Home Blog Page 4844

હોસ્પિટલને સેનેટાઈઝ કરવા આરોગ્ય વિભાગનો નવતર પ્રયોગ

અમદાવાદ: કોરોનાના વધતા સંક્રમણને પગલે જિલ્લા પ્રશાસન ખૂબ સક્રિય પણે કામગીરી કરી રહ્યું છે. અમદાવાદ જિલ્લામાં કોરોનાનુ સંક્રમણ વધે નહીં તે માટે સર્વગ્રાહી રીતે પગલા લેવામાં આવી રહ્યા છે. તાજેતરમાં અમદાવાદની એલ.જી.હોસ્પિટલમાં કોરનાનો પોઝિટિવ કેસ આવતા અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલ અને સોલા સિવિલમાં પણ એ પરિસ્થિતિ ન ઉભી થાય તે માટે જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા એ વિશેષ તકેદારી લઈને સમગ્ર હોસ્પિટલને વિહિકલ માઉન્ટેડ મશીનથી સેનેટાઈઝ કરવામાં આવી હતી.


જિલ્લાના મેલેરીયા અધિકારી નરેન્દ્ર સિંહ રાઠોડે જણાવ્યું હતું કે અસારવા સિવિલ હોસ્પિટલ અને સોલા સિવિલમાં કાર્યરત ડોક્ટરો તથા નર્સને પણ રોગનો ચેપ ન લાગે તે માટે વિશેષ તકેદારી રાખવા જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ એ ખાસ તાકીદ કરી હતી અને તેમની સુચનાને પગલે તંત્ર દ્વારા વિહિકલ માઉન્ટેડ સેનીટાઇઝેશન મશીન ખરીદવામાં આવ્યું છે.

આ નવું મશીન ફોગિંગ અને સેનિટેશન એમ બે રીતે કામ કરે છે. આજે અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલ અને સોલા સિવિલ હોસ્પિટલને સમગ્ર તયા રીતે અંદરથી અને બહારથી આ મશીન દ્વારા સેનીટાઇ કરવામાં આવી હતી.

રામાયણ પૂર્ણ થઈ નથીઃ હજી ઉત્તર રામાયણ બાકી છે…

નવી દિલ્હીઃ દેશભરમાં અત્યારે સંપૂર્ણ લોકડાઉનને જોતા દૂરદર્શન પર રામાયણનું ફરીથી પ્રસારણ કરવામાં આવી રહ્યું. લોકો રામાયણને ખૂબ પસંદ કરી રહ્યા છે. આજના એપિસોડમાં બતાવવામાં આવ્યું કે રામે રાવણનો વધ કરી દીધો. ત્યારે દર્શકોના મગજમાં વાત ચાલી રહી છે કે, રામાયણ રાવણના વધ સાથે ખતમ થઈ જશે, પરંતુ રામાયણના ક્રેઝને જોતા હવે દૂરદર્શન પર લવ-કુશના બીજીવાર પ્રસારણનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે લવ-કુશ 1988 માં દૂરદર્શન પર ઉત્તર રામાયણના નામથી પ્રસારિત કરવામાં આવી હતી. આને પણ રામાનંદ સાગરે જ બનાવી હતી. લવ-કુશના પ્રસારણની જાણકારી પ્રસાર ભારતીના સીઈઓ શશિ શેખરે ટ્વીટ કરીને આપી છે. રામાયણને લઈને શશિ શેખરે જણાવ્યું કે, રામાયણ પ્રત્યે લોકોનો ક્રેઝ જોઈએને અમે લવ-કુશનું પ્રસારણ કરવાનો નિર્ણય કર્યો છે. આવતીકાલે સવારે રામાયણના છેલ્લા એપિસોડનું પુનઃ પ્રસારણ થશે. તેમણે પોતાના ટ્વીટ દ્વારા જાણકારી આપી છે કે રવિવારે રાતથી દર્શકો ઉત્તર રામાયણ એટલે કે લવ-કુશ સીરીયલનું પ્રસારણ જોઈ શકશે. આ પૌરાણિક ધારાવાહિક દૂરદર્શન પર રવિવારે 19 એપ્રીલથી રાત્રે 9 વાગ્યે પ્રસારીત કરવામાં આવશે. રાત્રે 9 વાગ્યે રામાયણના ફ્રેશ એપિસોડ બતાવવામાં આવશે અને સવારે 9 વાગ્યે રિપીટ ટેલીકાસ્ટ થશે.

રશિયાએ આ રાજ્ય અમેરિકાને વેચ્યું હતુંઃ આજે પારાવાર પસ્તાય છે!

નવી દિલ્હીઃ તમે દુનિયાના નકશા પર ઉત્તરી અમેરિકી મહાદ્વીપના ઉત્તર પશ્ચિમમાં સ્થિત અલાસ્કાને જરુર જોયું હશે. જે અમેરિકા દક્ષિણ અમેરિકાથી વધારે રશિયા પાસે દેખાય છે. આજે અમે આપને આ જ અલાસ્કા મામલે કંઈક અનોખી વાતો જણાવવા જઈ રહ્યા છે કે જે મામલે તમે કદાચ જ જાણતા હશો.

અલાસ્કા અમેરિકાનું 49 મુ રાજ્ય છે. આપને જાણીને નવાઈ લાગશે કે અલાસ્કા પહેલા અમેરિકાનો ભાગ નહોતું પરંતુ તે રશિયાનો ભાગ હતું,આ બર્ફીલુ અને રશિયાથી દૂર હોવાના કારણે રશિયાએ આને અમેરિકાને વેચી દીધું.

આ વાત 30 માર્ચ 1867 ની છે. ત્યારે રશિયન સામ્રાજ્યથી અલાસ્કા અમેરિકાને વેચી દેવામાં આવ્યું હતું. આના બદલે અમેરિકા પાસેથી 45 કરોડ 41 લાખ રુપિયા લેવામાં આવ્યા હતા. ત્યારબાદ વર્ષ 1959 માં અમેરિકાએ અલાસ્કાને પોતાનું 49 મુ રાજ્ય જાહેર કરી દીધું હતું. અમેરિકાનો કબ્જો હોવાના કારણે દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જાપાની સેનાએ અલાસ્કા પર પણ હુમલો કર્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર પર્લ હાર્બરથી વધારે અલાસ્કામાં અમેરિકી લોકોના મોત થયા હતા.

અલાસ્કા અમેરિકાના 50 રાજ્યોમાં સૌથી મોટું રાજ્ય છે. અલાસ્કાના પૂર્વમાં કેનેડા, ઉત્તરમાં આર્કટિક મહાસાગર, દક્ષિણ-પશ્ચિમમાં પ્રશાંત મહાસાગર અને પશ્ચિમમાં રશિયા આવેલું છે. આ રાજ્યનું નામ અલાસ્કા રશિયન સામ્રાજ્યના સમયથી જ ઉપયોગ થતું આવી રહ્યું છે. અમેરિકાએ આને ખરીદ્યા બાદ પણ આનું નામ બદલ્યું નથી. અલાસ્કાનો અર્થ મુખ્ય ભૂમિ અથવા મહાન ભૂમિ એવો થાય છે. અલાસ્કામાં સ્થિત છે જોનઉ આઈસ ફીલ્ડને દુનિયાનો સાતમો સૌથી મોટો હિમ વિસ્તાર માનવામાં આવે છે.

આશરે 1500 વર્ગ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા આ વિસ્તારમાં વાર્ષિક 100 ફૂટ જેટલી બરફવર્ષા થાય છે. વધારે ઉંચાઈ પર હોવાના કારણે ગરમીમાં પણ અહીંયા ઓછો બરફ પીગળએ છે. અલાસ્કાને વેચ્યાનો અફસોસ રશિયાને આજે પણ છે કારણ કે અલાસ્કા જો આજના સમયમાં રશિયા પાસે હોત તો તે આ જગ્યાને પોતાના પોર્ટ રુપે ઉપયોગમાં લઈ શકત. કારણ કે રશિયા પાસે કેનેડા, અમેરિકા અથવા પશ્ચિમી દેશોમાં જવા માટે કોઈ અન્ય સરળ રસ્તો નથી. જો અલાસ્કા આજે રશિયાનો ભાગ હોત તો તેને ખૂબ સરળતા રહેત.

 

સો ટકા સલામ કરવા પડે આ કર્મનિષ્ઠ પ્રજારક્ષકોને

અમદાવાદઃ ‘ડર તો સૌને લાગે છે પણ તેને કારણે કંઈ ફરજ છોડીને જવાય નહી. પણ એક વાત એપણ છે કે નિષ્ઠા પૂર્વક અને ડર્યા વિના કામ કરો તો પરિણામ ચોક્કસ મળે છે.”
આ શબ્દો છે દાણીલીમડાના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર વિક્રાંત વસાવાના..

વાત કંઈક એમ છે કે કોરોનાનુ સંક્રમણ આજે સતત વધતું જઈ રહ્યું છે. ગુજરાત સહિત સમગ્ર દેશ અને વિશ્વ આખું તેના ભરડામાં આવ્યુ છે ત્યારે અમદાવાદમાં લોક ડાઉનનો અમલ કરવામાં પોલીસ તંત્ર ખડેપગે અને ૨૪ કલાક કાર્યરત છે.

શહેરના કોટ વિસ્તારમાં કરફ્યુ નો કડક અમલ, બફરઝોન વિસ્તારમાં અવરજવરને નિયંત્રિત કરવા ઉપરાંત લોકોની સુરક્ષા સાથે સાથે જરૂરિયાત મંદોને જીવનજરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવાની સામાજિક જવાબદારી પણ પોલીસ તંત્ર નિભાવી રહ્યુ છે. શહેરના દાણીલીમડામાં સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા વિક્રમ વસાવા કહે છે કે..’ દાણીલીમડામાં કેટલાક લોકો કોરોનાના પોઝિટિવ જણાયા હતા. કેટલીક માન્યતાઓને પગલે આ લોકો ક્વોરન્ટાઈન થવામાં કે સારવાર કરાવવા માટે કોઈપણ રીતે તૈયાર નહોતા.

આરોગ્યના કર્મચારીઓની અનેકવાર સમજાવટ છતાં તેઓ હોસ્પિટલમાં જવા તૈયાર નહોતા. હવે જો કોઈ એક વ્યક્તિને પોઝિટિવ હોય તો કોમ્યુનિટી ટ્રાન્સમિશનની શક્યતાઓ અત્યંત વધી જાય તેવી હતી. એક બાજુ બફરઝોનને પગલે લોકોની અવરજવર નિયંત્રિત કરવાની ચિંતા અને એક બાજુ કોરોનાના કેસ ન વધે તેની સામાજિક જવાબદારી પણ ખરી. અત્યંત મૂંઝવણભરી પરિસ્થિતિ હતી” એમ તેઓ કહે છે..

ચોક્કસ વિસ્તારોમાં કોરોનાનો ટેસ્ટ ન કરાવવાની કોરોનાની સારવાર ન લેવાની માનસિકતા જાણે-અજાણે પ્રસરી ગઇ હતી પોલીસ માટે અત્યંત મુશ્કેલ પરિસ્થિતિ હતી તેવામાં કેટલાય પોલીસ અધિકારીઓએ એક સામાજિક જવાબદારીના ભાગરૂપે આ ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી.

વિક્રાંત વસાવા કહે છે કે. મેં પોતે દાણીલીમડામાં જયાં પણ કેસો જણાયા ત્યાં રૂબરૂ જઇને લોકોને સારવાર માટે દાખલ થવા સમજાવ્યા. કયાંક કુરાનની આયાતોની વાત કરી અને ક્યાંક પરિવાર ભાવની વાત કરી. ક્યાંક એક કેસ પરિવારના અન્ય લોકો માટે પણ જોખમી બની શકે છે તેવી પણ વાત કરી. જોકે અમે અંતે આ લોકોને હોસ્પિટલમાં દાખલ થવા માટે સમજાવવામાં સફળ રહ્યા.”

અમદાવાદ મહાનગર પાલિકા અને જિલ્લા પ્રશાસને શંકાસ્પદ લોકોના ટેસ્ટ કરાવવાની કામગીરી ખૂબ સારી રીતે હાથ ધરી અને કોમ્યુનિટી સંક્રમણને વધતુ અટકાવવામાં સફળતા પણ મળી.

વિક્રાંત વસાવા કહે છે કે ‘આ બધી કામગીરીમાં મને પણ અચાનક એક દિવસ સામાન્ય ખાંસી આવી. જો કે મારી શારીરિક પ્રકૃતિ પણ એવી છે કે સિઝન બદલાય એટલે ખાંસી આવે. હું પણ એક પરિવારનો હિસ્સો છું એટલે મને પણ એક બીક પેસી ગઈ કે કદાચ મને તો પોઝીટીવ લક્ષણો તો નહીં હોયને. પણ એવા કોઈ પણ બહાના હેઠળ ઘેર રહેવાને બદલે હું સતત સાત દિવસ પોલીસ સ્ટેશનમાં જ રહ્યો. જો કે પોલીસ સ્ટેશનમાં પણ મેં સાવચેતીના તમામ પગલા લીધા. સારી વાત એ છે મેં કોરોનાનો ટેસ્ટ કરાવ્યો અને નેગેટિવ રિપોર્ટ આવ્યો એનો મને આનંદ છે…

વાચક મિત્રો હકીકતમાં જોવા જઈએ તો આ તો માત્ર સામે આવેલુ એક માત્ર ઉદાહરણ છે. શહેરના અનેક પોલીસ સ્ટેશનોમાં કે અન્ય સરકારી કચેરીઓમાં આવા તો અને કિસ્સાઓ છે પણ સરકારી તંત્રએ આ મહામારીનો સામનો કરવામાં અને લોકોને બચાવવામાં પરિવારની ચિંતા કર્યા વિના પણ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી છે. સલામ છે આવા અધિકારીઓ કર્મચારીઓ ને.

રાશિ ભવિષ્ય 19/04/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસમાં તમને થોડો ઉત્સાહ જોવા મળી શકે છે, વાર્તાલાપમાં સારો સમય પસાર થાય, જૂની ઓળખાણ તાજી થાય તેમાં તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામ કરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળી શકે, ધાર્મિકસ્થાનની મુલાકાત પણ થઈ શકે છે.


આજે સગાસ્નેહી,જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજના યોગ છે, આરોગ્યબાબત કામકાજકે ઈતરપ્રવૃત્તિના કારણે થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુઅભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના પણ ભોગ બની શકો છે માટે આજે શાંતિ રાખવી સારી કહી શકાય.


આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટીમુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્યમાટેના શુભપ્રસંગઅંગે ચર્ચા વિચારણા થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખવું.


આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છો, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. એકંદરે દિવસ શાંતિથી પસાર કરવો.


આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરાકરવા માટેકે તમારા લગ્ન અથવા કોઈના લગ્નની વાત ગોઠવવા માટે પ્રયત્ન કરવો સારો કહી શક્ય, પ્રિયજન સાથે દિવસ સારી રીતે પસાર થાય.


આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાયકે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે, તમને કોઈની મજાક-મશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, લગ્નયોગ ધરાવતા યુવાવર્ગ માટે વાર્તાલાપકે મિલનમુલાકાત સારી રહી શકે. નાનાઅંતરની મુસાફરી થઈ શકે છે. તમે આજે કોઈના કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે.


આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર બાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું. બ્લડપ્રેશર, છાતીનાદર્દ હોય તેવા લોકો માટે આજે પરેજી પાળવામાં ચોકસાઈ રાખવી જરૂરી છે. દિવસ શાંતિથી પસાર કરવો.


આજે મિત્રો સાથે સારોસમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. જુનાસંબંધ અચાનક યાદ આવે તેવું પણ બની શકે છે. કોઈના લગ્નબાબત વાતચીતકે મિલનમુલાકાત કરવાથી સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.


આજે થોડીક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, .કમર, હાડકા,પગમાં દુખાવાની તકલીફ વાળાએ આરોગ્યબાબતમાં ધ્યાન વધુ આપવું ઇચ્છનીય છે.


આજે કોઈ ધાર્મિકસ્થળકે સામાજિકપ્રસંગ માટેની મુલાકાત થઈ શકે છે, જાહેરજીવનમાં તમારો મોભો સારો વર્તાય આજે તમારું વર્ચસ્વ તમાર કામ અને આવડત પર સારું જોવા મળે. યુવાવર્ગને પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે કે જાણવા મળે અને ઉત્સાહિત થવાય તેવું બની શકે છે.


આજે એકલા હાથે ઘણા કામકરવાના આવે તેવું બની શકે છે તેમાં તમને અન્યનો સાથ ઓછો જોવા મળે તેના કારણે તમે કામ ટાળવાની વૃતિ જાગે અને આરામ કરવાનું મન વધુ થાય.ક્યાંક આકામિકનાણાકીય ખર્ચ આવી શકે છે, મિલનમુલાકાતકે હરવાફરવામાં ઉમંગનો અભાવ જોવા મળી શકે છે.

બેરોજગારીના માહોલ વચ્ચે એમેઝોન આપશે હજારો નોકરીઓ!

નવી દિલ્હી: કોરોનાએ સમગ્ર વિશ્વને ભરડામાં લીધુ છે ત્યારે કોરોડો નોકરીઓ પર સંકટ ઉભું થયું છે. તો એમેઝોને મોટા પ્રમાણમાં ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. એમેઝોને કહ્યું કે, તે 75 હજાર લોકોને નોકરી આપશે. આ ભરતીમાં વેરહાઉસ સ્ટાફથી લઈને ડિલિવરી ડ્રાઈવર્સ સુધીનો સમાવેશ થશે. કંપનીએ કહ્યું કે, કે તેમનો સ્ટાફ વધારવા પાછળનું કારણ છે લોકડાઉન.

સમાચાર એજન્સી રોયટર્સના જણાવ્યા અનુસાર સોમવારે 75 હજાર નોકરી અંગે જણાવતા એમેઝોને કહ્યું કે, અમેરિકામાં કોરોનાવાઈરસને કારણે લોકો ઘરમાં બંધ છે, જેના કારણે ઓનલાઈન ઓર્ડરની માંગ વધી રહી છે. લાંબા સમય સુધી ક્વોરન્ટીન રહેવાની આશંકાને ધ્યાનમાં રાખતા દુકાનોનો સ્ટોક ખાલી થઈ રહ્યો છે. કંપનીઓનો પ્રયત્ન છે કે, તે ખાવા પીવા અને હેલ્થ પ્રોડક્ટ્સનો સ્ટોક જાળવી રાખે. સાથે જ સ્ટોરમાં કામ કરતા લોકો અને ડિલિવરી સ્ટાફની પણ જરૂર છે, જેને જોતા એમેઝોને મોટા પ્રમાણમાં ભરતી કરવાનો નિર્ણય લીધો છે.

દિગ્ગજ ઈ કોમર્સ કંપની એમેઝોન માટે હાયરિંગ એક મોટું અને મુશ્કેલ કામ છે. એમેઝોનના વેરહાઉસ સ્ટાફમાં કોરોના વાઈરસના અનેક કેસ સામે આવ્યા છે. કંપનીનું કહેવું છે કે, હવે તે અમેરિકા અને યુરોપ સ્થિત તેમના તમામ વેરહાઉસમાં તાપમાન ચેક કરશે અને માસ્કની પૂરતી વ્યવસ્થા રાખશે.

બેરોજગારીના વધતા જતાં દરને ધ્યાનમાં રાખતા એમેઝોને આ ગેપને ભરવાનો નિર્ણય કર્યો છે. નવા કર્મચારીઓને આકર્ષિત કરવા માટે કંપની 15 ડોલર પ્રતિ કલાકના મિનિમમ વેતનમાં 2 ડોલરનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે, જે એપ્રિલથી લાગૂ થયો છે. કંપનીએ કહ્યું કે, પહેલા આપેલી જાહેરખબરની 1 લાખ ભરતી થઈ ચૂકી છે અને આ 75 હજાર એ સિવાયની છે. એમેઝોનનું કહેવું છે કે, તે વૈશ્વિક સ્તર પર પગાર વધારવા મામલે લગભગ 50 કરોડ ડોલરથી વધુનો ખર્ચ કરી શકે છે. ગયા વર્ષે આ આંકડો 35 કરોડ ડોલરનો હતો.

પંચાંગ 19/04/2020

કોંગ્રેસની નવી સલાહકાર સમિતિના 11 દિગ્ગજો પરિસ્થિતિનું દરરોજ મંથન કરશે

નવી દિલ્હીઃ કોરોના સંક્રમણને નિયંત્રણ કરવા માટે દેશઆખો એકજૂટ છે, ત્યારે કોંગ્રેસની સાથે-સાથે બધા વિપક્ષના પક્ષોને કોરોનાની જંગમાં મોદી સરકારને સાથ આપવાની વાત કહી છે. આ કડીમાં દેશમાં વર્તમાન પરિસ્થિતિ પર મંથન કરવા માટે કોંગ્રેસના વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ પહેલ કરી છે. તેમણે વિવિધ મુદ્દાઓ પર પક્ષના વિચારો જાણવા માટે ભૂતપૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહની અધ્યક્ષતામાં 11 પાર્ટીના સભ્યોની સલાહકાર સમિતિની રચના કરી છે. રાહુલ ગાંધી અને પી. ચિદંબરમને સભ્યોમાં સામેલ કર્યા છે.

ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલે આપેલા નિવેદનમાં સોનિયા ગાંધી દ્વારા બનાવવામાં આવેલી સલાહકાર સમિતિની માહિતી આપી હતી. આ સલાહકાર સમિતિના ચેરમેન ડો. મનમોહન સિંહ અને સંયોજક રણદીપ સિંહ સૂરજેવાલા હશે. આ સિવાય રાહુલ ગાંધી, કેસી વેણુગોપાલ, મનીષ તિવારી, જયરામ રમેશ, પ્રવીણ ચક્રવર્તી, ગૌરવ વલ્લભ, સુપ્રિયા શ્રીનેત અને રોહન ગુપ્તા પણ સલાહકાર સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે. આ સલાહકાર સમિતિના સભ્યો દરરોજ વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાશે અને વર્તમાન સ્થિતિ પર વિચાર કરશે અને વિવિધ મુદ્દા પર પક્ષના વિચારો સાંભળશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે કોરોના વાઇરસની સામેના જંગમાં કોંગ્રેસે પણ મોદી સરકારનું સમર્થન કર્યું છે. સોનિયા ગાંધીએ પોતોના વિડિયો સંદેશમાં આ સંકટ સમયે લોકોને પક્ષ અને સંપૂર્ણ સહયોગનું આશ્વાસન આપ્યું છે. તેમણે વિશ્વાસ દર્શાવ્યો હતો કે મજબૂત ઇરાદાઓની સાથે દેશ બહુ જલદી આ સંકટ પર વિજય પ્રાપ્ત કરશે.

 

કોરોના વચ્ચે પણ સોમરસ છોડો ના

કોરોનાના કારણે લાગેલી તાળાબંધી 21 દિવસ પછી આગળ વધશે કે કેમ તેના ઇંતઝાર વચ્ચે વચ્ચે આસામ અને મેઘાલયમાં શરાબની દુકાનોના તાળા ખોલવાનો નિર્ણય લેવાયો તે સમાચાર ધ્યાન ચડ્યા હશે. ગુજરાતમાંથી પણ સમાચાર હતા કે શાકભાજી લઈને જતી રીક્ષામાં દારૂની બોટલો મળી. એ સમાચાર પણ જોયા હશે કે લોકો શહેરમાંથી ગામડે જવા ઉતાવળા થયા છે. કંટાળીને એકાદ બે લોકોએ આપઘાત પણ કર્યા. કોરોના થયો છે તે તેવી ખબર પડવાથી પણ બે કે ત્રણ આત્મહત્યાના સમાચાર આવી ગયા છે. કોરોનાની તપાસ માટે આરોગ્યની ટીમ આવીને કોવીડ-19 કેન્દ્રમાં લઈ જવાની છે એવી ખબર મળ્યા પછી એક યુવાને પણ પડતું મેલ્યું.

હવે છેલ્લા સમાચાર આપી દઉં અને પછી મૂળ વાત પર આવીશું. કેરળમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન આત્મહત્યાની એક પછી એક ઘટનાના સમાચારો આવ્યા. કેરળમાં ભારતમાં સૌથી વધુ આપઘાત થાય છે તેની પાછળના સામાજિક અને મનોવૈજ્ઞાનિક કારણોની ચર્ચા વચ્ચે વચ્ચે થયા કરતી હોય છે. અત્યારે ત્રીજા કારણની ચર્ચા કરવી પડી. કારણ એ હતું કે વ્યસનીને સોમરસ પ્રાપ્ત થવાનો બંધ થયો તેના કારણે તણાવ વધવા લાગ્યો અને નવ લોકોએ આપઘાત કરી લીધો. તેમાંથી એક વ્યક્તિએ કંટાળીને આફ્ટરશેવ પી લીધો હતો. એકને હાર્ટએટેક આવ્યો, પણ સગાઓનું કહેવું છે કે શરાબ હજી બીજા 19 દિવસ નહિ મળે તેના આઘાતમાં તેમનું હૃદય બેસી ગયું હતું.

કેરળમાં કોરોના બંધી વચ્ચે દારૂબંધી પણ થઈ હતી અને તેના કારણે કુલ 9ના મોત થયા તે પછી રાજ્ય સરકારે વિચાર ફેરવવો પડ્યો. આસામ અને મેઘાલય અને પંજાબીની જે કેરળે પણ નક્કી કર્યું કે સોમરસનો વ્યવસાય પણ આવશ્યક સેવામાં આવે છે. ટૂંકમાં દારૂની દુકાનો ખોલવાનો નિર્ણય લેવાયો હતો. તમે આંકડાંથી જ આ વાત સમજો તો વધારે સારી રીતે સમજાશે. 9 જણ આત્મહત્યા કરે એટલે દારૂની દુકાન ખોલી નાખવાની? ગુજરાતનો દાખલો વચ્ચે ના લાવો, કેમ કે ગુજરાતમાં દારૂબંધી સામાજિક સ્વીકાર્ય બાબત દાયકાથી બનેલી છે, પણ નવ નવ જણ પીવા ના મળે ને આપઘાત કરે તે કંઈ ચાલે – એવું સામાજિક સંકટ કેરળમાં ઊભું થયું. કારણ એટલું જ કે કેરળમાં કોરોનાનો પ્રારંભ થયો અને શરૂઆતમાં કેરળ અને મહારાષ્ટ્ર જ ચેપના કેસોની સંખ્યાની બાબતમાં આગળ હતા. પણ તે પછી કેરળમાં – પ્રમાણમાં, સરખામણીમાં – કોરોના કાબૂમાં રહ્યો છે. કેરળમાં કોરોના કારણે મૃત્યુ 3ના થયા છે, જ્યારે શરાબ ના મળવાના કારણે તંગ આવીને 9 જણાએ જીવ આપી દીધા! તમે જ કહો, કયું કારણ વધારે ગંભીર કહેવાય.

વાત મજાકની નથી, પણ વ્યસન કેટલી હદે માણસને વળગે છે તેનો આ નમૂનો છે. ગુજરાત જેવી દારૂબંધી કરવાના પ્રયાસોમાં રાજ્યોને મુશ્કેલીઓ નડી છે. બિહાર સરકારે દારૂબંધી કરી પછી જાતભાતની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગાંજા પર પણ આપણે ત્યાં પ્રતિબંધ છે. અમેરિકા અને યુરોપમાં ઘણી જગ્યાએ ગાંજાને કાયદેસર કરીને તેને ઔષધી તરીકે ઉપયોગ કરવા સહિતની છૂટ અપાયેલી છે. અફિણનું પણ એવું જ છે. અફિણના થોડા ઔષધીય ગુણો છે, પણ તેનો નશો વળગે પછી છૂટતો નથી. ગુજરાતમાં લાંબા સમયથી દારૂબંધી છે અને શહેરી વિસ્તારોમાં સહેલાઇથી તે મળે છે. તેથી મોટું વ્યસન પણ થતું નથી, અને મોટી સમસ્યા પણ થતી નથી. પરંતુ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં કાલાનું વ્યસન બહુ મોટું સંકટ રહ્યું છે. કાલા માટે સરકારે હવે છેક લાયસન્સ આપવાના બંધ કર્યા છે. કાલાના મળે ત્યારે વ્યસની ભારે અકળાય અને તેના કારણે સરકારે મજબૂર થઈને તેમને પરવાના આપવા પડતા હતા. કેમ, લીકર પરમીટ આપણે ગુજરાતમાં અપાય જ છેને!

એક તરફ ભીડ કરવાની મનાઇ અને દારૂની દુકાન ખુલ્લી રાખો તો ત્યાં શરાબીઓની ભીડ થશે. તેવી દલીલ બહુ ચાલી નહિ અને આત્મહત્યાના બનાવો વધ્યા એટલે કે બીજા પ્રકારનું દબાણ વધ્યું એટલે કેરળ સરકારે શરાબની દુકાનો ખોલી નાખે છે. લોકો એકાદ બે દિવસ કદાચ ભીડ કરશે, પણ પછી પીને સૂઈ જશે. આમ પણ અત્યારે બીજો કશો કામધંધો તો કરવાનો નથી, ત્યારે એકલા એકલા કંટાળીને કકળાટ કરે તેના કરતા પીને સૂઈ જાય. ગુજરાતીઓ અફસોસ કરો, કરવો હોય તો કરો, અફસોસ કરવામાં શું વાંધો, પણ આવી કોઈ દલીલ ગુજરાતમાં ચાલવાની નથી!

હકીકતમાં પી. વિજયનની સરકારે 23 માર્ચે લૉકડાઉનની જાહેરાત કરી દીધી હતી, ત્યારે પ્રારંભમાં જે વ્યવસાય અને દુકાનોને ખુલ્લા રાખવાની છૂટ આપી હતી, તેમાં શરાબની દુકાનો હતી. જોકે કેરળમાંય કેટલા હોયને.. પેલા નંગ હોયને… કેટલાકે આંખો પહોળી કરીને કહ્યું કે હોતા હશે… ગામ આખું બંધ અને શરાબીની દુકાનો ચાલું રાખવાની… હોતા હશે કંઈ! એટલે મુખ્ય પ્રધાન વિજયન મૂંઝાયા હતા અને કેરળ બહારથી પણ ટીકાઓ થઈ એટલે તેમણે છેવટે દારૂની દુકાનો બંધ કરાવી હતી. પંજાબમાં કેપ્ટન અમરિન્દર સિંહની સરકારે પણ આવશ્યક સેવાઓની યાદ તૈયાર કરેલી તેમાં દારૂની દુકાનો સામેલ હતી જ. વિજયન તેમનો દાખલો પણ આપી જોયો, પણ ટીકાઓ બંધ ના થઈ. તેથી કેન્દ્ર સરકારની આવશ્યક સેવાઓની યાદીને અનુસરીને બાદમાં દુકાનો બંધ કરાવી હતી.

કેરળમાં સરકાર વિમુક્તિ નામે વ્યસન મુક્તિનો કાર્યક્રમ ચલાવે છે. કાર્યક્રમ હેઠળ હેલ્પલાઇન પણ ચાલે છે. કોરોના સંકટ પછી પણ સરકારી હેલ્પલાઇનો ચાલુ થઈ હતી. બોલો, થયું એવું કે કોરોના હેલ્પલાઇન કરતાંય વધારે કૉલ વિમુક્તિ કોલ સેન્ટર પર આવવા લાગ્યા. લોકો દારૂ વિના અકળાવા લાગ્યા હતા અને તેના કારણે સંકટ વચ્ચેય વિમુક્તિ કેન્દ્રોમાં ભરતી થવા માટે વધુને વધુ ફોન આવવા લાગ્યા હતા. કોરોના માટે ડેડિકેટેટ હૉસ્પિટલમાં તો ચેપ વધે તે પ્રકારે દર્દીઓ વધે તે સમજી શકાય, પણ વ્યસન મુક્તિ કેન્દ્રોમાં ભીડ વધવા લાગી હતી!

કેરળ નાનું રાજ્ય છે, પણ તેના 16 લાખ લોકો એવા છે, જેઓ માત્ર મોજ માટે નહિ, વ્યસન માટે દારૂના પીનારા છે. કેરળમાં માથાદીઠ વર્ષે 8.3 લીટર દારૂ પીવામાં આવે છે, જે ભારતમાં સૌથી વધુ છે. કેરળ પહોળું નહિ, પણ લાબું રાજ્ય છે અને દરિયાકિનારે છે અને નાની નાની અનેક ખાડી. એટલે કે ભેજયુક્ત વાતાવરણ છે, જે શરાબની તલબ માટે સાનુકૂળ ગણાય. બીજું કેરળે સદીઓથી ભારતના બીજા હિસ્સામાં હોય તેવી ગરીબી કદી જોઈ નથી, એટલે નાની મોટી આપદા આવે ત્યારે પ્રજા બહુ જલદી વિચલિત થઈ જાય છે. એકતો સમૃદ્દિ અને દરિયા કાંઠાના કારણે લત લાગેલી હોય, તેમાં મુશ્કેલી આવે એટલે નશો કરવા વધારે જોઈએ. તે ના કરવા મળે ત્યારે કેરળવાસી ભારે અકળાય.

ડૉક્ટરો પણ કહે છે કે વ્યસની વ્યક્તિને પદાર્થ ના મળે ત્યારે તેની શારીરિક અસરો જોવા મળતી હોય છે. કોરોના વચ્ચે કોરોના કરતાંય દારૂ ના મળવાથી બીમાર પડનારી વ્યક્તિઓ વધુ સંખ્યામાં દવાખાનામાં આવવા લાગી હતી તે વાસ્તવિકતા પણ રાજ્ય સરકારે વિચાર્યા સિવાય છૂટકો નહોતો. કેરળના એક જાણકારે જણાવેલી વાત પણ બહુ ચટાકેદાર છે. તેમણે કહ્યું કે કેરળની પ્રજા આમ પછી શિસ્તબદ્ધ અને સરકારી તંત્ર પણ થોડું નિયમપાલનમાં ચૂસ્ત. એટલે ગુજરાતમાં કોરોનાબંધી વચ્ચે પણ ‘રાબેતા મુજબની દારૂબંધી’ ચાલતી રહે. કોઈને ટેન્શન ના થાય, કેમ કે રાબેતા મુજબ તંત્ર ચાલવાનું છે. એટલે તમે સમજ્યાને રાબેતા મુજબ? હા, એમ. પણ એમ કેરળમાં દારૂની દુકાન બંધ થાય તો બાટલી મળે નહિ, કેમ કે એવી કોઈ વ્યવસ્થા ગોઠવાયેલી હોય નહિ. જાણકારે કહેલી વાત સીધી છે, પણ સમજવામાં જરાક નવાઈ લાગે. દારૂની દુકાન પછી ગેરકાયદે રીતે મેળવવો મુશ્કેલ બનશે એ વાત જાણીને નશેડીઓ ભારે અકળાયા હતા. જોકે કેરળ પણ છે ભારતનો હિસ્સો. એટલે જાણકારે ભલે કહ્યું, પણ સમાચાર આપણે તો સાંભળ્યા છે કે 25 માર્ચથી એપ્રિલના મધ્ય સુધીમાં 10 હજાર લીટર ગેરકાયદે શરાબ કેરળ પોલીસે કબજે કર્યો છે. એક તો માંડ વ્યવસ્થા ગોઠવાતી હોય, ત્યાં કેરળની પોલીસ આટલી સક્રિય થાય… તો પછી શું થાય, તમે જ કહો, માણસ મરે કે ના મરે?

સામાજિક ઉપરાંત આર્થિક કારણ પણ ખરું. ગુજરાતમાં દારૂબંધી છે તેના કારણે સરકારને ટેક્સની કેટલી આવક ઓછી થાય છે તેના આંકડાં આપણે સાંભળ્યા જ છે. પણ વેપારી ગુજરાતી શાણા છે. એ જાણે છે કે આવક ખાતર કંઈ શાંતિ ડહોળી ના નખાય એટલે કરોડો રૂપિયાની આબકારી આવક ગુજરાત સરકાર જતી કરે છે. કેરળની સરકાર માટે અત્યારે આવક અને મહેસૂલમાં ફાંફા પડવા લાગ્યા છે. બીજી મહેસૂલ બંધ છે ત્યારે કમસે કમ થોડીક શાંતિ થાય અને આવક પણ થાય તે ગણતરી પણ કેરળ સરકારની હશે. 2018-19 નાણાકીય વર્ષ દરમિયાન કેરળને દારૂના વેચાણમાંથી જ  2,521 કરોડ રૂપિયાનો ટેક્સ મળ્યો હતો.

બિહારમાં નીતિશકુમારે દારૂબંધી કરી તે રીતે 2014માં કોંગ્રેસની આગેવાની હેઠળની સંયુક્ત લોકતાંત્રિક મોરચાની સરકારે પણ દારૂબંધી કરી હતી. 2016માં ડાબેરી લોકતાંત્રિક મોરચાની પિનરઇ વિજયનની સરકાર આવી તેમણે દારૂબંધી ફરીથી હટાવી દીધી.

કોરોના વચ્ચે દારૂ બંધ થયો ત્યારે આલ્કોહોલ વિથ્ડ્રોવલ સિમટમ્પ્સ સાથે એટલે કે દારૂ ના મળવાને કારણે વિવિધ શારીરિક તકલીફોની ફરિયાદો સાથે દર્દીઓ સરકારી દવાખાને આવવા લાગ્યા હતા. સરકારે તેને ધ્યાનમાં લઈને જાહેરાત કરવી પડી હતી કે સરકારી દવાખાનામાં 20 પથારીઓ આવા દર્દીઓ માટે અનામત રાખવી. દર્દીને તપાસ્યા પછી ડૉક્ટર સર્ટિફિકેટ આપે તે પ્રમાણે દારૂનો પુરવઠો પણ મળી શકે. આ માટેના કૂપન આપવામાં આવે તે લઈને પુરવઠા વિભાગ પાસે જવાનું તો જે રીતે સસ્તા અનાજની દુકાનેથી અનાજ રાહતમાં મળે તે રીતે કેરળમાં વ્યસનીને રાહતમાં દારૂની બોટલ મળે! ગુજરાતમાં ખબર છેને હેલ્થ પરમીટ મળે છે… બોલો, દારૂ પીવાની છૂટ મળે તેનું નામ વળી હેલ્થ પરમીટ!

અહીં વળી નવી માથાકૂટ ઊભી થઈ, કેમ કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને વિરોધ કર્યો કે આ રીતે દારૂને દવા તરીકે ઉપયોગ કરવાના કૂપન કંઈ ડૉક્ટરો લખી ના આપે. કેરળના સરકારી તબીબી અધિકારી એસોસિએશને પણ આવી વ્યવસ્થાનો વિરોધ કર્યો હતો. સરવાળે કોરોનાના સંકટમાં ફસાયેલી કેરળ સરકાર પણ વ્યસનીઓની જેમ કદાચ ‘અકળાવા’ લાગી હતી. મેલને પડતી માથાકૂટ એમ વિચારીને કેરળ સરકારે છેવટે દારૂની દુકાનોને પણ આવશ્યક ચીજવસ્તુઓની યાદીમાં સામેલ કરી દીધી.

વાત અહીં પતી નહિ. આસામ અને મેઘાયલમાંથી પણ આવા જ સમાચાર આવ્યા કે દારૂની દુકાનો ખુલી. ત્યાં પણ કેરળની જેમ શું શું સમસ્યા થઈ તેના સમાચારો જાણવા મળશે ત્યારે તમને જણાવીશું, પણ કેરળમાંથી વળી ખબર આવ્યા કે મામલો ગૂંચવાયો છે. મામલાએ રાજકીય રંગ પકડ્યો. કોરોનામાં રાજકારણ ના કરો એવો કકળાટ કરીને ભરપુર રાજકારણ થઈ જ રહ્યું છે. ત્યાં વચ્ચે કોરોના કારણે દારૂની છૂટના મામલે પણ જૂની દારૂબંધીની રાજનીતિ તાજી થઈ. કોંગ્રેસની સરકારે દારૂબંધી કરી હતી તે આ સરકારે હટાવી એ વેર તો હતું જ. કોંગ્રેસના ત્રિચૂરમાંથી જીતેલા સાંસદ ટી. એન. પ્રતાપન આ મામલે હાઈકોર્ટ પહોંચ્યા. ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ અને સરકારી તબીબી અધિકારી એસોસિએશનનો પણ વિરોધ હતો જ. આ સંગઠનોએ પણ હાઈકોર્ટમાં અરજી નાખી દીધી એટલે કેરળના દારૂડિયા વળી ઠેર ના ઠેર થયાના ખબર છે. હાઈકોર્ટે સ્ટે આપ્યો છે, ત્યારે હવે કેરળમાં ‘બિનરાબેતા મુજબ’ની વ્યવસ્થા ગોઠવવા માટે પીનારા અને પાનારાએ વિચારવું પડશે.

કેરળ પોલીસ વચ્ચે ના પડે અને દારૂ જપ્ત ના કરે તો ગાડું ગબડશે નહિ તો બીજા બે અઠવાડિયા હજી કાઢવા આકરા થવાના છે. જોઈએ હવે કે આગામી દિવસોમાં કેરળમાં કોરોનાના કારણે વધુ લોકો મરે છે કે દારૂ ના મળવાથી આકુળ વ્યાકુળ થઈ ગયેલા લોકો આપઘાતથી વધુ મરે છે. અરે ભાઈ, એમ નથી કહેતા કે લોકો મરે, અમે તો કહીએ છીએ કોઈ ના મરે, બધા અમરપટ્ટો કમરે પહેરી લે… અમને શું વાંધો હોય, મારા વાલા!

કોરોના વિશ્વને સંકજામાં લેતું હતું ત્યારે WHO ઘોર નિદ્રામાં હતું?

નવી દિલ્હીઃ કોરોનાએ વૈશ્વિક રોગચાળાનું રૂપ લીધા પછી વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અમેરિકા સહિત અન્ય દેશોની તીખી આલોચનામાં ઘેરાઈ ગઈ છે. WHO પર આરોપ છે કે ચીનની વાતોમાં ફસાઈને વિશ્વને કોરોના સંકટને સમયસર ચેતવ્યા નહીં. આ કારણે WHOની સામે વિશ્વના કેટલાય દેશો નારાજ થયા છે. આને લીધે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે WHOને અપાતી કરોડો ડોલરની વાર્ષિક આર્થિક મદદ અટકાવવાની જાહેરાત કરી છે. તેમનો આરોપ છે કે કોરોના સામેના જંગમાં સંયુક્ત રાષ્ટ્રની આ સંસ્થાએ ભારે બેદરકારી દાખવી છે. એની સાથે WHO પર ચીનનો પક્ષપાત કરવાનો અને વગર તપાસ્યે એના ડેટા પર વિશ્વાસ કરી લેવાનો આરોપ લાગેલો છે.

 WHOએ પ્રારંભમાં આને 2019-N કોરોનાનું નામ આપ્યું અને ચીનની પ્રશંસા કરી

31 ડિસેમ્બરઃ ચીને WHOને વુહાનમાં ક્લસ્ટર અસામાન્ય ન્યુમોનિયાના કેસ થવાનો પહેલો અહેવાલ આપ્યો.

4 જાન્યુઆરી, 2020: WHOએ ટ્વીટ કરીને વુહાનમાં ક્લસ્ટર (જૂથ) અસામાન્ય ન્યુમોનિયાની માહિતી આપી, જેમાં કોઈ પણ વ્યક્તિના મોતનો ઉલ્લેખ નહીં હતો. વ્યક્તિથી વ્યક્તિમાં સંક્રમણનું પ્રમાણ નહીં.

5 જાન્યુઆરીઃ WHOએ અજાણ્યાં કારણોવાળા ન્યુમોનિયા પછા પહેલી માર્ગદર્શિકા એ કહીને બહાર પાડી કે કુલ 44 રોગી છે, જેમાં 11 જણની હાલત ગંભીર છે. આ બીમારીનાં મુખ્ય લક્ષણ તરીકે તાવ અને કેટલાક દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ બતાવવામાં આવ્યાં. એ પણ જણાવ્યું કે વ્યક્તિથી વ્યક્તિમાં સંક્રમણનું કોઈ પ્રમાણ નહીં.

સાત જાન્યુઆરીઃ ચીને નોવલ કોરોના વાઇરસને ન્યુમોનિયા તરીકે ઓળખ્યો. WHOએ પ્રારંભમાં આને 2019-N કોરોનાનું નામ આપ્યું અને ચીનની પ્રશંસા કરી.

નવ જાન્યુઆરીઃ WHO ફરી જણાવ્યું કે આ વાઇરસ લોકોમાં સરળતાથી પ્રસારિત નથી થતો.એણે ચીન પર ટ્રાવેલ અથવા ટ્રેડ પર પ્રતિબંધ મૂકવાની સામે સલાહ આપી.

13 જાન્યુઆરીઃ WHOએ કહ્યું હતું કે થાઇલેન્ડમાં પણ મામલો સામે આવ્યા પછી પણ એ ઇમર્જન્સી સમતિની બેઠક બોલાવી શકે છે. સંક્રમણના પ્રકાર પર વલણ બદલ્યું.

14 જાન્યુઆરીઃ WHOએ ફરી ટ્વીટ કરીને કહ્યું કે ચીનમાં વ્યક્તિથી વ્યક્તિમાં સંક્રમણનિં કોઈ સ્પષ્ટ પ્રમાણ નહીં., પણ પછી સ્પષ્ટીકરણ કકર્યું કે પારિવારિક સભ્યો દ્વારા સીમિત સંક્રમણ થઈ શકે છે.

20-21 જાન્યુઆરીઃ WHOએ વુહાનમાં ફીલ્ડ વિઝિટ માટે ટીમને ઉતારી.

21 જાન્યુઆરીઃ અમેરિકાના વોશિંગ્ટનમાં પહેલો કોરોના સંક્રમિતનો કેસ સામે આવ્યો. સંક્રમિક વ્યક્તિ ક સપ્તાહ પહેલાં ચીનથી આવી હતી. WHO મોટી મેદની (સમારોહ)થી બચવાની સલાહ આપી.

22 જાન્યુઆરીઃ WHOની ટીમે વુહાનને અહેવાલ મોકલ્યો, જેમાં કહ્યું કે વ્યક્તિથી વ્યક્તિમાં સંક્રમણ થઈ રહ્યું છે. અહેવાલમાં 16 મેડિકોમાં સંક્રમણની પુષ્ટિ થઈ. ટીમના લોકોએ મોટા કાર્યક્રમો, સંક્રમિત લોકોને આઇસોલેશન તથા હાથ ધોવાનો સારો ઉપાય સૂચવ્યો. WHOની સૌપ્રથમ વાર ઇમર્જન્સી સમિતિની બેઠક થઈ. WHOના ડિરેક્ટર ડો. ટેડ્રોસ આધાનામ ગેબરિયાસિસે ચીનના સ્વાસ્થ્યપ્રધાનથી વાત કરીને સઘન પ્રયાસોની પ્રશંસા કરી. WHOના પ્રમુખ પણ ચીનની બાજુ લેતા રહ્યા.

23 જાન્યુઆરીઃ WHOની ઇમર્જન્સી સમિતિના મતભેદ સામે આવ્યા. WHOના ડો. ટેડ્રોસએ કહ્યું હતું કે આ વાઇરસને આંતરરાષ્ટ્રીય ચિંતાવાળી હેલ્થ ઇમર્જન્સી ઘોષિત નહીં કરવાનો નિર્ણય લીધો છે. વુહાનમાં એ દિવસે જાહેર થયેલા લોકડાઉનનો હવાલો આપીને એને બિનપ્રભાવિત અને અકાલ્પનિક ગણાવ્યો હતો. તેમણે આ વાઇરસથી નિપટવા માટે ફરી ચીનના સહયોગ અને પારદર્શિતાની પણ સરાહના કરી હતી. આ સમયે વિશ્વભરમાં 584 કેસો અને 17 મોત નોંધાઈ ચૂક્યાં હતા. તેમણે એરપોર્ટ પર સ્ક્રીનિંગ સુવિધા કરવાની ભલામણ અને ટ્રાવેલ પર પ્રતિબંધ મૂકવાની સલાહને અવગણી હતી. 

28-29 જાન્યુઆરીઃ ડો. ટેડ્રોસ તથા WHOના વરિષ્ઠ અધિકારીઓએ ચીનમાં રાષ્ટ્રપતિ શી જિંનપિંગ સાથે મુલાકાત કરી હતી. 29 જાન્યુઆરીએ ફરી ચીનની પ્રશંસા કરી હતી.

30 જાન્યુઆરીઃ WHO ઇમરજન્સી સમિતિની બેઠક થઈ અને વૈશ્વિક આરોગ્યની ચિંતાવાળા જનસ્વાસ્થ્ય ઇમર્જન્સીની જાહેરાત કરી, પણ આ જાહેરાત જર્મની, જાપાન, વિયેતનામ તથા અમેરિકામાં વ્યક્તિથી વ્યક્તિમાં સંક્રમણની પુષ્ટિ થયા પછી થઈ. આમ છતાં વૈશ્વિક પ્રવાસ કે વેપાર પર નિયંત્રણો મૂકવાની ભલામણ ના કરી.

31 જાન્યુઆરીઃ અમેરિકી રાષ્ટ્રપતિએ ચીનથી આવતા લોકોના પ્રવાસ પર પ્રતિબંધની જાહેરાત કરી. આ રોગને કોવિડ-19 આપ્યું.

7 ફેબ્રુઆરીઃ ચીનમાં કોરોના વાઇરસનો અહેવાલ આપનાર ડો. લી વેનલિયાંગનું સંક્રમણથી મોત. ચીને પહેલા આ ડોક્ટરને ચૂપ કરી દીધા.

10 ફેબ્રુઆરીઃ ચીનની મદદ માટે WHOની ટીમ પહોંચી.

WHOએ રોગને કોવિડ-19નું નામ આપ્યું

11 ફેબ્રુઆરીઃ WHOએ રોગને કોવિડ-19નું નામ આપ્યું. આનું નામ સાર્સ-કોરોના વાઇરસ-2 એટલા માટે નહીં રાખવામાં આવ્યું કેમ કે 2003માં સાર્સથી જોડવાથી અનાવશ્યક ડર પેદા થશે.

12 ફેબ્રુઆરીઃ ડો. ટેડ્રોસે કહ્યું હતું કે ચીનમાં નવા કેસોમાં સ્થિરતા આવી છે, પણ એને વધુ સતર્કતાથી લેવાની જરૂર છે.

16-24 ફેબ્રુઆરીઃ WHOના નિષ્ણાત ચીનમાં ફેલાયેલા ક્ષેત્રોનો પ્રવાસ કરીને આ રોગને નાથવા માટેના ઉપાયો જાહેર કર્યા.

17 ફેબ્રુઆરીઃ કોરોના વાઇરસના સંક્રમિતોના આંકડા રોજેરોજ જાહેર થવા લાગ્યા. વિશ્વભરના નેતાઓને આ વાઇરસને રોકવા માટે આહવાન કરવામાં આવ્યું. આ વાઇરસનાં લક્ષણોની માહિતી આપી.

28 ફેબ્રુઆરીઃWHOની ટીમે પહેલો અહેવાલ આપ્યો. મુખ્ય નિષ્કર્ષોમાં કહેવામાં આવ્યું કે આ રોગ ચામાચીડિયાથી આવ્યો છે. જે લોકો સંક્રમિત લોકોની નજીક સંપર્કોથી ફેલાયેલો છે, ના કે હવાથી. આ રોગનાં સામાન્ય લક્ષણોમાં તાવ, સૂકી ખાંસી તથા થાક લાગવો સામેલ છે. આ અહેવાલમાં ચીનની વધુ એક વાર પ્રશંસા કરતાં કહ્યું હતું કે ઇતિહાસમાં સૌથી મહાત્વાકાંક્ષી, ચુસ્ત અને આક્રમક પ્રયાસ કરવામાં આવ્યા છે.

નવ માર્ચઃ આ વાઇરસનો પ્રસાર જોતાં લોકડાઉન કરવાવાળો ઇટાલી પહેલો યુરોપિયન દેશ બન્યો છે. કોરોના રોગચાળો જાહેર.

WHOએ કોરોના વાઇરસને રોગચાળો જાહેર કર્યો

11 માર્ચઃ WHOએ કોરોના વાઇરસને રોગચાળો જાહેર કર્યો. એનો એ અર્થ થયો કે વિશ્વમાં આ વાઇરસનો પ્રસરી રહ્યો છે. આ સમયે 100થી વધુ દેશોમાં સંક્રમણના કેસો સામે આવી ચૂક્યા હતા.

19 માર્ચઃ ચીને કોરોના વાઇરસનો કોઈ નવો સ્થાનિકમાં કેસ ના હોવાની જાહેરાત કરી, યુવા લોકો પણ આ રોગમાંથી બાકાત નથી

20 માર્ચઃ ડો. ટેડ્રોસે ચેતવ્યા હતા કે યુવાનો પણ આ વાઇરસમાંથી બચી નહીં શકે.

25 માર્ચઃ ડોનાલ્ડ ટ્રમ્પે હાઇડ્રોક્સીક્લોરોક્વીનને કોરોના વાઇરસની સારવારમાં  અકસીર દવા માની. WHOએ કહ્યું કે અત્યાર સુધી આ વાઇરસની સારવાર માટે કોઈ દવાને મંજૂરી આપવામાં નથી આવી. આ જ દિવસે સંસ્થાએ બે અબજ ડોલરનું વધારાનું ફન્ડિંગનું આહવાન કર્યું.

WHOએ માસ્ક પરની માર્ગદર્શિકાને અપડેટ કરી

6 એપ્રિલઃ WHOએ માસ્ક પરની માર્ગદર્શિકાને અપડેટ કરતાં કહ્યું હતું કે આ વાઇરસના ફેલાવાને રોકવામાં અસરકારક છે, જોકે આનો પ્રયોગ અન્ય ઉપાયોની સાથે થવો જોઈએ.

8 એપ્રિલઃ WHOની તીખી આલોચનાને ધ્યાનમાં રાખતાં ડો. ટેડ્રોસે વિશ્વના નેતાઓને રોગચાળા પર રાજકકારણ નહીં કરવાની અપીલ કરી.