Home Blog Page 4795

પાકિસ્તાનમાં 107 જણ સાથેનું પેસેન્જર વિમાન રહેણાક કોલોનીમાં દુર્ઘટનાગ્રસ્ત

કરાચીઃ પાકિસ્તાનના બંદરગાહ શહેર કરાચીમાં આજે બપોરે ભયાનક દુર્ઘટના સર્જાઈ. 99 પ્રવાસીઓ તથા 9 ક્રૂ મેમ્બર્સ સહિત 107 જણ સાથેનું પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સનું એક વિમાન રહેણાક વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

તે વિમાન લાહોરથી કરાચી આવી રહ્યું હતું અને કરાચી એરપોર્ટ નજીકના માલિર વિસ્તારમાં મોડેલ કોલોની નજીકના જિન્નાહ ગાર્ડન મોહલ્લામાં એ તૂટી પડ્યું હતું.

PK8303 નંબરની ફ્લાઈટ કરાચી એરપોર્ટ પર બપોરે 2.45 વાગ્યે ઉતરવાની હતી, પણ એની એક જ મિનિટની પહેલાં એ રહેણાક કોલોની પર તૂટી પડ્યું હતું.

એરબસ A320 વિમાનનું સંચાલન પાકિસ્તાન સરકારની પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ કરતી હતી.

વિમાન ચાર-પાંચ મકાનો પર તૂટી પડ્યું હતું. વિમાન ઉતરાણ કરવાનું હતું એની એક મિનિટ પહેલાં જ એની સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.

દુર્ઘટનામાં કેટલા જણ માર્યા ગયા છે એની તત્કાળ જાણકારી મળી નહોતી. કોરોના વાઈરસને કારણે લોકડાઉન સમાપ્ત કર્યા બાદ કમર્શિયલ વિમાન સેવા ફરી શરૂ કર્યાને હજી માંડ ગણતરીના જ દિવસો થયા છે ત્યાં આ વિમાન દુર્ઘટના સર્જાઈ છે.

વિમાન કરાચી એરપોર્ટ પર ઉતરાણ કરવાને માત્ર એક જ મિનિટની વાર હતી ત્યાં જ એ તૂટી પડ્યું હતું.

કોરોના વાઈરસના ચેપને કારણે ઓછા પ્રવાસીઓ સાથે વિમાન સેવા શરૂ કરવામાં આવી હતી. એક સીટ પર માત્ર એક જ પ્રવાસીને બેસાડવામાં આવે છે.

વિમાન તૂટી પડ્યાના દ્રશ્યો રાષ્ટ્રીય ટીવી પર જોવા મળ્યા હતા. વિમાન ગીચ વસ્તીવાળા વિસ્તાર પર તૂટી પડ્યું હતું. ધૂમાડાના ગોટેગોટા દૂર સુધી જોઈ શકાતા હતા.

દુર્ઘટનાની જાણ થતાં તરત જ વિસ્તારમાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

દુર્ઘટનાના કારણની તાત્કાલિક જાણ થઈ શકી નહોતી.

બીએસઈનું શેરદીઠ રૂ. 17નું ફાઈનલ ડિવિડંડ

મુંબઈ તા.22 મે, 2020ઃ એશિયાના સૌથી જૂના અને હવે વિશ્વના સૌથી ઝડપી એક્સચેન્જ બીએસઈએ નાણાકીય વર્ષ 2019-20 માટે તેના રૂ.2ની મૂળ કિંમતના શેરદીઠ રૂ.17ના અંતિમ ડિવિડંડની ભલામણ કરી છે. બીએસઈએ તેની 31 માર્ચ 2020ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળાની કામગીરી જાહેર કરી છે, જે મુજબ ક્વાર્ટરના અંતે ચોખ્ખો નફો (નોન-રિકરિંગ અને અસામાન્ય આઈટેમ્સ સિવાય) આગલા ત્રિમાસિક ગાળાના રૂ.10.54 કરોડથી 92 ટકા વધીને રૂ.20.24 કરોડ થયો છે.

કોન્સોલિડેટેડ કુલ આવક આગલા ત્રિમાસિક ગાળા (ક્યુ-3)ના રૂ.148.66 કરોડથી પાંચ ટકા વધીને રૂ.155.79 કરોડ થઈ છે. જોકે આ ગાળા દરમિયાન કામકાજની કોન્સોલિડેટેડ આવક આગલા ત્રિમાસિક ગાળાના 109.92 કરોડથી નવ ટકા વધીને 119.56 કરોડ અને સ્ટેન્ડ એલોન આવક આગલા ત્રિમાસિક ગાળાની તુલનાએ 7 ટકા વધીને રૂ.99.53 કરોડ થઈ છે.

ત્રિમાસિક કામગીરીની સમીક્ષા કરતાં બીએસઈના એમડી અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું, “ બીએસઈના ઈન્ટરનેશનલ એક્સચેન્જ ઈન્ડિયા આઈએનએક્સમાં રૂપી બેઝ્ડ કરન્સી ડેરિવેટિવ્ઝ લોન્ચ કરાયાને પગલે ઈન્ડિયા આઈએનએક્સમાં મુખ્ય કરન્સીઝના ટ્રેડિંગનો સંપૂર્ણ બુકે ઉપલબ્ધ થયો છે. ઈન્ડિયા આઈએનએક્સના પ્રારંભથી અત્યાર સુધીમાં 822 અબજ યુએસ ડોલરનું ટ્રેડિંગ થયું છે એ જોતાં આગામી સમયમાં ઘણા સહભાગીઓ આઈએફએસસી પ્રતિ આકર્ષાશે અને ઈન્ડિયા આઈએનએક્સ વિશ્વ ભરના ખેલાડીઓ માટે ભંડોળ એકત્ર કરવાનું પસંદગીનું કેન્દ્ર બની રહેશે.

કઈ અભિનેત્રીનો ‘દ્રૌપદી’ રોલ તમને વધુ પસંદ આવ્યો?

હાભારત ગ્રંથની કથા અને દ્રૌપદીનાં પાત્રની જો ચર્ચાના થાય તો પછી શું કહેવું. લોકપ્રિય ટીવી સિરિયલ ‘મહાભારત’માં દ્રૌપદીના પાત્રએ હંમેશા દર્શકોને પોતાના તરફ આકર્ષિત કર્યા છે. જુદા જુદા નિર્માતાઓએ બનાવેલી મહાભારત સિરિયલો અત્યાર સુધીમાં જૂદી જૂદી ટીવી ચેનલો પર અનેક વખત રજૂ થતી આવી છે, જેમાં 6 જેટલી અભિનેત્રીઓએ દ્રૌપદીની ભૂમિકા ભજવીને દર્શકો પર આગવી છાપ ઊભી કરી છે.

વર્ષ 1988માં ‘મહાભારત’ સિરિયલને પ્રથમવાર દેખાડવામાં આવી હતી. નાના પડદા પર ઘણી અભિનેત્રીઓએ દ્રૌપદીની ભૂમિકા ભજવી છે. અહીં આપણે ચર્ચા કરીએ દ્રૌપદીના રોલમાં કઈ અભિનેત્રીને દર્શકોએ વધુ પસંદ કરી.

1988ની ‘મહાભારત’ સીરિયલમાં દ્રૌપદીની ભૂમિકા રૂપા ગાંગુલીએ નિભાવી હતી. અને લોકોએ તેને સાચા અર્થમાં દ્રૌપદી માની લીધા હતા.

ત્યારબાદ 1993માં રામનંદ સાગરે બનાવેલી સીરિયલ ‘શ્રીકૃષ્ણા’ ટીવી પર પ્રસારિત થઈ હતી. તેમાં અભિનેત્રી ફાલ્ગુની પરીખે દ્રૌપદીનો રોલ કર્યો હતો. ફાલ્ગુનીની અભિનય કળાને પણ દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી.

વર્ષ 1997માં સીરિયલ ‘એક ઔર મહાભારત’નું પ્રસારણ કરવામાં આવ્યું હતું. તેમાં અશ્વિની કાલસેકરે દ્રૌપદીની ભૂમિકા ભજવી હતી. એ શો દર્શકોને ખાસ પસંદ આવ્યો ન હતો અને ફ્લોપ રહ્યો હતો.

2001માં પ્રસારિત સિરીયલ ‘દ્રૌપદી’માં નાના પડદાની જાણીતી અભિનેત્રી મૃણાલ કુલકર્ણીએ શિર્ષક ભૂમિકા ભજવી હતી. મૃણાલ ત્યારબાદ ઘણી ટીવી સીરિયલોમાં જોવા મળી ચૂકી છે.

વર્ષ 2008માં એકતા કપૂરની સીરિયલ ‘કહાનીયાં હમારે મહાભારત કી’માં અનીતા હસનંદાની દ્રૌપદીની ભૂમિકામાં જોવા મળી હતી. એ સિરિયલમાં અનીતાએ મોડર્ન લુકમાં દ્રૌપદીનો રોલ ભજવ્યો હતો જે વર્તમાન પેઢીના દર્શકોને પસંદ આવ્યો હતો.

વર્ષ 2013માં સ્ટાર પ્લસ પર પ્રસારિત ‘મહાભારત’ સિરિયલમાં અભિનેત્રી પૂજા શર્મા દ્રૌપદી બની હતી. તેમાં તેના અભિનયની ખૂબ પ્રશંસા થઈ અને સિરિયલને પણ દર્શકોએ પસંદ કરી હતી.

વાવાઝોડાગ્રસ્ત બંગાળને મોદી તરફથી રૂ. 1000 કરોડની સહાય

કોલકાતાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં અમ્ફાન વાવાઝોડાથી થયેલા નુકસાનની સ્થિતિની આજે સમીક્ષા કરી હતી. વડા પ્રધાને વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોનું આજે એરફોર્સના હેલિકોપ્ટરમાંથી હવાઈ નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી અને રાજ્યપાલ જગદીપ ધનકડ પણ હાજર હતાં. ત્યાર બાદ વડા પ્રધાન મોદી, મમતા બેનરજીની સાથે બશીરહાટ પહોંચ્યા હતા, જ્યાં સમીક્ષા બેઠક કરી હતી. આ સમીક્ષા બેઠક પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળ માટે રૂ. 1000 કરોડના પેકેજનું એલાન કર્યું હતું. આ સાથે આ વાવાઝોડામાં જીવ ગુમાવનાર પ્રત્યેક વ્યક્તિના પરિવારને રૂ. બે લાખ અને પ્રત્યેક ઈજાગ્રસ્તને રૂ. 50,000ના વળતરની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે દુઃખના આ સમયમાં કેન્દ્ર સરકાર પશ્ચિમ બંગાળની પડખે છે.

 લોકોને દરેક સંભવિત મદદ કરાશે

વડા પ્રધાને કહ્યું હતું કે એક વર્ષ પહેલાં પણ વાવાઝોડું આવ્યું હતું. એ સમયે સૌથી મોટું નુકસાન ઓડિશાને થયું હતું. એક વર્ષે ફરીથી સાઇક્લોન આવ્યું છે, જેણે પૂર્વના વિસ્તારોને પ્રભાવિત કર્યા છે. સૌથી વધુ અસર પશ્ચિમ બંગાળ પર પડી છે. જે લોકોએ આ વાવાઝોડામાં જીવ ગુમાવ્યા છે, તેમના પરિવાર સાથે મારી સંવેદના છે. લોકોને દરેક સંભવિત મદદ કરવા માટે કેન્દ્ર અને રાજ્ય મળીને કામ કરી રહ્યાં છે. ગવર્નર અને CMની સાથે એક હવાઈ સર્વેક્ષણ કર્યું, તેમણે વર્તમાન સ્થિતિ અંગે મને માહિતી આપી હતી.

પ્રતિકૂળ સમયમાં પશ્ચિમ બંગાળની સાથે કેન્દ્ર

તેમણે કહ્યું હતું કે પુનર્વાસ,પુનર્નિર્માણથી સંબંધિત બધા પાસાં પર ધ્યાન આપવામાં આવશે. અમે ઇચ્છીએ છીએ કે પશ્ચિમ બંગાળ આગળ વધે. આ પરીક્ષાના સમયે કેન્દ્ર હંમેશાં પશ્ચિમ બંગાળની સાથે છે. અમે પ્રતિકૂળ સમયે પશ્ચિમ બંગાળની સાથે છીએ.

વડા પ્રધાને અમ્ફાન પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું

આ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ  આજે પશ્ચિમ બંગાળમાં ચક્રવાતી વાવાઝોડા અમ્ફાનથી પ્રભાવિત વિસ્તારોની સમીક્ષા મુલાકાત લીધી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોરોના સંકટને લઈને દેશવ્યાપી લોકડાઉન લાગુ થયા પછી પહેલી વાર દિલ્હીથી બહાર ગયા હતા. વડા પ્રધાને છેલ્લે 83 દિવસ પહેલાં 29 ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ અને ચિત્રકૂટને મુલાકાત લીધી હતી.

57 દિવસ પછી દિલ્હીની બહાર

દેશમાં લોકડાઉનને 57 દિવસ થઈ ગયા છે. આ દરમ્યાન વડા પ્રધાન દિલ્હીમાં જ રહી રહ્યા હતા. આ 57 દિવસોમાં તેમણે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશની અંદર અને આંતરરાષ્ટ્રીય બેઠકોમાં ભીગ લીધો હતો. તેઓ હવે 57 દિવસ પછી દિલ્હીની બહાર ગયા હતા.

Residents wade through a flooded area after a dam broke following the landfall of cyclone Amphan in Shyamnagar on May 21, 2020. – At least 84 people died as the fiercest cyclone to hit parts of Bangladesh and eastern India this century sent trees flying and flattened houses, with millions crammed into shelters despite the risk of coronavirus. (Photo by Munir Uz zaman / AFP)

પશ્ચિમ બંગાળ ભાજપનાં સૂત્રોએ જણાવ્યા મુજબ વડા પ્રધાન મોદી સવારે 10.30 કલાકે કોલકાતા એરપોર્ટ પહોંચ્યા હતા. ત્યાર બાદ તેઓ હેલિકોપ્ટરથી ચક્રવાત પ્રભાવિત વિસ્તારોની હવાઇ મુલાકાત કરી હતી.

વડા પ્રધાને ટ્વીટ કર્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે ચક્રવાતી તોફાન અમ્ફાને કેવી રીતે વિનાશ વેર્યો છે, એના ફોટાઓ મેં જોયા છે. આ મુશ્કેલીના સમયમાં દેશ પશ્ચિમ બંગાળ અને ઓડિશાની સાથે ઊભો છે. રાજ્યના લોકો માટે હું પ્રાર્થના કરું છું અને રાજ્યમાં બધું ફરી નોર્મલ કરવાનું હું આશ્વાસન આપું છે.

વાવાઝોડાએ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ભારે નુકસાન પહોંચાડ્યું

પશ્ચિમ બંગાળમાં સો વર્ષના અંતરાલમાં આવેલા ભીષણ ચક્રવાતી તોફાન અમ્ફાને 72 લોકોના જીવ લીધા છે. અમ્ફાને કાચાં મકાનોને ભારે નુકસાન પહોંચાડવા સાથે ખેતરોમાં પાકને પણ નષ્ટ કરી દીધો છે. ઝાડ, વીજ થાંભલા ઊખડી ગયા છે. અમ્ફાને ઓડિશામાં ભારે નુકસાન પહોંચાડ્યું છે. રાજ્યના તટીય જિલ્લાઓમાં વીજ અને ટેલિકોમથી જોડાયેલા માળખાને ભારે ક્ષતિ પહોંચી છે. રાજ્યના અધિકારીઓના જણાવ્યા મુજબ આ ચક્રવાતમાં આશરે 44.8 લોકો અસરગ્રસ્ત થયા છે. મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ કહ્યું હતું કે અમ્ફાને બે જિલ્લા ઉત્તર અને દક્ષિણ 24 પરગણામાં સંપૂર્ણ રીતે ખાનાખરાબી થઈ છે. તેમણે કેન્દ્ર પાસે મદદ પણ માગી હતી.

 

 

 

 

 

 

કોરોના વિશે એલર્ટ આપશેઃ ગૂગલ-એપલ લાવશે નવી એપ

વોશિંગ્ટનઃ ગૂગલ અને એપલે એક એવી ટેક્નોલોજી લોન્ચ કરી દીધી છે જેનાથી કોરોના વાઈરસ માટે એલર્ટ આપતી એક એપ તૈયાર થઈ શકે છે. હવે અમેરિકા સહિત વિશ્વના કેટલાક દેશો સોફ્ટવેરનો ઉપયોગ કરીને એપ તૈયાર કરવામાં લાગ્યા છે. આ ટેક્નોલોજીથી તૈયાર થનારી એપ કોરોના સંક્રમિતના સંપર્કમાં આવતાં પહેલાં એપ યૂઝરને કરવાવાળાને સતર્ક કરશે.

એપલના CEO ટીમ કૂકે ટ્વીટ કર્યું

એપલના CEO ટીમ કૂકે ટ્વિટર પર લખ્યું છે કે અમારી ટેક્નોલોજી આરોગ્ય અધિકારીઓને કોરોના સંક્રમિતોની ઓળખ કરવામાં મદદ કરશે. અમે ગૂગલની સાથે મળીને એક્સપોઝર નોટિફિકેશન ટેક્નોલોજી તૈયાર કરી છે. અમે આ ટેક્નોલોજીને જલદી યુઝર્સ સુધી પહોંચાડીશું અને એ યુઝર્સના ડેટાને પણ સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખશે.

ગૂગલના CEO સુંદર પિચાઈએ ટ્વીટ કર્યું

ગૂગલના CEO સુંદર પિચાઈએ ટ્વીટ કરીને કહ્યું હતું કે અમે આ ટેક્નોલોજીને એપલની સાથે મળીને બનાવી છે. ઉપલબ્ધ એપ આરોગ્ય કર્મચારીઓના સંક્રમણને શોધવામાં મદદ કરશે. અમારો હેતુ લોકોની ગોપનીયતાને ધ્યાનમાં રાખતાં વાઇરસના જોખમ સામે લડવાનો છે.

કેવી રીતે કામ કરશે આ ટેક્નોલોજી

આ ટેક્નોલોજી વાયરલેસ ટેક્નોલોજી બ્લુટ્રુથ પર કામ કરશે. આ ટેક્નિકનો ઉપયોગ કરીને સરકારી સંસ્થા અથવા આરોગ્ય એજન્સીઓ પોતાની એપ તૈયાર કરી શકે છે, જેનાથી કોરોના સંક્રમિતો લોકોની ઓળખ કરવામાં મદદ મળશે.

આ ટેક્નોલોજીથી તૈયાર એપને ગૂગલ અથવા એપલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકાશે. એક આંકડા મુજબ વિશ્વભરમાં 380 કરોડ લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે.

 

કિસાનો, મજૂરો માટે 5000 કરોડનું રાહત પેકેજ આપોઃ મહારાષ્ટ્ર ભાજપ

મુંબઈઃ કોરોના વાઈરસના ફેલાવાને કારણે લાગુ કરાયેલા લોકડાઉનને કારણે ધંધા-રોજગાર બે મહિનાથી બંધ છે ત્યારે મહારાષ્ટ્ર રાજ્યના કિસાનો, મજૂરો અને અસંગઠિત સેક્ટરના કામદારો માટે રાજ્ય સરકાર રૂ. 5000 કરોડનું રાહત પેકેજ જાહેર કરે એવી માગણી સાથે વિરોધ પક્ષ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ આજે મુંબઈમાં મૂક દેખાવો કર્યા હતા.

દક્ષિણ મુંબઈ સ્થિત ભાજપના કાર્યાલયની બહાર કરાયેલા આ દેખાવોની આગેવાની ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે લીધી હતી.

ઉલ્લેખનીય છે કે કોરોના વાઈરસને કારણે આવી પડેલા સંકટને અવસરમાં પરિવર્તિત કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ. 20 લાખ કરોડના આત્મનિર્ભર ભારત પેકેજની જાહેરાત કરી છે.

આ પેકેજમાં કયા સેક્ટરને કેટલા ભંડોળની વહેંચણી કરવામાં આવશે એની જાણકારી કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામન ગયા અઠવાડિયે આપી ચૂક્યા છે.

ભાજપ દ્વારા આજે મહારાષ્ટ્ર રાજ્યમાં જુદા જુદા શહેરો અને નગરોમાં રાજ્યની મહાવિકાસ આઘાડી સરકાર વિરુદ્ધ મૂક દેખાવો કરવામાં આવ્યા હતા.

ફડણવીસ સહિતના નેતાઓ મોઢા પર માસ્ક પહેરીને દેખાવો કરવા બહાર નીકળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના વાઈરસના સૌથી વધારે કેસો મહારાષ્ટ્ર રાજ્યમાં બન્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાના 41,500થી વધારે દર્દીઓ નોંધાયા છે. આમાં 25,500 કેસ એકલા મુંબઈમાં જ થયા છે.

રાજ્યમાં વાઈરસને રોકવામાં ઉદ્ધવ ઠાકરેની સરકાર નિષ્ફળ ગઈ છે અને લોકોમાં એ વિશે અસંતોષ ફેલાયો છે એવો ફડણવીસે આરોપ મૂક્યો છે.

ભાજપના રાજ્ય એકમના પ્રમુખ ચંદ્રકાંત પાટીલે જાહેરાત કરી હતી કે ઠાકરે સરકારના વિરોધમાં ઘરના આંગણામાં ઊભીને, મોઢા પર કાળો ફેસમાસ્ક, હાથ પર કાળી રીબન બાંધીને, હાથમાં કાળો ઝંડો પકડીને મૂક વિરોધ વ્યક્ત કરવો. આ દેખાવોનું નામ ‘મારું આંગણું રણાંગણ, મહારાષ્ટ્ર બચાવ’ આપવામાં આવ્યું હતું. એટલે જ ફડણવીસ અને સાથી નેતાઓએ મુંબઈમાં ભાજપ કાર્યાલયની બહાર આવીને દેખાવો કર્યા હતા. રાજ્યના અન્ય જિલ્લાઓ અને શહેરોમાં પણ ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ આ રીતે વિરોધ-દેખાવો કર્યા હતા.

દરમિયાન, ભાજપના આ આંદોલનનો રાજ્ય સરકારે પણ પ્રત્યુત્તર આપ્યો છે. એણે ભાજપને મહારાષ્ટ્રદ્રોહી ગણાવ્યું છે. એને કારણે મહારાષ્ટ્રદ્રોહીBJP આ ટ્રેન્ડ ટ્વિટર પર ચાલી રહ્યો છે.

ટીમ ઈન્ડિયામાં ધોનીનું પુનરાગમન નિશ્ચિત છેઃ મોહમ્મદ કૈફ

નવી દિલ્હી: ઘણા લોકો માની રહ્યા છે કે વિકેટકીપર અને ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું ટીમ ઈન્ડિયામાં કમબેક કરવું હાલના સમયે ખૂબ મુશ્કેલ છે. પણ તેના પૂર્વ સાથી ખેલાડી મોહમ્મદ કૈફનું માનવું છે કે સિલેક્ટરોને હજુ સુધી ધોનીનો વિકલ્પ મળ્યો નથી.

ટીમ ઇન્ડિયાનો ભૂતપૂર્વ બેટ્સમેન મોહમ્મદ કૈફ તેના આકરા નિવેદનો માટે જાણીતો છે. લોકડાઉન દરમિયાન મોહમ્મદ કૈફ સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ રહેવા લાગ્યો છે. આ દરમિયાન તેને મહેન્દ્ર સિંહ ધોની અને કે.એલ. રાહુલ અંગે મોટી વાત કહી છે.

કૈફે ધોનીની કરિઅરને લઈને ભવિષ્યવાણી કરતા કહ્યું કે, ધોનીને નજરઅંદાજ ન કરી શકાય અને કેએલ રાહુલ ટીમ માટે વિકેટકિપરના રૂપમાં લાંબા સમયનો વિકલ્પ નથી.

એક વેબસાઈટ સાથે વાતચીત દરમિયાન કૈફે દાવો કર્યો કે, ભલે ધોની છેલ્લા એક વર્ષથી કોઈપણ ફોર્મેટમાં ન રમ્યો હોય પણ તેનાથી તેની રમતમાં કઈ ફરક પડતો નથી કારણ કે ધોની એક મહાન ખેલાડી છે અને તે જ્યારે ઈચ્છે તેનું ફોમ પાછું મેળવી શકે છે.

ધોનીના વખાણ કરતા કૈફે કહ્યું કે, ધોની 39 વર્ષનો હોવા છતાં તે હજી ઘણું ક્રિકેટ રમી શકે એમ છે અને તેના અનુભવથી ટીમ ઈન્ડિયાને ઘણો ફાયદો થઈ શકે છે. તેથી ધોનીને કાઢી ન કરી શકાય. લોકો ભલે ગમે તે કહે પણ ટીમ ઈન્ડિયામાં ધોનીની વાપસી લગભગ નિશ્ચિત છે અને તે ટૂંક સમયમાં જ ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ શકે છે. ધોની ખરેખર એક મહાન ખેલાડી હોવાની સાથે સંપૂર્ણ રીતે મેચ વિનર છે.

કૈફ કહે છે, ધોનીના ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂના બે વર્ષ પહેલા દેવધર ટ્રોફીમાં હું સેન્ટ્રલ ઝોનનો કેપ્ટન હતો ક્યારે ઈસ્ટ ઝોનથી રમતા મેં તેને પહેલીવાર જોયો હતો. અમે 360 રન બનાવ્યા હતા અને તે ત્રીજા નંબરે બેટિંગ માટે આવ્યો. અમે તેના પર અટેક કરવાનું નક્કી કર્યું પરંતુ તેણે 80-85 રન બનાવ્યા અને તે પણ 40-50 બોલમાં. તે સમયે મને લાગ્યું તે તેનામાં અલગપણું છે, ગેમની સારી સમજ સાથે તેની રમવાની સ્ટાઈલ પણ અલગ છે.

કોરોનાના નવા સૌથી વધુ 6088 કેસ અને 148 લોકોનાં મોત

નવી દિલ્હીઃ વિશ્વભરના દેશોની સાથે દેશમાં પણ કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અહેવાલો મુજબ 180થી વધુ દેશોમાં આ વાઇરસ પ્રસરી ચૂક્યો છે અને અત્યાર સુધી સવા ત્રણ લાખથી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. વિશ્વભરમાં 50 લાખથી વધુ લોકો આ વાઇરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં આ વાઇરસથી સંક્રમિતોની સંખ્યા વધીને 1,18,447 થઈ છે. પાછલા 24 કલાકમાં 6088 નવા કેસ સામે આવ્યા છે અને 148 લોકોનાં મોત થયાં છે. અત્યાર સુધી 3583 લોકોનાં મોત થયાં છે. જોકે અત્યાર સુધી 48,534 દર્દીઓ આ બીમારીને માત આપી ચૂક્યા છે. રિકવરી રેટ સતત સુધરી રહ્યો છે. એ 40.97 ટકાએ પહોંચ્યો છે. દેશમાં કેટલાંક રાજ્યો એવા પણ છે, જે આ રોગચાળામાંથી મુક્ત પણ થઈ ચૂક્યા છે.  

બે સપ્તાહમા 56,000 કેસ મળ્યા

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર આઠ મે પછી બે સપ્તાહમાં કોરાના વાઇરસના અડધોઅડધ કેસો આશરે 56,000 દર્દીઓ સામે આવ્યા છે. પાછલા 24 કલાકમાં અત્યાર સુધી સૌથી વધુ નવા કેસ સામે આવ્યા છે.  આઠ મેએ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 56,342 હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

વાહ ભાઈ વાહ! ૨૨ મે, ૨૦૨૦

વાહ ભાઈ વાહ! ૨૨ મે, ૨૦૨૦

રાશિ ભવિષ્ય 22/05/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમા વ્યસતા વધુ રહે તેવુ બની શકે છે, વેપારમા નાનુ કામ કરવુ હિતાવહ છે, કોઈ જાહેર પ્રસંગમા જવાના યોગ છે તેમા જરૂર પૂરતી જ વાર્તાલાપ કરવી યોગ્ય છે કોઈની મશ્કરીકે ખોટીદોરવણીમા ના આવી જવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, શાંતિ અને ધીરજ રાખવી સારી.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમા મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમારુ સારુ પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનુ આયોજન થઈ શકે છે, મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમા નાનુ કામ કરવુ યોગ્ય કહી શકાય.


આજનો દિવસ તકેદારી અને સાવચેતીસૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમા રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવુ અગત્યનુ છે, ખટપટથી દુર રહેવુ ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચન ના આપવી, વેપારમા કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવુ.


આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામા આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો બની શકે છે, વેપારમા અનુભવથી કોઈ કામ કરોતો તેમા તમને લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામકે વાત થાય તેવુ બની શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમા નાણાકીયખર્ચ થાય તેવું બની શકે છે, ધાર્મિકકે સામાજિકકામકાજ અર્થે પ્રવાસનુ આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમા સારો ઉત્સાહ જોવા મળે, વેપારમા નાનુ કામકાજ કરવુ યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગ ના બનાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, ઘરકે ઓફીસમા વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી,કોઈની સાથે વધુ દલીલબાજી ના કરવી, વેપારમા જોખમ ભર્યા કામ ન કરવા, જીવનસાથી સાથે ઉગ્રતા ના થાય તેની કાળજી રાખવી.


આજનો દિવસ સામાન્ય છે, કામમા સમયવ્યસ્તા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે અને તેને કારણે થોડી માનસિકઅશાંતિ જેવુ રહે, વાણીવર્તણુકમા ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગ ના બનવુ પડે તેનુ ધ્યાન રાખવુ, વેપારમા નાનુ કામ અનુભવના આધારેજ કરવુ યોગ્ય છે.


આજનો દિવસ સારો છે,  થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરતુ કોઈની લાગણી ના દુભાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા સારો પ્રતિભાવ જોવા મળે, વેપારમા લાભ થઈ શકે છે, યુવાવર્ગને અચાનક કોઈ જૂનીઓળખાણ તાજી થવાથી ઉત્સાહી થઈ જવાય.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, ઓફીસમા પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહકર્મચારી સાથે કામની બાબતમા થોડો અસતોષ રહે, વેપારમા જોખમભર્યા કામ ન કરવા, વડીલવર્ગ આજે થોડી કામ ટાળવાની વૃત્તિ રાખે તેવુ બની શકે છે.


આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ કામની જૂની ગુચ હોય તને  ઉકેલી શકાય તેવા સંજોગો બને, માંર્કેટિંગક્ષેત્રમા સારુ પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા સમય વધુ ફાળવોતો કોઈ વિષયપર આવડત વધી શકે છે, વેપારમા લાભ થઈ શકે છે, કામમા ઉત્સાહ સારો રહે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવુ શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવુ, આરોગ્ય બાબતે થોડુ સાચવવુ, વેપારમા જોખમ ન કરવુ, માર્કેટિંગક્ષેત્રમા થોડી મહેનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળી શકે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવુ વધુ સારુ.


આજનો દિવસ સારો છે, તમારામા ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યાકામ થાય તેવુ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમા ઓળખાણમા કામકાજ કરવાથી  સારુ ફળ મળી શકે તેમજ નવીનકાર્યની તક પણ મળી શકે છે, વેપારમા લાભ થઈ શકે છે.