Home Blog Page 4727

રાશિ ભવિષ્ય 18/07/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો તેમજ ગુસ્સા પર કાબુ રાખવો પણ જરૂરી છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું કહી શકાય, તાવ,માથા,આંખ,હાડકાની તકલીફ વાળાએ થોડું સાચવવું, ક્યાંક મનોરંજન પાછળ ધાર્યા કરતા વધુ ખર્ચ થઈ જય અને તેના કારણે મન થોડું અશાંત બની જાય.


આજનો દિવસ તમારો સરસ છે અને તમને ઉત્સાહ પણ સારો જોવા મળી રહે, તમારા કોઈ નવીનકામનું આયોજન થાય અને તેમાં પણ તમેને કોઈનો સારો સહયોગ સાંપડે જેની તમે સારી ખુશી અનુભવો, જુના મતભેદ ભૂલવાની તક મળે, પ્રિયજન સાથે સારી લાગણી અને યાદોનો અનુભવ થાય.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય પસાર થાય અને ક્યાંક નાણાકીયખર્ચ પણ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય તેમાં તમને માનસિકથાકની લાગણી વધુ અનુભવો, કોઈ જગ્યાએ મિલન મુલાકાતમાં તમારો ઉત્સાહ થોડો ઓછો જોવા મળી શકે છે, આરામ કરવાની વૃતિ વધુ જાગે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો સલાહ ભર્યો છે જેથી તમે ખોટા વાદવિવાદથી દુર રહી શકો, વાહન ધીમે ચલાવવું, કફ,છાતી,પ્રેસર જેવી તકલીફ ભોગવતા લોકોએ આરોગ્યબાબતે થોડું સાચવવું, ક્યાય વાર્તાલાપ દરમિયાન કોઇપણ પ્રકારની ગેરસમજ ના થાય તેનું થોડું ધ્યાન રાખવું.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય તેમજ મનમાં થોડી અશાંતિ રહે તેવું લાગે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી,સોના-ઝવેરાત,ફાર્માક્ષેત્રમાં કામ કરનારવર્ગ ને માનસિકથાકની લાગણી વધુ રહે તેમજ કોઇપણ પ્રકારના તમારા કામમાંકે મુલાકાતમાં ધીરજનો ઉપયોગ કરવો સારો.


આજનો દિવસ સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ ઉકેલી શકાય તેવા સંજોગો બની શકે છે મનની ઈચ્છા પૂરી થઇ શકે, કોમ્પુટર,દલાલી,કમીશન,પત્રકાર,લેખનકામ કાનૂની, નાણાકીયસલાહકાર માટે આજે ઉત્સાહ સારો જણાય, લગ્નબાબત વાર્તાલાપકે મિલનમુલાકાત કરાવી સારી કહી શકાય.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવાકે વાગવાના યોગ બને છે માટે કાળજી રાખવી ,વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ, ખટપટી લોકોથી દુર રહેવવું, ચામડી,એલર્જી,ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ તકેદારી રાખવી, વાર્તાલાપ દરમિયાન કોઇપણ પ્રકારની ગેરસમજ ના થાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ તમારા માટે સરસ કહી શકાય કારણકે તમારી જૂનીઓળખાણ તાજી થાય અને તેમાં તમે સારી ખુશી અનુભવો, તમારા કામની કદર થાય, જમીન, બાંધકામ, વાહનવ્યવહાર, ધાતુના કામકરનાર વર્ગને નવીનતક દેખાય, પ્રિયજન સાથે પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની તક મળી શકે છે.


આજના દિવસ સાવચેતી અને ધીરજ રાખવી, વાહન ધીમે ચલાવવું, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું, પેટ, આંતરડા,ડાયાબીટીસના દર્દી એ તકેદારી રાખવી, કોઈની પણ સાથે વાર્તાલાપ દરમિયાન ઉગ્રતાકે અપશબ્દના બોલાય તેનું પણ ધ્યાન રાખવું, કામકાજમાં શાંતિથી પરોવાયા રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે ઉત્સાહ સારો રહે, મુસાફરી થઈ શકે  છે, ધાર્યુંકે મનનું કામ થઇ શકે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, પ્રિયજન સાથે ફરવા જવાનો યોગ બને છે, અગત્યની  બાબત માટેની કોઇ જગ્યાએ વાતચીતકે મિલનમુલકાત માટે સારા સંજોગો બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય તેવા સંજોગો છે, લાકડા, ચામડા, ધાતુ, ઓઈલ,પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્રમાં કામકરનાર વર્ગને થોડી વ્યસ્તતા રહે, જુનાકામમાં ક્યાય અટવાયેલ હોવતો તેનો  જલ્દીથી ઉકેલન આવે તેવું બની શકે છે. કટાક્ષવાળા શબ્દપ્રયોગના કરવાની સલાહ છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય,મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગમાં રેફરન્સથી કામ કરોતો લાભ થઈ શકે છે, પ્રિયજન સાથે ખરીદી કરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય તેવા પણ સંજોગો છે.  અગત્યની બાબત માટેની વાર્તાલાપમાં કોઈનો ક્યાંક સહયોગકે માર્ગદર્શન પણ મળે તેવું બની શકે છે.

પંચાંગ 18/07/2020

IPLની 13મી સીઝનના આયોજન માટે UAE તૈયાર

દુબઈઃ કોરોના કાળમાં ક્રિકેટરસિયાઓ માટે સારા સમાચાર છે. દેશમાં કોરોના વાઇરસના વધતા કેસોને કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું સંયુક્ત આરબ અમીરાત (UAE)માં આયોજન કરવાની અટકળો વચ્ચે દુબઈ સિટીના ક્રિકેટ અને કોમ્પિટિશનના પ્રમુખ સલમાન હનીફે કહ્યું છે કે તેઓ આ પ્રકારની મોટી ટુર્નામેન્ટનું તમામ સુવિધાઓ સાથે આયોજન કરવા તૈયાર છે. IPLનું આયોજન સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં?

IPLનું આયોજન સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં કરવામાં આવે એવી સંભાવના છે, કેમ કે 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર દરમ્યાન ઓસ્ટ્રેલિયામાં થનારી T20 વર્લ્ડ કપના આયોજન અંગે અનિશ્ચિતતા પ્રવર્તે છે.

દુબઈ T20 લીગના સંભવિત સ્થળ તરીકે તૈયાર

હનીફે ગલ્ફ ન્યૂઝ સાથે વાત કરતાં કહ્યું હતું કે દુબઈ સ્પોર્ટ્સ સિટી આ T20 લીગના સંભવિત સ્થળ તરીકે તૈયાર છે. સ્પોર્ટ્સ સિટીમાં દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ અને ICC એકેડેમી સામેલ છે. તેમણે કહ્યું હતું કે જો ઓછા સમયમાં વધુ મેચોનું આયોજન કરવામાં આવે છે તો સ્ટેડિયમમાં નવ વિકેટ બહુ સારી સ્થિતિમાં છે. અમે પિચને તાજી રાખવા માટે અન્ય મેચોનું આયોજન નહીં કરીએ.

UAEમાં કોરોના વાઇરસના 50,000થી વધુ કેસ નોંધાયા છે, જેમાં 300થી વધુ લોકોનાં મોત થયાં છે. દેશમાં આ આંકડો 10 લાખને પાર થઈ ચૂક્યો છે અને 25,000થી વધુ લોકોનાં મોત થયાં છે.

રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર ઉથલાવવાનો કેન્દ્રીય પ્રધાન પર સુરજેવાલાનો આરોપ

નવી દિલ્હી: રાજસ્થાન કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક વિવાદમાં હવે નવો વળાંક આવ્યો છે. શુક્રવારે રાજસ્થાન સરકારના મુખ્ય દંડક મહેશ જોશીની ફરિયાદના આધારે રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રૂપ (SOG)એ એફઆઈઆર દાખલ કરી છે, જેમાં એક વાઇરલ ઓડિયોનો પણ ઉલ્લેખ છે.

જયપુર SOGના આઈ.જી. અશોક કુમાર રાઠોડે પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું, ત્રણ શખ્સો વિરુદ્ધ આઈપીસી  કલમ 124-A તથા 120-A હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જે ઓડિયો ટેપના આધારે આ ફરિયાદ નોંધવામાં આવી છે. જોકે, એફઆઈઆરમાં કોઈ વ્યક્તિનું નામ નોંધવામાં નથી આવ્યું. એફઆઈઆર વિવરણમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ ‘એ’ વ્યક્તિ અને ‘બી’ વ્યક્તિ તરીકે કરવામાં આવ્યો છે.

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ મીડિયા મારફત સામે આવેલી કેટલીક ઓડિયો ટેપનો હવાલો આપતા મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત ઉપર આરોપ મૂક્યા હતા. સુરજેવાલાએ કહ્યું કે, શેખાવત બળવાખોર ધારાસભ્યોની મદદથી રાજસ્થાનની કૉંગ્રેસ સરકારને ઉથલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

 

આજે સવારે રણદીપ સુરજેવાલાએ પ્રેસ કૉન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે, મીડિયા મારફતે કેટલીક ઓડિયો ટેપ સામે આવી છે જેમાં કથિત રીતે કોંગ્રેસના બળવાખોર નેતા ભાજપના એક વરિષ્ઠ નેતા સાથે વાત કરી રહ્યા છે. આનાથી સ્પષ્ટ થાય છે કે પૈસાની લેવડદેવડ થઈ રહી છે. જોકે સુરજેવાલાએ કહ્યું, ઓડિયો ટેપની સત્યતા અને તે ક્યારની છે તે વિશે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તપાસ કરશે.

કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે રણદીપ સુરજેવાલાના આરોપોનો જવાબ આપતા કહ્યું કે, હું કોઈપણ પ્રકારની તપાસનો સામનો કરવા તૈયાર છું. ઓડિયો ટેપમાં મારો અવાજ નથી.

નગીનદાસ સંઘવીની ‘કૃષ્ણ વાતો’, પુરુષોત્તમ ઉપાધ્યાયનાં ‘કૃષ્ણ ગીતો’ની ઓનલાઈન પ્રસ્તુતિ

મુંબઈઃ 101 વર્ષની વયે તાજેતરમાં અવસાન પામેલા અને પ્રજ્ઞાવંત, બહુશ્રુત તથા સ્પષ્ટવક્તા તરીકે આદરપ્રાપ્ત વિદ્વાન, એવા ‘પદ્મશ્રી’ નગીનદાસ સંઘવીએ, પાંચેક મહિના પૂર્વે, સાહિત્ય કલા સંપદા દ્વારા ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્રને સથવારે યોજાયેલા કાર્યક્રમમાં ‘મહામાનવ શ્રી કૃષ્ણ’ વિષય પર, શ્રી કૃષ્ણને આગવી દ્રષ્ટિએ મૂલવતું તેમજ શ્રી કૃષ્ણ અને શ્રી રામની ભૂમિકાઓ વચ્ચેનો તફાવત સમજાવતું મનનીય પ્રવચન આપ્યું હતું. સાથે ‘પદ્મશ્રી’ પુરુષોત્તમ ઉપાધ્યાયે કૃષ્ણ ગીતોની રજૂઆત કરી હતી.

આ કાર્યક્રમની ઓનલાઈન પ્રસ્તુતિ રવિવાર, 19 જુલાઈના રાત્રે 9:00 કલાકે ભવન કલા કેન્દ્રની યૂટ્યૂબ ચેનલ પર સંપન્ન થશે. કાર્યક્રમના સંયોજકો છે ઉદયન ઠક્કર, કમલેશ મોતા, નિરંજન મહેતા.

Youtube link : Bhavan Kalakendra

 

રણબીર કપૂરના કશ્મીરી હમશકલ જુનૈદ શાહ (28)નું નિધન

શ્રીનગરઃ બોલિવુડ અભિનેતા રણબીર કપૂરના કશ્મીરી હમશકલ જુનૈદ શાહનું હૃદયરોગના હુમલાને કારણે ગુરુવારે રાતે મોત થયું છે. તે 28 વર્ષનો હતો. શ્રીનગરમાં પોતાના ઘરમાં જુનૈદનું અવસાન થયું હતું. અદ્દલોઅદલ રણબીર કપૂર જેવો દેખાતો જુનૈદ શાહ રાતોરાત પ્રસિદ્ધ થઈ ગયો હતો. જુનૈદ શાહ મોડેલિંગ કરતો હતો અને એના સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ એની તસવીરો અને વિડિયોથી ભરપૂર થઈ ગયા છે. એ પોતે રણબીર કપૂરનો બહુ મોટો ચાહક પણ હતો.

જુનૈદને ગુરુવાર રાતે 10.30 વાગ્યાની આસપાસ હૃદયરોગનો પ્રચંડ હુમલો આવ્યો હતો. એને તરત જ શહેરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ડોક્ટરોના અથાગ પ્રયાસો છતાં તેઓ એને બચાવી શક્યા નહોતા.

પ્રાપ્ત અહેવાલ મુજબ જનૈદ શાહ હાલમાં જ તેના બીમાર પિતા નિસાર અહમદ શાહની સારસંભાળ લેવા માટે મુંબઈથી શ્રીનગર પરત ફર્યો હતો. જાણીતા કાશ્મીરના પત્રકાર યુસુફ જમીલે પણ જુનૈદના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટ કર્યું હતું કે અમારા જૂના પડોસી નિસાર અહમદ શાહના પુત્ર જુનૈદનું રાત્રે હ્દય બંધ થવાને કારણે નિધન થયું છે. લોકોનું કહેવું છે કે તે બોલિવડ અભિનેતા રણબીર કપૂરનો હમશકલ હતો.

દિગ્ગજ અભિનેતા સ્વ. રિશી કપૂરે ક્યારેક જુનૈદ અને રણબીરના વિશે લખ્યું હતું કે OMG. મારા પુત્રનો હમશકલ (ડબલ) છે. પ્રોમિસ નથી કરી શકતો, પણ એ ગુડ ડબલ.

જુનૈદના અંગત મિત્ર @meeraqibsalfiએ દુખદ ન્યૂઝ સોશિયલ મિડિયા પર શેર કર્યા હતા. તેણે લખ્યું હતું કે તેં મને વચન આપ્યું હતું કે હજી ઘણી બધી બાબતો છે, જેને આપણે શોધવાની જરૂર છે. આટલું જલદી તું અમને કેવી રીતે છોડીને જઈ શકે? … હું દુખી છું અને આઘાતની લાગણી અનુભવું છું. મને હજી વિશ્વાસ નથી થતો તે તું આ દુનિયામાં નથી. જીવન આટલું કેમ નિષ્ઠુર છે? હું અલ્લાહને દુઆ કરીશ કે ફરીથી એ જન્નતમાં આપણો મેળાપ કરાવે. મારી જિંદગીનો આ સૌથી દુઃખદ દિવસ છે.

જુનૈદ શાહે દિલ્હી પબ્લિક સ્કૂલમાં શિક્ષણ લીધું હતું અને બાદમાં IIPMમાં આગળનું શિક્ષણ પણ પૂરું કર્યું હતું.

દિલદાર સોનૂએ મુંબઈ પોલીસ માટે 25,000 ફેસ શિલ્ડ દાનમાં આપ્યા

મુંબઈઃ કોરોના વાઈરસના લોકડાઉન વખતે મુંબઈમાં ફસાઈ ગયેલા સેંકડો પરપ્રાંતિય મજૂરો-કામદારોને એમના વતન મોકલવા માટેની વ્યવસ્થા કરીને લોકોની વાહ-વાહ મેળવનાર બોલીવૂડ અભિનેતા સોનૂ સૂદ હવે મુંબઈના પોલીસકર્મીઓની મદદે આવ્યો છે.

સોનૂએ મુંબઈના પોલીસ વિભાગને 25,000 ફેસ શિલ્ડ ભેટમાં આપ્યા છે. જેથી પોલીસજવાનો શહેરમાં કોરોના કટોકટી વચ્ચે ફરજ બજાવતી વખતે ચેપથી સુરક્ષિત રહી શકે. આ ફેસ શિલ્ડનું દાન કરીને સોનૂએ કહ્યું છે કે ખરા હિરો તો પોલીસ જવાનો છે.

સોનૂ ગઈ કાલે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખને મળ્યો હતો અને તે પછી પોલીસ કર્મચારીઓ માટે 25 હજાર ફેસ શિલ્ડ ભેટ આપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આ જ સોનૂ સૂદની કામગીરીની શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે પક્ષના મુખપત્ર દૈનિક સામનામાં તંત્રીલેખમાં ટીકા કરી હતી અને કટાક્ષમાં ‘મહાત્મા સોનૂ’ કહ્યો હતો.

મહારાષ્ટ્રમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસની સંયુક્ત સરકાર છે.

કોંગ્રેસ પાર્ટીના નેતા દેશમુખે સોનૂ સૂદની ઉદારતાની પ્રશંસા કરી છે અને આ ટ્વીટ પણ કર્યું છે.

મહારાષ્ટ્રના ગૃહપ્રધાનઃ સુશાંત મોત કેસમાં CBI તપાસની જરૂર નથી

મુંબઈઃ બોલીવૂડના તેજસ્વી યુવા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુથી બોલીવૂડજગતમાં અને સુશાંતના પ્રશંસકોમાં શોક ફરી વળ્યો છે. સુશાંત ગઈ 14 જૂને મુંબઈના બાન્દ્રા (વેસ્ટ)માં તેના નિવાસસ્થાનમાં મૃત અવસ્થામાં મૃત મળી આવ્યો હતો. પોલીસનું પ્રાથમિકપણે માનવું છે કે આ આત્મહત્યાનો કેસ છે, પરંતુ તે હજી નિષ્કર્ષ પહોંચી શકી નથી. દરમિયાન અનેક સ્તરેથી માગણી ઊભી થઈ છે કે સુશાંતના મોતના કેસમાં કેન્દ્રીય એજન્સી સીબીઆઈ દ્વારા તપાસ કરાવવામાં આવે. આ માગણી સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તિએ પણ કરી છે.

પરંતુ, મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે આવી અપીલને નકારી કાઢી છે. એમનું કહેવું છે કે આ કેસમાં સીબીઆઈ દ્વારા તપાસ કરાવવાની કોઈ જરૂર નથી.

પોલીસ કેસની તપાસ કરવા સક્ષમ છે. આ કેસમાં ધંધાકીય હરીફાઈના દ્રષ્ટિકોણ વિશે પણ પોલીસ તપાસ કરી રહી છે.

પ્રાથમિક તપાસ પરથી પોલીસને એવું જાણવા મળ્યું છે કે 34 વર્ષીય સુશાંત ડીપ્રેશનમાં હતો અને એ માટે દવા પણ લેતો હતો.

દેશમુખે કહ્યું છે કે પોલીસ આ કેસના સંબંધમાં અનેક વ્યક્તિની પૂછપરછ કરી રહી છે અને એમના નિવેદનો રેકોર્ડ કરી રહી છે. આમાં સીબીઆઈ તપાસની કોઈ જરૂર નથી. આપણા પોલીસ અધિકારીઓ સક્ષમ છે અને યોગ્ય રીતે તપાસ કરી રહ્યા છે.

તપાસનીશ પોલીસ અધિકારીઓ અત્યાર સુધીમાં રિયા, નિર્માતા સંજય લીલા ભણસાલી, દિગ્દર્શક મુકેશ છાબરા, સુશાંતના પરિવારજનો સહિત અનેક વ્યક્તિઓની પૂછપરછ કરી ચૂક્યા છે.

સુશાંત સિંહ રાજપૂત ‘શુદ્ધ દેસી રોમાન્સ’, ‘રાબતા’, ‘કેદારનાથ’, ‘સોનચિડિયા’, ‘એમ.એસ. ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’, ‘છીછોરે’ ફિલ્મોમાં ચમક્યો હતો.

પ્લાસ્ટિક ઉદ્યોગના રક્ષણાર્થે સરકાર કોઈ કસર નહીં છોડેઃ માંડવિયા

નવી દિલ્હીઃ સરકાર કાયદાને અંતર્ગત પ્લાસ્ટિક ઉદ્યોગને કોવિડ-19ના પ્રતિકૂળ પ્રભાવથી બચાવવા માટે શક્ય એટલા તમામ પ્રયાસો કરશે, એમ કેન્દ્રના રાજ્ય કક્ષાના કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું છે. માંડવિયા પ્લાસ્ટિક ઉદ્યોગ પર કોવિડ-19ના પ્રભાવ અને અસરો પરના વિષય પર કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, CIPET અને પ્લાસ્ટ ઇન્ડિયા ફાઉન્ડેશનના સહયોગથી ફિક્કી (FICCI) દ્વારા આયોજિત વેબિનારને સંબોધિત કરી રહ્યા હતા.

પાંચ લાખ ડોલરના અર્થતંત્રના વિઝનને સાકાર કરવા માટે મહત્ત્વનું ક્ષેત્ર

માંડવિયાએ કહ્યું હતું કે કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્ર વડા પ્રધાન મોદીના પાંચ ટ્રિલિયન ડોલરના અર્થતંત્રના વિઝનને સાકાર કરવા માટે મહત્ત્વનું ક્ષેત્ર છે. આ ક્ષેત્ર ઔદ્યોગિક વિકાસનો મુખ્ય આધાર છે અને અનેક ડાઉનસ્ટ્રીમ ઉદ્યોગો માટેના બ્લોક્સ પ્રદાન કરે છે. આ ઉપરાંત એ આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મહત્ત્વનો ફાળો આપે છે.

ઉત્પાદનો ફ્રન્ટલાઇન યોદ્ધાઓના જીવન બચાવવા માટે હાલ ખૂબ જરૂરી

તેમણે કહ્યું હતું કે ભારતીય પ્લાસ્ટિક ઉદ્યોગે વિશ્વમાં પર્યાવરણને ટકાઉ, નવા અને સ્પર્ધાત્મક બનવા માટે આગળના પડકારોનો સ્વીકાર કરવો પડશે. આપણે જાણીએ છીએ કે પ્લાસ્ટિક ઉદ્યોગ આપણી જરૂરિયાતના એક કલાકમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે, કેમ કે એનાં ઉત્પાદનો ફ્રન્ટલાઇન યોદ્ધાઓના જીવન બચાવવા માટે હાલ ખૂબ જરૂરી છે.

કોવિડ-19ના રોગચાળાનો પ્રકોપથી બચવા પ્લાસ્ટિકનો વપરાશ જરૂરી

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના અંદાજ મુજબ જ્યાં સુધી કોવિડ-19ના રોગચાળાનો પ્રકોપ રહેશે ત્યાં સુધી એનાથી બચવા માટે પ્રતિ માસે આપણને 8.9 કરોડ મેડિકલ માસ્ક, 7.6કરોડ ગ્લવ્ઝ અને 16 લાખ ગોગલ્સની જરૂર પડશે. જેથી ભારતને કોરોના વાઇરસથી મુક્ત કરવા માટે આ ઉદ્યોગ સામે સતત વધી રહેલા પડકારોને પહોંચી વળવું પડશે. અમે આંતરિક અડચણો ઊભી કરીને અથવા સ્પર્ધાત્મકતાને અસંતુલિત કરીને સ્થાનિક બજારને ખતમ કરવા નથી ઇચ્છતા, પરંતુ એકસાથે શક્તિથી રાષ્ટ્રનું નિર્માણ કરવા માગીએ છીએ.

પ્લાસ્ટિક ઉદ્યોગનું દેશનાં વિવિધ ક્ષેત્રોમાં મહત્ત્વનું યોગદાન

આ વેબિનારને સંબોધન કરતાં કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સના સચિવ રાજેશકુમાર ચતુર્વેદીએ કહ્યું હતું કે આ રોગચાળાએ આપણને પ્લાસ્ટિકની સાચી જરૂરિયાત જણાવી છે. આ કોવિડ-19ના રોગચાળા દરમ્યાન એનું મહત્ત્વ અનેક ગણું વધ્યું છે. આ રોગચાળા દરમ્યાન N95 માસ્ક, ગ્લવ્ઝ, ગોગલ્સ શૂ કવર- આ બધાં ઉત્પાદનો પોલિપ્રોપિલિન-પ્લાસ્ટિક્સના બનેલાં છે. તેમણે કહ્યું હતું કે પ્લાસ્ટિક ઉદ્યોગ દેશનાં વિવિધ ક્ષેત્રો જેવાં કે ઓટોમોટિવ, કન્સ્ટ્રક્શન, ઇલેક્ટ્રોનિક્સ, હેલ્થકેર, ટેક્સટાઇલ્સ અને FMCG ક્ષેત્રના આર્થિક વિકાકસમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યો છે.

આ વેબિનારમાં કાશિનાથ ઝા-સંયુક્ત સચિવ (પેટ્રોકેમિકલ્સ), પ્રોફેસર એસ. કે. નાયક- ડિકેક્ટર જનરલ, સિપેટ (CIPIET) અને સરપકારના અનેક વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મુંબઈના ઓબેરોય મોલમાં બેસાડાયું સેનિટાઈઝર સ્પ્રે…

મુંબઈના ગોરેગાંવ (ઈસ્ટ) ઉપનગરમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે નજીક આવેલા ઓબેરોય મોલના પ્રવેશદ્વાર ખાતે માં સુરક્ષાકર્મીઓ હેન્ડ સેનિટાઈઝર અને સેનિટાઈઝર સ્પ્રે ઈન્સ્ટોલ બેસાડી રહ્યાં છે. (તસવીરોઃ દીપક ધુરી)