ મદદરૂપ થઇ શકે. નોકરીના સ્થળે તમે જવાબદારીઓમાં વધારો અનુભવશો. પોતાની સાથે કાર્ય કરતા વ્યક્તિઓમાં બદલાવ આવી શકે, નવી વ્યક્તિનું આગમન થઇ શકે. સામાજિક બાબતોમાં તમારે જીવનસાથીની સલાહ લેવી જોઈએ. સ્વાસ્થ્ય બાબતે વધુ સજાગ રહેવું જોઈએ.

———————————————————————————————————————–

makarમકર રાશિના જાતકોને આ સમય દરમ્યાન પોતાના કાર્યમાં વધુ પ્રયત્ન કરવા પડશે, તમે અન્ય લોકોના પ્રતિભાવને કારણે થોડા સમય માટે હતાશ થઇ જાઓ તેવું બને. તમારે પોતાના કાર્યને જ ધ્યાનમાં લેવું જોઈએ. પોતાની જવાબદારીઓ પૂર્ણ થાય તે તમારું લક્ષ્ય હોવું જોઈએ. વ્યવસાયમાં મહત્વના સોદામાં રાહ જોવી પડી શકે. ભાઈભાંડુઓ સાથે મનમેળ વધશે, તમે એકબીજાને મદદરૂપ થઇ શકશો. મોટી ઉંમરની વ્યક્તિઓને સ્વાસ્થ્ય બાબતે વધુ તકેદારી રાખવી પડી શકે.

———————————————————————————————————————–

kumbhકુંભ રાશિના જાતકોને આ સમય ધન અને સંપતિના વિષયો પ્રત્યે વધુ આકર્ષિત કરી શકે છે. તમે કોઈ મોટી કીમતી વસ્તુની ખરીદી માટે નિર્ણય લો તેવું બને. સપ્તમ ભાવે મંગળ તમને લગ્ન વિષયક અને જીવનસાથી પક્ષે વધુ ધ્યાન આપવા કહે છે. સંબંધોમાં તમારે વધુ આવેશ કે ઉતાવળથી બચવું જોઈએ. નાની વાતને લઈને નાની વાતનું મોટું સ્વરૂપના બની જાય તેનું ધ્યાન રાખશો. ધાર્મિક કાર્યનો અવસર મળે, કુટુંબના સભ્યો સાથે મનદુઃખ હોય તો દુર થશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

———————————————————————————————————————–

minમીન રાશિના જાતકો માટે આ સમય સફળતા માટે સંભાવનાઓથી ભરપુર રહેશે. તમે પોતાના શત્રુઓને યોગ્ય જવાબ આપી શકશો. સ્પર્ધાત્મક બાબતો, કોર્ટ-કચેરી કે કાયદાકીય કાર્યોમાં તમને જીત મળી શકે. ઘરમાં નવા સભ્યનું આગમન થઇ શકે, શુભ સમાચાર મળી શકે. તમે વ્યવસાયમાં નવીનીકરણ કરી શકશો, નવી પદ્ધતિઓ અને નવી વ્યક્તિઓ સાથે તમારું કાર્ય સરળ બનશે. વિદ્યાર્થી વર્ગને મહેનતનું શુભ અને સફળ પરિણામ મળે. સ્વાસ્થ્ય બાબતે વધુ સજાગ રહેવું, માનસિક સ્વસ્થતા જરૂરી.

[/wptab]

[wptab name=’પખવાડિક’]

અંક સ્વામી: સૂર્ય (જન્મતારીખ ૧,૧૦,૧૯ અથવા ૨૮)

તમે આ સમય દરમ્યાન પોતાની અનન્યતા અને પોતાની પાસે ઉપલબ્ધ કૌશલ્યનો અનુભવ કરશો. તમે અન્ય લોકોને તેમની અપેક્ષા મુજબ ઉત્તર આપી શકશો. તમારો આત્મવિશ્વાસ નવી ઊંચાઈએ હશે. ખેલકૂદ, શારીરિક કસરત અને રમતગમતના વિષયોમાં રુચિ વધશે. કુટુંબના સભ્યો તમારાથી ખુબ આનંદનો અનુભવ કરશે. તમે આર્થિક રીતે પણ વધુ આત્મવિશ્વાસ અનુભવશો. જીવનમાં સકારાત્મકતા મહત્વની બની રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

—————————————————————————————————————————————

mudank 02અંક સ્વામી: ચંદ્ર (જન્મતારીખ ૨,૧૧,૨૦ અથવા ૨૯)

આ સમય દરમ્યાન તમારી માનસિક સ્વસ્થતા ખુબ સારી રહેશે, તમે મન અને તન વચ્ચે સંતુલન અનુભવશો. પોતાના કાર્ય સમયસર પૂર્ણ થવાથી તમે આનંદમાં રહેશો. પોતાના શોખ અને પસંદગી અનુસાર તમે નવી ચીજવસ્તુઓની ખરીદી કરશો. વિજાતીય મિત્રો કે જીવનસાથી સાથે તમે વધુ સમય પસાર કરશો જે તમારી એકબીજા પ્રત્યેની સમજને ઓર વધારશે. વ્યવસાયમાં નવી તકોનું સર્જન થઇ શકે. સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત રહેવું જોઈએ.

————————————————————————————————————————————-

અંક સ્વામી: ગુરુ (જન્મતારીખ ૩,૧૨,૨૧ અથવા ૩૦)

તમે આ સમય દરમ્યાન નજીકના ભવિષ્યને લઈને કોઈ યોજના તૈયાર કરી રહ્યા હોવ અથવા મહત્વની મુલાકાત માટે તૈયાર થઇ રહ્યા હોવ એવું બની શકે. તમે આવનાર સમય માટે વધુ ઉત્સાહિત છો, તમને ડરની સાથે રોમાંચ પણ હશે. નોકરીમાં બદલાવ કે વ્યવસાયમાં નવી પદ્ધતિ તમને મદદરૂપ થઇ શકે. વાંચન અને આધ્યાત્મ તમારી રુચિના વિષયો બની શકે. સંતાન પ્રત્યે વધુ જવાબદારીનો અનુભવ થઇ શકે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેવું તકલીફ આપી શકે.

————————————————————————————————————————————–

અંક સ્વામી: રાહુ (જન્મતારીખ ૪,૧૩,૨૨ અથવા ૩૧)

મૂળાંક ૪ ધારકોને આ સમય દરમ્યાન પોતાની પાસે ઉપ્લબ્ધ નાણા અને સમયનો સદુપયોગ કરવો પડશે. તમે ઘણા બધા કાર્યો એક સાથે કરવા માંગતા હોવ તેવું બની શકે. તમે રોજીંદા કાર્યોમાં સતત વ્યસ્ત રહો તેવું બને, પરંતુ તમારે પોતાના આર્થિક અને માનસિક વિકાસ માટે પણ નવીન કાર્ય કરવા પડશે. તમારો સ્વભાવ મોટું સર્જન તથા પ્રવાહથી કંઇક અલગ કરવાનો છે, તમારે પોતાને નવા કાર્યો માટે પોષતા પણ રહેવું જોઈએ. સ્વાસ્થ્ય નબળું રહી શકે.

————————————————————————————————————————————–

અંક સ્વામી: બુધ (જન્મતારીખ ૫,૧૪ અથવા ૨૩)

તમને આ સમય દરમ્યાન કાયદાકીય કાર્યો અને તર્કના વિષયો વધુ આકર્ષિત કરી શકે. તમે નવા મકાન કે વાહનને લીધે ખુબ આનંદમાં રહેશો. પોતાના સંતાન પ્રત્યે વધુ રુચિ અને પ્રેમ પણ અનુભવશો. તમે પોતાને એક નવી શરૂઆતના દ્વારે ઉભા હોવ તેવું અનુભવશો, નોકરી કે વ્યવસાયમાં હાલમાં આવેલ બદલાવ આવનાર ભવિષ્યને બદલી શકે તેની પ્રચુર સંભાવનાઓ છે. ખાન-પાનની અનિયમિતતા અને વધુ આરામપ્રિય જીવનશૈલી તમારા સ્વાસ્થ્ય માટે હિતાવહ નથી.

————————————————————————————————————————————-

અંક સ્વામી: શુક્ર (જન્મતારીખ ૬,૧૫ અથવા ૨૪)

મૂળાંક ૬ ધારકો આ સમય દરમ્યાન પોતાના જીવનમાં સંતુલન લાવવા માટે વધુ પ્રયત્નશીલ રહેશે. તમે આર્થિક બાબતો અને સામાજિક બાબતોમાં અસંતુલનનો અનુભવ કરશો, શક્ય છે કે જીવનસાથી તમને આ બાબતે ખુબ જ મદદરૂપ થઇ શકે. વ્યવસાયમાં નવી વ્યક્તિનું આગમન કે મુલાકાત તમને મદદરૂપ થશે. જે જાતકોને લગ્નવિષયક પ્રશ્નો છે તેમને આ સમય દરમ્યાન તેનો ઉકેલ મળી શકે છે. તમારે વધુ શિસ્તબદ્ધ જીવન જીવવું જરૂરી છે. સ્વાસ્થ્ય સારું રહેશે.

————————————————————————————————————————————–

mudank 07અંક સ્વામી: કેતુ (જન્મતારીખ ૭,૧૬ અથવા ૨૫)

મૂળાંક ૭ ધારકો આ સમય દરમ્યાન નવા સાહસ અને નવા કાર્યમાં આગળ વધશે. તમારા જીવનમાં આમૂલ પરિવર્તન આવી શકે, તમે સકારાત્મક રહેશો, તમારી બુદ્ધિ અને આવડત તમને સાથ આપશે. તમારે શક્ય તેટલી વધુ મહેનત કરવી જોઈએ. ભૂતકાળના અનુભવો કે દુઃખદ ઘટના તમને સ્મરણમાં આવતી રહે પરંતુ આવનારો સમય તમારા હાથમાં છે, ભવિષ્ય તમારા કર્મ પર અવલંબે છે તે તમારે ના ભૂલવું જોઈએ. સ્વાસ્થ્ય બાબતે વહેમ દુર કરવો અને ખુશ રહેવું.

————————————————————————————————————————————–

અંક સ્વામી: શનિ (જન્મતારીખ ૮,૧૭ અથવા ૨૬)

મૂળાંક ૮ ધારકો જીવનની તકલીફોને વધુ મહેનતથી જ જવાબ આપે છે, આ સમય દરમ્યાન તમે પોતાના મહેનતનું ફળ મેળવશો. આ સમય દરમ્યાન તમને કાર્યોમાં લાભ થઇ શકે. આર્થિક બાબતો કે નોકરી વિષયક બાબતોમાં તમને સફળતા મળશે. તમે આધ્યાત્મિક બાબતો અને ધાર્મિક બાબતોમાં વધુ રુચિ કેળવશો, જે તમને મદદરૂપ બનશે. નજીકના મિત્ર કે સંબંધી બાબતે તમને ચિંતાનો અનુભવ થાય. તમે અન્યને મદદરૂપ થઇ શકશો. સ્વાસ્થ્ય સારું રહેશે.

—————————————————————————————————————————————

અંક સ્વામી: મંગળ (જન્મતારીખ ૯ , ૧૮ અથવા ૨૭)

મૂળાંક ૯એ પૂર્ણતાને દર્શાવે છે, તેમાં દરેક અનુભવ અને ઉર્જાનો સમન્વય છે. આ સમય દરમ્યાન મૂળાંક ૯ ધારકોને વધુ ખર્ચ અને સમય આયોજનમાં તકલીફનો સામનો કરવો પડી શકે. તમે ટૂંક સમય માટે સ્વાસ્થ્યમાં પણ ઉતાર-ચઢાવ અનુભવો જે તમને માનસિક રીતે વિચલિત કરે, માટે તમારે વધુ સમય પોતાના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને જ આપવો જોઈએ. શરીર અને મન તંદુરસ્ત હશે તો તમે તકલીફને અવસરમાં બદલી દેશો તેમાં કોઈ સંશય નથી.

[/wptab]

[end_wptabset]

હાઈસ્પીડ રાજધાની એક્સપ્રેસ દિલ્હી-મુંબઈને વધુ નજીક લાવશે, દિવાળી સુધીમાં નવી ટ્રેન શરુ

નવી દિલ્હી- ભારતીય રેલ વિભાગ દિલ્હી-મુંબઈ રુટ ઉપર આગામી કેટલાક મહિનામાં બિલકુલ નવી અને પહેલાથી વધુ સ્પીડ વાળી રાજધાની ટ્રેન શરુ કરવાની યોજના બનાવી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે નવી રાજધાની ટ્રેનની સેવા દિવાળી સુધીમાં શરુ કરવામાં આવી શકે છે. આ ટ્રેન મુંબઈના બાંદ્રાથી દિલ્હીના નિઝામુદ્દીન સ્ટેશન વચ્ચે ચાલશે. આ ટ્રેન દિલ્હી-મુંબઈ વચ્ચેનું અંતર 13 કલાકમાં પુરું કરશે.

હાલમાં દિલ્હી-મુંબઈ વચ્ચે બે રાજધાની ટ્રેન ચાલે છે. અગસ્ત ક્રાંતિ રાજધાની બંને શહેરો વચ્ચેનું 1377 કિમીનું અંતર લગભગ 17 કલાક 5 મિનિટમાં પુરું કરે છે. આ ટ્રેન 80 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલે છે.

જ્યારે મુંબઈ સેન્ટ્રલ અને નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ બંને શહેરો વચ્ચેનું આશરે 1386 કિમીનું અંતર લગભગ 15 કલાક 35 મિનિટમાં પુરું કરે છે. આ બંને ટ્રેન બાંદ્રા સ્ટેશન પર નથી રોકાતી.

રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, નવી રાજધાની ટ્રેન માટે આગામી કેટલાક દિવસોમાં પરિક્ષણ શરુ કરવામાં આવશે. રેલવે વિભાગ હાલની રાજધાની ટ્રેનમાં 24 કોચનો ઉપયોગ કરે છે, જેને ઓછા કરીને પણ એ પ્રયોગ કરવામાં આવશે કે, મુસાફરીના સમયમાં કોઈ ઘટાડો કરી શકાય છે કે કેમ? મળતી માહિતી મુજબ રેલવે વિભાગ આગામી દિવસોમાં એન્જીન સહિત 15 કોચની નવી રાજધાની ટ્રેનનું પરિક્ષણ શરુ કરી શકે છે.

રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ નવી રાજધાની ટ્રેનમાં નવી ડિઝાઈનના કોચનો ઉપયોગ કરવાથી ટ્રેનની ગતિ 150 કિમી પ્રતિ કલાક સુધી વધારી શકાશે. આ સંજોગોમાં દિલ્હીથી મુંબઈ સુધીની યાત્રા 13 કલાકમાં પુરી કરી શકાશે.

IRCTCએ કર્યો ટ્રેનમાં સૂવાના સમયમાં બદલાવ, લોકોએ PM મોદીને ટ્વીટ કરી ઠાલવ્યો રોષ

નવી દિલ્હી- ટ્રેનની અંદર આરક્ષિત કોચમાં નીચેની સીટ અને વચ્ચેની સીટના પ્રવાસીઓમાં સૂવાની વાતને લઈને ઝગડો થવો સામાન્ય બાબત છે. જેને ધ્યાનમાં રાખીને IRCTCએ પ્રવાસીઓને સૂવા માટે નિર્ધારિત સમયમાંથી એક કલાક ઘટાડવાનો નિર્ણય કર્યો છે.

રેલવે દ્વારા 31 ઓગસ્ટના રોજ જારી કરવામાં આવેલા પરિપત્રમાં જણાવ્યા મુજબ આરક્ષિત કોચમાં નીચેની સીટ ઉપર પ્રાવાસીઓ રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા દરમિયાન સૂઈ શકશે. ત્યારબાદ તેણે એવા પ્રવાસીઓને પોતાની બેઠક બેસવા માટે આપવી પડશે જેના મધ્ય અને ઉપરની સીટ ફાળવવામાં આવી છે.

આ પહેલા આરક્ષિત કોચમાં સૂવા માટે IRCTC દ્વારા રાતના 9થી સવારના 6 વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. જોકે, IRCTCના નવા પરિપત્ર મુજબ રાતના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી નીચેની સીટ ઉપર ઉપરની બર્થના પ્રવાસીનો દાવો માન્ય ગણાશે નહીં.

જોકે પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, બીમાર અને અશક્ત યાત્રી, વિકલાંગ યાત્રી તેમજ ગર્ભવતી મહિલાઓ સાથે અન્ય પ્રવાસીઓએ સહકારભર્યો વ્યવહાર કરવો અને જો તેઓ વધુ સમય સૂવા ઈચ્છે તો તેમને સૂવા દેવા.

રેલવેના આ નિયમની લોકોએ ટ્વીટર ઉપર ખૂબ મજાક ઉડાવી છે. તો કેટલાક લોકોએ પીએમ મોદીને ટ્વીટ કરીને પોતાનો રોષ પણ ઠાલવ્યો છે. કેટલાક લોકોએ પોતાની ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, જો ટ્રેન તેના નિર્ધારિત સમય કરતાં મોડી હોય અને મુસાફરી રાત્રે 11 વાગ્યે શરુ થાય તો પ્રવાસીઓને સવારે 7 વાગ્યા સુધી સૂવા મળશે કે કેમ?

માત્ર કંગના માટે જોવા જેવી…

ફિલ્મઃ સિમરન

કલાકારોઃ કંગના રણોટ, હીતેન કુમાર, સોહમ શાહ

દિગ્દર્શકઃ હંસલ મહેતા

ફિલ્મની અવધિઃ બે કલાક

(બકવાસ *, ઠીક મારા ભઈ * *, ટાઈમપાસ * * *, મસ્ત * * * *, પૈસા વસૂલ * * * * *)

ફિલ્મોમીટર રેટિંગઃ ★ ★ ★

અમેરિકામાં બનેલી સત્ય ઘટના આધારિત ‘સિમરન’માં વાત છે આટલાન્ટામાં રહેતા પટેલપરિવાર (હીતેન કુમાર-કિશોરી શહાણે) અને એમની એકની એક દીકરી પ્રફુલ્લ (કંગના રણોટ)ની. ગ્રીન કાર્ડ પર અમેરિકા ગયેલા મોહનભાઈ પટેલ આજીવન મિડલ કલાસ જ રહ્યા છે. ઘેર બાબો આવશે એ આશાએ એનું નામ વિચારી રાખેલુઃ પ્રફુલ્લ, પણ પછી આવી બેબી, છતાં નામ એ જ રાખ્યુઃ પ્રફુલ્લ. 30 વર્ષી ડિવોર્સી પ્રફુલ્લ એક મોટી હોટેલમાં હાઉસકીપર છે. સંજોગો એવા સર્જાય છે કે પ્રફુલ્લ બહેનપણી સાથે લાસ વેગાસ જાય છે. ત્યાં એ કસિનોમાં થોડા પૈસા જીતે છે. એ પછી એને જુગારની બૂરી લત લાગે છે, અને મવાલી લોકોનું પચાસ હજાર ડૉલરનું દેવું કરી બેસે છે. પછી તો એને યૂટ્યૂબ પર હાઉ ટુ રૉબ અ બેન્ક ? જેવા વિડિયો જોઈને ધાડ પાડવાનું શરૂ કરી દે છે… બેન્ક લૂંટવાના દઢ નિશ્ચય સાથે એક દિવસ એ ઘેરથી નીકળતી હોય છે ત્યારે ટીવી પર ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ની ક્લાઈમેક્સ ચાલતી હોય છે, જેમાં અમરીશ પુરી આદ્ર સ્વરે કહેતા સાંભળવા મળે છેઃ ‘જા સિમરન જા… જી લે અપની જિંદગી.’ એ રીતે પ્રફુલ્લ છદ્મવેશ ધારણ કરે ત્યારે ‘સિમરન’ તરીકે ઓળખાવાનું પસંદ કરે છે. એટલે જ ફિલ્મનું ટાઈટલ છેઃ ‘સિમરન’.

ઓક્કે, ફિલ્મનો ઉપાડ સરસ છે. લાસ વેગાસના કસિનોમાં પ્રફુલ્લ જે રીતે બાર-ટેન્ડર સાથે દોસ્તી બાંધે છે, માઈનોરિટી ક્વોટામાં ઘર લેવા લોન માટે બેન્ક મેનેજર સાથેનો સીન, એસ્ટેટ એજન્ટ સાથે એ ઘર ચકાસવાનો સીન એમ પણ પછી, કોણ જાણે આ કર્સ ઑફ સેકન્ડ હાફ અથવા શાપિત ઉત્તરાર્ધના ન્યાયે સ્ક્રિપ્ટ ઝોલાં ખાવા માંડે છે. હંસલ મહેતા ‘શાહીદ’ અને ‘અલીગઢ’ જેવી સંવેદનશીલ ફિલ્મના સર્જક ખરા, પણ થ્રિલર (ડોન્ટ નો, આને થ્રિલર કહેવાય કે નહીં)માં એ મૂંઝાયા છે. બેન્કલૂંટ એટલી સહજતાથી બતાવવામાં આવી છે કે એક તબક્કે એ હાસ્યાસ્પદ લાગે છે અને રિપીટિટિવ પણ. ફિલ્મના આરંભના જ એક સીનમમાં પ્રફુલ્લને ખરાબ રીતે કાર ડ્રાઈવ કરતી બતાવવામાં આવી છે, આમ છતાં એ ફાસ્ટંફાસ્ટ બેન્ક લૂંટીને સડસડાટ કાર દોડાવે છે. એ પણ ડ્રાઈવિંગ લાઈસન્સ અને સોશિયલ સિક્યોરિટી કાર્ડ જેવા મહત્ત્વના ડૉક્યૂમેન્ટ્સ વિના. કેમ કે જુગાર માટે ઉધાર પૈસા આપતી વખતે મવાલીઓએ એ બન્ને એની પાસેથી લઈ લીધાં હોય છે.

ઠીક છે- બાકી આ ફિલ્મ માત્ર અને માત્ર કંગનાની ફિલ્મ છે. ‘ક્વીન’, ‘તનૂ વેડ્સ મનૂ’ અને ‘રંગૂન’ની આ અદાકારાએ અહીં પણ એવી જ કમાલ બતાવી છે. ગુજરાતી કન્યાનું પાત્ર, ગુજરાતી-મિશ્રિત ભાષા અને લઢણથી લઈને અભિનય, વગેરે કમાલનાં છે. પ્રત્યેક સીન પર એણે કંગના રણોટનો સ્ટેમ્પ માર્યો છે. ઈમ્તિયાઝ અલીની ‘સેજલ’ (અનુષ્કા શર્મા) ઉપરછલ્લી ગુજરાતણ લાગે છે, જ્યારે હંસલ મહેતાની ‘પ્રફુલ્લ’ બિલિવેબલ લાગે છે. સોહમ શાહ, હીતેન કુમાર, કિશોરી શહાણે, વગેરે પણ સ-રસ. બાકી ‘સિમરન’ કંગના માટે જોવી જોઈએ અને એટલા માટે જ થ્રી સ્ટાર.

માનવીની ઊર્જા ભૂખ સંતોષવા વૈજ્ઞાનિકોની અદભૂત શોધઃ વીજળી પેદા કરતું ઝાડ…!

આપણે સાંભળતા અને કહેતાં આવ્યા છીએ કે પૈસા ઝાડ પર નથી ઉગતા. તે સત્ય પણ છે, પરંતુ હવે ઝાડ પર ડાળીઓ, પાંદડા, ફળફૂલ ઉપરાંત પણ અન્ય વસ્તુઓ ઉગશે. આ અન્ય વસ્તુ છે વીજળી, તમે સાચું જ સાંભળી રહ્યાં છો. હવે આપણે એવા ઝાડ કે જે ફળની જેમ વીજળી ઉત્પન્ન કરતા હોય તેને જોઈ શકીએ તેવા દિવસો દૂર નથી. માનવીની ઉર્જા જરૂરિયાત માટે

વૈજ્ઞાનિકોએ એવું ઝાડ વિકસાવ્યું છે જે વીજળી ઉત્પન્ન કરશે. કૃત્રિમ રીતે વિકસાવાયેલા આ ઝાડની આરપાર જ્યારે જ્યારે હવા પસાર થશે ત્યારે ત્યારે તેના કૃત્રિમ પાંદડાં વચ્ચેથી પસાર થતાં હવે વીજળી પેદા કરશે. અમેરિકાની ઇયોવા યુનિવર્સિટીના સંશોધનકર્તાઓએ આ ઝાડની શોધ કરી છે. વૈજ્ઞાનિકોએ વિકસાવેલા આ ઝાડમાં કોઈ ટર્બાઈન ફીટ નથી કરાયું. વૈજ્ઞાનિકોએ એક એવું ઉપકરણ તૈયાર કર્યું છે જે કૃત્રિમ ઝાડ પર ડાળીઓ અને પાંદડાની જેમ લાગી જાય છે. જોકે આ ઝાડ દ્વારા ઉત્પન્ન થતી વીજળીની માત્રા ઓછી છે પરંતુ ઘરના દૈનિક કામકાજ આટલી ઊર્જા પૂરતી છે.

આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલ અને વિજ ઉત્પન્ન કરવા ખાસ ડિઝાઈન કરાયેલ ઉપકરણના ડિઝાઈનર માઇકલ મેકક્લોસ્કીનું કહેવું છે કે, આ ઉપકરણ હવાથી ફરવાવાળી ટર્બાઈનને રીપ્લેસ કરવા માટે નથી બનાવાયું. પવનચક્કી જેટલી ઉર્જા ઉત્પન્ન ક્ષમતા આ ઝાડમાં નહીં હોય. આ ટેક્નોલોજી એવા નાના-નાના મશીનોની નવી માર્કેટ ઉભી કરશે જે સ્થાનિક જરૂરીયાત પૂરતી વિજળી ઉભી કરવા માટે ઉત્તમ રહેશે. આ નવી શોધથી ઘરમાં દૈનિક વપરાશના સંસાધનોને રિચાર્જ કરી શકાશે. આ ઉપકરણ તૈયાર કરનાર વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ટેક્નોલોજીની સકારાત્મક બાજુ તેની સુંદર ડિઝાઈન તથા નાના સ્તરે કામ કરવાની ક્ષમતા છે. જેની મદદથી ઓફગ્રીડ વિજળી ઉત્પન્ન કરી શકાય છે.

જોકે વિજળી ઉત્પન્ન કરતા ઝાડને બજારમાં મુંકવા પહેલા તેના શોધકર્તાઓ તેને બીજી પણ કેટલીક કસોટીમાંથી પસાર કરવા માગે છે. તેમજ તેમનું માનવું છે કે આ ટેક્નોલોજીને બજારમાં મુકતા પહેલા હજુ પણ વધુ સંશોધનો દ્વારા તેમાં ડિઝાઈનથી લઈને ઉત્પાદન ક્ષમતા સુધીના તબક્કાને વિકસાવવાની જરૂર રહેલી છે. તો આ શોધકર્તા ટીમે એક નવો પ્રયોગ પણ શરૂ કર્યો છે. તેમને અમેરિકાના કેટલાક પસંદગીના શહેરોમાં મોબાઈલ ટાવર પર આ કૃત્રિમ ઝાડના પાંદળા લગાવી ટાવરની સુંદરતા વધારવાનો પ્રયાસ કરાયો છે. આ કૃત્રિમ પાંદળા સાથે વૈજ્ઞાનિકોએ વિકસાવેલ યંત્ર લગાવી દેવાથી આ ટાવર વિજ ઉત્પન્ન કરતા ટાવરમાં ફેરવાઈ જઈ શકે છે. જે એક વધારાનો ફાયદો છે.

તો હવે એવા દિવસો દૂર નથી જ્યારે માનવીની ઉર્જા જરૂરીયાતનો મોટા ભાગનો જથ્થો તે પોતાના ઘરની બહાર ગાર્ડનમાં જ બનાવી લેશે.

 

સેન્સર બોર્ડ ચેરમેન પ્રસૂન જોશીઃ કળાજગત અને સરકારનું સન્માન પામતી પ્રતિભા

દર શુક્રવારે ફિલ્મ રજૂ થાય ત્યારે તેની સાથે સંકળાયેલાં સૌકોઇને તેની સફળતાની ખૂબ જ આશાઅપેક્ષા હોય છે. 11 ઓગસ્ટ શુક્રવારે આવેલાં એક સમાચારે આર્ટ અને કલ્ચરની દુનિયામાં કામ કરતાં કલાકારોને મોટી સફળતા મળી હોય એવાં જ ખુશખુશાલ કરી મૂક્યાં હતાં. વાત જાણે એમ હતી કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન-સેન્સર બોર્ડના નવા અધ્યક્ષ તરીકે પ્રસૂન જોશીની નિમણૂક જાહેર થઇ હતી.

એક મંજાયેલા ગીતકાર, પટકથા લેખક, કવિ અને એડમેન અને સામાજિક નિસબતકાર પ્રસૂન જોષીની સેન્સર બોર્ડ ચેરમેન તરીકેની નિમણૂકને ફિલ્મ ઉદ્યોગે બે હાથ ફેલાવી ઉમળકાભેર આવકાર આપ્યો છે. પાછળ કારણ એ પણ ખરું કે પ્રસૂને વિવાદાસ્પદ પૂર્વ વડા પહલાજ નિહલાનીનું સ્થાન લીધું છે જેમણે કળાકીય અભિવ્યક્તિઓમાં પરંપરાગત નિષેધો દાખવી હોબાળો વહોરી લીધો હતો.

નવા સીબીસીએફ ચીફ પ્રસૂન જોશીનું નામ અજાણ્યું નથી, પરંતુ તેમની ઘણી પ્રતિભાઓ તેમના સારા ગીતકાર તરીકેની ખ્યાતિમાં પશ્ચાદભૂમાં ચાલી ગઇ છે તે આ અવસરે યાદ કરી તેમની ટેલેન્ટને આવકારીએ.

કુટુંબ પરિચય

તેમનો જન્મ 16 સપ્ટેમ્બર, 1971ના રોજ ઉત્તરાખંડના અલમોડામાં પિતા ડી. કે. જોશી અને માતા સુષ્મા જોશીના ઘેર થયો છે. તેમના પત્ની અર્પણા દિલ્હીની ઑ.એન્ડ.એમ.માં એડવર્ટાઇઝિંગ પ્રોફેશનલ છે, તેમની ઐશન્યા નામની પુત્રી છે.

પ્રસૂનના પિતા, ડી.કે. જોશી ઉત્તરાખંડ રાજ્ય સરકારની સિવિલ સર્વિસીસમાં પીસીએસ અધિકારી તરીકે સેવા આપતા હતાં અને બાદમાં રાજ્યની શિક્ષણ સેવાઓના વધારાના ડિરેક્ટર બન્યાં હતાં. તો માતા સુષ્મા જોશી, પોલિટિકલ સાયન્સના લેક્ચરર, ત્રણ દાયકાથી ઓલ ઈન્ડિયા રેડિયો માટે કામ કરતાં વ્યક્તિ રહ્યાં છે. માતાપિતા બંને ક્લાસિકલ ગાયકો હોવાથી પ્રસૂનમાં બાળપણથી જ સંગીત અને સંસ્કૃતિના મજબૂત પાયા નંખાયા છે.

પ્રસૂને ભૌતિક વિજ્ઞાનમાં બીએસસી અને પોસ્ટ-ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને એડવર્ટાઇઝિંગમાં કારકીર્દિ પસંદગી કરી ગાઝિયાબાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ટેકનોલોજીમાંથી એમબીએનો અભ્યાસ કર્યો.

હાલમાં શોભાવે છે આટલાં બિરુદ

તેમના પ્રોફેશનલ બાયોડેટાની વાત કરીએ તો આજની તારીખમાં પ્રસૂન જોષી એક પ્રખ્યાત ગીતકાર, પટકથા લેખક, કવિ અને માર્કેટિંગ અને મેકકેન વર્લ્ડગ્રુપ ઇન્ડિયાના સીઇઓ છે. તે વૈશ્વિક માર્કેટિંગ કંપની મેકકેન એરિકસનની પેટાકંપની એશિયા પેસિફિકના ચેરમેન પણ છે.

ફક્ત 17 વર્ષની વયમાં ઝગમગ્યો પ્રતિભાનો તીખારો

પ્રસૂને 17 વર્ષની ઉંમરે પ્રથમ પુસ્તક ‘મૈં ઔર વો, એ ‘કન્વર્સેશન વિથ હિમસેલ્ફ’, પબ્લિશ થયું હતું. આ પુસ્તક વિખ્યાત આધુનિક સાહિત્યકાર ફ્રેડરિક નિત્શેના ‘સ્પૉક ઝરથોસ્ટ્રા’ થી પ્રેરિત છે. તેમનું છેલ્લું પુસ્તક, સનશાઇન લેન્સ, ગીતસંગ્રહ છે. આ પુસ્તકનું 2013માં જયપુર સાહિત્ય મહોત્સવમાં વિમોચન કરવામાં આવ્યું હતું.

સફળતાની સીડી પર પહેલું કદમ

તેમણે વ્યાવસાયિક સફળતાની સીડી પર પહેલું કદમ દિલ્હીમાં માંડ્યું જ્યાં ઑગ્લવી અને માથેરમાં 10 વર્ષથી વધુ સમય કામ કર્યું. 2002માં મુંબઈ ઓફિસમાં એક્ઝિક્યુટિવ ક્રિએટીવ ડિરેક્ટર બન્યાં. એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ અને નેશનલ ક્રિએટીવ ડિરેક્ટર તરીકે મેકકેન-એરિકન સાથે જોડાયાં, અને મેકકેન વર્લ્ડગ્રુપ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે અને એશિયા પેસિફિક દ્વારા 2006 સુધી પ્રાદેશિક સર્જનાત્મક ડિરેક્ટર તરીકે નિમણૂક પામવાનું માન ખાટ્યાં હતાં

ભારતીયોના દિલમાં વસેલી છે આ ટ્યૂન્સ

યુવાપેઢીના દિલમાં વસેલી ઘણી ટ્યૂન પ્રસૂનની કળાભિવ્યક્તિ કરે છે. જેમાં જાણીતાં એડ કેમ્પેઇન્સમાં એનડીટીવી ઇન્ડિયાના સચ દિખાતે હૈ હમ, સફોલાની અભી મેં જવાન હૂં, એલજી, મેરિકો, પેરફ્ટેટીની એલ્પેનલીબે, ક્લોરમિન્ટ, અને કેન્સ વિજેતા ‘થંડા મતલબ કોકાકોલા’ની આમીરખાન સાથેની એડ છે. તેમના હેપીડન્ટ ટેલિવિઝન કોમર્શિયલને 2007ના કેન્સ ગોલ્ડમાં બોબ ગારફિલ્ડની વ્યક્તિગત પસંદગીઓમાંની એક તરીકે બોબ ગારફીલ્ડ ઓફ એડવર્ટાઇજિંગ એજ તરીકે પસંદ કરવામાં આવી હતી. 21 મી સદીની 20 શ્રેષ્ઠ જાહેરાતો પૈકી એક ગન રિપોર્ટમાં પણ તેને પસંદ કરવામાં આવી હતી. તેમણે સીએનએન આઇબીએનની જિંગલ ‘ઇન્ડિયા રાઇઝિંગ’ અને કોકના લોકપ્રિય ઉમ્મીદવાલી ધૂપ માટેના ગીતો પણ લખ્યાં છે.

ગ્લેમરવર્લ્ડમાં પ્રસૂનની એન્ટ્રી

ફિલ્મજગતમાં પ્રસૂનની એન્ટ્રી થઇ રાજકુમાર સંતોષીની લજ્જા ફિલ્મના ગીતકાર તરીકે. જેને પ્રસૂન માટે મહત્વપૂર્ણ સફળતા કહી શકાય. બોલિવૂડ ફિલ્મો ફના, રંગ દે બસંતી, તારેં જમીં પર, બ્લેક અને દિલ્હી 6 જેવી સફળ ફિલ્મો પણ આ યાદીમાં શામેલ છે. 2006માં રંગ દે બસંતી ફિલ્મે એક સંવાદ લેખક તરીકેની તેમની કારકિર્દીને ચિહ્નિત કરી.

સફળતાનું સન્માન

સફળતાનું સન્માન પણ હોય જ, જે એવોર્ડઝરુપે પ્રસૂનના ઘરને શોભાવી રહ્યાં છે. તારે જમીં પર (2007), અને ચિત્તાગોંગ (2013) માં એમ બે વખત શ્રેષ્ઠ ગીત માટે નેશનલ ફિલ્મ એવોર્ડ મેળવ્યો. 2007ની ફિલ્મ ‘ફના’થી ફિલ્મ ‘ ચાંદ સિફરીશ ‘ ગીત અને મા ગીત ‘માટે ફિલ્મફેર શ્રેષ્ઠ ગીતકાર પુરસ્કાર જીત્યો. પ્રસૂન જોશી 2014ની પુરસ્કાર વિજેતા ફિલ્મ ભાગ મિલ્ખા ભાગ ના પટકથા લેખક હતાં.

હાલમાં પણ પ્રસૂન કંગના રનૌતની ઐતિહાસિક મૂવી મણિકર્ણિકા-ધ ક્વીન ઓફ ઝાંસી સાથે ગીતકાર તરીકે જોડાયેલાં છે.

તેમની પ્રતિભાને ભારત સરકારે પણ સન્માનિત કરી છે. કલા, સાહિત્ય અને જાહેરાતોના ક્ષેત્રે તેમના યોગદાન બદલ 2015માં ભારત સરકાર દ્વારા પ્રસૂન જોશીને પદ્મશ્રીનો એવોર્ડ એનાયત થયો છે.

2006માં વિશ્વ ઇકોનોમિક ફોરમના સંલગ્ન ફોરમ ઓફ યંગ ગ્લોબલ લીડર્સ દ્વારા તેમને ‘યંગ ગ્લોબલ લીડર 2006’ તરીકે પસંદ કરાયાં હતાં. પ્રસૂન કોમનવેલ્થ ગેમ્સ 2010ના ઉદઘાટન અને સમાપન સમારોહ માટે શ્યામ બેનેગલ અને જાવેદ અખ્તર સાથેની ત્રણ સભ્યની કોર ક્રિએટિવ એડવાઇઝરી કમિટીના સભ્ય પણ હતા.

પ્રસૂન જોશીના નામે 200થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો બોલે છે. જેમાં 2002 એબીબીવાય ફોર બેસ્ટ કોપીરાઇટર અને બેસ્ટ એડ ઝૂંબેશ, ઠંડા મતલબ કોકાકોલા માટે કેન્સ લાયન એવોર્ડ અને ‘નં. 1 એશિયા પેસિફિક ક્રિએટિવ ડિરેક્ટર 2007’ પુરસ્કાર અપાયો છે.

આવાં કળા અને સાહિત્યપ્રેમી સર્જનાત્મક અભિગમ સાથે નવું આપનારા પ્રસૂન જોશીની સેન્સર બોર્ડ ચેરમને તરીકેની વરણીથી ફિલ્મઉદ્યોગના વાસ્તવિક કળામર્મજ્ઞોને ઘણો આનંદ થયો છે અને તેઓ ભારતીય ફિલ્મજગતમાં મોકળાશનો અનુભવ કરાવશે તેવી આશા છે.

તસવીર સૌજન્યઃ ટ્વીટર

હસીનામાંથી સાઈનાઃ શ્રદ્ધા કપૂરનાં રૂપમાં મોટા પડદા પર જોવા મળશે સાઈનાની સિદ્ધિઓ

 એક છે, બેડમિન્ટન કોર્ટની માનીતી સ્ટાર, તો બીજી છે રૂપેરી પડદા પરની પોપ્યૂલર સ્ટાર. આ બંને સ્ટારનાં મિલનથી ખેલકૂદપ્રેમીઓ અને ફિલ્મીરસિયાઓને જોવા મળવાની છે એક રસપ્રદ હિન્દી ફિલ્મ ‘સાઈના’


હૈદરાબાદનિવાસી સાઈના નેહવાલ દેશ-વિદેશમાં અવ્વલ દરજ્જાનું બેડમિન્ટન રમીને, ટ્રોફીઓ-મેડલ્સ જીતીને પરિવાર તથા દેશનું નામ રોશન કરી રહી છે તો મુંબઈની ફિલ્મ યુવા અભિનેત્રી શ્રદ્ધા કપૂર મનોરંજનના ફિલ્ડમાં પોતાની અભિનય પ્રતિભા દર્શાવીને પોતાનો ચાહકવર્ગ વધારી રહી છે. મોટે ભાગે રૂપકડી, નમણી છોકરીનાં રોલ કરતી આવેલી શ્રદ્ધા આગામી ફિલ્મ ‘હસીના પારકર’ ફિલ્મમાં શિર્ષક ભૂમિકા ભજવી રહી છે. આવતી 22 સપ્ટેંબરે રિલીઝ થનારી ‘હસીના પારકર’માં એણે અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની ગેંગસ્ટર બહેન હસીનાનો રોલ અદ્દભુત રીતે ભજવીને સૌને ચોંકાવી ગઈ છે. ફિલ્મના ટ્રેલરે એને વ્યાપક વાહ-વાહ અપાવી છે. હવે શ્રદ્ધા એ ભૂમિકાથી સાવ વિપરીત, એક દેશ માટે સમર્પિત બેડમિન્ટન ખેલાડીનો રોલ કરીને પોતાની ટેલેન્ટ પ્રસ્તુત કરવા આવી રહી છે.

રૂપેરી પડદા પર શ્રદ્ધા બનવાની છે સાઈના નેહવાલ. હિન્દી ફિલ્મ માટે પોતાનો રોલ કરવા માટે શ્રદ્ધાની પસંદગી ખુદ સાઈનાએ જ કરી છે.

બેડમિન્ટન સ્ટાર બનવા માટે સાઈનાએ વર્ષોથી ઘણી મહેનત કરી છે અને એની પાસેથી હજી ઘણાં પરાક્રમો જોવાનાં બાકી છે. સાઈના એટલે કોમનવેલ્થ ગેમ્સ (2010), ડેન્માર્ક ઓપન, ચાઈના ઓપન, ઈન્ડોનેશિયા ઓપન, ઓસ્ટ્રેલિયન ઓપન, સિંગાપોર ઓપન, ઈન્ડિયા ઓપન, સ્વિસ ઓપન, થાઈલેન્ડ ઓપન, મલેશિયા માસ્ટર્સ જેવી 20 સ્પર્ધાઓમાં વિજેતા ટ્રોફી જીતનાર, 2015ની વર્લ્ડ ચેમ્પિયનશિપ, ઓલ ઈંગ્લેન્ડ, ફ્રેન્ચ ઓપન સહિત 8 સ્પર્ધાઓમાં રનર-અપ રહી રજતચંદ્રક જીતનાર અને 2012ના લંડન ઓલિમ્પિક્સમાં કાંસ્ય અને આ જ વર્ષની ગ્લાસગો વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કાંસ્યચંદ્રક જીતનાર અનુભવી ખેલાડી.

અર્જૂન એવોર્ડ, પદ્મશ્રી (2010), રાજીવ ગાંધી ખેલરત્ન (2010) અને પદ્મભૂષણ (2016) એવોર્ડથી સમ્માનિત સાઈનાની જિંદગી પરથી બાયોપિક હિન્દી ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો હતો

કોચ ગોપીચંદ સાથે ‘રીયલ’ સાઈના અને ‘રીલ’ સાઈના

કારકિર્દીને ઘડવા માટે સાઈનાએ વર્ષોથી જેમની પાસે પ્રોફેશનલ બેડમિન્ટનની તાલીમ લીધી છે તે ભૂતપૂર્વ રાષ્ટ્રીય ચેમ્પિયન અને વર્તમાન કોચ પુલ્લેલા ગોપીચંદ પાસે છેલ્લા અમુક મહિનાથી બેડમિન્ટનની તાલીમ શ્રદ્ધા પણ લઈ રહી છે. શ્રદ્ધા એનાં રોલને પરફેક્ટ રીતે ન્યાય આપી શકે એ માટે સાઈનાનાં કહેવાથી જ શ્રદ્ધાને ગોપીચંદ હૈદરાબાદસ્થિત એમની એકેડેમીમાં બેડમિન્ટનની તાલીમ આપી રહ્યા છે.

પહેલા એવા અહેવાલો હતા કે સાઈના બાયોપિકમાં ટાઈટલ ભૂમિકા દીપિકા પદુકોણ ભજવશે, જે પોતે ફિલ્મલાઈનમાં પ્રવેશતાં પહેલાં સ્પર્ધાત્મક બેડમિન્ટન રમી ચૂકી હતી, પણ સાઈના ખુદ કહે છે કે, મારી ભૂમિકા માટે શ્રદ્ધા હંમેશાં મારી પહેલી ચોઈસ હતી. ભૂમિકા ભજવવા માટે એ ખૂબ મહેનતુ રહી છે. આટલા ઓછા સમયમાં મારી રમતની સ્ટાઈલને સમજવાનું, અપનાવવાનું બહુ જ કઠિન છે, પણ શ્રદ્ધાએ પ્રેક્ટિસ સત્રમાં ખૂબ જ મહેનત કરીને એ શીખી લીધું છે. હું એનાથી ખૂબ જ પ્રભાવિત થઈ છું.

શ્રદ્ધા સતત બીજી બાયોપિક કરી રહી છે. હસીના પારકર કરતાં સાઈના બાયોપિકને એ તદ્દન અલગ પ્રકારની અને ચેલેન્જિંગ માને છે.

અમોલ ગુપ્તે દ્વારા દિગ્દર્શિત અને ટી-સિરીઝના માલિક ભૂષણ કુમાર દ્વારા નિર્મિત ‘સાઈના’ બાયોપિકનું શૂટિંગ ખાસ કરીને હૈદરાબાદ, મુંબઈમાં કરાશે, તેમજ નિર્માતાએ અમુક અન્ય લોકેશન્સ પણ નક્કી કર્યાં છે. ફિલ્મ આવતા વર્ષના પ્રારંભમાં દેશના થિયેટરોમાં રિલીઝ થવાની ધારણા છે.

આ ફિલ્મમાં હરિયાણાની એક સામાન્ય બાળકીમાંથી ઓલિમ્પિક્સમાં ભારતને સૌપ્રથમ બેડમિન્ટનનો મેડલ અપાવનાર સાઈનાની જીવન સફરને દર્શાવવામાં આવશે.

માર્ગ પર વાહન, હાથમાં મોબાઈલ, ખતરાની ઘંટડી…

તાજેતરમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયે રોડ અકસ્માતનો રીપોર્ટ જાહેર કર્યો છે. જે મુજબ વર્ષ 2016માં ભારતમાં દર કલાકે 55 રોડ અકસ્માત થાય છે અને તેમાં 17ના મોત થાય છે અને દરરોજ 1317 અકસ્માતમાં 413 લોકોના મોત થાય છે. 2015માં રોડ અકસ્માતમાં 146,000 લોકોના મોત થયા હતા. જ્યારે 2016માં કુલ 4,80,000 રોડ અકસ્માત થયા, જેમાંથી કુલ 150,785 લોકોના મોત થયા છે. 2015ની સરખામણી કરીએ તો મોતની સંખ્યામાં 3.3 ટકાનો વધારો થયો છે. પણ માર્ગ અકસ્માતમાં 4.1 ટકાનો ઘટાડો થયો છે. આ તો સર્વસામાન્ય અકસ્માતની વાત થઈ. પણ રીપોર્ટમાં ખૂબ જ ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

રોડ અકસ્માત પાછળ બે મુખ્ય કારણો બહાર આવ્યા છે. સૌપ્રથમ વધુ પડતી સ્પીડ અને બીજું મોબાઈલ પર વાત… ઓવરસ્પીડિંગને કારણે 66 ટકા અકસ્માત થયાં હતાં, અને તેમાંથી 61 ટકા લોકોના મોત થયાં હતાં. તેનાથી વધુ ચોંકાવનારી વાત એ છે કે વાહન ચલાવતી વખતે મોબાઈલ પર વાત કરતાં હોવાને કારણે 4,976 અકસ્માત થયા, જેમાંથી 2,138 લોકોના મોત થયા છે. જે રેશિયો 46 ટકા રહ્યો છે. અને 4,746 લોકો ઘાયલ થયા હતા.

વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોન પર વાત કરવાના અકસ્માતમાં વધારો થયો છે, જેથી વાહન ચલાતી વખતે મોબાઈલ ફોન પર વાત કરવી કેટલી ઘાતક છે તે આ રીપોર્ટે દર્શાવે છે. વાહન ચલાવનારની સાથેસાથે રસ્તા પર ચાલતા જતાં લોકો પણ મોબાઈલનો ઉપયોગ કરે છે, તેને કારણે પણ અકસ્માત થયા છે અને દુર્ઘટનાના શિકાર થયા છે.

વિશ્વ આરોગ્ય સંગઠનના રીપોર્ટ અનુસાર જે લોકો વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે તે લોકો સાથે અકસ્માત થવાની શકયતા 4 ગણી વધી જાય છે.

અમદાવાદ આરટીઓ જી. એસ. પરમારે chitralekha.com સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આરટીઓ દ્વારા મોબાઈલ પર વાત કરતા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી તો કરાય છે, પણ સાથે સાથે આવા વાહન ચાલકોનું માનસ પરિવર્તન કરવાની જરૂર છે. મોટર વ્હીકલ એક્ટ અનુસાર વાહન ચલાવતી વખતે મોબાઈલ પર વાત કરવી તે ગુનો તો છે જ. પણ લોકો દંડ ભરીને છુટી જાય છે. હા મારી પાસે એવો પોલીસ રીપોર્ટ આવે કે પાંચ વખતથી વધારે વખત વાહન ચલાવતા મોબાઈલનો ઉપયોગ કર્યો હોય તેવો ગુનો હોય તો તેવાના લાયસન્સ રદ કરવામાં આવે છે. પણ અમદાવાદ શહેરમાં જ 40 લાખથી વધારે વાહનો છે. દરેક ઘરમાં 3-3 વાહનો થઈ ગયા છે. મોબાઈલનો યુઝ કરવા માટે લોકોમાં સેલ્ફ અવેરનેસની જરૂર છે. શહેરના પ્રાઈમ લોકેશન પર સીસીટીવી લાગેલા છે, જેમાં મોબાઈલ પર વાત કરતાં કેમેરામાં કેદ થાય તો પણ દંડ લાદવામાં આવે છે. બીજુ આરટીઓ દ્વારા ઝુંબેશ ચલાવાય છે કે શાળા-સ્કૂલ-કોલેજમાં ટ્રાફિક અવેરનેસ અને રોડ સેફટી અંર્તગત સેમિનાર યોજીને શિક્ષણ અપાય છે. આરટીઓ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ પોઈન્ટ ગોઠવીને પણ ટ્રાફિકના નિયમોના ભંગ બદલ લોકોને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવતી હોય છે, પણ લોકો દંડ ભરીને ફરી પાછા એવા ને એવા થઈ જતા હોય છે. મારી દ્રષ્ટિએ જ્યાં સુધી સેલ્ફ અવેરનેસ અને મોબાઈલ પાછળનું ગાંડપણ દૂર કરવાની પણ જરૂરિયાત છે.

પૂર્વ સંયુક્ત નિયામક વાહન વ્યવહાર- ગાંધીનગરના જશુભાઈ બારેવડિયાએ chitralekha.com ને જણાવ્યું હતું કે વાહન ચલાવતી વખતે મોબાઈલ પર વાત કરનારનું 75 ટકા ધ્યાન વાત કરવામાં હોય છે. 25 ટકા ધ્યાન જ વાહન ચલાવવામાં કે સામે નજર રાખવામાં હોય છે. તમે ખાસ જોયું હશે કે વાહનચાલક મોબાઈલ પર વાત કરતી વખતે વાહન ધીમે ચલાવશે, અને ઓવરટેક નહી કરે. પણ તેનું ધ્યાન મોબાઈલમાં હોવાને કારણે(માઈન્ડ એબસન્ટ) અકસ્માત સર્જાય છે. લોકો 2-3 કિલોમીટર સુધી વાહન ચલાવતી વખતે મોબાઈલ પર લાંબી વાતો કરતાં હોય છે. પાછી કારમાં વાઈફાઈ સુવિધા આવી ગઈ છે, એટલે તે મોબાઈલ હાથમાં રાખ્યા વગર પણ વાત કરી શકે છે. પછી તેની પાસે કોઈ સમયની મર્યાદા રહેતી નથી. ઘણા લોકો તો ડ્રાઈવિંગ કરતી વખતે કારમાં બેસી ત્યાંથી વાતો કરતાં કરતાં છેક છેલ્લા પોઈન્ટે ઉતરે ત્યાં સુધી વાતો કરતાં હોય છે. આ ખુબ ડેન્જરસ છે.

જશુભાઈ જણાવે છે કે મોટર વ્હીકલ એક્ટમાં જોગવાઈ છે કે મોબાઈલ પર વાત કરતાં પકડાય તો દંડ કરાય, અને વધુ વાર પકડાય તો તેનું ડ્રાઈવિંગ લાયસન્સ જપ્ત કરીને 15 દિવસ સુધી સસ્પેન્ડ કરી દેવું જોઈએ. સામાન્ય રીતે લોકો દંડ ભરી દેતા હોય છે, અને પછી ફરીથી પાછા વાહન ચલાવતી વખતે બે દિવસ પછી મોબાઈલનો ઉપયોગ કરતાં થઈ જાય છે. જો લાયસન્સ જપ્ત કરાશે તો તેનો એક સારો મેસેજ જશે. અને લોકો 100 ટકા અટકશે.

અમદાવાદ શહેરના ટ્રાફિક અધિક પોલિસ કમિશ્નર ડૉ. સુધીર દેસાઈએ chitralekha.com સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ એ ડેન્જરસ ડ્રાઈવિંગ ગણાય છે. આવા કેસમાં રૂપિયા 2000 સુધીનો દંડ કરાય છે, અને ત્રણથી વધુ વખત આ ગુનાનો ભંગ થાય તો 3 મહિના માટે લાયસન્સ રદ કરવા માટે આરટીઓને ભલામણ કરાય છે. જાહેર જનતાએ આવું ભયજનક ડ્રાઈવિંગ ટાળવું જોઈએ. અને તમે વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરો છો તો તમારો જીવ તો જોખમમાં મુકો છો પણ ત્રાહિત વ્યક્તિનો જીવ પણ જોખમમાં મુકાય છે.

મનોચિકિત્સક હંસલ ભચેચે chitralekha.com ને કહ્યું હતું કે હવે લોકોમાં મોબાઈલની ટેવ પડી ગઈ છે. દરેક માનવીના શરીરનો એક ભાગ થઈ ગયો હોય તેમ મોબાઈલ રિંગ વાગે ત્યારે તે ગમે તેવી સ્થિતીમાં પણ મોબાઈલ ફોન ઉપાડી લે છે અને વાત કરે છે. વાહન ચલાવી રહ્યા છો, ફોન ન ઉપાડાય તેવું ભાન હોવા છતાં યંત્રવત તે ફોન ઉપાડી લે છે, અને વાત પણ કરે છે. લોજિક થિંકિંગ કામ જ કરતું નથી. આદત પડી ગઈ છે. અચ્છા… આપણે ત્યાં વાહન ચલાવતી વખતે રિંગ વાગે… અને તમે ઈચ્છો છો કે ફોન નથી ઉપાડવો, પણ સામે વાળા જરાય ધીરજ ધરતાં નથી, ઉપરાઉપરી રિંગ માર્યા જ કરે છે. વારંવાર રિંગ વાગવાને કારણે તમારે ફોન ઉપાડીને વાત કરવી પડે છે. એટલે કે તમારી પર પ્રેશર ઉભું કરાય છે. લોકો વિવેકબુધ્ધિનો ઉપયોગ કરતાં જ નથી. અને હવે તો યુવાનોમાં ખાસ મેસેન્જર પર ચેટ કરવાનો ટ્રેન્ડ વધી ગયો છે. વાત કરો તો બાજુવાળાને ખબર પડી જાય, પણ ચેટ કરો તો કોઈને ખબર ન પડે. રસ્તામાં જતા આવતાં લોકો પણ મોબાઈલથી ચેટ કરતાં હોય છે.

તમે મોબાઈલમાં વાત કરો ત્યારે તમારુ ધ્યાન ડાયવર્ટ થઈ જાય છે. બેધ્યાન થવાને કારણે તમે સમયસર બ્રેક નથી મારી શકતા અને અકસ્માત સર્જાય છે. વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગની આદતને બદલવા શુ કરવું જોઈએ, જેથી આપણી સલામતી વધે ? તેવા પ્રશ્નના જવાબમાં હંસલ ભચેચે જણાવ્યું હતું કે બે વસ્તુ ધ્યાનમાં રાખો. (1) તમે કારની ડ્રાઈવિંગ સીટ પર બેસો ત્યારે મોબાઈલને સાયલન્ટ કરીને પાછળની સીટ પર મુકી દો. અથવા ટુ વ્હીલર ચલાવતા હોય તો મોબાઈલ સાયલન્ટ કરીને ડેકીમાં મુકી દો. જેથી મોબાઈલની રિંગ વાગે તો પણ તમારુ ધ્યાન ડાયવર્ટ નહી થાય. (2) તમારી સાથે કોઈ ટ્રાવેલ કરતું હોય તો મોબાઈલની રિંગ વાગે તો બાજુવાળા મિત્ર અથવા પરિવારજનને કહેવું કે મોબાઈલ ઉપાડીને વાત કરી લે. ‘ડ્રાઈવિંગ કરે છે. દસ મીનીટ કે પંદર મીનીટ પર આપને કૉલબેક કરે છે.’ અથવા અર્જન્ટ મેસેજ હોય તો તે લઈ લે. જો આપ બે વસ્તુનું પાલન કરશો તો તમારી વાહન ચલાવતી વખતે મોબાઈલ પર વાત કરવાની ટેવ છૂટી જશે.

અંતે તો તમારી જિંદગી અમુલ્ય છે, આપનો પરિવાર આપની ઘેર રાહ જુએ છે, તમારી બહેન કે ભાઈ આપની રાહ જુએ છે, જેથી વાહન ચલાવતી વખતે ખુબ જ સાવચેતી રાખો અને ચાલુ ડ્રાઈવિંગ વખતે મોબાઈલ પર વાત નહી કરવાનો સંકલ્પ લો. અથવા તો વાહનને સાઈડમાં ઉભુ રાખીને મોબાઈલ પર વાત કરી લો. વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ન કરવો જોઈએ, તેવો chitralekha.comનો આ નમ્ર પ્રયાસ છે.

(અહેવાલ- ભરત પંચાલ અને તસ્વીર- પ્રજ્ઞેશ વ્યાસ)

‘ધ ડ્રામા કંપની’ના સેટ પર મિથુન, સન્ની…

અભિનેતા મિથુન ચક્રવર્તિ અને અભિનેત્રી સન્ની લિયોનીએ મુંબઈમાં ટેલિવિઝન શો ‘ધ ડ્રામા કંપની’ના સેટ પર હાજરી આપી હતી.