Home Blog Page 4750

રાશિ ભવિષ્ય 29/06 થી 05/07/20

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

સપ્તાહ દરમિયાન કાયદાકીયપ્રશ્નથી માનસિકથાકની લાગણી જગાવે તેના કારણે ક્યાંક ખોટીવાર્તાલાપ કે વાદવિવાદની ઘટના બની શકે છે. નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી જરૂરી છે. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછુ થવાથી ક્યાંક ઉતાવળિયાનિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે. કોઈને વણમાગી સલાહસુચન ના આપવા, ખટપટી લોકોથી દુર રહેવામાજ શાણપણ છે, સ્પર્ધાત્મકપરિક્ષામા આત્મવિશ્વાસ સારો જોવા મળી શકે છે, નવાઆયોજનના વિચારો અને દ્વિધા વધુ જોવા મળી શકે છે.


આકસ્મિકખર્ચા વધે તેવા બનાવ બની શકે છે, પરિવાર સાથે મુસાફરી થઈ શકે છે ,અંગતસંબંધ જેવાકે મિત્રતામા,સગાસ્નેહીની તમે મજાકકરવાની વૃતિવાળા બનો. જૂનીઓળખાણકે જૂનીયાદથી ઘણા રોમાંચિત બનો. સામાજિક, ધાર્મિકપ્રસંગમા તમારી હાજરી પ્રભાવી બની શકે છે, વેપારના કામકાજમા ઉત્સાહને સફળતા જોવા મળે તેવી વાત બને,  જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરીકે ફેરબદલી કરવા માટે સમય યોગ્ય કહી શકાય. સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ નવીરીત શીખવી હોયતો આ સમયનો સદઉપયોગ કરવો સારો છે, લગ્નબાબતની વાર્તાલાપ ક્યાંક આગળ વધી શકે છે.


મહેનત કરતા ઓછુફળ મળવાની ફરિયાદ મનમા વધુ રહે, ક્યારેય વાણીવિલાસ ના થાય તેનુ દયાન રાખવુ ઇચ્છનીય છે. ધરમાંકે કુટુંબમાં કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈજગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે, વેપારના કામકાજમા ધીરજ અને અનુભવથી કામકાજ કરવુ, અન્યની વાતમા દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે, નોકરીકે વ્યવસાયમા સમયનો દુરુપયોગ અને કારણ વગરની કામકાજમા સમસ્યા ના થાય તેનુ ધ્યાન રાખવુ સારુ, જરૂરપુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય.


સાહસિકવૃત્તિ જોવા મળે, આવક-જાવક સરખી રહે, મિલનમુલાકાતકે હરવાફરવામા સમય વધુ પસાર થાય, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમા લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબકે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે તેમા તમારી હાજરીનુ વર્ચસ્વ પણ દેખાય, વેપારના કામકાજમા તમને ઉત્સાહ અને નવીનકાર્ય કરવાનીવૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે તેમજ સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે. ઘણા વખતથી કોઈવાત મનમા રહેતી હોય તેને ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.


સપ્તાહ દમિયાન સફળતા વધુ જોવા મળે, વિચારોની માયાજાળમા ફસાયેલા રહો, વેપારના કામકાજમા ધીરજનો અભાવ વર્તાય પણ તેની અસર કામકાજમા ખાસ ન પડે, શરદી, ખાસી, કફ, તાવ જેવી નાની નાની તકલીફથી પણ પરેશાની રહે તેમા ઉકેલ પણ આપ મેળે મળી જાય, તમારી લાગણી અન્ય લોકો સારી રીતે સમજી શકે, પ્રભુભક્તિમા ધ્યાન અને મન વધુ રહે અને ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો, ક્યાંક આળસવૃતીકે આરામ કરવાની ભાવના વધુ જાગે, હિતશત્રુ કે ખટપટી વ્યક્તિથી તમારો કુદરતી રીતે સારો બચાવ થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારકે વિવાહિતવર્ગ માટે સારા સંજોગો ઉભા થઈ શકે છે.


સપ્તાહ દરમિયાન પરિવાર સાથે મનદુઃખ ના થાય તેની દકેદારી રાખવી, છાતી, ફેફસાના દર્દ હોય તેવા લોકોએ દવાબાબત ચોકસાઈ રાખવી, ધાર્મિકભાવના વધુ દેખાઈ આવે તમને કોઈ સામાજિકકે ધાર્મિકકાર્ય માં કોઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ નવીનસમાચાર તમારા આત્મવિશ્વાસમા વધારો કરી શકે છે, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન આનંદની લાગણી અનુભવી શકે છે. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતુ હોય તેમના માટે કોઈ સારીવાત જાણવા મળે, પસંદગીની ચીજવસ્તુની ખરીદી કરવામા ગણતરી કરતા વધુ ખર્ચ થઈ શકે છે.


ઘરમા કોઈને સ્વાસ્થબાબત નાનીમોટી તકલીફ ના થાય તેનુ ધ્યાન રાખવુ, લગ્નની વાતચીત ક્યાય ચાલતી હોય તેવા યુવાવર્ગ માટે પણ આ સપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થઈ શકે છે, જૂનીવાત ક્યાય અટકેલી હોય તેમા પણ પ્રયત્ન કરવામા આવેતો નસીબ જોગસંજોગ પણ સાથ આપી શકે છે, વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજમા પણ સફળતા મળી શકે છે, મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે આનંદઉત્સાહ અનુભવી શકો છે, તમારામા સહકાર આપવાની ભાવના વધુ જાગે તેવુ પણ બની શકે છે, ભાઈ-બહેનો, મિત્રો તરફથી સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે.


કામકાજમા ગણતરી કરતા વધુ મહેનત થયા બાદ ફળ મળે, કામકાજમા ધીરજ અને સમજણનો વ્યવહારુ અભિગમ રાખવો જરૂરી છે,  જાહેરજીવનમા તમને લોકો વચ્ચે થોડી મજાકમસ્તી કરવાની વૃતિ વધુ જાગે, ઘરમાકે નજીકના સગાસ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયુ હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે, વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, તમારો મોભો,પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકાર કે માર્ગદર્શન સારુ મળી રહે અને તેના કારણે તે કામ માટે તમારો ઉત્સાહ પણ વધી શકે છે.


કોઇપણ પ્રકારની મિલનમુલાકાત સફળ થઈ શકે છે, પાડવા,વાગવા કે લાપસવા જેવી બાબત ઉપરાંત શરદી,ઉધરસ, તાવ,ઇન્ફેકશન લાગવા જેવી બાબતથી તકેદારી રાખવી, ખટપટ કરનારવર્ગથી દુર રહેવાની જરૂર છે જેથી કોઈની ખોટીવાતમા દોરવાઈ ના જવાય, વેપારના કામકાજમા ધીરજ અને તકેદારી રાખવી જરૂરી છે, સલાહ, ઠપકો કે કઈપણપ્રકારનુ માર્ગદર્શન કોઈને આપતા પહેલા વિચાર કરવો જરૂરી છે કે તેમા તેને કોઈ ગેરસમજ ના થઇ જાય, વાર્તાલાપ દરમિયાન વધુ પડતા સ્પષ્ટશબ્દો પણ ના વાપારવા ધીરજ અને કુનેહપૂર્વક વર્તવાથી ઘણીશાંતિ અને સરળતા તમારા વ્યવહારમા રહી શકે છે.


રોકાણ માટે કે નવાકોઇપણ આયોજન માટે સમય સાથ આપી શકે છે, યાત્રાકે જાત્રા થાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. તમારામા ધાર્મિકભાવના વધુ જાગે અને લોકકલ્યાણના વિચારો આવે,  સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા અઘરો પડતો હોયતો તે વિષય શીખવામા વધુમહેનત કરવાથી સારા  ફળની પ્રાપ્તિ થઇ શકે છે, વેપારના કામકાજમા લાભની કોઈવાત બની શકે છે,  લગ્નમાટેની વાતચીત ગોઠવવી અને તેમા મિલનમુલાકાત કરવી ફાયદાકારક બની શકે છે, વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આ સપ્તાહ દરમિયાન તેમા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરેતો તેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે છે.


તમારા સંબંધને મજબુત રાખવા પ્રયત્ન કરવા પડે, કામકાજમા વ્યસ્તતા અને માનસિકથાકની લાગણી અનુભવો, કામકાજમા સમયનો વ્યય પણ વધુ થઇ શકે તેમજ કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે, ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવુ વધુ યોગ્ય છે, વેપારમા કામકાજ દરમિયાન નિર્ણયશક્તિનો થોડો અભાવ દેખાવ પરંતુ કામકાજ થઇ શકે. ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થઈ શકે છે માટે તકેદારી રાખવી, મુસાફરી, થોડી કંટાળાજનક, સમય અને નાણાનોવ્યય થાય તેવો રહી શકે શકે છે.


પરિવાર, સહ-કર્મચારી સાથે સુમેળ થોડો ઓછો જોવા મળે માટે વાર્તાલાપ અને વર્તણુકમા યોગ્યગણતરી રાખવી સલાહભરી છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમારી જૂની મિલનમુલાકાતની યાદી બનાવી તેમા કામ કરવાથી લાભ થઈ શકે છે. મુસાફરીનુ આયોજન થઈ શકે છે, પેટ,અપચાની તકલીફ બાબતે તકેદારી રાખવી, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય અને કોઈ સામાજિકકે ધાર્મિકકામકાજમા જોડાવાની વૃતિ વધુ જાગે, કોઈપ્રવૃત્તિમા અન્યનો સાથસહકાર મળી શકે છે, નાણાની લેવડદેવડ તેમજ પ્રેમસંબંધમા ધીરજ અને જાગૃતતા રાખવી ઇચ્છનીય છે.

રાશિ ભવિષ્ય 29/06/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસે સાવચેતી અને ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકાની તકલીફથી સાચવવું, કામકાજઅર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરીનુંજ કામ કરવુ યોગ્ય છે.


આજનો દિવસ મસ્તીમજાકમાં પસાર થઈ શકે છે, તમને તમારા કામમાં અન્યનો સાથ-સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીનકામનું આયોજન થઇ શકે છે , જુનાકોઈપણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામકાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે.


આજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, કોઈની સાથે અગત્યની વાર્તાલાપ કરવાની હોયતો તેમાં પણ તમને કોઈનો સારોસહયોગ મળી શકે છે, તમારા મનમાં રહેલી કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે, બજારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવેતો સારો લાભ થઈ શકે છે.


આજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિકથાકની લાગણી વધુ લાગે, વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરીપૂર્વકનું નાનુંકામ કરવું યોગ્ય છે, પ્રિયજન સાથે ખરીદીકે મુસાફરી થોડીખર્ચાળ બને તેવું બની શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ, ખટ પટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મકવિચારના આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું.કોઈની ઉશ્કેરીજનક વાતથી ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય , મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય.


આજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીનતક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈ લાભની વાત આપલે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, પોતાની પસંદગીની કોઈ ખરીદી કરવી હોયતો પણ ફળીભૂત થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને મોજશોખમાં સમય પસાર થાય.


આજનો દિવસ સરસ છે, જૂનીઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટાખર્ચા થયાની લાગણી અનુભવાય, વેપારના કામકાજમા સારાકામની અપેક્ષા ફળી શકે, અગત્યની કોઈ વાર્તાલાપ ક્યાંક ફળીભૂત થાય તેવા સંજોગો ઉભા થાય અને તેમાં તમારો ઉત્સાહ વધે.


આજનો દિવસે સાવચેતી રાખવી, કોઈ વાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, પ્રેશર, ડાયાબીટીસના દર્દીએ આજના દિવસે કાળજી રાખવી, વેપારમાં ધાર્યા કામન થવાનો રંજ મનમાં રહ્યા કરે.


આજનો દિવસ સારો છે,  તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યું કે મનનું કામ થઇ  શકે તેથી તમે સારી ખુશી અનુભવી શકો, અગત્યની વાત ક્યાંક કરવાની હોયતો તેમાં પણ સારું કામ થાય અને કોઈની મદદ સલાહ પણ મળી શકે છે


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં અનુભવ મુજબ નાનુંકામ સારું કહી શકાય, કોઈ અણધાર્યા કામ આવી જવાથી સમયનો વ્યય થાય.


આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરીના યોગ છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારીવાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો તેમજ કોઈ માટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં સારો પ્રતિસાદમળી શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.

પંચાંગ: 29/06/2020

My Name Is Karan…

“Flagbearer of nepotism”, “manipulator”, “godfather” – Karan Johar has been described with these accusatory names since long. Recently, he has landed in controversy again after the unfortunate demise of actor Sushant Singh Rajput. Let’s take a closer look…

By Ketan Mistry

After the untimely and sad demise of Sushant Singh Rajput, Karan Johar has been repeatedly accused of practising nepotism. As a result, he has resigned from his directorship of Mumbai Association of Moving Images (MAMI). Reportedly, Deepika Padukone, who serves as the chairperson of MAMI, has tried to convince him, but to no avail. Karan is disappointed by the lack of support from the officials of MAMI when he was being accused of malpractice by members of the film industry and the audience. These officials include Bollywood A-listers such as Vikramaditya Motwane, Zoya Akhtar, Deepika Padukone, Siddharth Roy Kapoor, and Kabir Khan.

Karan, best known for his work as a producer, director, screenwriter, costume designer and television host, has been criticised for being nepotistic. Although, he is not the first to practise nepotism within the film industry, and it would also be wrong to state that he has only launched the new generations of actors coming out of Bollywood families. Let’s take a look at his career.

After assisting Aditya Chopra in Dilwale Dulhaniya Le Jaayenge, Karan made his directorial debut with Kuchh Kuchh Hota Hai, starring Shah Rukh Khan, Rani Mukerji and Kajol. Following the success of his first film, Karan made films like Kabhi Khushi Kabhie Gham, Kal Ho Naa Ho, Dostana, Wake Up Sid, Kabhi Alvida Naa Kehna, My Name is Khan, and Agneepath in which the actors were names that were already established, such as Amitabh Bachchan, Abhishek Bachchan, Saif Ali Khan, Shah Rukh Khan, Kareena Kapoor, Rani Mukerji, John Abraham, Hrithik Roshan and Priyanka Chopra.

The nepotism tag showed up mostly due to Student of the Year. With that film, he started launching star-kids. He cast Alia Bhatt and Varun Dhavan in this film, along with the outsider Siddharth Malhotra. In a similar way, in Student of the Year 2, he launched Ananya Panday as the co-star of Tiger Shroff and the outsider Tara Sutaria. In Dhadak, too, the on-screen couple Ishaan Khatter and Jahnvi Kapoor come from Bollywood families.

It might come as a surprise to some that Karan’s Dharma Productions has also produced some critically acclaimed off-beat films. Some of these titles are The Ghazi Attack, The Lunchbox, Gippi, Bucket List (Marathi), and Ungli (which, by the way, starred Kangana Ranaut). He also gave creative freedom to newcomers like Shakun Batra (director of Ek Main Aur Ekk Tu and Kapoor and Sons), and other filmmakers such as Soham Shah (director of Kaal), Shashank Khaitan (director of Humpty Sharma ki Dulhania, Badrinath ki Dulhaniya, and Dhadak), and Gauri Shinde (director of Dear Zindagi).

Yes, it is true that Karan’s TV show Koffee with Karan has been subject to controversy. His guests have spoken some odd things on the infamous couch. This comes off more like a calculated strategy on the part of the producers. They know the power of controversies and the eyeballs they attract.

It is important to consider the business that Dharma Productions does. It is involved in a high-stakes field that capitalises mostly on the profit it makes. The star-kids whom he launches and casts make him boundless cash at the box office. Their profitability keeps encouraging more such instances of casting and launching actors who are already well-connected. From a purely capitalistic and profit-driven point of view, we have to admit that this seems justified. As far as nepotism is concerned, it is obviously true that there are endless benefits of hailing from a family who is involved in the film industry. Star-kids have to go through barely any struggle to establish themselves on the silver screen, earn verified blue ticks and amass several million followers on Twitter and Instagram. In the words of the newcomer actor Siddhant Chaturvedi, “Their ‘struggle’ begins where our dreams end.” But it is as much a reality that a big-banner break does not guarantee a lifelong successful career. Even the star-kids have to establish their credibility and win the audience’s hearts to keep performing well at the box office. After the privileged head-start and first few days of glory, it is a tough race to the finish line.

Moreover, there is nothing more ruthless than us, the public. They do not give a damn about the parents, siblings, uncles and aunts of the actors they see on screen. They accept the ones they find entertaining and reject the others, regardless of their names and industry connections. The audience’s verdict is so strong and influential that even producers like Karan Johar, Aditya Chopra and Ekta Kapoor would stop casting these actors even if they are from Bollywood families. If that was the case, Tusshar Kapoor and Uday Chopra would have turned into living legends by now. But once they stop making money, they stop being cast. That is the bottom line.

Coming back to Sushant, he has also starred in Karan’s Drive. Big banners such as YRF (Shuddh Desi Romance and Detective Byomkesh Bakshi) and producers as acclaimed as Rajkumar Hirani (PK) have cast him in lead roles. Even at the time of his devastating death, he had three films to shoot for.

This is not being written to defend or please Karan Johar and his likes. It is just to remind everyone that the police investigation is underway regarding Bollywood lobbies and their wrongful exploitation of Sushant’s outsider status. There are right questions being asked about big banners conspiring against newcomers, and these questions are being asked by the right people at the right places. This is just an appeal to all of us: please be considerate and mature in writing or speaking out about topics we do not fully understand. It would just be an inconsequential and immature step to rant out on Twitter without the appropriate knowledge and understanding. Your words and voices matter, choose and use them wisely.

સુશાંતસિંહ મૃત્યુઃ પોલીસે અત્યાર સુધીમાં 27 જણની પૂછપરછ કરી છે

મુંબઈઃ બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસમાં મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે. આ કેસ આત્મહત્યાનો છે, પરંતુ સુશાંતને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવામાં આવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે તો કોઈકને શંકા છે કે આ આયોજનપૂર્વકની હત્યા છે. પોલીસ તમામ પાસાં વિશે તપાસ કરી રહી છે.

34 વર્ષનો સુશાંત ગઈ 14 જૂને બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરના કાર્ટર રોડ પર માઉન્ટ બ્લાં સોસાયટીના છઠ્ઠા માળ પર આવેલા તેનાં ડુપ્લેક્સ ફ્લેટમાં લટકતી હાલતમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો.

બાન્દ્રા પોલીસ સ્ટેશનના અધિકારીઓ આ કેસમાં અત્યાર સુધીમાં 27 જણની પૂછપરછ કરી ચૂક્યા છે.

સુશાંતના પરિવારજનો અને એનાં પ્રશંસકો એ જાણવા માગે છે કે સુશાંતે કયા કારણે આત્મહત્યા કરી હતી.

મુંબઈ પોલીસના ડીસીપી (ઝોન-9) અભિષેક ત્રિમુખેએ કહ્યું કે અમને સુશાંતના પોસ્ટમોર્ટમનો વિગતવાર અહેવાલ મળી ચૂક્યો છે. ડોક્ટરોએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે મોતનું કારણ ગળાફાંસો લાગવાથી શ્વાસ રૂંધાઈ જવાનું હતું. અમે દરેક રીતે આત્મહત્યાની તપાસ કરી રહ્યા છીએ.

પોલીસે અત્યાર સુધીમાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તિ, સુશાંતની આખરી, અનરિલીઝ ફિલ્મ દિલ બેચારાના દિગ્દર્શક મુકેશ છાબડા, સુશાંત સાથે ફ્લેટમાં રહેતા ડિઝાઈનર સિદ્ધાર્થ પિઠાની, મહિલા કાસ્ટિંગ ડાયરેક્ટર શાનૂ શર્મા, સુશાંતની બહેન અને ઘરમાં કામ કરનારાઓની પૂછપરછ કરી છે.

શાનૂ શર્મા યશરાજ ફિલ્મ્સ કંપનીમાં કાસ્ટિંગ ડાયરેક્ટર તરીકે કામ કરે છે. શાનૂએ સુશાંત સાથે ‘શુદ્ધ દેસી રોમાન્સ’ અને ‘ડીટેક્ટિવ બ્યોમકેશ બક્ષી’ સાથે કામ કર્યું હતું. આ બંને ફિલ્મને આદિત્ય ચોપરાની આગેવાની હેઠળની યશરાજ ફિલ્મ્સે રિલીઝ કરી હતી.

બોલીવૂડનાં કેટલાક વધુ પ્રોડક્શન હાઉસીસના પ્રતિનિધિઓની પણ પોલીસ પૂછપરછ કરવાની છે.

વોટર બેબીઃ શ્રુતિનાં સૌંદર્યનું અન્ડરવોટર ફોટોશૂટ…

દક્ષિણ ભારતીય ફિલ્મોની અભિનેત્રી શ્રુતિ હાસન નવી નવી પોસ્ટ દ્વારા સોશિયલ મિડિયા પર તેનાં પ્રશંસકો સાથે સંકળાયેલી રહેતી હોય છે. 27 જૂન, શનિવારે એણે પોસ્ટ કરેલી તસવીરો વિશેષ એ રીતે છે કે તે અન્ડરવોટર શૂટ કરવામાં આવી છે.

પીઢ અભિનેતા કમલ હાસન અને એની અભિનેત્રી પત્ની સારિકાની મોટી પુત્રી શ્રુતિએ બે પ્રકારની તસવીરો પોસ્ટ કરી છે – એકમાં તે બ્લેક એન્ડ વ્હાઈટમાં છે જ્યારે બીજી તસવીરમાં એ રંગબેરંગી વસ્ત્રમાં દેખાય છે. શ્રુતિ બહુ જ સુંદર દેખાય છે અને પ્રશંસકોએ એને વખાણી છે.

કેપ્શનમાં શ્રુતિએ લખ્યું છેઃ ‘વોટર બેબી’. શ્રુતિની આ તસવીરોને લાખો વ્યૂઝ મળ્યા છે.

દક્ષિણ ભારતીય ઉપરાંત હિન્દી ફિલ્મોમાં પણ ચમકેલી શ્રુતિ સારી ગાયિકા પણ છે. બોલીવૂડમાં એ અત્યાર સુધીમાં ‘વેલકમ બેક’, ‘રમૈયા વસ્તાવૈયા’, ‘ગબ્બર ઈઝ બેક’, ‘લક’, ‘ડી-ડે’, ‘બહન હોગી તેરી’, ‘રોકી હેન્ડસમ’ અને ‘તેવર’ ફિલ્મોમાં ચમકી હતી.

એણે કેપ્શનમાં વધુમાં લખ્યું છેઃ ‘હું ગમે ત્યાં ડાન્સ કરી શકું છું.’

AI ખરીદવાનાં બિડ મોકલવાની મહેતલ 31 ઓગસ્ટ સુધી લંબાવાઈ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય એરલાઈન્સ એર ઈન્ડિયાને ખરીદવા માટે બિડ મોકલવા માટેની ડેડલાઈનને બે મહિના વધારે લંબાવી છે એટલે કે હવે 31 ઓગસ્ટ સુધીમાં બિડ મોકલી શકાશે.

કોરોના વાઈરસ મહાબીમારી ફેલાવાથી દુનિયાભરમાં આર્થિક પ્રવૃત્તિઓ ઠપ થઈ ગઈ હોવાને કારણે સરકારને આ મહેતલને લંબાવવાની ફરજ પડી છે.

સરકારે આ ત્રીજી વખત ડેડલાઈનને લંબાવી છે.

એર ઈન્ડિયામાં સરકારનો હિસ્સો વેચવાની પ્રક્રિયા સરકારે ગઈ 27 જાન્યુઆરીએ રૂ કરી હતી. એ વખતે એર ઈન્ડિયાને વેચવા માટે સરકારે સત્તાવાર રીતે જાહેરાત કરી હતી. એ વખતે એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ (EoI) ઈસ્યૂ કરતી વખતે સરકારે જાહેરાત કરી હતી કે બિડ મોકલવાની અંતિમ તારીખ 17 માર્ચ રહેશે. એ તારીખ જોકે સરકારે બાદમાં એપ્રિલ 30 સુધી લંબાવી હતી. બાદમાં એને 30 જૂન સુધી લંબાવી હતી અને કોરોનાનો પ્રકોપ હજી પણ ચાલુ રહેતાં ડેડલાઈનને 31 ઓગસ્ટ સુધી લંબાવી દીધી છે.

ક્વોલિફાઈડ ઈન્ટરેસ્ટેડ બિડર્સ (QIBs) માટેનો પત્ર રજૂ કરવા માટેની તારીખને પણ 14 સપ્ટેંબર સુધી લંબાવવામાં આવી છે.

કોરોના વાઈરસ ફેલાયો હોવાને કારણે અનેક દેશોમાં લોકડાઉન લાગુ કરાતાં આર્થિક પ્રવૃત્તિઓ જાગતિક રીતે ઠપ થઈ ગઈ છે. કોરોનાને કારણે એવિએશન ઉદ્યોગને માઠી અસર પહોંચી છે. એરલાઈન કંપનીઓને ફ્લાઈટ્સ રદ કરવી પડી છે અને કર્મચારીઓની સંખ્યામાં પણ કાપ મૂકવો પડ્યો છે.

કેન્દ્ર સરકારે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ)માં પોતાનો 52.98 ટકાનો પૂરેપૂરો હિસ્સો વેચી દેવાની જાહેરાત કરી છે. એ ખરીદવા માટે બિડ મોકલવા ઈન્વેસ્ટરો માટેની ડેડલાઈનને 31 જુલાઈ સુધી લંબાવી દેવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં 30 જૂન પછી લોકડાઉન હટાવાશે નહીં, પણ વધુ છૂટછાટો અપાશે: ઉદ્ધવ ઠાકરે

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે બપોરે 1.30 વાગ્યે રાજ્યની જનતા સાથે ફેસબુક લાઈવ માધ્યમ દ્વારા સંવાદ કર્યો હતો અને કહ્યું કે કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે 30 જૂન સુધી લાગુ કરાયેલું લોકડાઉન હટાવાશે કે નહીં? એ સવાલ બધા પૂછે છે, તો જવાબ છે ‘ના’. તેમ છતાં અર્થતંત્રને ફરી ચેતનવંતુ કરવાના પગલાંના ભાગરૂપે છૂટછાટો વધારવામાં આવશે.

ઠાકરેએ કહ્યું કે આપણે કેન્દ્રના આરોગ્ય મંત્રાલયની સૂચના અનુસાર લોકડાઉનને ધીમે ધીમે હટાવી રહ્યા છીએ. આમ જોવા જઈએ તો હવે આપણે આને લોકડાઉન શબ્દ તરીકે વાપરવાનો નથી. આપણે અર્થતંત્રને ધીમે ધીમે ખુલ્લું કરી રહ્યા છીએ, પરંતુ કોરોનાનું જોખમ હજી સાવ દૂર થયું નથી, કોરોના દર્દીઓની સંખ્યા વધવાનું ચાલુ જ છે એટલે આપણે મોઢા પર માસ્ક પહેરવાનું ચાલુ રાખવાનું છે અને સોશિયલ ડિસ્ટન્સિંગનો નિયમ પાળવાનું પણ ચાલુ જ રાખવાનું છે.

ઠાકરેએ એમના સંબોધનના આરંભમાં જ ડોક્ટરો, એમને કોરોના-યોદ્ધા તરીકે ઓળખવામાં આવ્યા છે એમનો આભાર માન્યો હતો અને એવી નોંધ લીધી હતી કે 1 જુલાઈના દિવસને ‘જાગતિક ડોક્ટર દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

ઠાકરેએ કહ્યું કે સરકારે આજથી હેર કટિંગ સલૂન અને પાર્લર સેવા શરૂ કરી છે. પરંતુ લોકોએ કારણ વગર ઘરની બહાર પડવું નહીં.

ઉદ્ધવ ઠાકરેના સંબોધનના ખાસ અંશઃ

  • સરકારને મહારાષ્ટ્રમાં લોકડાઉન ફરી લાગુ કરવું નથી, પરંતુ એમ કરવાનો સમય ન આવે એની કાળજી નાગરિકોએ જ લેવાની છે
  • લોકડાઉનમાં બધું થંભી ગયું હતું, પરંતુ કિસાનો અટક્યા નહોતા. પરંતુ આ કિસાનોને બોગસ બિયારણ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે તો એવા ગુનેગારો સામે સરકાર કડક પગલાં લેશે
  • મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે પ્લાઝમા થેરપીનો ઉપયોગ કરાય છે. રક્તદાનની જેમ પ્લાઝ્માનું પણ દાન કરવા માટે લોકો આગળ આવે.
  • કોરોનાના ઉપચાર માટે આવશ્યક દવાઓનું મહારાષ્ટ્ર સરકાર મફતમાં વિતરણ કરશે.
  • અર્થતંત્રને ફરી પાટે ચડાવવા માટે અનલોક કરાયું છે એટલે કોરોનાના દર્દીઓની સંખ્યા પણ વધી છે, તો સામે છેડે સરકારે ટેસ્ટ સહિતની આરોગ્ય સુવિધાઓ પણ વધારી દીધી છે,

માય નેમ ઈઝ કરણ!

સગાંવાદનો ઝંડાધારી… મૅનિપ્યૂલેટર… ગૉડફાધર… આવાં જાતજાતનાં વિશેષણથી અપમાનિત થઈ રહેલા અને સુશાંતસિંહના અપમૃત્યુ પછી વિવાદમાં ઘેરાયેલા બોલીવુડના જાણીતા અને વગદાર ચહેરા કરણ જોહરનો એક ક્લોઝ અપ…

(કેતન મિસ્ત્રી)


પ્રતિભાશાળી ઍક્ટર સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુ બાદ સિનેસૃષ્ટિમાં ભાઈ-ભત્રીજાવાદ (નેપોટીઝમ)ના વિવાદથી વ્યથિત થઈને કરણ જોહરે મુંબઈ ‘ઍકેડમી ઑફ ધ મૂવિંગ ઈમેજ’ (MAMI)ના ડિરેક્ટરપદ પરથી રાજીનામું આપીને એક નવો વિવાદ શરૂ કર્યો છે. એવી પણ ખબર આવી કે ‘મામી’ના મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલનાં ચૅરપર્સન દીપિકા પદુકોણે મનાવવાની કોશિશ કરી, પણ કરણે એની વાત પણ માની નથી. કરણને એ વાતનું ખોટું લાગ્યું છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી અમુક લોકો તથા આમ જનતા એને નેપોટીઝમનો ઝંડાધારી (ફ્લૅગબેરિયર) કહીને ધુત્કારી રહ્યા હતા તથા સોશિયલ મિડિયા પર એને ટ્રોલ કરી રહ્યા હતા ત્યારે ‘મામી’ના હોદ્દેદાર તથા બીજા કોઈ એના સપોર્ટમાં આવ્યા નહીં, ન કોઈ એની તરફેણમાં બોલ્યું. ‘મામી’ના બોર્ડ પર વિક્રમાદિત્ય મોટવાની, સિદ્ધાર્થ રૉય કપૂર, દીપિકા પદુકોણ, ઝોયા અખ્તર, કબીર ખાન, વગેરે બિરાજે છે.

ટ્વિટર પર દોઢ કરોડથી વધુ ફૉલોઅર્સ ધરાવતો, ‘રૂહી ઔર યશ કા પાપા, હીરૂ ઔર યશ કા બેટા’ અને પ્રોડ્યુસર-ડિરેક્ટર-સ્ક્રીનરાઈટર-કૉસ્ચ્યૂમ ડિઝાઈનર અને ટીવીપર્સનેલિટી કરણ જોહર એ વાતને લઈને અળખામણો થઈ રહ્યો છે કે એણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સગાંવાદને પોષ્યો. નવાઈ એ વાતની છે કે ફિલ્મકલાકાર-કસબીનાં પુત્ર-પુત્રીને લૉન્ચ કરવાનો રિવાજ કંઈ આજનો નથી કે નથી એ કરણે શરૂ કર્યો. અને કરણે માત્ર સ્ટાર્સનાં છોકરાં-છોકરી સાથે કે એમનાં ભાઈ-ભત્રીજા-ભત્રીજી સાથે જ કામ કર્યું એ કહેવું ગલત ગણાશે. ચલો, એની કરિયર પર એક નજર નાખીએઃ

આદિત્ય ચોપરાની ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ના નિર્માણ દરમિયાન સહાયક તરીકે કરિયરની શરૂઆત કર્યા બાદ ડિરેક્ટર તરીકે પહેલી ફિલ્મ ‘કૂછ કૂછ હોતા હૈ’માં કરણે કાસ્ટ કર્યાં શાહરુખ ખાન-કાજોલ-રાણી મુખર્જીને. એ પછી કરણે ‘કભી ખુશી કભી ગમ’, ‘કલ હો ના હો’, ‘દોસ્તાના’, ‘વેક અપ સિડ્સ’, ‘કભી અલવિદા ના કેહના’, ‘માય નેમ ઈઝ ખાન’, ‘અગ્નિપથ’, વગેરે બનાવી, જેમાં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, સૈફ અલી ખાન, શાહરુખ ખાન, કરીના કપૂર, રાણી મુખર્જી, જૉન અબ્રાહમ, હૃતિક રોશન, પ્રિયંકા ચોપરા, વગેરે હતાં, જે એસ્ટાબ્લિસ્ડ કલાકાર હતા.

કરણ પર નેપોટીઝમનો આરોપ લાગવો શરૂ થયો ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ ફિલ્મથી. અહીંથી એણે સ્ટાર્સની નવી પેઢીને કાસ્ટ કરવાની શરૂઆત કરી. એણે સ્ટારકિડ્સ આલિયા ભટ્ટને તથા વરુણ ધવનને ચમકાવ્યાં તો સાથે બહારથી આવેલા સિદ્ધાર્થ મલ્હોત્રાને પણ ચમકાવ્યો. એ પછી ‘સ્ટુડન્ટ ઑફ ધ યર-ટુ’માં એણે ચંકીપુત્રી અનન્યા પાંડેને ચમકાવી તો સાથે સાથે તારા સુતરિયા, ટાઈગર શ્રોફને ચમકાવ્યાં, ‘ધડક’માં ઈશાન ખટ્ટર, જાહ્નવી કપૂરને કાસ્ટ કર્યાં.

જાણીને નવાઈ લાગશે કે કરણ જોહરની કંપની ધર્મા પ્રોડક્શન્સ કેટલીક હટકે ફિલ્મ સાથે પણ સંકળાયેલી છે. જેવી કે ‘ધ ગાઝી ઍટેક’, ‘લંચ બૉક્સ’, ‘ગિપ્પી’, ‘ઉંગલી’ (બાય ધ વે, આ ફિલ્મમાં કંગના રણોટ પણ હતી), ‘બકેટ લિસ્ટ’ (મરાઠી) તો આ જ કરણ જોહરે નવોદિત શકૂન બત્રા (‘એક મૈં ઔર એક તૂ’, ‘કપૂર ઍન્ડ સન્સ’)થી લઈને સોહમ શાહ (‘કાલ’), શશાંક ખૈતાન (‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’, ‘બદરીનાથ કી દુલ્હનિયા’, ‘ધડક’), ગૌરી શિંદે (‘ડિયર ઝિંદગી’), વગેરે જેવાં સર્જકોને એમને ગમતા વિષય પર ફિલ્મ બનાવવા દીધી.

યસ, કરણે એના ટીવી-શો ‘કૉફી વિથ કરણ’માં ઘણા સ્ટાર્સની ખિલ્લી ઉડાડી, ઘણાને નીચાજોણું કરાવ્યું. કદાચ ટીવીચેનલની શોને પૉપ્યુલર બનાવવાની ગણતરીપૂર્વકની ચાલ હોઈ શકે. કેમ કે સ્ટાર્સના ચીલાચાલુ ઈન્ટરવ્યુ જોવામાં કોને રસ પડે? થોડી તડાફડી થાય, છોડો વિવાદ થાય તો જ દર્શકોની સંખ્યા વધે!

એક વાત એ સમજી લેવાની જરૂર છે કે કરણ જોહર ધર્મા પ્રોડક્શન્સ નામની એક ફિલ્મકંપની ચલાવે છે. બીજા કોઈ પણ બિઝનેસની જેમ ફિલ્મ પણ એક બિઝનેસ છે, જેમાં પ્રોફિટ ઘણો મહત્વનો છે. જો એ નફો ધ્યાનમાં રાખીને એ રીતે કલાકારો લે તો એમાં ખોટું શું છે? રહી વાત નેપોટીઝમની. હા, એ સાચું કે ફિલ્મી ખાનદાનમાંથી આવવાના ફાયદા છે, સૌથી મોટો ફાયદો કોઈ પણ સંઘર્ષ વિના ફિલ્મપ્રવેશ થઈ જાય છે. કનેક્શન ન ધરાવનારને નિર્માતા-દિગ્દર્શકની ઑફિસનાં પગથિયાં ઘસવા પડે છે. પણ સાથે એ પણ સમજી લેવાની જરૂર છે કે ફિલ્મપ્રવેશ મળી જવાથી રાતોરાત સ્ટાર બની જવાતું નથી. કલાકારમાં કૌવત હશે તો જ ચાલશે. પછી તમે ફિલ્મ ફૅમિલીમાંથી આવો છો કે નૉનફિલ્મ ફૅમિલીમાંથી. કોઈ પણ ફિલ્મી બૅકગ્રાઉન્ડ ન ધરાવતા અનેક ટેલન્ટેડ કલાકાર સફળ થયાના દાખલા આપણે ત્યાં છે.

-અને પબ્લિક અથવા દર્શક પણ કોઈની બે આંખની શરમ રાખતી નથી. એને કંઈ પડી નથી કે પરદા પર કામ કરનાર ફલાણાનો દીકરો કે દીકરી છે. એ એન્ટરટેઈનિંગ છે પ્રતિભાશાળી છે તો હા. નહીંતર ખીસકો. અને કરણ જોહર કે આદિત્ય ચોપરા કે એકતા કપૂર કે અન્ય નિર્માતા પણ કંઈ ‘ઢ’ નથી. જો એમને ખ્યાલ આવી જાય કે અમુક કલાકાર નથી ચાલતા તો માત્ર યારી-દોસ્તી-સગાં છે એટલે એને નહીં લે. આદિત્ય ચોપરાએ ભાઈ ઉદય ચોપરા સાથે કેટલી ફિલ્મ બનાવી? એકતા કપૂરે ભાઈ તુષારને કેટલી ફિલ્મમાં તક આપી? કરણ જોહર કંઈ બધી જ ફિલ્મમાં ભાઈ-ભત્રીજા-ભત્રીજીને લેતો નથી.

સુશાંતસિંહના પ્રકરણ પર પાછા આવીએ તો સુશાંતે પોતે કરણની ફિલ્મ ‘રાઈડ’માં કામ કર્યું છે, યશરાજની બે ફિલ્મ (‘શુદ્ધ દેસી રોમાન્સ’, ‘ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી’) તથા રાજકુમાર હીરાણીની ‘પીકે’, વગેરે અનેક મોટાં બૅનર, મોટા, સમ્માનીય સર્જકો સાથે કામ કર્યું. હાલ એની પાસે ત્રણેક ફિલ્મો હતી, જેનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવાનું હતું.

રખે સમજી લેતા કે આ લેખનો આશય કરણ જોહરની તરફેણ કરવાનો કે એને સારું લગાડવાનો છે. કહેવાનું એટલું જ કે પોલીસ, ઈન્વેસ્ટિગેટિવ એજન્સી એ દિશામાં તપાસ કરી રહી છે કે શું અમુક લોકોએ ગૅન્ગ બનાવી સુશાંતને કામ ન મળે એવો કારસો રચેલો? અને ફિલ્મો મળતી બંધ થઈ એટલે હતાશ થઈને એણે આત્મહત્યા જેવું અંતિમ પગલું લીધું? ફાઈન, જ્યાં સુધી તપાસ પૂરી ન થાય, સત્ય સામે ન આવે ત્યાં સુધી કંઈ પણ જાણ્યાસમજ્યા વગર કંઈ પણ એલફેલ બોલી નાખવું, (ટ્વિટર પર) લખી નાખવું એમાં કોઈ સમજદારી નથી.

પેટ્રોલ-ડિઝલના ભાવવધારાના વિરોધમાં કોંગ્રેસનું 29 જૂને આંદોલન

નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં સતત થઈ રહેલા વધારા સામે વિરોધ દર્શાવવા વિરોધ પક્ષ કોંગ્રેસ 29 જૂનના સોમવારે દેશભરમાં દેખાવો કરશે. પાર્ટીના સંસદસભ્યો, વિધાનસભ્યો અને નેતાઓ બંને ઈંધણનો ભાવવધારો પાછો ખેંચી લેવામાં આવે એવી માગણી કરતું એક આવેદનપત્ર બાદમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સુપરત કરશે.

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC)ના મહામંત્રી કે.સી. વેણુગોપાલે કહ્યું છે કે આ વિરોધ કાર્યક્રમો દ્વારા અમારો પક્ષ કોરોના સંકટમાં સરકાર દ્વારા સામાન્ય પ્રજાને લૂંટવાની પ્રવૃત્તિ પર પ્રકાશ પાડવાનો છે.

આવનારા સપ્તાહમાં, એટલે કે 30 જૂનથી 4 જુલાઈ સુધી કોંગ્રેસ પાર્ટી દેશભરમાં તાલુકા સ્તરે વ્યાપક વિરોધ કાર્યક્રમો હાથ ધરવાની છે. સરકાર છેલ્લા 21 દિવસોથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો કરતી રહી છે. આને કારણે સામાન્ય પ્રજા પર વધારાનો આર્થિક બોજો આવી પડ્યો છે, એમ વેણુગોપાલે એક નિવેદનમાં કહ્યું છે.

રાજ્યસભાના સદસ્ય વેણુગોપાલે એવો આક્ષેપ કર્યો છે કે ક્રૂડ તેલના આંતરરાષ્ટ્રીય ભાવ રેકોર્ડ કહેવાય એવા નીચા સ્તરે ઉતરી ગયા છે ત્યારે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડિઝલ પર કેન્દ્રીય આબકારી જકાત અસાધારણ રીતે વધારીને ધરખમ નફો મેળવ્યો છે.

ક્રૂડ તેલના નીચા ગયેલા ભાવનો લાભ સામાન્ય જનતાને આપવાને બદલે સરકાર આબકારી જકાત વધારતા રહીને બંને ઈંધણના ભાવને જાણીજોઈને વધારી રહી છે, એમ કોંગ્રેસી નેતાએ કહ્યું.

29 જૂને પાર્ટી સવારે 11-12 વાગ્યા વચ્ચે દેશભરમાં કેન્દ્ર સરકારી કાર્યાલયોની બહાર ધરણા કરશે. એ વખતે સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોનું પાલન કરાશે. આ ધરણા કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રદેશ સમિતિ અને જિલ્લા પ્રદેશ સમિતિના નેતાઓ અને કાર્યકર્તાઓ ભાગ લેશે.