Home Blog Page 4745

અમદાવાદમાં માસ્ક વગર ફરતાં લોકો સામે દંડનીય કાર્યવાહી

અમદાવાદ: કોરોનાની મહામારી વધારે વકરે નહીં એ માટે સરકારે ફરજીયાત માસ્ક પહેરવાનું ફરમાન કર્યું છે. પરંતુ કેટલાક વાહનચાલકો, વેપારીઓ અને રાહદારીઓ માસ્ક વગર ફરતાં નજરે પડે છે. અમદાવાદ શહેર પોલીસ અને મહાનગરપાલિકાની બનેલી જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ (જેટ)ના સભ્યો શહેરમાં માસ્ક વગર ફરતાંં લોકો ને અટકાવી દંડ વસુલ કરી રહ્યા છે.

1 જુલાઈને બુધવારની સવારે શાસ્ત્રીનગર વિસ્તારમાં ત્રાટકેલી ‘જેટ’ની ટીમે મોટી સંખ્યામાં માસ્ક વગર ફરતાં લોકો પાસેથી દંડ વસુલ કર્યો હતો.

કોરોના વાયરસની ગંભીરતા સમજ્યા વગર માસ્ક વિહોણા બનીને ફરતાં લોકો પાસેથી રુપિયા 200નો દંડ વસુલવામાં આવે છે. દંડ વસુલ કર્યા બાદ માસ્ક વગર ફરતાં લોકોને એક માસ્ક આપી કોરોનાની ગંભીરતા સમજાવવા ‘જેટ’ની ટીમ પ્રયત્ન કરે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

મનોહરના રાજીનામા બાદ ICC ચેરમેનપદ માટે ગાંગુલી મજબૂત દાવેદાર

નવી દિલ્હી: ક્રિકેટની રમતનું આંતરરાષ્ટ્રી સ્તરે સંચાલન કરતી સંસ્થા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના ચેરમેન પદેથી શશાંક મનોહરે ગઈ કાલે રાજીનામુ આપ્યું. એમના રાજીનામાને પગલે હવે આઈસીસીના નવા ચેરમેન કોણ હશે એ ચર્ચાએ જોર પકડ્યું છે. હોંગકોંગના ઇમરાન ખ્વાજા હાલ આઈસીસીના વચગાળાના અધ્યક્ષ નિમાયા છે. આઇસીસી બોર્ડ આગામી સપ્તાહ સુધીમાં નવા અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયાને મંજૂરી આપે તેવી સંભાવના છે. આ પદ પર બિરાજમાન થવા ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના પ્રમુખ સૌરવ ગાંગુલી માટેનો માર્ગ મોકળો થયો છે.

ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડના પૂર્વ અધ્યક્ષ કોલિન ગ્રેવ્સ અને બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલી આઈસીસીના અધ્યક્ષ પદના મુખ્ય દાવેદારો છે. 47 વર્ષીય ગાંગુલી આ પદ માટે મજબૂત દાવેદાર છે, પણ એમની દાવેદારી સુપ્રીમ કોર્ટ પર નિર્ભર કરે છે. બીસીસીઆઈ ઈચ્છે છે કે લોઢા સમિતિના વહીવટીય સુધારાવાદી પગલાં અંતર્ગત સુપ્રીમ કોર્ટ બોર્ડને રાહત આપે, જેથી ગાંગુલી વધુ ત્રણ વર્ષ સુધી બીસીસીઆઈના પ્રમુખપદે રહી શકે.

બીસીસીઆઈ પ્રમુખ તરીકે ગાંગુલીની 3 વર્ષની મુદત 31 જુલાઈએ પૂરી થાય છે. જો સુપ્રીમ કોર્ટ રાહત આપવાની ના પાડશે તો ગાંગુલી આઈસીસી ચેરમેન બનવા તરફ આગળ વધી શકશે. સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત લોઢા સમિતિ ભલામણ કરી ચૂક્યું છે કે ગાંગુલી સતત ત્રણ વર્ષથી વધારે સમય માટે બીસીસીઆઈના કોઈ પણ પદ પર રહી ન શકે.

મહત્વનું છે કે, શશાંક મનોહર બે વખત બીસીસીઆઈના પ્રમુખ રહી ચૂક્યા છે. તેમનો પ્રથમ કાર્યકાળ 2008થી 2011 વચ્ચે હતો, જ્યારે બીજી વખત જગમોહન દાલમિયાના નિધન પછી ઓક્ટોબર 2015થી મે 2016 વચ્ચે તેમને બીસીસીઆઈ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.

શશાંક મનોહરના રાજીનામાં પછી હવે વિશ્વના સૌથી ધનવાન ક્રિકેટ બોર્ડ એવા બીસીસીઆઈની નજર આઈસીસીના ચેરમેન પદ પર મંડાયેલી છે. બીસીસીઆઈ આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા વર્લ્ડ કપની જગ્યાએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 13મી સીઝનનું આયોજન કરવાની યોજના બનાવી રહ્યું છે. માટે જો આઈસીસીના નવા ચેરમેન ભારતના હોય તો બીસીસીઆઈને તેની આ યોજના લાગુ કરાવવામાં સરળતા રહેશે.

રેલવેનું ખાનગીકરણનું કામ જોરમાંઃ 109 રૂટ પર ખાનગી ટ્રેનો દોડાવાશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા સૌપ્રથમ વાર ભારતીય રેલવે નેટવર્ક પર પેસેન્જર ટ્રેન ચલાવવા માટે ખાનગી કંપનીઓને આમંત્રિત કરવામાં આવી છે. રેલવે મંત્રાલયે બુધવારે 109 જોડી રૂટો પર 151 મોડર્ન ટ્રેનો દ્વારા પેસેન્જર ટ્રેનો ચલાવવા માટે ખાનગી કંપનીઓ પાસેથી અરજી મગાવવામાં આવી છે. દરેક ટ્રેનમાં ઓછામાં ઓછા 16 કોચ હોવા જોઈએ. આ યોજનામાં ખાનગી ક્ષેત્રનું રૂ. 30,000 કરોડનું મૂડીરોકાણ આવશે.  

પેસેન્જર ટ્રેનો ચલાવવા માટે ખાનગી મૂડીરોકાણની પહેલ

ભારતીય રેલવે નેટવર્ક ઉપર પેસેન્જર ટ્રેનો ચલાવવા માટે ખાનગી મૂડીરોકાણની આ પ્રથમ પહેલ છે. મંત્રાલયે કહ્યું છે કે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત દેશમાં મોટા ભાગની ટ્રેનોનું ઉત્પાદન કરવામાં આવશે. ટ્રેનોની નાણાકીય વ્યવસ્થા, ટ્રેનો ચલાવવાની અને ટ્રેનોની જાળવણી કરવા સહિત તમામ જવાબદારી ખાનગી કંપનીની રહેશે. રેલવે 35 વર્ષ માટે આ ટ્રેનો ખાનગી કંપનીઓને આપશે.

ટ્રેનોની મહત્તમ સ્પીડ પ્રતિ કલાકના 160 કિલોમીટરની

આ પેસેન્જર ટ્રેનો પ્રતિ કલાકના 160 કિલોમીટરની ઝડપે ડિઝાઇન કરવામાં આવી છે. જેથી પ્રવાસના સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે. જેતે માર્ગો પર ટ્રેનો દ્વારા લેવામાં આવતો સમય ભારતીય રેલવેની સૌથી ઝડપી ટ્રેન સાથે તુલનાત્મક અથવા ઝડપી હશે.

આ ખાનગીકરણનો ઉદ્દેશ એ છે કે ટ્રેનોનો જાળવણી ખર્ચ ઘટાડવો, રોજગારીનું સર્જન કરવું, સલામતી પૂરી પાડવી, પેસેન્જરોને વર્લ્ડ કક્ષાના પ્રવાસનો અનુભવવો કરાવવો અને પેસેન્જર ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રમાં માગ-પુરવઠાનો ગેપ ઘટાડવો, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

આ પ્રોજેક્ટ માટે કંપનીઓને ટ્રેનો ચલાવવા માટેનો સમયગાળો (કન્સેશન પિરિયડ) 35 વર્ષનો હશે. ખાનગી કંપનીએ ભારતીય રેલવેને નિશ્ચિત ચાર્જ, વીજ વપરાશ પ્રમાણે ચાર્જ અને પારદર્શક બિડિંગ પ્રક્રિયા દ્વારા કુલ આવકમાં હિસ્સો ચૂકવવો પડશે.

આ ટ્રેનોના ડ્રાઇવર અને ગાર્ડ રેલવેના જ રહેશે

આ ટ્રેનોને ભારતીય રેલવેના ડ્રાઇવર અને ગાર્ડ દ્વારા ચલાવવામાં આવશે. ખાનગી કંપનીઓ દ્વારા ટ્રેનોનું સંચાલન, ટ્રેનોને ઇન્ડિકેટર્સ મુજબ સમયસર ચલાવવાની જવાબદારી અને જાળવણી કરવાની રહેશે. ભારતીય પેસેન્જર ટ્રેનોનું સંચાલન અને જાળવણી રેલવેએ નિર્ધારિત કરેલાં ધારાધોરણો મુજબ વિશિષ્ટતાઓ અને જરૂરિયાતો અનુસાર સંચાલિક કરવામાં આવશે.

IRCTC દ્વારા પહેલી ખાનગી ટ્રેન પાછલા વર્ષે શરૂ કરાઈ હતી

ગયા વર્ષે IRCTCએ પહેલી ખાનગી ટ્રેન લખનઉ-દિલ્હી તેજસ એક્સપ્રેસ શરૂ કરી હતી. રેલવેના જણાવ્યા મુજબ આ પગલા પાછળનો હેતુ ભારતીય રેલવેમાં ટ્રેનોનો જાળવણી ખર્ચ ઓછો થયો હતો.

મુંબઈમાં 3, 4 જુલાઈએ મુસળધાર વરસાદની સંભાવના; ઓરેન્જ એલર્ટ ઘોષિત

મુંબઈઃ શહેરમાં 3, 4 જુલાઈના શુક્રવાર અને શનિવાર માટે ભારતીય હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ ઘોષિત કરવામાં આવ્યું છે. આ બંને દિવસે અતિ ભારે વરસાદની સંભાવના છે. મુંબઈ ઉપરાંત પડોશના થાણે અને પાલઘર જિલ્લાઓ માટે પણ ઓરેન્જ એલર્ટ ઈસ્યૂ કરવામાં આવ્યું છે.

મુંબઈ તથા પડોશના જિલ્લાઓમાં આ વર્ષે ચોમાસાની ઋતુનું આગમન તો ક્યારનું થઈ ગયું છે, પરંતુ મુંબઈગરાઓને હજી સુધી મુસળધાર વરસાદનો અનુભવ થયો નથી. માત્ર એકાદ-બે દિવસ વરસાદ પડી ગયો હતો. પરંતુ એ સિવાય જૂન મહિનાનો ઘણો ખરો ભાગ કોરો ગયો હતો. હવે મુંબઈમાં ચોમાસું ફરી સક્રિય થઈ રહ્યું હોવાનું હવામાન વિભાગનું અનુમાન છે.

આ સપ્તાહાંતે મુંબઈ તથા પડોશના વિસ્તારોમાં મુસળધાર વરસાદ પડી શકે છે. અમુક વિસ્તારમાં અતિ મુસળધાર વરસાદ પડી શકે છે એવી પણ ચેતવણી આપી દેવાઈ છે.

મહારાષ્ટ્રના પશ્ચિમ સમુદ્રકાંઠે ગઈ 14 જૂને ચોમાસાએ મુંબઈમાં પ્રવેશ કર્યો હતો. તે પછી માત્ર 18 જૂને જોરદાર વરસાદ પડ્યો હતો, પરંતુ એ સિવાય સતત ધોધમાર વરસાદની મુંબઈગરાઓ રાહ જોઈ રહ્યા છે. મુંબઈ મહાનગરને પીવાનું પાણી પૂરું પાડતા સાત જળાશયોમાં પણ વરસાદી પાણીની આવક થવી અત્યંત જરૂરી છે.

તાજ હોટેલને ધમકીઃ દમણના દરિયામાંથી બિનવારસી બોટ મળી આવી

દમણ:  દક્ષિણ મુંબઈની લક્ઝરી હોટેલ તાજ મહલ પેલેસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ દમણના દરિયામાં એક બિનવારસી બોટ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. બોટની તપાસ કરતા તેમાંથી ઈરાન સાથે સંકળાયેલા કેટલાક દસ્તાવેજો સહિતનો સામાન મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ બોટ ઈરાનની હોવાની જાણકારી મળી છે. આ સિવાય બોટમાંથી કોઈ શંકાસ્પદ સામાન મળી આવ્યો નથી.

પ્રતિકાત્મક તસવીર

હાલ આ બોટને કબજામાં લઈને મરીન પોલીસ અને કોસ્ટ ગાર્ડે વધુ તપાસ હાથ ધરી છે. તાજેતરમાં જ મુંબઈની તાજ મહલ હોટેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકી ફોન દ્વારા આપવામાં આવી હતી. તાજ હોટલ ઉપરાંત હોટેલ કોલાબા અને બાન્દ્રા (વેસ્ટ)ની તાજ લેન્ડ્સ એન્ડને પણ ધમકી ભર્યા કોલ આવ્યા હોવાના અહેવાલ હતા. આ ફોન કોલ પાકિસ્તાનમાંથી કરવામાં આવ્યા હતા. આ ધમકી પછી આ બધી હોટેલ સહિતના તમામ મહત્ત્વના તથા સંવેદનશીલ સ્થળોની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

તાજ મહલ હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પછી સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. હોટેલ તાજ પર ફરીથી આતંકી હુમલાની આશંકાને કારણે દમણના દરિયામાં કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર જ્યારે પેટ્રોલિંગ કરી રહ્યું હતું એ દરમિયાન તેની નજર એક બોટ પર પડી હતી. ત્યારબાદ તપાસ કરવામાં આવતા એ બોટ બિનવારસી હોવાની જાણવા મળ્યું હતું.

12 વર્ષ પછી ફરી તાજ મહલ હોટેલને ધમકી આપવામાં આવી છે. 2008ની સાલમાં 26મી નવેંબરે પાકિસ્તાનમાંથી ઘૂસી આવેલા ત્રાસવાદીઓએ તાજ મહલ પેલેસ હોટેલ પર ભયાનક હુમલો કર્યો હતો અને ગોળીબાર કર્યો હતો તેમજ બોમ્બ વિસ્ફોટો કર્યા હતા.

કોરોનાના સંક્રમિતોની સંખ્યા છ લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 19,148 નવા કેસ સામે આવ્યા છે અને 434 લોકોનાં મોત થયાં છે. દેશમાં સતત આઠમા દિવસે કોવિડ-19ના 15,000થી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 6,094,641 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 17,834 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 3,59,859 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 2,26,947એ પહોંચી છે. રિકવરી રેટ 59.51 ટકાએ પહોંચ્યો છે.

 

છ દિવસમાં એક લાખ અને 20 દિવસમાં ત્રણ લાખ કોરોનાના કેસ

દેશમાં 12 જૂને કુલ કોરોનાના દર્દીઓની સંખ્યા ત્રણ લાખને પાર થઈ હતી અને આશરે 9000 લોકોનાં મોત થયાં હતાં. માત્ર નવ દિવસમાં એટલે કે 20 જૂને કોરોનાના દર્દીઓની સંખ્યા ચાર લાખને પાર થઈ હતી અને આશરે 13,000 લોકોનાં મોત થયાં હતાં. છ દિવસ પઠી 20 જૂને દર્દીઓની સંખ્યા પાંચ લાખને પાર થઈ હતી અને આશરે 16,000 લોકોનાં મોત થયાં હતાં. આ ઉપરાંત 20 દિવસમાં કોરોનાના ત્રણ લાખ કેસ નોંધાયા હતા.

અમેરિકામાં 24 કલાકમાં કોરોનાના 52,000 નવા કેસ

અમેરિકામાં કોરોના વાઇરસે બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 52,000 નવા કેસ નોંધાયા છે. આ એક દિવસમાં સંક્રમિત દર્દીઓની સૌથી વધુ સંખ્યા છે. અમેરિકામાં કોરાનાથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 26 લાખને પાર થઈ ગઈ છે.

વિશ્વમાં કોરોનાથી 1.08 કરોડથી વધુ લોકો કોરોના સંક્રમિત

વિશ્વમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 5,18,921 લોકોનાં મોત થયાં છે અને અત્યાર સુધી કોરોના સંક્રમિતોની સંખ્યા 10,802,849એ પહોંચી છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

બે ટોચના વકીલોએ ટિકટોકનો કેસ લડવાનો ઇનકાર કર્યો

નવી દિલ્હીઃ ચાઇનીઝ એપ ટિકટોકને પોતાનો કેસ લડવા માટે કોઈ સારો વકીલ શોધવામાં પણ મુશ્કેલી પડી રહી છે. દેશના બે જાણીતા વકીલોએ કોર્ટમાં ટિકટોકનો કેસ લડવા માટે સ્પષ્ટ ઇનકાર કર્યો છે. ભૂતપૂર્વ એટર્ની જનરલ અને સિનિયર વકીલ મુકુલ રોહતગી પછી હવે સિનિયર કોંગ્રેસ નેતા અને સુપ્રીમ કોર્ટના એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ પણ ટિકટોકનો કેસ લડવા માટે ઘસીને ના પાડી દીધી છે. ટિકટોક સહિત 50 ચાઇનીઝ એપ્સ પર સરકારે 29 જૂને પ્રતિબંધ મૂકી દીધો છે. બંને વકીલો સરકારના નિર્ણયની સામે કોર્ટમાં ટિકટોકની દલીલો રજૂ નહીં કરે.  

ચાઇનીઝ કંપનીની તરફેણ કરવી એ યોગ્ય નથી

ભૂતપૂર્વ એટર્ની જનરલે કહ્યું છે કે હાલના ટેન્શનને જોતાં કોઈ પણ ચાઇનીઝ કંપનીની તરફેણ કરવી એ યોગ્ય નથી. રોહતગી 19 જૂન, 2014થી 18 જૂન, 2017 સુધી ભારતના એટર્ની જનરલ હતા. તેઓ દેશના ટોચના વકીલોમાંના એક છે. કોંગ્રેસ નેતા સિંઘવીએ હવે ટિકટોકનો કેસ લડવાનો ઇનકાર કર્યો છે. જોકે વર્ષ પહેલાં તેઓ સુપ્રીમ કોર્ટમાં કંપનીનો કેસ લડી ચૂક્યા છે. ત્યારે તેમણે જીત મેળવી હતી. સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઇ કોર્ટને મામલે સુનાવણી કરી રહી હતી, ત્યારે હાઇકોર્ટે મદુરાઈ બેન્ચે પાછલા વર્ષે 24 એપ્રિલે ટિકટોક પરથી પ્રતિબંધ ઉઠાવી લીધો હતો.

બંને વકીલોએ શું કહ્યું?

રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે પ્રતિબંધ મૂકવામાં આવ્યો

કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટિકટોક, વીચેટ, યુસી બ્રાઉસર જેવી 59 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મૂક્યો છે. પાછલા દિવસોમાં ચીન અને ભારતની સેના વચ્ચે થયેલી હિંસક ઝડપમાં 20 ભારતીય જવાનો શહીદ થયા બાદ બંને દેશો વચ્ચે ટેન્શન ચાલી રહ્યું છે, ત્યારે સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને મુદ્દે ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.

 

 

 

સુવિચાર – ૨ જુલાઈ, ૨૦૨૦

સુવિચાર – ૨ જુલાઈ, ૨૦૨૦

Chitralekha Gujarati – July 13, 2020

PDF Version

રાશિ ભવિષ્ય 02/07/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજે તમને કોઈ સારી આશા જન્માવે, તમે પસંદગીના કામમાં સારો સમય પસાર કરો, તમારા પરિચિત સાથે કોઈ લાભની વાત થાય, મુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી અનુભવો, વેપારના કામકાજમાં નવીનતક દેખાઈ શકે છે, યુવાવર્ગને ઉત્સાહ સારો રહે.


તમારા સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની શકે છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, મુસાફરી થવાના યોગ છે.


આજે મુસાફરી દરમિયાન તમને ઉત્સાહ જોવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકકે અધ્યાત્મિકવાતમાં રૂચી વધુલો અને કોઈજગ્યાએ ધાર્મિકબાબત પર નાણાનું દાનકે સદ્કાર્ય માટેનું આયોજન પણ કરો, વેપારના કામકાજમાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો હિતાવહ છે, પ્રિયજન સાથે ફરવા જવાના યોગ પણ છે.


આજે વ્યવસાયમાં થોડી વ્યસ્તતા જોવા મળે, સહકર્મચારીનો સહયોગ તમને મળી રહે અને કામપૂરું થયાનો સંતોષ પણ મળે, તમારા કોઈ જુનાઅટકેલા કામકાજમાં સમય ફાળવોતો તેમાં પણ કામ આગળ ચાલવાની શક્યતા રહે, બજારના કામમાં આકસ્મિકલાભ થઈ શકે છે, યુવાવર્ગ માટે ઉત્સાહજનક કોઈ વાત બની શકે.


આજે અચાનક તમને કોઈ સારી તક દેખાય અને તમે ખુશી અનુભવો, આજના દિવસમાં તમારામાં ધીરજનો થોડો અભાવ દેખાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે આજે કોઈ અઘરો વિષય શીખવામાં વધુ સમય ફાળવાયતો તે વિષયમાં આવડત વધી શકે છે, વેપારમાં નવું જાણવાનું મળવાથી ખુશી અનુભવાય.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે કેમકે તમને નાનીનાની વાતમાં ગુસ્સો આવે અને તેની અસર તમારી સાથેના અન્ય લોકો પર પડે જેથી ક્યાંક મનદુઃખના થાય તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં કોઈપણ પ્રકારનું મોટું જોખમના કરવું, પ્રિયજન સાથે ગેરસમજના થાય માટે શાંતિથી વાર્તાલાપ કરવી.


આજે તમને કોઈપણ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેની અસર તમારા કામ અને અન્ય લોકો સાથેના વ્યવહાર પર પડે, તમે આજે ઉદાર અને સહયોગી વૃત્તિવાળા બનો. વેપારના કામકાજમાં તમને આત્મવિશ્વાસ સારો દેખાય. યુવાવર્ગ માટે પસંદગીના કામ થાય તેવા સંજોગો પણ બની શકે છે.


તમારી વાણીનો પ્રભાવ અન્ય પર સારો પડે અને તમે તમારા શબ્દો વડે તમારી વાતને કોઈની આગળ સારી રીતે રજુ કરી શકો, કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય તેવું પણ બની શકે છે, પરિચિત સાથેની મિલનમુલાકાત તમને યાદગાર બની શકે છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજે સગાસ્નેહી સાથે ક્યાંક લાભની વાત આપલે થઇ શકે તેમજ કોઈની સાથે જુના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક પણ મળી શકે છે, વેપારના કામકાજમાં થોડી હિંમત અને અનુભવના ઉપયોગથી સારું કામ થઈ શકે છે, વ્યસ્તતા વચ્ચે પણ કામમાં ઉત્સાહ રહે અને અન્યનો સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે.


કોઈ જૂનીવાતને યાદ આવવાથી મન થોડું અશાંત રહે, ખટપટકરનાર વ્યક્તિથી દુર રહેવું યોગ્ય છે, નજીકના સગાસંબંધી સાથે વાર્તાલાપ દરમિયાન તમને કોઈ નાપસંદ વાત સાંભળવાથી માનસિકઅશાંતિની લાગણી અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનુજ કામ કરવું સલાહ ભર્યું છે.


આજે તમારી લાગણી અને તમારા ભૂતકાળમાં કરેલા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થઇ શકે છે, તમારા અનુભવ અને માર્ગદર્શનનો લાભ અન્યના સારા હિતમાં આપો તેવું પણ બની શકે છે, વેપારના કામકાજમાં લાભની વાત બની શકે છે, પ્રિયજન તરફથી સારો પ્રતિસાદ મળવાથી સારી ખુશી અનુભવાય.


જાહેરજીવનના કાર્યમાં તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામમાં અન્યનો સાથ સહકાર મળતા તમે કામ બાબતે સારા ઉત્સાહી બનો, ભાગીદાર,પત્ની સાથે કોઈ અગત્યની વાર્તાલાપમાં પણ તમને સારો પ્રતિભાવ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગ માટે ઉત્સાહજનક પ્રસંગના એંધાણ મળે.