Home Blog Page 5623

ટીમ ઈન્ડિયાનો આ છે વિશિષ્ટ ચાહક, ‘કૌટુંબિક સભ્ય’…!!

ભારતીય ક્રિકેટ ટીમના ચાહકો તો ઘણાય છે, પણ એમાંનો એક ચાહક કંઈક વિશેષ છે. આ ચાહક દિવ્યાંગ છે છતાં એને ભારતીય ટીમના બિનસત્તાવાર ૧૨મા ખેલાડી તરીકેની ઓળખ મળી છે.

આ ઉત્સાહી છે ધરમવીર સિંહ પાલ. એ મધ્ય પ્રદેશનો વતની છે. બંને પગે પોલિયોગ્રસ્ત છે, પણ ક્રિકેટની રમત અને દેશની ક્રિકેટ ટીમ પ્રત્યે એની અપાર લાગણી અને ઉત્સાહે એને ભારતના ક્રિકેટરોના હૃદયમાં તેમજ ડ્રેસિંગ રૂમમાં આગવું સ્થાન અપાવ્યું છે.

ધરમવીર પાલ ૧૮ મહિનાનો હતો ત્યારે એને પોલિયો થયો હતો અને એનું કમરથી નીચેનું શરીર હલનચલનવિહોણું થઈ ગયું હતું.

તે છતાં એ જેમ મોટો થતો ગયો એમ ક્રિકેટ પ્રત્યેનો એનો પ્રેમ ખૂબ ગાઢ બનતો ગયો.

રાષ્ટ્રીય ક્રિકેટ ટીમની એ એટલો બધો નિકટ થઈ ગયો છે કે ટીમ જ્યાં જાય ત્યાં એની સાથે એ જાય છે. એનો બધો ખર્ચ ટીમ ઉપાડે છે. ખેલાડીઓ એને પરિવારના સભ્ય જેવો ગણે છે.

૨૪ વર્ષીય ધરમવીર પાલ ભારતના વિકલાંગ ક્રિકેટરોની ટીમનો કેપ્ટન પણ છે.

ધરમવીર ચાલવા માટે એના હાથનો ઉપયોગ કરે છે અને હાથ વડે એ ગજબની સ્પીડે ભાગી શકે છે. એ જબરદસ્ત રીતે બોલને થ્રો પણ કરી શકે છે, કેચ પણ કરી શકે છે.

જિંદગીએ પોતાના માર્ગમાં જે કોઈ પડકારો મૂક્યા છે એને ધરમવીરે સહર્ષ સ્વીકારી લીધા છે. એ પોતાને વિકલાંગ માનતો નથી. ‘માટે જ હું આટલો દ્રઢમનોબળવાળો છું. હું કોઈ પણ કામ કરી શકું છું. કોઈ પણ મોટું કામ કરી શકું છું,’ એમ તે કહે છે.

ધરમવીરનાં વિચારો ખરેખર પ્રેરણાત્મક છે. એ કહે છે, ‘હું મારા અંતિમ શ્વાસ સુધી ક્રિકેટની રમત સાથે સંકળાયેલો રહેવા અને ભારતીય ટીમની સહાયતા કરવા માગું છું. પોલિયો રોગ વ્યક્તિને કશું કરવા દેતો નથી એ માન્યતાને હું ખોટી પાડી દેવા માગું છું.’

‘નહીં, મેરે કો કોઈ મુશ્કિલ નહી હોતી હૈ. મૈં બિલકુલ મેહસુસ નહી કરતા કી મૈં વિકલાંગ હૂં. જબ મેહસુસ કરેંગે તો પરેશાની હોગી, કહીં જાને મેં દિક્કત હોગી,’ આ શબ્દો છે ધરમવીરના.

મધ્ય પ્રદેશના મોરેના જિલ્લાના ગામડાના ગરીબ કિસાનનો પુત્ર ધરમવીર પાલ ભારતીય ટીમને પ્રેક્ટિસ સત્ર વખતે ખૂબ મદદરૂપ થતો હોય છે. મેદાન પર બાઉન્ડરી લાઈનની બહાર બોલને કલેક્ટ કરવાની એની ઝડપ જોઈને કોઈ પણ વિસ્મય પામે. છેક ૨૦૦૪ની સાલથી એ ભારતીય ટીમની ભેગો જ રહેતો આવ્યો છે. સચીન તેંડુલકર, મહેન્દ્ર સિંહ ધોની, યુવરાજ સિંહ, વિરેન્દર સેહવાગ સહિત તમામ દિગ્ગજ તથા અન્ય ખેલાડીઓ એને વ્યક્તિગત રીતે ઓળખે છે, એને માન આપે છે. એને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એનું ખેલાડીઓ બહુ ધ્યાન પણ રાખે છે.

વન-ડે ઈન્ટરનેશનલ્સ અને ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો ઉપરાંત આઈપીએલની મેચો વખતે પણ એ ભારતીય ખેલાડીઓની મદદ માટે મેદાન પર પહોંચી જતો હોય છે.

એના અજબના ઉત્સાહે એને ભારતીય ટીમના બિનસત્તાવાર પ્રતિક તરીકે સ્થાપિત કરી દીધો છે.

ભારતીય ટીમ સાથે નિકટતાની એની શરૂઆત ક્યારથી થઈ?

મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની એ વન-ડે ઈન્ટરનેશનલ મેચ હતી. ભારતે ઓસ્ટ્રેલિયા પર જીત મેળવ્યા બાદ કેપ્ટન ધોનીને અભિનંદન આપવા ધરમવીર હાથની મદદથી ચાલતો ડ્રેસિંગ રૂમ સુધી ગયો હતો. દરેક જણ એને જોતા જ રહી ગયા હતા. બસ, એ ઘડીથી ધોની તથા અન્ય ભારતીય ખેલાડીઓ સાથે એનો એક કાયમી વિશેષ નાતો બંધાઈ ગયો હતો.

ધરમવીરથી ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ પણ ખૂબ પ્રભાવિત થયા છે. એડમ ગિલક્રિસ્ટ કિંગ્સ ઈલેવન પંજાબ ટીમની આઈપીએલ મેચ રમવા માટે આવ્યો હતો ત્યારે એણે ધરમવીર સાથે હાથ મિલાવ્યા હતા અને એની સાથે ટીમ હોટેલની લોબીમાં બેસીને અડધો કલાક સુધી વાતો કરી હતી.

ધરમવીરને ટીમની નેટ પ્રેક્ટિસ વખતે હાજર રહેવાનો વિશેષાધિકાર પ્રાપ્ત થયો છે એટલું જ નહીં, પણ ખેલાડીઓ માટે બોલ-બોય બનવા, બાઉન્ડરી લાઈન પર ફિલ્ડિંગ ભરવાની પણ એને પરવાનગી અપાઈ છે.

ભારતીય ટીમ સાથે એ અત્યાર સુધીમાં ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, ઓસ્ટ્રેલિયા, ન્યુ ઝીલેન્ડ, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને યૂએઈના પ્રવાસે પણ જઈ આવ્યો છે.

અત્યાર સુધીમાં એ ભારતીય ટીમની ૧૦૦ જેટલી મેચો સ્ટેડિયમમાં જ રહીને નિહાળી ચૂક્યો છે.

ગુજરાતઃ લાભપાંચમથી ટેકાના ભાવે મગફળી ખરીદાશે

ગાંધીનગર- ગુજરાતમાં મગફળીના વિપુલ ઉત્પાદન પછી ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ટેકાના ભાવે ખરીદવાનોનિર્ણય રાજ્ય સરકારે કર્યો હતો.  રાજ્યમાં ૧૦૭ કેન્દ્રો પરથી મગફળીની ખરીદી કરવા માટે નોડલ ઓફિસરની નિમણૂક કરી દેવામાં આવી છે તા. ૨૫મી ઓક્ટોબર, ૨૦૧૭થી મગફળીની ખરીદીનો આરંભ કરી શકાય તે માટે તમામ આગોતરી કાર્યવાહી થઇ ગઇ  છે.

આ પ્રક્રિયાનો વધુ ઝડપથી અમલ થાય તે માટે કેન્દ્ર સરકારની નાફેડ તથા રાજ્ય સરકારની પાંચ એજન્સીઓને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરી છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે રૂ.૯૦૦/-ના પ્રતિ મણના ભાવે રાજ્ય સરકાર મગફળી ખરીદશે અને ખેડૂતોના ભાગમાં મણદીઠ રૂ.૨૫૦/-વધારાના આવશે.

કેન્દ્ર સરકારની નોડલ એજન્સી તરીકે નાફેડ તથા રાજ્ય સરકારની ગુજરાત કો-ઓપરેટીવ કોટન ફેડરેશન લિ. (ગુજકોટ) સાબર ડેરી, બનાસ ડેરી, એગ્રી બિઝનેસ કન્સોર્ટીયમ પ્રોડ્યુસર કં.લિ. (ગુજપ્રો) તથા ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લિમીટેડ (ગુજકોમાસોલ)ને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરાઇ છે. જેના દ્વારા ૧૦૭ કેન્દ્રો પરથી  મગફળીની ખરીદી કરવામાં આવશે.

આ વર્ષે અંદાજે ૩૨ લાખ મે.ટન મગફળી થવાનો અંદાજ છે અને રાજ્ય સરકારે રૂ.૯૦૦/-પ્રતિ મણના ભાવે ખરીદી કરાશે તો અંદાજે રૂ.૫૦૦/- કરોડ જેટલી વધારાની રકમ મળશે. ખેડૂતોને આ નાણાં સમયસર મળે તે માટે ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં એક સપ્તાહમાં જમાં આપી દેવાશે. ઉપરાંત બારદાન, સ્ટોરેજ, ગોડાઉન અને પૂરતા માનવબળ તથા પરિવહન માટે પણ પૂરેપૂરું આયોજન સુનિશ્ચિત કરાયું છે.

 

ચૂંટણીપંચની ટીમ ગુજરાતમાં, રાજકીય પક્ષો સાથે બેઠક

ગાંધીનગર– ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે આજે સોમવારથી બે દિવસ માટે ભારતીય ચૂંટણી પંચની કમિટી ગુજરાતની મુલાકાતે આવી છે. આજે આ કમિટીમાં ગુજરાત ખાતે આવેલા મુખ્ય ચૂંટણી કમિશનર
એ.કે.જોતિના હસ્તે ઇવીએમ અને વીવીપેટની મતદારાને જાગૃતિ આપતી વાનનું આજે ગાંધીનગરના મહાત્મા મંદિરથી પ્રસ્થાન કરાવ્યું હતું.

ભારતીય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર એ.કે.જોતિ અને તેમની ટીમે દ્વારા આજરોજ અમદાવાદમાં રાજકીય પક્ષોના સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા પોલીસ વડાઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તે પહેલા મુખ્ય ચૂંટણી કમિશનર એ.કે.જોતિએ રાજયના મતદારોમાં ઇવીએમ મશીન અને વીવીપેટ અંગેની જાગૃતિ આપતા રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

આ રથ રાજયની તમામ વિધાનસભા વિસ્તારોમાં ફરશે. આ રથમાં ઇ.વી.એમ.મશીનથી કેવી રીતે મત આપી શકાય, મત આપ્યા બાદ આપ વીવીપેટમાં છપાતી કાપલી કેવી રીતે જોશો અને મતદાર અંગેની જાગૃતિ અને વીવીપેટ અંગેની જાગૃતિ માટે સૂત્રો લખવામાં આવ્યા છે. આ રથમાં ઇવીએમ મીશન અને વીવીપેટનું ડેમોસ્ટ્રેશન પણ દરેક જગ્યાએ કરવામાં આવશે. રથ પ્રસ્થાન સમયે ચૂંટણી કમિશનર ઓ.પી.રાવત, સુનિલ અરોરા તથા સીનીયર નાયબ ચૂંટણી કમિશનર ઉમેશસિંહા, નાયબ ચૂંટણી કમિશનર સંદિપ સેકસેના તથા સુદીપ જૈન, રાજયના મુખ્ય ચૂંટણી અધિકારી બી.બી.સ્વેન, ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી સતીશ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.

રશિયામાં અનુપમા રામચંદ્રન બની વર્લ્ડ ઓપન અન્ડર-૧૬ સ્નૂકર ચેમ્પિયન

સેન્ટ પીટર્સબર્ગ (રશિયા) – ભારતની અનુપમા રામચંદ્રને અહીં વર્લ્ડ ઓપન અન્ડર-૧૬ સ્નૂકર સ્પર્ધા જીતીને મોટી સિદ્ધિ હાંસલ કરી છે.

છોકરીઓની કેટેગરીમાં, વિજેતાપદ માટેનો મુકાબલો ઓલ-ઈન્ડિયન બની ગયો હતો. દ્વિતીય સીડ અનુપમાએ ફાઈનલ જંગમાં ભારતની જ ટોપ સીડ કીર્તના પાંડિયનને ૩-૧થી પરાસ્ત કરી હતી.

સેમી ફાઈનલમાં તામિલનાડુની અનુપમાએ બેલારુસની હરીફને ૩-૦થી અને તે પહેલાં ક્વોર્ટર ફાઈનલમાં રશિયાની ખેલાડીને ૩-૦થી હરાવી હતી.

છોકરાઓની કેટેગરીમાં વેલ્સનો ખેલાડી ચેમ્પિયન બન્યો છે.

આ સ્પર્ધામાં દુનિયાભરમાંથી કુલ ૭૩ ક્યૂઈસ્ટ્સે ભાગ લીધો હતો.

આનંદીબહેન પટેલનો પત્રઃ હું ચૂંટણી નહીં લડું

ગાંધીનગર– ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન રહી ચૂકેલાં આનંદીબહેન પટેલ હવે આગામી વિધાનસભા ચૂંટણી નહીં લડવાની જાહેર ઇચ્છા દર્શાવી હતી.

તેમણે પક્ષપ્રમુખ અમિત શાહને એક પત્ર લખ્યો હતો જેમાં તેમણે પક્ષની 75 પ્લસને ચૂંટણી નહીં લડાવવાની પક્ષની નીતિ યાદ કરાવતાં લખ્યું છે કે વિસ્તારમાં વર્ષોથી કામ કરતાં કાર્યકર્તાઓને પણ મોટી ચૂંટણીઓ લડી આગળ આવવાની સ્વાભાવિક ઇચ્છા સેન્સ દરમિયાનના કામકાજમાં જોવા મળી હતી. ત્યારે તેઓને ટિકીટ આપવાની ભલામણ પણ પત્રમાં કરી હતી. આનંદીબહેને આ વખતે તેમના ફેસબૂક વોલ પર પત્ર લખ્યો નથી પણ તેમનો આ પત્ર બહાર આવી જતાં આજે ઘાટલોડિયા વિસ્તારના તેમના મતદારોને આંચકો લાગ્યો હતો.તેમનો પત્ર આ રહ્યોઃ

શેરબજારમાં સુધારો, કંપનીઓના ત્રિમાસિક પરિણામો અગાઉ સાવચેતી

અમદાવાદ– શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે સામાન્ય સુધારો આવ્યો હતો. બ્લુચિપ શેરોમાં નીચા મથાળે નવી લેવાલીનો ટેકો આવ્યો હતો, પણ નિફટી 10,000ની અતિમહત્વની સપાટી કૂદાવી ગયો પછી તેજીવાળા ખેલાડીઓએ નફારૂપી વેચવાલી કાઢી હતી. જેથી માર્કેટ વધ્યા મથાળેથી પાછુ પડ્યું હતું. ગ્લોબલ માર્કેટના ન્યૂઝ મિશ્ર હતા. જેથી લેવાલી-વેચવાલીના બેઉ તરફી કામકાજે શેરોના ભાવ પણ બે બાજુની વધઘટમાં અથડાયા હતા. ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 32.67(0.10 ટકા) વધી 31,846.89 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 9.05(0.09 ટકા) સુધરી 9988.75 બંધ થયો હતો.

ચાલુ સપ્તાહથી જ કંપનીઓના બીજા કવાર્ટરના પરિણામો આવવા શરૂ થશે. કંપનીઓના જુલાઈથી સપ્ટેમ્બરના અંતે પુરા થયેલા સેકન્ડ કવાર્ટરના પરિણામો નિરુત્સાહી આવવાની ધારણા છે. જેથી તેજીવાળાએ પ્રોફિટ બુકિંગની તક ઝડપી હતી. આજે સાઉથ કોરિયા, જાપાન અને તાઈવાન સ્ટોક માર્કેટ બંધ હતા. હોંગકોંગનો હેંગસેંગ 131 પોઈન્ટ માઈનસ હતો. અને બપોર પછી યુરોપિયન સ્ટોક માર્કેટ માઈનસ હતા. જેથી ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ ડહોળાઈ ગયું હતું.

  • 22 સપ્ટેમ્બર પછી નિફટી 10,000ની અતિમહત્વની સપાટી કૂદાવી ગયો હતો.
  • આ સપ્તાહે 30 કંપનીઓના સેકન્ડ કવાર્ટરના પરિણામે જાહેર થશે, જેમાં ટીસીએસ, રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, સાઉથ ઈન્ડિયા બેંક, ઈન્ડુસઈન્ડ બેંક અને બજાજ કોર્પોરેશનનો સમાવેશ થાય છે.
  • આજે કેપિટલ ગુડઝ, ઓઈલ એન્ડ ગેસ અને પીએસયુ સેકટરના શેરોમાં ભારે વેચવાલીથી નરમાઈ ફરી વળી હતી.
  • રોકડાના શેરોમાં મિશ્ર વાતાવરણ હતું. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 6.02 માઈનસ બંધ હતો.
  • જ્યારે રોકડાના નાની કીમતના શેરોમાં નવી લેવાલી ચાલુ રહી હતી. બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 103.80 પ્લસ બંધ હતો.
  • આજે કન્ઝ્યુમર ડયુરેબલ, બેંક, એફએમસીજી અને આઈટી શેરોમાં લેવાલીથી મજબૂતી રહી હતી.
  • ઈન્ડિયન એનર્જિ એક્સચેન્જનો આઈપીઓ આજે ખુલ્યો છે અને 11 ઓકટોબરે બંધ થશે. તેમાં શેરની પ્રાઈઝબેન્ડ રૂ.1645-1650 છે. શેરની લોટ સાઈઝ 9 શેરની છે. કંપની આઈપીઓ થકી રૂપિયા 1000 કરોડની મૂડી એકઠી કરશે.
  • ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને કહ્યું છે કે ટાટા ટેલીસર્વિસીઝની હાલત ખરાબ છે, હવે તેની રીકવરી થવી અસંભવ છે. ચાલુ નાણાકીય વર્ષમાં તેને બંધ કરાશે અથવા વેચી નાખવાનો નિર્ણય લેવાશે. આ સમાચારને પગલે ટાટા ટેલીના શેરમાં 15 ટકાનું ગાબડું પડ્યું હતું.
  • ટાટા પાવરનું દેવું ઓછુ કરવાનું એજન્ડામાં છે.
  • કેન્દ્ર સરકાર નવી ગાઈડલાઈન્સ લાવશે, જે મુજબ માંદી સરકારી કંપનીઓ બંધ કરીને તેની જમીન પર સસ્તા ઘર બનાવવાની યોજના લાવશે.

 

અનિલ કપૂરના ઘેર ‘કરવા ચોથ’ની ઉજવણી…

‘કરવા ચોથ’ વ્રતની રવિવાર, ૮ ઓક્ટોબરે બોલીવૂડ કલાકારોએ પણ ઉજવણી કરી હતી. અભિનેતા અનિલ કપૂરે મુંબઈમાં પોતાના ઘેર ખાસ કાર્યક્રમ રાખ્યો હતો અને ઘણા સાથી કલાકારોને આમંત્રિત કર્યા હતા. અભિનેત્રી શિલ્પા શેટ્ટી એનાં પતિ રાજ કુન્દ્રા સાથે ગઈ હતી તો નિર્માત્રી ફરાહ ખાન એનાં પતિ શિરીષ કુંદર સાથે ગયા હતાં.

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી

 

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા

નિર્માતા-દિગ્દર્શક ડેવિડ ધવન એમના પત્ની કરૂણા સાથે

નિર્માત્રી ફરાહ ખાન એમના પતિ શિરીષ કુંદર સાથે

અનિલ કપૂર એના ભાઈ સંજય કપૂરની પુત્રી શનાયા અને પુત્ર જહાં કપૂર સાથે.

ઓઈલ કંપની સીઈઓ સાથે પીએમની બેઠક

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ઓઈલ એન્ડ ગેસના સીઈઓ અને વિશ્વભરના નિષ્ણાતો સાથે બેઠક કરી હતી.

સંરક્ષણ માટે ફંડ

નવી દિલ્હીઃ આઈસીઆઈસીઆઈ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ ચંદા કોચર દ્વારા કેન્દ્રીય સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારમનને આર્મ્ડ ફોર્સ ફ્લેગ ડે નિમિત્તે ફંડ રૂપે 10 કરોડ રૂપિયા આપ્યાં હતાં.

સાઉદીના શેખ રશિયા પહોંચ્યા, પણ સોનાનું એસ્કેલેટર અટક્યું…

સોનાની થાળી અને ચાંદીના વાટકા, વૈભવ હોય ત્યારે સોનાના નળ અને નકૂચા. સોનાનું એસ્કેલેટર લઈને સાઉદી અરેબિયાના શેખ સલમાન રશિયા પહોંચ્યાં, પણ તે ચાલ્યું નહીં. 82 વર્ષના શેખ વિમાનમાંથી નીચે ઉતરી શકે તે માટે સીડીની જગ્યાએ એસ્કેલેટર મૂકાયું હતું. તે અધવચ્ચે અટકી પડ્યું હતું. તેનો વીડિયો વાઇરલ થયો છે તે જોજો, તમનેય બે ઘડી મોજ આવશે. કિંગ સલમાન પોતાની સાથે 1500 માણસોનો કાફલો લઈને રશિયાની મુલાકાતે ગયાં છે. એ કાફલાની વિગતો પણ તમને અન્યત્ર વાંચવા મળશે એટલે અહીં તેને રીપીટ નથી કરતા, પણ ઇતિહાસમાં સૌપ્રથમવાર સાઉદીના રાજા રશિયા પહોંચ્યાં છે તે ઐતિહાસિક ઘટના છે અને આ ઐતિહાસિક મુલાકાત પછી બંને દેશો વચ્ચેના સંબંધો અટક્યા વિના ચાલશે કે કેમ તેના પર દુનિયાની નજર રહેશે.

દુનિયાની નજર એટલા માટે રહેશે કે જો સાઉદી અને રશિયા વચ્ચે દોસ્તી થઈ તો જગતને ઝટકો લાગે તેમ છે. આપણે ક્રૂડ ઓઈલની વાત કરીએ ત્યારે સાઉદી અરેબિયા યાદ આવે. પણ ઘણા લોકોએ એ ખ્યાલ નહીં હોય કે રશિયા પોતે પણ ક્રૂડ ઓઈલનું બહુ મોટું ઉત્પાદક છે. અને એ પણ યાદ નહીં હોય કે સૌથી વધારે ક્રૂડ ઓઈલ રીઝર્વ કેનેડા પાસે છે, ગલ્ફના દેશો પાસે નહીં. એટલે જગતના બે મોટા ક્રૂડ ઉત્પાદક દેશો વચ્ચે દોસ્તી થાય અને ક્રૂડનું ઉત્પાદન ઓછું કરવામાં આવે તો ભાવો ભડકે બળે. ઓપેક નામનું સંગઠન છે, તેમાં ક્રૂડનું ઉત્પાદન કરનારા દેશો છે અને સૌથી વધુ દેશો તેમાં મુસ્લિમ દેશો છે. ઓપેકને બેલેન્સ કરવા માટેની તાકાત રશિયામાં છે અને તેનો ઉપયોગ કરવો પડે ત્યારે રશિયા કરે છે. અમેરિકા સાઉદી અરેબિયાને પોતાના ખોળામાં બેસાડી રાખે છે અને દાઝ કાઢવા રશિયા ક્રૂડમાં સપ્લાયમાં જરૂર પ્રમાણે ફેરફાર કરતું રહે છે.

હવે થયું છે એવું કે અમેરિકામાં પણ જમણેરી સરકાર આવી છે અને ટ્રમ્પનો મુસ્લિમ દ્વેષ જાણીતો છે. તેમણે મુસ્લિમ દેશોની યાદી તૈયાર કરીને ત્યાંના નાગરિકોને વિઝા ના આપવા તેવું નક્કી કર્યું હતું. ટ્રમ્પને ઈમિગ્રન્ટ્સ સામે જ વાંધો છે, પણ વધુ ચિંતા એ છે કે મુસ્લિમ દેશોમાંથી ઈમિગ્રન્ટ્સ આવે તેમાં ત્રાસવાદીઓ પણ સાથેસાથે આવી જાય. એ સંજોગોમાં અમેરિકા સાથેના સંબંધોમાં ફેરફાર થાય તો જગતના જમાદાર સામે, જગતના કોન્સ્ટેબલ રશિયા સાથે દોસ્તી કરવી પડે તેમ સાઉદીને સમજાયું હશે. એ વાત જુદી છે કે અમેરિકાને માત્ર પોતાના દેશમાં જેહાદી ત્રાસવાદી નથી જોઈતો. પાકિસ્તાન અને સાઉદી અરેબિયા ત્રાસવાદીઓને ઉછેરે અને ભારત જેવા દેશો પર હુમલા કરવા મોકલે તેની અમેરિકાને કંઈ પડી નથી. પાકિસ્તાન અને સઉદી સાથેની દોસ્તી આ ઘડી સુધી અકબંધ જ છે.

પણ કાલ કોણે જોઈ છે – એ નાતે સાઉદીના શેખ સલમાન બિન અબ્દુલઅઝીઝ રશિયા પહોંચી ગયાં છે. ઊર્જા અને સંરક્ષણના ક્ષેત્રે અબજો ડોલરની ડીલ પર સહીસિક્કા થશે. રશિયા પાસેથી કાલાશ્નિકોવ રાઇફલો ખરીદવાના અને એસ-400 મિસાઇલ ડિફેન્સ ખરીદવાના સોદા થયાં. ગલ્ફના દેશોમાં સઉદી પોતાનો દબદબો જાળવવા માગે છે, પણ તે માટે પોતાની સેનાની તાકાત નથી. એટલે અમેરિકાના સૈનિકોની ઉછીની તાકાત પર આધાર રાખવો પડે છે. ઇરાકના સદ્દામ સામે કાર્યવાહી કરવા છેક અમેરિકાથી લાખો સૈનિકો આવ્યાં હતાં. સિરિયામાં પણ અમેરિકા લડી રહ્યું છે. તેથી સઉદી માટે અમેરિકાનો આશરો અનિાવાર્ય છે. અત્યાર સુધી ઓઈલને કારણે અને રશિયાને કાઉન્ટર કરવા માટે અમેરિકાએ સાઉદીને સાચવ્યું છે – સઉદી અબજો ડોલર ઈસ્લામી જેહાદી ત્રાસવાદીઓને આપે છે તો પણ. પણ ટ્રમ્પના આવ્યાં પછી અને યુરોપ તથા અમેરિકાને પણ હવે ઈસ્લામી જેહાદી ત્રાસવાદીનો સ્વાદ ચાખવા મળવા લાગ્યો છે ત્યારે ગલ્ફ અને મધ્યપૂર્વમાં અમેરિકા કેવી નીતિ રાખશે તેની ખાતરી રાખી શકાય નહીં.

આ જ કારણસર સાઉદીના સલમાન રશિયા પહોંચી ગયાં. ઈરાન સામે પણ સઉદીને વાંકુ પડેલું છે. અમેરિકાએ ઈરાન સામે પ્રતિબંધો મૂક્યાં તેની રશિયાએ પરવા કરી નહોતી. આ મુદ્દો સાઉદીને નડે, પણ તેની અવગણના કરીનેય સંબંધો સુધારવાની કોશિશ છે એવું રશિયાના જાણકારો કહી રહ્યા છે. ઈરાનના મામલામાં રશિયા શું મદદ કરી શકે તે સ્પષ્ટ નથી, કેમ કે ઈરાનમાં રશિયન પ્રભુત્વ હોય તેવું જોવા મળ્યું નથી. પ્રતિબંધોનો વિરોધ કર્યો તે ઈરાનને મદદ કરવા નહી, પણ અમેરિકાના વિરોધ માટે હતો.

બીજું સીરિયામાં પણ રશિયા અને સાઉદી સામસામે છે; કેમ કે સાઉદી અને અમેરિકા સાથેસાથે છે. સીરિયાની સરકારને ઉથલાવી નાખવા માગતાં ઉદ્દામવાદીઓને તેઓ મદદ કરે છે, ત્યારે રશિયા સીરિયાની બશર અલ-અસદ સરકારને મદદ કરી રહી છે. આ સંજોગોમાં સાઉદીનું વલણ બદલાયું હશે કે કેમ તે પણ રશિયાની મુલાકાત પછી વધારે સ્પષ્ટ થશે. બશર અલ-અસદને હટાવી દેવાની વાત કિંગ સલમાન ના કરે તેનો અર્થ એ થાય કે સીરિયામાં તેમની નીતિ બદલાઈ રહી છે. પોતાના પડોશી અને મુસ્લિમ દેશમાં સતત લાંબુ યુદ્ધ ચાલે તેવી ઈચ્છા સઉાદીની નહીં હોય, પણ અમેરિકાને યુદ્ધ કરતું અટકાવી શકાતું નથી. તેના કારણે પણ રશિયા સાથે દોસ્તીનો દાવ હોઈ શકે છે.

જોકે બંને દેશો વચ્ચે સૌથી અગત્યનો અને બંનેના સ્વાર્થનો મુદ્દો ક્રૂડ ઓઈલ જ છે. ક્રૂડના ભાવો સતત ઘટતા રહ્યાં છે અને તેના કારણે સાઉદી અને રશિયાની બંનેની મુખ્ય આવકનો સ્રોત સૂકાતો રહ્યો છે. સાઉદી જૂની રીત પ્રમાણે જમીનમાંથી તેલ ઓછું કાઢીને, અછત ઊભી કરીને ભાવો ઊંચા લઈ માગે છે, જ્યારે રશિયાને એ રીતમાં રસ પડતો નથી. રશિયા ભાવ ગમે તે મળે, વધારે આવક મળે તેમ ઈચ્છે છે. ઓપેક સાથે રશિયા પણ કેટલાક કરારો કરે છે, પણ મોટા ભાગે તેણે પાળ્યાં નથી. તેથી સઉદી સાથે પણ ક્રૂડની બાબતમાં થયેલા કરાર પાળવામાં આવશે તેની ખાતરી નથી. ઓપેકના બીજા દેશો પણ ખાનગીમાં વધારે ક્રૂડ કાઢીને કમાણી કરી લેતું હોય તો રશિયા શા માટે નુકસાની ભોગવે તે પણ સવાલ છે.

સમય બદલાયો છે અને ક્રૂડમાંથી કમાણી વધે તેમાં સાઉદી અને રશિયા બંનેને ગરજ છે. બંનેને એ પણ ગરજ છે કે અમેરિકાનો એકાધિકાર ઓછો થાય. બંનેને ગરજ છે કે સીરિયામાં અને ઈરાનમાં અને મધ્યપૂર્વના બીજા દેશોમાં તંગદિલી ઓછી થાય. બંનેના સંબંધો સુધરે તો સોનાનો સૂરજ ઊગે, પણ સાઉદીના શેખનું સોનાનું એક્સલેટર પ્રથમ ગ્રાસે જ અટક્યું…