Home Blog Page 4845

લોકડાઉનના કારણે સંક્રમણ વધવાની ગતિમાં ઘટાડો

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના સંક્રમણના વધતા કેસો વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ કરીને મહત્વની જાણકારીઓ આપી છે. મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે, લોકડાઉન પહેલા દેશમાં કોરોનાના કેસ 3 દિવસમાં બેગણા થઈ રહ્યા હતા પરંતુ છેલ્લા 7 દિવસના આંકડાઓ અનુસાર હવે આ 6.2 દિવસમાં થઈ રહ્યો છે. 19 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તો કોરોનાના કેસ બે ગણા થવાનો દર રાષ્ટ્રીય સરેરાશથી પણ ઓછો છે. તેમણે જણાવ્યું કે, 15 થી 31 માર્ચ વચ્ચે વૃદ્ધિ દર 2.1 ટા જે એપ્રીલ આવતા આવતા 1.2 ટકા થઈ ગયો. એટલે કે મામલાઓ વધવાના દરમાં 40 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. તેમણે જણાવ્યું કે અમે બીજા દેશોથી વધારે સારી સ્થિતિમાં છીએ. ભારતમાં કોરોના વાયરસ સંક્રમિત લોકોના સ્વસ્થ થવાનો દર અન્ય દેશોના મુકાબલે સારો છે. લવ અગ્રવાલે જણાવ્યું કે મંત્રીઓના સમૂહમાં ડાયગ્નોસિસ, વેક્સિન, અને ડ્રગ્સ પર ચર્ચા થઈ છે. આપણે સાયન્સ એન્ડ ટેકના દમ પર જીતવાનું છે. પૂલિંગ સ્ટ્રેટજી, સ્વદેશી, પર કામ ચાલી રહ્યું છે. વેક્સિન પર કેટલાય પ્રકારે કામ થઈ રહ્યું છે. ઈમ્યૂન બૂસ્ટિંગ વેક્સીન, પ્લાઝ્મા થેરાપી અને ડ્રગ્સ પર પણ કામ ચાલી રહ્યું છે. ડ્રગ્સ અને વેક્સિનને ળઈને WHO સાથે પણ કામ ચાલી રહ્યું છે. CSIR ની લેબમાં ડ્રગ્સ પર કામ ચાલી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, PPE, વેન્ટિલેટર, ઓક્સીજન આ બધા પર પણ સીએસઆઈઆર કામ કરી રહ્યું છે. રેપિડ એન્ટીબોડી ઈંડિજેનસ કિટ મે સુધી 10 લાખ તૈયાર થઈ જશે. સ્ટેટને ફોરકાસ્ટિંગ ટૂલ્સ શેર કરવામાં આવ્યું છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, કોરોના વાયરસ માટે ગુરુવારના રોજ કરવામાં આવેલા 28,340 ટેસ્ટ પૈકી 23,932 લોકોની તપાસ આઈસીએમઆર નેટવર્ક અંતર્ગત 183 પ્રયોગશાળાઓ અને 80 પ્રાઈવેટ પ્રયોગશાળાઓમાં કરવામાં આવી. ભારતમાં કોરોના વાયરસની સારવાર માટે 1919 હોસ્પિટલોમાં 1.73 લાખ સેપરેટ બેડ અને 21,800 આઈસીયૂ બેડ તૈયાર છે. કોરોના વાયરસના સંક્રમણની માહિતી મેળવવા માટે 3,199,400 લોકોની તપાસ થઈ છે અને 28,340 તપાસ ગુરુવારના રોજ થઈ છે.

 

તમે વડાપ્રધાન બનવા માંગો છો?: અમિતાભે આપ્યો આ જવાબ

નવી દિલ્હી: બોલિવુડ શહેનશાહ અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે અને તે સતત તેમના ચાહકો સાથે જોડાયેલા રહે છે. હાલમાં જ અમિતાભ બચ્ચને તેમના બ્લોગને 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે એક પોસ્ટ શેર કરી હતી.

આ પોસ્ટ પર તેમના એક ચાહકે અજીબ સવાલ પૂછ્યો છે, જેનો જવાબ અમિતાભ બચ્ચને આ રીતે આપ્યો. સુરજ નામાના યુઝરે અમિતાભને પુછ્યું કે સર તમે કયારેય દેશના પીએમ બનવા ઈચ્છો છો? જેના જવાબમાં અમિતાભે લખ્યું કે, અરે યાર સવાર સવારમાં શુભ બોલો.

મહત્વનું છે કે અમિતાભ બચ્ચન રાજનીતિનો પણ થોડો ઘણો અનુભવ ધરાવે છે. તેમણે વર્ષ 1984માં અલ્લાહાબાદ (પ્રયાગરાજ) બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી હતી. આ બેઠકમાં તેમને પ્રચંડ બહુમતથી જીત મળી હતી. જોકે, તેમણે ત્રણ વર્ષ પછી સાંસદ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

 

શરજીલ સામે ‘રાષ્ટ્રવિરોધી’ ભાષણ કરવા બદલ ચાર્જશીટ

નવી દિલ્હીઃ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના રિસર્ચ સ્કોલર શરજીલ ઇમામની મુસીબતોમાં વધારો થયો છે. નાગરિકતા સંશોધન કાનૂન અને રાષ્ટ્રીયતા નાગરિકતા રજિસ્ટરની સામે ડિસેમ્બરમાં વિરોધ-પ્રદર્શન દરમ્યાન અને ન્યુ ફ્રેન્ડ્સ કોલોનીમાં રાષ્ટ્રવિરોધી ભાષણ આપવા અને તોફાનોને ભડકાવવાના આરોપમાં દિલ્હી પોલીસે ચાર્જશીટ દાખલ કરી દીધી છે.

શરજીલે 13 ડિસેમ્બરે ભડકાઉ ભાષણ આપ્યું

શરજીલ ઇમામ પર આરોપ છએ કે 13 ડિસેમ્બર, 2019એ તેણે તેના ભાષણમાં દેશના ભાગલા પાડવાની વાત કહી હતી. આ ભડકાઉ ભાષણના બે દિવસ પછી એટલે કે 15 ડિસેમ્બરે દિલ્હીની જામિયા નગર અને ન્યુ ફ્રેન્ડ્સ કોલોનીમાં હિંસક પ્રદર્શન થયું હતું, જેમાં કેટલીય બસોને સળગાવી દેવામાં આવી હતી અને રસ્તાઓ પર ભારે તોડફોડ કરવામાં આવી હતી. ત્યાર બાદ દિલ્હી પોલીસે હવે તપાસ પૂરી કર્યા પછી દિલ્હીમાં રમખાણો ભડકાવવાના મામલામાં દેશદ્રોહની કલમ હેઠળ ચાર્જશીટ દાખલ કરી હતી. બીજી બાજુ શરજીલ ઇમામના વકીલે જણાવ્યું હતું કે આ ચાર્જશીટ પોલીસે 17 એપ્રિલે દાખલ કરી હતી. અમે આની સામે કાયદાકીય રીતે લડીશું.

15 ડિસેમ્બરે મોટા પાયે રમખાણ

15 ડિસેમ્બરે નાગરિકતા સંશોધન કેન્દ્ર (CAA)ની સામે જામિયાના સ્ટુડન્ટોએ જામિયા નગર અને ન્યુ ફ્રેન્ડ્સ કોલોની ક્ષેત્રમાં વિરોધ માર્ચ કાઢી હતી. આ દરમ્યાન જમા થયેલી ભીડે મોટા પાયે રમખાણો, પથ્થરબાજી અને આગ ચાંપવાના બનાવ બન્યા હતા. આ હિંસા દરમ્યાન ભીડે કેટલીક જાહેર અને ખાનગી સંપત્તિઓને નુકસાન પહોંચાડ્યું હતું અને આગ લગાડી દીધી હતી. જામિયા અને ન્યુ ફ્રેન્ડસ કોલોનીમાં તોફાનો, આગ ચાંપવાના બનાવો અનમે જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાના કેટલાક કેસ નોંધવામાં આવ્યા હતા. આ હિંસામાં કેટલાય પોલીસ કર્મચારીઓ અને અન્ય લોકો પણ ઈજાગ્રસ્ત થયા હતા.

આ પહેલાં જામિયા ન્યુ ફ્રેન્ડ્સ કોલોનીમાં હિંસા મામલે દિલ્હી પોલીસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી ચૂકી છે. આમાં દિલ્હી પોલીસે JNUની સ્ટુડન્ટ્સ શરજીલ ઇમામ સહિત 17 લોકોનાં નામ સામેલ કર્યાં છે. ફેબ્રુઆરીમાં ચાર્જશીટમાં શરજીલ પર હિંસા ભડકાવવાનો આરોપ પણ મૂક્યો હતો.

 

 

આ લોકોએ બીજા માટે પોતાના ભાગનું રાશન જતું કર્યું

વડોદરા: હાલમાં કોરોના સંદર્ભે ઊભી થયેલ લોકડાઉનની પરિસ્થિતિમાં રાજ્ય સરકારની સૂચનાથી નોન NFSA એ.પી.એલ-૧ ના કાર્ડ ધારકોને વિનામૂલ્યે રાશન વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ડોદરા જિલ્લાના ડેસર તાલુકાના 407 એ.પી.એલ-1 ના સુખી સંપન્ન કાર્ડ ધારકોએ જરૂરિયાતમંદોને મદદરૂપ થવા પોતાને મળવા પાત્ર રેશનનો જથ્થો જતો કર્યો છે.

આ લોકોએ કોરોના સામેની લડાઈમાં સરકાર સાથે સહભાગી બની નવો રાહ બતાવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્યમંત્રીએ આ વખતે જેમને જથ્થો મળવાપાત્ર નથી એવા એ.પી.એલ.1 કાર્ડ ધારકોને વિનામૂલ્યે જથ્થો આપવાની સંવેદના દાખવી હતી. તેની સાથે આ શ્રેણીમાં લાભને પાત્ર હોય પરંતુ સુખી આર્થિક સ્થિતિને કારણે જરૂર ના હોય તેવા કાર્ડ ધારકોને આ લાભ જતો કરવા અપીલ કરી હતી. જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે પણ આવો અનુરોધ કર્યો હતો.

ડેસર માં વાજબી ભાવની દુકાનનું સંચાલન કરતા દીપકભાઈ ભાઈએ જણાવ્યું કે મારી દુકાન પરથી રેશન મેળવવાને પાત્ર 280 કાર્ડ ધારકો પૈકી 50 કાર્ડ ધારકો એ સામે ચાલીને ગરીબ પરિવારો માટે રેશન જતુ કર્યું છે. મહત્વનું છે કે, એ.પી.એલ-૧ ના તમામ કાર્ડધારકોને રેશનકાર્ડ દીઠ ૧૦ કિલો ઘઉં, ૩ કિલો ચોખા, ૧ કિલો ચણાદાળ અને ૧ કિલો ખાંડ વિના મુલ્યે આપવામાં આવી રહ્યું છે.

ડેસર તાલુકામાં 5695 એ.પી.એલ.1 રેશન કાર્ડ ધારકો નોધાયા છે. જે પૈકી 407 રેશનકાર્ડ ધારકો એ પોતાને મળવા પાત્ર રેશનનો જથ્થો જતો કર્યો છે.

અહીં વહીવટી તંત્ર યજમાન છે ને શ્રમજીવીઓ મહેમાન

વડોદરા: કોરોના સંક્રમણને અટકાવવા માટે સમગ્ર દેશમાં લોક ડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે ત્યારે ગુજરાતના વડોદરા જિલ્લામાં પણ પ્રથમ તબક્કાના લોકડાઉનમાં અટવાયેલા પરપ્રાંતીય શ્રમજીવીઓ માટે કલેકટર શાલિની અગ્રવાલની સૂચનાથી આશ્રય સ્થાન ઊભા કરી તેમાં આશરો આપવામાં આવી રહ્યો છે.

કરજણસ્થિત ભાર્ગવી વિદ્યાલયમાં ઊભા કરવામાં આવેલા આશ્રય સ્થાનનો પણ એમાં સમાવેશ થાય છે. અહીં 106 જેટલા પરપ્રાંતીય શ્રમજીવીઓ આશ્રય લઇ રહયા છે.

આ શ્રમજીવીઓને વહીવટી તંત્ર દ્વારા સવારે ચા, નાસ્તો, બપોરે ચા તેમજ બે ટાઇમ ગરમાગરમ ભોજનની સુચારુ વ્યવસ્થા કરી રહ્યા છે. શ્રમજીવીઓને આજે સવારે ચા સાથે ઉપમાનો નાસ્તો આપવામાં આવ્યો હતો. રોજ સવારે ચા સાથે અલગ નાસ્તો આપવામાં આવે છે. જેને પરિણામે શ્રમજીવીઓ રાહતની લાગણી અનુભવી રહ્યા છે.

આશ્રય સ્થાનને સંપૂર્ણ સેનેટાઇઝ કરવા સાથે શ્રમજીવીઓના આરોગ્યની પણ ચકાસણી મેડિકલ ટીમો દ્વારા કરવામાં આવે છે.

હવે 20 મી એ પંજાબમાં જયઘોષ દિવસઃ જાણો, શું થશે?

ચંડીગઢઃ કોરોના વાઇરસથી લડી રહેલા કોરોના યુદ્ધવીરોની સાથે એકજૂટતા બતાવવા માટે પંજાબના કેપ્ટન અમરિન્દર સિંહ સરકારની માગને સમર્થન કરવા માટે પંજાબ કોંગ્રેસે વડા પ્રધાન મોદીના ‘થાળી વગાડો’ કાર્યક્રમની જેમ 20 એપ્રિલે સાંજે છ કલાકે ‘જયઘોષ દિવસ’ મનાવવાનું એલાન કર્યું છે. પંજાબ કોંગ્રેસે લોકોને અપીલ કરી છે કે પંજાબ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ સુનીલ જાખડે પત્રમાં કહ્યું છે કે અમે કેપ્ટન અમરિન્દર સિંહની આગેવાનીમાં કોરોનાની સામે જંગ લડાઈ રહ્યા છે અને કોરોના વાઇરસના પ્રભાવને કાબૂમાં કરવામાં સફળ પણ રહ્યા છે.

પંજાબની રાહત પેકેજની અપીલ

તેમણે લખ્યું હતું કે મુખ્ય પ્રધાન અમરિન્દર સિંહે કોરોના સંકટથી લડવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી રાજ્ય માટે રાહત પેકેજ આપવાની અપીલ કરી હતી, જેથી આર્થિક સંકટથી બચી શકે. એટલા માટે તમને બધાને આગ્રહ કરું છું કે મુખ્ય પ્રધાન અમરિન્દર સિંહની માગને કેન્દ્ર સરકારની સામે બુલંદ કરો અને પોલીસ કર્મચારીઓ, ડોક્ટરો અને અન્ય કર્મચારીઓની સાથે એકજૂટતા બતાવવા માટે 20 એપ્રિલે સાંજે છ વાગ્યે ઘરની અંદર રહીને ‘જો બોલે સો નિહાલ’ અને ‘હર-હર મહાદેવ’ના સૂત્રોચ્ચાર કરવામાં આવે.

દેશમાં કોરોના કેસમાં સતત વધારો

પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દ્ર સિંહે પહેલાં પણ રાહત પેકેજની માગ કરી ચૂક્યા છે. દેશમાં કોરોના વાઇરસના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 14,378 થઈ ગઈ છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 991 નવા કેસ નોંધાયા છે અને 43 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી 480 લોકોનાં મોત થયાં છે.

 

 

તો શું અત્યાર સુધી ચીને ખોટા આંકડા આપ્યા હતા?

નવી દિલ્હીઃ ચીને વુહાન શહેરમાં કોરોના વાયરસમાં મૃ્ત્યુ પામનારા લોકોની સંખ્યામાં અચાનક 50 ટકા જેટલો વધારો થઈ ગયો છે. આની પાછળ કારણ દર્શાવવામાં આવ્યું છે કે ચીને પહેલા આપવામાં આવેલા આંકડાઓમાં સુધારો કર્યો છે અને હવે જે નવા આંકડા સામે આવ્યા છે તે અનુસાર મૃત્યુ પામનારા લોકોની સંખ્યા પહેલા બતાવવામાં આવેલા આંકડાઓથી 50 ટકા જેટલી વધારે છે. બાદમાં આખી દુનિયા એકવાર ફરીથી ચીનને શકની દ્રષ્ટીએ જોવા લાગી છે કે ક્યાંક તે વાસ્તવિક સ્થિતિ બાકી દુનિયાથી છુપાવી તો નથી રહ્યું? તો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે કે ચીન જેવી સ્થિતિનો સામનો આખી દુનિયાને પણ કરવો પડશે. WHO નું કહેવું છે કે વુહાનમાં ડિસેમ્બરના મહિનામાં પ્રથમ કેસ સામે આવ્યા બાદથી આ બીમારીએ ભયાનક સ્વરુપ ધારણ કરી લીધું હતું અને આખું શહેર આની ઝપેટમાં આવી ગયું હતું. ત્યાંના અધિકારીઓનો પ્રયત્ન હતો કે દરેક મોતનો આંકડો અને બીમાર થનારાની સંખ્યા તેમના રજીસ્ટરમાં નોંધાય. પરંતુ એ વાતનો પણ ઈનકાર ન કરી શકાય કે શરુઆતમાં બીમારી ફેલાવાની વાત પર પડદો નાંખવાના પૂર્ણતઃ પ્રયત્નો કરવામાં આવ્યા છે. એ ડોક્ટરોને પણ સજા આપવામાં આવી કે આ સંકટ મામલે ચેતવી રહ્યા હતા. આ સાથે જ જ્યારે આ બિમારી પોતાની ચરમ સીમાએ હતી તો ચીનની સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પર પણ સવાલ ઉઠી રહ્યા હતા, કારણ કે દર વખતે પોતાના આંકડાઓ એકત્ર કરવાની પ્રક્રિયામાં બદલાવ કરી રહ્યા હતા.

તો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે જ્યારે બીમારી ફેલાય છે તો તે દરમિયાન આંકડાઓને એકત્ર કરવા તે પોતાનામાં જ એક પડકાર હોય છે કારણ કે તમામ કેસોની ઓળખ કરવી તે મુશ્કેલ હોય છે. WHO માં કોરોના મામલાઓની દેરખરેખ માટે બનેલી વિંગની અધ્યક્ષ મેરિયા વેને કહ્યું કે, તે માને છે કે ઘણા દેશોને ચીનની જેમ પોતાના રેકોર્ડમાં બદલાવ કરવો પડશે.

નવા આંકડાઓ અનુસાર વુહાનમાં મૃતકોની સંખ્યામાં 1290 જેટલો વધારો થયો છે અને હવે કુલ મૃત્યુઆંક 3869 થઈ ગયો છે. જ્યારે કુલ કેસોમાં 325 નો વધારો થયો છે અને કુલ કેસોની સંખ્યા 50,333 જેટલી થઈ ગઈ છે. મારિયા વેનનું કહેવું છે કે, સંક્રમણ જ્યારે ચરમ સીમા પર હતું ત્યારે વુહાનનો સ્વાસ્થ્ય વિભાગ ગંભીર રીતે ફસાયો હતો. કેટલાક દર્દીઓના તો ઘરમાં જ મોત થઈ ગયા અને તે સમયે તમામ ધ્યાન દર્દીઓની સારવારમાં હતું એટલા માટે ડોક્યુમેન્ટને લગતા કામ તે સમયે થઈ શક્યા નહી. તો WHO ના ઈમરજન્સી ડાયરેક્ટર માઈકલ રેયાને પણ કહ્યું કે, તમામ દેશોને આનો સામનો કરવો પડશે.

 

પાડોશીઓએ પોલીસ કર્મચારીને ફૂલડે વધાવ્યા

રાજકોટઃ ગુજરાતમાં કોરોના વાયરસે કાળો કેર વર્તાવ્યો છે. દિવસેને દિવસે કેસો વધતા જઈ રહ્યા છે ત્યારે કોરોનાના કપરા સમયમાં પ્રજાજનોના રક્ષણ માટે પોલીસ સતત કાર્યરત રહે છે. આ પોલીસ જવાનો દિવસ-રાત પોતાની ફરજ નિભાવી લોકોને કોરોના સામે એક પ્રકારનું રક્ષણ મળી રહે અને લોકો કામ વગર ક્યાંય બહાર ન નીકળે તે માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે અને સુરક્ષાના બંદોબસ્તમાં ખડેપગે ગોઠવાયેલા છે. આ કોરોના સૈનિકોની ધીરજ ખૂટી નથી. બધા જ હજી જુસ્સાથી કામ કરે છે. અને લોકો પણ તેમનો જુસો વધારી રહ્યા છે.

જૂનાગઢમાં હમણાં એવું જ બન્યું. પોલીસ કર્મચારી સંજય ગઢવી પોતાના ઘરે પહોંચ્યા ત્યારે પાડોશીઓએ તાળી વગાડીને એમના પર પુષ્પ વર્ષા કરી.

સંજયભાઈ તો ડયુટી પૂર્ણ કરી રાબેતા મુજબ ઘરે પહોંચ્યા. શેરી નંબર ૧૩ના રહેવાસીઓ રાહ જોઈને ઊભા હતા. જેવા એ શેરીમાં આવ્યા કે તાળીઓના ગડગડાટ શરૂ થયા. સંજયભાઇ તો નવાઈ લાગી. ત્યાં તો એમના પર ગુલાબની પાંદડીઓ વરસવાનું શરૂ થયું. વિસ્તારમાં રહેવાસીઓએ આ રીતે એમનું બહુમાન કર્યું.

(જ્વલંત છાયા-રાજકોટ)

આજે કોરોના વાયરસના 176 નવા કેસઃ અમદાવાદમાં 143

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસને લઈને સ્થિતિ સતત વણસી રહી હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસોમાં સતત વધારે થઈ રહ્યો છે. આજે કોરોના વાયરસના કુલ 176 જેટલા નવા કેસો નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં પોઝિટીવ કેસોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. અમદાવાદ શહેરમાં 143 કેસ થયા છે. આ સિવાય વડોદરામાં 13, સુરતમાં 13, રાજકોટમાં 2, ભાવનગર અને આણંદમાં 1, ભરુચમાં 1 અને પંચમહાલમાં 1 કેસ મળ્યો છે. 

રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ માહિતી આપતા પત્રકારોને જણાવ્યું કે રાજ્યમાં કુલ નવા કેસમાંથી અમદાવાદમાં જે કેસ આવ્યા છે તે એગ્રેસિવ ટેસ્ટિંગના કારણે આવ્યા છે. તમામ કેસ હોટસ્પોટ વિસ્તારના છે. રાજ્યમાં 18મી એપ્રિલ સુધી સવારે 10.00 વાગ્યા સુધીની સ્થિતિમાં 1272 એક્ટિવ કેસ છે.

ડૉ.જયંતિ રવિએ જણાવ્યું કે રાજ્યમાં આપણને પ્લાઝમા ટેકનિકના ઉપયોગથી કોરોના વાયરસના દર્દીઓને ક્યોર કરવાની પરવાનગી મળી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન સાથે વાતચીત કરી અને આપણેને રાત્રે ક્લિયરન્સ મળ્યું છે એટલે રાજ્યમાં સિવિલ હૉસ્પિટલ અમદાવાદના વૈજ્ઞાનિકો તેનો પ્રયોગ શરૂ કરી શકશે.

રાજ્યમાં અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કેસના તમામ રેકોર્ડ તૂટ્યા છે. કોરોના વાયરસના 17મી એપ્રિલે રાત્રે 8.00 વાગ્યા પછી 143 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. અમદાવાદ શહેરના તમામ હોટસ્પોટ વિસ્તારમાં કોરોના વાયરસના કેસ મળી રહ્યા છે ત્યારે તંત્રની ચિંતામાં વધારો થયો છે. જોકે, અમદાવાદમાં વધુ સઘન ચેકિંગ કરવામાં આવશે તેવી તંત્રની તૈયારી છે.

દેશમાં કોરોનાના 991 કેસ વધીને 14,378

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસનો પ્રકોપ ઘટવાનું નામ થી લેતો. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આવેલા આંકડા મુજબ દેશમાં કોરોના વાઇરસ સંક્રમિતોની સંખ્યા વધીને 14,378 થઈ ગઈ છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 991 નવા કેસ સામે આવ્યા છે અને 43 લોકોનાં મોત પણ થયાં છે. દેશમાં અત્યાર સુધી 480 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. જોકે આ વાઇરસમાંથી 1,992 દર્દીઓ આ બીમારીને હરાવવામાં કામિયાબ થયા છે. પાછલા 24 કલાકમાં 243 લોકો સાજા થયા છે.  

ભારતના નૌસેના સુધી પહોંચ્યો કોરોના

કોરોનાની ઘૂસણખોરી ભારતીય નૌસેના સુધી પહોંચી ગઈ છે. મુંબઈમાં 21 નેવીના સૈનિકોનાં કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જેથી શહેર સ્થિત નૌસેનાની હોસ્પિટલમાં ક્વોરોન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. આ પશ્ચિમી નૌસેના કમાનના તટ પર મોજૂદ લોજિસ્ટિક અને એડમિનિસ્ટ્રેટિવ સપોર્ટ બેઝ છે.

કોરોનાના કેસ મેમાં સૌથી વધુ વધવાની શક્યતા

દેશમાં કોરોના વાઇરસના મામલા સતત વધી રહ્યા છે. ગૃહ મંત્રાલયથી જોડાયેલાં સૂત્રોનું માનીએ તો સરકારનું આંતરિક આકલન છે કે ભારતમાં કોરોનાના મામલા મેના પહેલા સપ્તાહ સુધી વધ્યા કરશે. ત્યાર બાદ કોરોના સંક્રમિતોની સંખ્યામાં ક્રમશઃ ઘટાડો થશે.

દેશમાં રાજ્યવાર કોરોના કેસોની વિગતો નીચે મુજબ છે.