મુંબઈમાં પોલીસો માટે ઓટોમેટિક સેનિટાઈઝ ટનલ…

જીવલેણ કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે મુંબઈમાં પોલીસ તંત્ર અત્યંત સજાગ છે. મુંબઈના રહેવાસીઓની સુરક્ષા માટે દિવસ-રાત અને પોતાના જાનના જોખમે ફરજ બજાવતા પોતાના જવાનો અને નાગરિકો પણ સુરક્ષિત રહે એ માટે પોલીસ વિભાગે અનેક પગલાં લીધાં છે. એમાંનું એક પગલું છે કે ઓટોમેટિક સેનિટાઈઝ ટનલનું. મધ્ય મુંબઈના ધારાવી વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનમાં જવાનોને જંતુમુક્ત રાખવા માટે ઓટોમેટિક સેનિટાઈઝ ટનલ બેસાડવામાં આવી છે.

પડોશના થાણે જિલ્લાના ભાયંદર ઉપનગરના પૂર્વ ભાગના નવઘર પોલીસ સ્ટેશનની બહાર ઊભી રાખવામાં આવતી એક પોલીસ વેનની અંદર પણ જવાનો માટે ઓટોમેટિક સેનિટાઈઝ સુવિધા બેસાડવામાં આવી છે. (તસવીરોઃ દીપક ધુરી)