Home Blog Page 4843

રાજ્યમાં કોરોનાના નવા 228 કેસઃ 140 કેસ અમદાવાદના

અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસ સતત પોતાનો કહેર વર્તાવી રહ્યો છે. દિવસેને દિવસે રાજ્યમાં પોઝિટીવ કેસોનો આંકડો સતત વધતો જઈ રહ્યો છે. રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવીએ આજે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આજે ગુજરાતમાં કોરોના વાયરસના નવા 228 જેટલા કેસ નોંધાયા છે. આ કેસો પૈકી અમદાવાદના 140 જેટલા કેસ છે. ત્યારે ગુજરાતમાં કુલ આંક 1604 પર પહોંચી ગયો છે. આ સાથે જ કુલ 5 લોકોના મોત થયા છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ કે, ગુજરાતમાં કોરોનાના નવા 228 કેસ આવ્યા છે. કુલ 1604 કેસ થયા છે જેમાંથી 94 સાજા થયા છે. 9 લોકો વેન્ટીલેટર ઉપર છે. કુલ 58 લોકોના મોત થઈ ગયા છે. એ જ રીતે અમદાવાદમાં 140, આણંદમાં 1, બનાસકાંઠા 2, બોટાદ 1, ભાવનગર 2, છોટાઉદયપુર 1, મહેસાણા 1, સુરત 67, વડોદરા 8, રાજકોટ 5 એમ કરીને આજે 228 નવા કેસ નોંધાયા છે અને કુલ આંકડો 1604એ પહોંચ્યો છે.

ગુજરાતમાં કોરોનાના નવા 228 કેસ  નોંધાયા છે. કોરોનાથી રાજ્યમાં વધુ 5ના મોત થયા છે. અમદાવાદ અને સુરતમાં ભયજનક સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદમાં 140, સુરતમાં 67 નવા કેસ સામે આવતા લોકોમાં ચિંતા વધી હતી. અમદાવાદમાં કેસનો આંક 1000ને પાર થઈ ગયો. વડોદરામાં 8, રાજકોટમાં નવા 5 કેસ, બનાસકાંઠામાં 2, આણંદમાં 1, બોટાદમાં 1 કેસ, છોટાઉદેપુર 1, મહેસાણામાં વધુ 1 કેસ સાથે ગુજરાતમાં કેસનો કુલ આંક 1604 થયો.

80 ટકા દર્દીઓમાં લક્ષણો જોવા નથી મળતા છતાં પોઝિટીવ આવે છે. અત્યાર સુધી 94 લોકો ડિસ્ચાર્જ થયા છે. ગુજરાતમાં દર 10 લાખ વ્યક્તિએ 447નું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં દર 10 લાખ લોકોએ 19 કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 3598 ટેસ્ટ કરવામાં આવ્યાં.

દેશમાં કોરોના વાઇરસ સંક્રમિતોની સંખ્યા 15,000ને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસનો પ્રકોપ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. આરોગ્ય મંત્રાલય દ્વારા રવિવારે જારી કરેલા તાજા આંકડા મુજબ દેશમાં આ વાઇરસના સંક્રમિતોની સંખ્યા વધીને 15,712 થઈ ગઈ છે. પાછલા 24 કલાકમાં કોરોના વાઇરસના 1,334 નવા કેસ સામે આવ્યા છે અને 27 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. દેશમાં કોવિડ-19થી અત્યાર સુધી 507 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. જોકે 2,231 દર્દીઓ આ બીમારીમાં સાજા પણ થઈ ચૂક્યા છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે દેશમાં ત્રીજી મે સુધી લોકડાઉનને વધારવામાં આવ્યું છે.

કોરોના પર કાબૂ મેળવવા નિષ્ફળ રહેલા નોએડાના CMOને દૂર કરવામાં આવ્યા

કોરોના વાઇરસ પર કાબૂ મેળવવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહેલા નોએડાના CMOને દૂર કરવામાં આવ્યા છે. ગૌતમબુદ્ધ નગરમાં એક મહિનામાં ત્રીજા મુખ્ય મેડિકલ ઓફિસરની નિયુક્તિ કરવામાં આવી હતી.

વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 22 લાખને પાર

વિશ્વભરમાં કોરોના વાઇરસ સંક્રમિતોની સંખ્યા વધીને 22,93,6,44 થઈ ગઈ છે અને આ રોગથી મૃતકોની સંખ્યા 157,400 થઈ ગઈ છે. જોકે આ રોગમાંથી અત્યાર સુધી 5,86,290 લોકો રોગમુક્ત થયા છે.

ઇન્દોરમાં પોલીસ ઇન્સ્પેક્ટરનું મોત

ઇન્દોર 43 વર્ષીય જિલ્લા પોલીસ ઇન્સ્પેક્ટરનો આશરે પખવાડિયાની આસપાસ જીવલેણ કોરોના વાઇરસને ભરડો લીધો હતો. આ ઇન્સ્પેક્ટરનું રવિવારે વહેલી સવારમાં ઇન્દોરની એક ખાનગી હોસ્પિટલમાં કાર્ડિયાક રેસ્ટ થવાને કારણે મોત નીપજ્યું હતું. મધ્ય પ્રદેશમાં પોલીસ અધિકારીઓમાં આ જીવલેણ વાઇરસથી થયેલી આ પહેલી જાનહાનિ છે.

દેશમાં કોરોના વાઇરસની રાજ્યવાર સ્થિતિ આ પ્રમાણે હતી.

લૉકડાઉનનો સમય આ રીતે પણ પસાર થાય!

આજે દુનિયામાં દરેક વ્યક્તિ પોતાના અંગત દુઃખને કોરાણે મૂકીને એક જ ચિંતામાં લાગી ગઈ છે. તે છે કોરોના મહામારી! જે આજની વૈશ્વિક ચિંતા છે. સમગ્ર વિશ્વમાં છવાયેલી ચિંતાજનક વાતોમાં થોડી હળવી વાતો પણ જાણવા મળી છે. જે લોકોને થોડી હળવાશ આપી જાય એવી છે! ભગવાને માનવને તેમજ સમગ્ર સૃષ્ટિને અસંખ્ય કુદરતી ભેંટો આપી છે. તેમાં માનવને એક અમૂલ્ય ભેંટ એ આપી છે કે, ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ માનવ રમૂજ ઊભી કરી શકે છે અને દુઃખને હળવું કરી શકે છે! લૉકડાઉનને લીધે સામાન્ય માણસથી માંડીને મોટી સેલિબ્રિટીની લાઇફસ્ટાઇલ સુદ્ધાં એક જેવી થઈ ગઈ છે. દરેક જણ ઘરકામ કરી રહ્યાં છે. પુરુષો પણ ઘરકામમાં મદદ કરી રહ્યાં છે!

સેલિબ્રિટીઓ ઘરમાં કામ કરતી વખતનાં પોતાના ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યાં છે. ક્યાંક એક હળવી રમૂજ ફેલાવીને લોકોને મનોરંજન પૂરું પાડી રહ્યા છે અને થોડી ક્ષણો પૂરતાં પણ એ લોકો રમૂજી બની રહ્યાં છે! સેલિબ્રિટી એક્ટ્રેસ કેટરિના કૈફે પોતે ઘરમાં ઝાડુ કરી રહી છે તે અને તે ઝાડુ વડે જ બેટિંગ કરતા ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતાં.
તો એક્ટ્રેસ આલિયા ભટ્ટ રસોડામાં કોઈ વાનગી બનાવી રહી છે. તેવો ફોટો તેની બહેન શાહીને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો અને લખ્યું, ‘little pudding, making pudding’ એટલે કે, તે બહુ લાડથી પોતાની નાની બહેનને પુડિંગ કહી રહી છે. તેના તે વિશે લખે છે ‘મારું નાનકડું પુડિંગ બનાવી રહ્યું છે પુડિંગ!’

શ્રીદેવીની દિકરી જ્હાન્વી કપૂર પોતાના ઘરમાં ડાન્સની પ્રેક્ટિસ કરી રહી છે તેનો વિડીયો તેણે શેર કર્યો છે.
બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી પણ પોતાના ગાર્ડનની સફાઈ કરી રહી છે. ગાર્ડનમાં પોતે ઝાડુ કાઢી રહી છે તેવો વીડીયો તેણે શેર કર્યો છે. જેમાં તેણે લોકોને કહ્યું, ‘હાલ લૉકડાઉનમાં ઘરે કામ કરવા મેઇડ નથી આવી રહ્યાં, તો તમે ઘરના બધા કામ કરો, સાફ-સફાઈ કરો. એટલે તમારા શરીરને કસરત મળી રહેશે, જેથી તમને ઘરમાં કંટાળો પણ નહીં આવે. ઘરકામથી સરસ કસરત કઈ હોય શકે? ઘરમાં કે ગાર્ડનમાં ઝાડુ કાઢો એમાં તમારી cardioની કસરત થઈ જશે!’

સાથે શિલ્પાએ તેના ઘરમાં આવતા કામ કરવાવાળા સ્ટાફને લઈને પણ લાગણીસભર શબ્દો લખ્યાં છે. ‘લૉકડાઉનના આ સમય દરમ્યાન ઘરે કામ કરવાથી મને ખ્યાલ આવ્યો કે, આપણે આપણાં ઘરે કામ કરવા આવતા સ્ટાફને લીધે જ જિંદગીમાં ખુશીઓ માણી રહ્યા છીએ, આપણી પ્રવૃતિઓ માટે કે સપના પૂરા કરવા માટે સમય મેળવી શકીએ છીએ. હું મારા ઘરમાં કામ કરવા આવતી દરેક વ્યક્તિની આભારી છું. આ લૉકડાઉનનો સમય પૂરો થયા પછી જ્યારે જીવન નોર્મલ થાય ત્યાર પછી આપણે આપણા ઘરમાં કામ કરવા આવતા દરેક લોકોની કદર કરવી જોઈએ. એમની કદર કરવાનું ભૂલવું ના જોઈએ.’

બીજા કિસ્સાઓમાં અમુક મહિલાઓએ ભારતીય પારંપરિક પોશાક પહેરીને પોતાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને પોતાની ઓળખીતી મહિલા અથવા બહેનપણીઓને ચેલેન્જ કરી છે કે, તેઓ પણ ભારતીય પારંપરિક પોશાક પહેરીને પોતાનો ફોટો શેર કરે!

ઉપરાંત બીજા ઘણા પ્રકારના ફોટો જેમ કે, ઘરમાં કામ કરતી વખતનાં ફોટો મૂકવાની પણ ચેલેન્જ કરી. લોકોએ આ ચેલેન્જ પણ ઉપાડી લીધી. શહેરથી પોતાના ગામે કોઈ ગયું હોય તો ત્યાંના જીવન પ્રમાણે લાકડાં વીણવાનું અને માથે ઉંચકવાનો સુદ્ધાં ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે!

કોઈક મહિલાએ તો ઘરના વિવિધ કામ કરતી વખતે પોતાનો વિડીયો બનાવી દીધો. જેમાં ઘરની સફાઈથી માંડીને રસોઈ કરતી વખતે તેમજ લેપટોપ લઈને ઘરે ઓફિસ વર્ક કરતી પ્રોફેશનલ મહિલાના પણ એને દર્શન કરાવી દીધા છે!

આ બધાથી હટકે, વિદેશી વાયરો તો એવો ચાલ્યો છે કે, ત્યાંની મોટી મોટી સેલિબ્રિટીઝ #BinIsolationOuting ચેલેન્જ હેઠળ સરસ મજાના પાર્ટીવેર જેવા પોશાક પહેરીને, તૈયાર થઈને પોતાના ઘરની કચરા કુંડીને ઘરની બહાર મૂકવા જઈ રહ્યાં છે. તેવો ફોટો તેમજ વિડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યાં છે.વળી, વિડિયો કે ફોટો મૂકીને તેઓ અટકી નથી ગયા. તેઓ બીજા લોકોને પણ ટૅગ કરીને આ જ રીતે પોતાના ફોટો કે વીડિયો શેર કરવાની ચેલેન્જ ફેકી રહ્યા છે.


આ ટ્રેન્ડની શરૂઆત ઓસ્ટ્રેલિયાથી થઈ. ત્યાંથી થઈને ટેક્સાસ, યુકે તેમજ નેધરલેન્ડ્સમાં પણ આ ટ્રેન્ડને લોકો પૂરા ઉત્સાહથી ફોલો કરી રહ્યાં છે.

સિડનીની વતની 30 વર્ષની વિક્ટોરિયા એન્થની જે પોતે ડીજે છે તે આ બાબતે કહે છે, ‘સ્ટાઇલિશ કપડાં પહેરીને તૈયાર થઈને ઘરની કચરા કુંડી બહાર મૂકવા જવાની ચેલેન્જે મને સરસ મજાનો ઉત્સાહ આપ્યો. લૉકડાઉનમાં આવી ચેલેન્જ કોઈને આપવી કે કરવી એ કોઈપણ રીતે અવિવેકી કે બુદ્ધિ વગરનું નથી. પરંતુ આ એકદમ સ્વસ્થ માનસિકતા છે.’

આ ચેલેન્જ ઉપાડીને કોઈકે વળી ટેડી-બેરનો વેશ ધારણ કરી લીધો. તો મોંઢામાંના દાંતની વેશભૂષા ધારણ કરીને નીકળી પડ્યા છે. કોઈકે સુપર મેન ટી-શર્ટ પહેર્યું છે. ‘આ ટ્રેન્ડની શરૂઆત આકસ્મિક રીતે થઇ’ એવું કહેનાર ઓસ્ટ્રેલિયાની વતની ડેનિયલ આસ્ક્યૂ જેઓ કિન્ડરગાર્ટનમાં શિક્ષિકા છે તેઓ વધુમાં જણાવે છે કે, ‘મારી એક બહેનપણીએ મારા ફેસબુક પેજ ઉપર પોસ્ટ મૂકી કે, તે પોતાના ઘરના કચરાની કુંડી બહાર મૂકવા જઇ રહી છે અને આમ મને બહાર જવા મળી રહ્યું છે તે વાતે હું ઘણી ઉત્સાહિત છું.’

 

આ વાત પર અમસ્તુ જ મેં મારી બહેનપણીને કહ્યું, ‘શું તું આજ કચરાની પેટી બહાર મૂકવા માટે સરસ મજાના કપડાં પહેરીને, તૈયાર થઈને જઈ શકે છે?’

‘હું પણ એ રીતે તૈયાર થઇશ અને ફેસબુકમાં એક ગ્રુપ બનાવીને એમાં આપણા ફોટો મૂકીશ. બધાને આવા ગાર્બેજ બીન સાથેના આપણા ફોટા જોવાની મજા પડશે.’ ‘મારી બહેનપણી માની ગઈ અને જુઓ મારા ફેસબુક ગ્રુપમાં 4,70,000 લોકો જોડાયા છે.’

આસ્ક્યૂ વધુમાં કહે છે, ‘મને ખુશી થાય છે કે, આ રીતે ફેસબુક પેજ પરની ચેલેન્જથી લોકોને ઉત્સાહિત કરવામાં હું નિમિત્ત બની. લોકો મને મેસેજ લખી રહ્યાં છે. તેઓ લખે છે કે, ‘તેઓ દુનિયામાં ફેલાયેલા આ વાયરસથી ભયભીત થઈને ડિપ્રેશનમાં આવી ગયા હતા, પણ જેવું તમારા ફેસબુક પેજ પર ગાર્બેજ બીનને લઈને પોસ્ટ જોઈ તો અમે હસી પડ્યાં.’

નાના બાળકો પણ આસપાસની પરિસ્થિતિને ઘણી સારી રીતે સમજી રહ્યા છે. બાળકો પણ ઘરે પોતાનો સમય પસાર કરવા અવનવી પ્રવૃત્તિઓ કરે છે. ડ્રોઈંગ કરીને વર્તમાન પરિસ્થિતિનો ચિતાર આપી દે છે. જેમ કે, કોરોનાથી બચવાનો ઉપાય ડ્રોઈંગમાં બતાવી દીધો છે. તો કોઈક બાળકે કમ્પ્યુટર પર રામનવમી નિમિત્તે photoshop માં ઇમેજ બનાવી દીધી છે કે, ભગવાન રામનું ધનુષ્ય કોરોનાવાયરસને મારી રહ્યું છે. કહેવાનું તાત્પર્ય એ જ કે, જો ખાલી સમય મળે તો દરેક વ્યક્તિની કોઈને કોઈ સર્જનાત્મકતા સામે આવી જ જાય છે. દરેક જણ સમયનો સદુપયોગ પણ કરી જાણે છે અને સાથે સાથે લોકોમાં ઉત્સાહ પણ જગાડી શકે છે!

ડિજિટલ સ્ટેથોસ્કોપ જે દૂર થી જ દર્દીના ધબકારાને રેકોર્ડ કરી લે!

કોરોના દર્દીની પ્રાથમિક તપાસમાં ફેફસાના ધબકારા સાંભળીને નિદાન કરવું એ પણ અગત્યનું છે. તે માટે ડોકટરોએ રોગીની નજીક જઈને સ્ટેથોસ્કોપ વડે ધબકારા માપવા પડે છે. એટલે આ સંક્રમણનો ભય ડોકટરને પણ રહેલો છે. પરંતુ આ સમસ્યાનો ઉકેલ આઇઆઇટી બોમ્બે ની ટીમે ડિજિટલ સ્ટેથોસ્કોપ બનાવીને કરી લીધો છે!

કોરોના વાયરસ માણસના મોંઢા કે નાક વાટે ગળાથી થઈને ફેફસાં સુધી પહોંચી જાય તો રોગીની હાલત કથળતી જાય છે. કેમ કે, આ વાયરસ ફેફસાં પર ત્રાટકે ત્યારબાદ રોગીને શ્વાસ લેવામાં ઘણો અવરોધ આવે છે. આ બીમારીનું પ્રાથમિક સ્તરે ઝડપી નિદાન થાય તો રોગીને બચાવવો સહેલું થઈ જાય. કોરોનાથી સંક્રમિત દર્દીમાં આ રોગ જેમ જેમ વકરતો જાય તેમ તેમ તેના ધબકારાના અવાજમાં ફરક આવતો જાય છે. અવાજમાં કર્કશતા અને ઘરઘરાટી ઉમેરાતા જાય છે.

કોરોના દર્દીની પ્રાથમિક તપાસમાં ફેફસાના ધબકારા સાંભળીને નિદાન કરવા માટે સ્ટેથોસ્કોપ વડે તપાસ કરવામાં ડોક્ટરોએ દર્દીના ધબકારા સાંભળવામાં બહુ જ ધ્યાન આપવું પડે છે. તેમાં પણ જો આજુબાજુ અવાજ વધુ આવતો હોય તો ડૉક્ટરને તપાસ કરવામાં વધુ તકલીફ પડે છે.

આઇઆઇટી બોમ્બેની ટીમે ડિજિટલ સ્ટેથોસ્કોપ બનાવ્યું છે. જેને નામ આપ્યું છે આયુસિન્ક (AyuSink). આ સ્ટેથોસ્કોપ રિમોટથી ચાલે છે અને દૂરથી જ દર્દીના ધબકારાને રેકોર્ડ કરી લે છે.

આ ઉપકરણ બનાવનાર ટીમના એક સભ્યે માહિતી આપતા જણાવ્યું કે, ‘દર્દીના ધબકારાને માપવા માટે હવે ડોક્ટરે એમની નજીક જઈને તપાસ નહીં કરવી પડે. ડિજિટલ ઉપકરણ મારફતે ધબકારાની ગતિ સંબંધી ડેટા-માહિતી બ્લુટુથ દ્વારા ડોક્ટર સુધી પહોંચી જાય છે. તેમજ આ ડેટાને વધુ તપાસ માટે અન્ય ડોક્ટર પાસે પણ મોકલી શકાય છે. આ સ્ટેથોસ્કોપમાં કાનમાં લગાડવામાં આવતા બે ઉપકરણ એક ટ્યુબ સાથે જોડાયેલા છે. આ ટ્યુબ આજુબાજુના અવાજોને કાઢી નાખીને ફક્ત શરીરના ધબકારાને જ ડિવાઇસ સુધી મોકલે છે. માપેલા ધબકારાના અવાજ આ ઉપકરણ સંઘરે છે. જેથી આ હેલ્થ રેકોર્ડ વધુ તપાસ માટે મોકલી શકાય.’

આયુસિન્ક ઉપકરણ બનાવનાર આદર્શ કે. કહે છે, ‘આ ડિજિટલ ઉપકરણનો સૌથી મોટો ફાયદો એ છે કે તે વિવિધ અવાજોમાંથી માત્ર માનવ ધબકારાની છણાવટ કરી લઈને તેને ઇલેક્ટ્રોનીક સંકેતોમાં બદલી નાખે છે. આ સંકેત સ્માર્ટફોન અથવા લેપટોપ પર ફોનોકાર્ડિયોગ્રામ એટલે કે ધબકારા દેખાડનાર ચાર્ટના રૂપમાં દેખાય છે.’

આઈઆઈટી ટીમે આ ઉપકરણ માટે પેટન્ટ પણ મેળવી લીધા છે.

સમાચાર એજન્સી પીટીઆઈના રિપોર્ટ મુજબ Ayu devices નામે સ્ટાર્ટ-અપ ચલાવનાર આઈઆઈટીની ટીમે દેશની વિભિન્ન હોસ્પિટલોમાં આવા એક હજાર જેટલાં ડિજિટલ સ્ટેથોસ્કોપ મોકલી આપ્યા છે. આ ડિજિટલ સ્ટેથોસ્કોપ ‘આયુસિન્ક’ ‘આયુ ડિવાઇસિસ’ દ્વારા અન્ય મેડિકલ સંસ્થા ‘બાયો-મેડિકલ એન્જિનિયરીંગ એન્ડ ટેકનોલોજી ઈન્ક્યુબેશન સેન્ટર (BETIC)ના સહયોગથી બનાવવામાં આવ્યું છે.

BETICના સીઈઓ રૂપેશ ઘ્યાર જણાવે છે કે, ‘આ ડિજિટલ ઉપકરણનો ઉપયોગ ડોક્ટર સિવાયના અન્ય કોઈપણ હેલ્થકેર પ્રોફેશનલ પ્રોટેક્ટિવ સુટ પહેરીને કરી શકશે. આ ડિજિટલ ઉપકરણ દ્વારા દર્દીના ફેફસાનો અવાજ રેકોર્ડ કરીને આ રેકોર્ડ અનુભવી ડોક્ટર સુધી પહોંચાડી શકાય છે. આ રીતે ડૉક્ટરોનો વર્કલોડ પણ ઓછો થઇ શકશે. સાથે સાથે અસંખ્ય દર્દીઓના ઇન્ફેકશનની તપાસ તેમજ દેખરેખ પણ એકસાથે થઈ શકે છે. જેથી કોવિડને કાબૂમાં રાખવો સહેલો થઇ શકશે!’

તો કોરોનાની સૌથી પહેલી વેક્સિન બનાવશે ભારત?

નવી દિલ્હીઃ ભારતે ન માત્ર કોરોના વાયરસ પર સૌથી ઓછા સમયમાં લગાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે પરંતુ ભારત જ સંભવતઃ એ પહેલો દેશ હશે કે જે કોરોના વાયરસની વેક્સિન વિશ્વમાં સૌથી પહેલા વિકસિત કરી લેશે. અત્યારે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ચીન, ઈઝરાયલ સહિત કેટલાય દેશો કોરોના વાયરસની વેક્સિન વિકસિત કરવાના કામમાં જોડાયા છે. આશાઓ છે કે ભારત આ બધાથી પહેલા સફળતા પ્રાપ્ત કરી લેશે.

પ્રાપ્ત વિગતો અનુસાર ભારતીય કંપનીઓ ક્લિનીકલ ટ્રાયલના સ્ટેજમાં છે. જ્યારે બાકી બધા હજી ત્યાં પહોંચવાના છે. ભારતની છ ભારતીય કંપનીઓ કોરોના વાયરસ માટે વેક્સિન તૈયાર કરવા પર કામ કરી રહી છે. આશરે 70 વેક્સિન કેન્ડિડેટ્સ પર ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. ઓછામાં એછા ત્રણ ટેસ્ટ હ્યુમન ક્લિનિકલ ટ્રાયલના ચરણમાં છે. જો કે આ વેક્સિન 2021 માં જ બજારમાં આવશે પરંતુ વિશ્વમાં પહેલી વેક્સિન હોઈ શકે છે કે જે બજારમાં પહોંચશે.

ટ્રાન્ઝેક્શન હેલ્થ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ઈન્સ્ટીટ્યૂટ, ફરીદાબાદના કાર્યકારી ડિરેક્ટર ગગનદીપ કાંગે મીડિયાને જણાવ્યું કે, ઝાયડસ કેડિલા બે વેક્સિન બનાવવા પર કામ કરી રહી છે. જ્યારે સીરમ ઈન્સ્ટીટ્યૂટ, બાયોલોજિકટલ ઈ, ભારત બાયોટેક, ઈન્ડિયન ઈમ્યૂનોલોજીકલ અને માયનવૈક્સ એક-એક વેવક્સિન ડેવલપ કરવાના કામમાં લાગેલી છે. તેમનું કહેવું છે કે, વેક્સિન વિકસિત કરવી તે એક જટીલ પ્રક્રિયા છે. આને ટેસ્ટિંગના કેટલાય ચરણમાંથી પસાર થવું પડે છે. આમાં કેટલાય પડકારો હોય છે. ભારતીય કંપનીઓ આ પડકારો સામે ઉંડાણપૂર્વકની સુઝબુઝ સાથે આગળ વધી રહી છે.

ધ્યાનમાં રાખવા જેવી વાત એપણ છે કે, કોવિડ-19 ની વેક્સિન બનાવનારી 6 કંપનીઓના નામ ટ્રાંઝેશનલ હેલ્થ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ઈન્સ્ટીટ્યૂટ જણાવવામાં આવ્યા છે. જ્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ગ્લોબલ કંપનીઓનું લિસ્ટ કે જે વેક્સિન બનાવવાના કામમાં જોડાયેલી છે તેમાં ભારતમાંથી માત્ર ઝાયડસ કેડિલા અને સીરમ ઈન્સ્ટીટ્યૂટ જ છે.

મુંબઈમાં પોલીસો માટે ઓટોમેટિક સેનિટાઈઝ ટનલ…

જીવલેણ કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે મુંબઈમાં પોલીસ તંત્ર અત્યંત સજાગ છે. મુંબઈના રહેવાસીઓની સુરક્ષા માટે દિવસ-રાત અને પોતાના જાનના જોખમે ફરજ બજાવતા પોતાના જવાનો અને નાગરિકો પણ સુરક્ષિત રહે એ માટે પોલીસ વિભાગે અનેક પગલાં લીધાં છે. એમાંનું એક પગલું છે કે ઓટોમેટિક સેનિટાઈઝ ટનલનું. મધ્ય મુંબઈના ધારાવી વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનમાં જવાનોને જંતુમુક્ત રાખવા માટે ઓટોમેટિક સેનિટાઈઝ ટનલ બેસાડવામાં આવી છે.

પડોશના થાણે જિલ્લાના ભાયંદર ઉપનગરના પૂર્વ ભાગના નવઘર પોલીસ સ્ટેશનની બહાર ઊભી રાખવામાં આવતી એક પોલીસ વેનની અંદર પણ જવાનો માટે ઓટોમેટિક સેનિટાઈઝ સુવિધા બેસાડવામાં આવી છે. (તસવીરોઃ દીપક ધુરી)

વાહ ભાઈ વાહ! ૧૯ એપ્રિલ, ૨૦૨૦

વાહ ભાઈ વાહ! ૧૯ એપ્રિલ, ૨૦૨૦

સુવિચાર – ૧૯ એપ્રિલ, ૨૦૨૦

સુવિચાર – ૧૯ એપ્રિલ, ૨૦૨૦

WHOનું ફન્ડિંગ રોકવાથી વિશ્વના દેશો પર શું અસર પડશે?

વોશિંગ્ટનઃ કોરોના કહેરની વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે WHOને અપાતા ફંન્ડિગને અટકાવવાની જાહેરાત કરી છે. અમેરિકાએ બે-ત્રણ મહિના માટે ફન્ડિંગ આપવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. અમેરિકાએ 2019માં વિશ્વ આરોગ્ય સંસ્થાએ 400 મિલિયન ડોલરનું ફન્ડિંગ કર્યું હતું, જે સંપૂર્ણ બજેટના 15 ટકા છે, પણ અમેરિકાએ ફન્ડિંગને કેમ અટકાવ્યું? અને એ નિર્ણયલીધા પછી વિશ્વના અન્ય દેશો પર શી અસર પડશે, આવો સમજીએ…

WHOની રચના કેમ થઈ?

વર્ષ 1948માં WHOની રચના સંયુક્ત રાષ્ટ્રના વૈશ્વિક આરોગ્ય સંસ્થા તરીકે થઈ હતી. WHOની રચનાના મુખ્ય લક્ષ્ય વૈશ્વિક આરોગ્યને પ્રોત્સાહન આપવાનું હતું. બીજા વિશ્વ યુદ્ધ પછી WHO જેવી સંસ્થા બનાવવા પર ભાર આપવામાં આવ્યો હતો. અતિસંવેદનશીલ અથવા નબળા દેશોને સંક્રમિત બીમારીઓને ફેલાવાથી જિંદગી બચાવવાનું કામ WHOનું છે. કોલેરા, કમળો અને પ્લેગ જેવી બીમારીઓની સામે લડવા માટે WHOએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

WHOની કામગીરી

WHOની દેખરેખમાં એક કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેના હેઠળ વિશ્વભરના અબજો લોકોને સારા આરોગ્યની સેવાઓ આપવાની છે અને આરોગ્ય ઇમર્જન્સી માટે લોકોની ઉચિત મદદ કરવાની છે.

ટ્રમ્પના નિવેદન પછી WHO પર શી અસર?

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે WHOને ફંડ નહીં આપવાની જાહેરાત કરી. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે આરોપ લગાવ્યો હતો કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોના વાઇરસને રોગચાળો જાહેર કરવામાં મોડું કર્યું અને ચીનને કેન્દ્રમાં રાખ્યો.

અમેરિકા WHOના કુલ બજેટમાં 10-15 ટકા યોગદાન આપે છે. WHOએ કોરોના વાઇરસથી લડવા માટે અમેરિકા પાસેથી એક બિલિયન ડોલરની વધારાની મદદ કરવાની અપીલ કરી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના સમર્થકોએ WHO પર આરોપ લગાવ્યો હતો કે વ્યક્તિથી વ્યક્તિ સંક્રમણ પર WHOએ મોડેથી એની પ્રતિક્રિયા આપી હતી અને ચીનની પારદર્શિતા પર સવાલ નહોતો ઊભો કર્યો.

2014-15માં ઈબોલા અને કોરોના કાબૂ મેળવવામાં WHOના પ્રદર્શનની તુલના?

વર્ષ 2014-15માં જ્યારે ઈબોલાએ વિશ્વમાં પ્રસરવાનું શરૂ કર્યું હતું, ત્યારે WHOના ડિરેક્ટર માર્ગરેટ ચીન હતા. ઈબોલાના સમયે ચાનને વિશ્વભરમાં આલોચનાનો શિકાર થવું પડ્યું હતું.  ઈબોલા ગિનીના એક જંગલથી શરૂ થયો હતો અને એ સિયેરા લિયોન અને લાઇબિરિયાની સરહદ લાગે છે, પણ છ મહિનામાં ઈબોલા જોતજોતામાં ગાઢ જંગલમાં ફેલાઈ ગયો છે.

અમેરિકાના કેટલાક નિષ્ણાત WHOને ભંગ કરીને નવી સંસ્થા બનાવવાનું સૂચન

WHOની મોડીથી પ્રતિક્રિયાને વિશ્વમાં ઘણી આલોચના થઈ હતી. અમેરિકાના કેટલાક નિષ્ણાતોએ WHOને ભંગ કરીને નવી સંસ્થા બનાવવાની માગ કરી છે, જોકે ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ઓબામાએ આનું સમર્થન નથી કર્યું .

અમેરિકાની જાહેરાત પથી શી અસર પડશે?

અમેરિકાના 60-90 દિવસો ફન્ડિંગ અટકાવવાનો નિર્ણય ભલે નાનો હોય, પણ જરાય ઊણો નથી. ટ્રમ્પની  જાહેરાત બાદ WHO ઓછા ફંડવાળા કાર્યક્રમોમાં સંભવિત ફંડ કાઢવા પર વિચાર કરી રહી છે. આના લીધે કોરોના સંબંધિત વેક્સિન બનાવવાના કાર્યક્રમ પર પણ નકારાત્મક અસર પડી શકે છે.

 

 

ડેવિડ વોર્નરનો ‘શીલા કી જવાની’ ગીતની ધૂન પર પુત્રી સાથે ડાન્સ

સિડનીઃ ઓસ્ટ્રેલિયાના ધુંઆધાર ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે એના ઘરમાં એની બે પુત્રી સાથે બોલીવૂડ ફિલ્મના ‘શીલા કી જવાની’ ગીતની ધૂન પર ડાન્સ કર્યો હતો અને એનો ટિકટોક વિડિયો ઈન્ટરનેટ પર પોસ્ટ કરતાં તરત જ એ વાયરલ થયો છે.

હાલ આખું વિશ્વ કોરોના વાઈરસના રોગચાળાને કારણે ત્રસ્ત છે અને લોકડાઉન થયું છે. એમાં ઓસ્ટ્રેલિયા પણ બાકાત નથી. વોર્નર પોતાના ઘરમાં ક્વોરન્ટાઈન સમયગાળો વિતાવી રહ્યો છે. આવા નિરાંતના સમયમાં એણે એની દીકરીઓ ઈવી અને ઈન્ડી સાથે મળીને 2010માં આવેલી બોલીવૂડની ફિલ્મ ‘તીસ માર ખાન’ના ખૂબ જાણીતા થયેલા આઈટમ સોન્ગ ‘શીલા કી જવાની’ની ધૂન પર ડાન્સ કર્યો અને પછી એનો વિડિયો પોતાના સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ પર શેર કર્યો. તે ગીત કેટરીના કૈફ પર ફિલ્માવવામાં આવ્યું હતું.

બાપ-દીકરી બંનેને વિડિયોમાં આ ગીતના મસ્ત સ્ટેપ્સ લેતા જોઈ શકાય છે.

વોર્નર અને એની પત્ની કેન્ડીસને 3 પુત્રી છે – ઈવી મે, ઈન્ડી રે અને ઈસ્લા રોઝ.

33 વર્ષીય વોર્નરે આ જ ગીત પર એમનાં ડાન્સના બે વિડિયો ઈન્ટરનેટ પર શેર કર્યા છે અને બંનેને અઢળક વ્યૂઝ મળ્યા છે. અનેક કમેન્ટ્સ પણ આવી છે. એક જણે લખ્યું છે કે, ‘તમે બંનેએ તો કેટરીના કરતાં પણ વધારે સરસ ડાન્સ કર્યો છે’… તો એક અન્ય જણે લખ્યું છે, ‘હાહાહા… વધારે પ્રેક્ટિસની જરૂર છે દોસ્ત.’

ડાબોડી બેટ્સમેન વોર્નરને 2018માં બોલ સાથે ચેડાં કરવાના પ્રકરણમાં તેની ભૂમિકા બદલ એક વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પ્રતિબંધિત કરાયો હતો. એક વર્ષનો પ્રતિબંધ પૂરો થયા બાદ એ ક્રિકેટ મેદાન પર પાછો ફર્યો હતો અને જોરદાર ફોર્મ બતાવ્યું હતું. ભારતમાં, આઈપીએલ સ્પર્ધામાં એ સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમનો કેપ્ટન છે. 2016માં એના સુકાનીપદ હેઠળ હૈદરાબાદ ટીમે ટ્રોફી જીતી હતી. ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને પરાજય આપ્યો હતો.

આ વર્ષે આઈપીએલ સ્પર્ધાને કોરોના વાઈરસ મહાબીમારીને કારણે બેમુદત મુલતવી રાખવામાં આવી છે.

 

View this post on Instagram

?? somebody help us please!!

A post shared by David Warner (@davidwarner31) on