નવી દિલ્હીઃ અમેરિકા અને તાલિબાન વચ્ચે શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. અમેરિકાએ કહ્યું છે કે આગામી 14 મહિનામાં આ કરાર હેઠળ અમેરિકી દળોને અફઘાનિસ્તાનમાંથી પાછા ખેંચી લેવામાં આવશે. આટલું જ નહીં, અમેરિકાના સાથી દેશો પણ પોતાના સૈનિકોને પાછા ખેંચી લેશે. પણ પોતાનાં પાછલા 18 વર્ષથી જારી રહેલા વિશ્વના સૌથી મોંઘા અને ખતરનાક યુદ્ધમાં 10,000 લોકો માર્યા ગયા છે અને લાખ્ખો લોકોને વિસ્થાપિત થવું પડ્યું છે. તાલિબાન સાથે થનારી આ બેઠકમાં અફઘાનિસ્તાન, અમેરિકા, ભારત અને પાકિસ્તાન સહિત સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોના પ્રતિનિધિઓ દોહા પહોંચ્યા હતા.
તાલિબાન સાથેની શાંતિ સમજૂતી અમેરિકા માટે મજબૂરી કે નવી વ્યૂહરચના
પાછલા ત્રણ સૈકાઓમાં ત્રીજી વાર એવું છે કે કોઈ મોટા દેશને અફઘાનિસ્તાન છોડવું પડ્યું હો. 18મી સદીમાં બ્રિટને અફઘાનિસ્તાનમાંથી જવું પડ્યું હતું. ત્યાર બાદ 19મી સદીમાં સોવિયેત સંઘે વર્ષ 1979માં અફઘાનિસ્તાનમાં પ્રવેશ કર્યો પણ એણે ભારે નુકસાન ખમવું પડ્યું હતું અને 1989માં એફઘાનિસ્તાનમાંથી ભાગવું પડ્યું હતું. ત્યાર બાદ અલ કાયદાના આંતકવાદીઓએ 11 સપ્ટેમ્બર, 2001 ચાર એરક્રાફ્ટ હાઇજેક કરીને અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના બિલ્ડિંગ અને પેન્ટાગોન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 3000 લોકો માર્યા ગયા હતા.
અફઘાનિસ્તાન પર હુમલો કરી અમેરિકા ફસાઈ ગયું

અલ કાયદાથી હુમલાનો બદલો લેવા માટે અમેરિકા અને તેના સાથી નાટો દેશો સાત ઓક્ટોબર, 2001એ અફઘાનિસ્તાન પર હુમલો કર્યો. આ ભીષણ યુદ્ધમાં અમેરિકાને આંશિક સફળતા જ મળી. તાલિબાન સાથે યુદ્ધમાં અમેરિકાને 750 અબજ ડોલરથી વધુનો ખર્ચ થયો. આ યુદ્ધમાં 10,000 લોકોનાં મોત થયાં. આ યુદ્ધમાં અમેરિકાના 2400 સૈનિકોનાં મોત થયાં છે અને 20,000થી વધુ સૈનિકો ઘાયલ થયા છે. હાલ અફઘાનિસ્તાનમાં 13,000 અમેરિકી સૈનિક છે.
ઇરાન અને અમેરિકી ચૂંટણી પર ટ્રમ્પની નજર
આંતરાષ્ટ્રીય મામલાઓના નિષ્ણાત કમર આગાએ કહ્યું હતું કે તાલિબાન સાથે ડીલ કરીને ટ્રમ્પ એક તીરથી બે શિકાર કરી રહ્યા છે. ટ્રમ્પના નિશાને હાલ ઇરાન છે. અમેરિકા ઇરાનમાં સત્તા પરિવર્તન ઇચ્છે છે, પણ અફઘાનિસ્તાનની વર્તમાન સરકાર એમાં સહકાર નથી આપતી. બીજી બાજુ અબજો ડોલર ખર્ચા બાદ અને અનેક સૈનિકોના બલિદાન પછી પણ અમેરિકાને લાભ ના થતાં તાલિબાનથી શાંતિ સમજૂતી કરવી પડી. જેથી સૈનિકોને ચૂંટણી પહેલાં ઘેર મોકલીને ટ્રમ્પ અમેરિકનવાસીઓનું દિલ જીતવા માગે છે.
ભારત પર તાલિબાન કરારની અસર

તેઓ કહે છે અફઘાનિસ્તાનમાં શાંતિ કરારમાં ભારત ભલે એક મહત્ત્વનો પક્ષકાર હોય, પણ એનાથી ભારતનું સંકટ ઘેરાયું છે. તાલિબાનનની સાથે પાકિસ્તાનના સારા સંબંધ છે. આ ડીલ પછી પાકિસ્તાન પોતાની આતંકવાદી શિબિરો અફઘનિસ્તાન શિફ્ટ કરી દેશે. જેથી એ FATAના ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળી જશે. આ સિવાય તાલિબાની અફઘાનિસ્તાન પર કબજો કરીને કાશ્મીર બાજુ વળશે.




તેનો અર્થ એ થયો કે દેશની રાજધાની દિલ્હીમાં અચાનક તોફાનો ફાટી નીકળ્યા અને પોલીસ ‘જોતી જ રહી ગઈ’ અને મોટી સંખ્યામાં નુકસાન થયું તે પછી તેને ઝડપથી કાબૂમાં લેવા માટે શું કરી શકાય તેની નિપુણતા તેમનામાં છે. પરંતુ તેમની કામગીરી અને જવાબદારી અત્યારે એ નથી કે તેમણે શહેરમાં ફરીને પોલીસ બરાબર કામ કરતી થાય તે માટે પ્રયાસો કરવા પડે. કાશ્મીરમાં સ્થિતિને સંભાળવા માટે તેમની ક્ષમતાનો ઉપયોગ થાય ત્યાં સુધી બરાબર છે, પણ રોકી શકાય તેવા રખમાણોને દિલ્હી પોલીસની નિષ્ફળતાને કારણે વેગ મળ્યો ત્યારે સ્થિતિ થાળે પાડવા દોભાલને કામે લગાવવા પડ્યા તે સ્થિતિની ગંભીરતા પણ દાખવે છે.
અજિત ડોભાલને દિલ્હીમાં પોલીસ દળ વચ્ચે ફરીને રમખાણોને થાળે પાડતા જોઈને જૂના જમાનાના પત્રકારોને તેમની આઈપીએસ ઓફિસર તરીકેની કામગીરીને યાદ કરી. ધ વીક મેગેઝીને અહેવાલ આપ્યો કે કઈ રીતે છેક 1972માં અજિત ડોભાલે તોફાનોને કાબૂમાં લેવા માટે કામગીરી બજાવી હતી. આ બનાવ કેરળનો છે. અજિત ડોભાલ 1968ની બેચના કેરલ કેડરના આઈપીએસ ઓફિસર તરીકે કેરલ પોલીસમાં જોડાયા હતા. 1972ની શરૂઆતમાં થલાસેરીમાં કોમી રમખાણો થયા હતા અને ત્યારે યુવાન પોલીસ ઓફિસર તરીકે અજિત ડોભાલે કામગીરી બજાવી હતી.
તેમણે પોતાની રીતે તપાસ કરાવી અને તેમને લાગ્યું કે કોટ્ટાયમમાં કામ કરતા યુવાન આઈપીએસ અજિત ડોભાલને જવાબદારી સોંપવી જોઈએ. અજિત ડોભાલને તાત્કાલિક થલાસેરી મોકલી દેવાયા. તેમણે ત્યાં પહોંચીને તોફાનો થયા હતા તે વિસ્તારની મુલાકાત લીધી. દિલ્હીમાં જે રીતે તેઓ તોફાનો થયા તે વિસ્તારમાં ફર્યા તે રીતે થલાસેરીમાં પણ ફર્યા હતા. ઓફિસમાં બેસી રહેવાને બદલે મેદાનમાં ઉતરવું જરૂરી છે તે પાઠ કદાચ અજિત ડોભાલ કેરલમાં શીખ્યા હતા. કાશ્મીરમાં પણ તેઓ જાતે જુદા જુદા વિસ્તારોમાં ફરતા રહે છે અને સ્થિતિનો તાગ મેળવતા રહે છે. એવું કહેવાય છે કે તેમણે એક જ અઠવાડિયામાં થલાસેરીમાં તોફાનો બંધ કરાવી દીધા હતા. તે વખતે પણ મોકો જોઈને અનેક લોકોએ દુકાનોમાં લૂંટ ચલાવી હતી. ડોભાલે માથાભારે લોકોના ઘરોમાં દરોડા પાડીને લૂંટેલો માલ પકડી પાડ્યો હતો અને શક્ય એટલો માલ વેપારીઓને પાછો અપાવ્યો હતો.

બિલ ક્લિન્ટન ભારતની મુલાકાતે આવ્યા ત્યારે કાશ્મીરમાં 36 શીખોની હત્યા ત્રાસવાદીઓએ કરી હતી. ભારતમાં કોઈ મોટા દેશના નેતા મુલાકાતે આવે ત્યારે ત્રાસવાદી પ્રવૃત્તિઓ વધી જાય છે. મોટા હુમલા થાય છે, જેથી દુનિયાનું ધ્યાન ભારતની સ્થિતિ તરફ ખેંચાય. એજ રીતે ટ્રમ્પની મુલાકાત વખતે પણ દિલ્હીમાં રમખાણોને કારણે વિદેશી મીડિયામાં તેને વ્યાપક કવરેજ મળ્યું છે. ભારતે ડિપ્લોમસીને કામે લગાવીને કલમ 370 અને સીએએ જેવા મામલા ભારતના આંતરિક મામલા છે તે બાબતને મક્કમ રીતે રજૂ કરી છે. તેમાં મહદંશે સફળતા પણ મળી છે. કાશ્મીરમાં કરફ્યૂ અને ધરપકડો સહિતના આકરાં પગલાં લેવાં પડ્યાં છે, પણ તેના કારણે ત્યાં તોફાનો અને જાનહાની ટાળી શકાય છે. સરકાર આપખુદ રીતે વર્તે છે તે ટીકા બરાબર છે, પણ મોટા પાયે તોફાનો થાય અને જાનહાની થાય ત્યારે તેને વધારે કવરેજ મળે છે.









