નવી દિલ્હી: દેશદ્રોહના આરોપમાં ધરપકડ કરાયેલા જેએનયુના સ્કોલર શરજીલ ઇમામની પૂછપરછમાં પોલીસને અનેક ચોંકાવનારી માહિતી મળી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે શરજીલ ઇમામ પૉપુલર ફ્રંટ ઓફ ઈન્ડિયા (પીએફઆઇ)ના લોકોના સંપર્કમાં હતો. જેની સાથે શરજીલની સતત વાતચીત થતી રહેતી હતી. જોકે, શરજીલનો દાવો છે કે, તેમને જાણકારી નથી કે, આ લોકોનો સંબંધ પીએફઆઈ સાથે છે. આ સાથે જ શરજીલની રિમાન્ડ ત્રણ દિવસ માટે લંબાવાઈ છે.

આ તમામ લોકો વ્હોટ્સએપ ગ્રુપ મુસ્લિમ સ્ટૂડન્ટ ઓફ જેએનયુ તેમજ મુસ્લિમ સ્ટૂડન્ટ ઓફ જામિયા સાથે જોડાયેલા હતા. બીજી તરફ શરજીલના મોબાઇલની તપાસ બાદ પોલીસે જામિયા અને અલીગઢ યુનિવર્સિટીના 15 વિદ્યાર્થીઓની ઓળખ કરી છે કે જેઓ શરજીલના સંપર્કમાં હતા. પોલીસે આ તમામને પૂછપરછ માટે નોટિસ પાઠવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શરજીલના લેપટોપ અને ડેસ્કટોપની તપાસમાં સામે આવ્યું છે કે શરજીલે જામિયા હિંસા પહેલા ઉર્દુ અને અંગ્રેજીમાં કેટલાક ભડકાઉ પોસ્ટર બનાવ્યા હતા. આ પોસ્ટર તેમણે વિવિધ વ્હોટ્સએપ ગ્રુપ પર પોસ્ટ કર્યા હતા. પોલીસે શરજીલના મોબાઇલમાંથી ડિલીટ થયેલો ડેટા પણ મેળવ્યો છે. મોબાઇલમાંથી મળેલા અનેક વીડિયોમાં શરજીલ ભડકાઉ ભાષણ આપતો જોવા મળી રહ્યો છે.











ઓપિનિયન પોલમાં જણાવ્યા મુજબ જો દિલ્હીમાં આજે ફરીથી લોકસભાની ચૂંટણી યોજવામાં આવે તો ભાજપ તમામેતમામ સાત બેઠકો પર જીત હાંસલ કરે એવી સંભાવના છે. જોકે સર્વે અનુસાર દિલ્હીમાં આમ આદમી પાર્ટી ઘણી મજબૂત સ્થિતિમાં છે અને આ ચૂંટણીમાં એને 54થી 60 બેઠકો મળવાનું અનુમાન છે.







માર્ક ઝુકરબર્ગે ત્રણ મિત્રોની સાથે મળીને ફેસબુકને આજે લોન્ચ કર્યું હતું. જે વિશ્વનું સૌથી મોટું સોશિયલ નેટવર્ક બન્યું. પાછલા બે દાયકામાં ટેક્નોલોજીએ જે ગતિ પકડી છે, એણે લોકોની જીવનશૈલીને એકદમ બદલી નાખી છે. ફેસબુકને ચોથી ફેબ્રુઆરી, 2004એ લોન્ચ કરવામાં આવ્યું હતું. ફેસબુકના સંસ્થાપકોમાં એન્ડ્રયુ મેકકોલમ, માર્ક ઝુકરબર્ગ, ડસ્ટિન મોસ્કોવિટ્સ, એડુર્ડો સેવેરિન અને ક્રિસ હ્યુજીસ છે.

