Home Blog Page 4871

સર્વપક્ષી બેઠકમાં લોકડાઉન વધારવાના સંકેત

નવી દિલ્હીઃ દેશના કોરોના વાઇરસના સતત વધતા કેસને ધ્યાનમાં રાખતાં એ સંભવ નથી કે 14 એપ્રિલે લોકડાઉન ખતમ કરવામાં આવે. આ આંકડાઓને જોતાં વડા પ્રધાન મોદીએ લોકડાઉનના સમયમાં વધારો થવાના સંકેત આપ્યા છે. વડા પ્રધાન મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિપક્ષના નેતાઓ સાથે મિટિંગ કરી હતી. આ વિશેનો અંતિમ નિર્ણય 11 એપ્રિલે વડા પ્રધાન રાજ્યના મુખ્ય પ્રધાનો સાથેની બેઠકમાં લેશે. તેમણે કહ્યું હતું કે કોરોનાથી પહેલાં જિંદગી અને કોરોના પછી જિંદગી હવે એવી રહી નથી.

વડા પ્રધાનની સર્વપક્ષી બેઠક

વડા પ્રધાન મોદીએ બોલાવેલી સર્વપક્ષી બેઠક વિડિયો કોન્ફરન્સમાં કોંગ્રેસના ગુલામ નબી આઝાદ, તૃણમૂલ કોંગ્રેસના સુદીપ બંદોપાધ્યાય, શિવસેનાના સંજય રાઉલ, સમાજવાદી પાર્ટીના રામ ગોપાલ યાદવ, બીએસપી નેતા સતીશ ચંદ્ર મિશ્રા, લોક જનશક્તિ પાર્ટીના ચિરાગ પાસવાન, એનસીપીના નેતા શરદ પવાર અને ડીએમકે નેતા ટીઆર બાલુ સામેલ હતા. આમાં લોક જનશક્તિ પાર્ટીના એનડીએનો હિસ્સો છે.

લોકકડાઉન વધારવાની રાજ્યોની માગ

કોરોનાના બચાવ માટે અત્યારે 14 એપ્રિલ સુધી લોકડાઉન જારી છે. દેશનાં છ-સાત રાજ્યોના મુખ્ય પ્રધાનોએ પણ લોકડાઉનનો સમયગાળો વધારવાની માગ છે.

કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી

દેશમાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. અત્યાર સુધી દેશમાં કોવિડ-19ના દર્દીઓની સંખ્યા વધીને 5,194 થઈ ગઈ છે. અત્યાર સુધી આ વાઇરસે 149 લોકોના જીવ લીધા છે. જ્યારે 402 લોકોની સારવાર પણ થઈ ચૂકી છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો કોરોના વાઇરસે 35 લોકનાં મોત થયાં છે અને નવા 773 કેસો સામે આવ્યા છે. આમ હવે કોરોના વાઇરસને કારણે દર્દીઓની સંખ્યા ઉત્તરોઉત્તર વધીને 5,000ને પાર થઈ ચૂકી છે.

કોરોના સંકટઃ મુંબઈમાં હવે જાહેર સ્થળે જતી વખતે ફેસ માસ્ક પહેરવાનું ફરજિયાત

મુંબઈઃ કોરોના વાઈરસના રોગચાળાનો મુકાબલો કરવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ આજે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. શહેરમાં હવે જાહેર સ્થળે જતી વખતે મોઢા પર માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે.

કોઈ પણ વ્યક્તિગત કામ હોય કે ઓફિસનું કામ હોય, કોઈ પણ કારણ માટે જાહેર સ્થળે જતી વખતે મોઢા પર માસ્ક પહેરવાનું મુંબઈમાં બંધનકર્તા બનાવી દેવામાં આવ્યું છે.

જે વ્યક્તિએ માસ્ક પહેર્યો નહીં હોય એની પોલીસ ધરપકડ કરી શકશે.

મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર પ્રવીણ પરદેસીએ આ આદેશ આજે બહાર પાડ્યો છે.

મહારાષ્ટ્રમાં લાગુ કરવામાં આવેલા ‘સાથરોગ પ્રતિબંધાત્મક કાયદા, 1897’ અનુસાર, ‘મહારાષ્ટ્ર કોવિડ-19 ઉપાયયોજના નિયમ 2020’ અન્વયે મહાપાલિકા કમિશનરને આપવામાં આવેલા અધિકારનો ઉપયોગ કરીને પ્રવીણ પરદેસીએ આ આદેશ જારી કર્યો છે.

મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી) આ અંગે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે વ્યક્તિ જાહેરમાં ફેસ માસ્ક નહીં પહેરે એની સામે ભારતીય ફોજદારી ધારાની 188મી કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

મ્યુનિસિપલ કમિશનર પરદેસીએ કહ્યું છે કે ફેસ માસ્ક પહેરવાથી કોરોનાવાઈરસ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં પ્રસરવાનું જોખમ નોંધનીય રીતે ઘટાડી શકાય છે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગને લગતા અન્ય પગલાંને પણ ફરજિયાત રીતે અમલમાં મૂકવામાં આવ્યા છે.

આમ, હવેથી શહેરમાં જે કોઈ વ્યક્તિ રસ્તા પર, હોસ્પિટલમાં, ઓફિસમાં, બજારમાં વગેરે સ્થળે કોઈ પણ કારણસર જાય ત્યારે એણે મોઢા પર માસ્ક પહેરવો જ પડશે.

પોતાના અંગત કે સરકારી વાહનોમાં સફર કરનારાઓને પણ આ નિયમ લાગુ પડશે. તે ઉપરાંત ઓફિસમાં કે અન્ય કામકાજના સ્થળે કોઈ પણ મીટિંગમાં ભેગા થયેલા લોકોએ પણ માસ્ક ફરજિયાત પહેરવો પડશે.

આ માસ્ક રેગ્યૂલર 3-પ્લે માસ્ક હોઈ શકે અથવા કાપડના માસ્ક હોઈ શકે અથવા દવાની દુકાનોમાં મળતા હોય કે ઘરમાં બનાવેલા માસ્ક પણ પહેરી શકાશે. આવા માસ્ક આસાનીથી ધોઈ શકાય અને એને જંતુમુક્ત કર્યા બાદ ફરીથી વાપરી શકાય.

મ્યુનિસિપલ કમિશનરના આ આદેશનું ઉલ્લંઘન કરનારને કાયદા અનુસાર સજાની જોગવાઈ કરવામાં આવી છે.

ભારતીય-અમેરિકી એટર્નીએ કોરોના સામે મેળવી જીત

વોશિંગ્ટનઃ કોરોના વાયરસની બિમારી બાદ સાજા થઈ ગયેલા પ્રખ્યાત ભારતીય-અમેરિકી એટર્ની રવિ બત્રા માને છે કે ચીને આ સંક્રામક વાયરસનું સંપૂર્ણ સત્ય દુનિયા સામે રાખવી જોઈએ. જેથી વૈજ્ઞાનિક અને ડોક્ટર નોવેલ કોરોના વાયરસનો ઈલાજ શોધી શકે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી આ વૈશ્વિક મહામારીની વેક્સિન તૈયાર ન થઈ જાય ત્યાં સુધી તમામ લોકોને તેમના ઘરોમાં જ રાખવા જોઈએ.

ન્યૂયોર્કમાં એટર્ની રવિ બત્રાએ કહ્યું કે, આ અત્યંત ખતરનાક કોરોના વાયરસની ચુંગાલમાંથી માનવતા સુરક્ષિત રીતે બહાર નિકળી જાય. તેઓ ઈચ્છે છે કે ચીન હવે આ મહામારી સાથે જોડાયેલા સત્યને દુનિયા સમક્ષ રજૂ કરે. તેમણે કહ્યું કે, જલ્દીથી જલ્દી વેક્સિન તૈયાર કરવાની જરુર છે. જ્યાં સુધી વેક્સિન ન બની જાય ત્યાં સુધી કોઈપણ ઘરની બહાર ન જઈ શકે. અર્થવ્યવસ્થા રાષ્ટ્રીય, ક્ષેત્રિય અને વૈશ્વિક સ્તર પર ખતમ થઈ ગઈ છે. હવે આ પાછી નથી આવવાની.

રાજકોટઃ લોકડાઉનમાં વાહનોને લોક કરો, ચાવી જમા કરાવો

રાજકોટ: કોરોનાની મહામારીને વધુ ફેલાતા રોકવા માટે વિદેશ અને બીજા રાજયમાંથી આવેલા લોકોને હોમ કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે. હવે ધીમે ધીમે આ કોરોનાનો પગપેસારો ગામડાઓ તરફ થઇ રહયો છે. અત્યાર સુધી મહાનગરોનમાં જ કોરોનાના દર્દી વધુ જોવા મળતા હતા. પરતું હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ કેસ થતા લાગ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં હોમ કવોરન્ટાઇન લોકો જાહેરનામાનો ભંગ ન કરે તે માટે જિલ્લા વિકાસ અધિકારીએ એક મહત્વનો નિર્ણય લીધો છે.

અન્ય રાજ્યોમાંથી આવેલા 1200 લોકોને હોમ કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આ લોકો જાહેરનામાનો ભંગ કરી પોતાના વાહન લઇને બહાર ફરી રહ્યા છે. આથી આ લોકો બહાર ન નીકળે તે માટે રાજકોટ જિલ્લાની દરેક ગ્રામ પંચાયતમાં તેના વાહનની ચાવી જમા કરવાની રહેશે. તેમજ આ લોકોને ડાયરી અને બોલપેન આપવામાં આવશે. ડાયરીમાં હોમ કવોરન્ટાઇન વ્યક્તિએ 14 દિવસ સુધી પોતાની દિનચર્યા લખવાની રહેશે.

રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયા ચિત્રલેખા.કોમ ને કહે છે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાને લઇને તમામ પ્રકારની સ્વાસ્થ્ય સંબધિત કામગીરી થઇ રહી છે. અત્યારે રાજકોટ જીલ્લા માટે 12 એક્સક્લુઝિવ એમ્બ્યુલન્સ રાખવામાં આવી છે. જે દર્દીના સેમ્પલ લેવામાં આવે અને જો હોસ્પિટલ ખસેડવામાં આવે તો તેમને આ 12 પૈકી કોઇ એક એમ્બ્યુલન્સમાં જ લઇ જવામાં આવશે. રાજકોટમાં ગ્રામ્ય વિસ્તારમાં જે હોમ ક્વોરન્ટીનમાં રહેલા લોકો છે તેમાંથી અમુકે હોમ કવોરન્ટાઇનનો ભંગ કર્યો હતો. તેના વિરૂદ્ધ પોલીસ તંત્ર દ્વારા ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

આ પ્રકારના કિસ્સાઓ ભવિષ્યમાં ન બને તેને ધ્યાને રાખીને હોમ કવોરન્ટાઇનમાં રહેલા વ્યક્તિઓના વાહનની ચાવીઓ ગ્રામ પંચાયતમાં જમા કરવાની એક સૂચના પરિપત્ર મારફત આપી છે. આનો આશય એ છે કે કોઇ વ્યક્તિ હોમ કવોરન્ટાઇનનો ભંગ ન કરે અને લોકો ઘરમાં જ રહે. આવા લોકોને જીવન જરૂરી વસ્તુઓ જોતી હશે એ સરપંચ અને તલાટી મંત્રી હોમ ડિલિવરી કરી આપશે.

(જિતેન્દ્ર રાદડિયા- રાજકોટ)

મેરા વચન હી હૈ મદદઃ સલમાન ઇન્ડસ્ટ્રીના મજદૂરોની વહારે

મુંબઈ: બોલીવુડ અભિનેતા સલમાન ખાન પોતાના કમિટમેન્ટનો પાક્કો છે. તાજેતરમાં જ તેણે જાહેરાત કરી હતી કે તે લૉકડાઉનને કારણે બેરોજગોર થયેલા ઇન્ડસ્ટ્રીના 25000 મજૂરોને આર્થિક મદદ કરશે. મંગળવારે સલમાનને ફેડરેશન તરફથી મળેલી 16000 મજૂરોની બેંક ખાતાની માહિતીને આધારે તેમના બેંક અકાઉન્ટમાં 4 કરોડ 80 લાખથી વધુ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. સલમાને આ પછી પણ મે મહિનામાં પણ મજૂરોના અકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરવાનું કમિટમેન્ટ કર્યું છે. આ રીતે બે મહિના સુધી તે મજૂરોનો ખર્ચ ઉઠાવશે.

ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE) ના મહાસચિવ અશોક દુબેએ આ મામલે કહ્યું કે, સલમાને અમારી પાસેથી 25000 મજૂરોની માહિતી માંગી હતી જેમાંથી અમને 19000 મજૂરોની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ લિસ્ટમાં 3000 મજૂરોને યશરાજ ફિલ્મ્સ દ્વારા મદદ મળી ચૂકી હતી એટલા માટે અમે બાકી વધેલા 16000 મજૂરોના બેંક ખાતાની માહિતી સલમાન ખાનને મોકલી હતી. તેમણે આ ખાતાઓમાં રૂપિયા ટ્રાન્સફર કરવાનું શરુ કરી દીધુ છે.

જ્યારે ચંદ્ર પિંક સુપરમૂન બનીને સોળે કળાએ ખીલી ઉઠ્યો

નવી દિલ્હી: લોકડાઉન વચ્ચે જો કંઈ સુંદર છે તો એ છે આકાશ, એમાં ચમકતા તારા અને ચંદ્ર, સ્વચ્છ હવા અને પક્ષીઓનો કલરવ. આ સમયે આપણે બધા આપણા ઘરમાં બંધ છીએ પણ કેટલીક એવી વસ્તુઓ છે જે આપણે યાદ અપાવે છે કે હજુ પણ ઘણુ બધુ આ પૃથ્વી પર સુરક્ષિત છે. મંગળવારની રાતે આકાશમાં સુપરમૂન એટલે વર્ષનો સૌથી મોટો ચંદ્ર જોવા મળ્યો. વર્ષમાં એક દિવસ ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય છે.

સાહિત્યમાં ચંદ્રને સુંદરતાનો પ્રતિક ગણવામાં આવે છે. સુપરમૂનના દિવસે ચંદ્ર પૃથ્વીની નજીક આવતાં ધરતી પરથી તેનો અદ્ભૂત નજારો જોવા મળે છે. પ્રકૃતિ પ્રેમીઓ કે સાહિત્યમાં રૂચિ ધરાવતા લોકો સામાન્ય દિવસોએ પણ ચંદ્રને નિહાળતા હોય છે તો પછી સુપરમૂનના દિવસે જોવાનું કેમ ચૂકી શકાય. 7 એપ્રિલે અડધી રાત્રે દુનિયાભરમાં સુપરમૂનનો અવિસ્મરણીય નજારો જોવા મળ્યો હતો. જેને પિંક સુપરમૂન પણ કહેવામાં આવે છે.

જ્યારે ચંદ્ર ધરતીની એકદમ નજીક આવે ત્યારે છે ત્યારે તે વધુ ચમકદાર બની જાય છે. ચંદ્ર આ દિવસે સામાન્ય દિવસ કરતા 14 ટકા મોટો અને 30 ટકા વધુ ચમકદાર જોવા મળે છે. પિંક સુપરમૂન માત્ર એક નામ છે જેની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ નથી. સોશિયલ મીડિયા પર પણ લોકોએ સુપરમૂનની તસવીરો શેર કરી હતી.

અમે અહીં આપને વિશ્વના અલગ અલગ સ્થળેથી પાળેલી કેટલીક તસવીરો બતાવી રહ્યા છીએ જેને જોઈને તમે પણ કહેશો વાહ!

ટ્રમ્પે વાજું ફેરવ્યુંઃ હવે કરી મોદીની પ્રશંસા!

વોશિંગ્ટનઃ ભારતે હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવાની નિકાસને મંજૂરી આપ્યા પછી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા તેમને મહાન નેતા બતાવ્યા હતા. કોરોના વાઇરસની બેહાલ અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે અમેરિકામાં 2.9 કરોડ દવાના ડોઝ ખરીદ્યા છે. આમાંથી મોટા ભાગની દવા ભારતથી મળશે. આ પહેલાં અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે ભારતે પોતાના નાગરિકોને બચાવવા માટે દવાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે આ પ્રતિબંધ દૂર કરતા ટ્રમ્પે સૂર બદલતાં વડા પ્રધાન મોદીની પ્રશંસા કરી હતી.

ટ્રમ્પની ગર્ભિત ધમકી

આ પહેલાં ટ્રમ્પે સંકેત આપ્યા હતા કે જો ભારત હાઇડ્રોક્સીક્લોરોક્વીનની દવાની નિકાસ પરથી પ્રતિબંધ દૂર કરવામાં નહીં આવે તો અમેરિકા કાર્યવાહી પર વિચારી કરી શકે છે. હાઇડ્રોક્સીક્લોરોક્વીનનો ઉપયોગ કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓની સારવારમાં કરવામાં આવે છે. આ પહેલાં ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે આ દવા મોકલવા માગ કરી હતી.

ભારતે અમેરિકા સાથે સારો વ્યવહાર કર્યો

વાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીતમાં ટ્રમ્પે કહ્યું હતું કે ભારતે અમેરિકા સાથે ઘણો સારો વ્યવહાર કર્યો છે. હું જાણું છું કે ભારતે આ દવાને અન્ય દેશોમાં નિકાસ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. મેં ગઈ કાલે વડા પ્રદાન મોદી સાથે વાત કરી હતી.  અમારી વાતચીત ઘણી સારી રહી છે. ભારતે અમેરિકા સાથે ઘણો સારો વ્યવહાર કર્યો છે.

ભારત માનવીયતાને આધારે દવા આપશે

વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે કોરોના વાઇરસ રોગચાળા સમયે ભારતે હંમેશાં કહ્યું છે કે આવા મુશ્કેલ સમયમાં દુનિયા આખીએ એકજૂટ થઈને લડવું પડશે. આમાં માનવીય પાસા વિશે પહેલા વિચારવાનું છે. ભારતે કહ્યું છે કે એ આ દવાઓ એ જરૂરિયાતમંદ દેશોને મોકલશે, જે આ બીમારીથી સૌથી વધુ પીડિત છે.

દુનિયા લોકડાઉન છે ત્યારે વુહાન ધમધમ્યું!

વુહાનઃ ચીનના વુહાન શહેરથી પ્રસરેલો ભયાનક એવો કોરોના વાયરસ આજે દુનિયાભરમાં સનસનાટી મચાવી રહ્યો છે. આ વાયરસે અત્યાર સુધીમાં 80 હજારની આસપાસ લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. જ્યારે સંક્રમિત લોકોની સંખ્યા 15 લાખને પણ પાર કરી ગઈ છે. દુનિયા આખીમાં લગભગ લોકડાઉન છે ત્યારે ચીનનું વુહાન શહેર ફરી ધમધમતુ થવા જઈ રહ્યું છે.

ચીનના વુહાન શહેરમાં 76 દિવસ બાદ લોકડાઉન હટાવી દેવામાં આવ્યું છે. આજે બુધવારની રાતથી વુહાનના લોકો લોકડાઉનમાંથી આઝાદ થશે. કોરોનના કેસ સામે આવ્યા બાદ 23 જાન્યુઆરીથી વુહાન શહેરમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારથી આજ સુધી શહેરની 11 મિલિયન વસ્તીએ પોતાના ઘરમાં જ કેદ થઈને રહેવા મજબુર થવુ પડ્યું હતું.

વુહાનમાં કોરોના વાઈરસના સૌથી વધારે મોત થયા છે. ગત અઢી મહિનાથી લોકડાઉનમાં રહેલું આ શહેર ફરીથી પેહેલાની જેમ દોડી શકશે. વાહનવ્યવહારની તમામ સુવિધાઓ શરૂ થઈ જશે. રેલવે અને વિમાન સેવા પૂર્વવત થશે, તેમજ લોકો પોતાના વાહનોમાં બેસીને શહેર બહાર જઈ શકશે.

ચીન સરકારે આ નિર્ણય મંગળવારે મોતનો એક પણ કિસ્સો સામે નહી આવ્યા બાદ લીધો છે. 1.1 કરોડની વસ્તીવાળા આ શહેર કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત હતું. ચીનના કુલ 82 હજાર કોરોના સંક્રમિતોમાંથી 50 હજાર આ શહેરમાં હતા. કુલ 3331 મૃતકોમાંથી 2500ના મોત તો માત્ર વુહાન શહેરમાં જ થયા હતા.

વુહાન શહેરને ખોલવા છતાં અહીં નિયંત્રણકારી ઉપાયોને યથાવત રાખવામાં આવશે. આ શહેરે ઈતિહાસનું સૌથી મોટું લોકડાઉન જોયું છે. 23 જાન્યુઆરી બાદ આ લોકડાઉન વધારે કડક બનતુ ગયું હતું. વાઈરસના ફેલાવ સાથે લોકડાઉન પણ સંપૂર્ણ હૂબેઈ પ્રાંતમાં લાગૂ કરી દેવામાં આવ્યું અને 6 કરોડ લોકો ઘરમાં કેદ થયાં હતા. જોકે હવે 76 દિવસ બાદ વુહાનવાસીઓને આઝાદી મળશે.

રામાયણમાં રામનું પાત્ર અસલમ ખાને ય ભજવેલું, ક્યારેક ક્યારેક!

અમદાવાદઃ દેશમાં સંપૂર્ણ લોકડાઉન છે અને દેશવાસીઓમાંથી ફરી એક વાર રામાયણ સિરિયલ બતાવવાની માગ કરી અને સરકારે આ માગ સ્વીકારતાં દૂરદર્શને રામાયણ, મહાભારત સાથે અનેક જૂની લોકપ્રિય સિરિયલોનું પુનઃ પ્રસારણ કર્યું. આ રામાયણ સિરિયલમાંનો એક કલાકાર હાલમાં સોશિયલ મિડિયામાં ખાસ કરીને ફેસબુક પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. આ કલાકારની લોકપ્રિયતાનું મુખ્ય કારણ રામાયણ સિરિયલમાં તેણ કરેલા વિવિધ રોલ છે. આ કલાકારનું નામ છે અસલમ ખાન. અસલમ ખાને રામાયણમાં ક્યારેક સમુદ્ર દેવતા તો ક્યારેક રાક્ષસ તો ક્યારેક વાનર અને ગ્રામવાસીનો રોલ કર્યો છે, પરંતુ આ કલાકારે રામનું પાત્ર પણ ભજવેલું છે.

રામાનંદ સાગર પણ અસલમ ખાનની એક્ટિંગ પર ફિદા

અસલમ ખાનની એક્ટિંગ અને કાબેલિયત પર રામાયણના ડિરેક્ટર રામાનંદ સાગર પણ ફિદા હતા. અસલમ ખાને રામાયણમાં અનેક ભૂમિકા ભજવી હતી. દરેક ભૂમિકાને એટલી સચોટ ભજવી હતી કે લોકો આજે ચારે બાજુ તેમની ચર્ચા કરી રહ્યા છે, પણ શું તમે જાણો છો કે અરુણ ગોવિલ સિવાય અસલમ ખાને પણ રામાયણમાં ભગવાન રામની ભૂમિકા ભજવી હતી?

રામની ભૂમિકા પણ ભજવી અસલમ ખાને

 

અસલમ ખાને રામાયણ સિરિયલના શૂટિંગના દિવસોને યાદ કરતાં જણાવ્યું હતું કે કેટલીય વાર જ્યારે રામના સીનવાળું શૂટિંગ કરવાનું હોય, રામાનંદ સાગર પણ તૈયાર હોય, શૂટિંગ કરવાવાળા પાત્ર બધા તૈયાર હોય, પણ ત્યારે રામ હાજર ના હોય. આવામાં બધા હેરાન-પરેશાન હોય કે રામના ડુપ્લિકેટ કોને બનાવવામાં આવે. એટલે અસલમ ખાનને રામજીનો પૂરો ગેટઅપ પહેરાવવામાં આવે અને એમના મોટા ભાગના લોંગ શોટ તેમની સાથે પૂરા કરવામાં આવ્યા હતા.

અસલમના પુત્ર જૈગમે ટ્વીટ કર્યું

આ એક મારા માટે ગર્વની ક્ષણ છે. ડીડી નેશનલ પર રામાયણને બતાવવા માટે ધન્યવાદ. મારા પિતા અસલમ ખાન આ સિરિયલમાં મુખ્ય સપોર્ટિંગ રોલનો હિસ્સો રહ્યા. પૂરી રામાયણ ટીમનો ખૂબ જ આભાર.

રામાયણમાંથી જિંદગી જીવવાની જરૂરી શીખ મળી

2002માં અસલમે ફિલ્મ લાઇન છોડી દીધી હતી. તેઓ ઝાંસીમાં રહે છે. કોઈ કંપનીમાં કામ કરે છે. તેમના પર બનેલા મીમ્સને લઈને ઘણા પ્રોત્સાહિત છે. તેઓ કહે છે કે કાશ, એ વખતે સોશિયલ મિડિયા હોત તો હું એ વખતે ઘણો લોકપ્રિ થયો હોત. કેટલાક સારા રોલ મળી રહેત, પણ અત્યારે પણ ઘણું સારું લાગી રહ્યું છે.

રામાયણની લોકપ્રિયતા ત્રણ દાયકકા પણ પણ એટલી જ

રામાયણ સિરિયલ સૌપ્રથમ વખત 1987માં દૂરદર્શન પર પ્રસારિત થઈ હતી. આ ત્રણ દાયકા પછી પણ આ સિરિયલની લોકપ્રિયતા હજી પણ એવી ને એવી છે. બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ, ઇન્ડિયાના ડેટા મુજબ રામાયણના પ્રથમમ ચાર એપિસોડમાં જ આ સિરિયલને દર્શકો પાસેથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. આ પૌરાણિક સિરિયલના શરૂઆતના એપિસોડમાં જ 9.33 કરોડ દર્શકો મળ્યા હતા, જે હિન્દી મનોરંજન ચેનલને વર્ષ 2015 પછીનો સૌથી મોટો આંકડો છે.

કોરોનાઃ DRDO એ બનાવી ડિસઈન્ફેક્ટેડ ચેમ્બર

નવી દિલ્હીઃ કોરોના વાયરસના સંક્રમણથી લોકોન બચાવવાના કામમા લાગેલા યોદ્ધાઓ માટે DRDO દ્વારા સંક્રમણ રોકતી ચેમ્બર તૈયાર કરી છે. આને નવી દિલ્હીમાં એઇમ્સ ખાતે રાખવામાં આવી છે. ચેમ્બર એક પ્રક્રિયા અંતર્ગત કોવિડ 19 વાયરસને મારે છે અને ઈન્ફેક્શનના પ્રસારને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ ચેમ્બરને મેસર્સ ડીએચ લિમિટેડ, ગાઝિયાબાદના સહયોગથી ચાર દિવસની અંદર તૈયાર કરવામાં આવ્યા છે.

આનો ઉપયોગ કોરોના વાયરસના સંક્રમણથી લોકોને બચાવવામાં જોડાયેલા એ કર્મચારીઓને ડિસઈન્ફેક્ટ કરવા માટે કરવામાં આવી શકે છે. હોસ્પિટલો, મોલ, કાર્યાલય ભવનો અને મહત્વપૂર્ણ સંસ્થાનોમાં એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર તેનાત કર્મચારીઓ માટે પણ આ ઉપયોગી છે. ડીઆરડીઓની લેબોરેટરી, વ્હીકલ રિસર્ચ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમન્ટ, અહમદનગરે PSE નામના શરીર કીટાણુંશોધન રુમને તૈયાર કર્યો છે. એક રુમમાં લોકોને એક-એક કરીને કીટાણુમુક્ત કરવામાં આવી શકે છે. આ સિસ્ટમ સેનિટાઈઝર અને સોપ ડિસ્પેન્સર વાળી છે.