Home Blog Page 4714

મોદીએ સામેથી ફોન કર્યો; બોર્ડ પરીક્ષાના ટોપર વિદ્યાર્થીઓ રોમાંચિત

અમરોહા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોર્ડની પરીક્ષાઓમાં ટોપર રહેલા વિદ્યાર્થીઓ સાથે ગઈ કાલે પોતાના ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમ દરમિયાન વાતચીત કરી હતી.

પીએમ મોદીએ ઉત્તર પ્રદેશના અમરોહામાં રહેતા ઉસ્માન સૈફી સાથે વાત કરી, આમ અચાનક દેશના વડાપ્રધાન સાથે વાત કરતા ઉસ્માનની ખૂશીનો પાર ન રહ્યો. સૈફીએ કહ્યું, “હું એટલો બધો ખુશ છું કે, મારા શબ્દો દ્વારા મારી ખુશી વ્યક્ત કરી શકુ એમ નથી”. વડા પ્રધાને મને વૈદિક ગણિત શીખવા અને મિત્રોને શીખવવાની સલાહ આપી છે.

સૈફીએ કહ્યું, “હું વિશ્વાસ કરી શક્યો નહીં કે હું વિશ્વના શ્રેષ્ઠ નેતા સાથે વાત કરી રહ્યો છું.” વડાપ્રધાને સૈફી અને તમિલનાડુના નમક્કલની કાનિગા સાથે પણ વાતચીત કરી અને તેમની સફળતા બદલ તેમને શુભેચ્છા પાઠવી.

તો બીજી તરફ કેરળમાં રહેતા વિનાયક એમ. મલ્લિકનો પણ એ સમયે ખુશીનો પાર ન રહ્યો જ્યારે દેશના વડાપ્રધાને તેને ફોન કરીને કહ્યું કે, “શાબાશ વિનાયક શાબાશ! હાઉ ઈઝ ધ જોશ”?… વિનાયકે જવાબ આપ્યો “હાઈ સર.”

મહત્વનું છે કે ટોપર વિનાયકના પિતા મજૂરીકામ કરે છે. વિનાયકે 12મા ધોરણની પરીક્ષામાં વાણિજ્ય વિષયમાં ટોપ કર્યું છે. તે કેરલ નવોદય વિદ્યાલયનો વિદ્યાર્થી છે. વિનાયક એર્નાકુલમ અને ઇદુક્કીની સીમા પર સ્થિત એક ગામમાં રહે છે. વિનાયકે કુલ 500માંથી 493 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે. તેણે એકાઉન્ટસી અને બિઝનેસ સ્ટડીમાં સો ટકા માર્ક્સ પ્રાપ્ત કર્યા છે.

પીએમ મોદી સાથે વાતચીત બાદ વિનાયકે કહ્યું ‘આજનો દિવસ તેને માટે ખુશીથી ભરપૂર છે.’

વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીએ પૂછ્યું કે કેટલા રાજ્યોની મુસાફરી છે? તેના જવાબમાં વિનાયકે કહ્યું કે ફક્ત કેરળ અને તામિલનાડુ.

‘મન કી બાત’ દરમિયાન મોદીએ ટોપરને દિલ્હી આવવા માટે નિમંત્રણ પણ આપ્યું હતું. જવાબમાં વિનાયકે કહ્યું કે પોતે વધુ અભ્યાસ માટે દિલ્હી યુનિવર્સિટીમાં અરજી કરી રહ્યો છે.

પીએમ મોદીએ કહ્યું કે, ‘આવા યુવા મિત્રોની ઘણી વધુ વાતો છે, મુશ્કેલ પરિસ્થિતિઓમાં તેમની હિંમત અને સફળતાની વાતો પ્રેરણા આપે છે. હું તમામ યુવા મિત્રોને અપીલ કરું છું કે દેશને પ્રેરણા મળે તેવી કહાનીઓ અમારી સાથે શેર કરો.’

કોરોના સામે જંગ જીતી ઐશ્વર્યા-આરાધ્યા ઘેર પહોંચી

મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય-બચ્ચન અને એની પુત્રી આરાધ્યાને અહીંની નાણાવટી હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. બંનેનો કોરોના વાઈરસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

જોકે ઐશ્વર્યાનાં પતિ અભિષેક બચ્ચન અને સસરા અમિતાભ બચ્ચન હજી પણ હોસ્પિટલમાં કોરોનાની સારવાર હેઠળ છે.

પત્ની અને પુત્રીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હોવાના અહેવાલોને અભિષેકે ટ્વીટ કરીને સમર્થન આપ્યું છે. પોતાના પરિવાર માટે શુભેચ્છા આપનાર અને પ્રાર્થના કરનાર સૌનો આભાર માનતાં અભિષેકે લખ્યું છે કે ઐશ્વર્યા અને આરાધ્યાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. એમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યાં છે. તેઓ હવે ઘેર પહોંચી ગયાં છે. હું અને મારા પિતા હજી પણ મેડિકલ સ્ટાફની કાળજી હેઠળ સારવાર હેઠળ છીએ.

ઐશ્વર્યા અને આરાધ્યાનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ ગઈ 17 જુલાઈએ એમને પણ વિલે પારલે (વેસ્ટ)ની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. અમિતાભ અને અભિષેકને એની પહેલાં જ નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

રામ મંદિર ભૂમિપૂજન કાર્યક્રમ માટે અંબાણી, અદાણીને પણ આમંત્રણ

અયોધ્યાઃ અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરનું પૂરું આયોજન થઈ ચૂક્યું છે. પાંચ ઓગસ્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે ભૂમિપૂજન કરવામાં આવશે. અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના ભૂમિ પૂજન વખતે ઉપસ્થિત રહેનારા ખાસ મહેમાનોની યાદી તૈયાર છે. આ ભૂમિપૂજન સમારોહમાં ભાજપના વરિષ્ઠ નેતા એલ. કે. અડવાણી, RSS પ્રમુખ મોહન ભાગવત, ભૈયુજી જોશી, અને ડો. કૃષ્ણગોપાલને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. 200 મહેમાનોની યાદીને ચાર ભાગમાં વહેંચવામાં આવી છે. એમાં કલા, સાહિત્ય, સંસ્કૃતિ અને ઔદ્યોગિક ક્ષેત્રથી જોડાયેલા ટોચના લોકો સામેલ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીનું નામ પણ આમાં સામેલ છે.

શ્રીરામ જન્મભૂમિના પ્રાંગણમાં મહેમાનો માટે 30,000 સ્ક્વેર ફૂટનો પંડાલ

અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિના પ્રાંગણમાં મહેમાનો માટે 30,000 સ્ક્વેર ફૂટનો પંડાલ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ પંડાલ સંપૂર્ણ રીતે વોટરપ્રૂફ જર્મન હેન્ગર હશે. વરસાદની આશંકાને જોતાં આયોજકોએ જર્મન હેન્ગર લગાવવાનો નિર્ણય કર્યો છે. આ રેડીમેડ ફોલ્ડિંગ પંડાલ હોય છે. વડા પ્રધાન મોદી સહિત અન્ય પસંદગીના અતિથિઓ માટે 1800 સ્ક્વેર ફૂટનો મંચ તૈયાર થશે. આ મંચથી વડા પ્રધાન મોદી હાજર રહેલા અતિથિઓને સંબોધિત કરશે.

પંડાલમાં આશરે 250 વ્યક્તિઓને બેસવાની ક્ષમતા

આ મંચની સામે પંડાલ બાંધવામાં આવશે, જેમાં આશરે 250 વ્યક્તિઓની બેસવાની ક્ષમતા હશે. એમનાં બે ગજની દૂરી પર બેસવા માટે ખુરસીઓ રાખવામાં આવશે. ભૂમિપૂજન માટે એક નાનો પંડાલ અલગથી બનાવવામાં આવશે, જેમાં બેસીને વડા પ્રધાન મોદી મંદિર નિર્માણનું ભમિપૂજન કરશે અને આધારશીલા રાખશે. વડા પ્રધાન માટે વાતાનુકૂલિત (AC) સેફ હાઉસ અલગથી બનાવવામાં આવશે.

આમંત્રિત લોકોની ત્રણ અન્ય શ્રેણીઓમાં અનેક મહાનુભાવો

આ સિવાય આમંત્રિત લોકોની ત્રણ અન્ય શ્રેણીઓમાં વિશ્વ હિન્દુ પરિષદ અને સંઘના પદાધિકારીઓ તથા મંદિર આંદોલનથી જોડાયેલા અગ્રણી નેતાઓ, સ્થાનિક સંત-મહંત, સમાજસેવી કેન્દ્રીય પ્રધાન, રાજકારણીઓ, જનપ્રતિનિધિઓ અને ટોચના અધિકારીઓ સામેલ છે.

શ્રીરામ મંદિર ભૂમિપૂજન કાર્યક્રમ માટે કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. રસ્તાથી લઈને આકાશ સુધી દેખરેખ રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ભૂમિપૂજન સ્થળે SPG (સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ અને CRPFનો કડક જાપ્તો હશે. ત્યાર બાદ PAC (પ્રાંતીય સશસ્ત્ર દળ) અને પોલીસની સુરક્ષા-વ્યવસ્થા રાખવામાં આવશે.

પ્રિયંકા, પતિ નિકે આસામ પૂરપીડિતોની મદદ માટે દાન કર્યું

મુંબઈ/ન્યૂયોર્કઃ બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા-જોનસ અને એનાં અમેરિકન પતિ નિક જોનસે આસામ રાજ્યમાં હાલ આવેલા ભયાનક પૂરમાં ફસાયેલા લોકોને મદદરૂપ થવા માટે દાન કર્યું છે અને લોકોને અપીલ પણ કરી છે કે તેઓ પણ રાજ્યના લોકોને મદદરૂપ થવા માટે દાન કરે.

આસામમાં પૂરની આફતને કારણે 100 જેટલા લોકો માર્યા ગયા છે અને 130 જેટલા ઢોર-ઢાંખરનો પણ ભોગ લેવાઈ ગયો છે.

અભિેનત્રી-ગાયક દંપતીએ સોશિયલ મિડિયા પર આ જાણકારી શેર કરી. એમણે અમુક સંસ્થાઓના નામ પણ આપ્યાં છે જેઓ આસામમાં પૂર રાહત અને બચાવ કામગીરીઓ કરી રહી છે. લોકો આ સંસ્થાઓને દાન મોકલી શકે એ માટે પ્રિયંકા-નિકે તેમના નામ આપ્યાં છે.

પ્રિયંકાએ એક ટ્વીટમાં લખ્યું છે કે આપણે હજી પમ કોરોના જાગતિક મહાબીમારીનો સામનો કરી રહ્યાં છીએ ત્યારે ભારતનું આસામ રાજ્ય એક અન્ય મોટી આફત સામે ઝઝૂમી રહ્યું છે. તે રાજ્યમાં હાલ ચોમાસાના ભારે વરસાદને કારણે પૂર આવ્યું છે, જેને કારણે લાખો લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

પ્રિયંકાએ વધુમાં લખ્યું છે કે, આસામના પૂરપીડિતોને આપણી મદદની જરૂર છે. હું અમુક વિશ્વસનીય સંગઠનોની વિગત શેર કરું છું જે આસામમાં ગ્રાઉન્ડ લેવલ પર અમુક સારા કાર્યો કરે છે. મેં અને નિકે પૂરગ્રસ્તોને રાહત પહોંચાડવા માટે દાન કર્યું છે. આવો આપણે એવા સંગઠનોનું સમર્થન કરીએ જેથી તેઓ જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાનું ચાલુ રાખી શકે.

પ્રિયંકાએ એમ પણ લખ્યું છે કે પૂરને કારણે જાન-માલને થયેલા નુકસાનનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. પૂરનાં પાણી ઝડપથી વધી રહ્યાં હોવાથી કાઝીરંગા નેશનલ પાર્કમાં પણ પૂરનાં પાણી ઘૂસ્યા છે. વિશ્વમાં શ્રેષ્ઠ વન્યજીવ અભ્યારણ્યોમાંનું આ એક છે.

પ્રિયંકાએ બે સંસ્થાનો ઉલ્લેખ પણ કર્યો છે – એક્શન એઈડ અને રેપિડ રીસ્પોન્સ. આ બંને સંસ્થાનાં લોકો આસામનાં પૂરપીડિતોને ઉગારવાની કામગીરી બજાવી રહ્યા છે.

નિક જોનસે પણ તેના સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ પર આ જ સંદેશ શેર કર્યો છે. બંને જણે એક્શન એઈડ અને રેપિડ રીસ્પોન્સ સંસ્થાઓની વિગતો શેર કરી છે.

આસામમાં બ્રહ્મપુત્ર નદીમાં પૂર આવતાં 2,543 ગામો ડૂબાણ હેઠળ જતા રહ્યા છે. 1.22 લાખ હેક્ટર જમીન પર પાક નાશ પામ્યો છે. હાલ 50,136 લોકો 496 રાહત શિબિરમાં રહે છે.

9 રાજ્યોએ ભંડોળ છૂટું ન કરતાં પ્રધાનમંત્રી આવાસ યોજનાને ફટકો

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારની મુખ્ય યોજના પ્રધાન મંત્રી આવાસ યોજના(ગ્રામીણ)ને મોટો ફટકો પડ્યો છે, કારણ કે નાણાભીડનો સામનો કરી રહેલાં રાજ્યોએ આ યોજનામાં તેમના હિસ્સાનાં નાણાં છૂટાં કરવાનો નનૈયો ભણી દીધો છે.

આ યોજના ગ્રામીણ ભારતમાંનાં કાચાં ઘરને પાકાં બનાવવા માટેની છે. માર્ચ 2022 સુધીમાં 2.47 પાકાં ઘર ગ્રામીણ વિસ્તારોમાં બાંધવા માટેની આ યોજનામાં ઓછામાં ઓછાં નવ રાજ્યોએ તેમના હિસ્સાના રૂ.2,915.21 કરોડ છૂટા કર્યા નથી.

30 જૂન, 2020 સુધીમાં આશરે રૂ.2,492.61 કરોડ અથવા યોજનાના 85 ટકા હિસ્સાને જ્યાં વિપક્ષી સરકારો છે એ રાજસ્થાન, છત્તીસગઢ અને રાજસ્થાનની સરકારોએ છૂટો કર્યો નથી. રાજસ્થાને રૂ.1,498.41 કરોડ, છત્તીસગઢે રૂ.762.81 કરોડ અને ઝારખંડે નાણાકીય વર્ષ 2019-20ના રૂ.231.39 કરોડ છૂટા કર્યા નથી.

લોકડાઉનને પગલે મહેસૂલી આવકના સ્રોતો સુકાઈ ગયા છે અને રાજ્યો તેમના ભાગે આવતો હિસ્સો છૂટો ન કરતાં હોઈ આ યોજના હેઠળ ચાલી રહેલાં બાંધકામ અટકી પડ્યાં છે.

વિપક્ષ શાસિત રાજ્યો ઉપરાંત મધ્ય પ્રદેશ, ગુજરાત, હરિયાણા, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ અને મણિપુરએ પણ તેમના હિસ્સાનું યોગદાન આપ્યું નથી. અમે રાજ્ય સરકારોને તેમના હિસ્સાનાં ભંડોળ છૂટાં કરવા માટે લખ્યું છે. અમે છત્તીસગઢ જેવાં રાજ્યો પ્રતિ આંગળી ચીંધી છે કેમ કે તેઓ ખેડૂતોને સ્ટાઈપેન્ડ્સ આપી રહ્યાં છે પરંતુ તેઓ ગ્રામીણ ગરીબોને સીધો લાભ થવાનો છે એ માટેનાં ભંડોળ છૂટાં કરતાં નથી એમ એક ગ્રામવિકાસ અધિકારીએ જણાવ્યું હતું.

રાજ્યોએ તેમના ભાગનાં નાણાં ઉપરાંત કેટલાંક રાજ્યોએ આ પ્રોગ્રામ માટે કેન્દ્રે છૂટાં કરેલાં નાણાં પણ છૂટાં કર્યાં નથી.

હવે મંત્રાલય મહાત્મા ગાંધી નેશનલ રુરલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી સ્કીમની જેમ આ યોજનાના લાભાર્થીઓને નાણાંની સીધી ચુકવણી કરવાની વિચારણા કરી રહ્યું છે.

કોરોનાના કેસોની સંખ્યા 14 લાખને પારઃ 69 દિવસમાં 13 લાખ કેસ

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 49,931 નવા કેસ સામે આવ્યા છે અને 708 લોકોનાં મોત થયાં છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 14 લાખને પાર થઈ છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 14,35,453 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 32,771 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 9,17,567 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,85,114એ પહોંચી છે. રિકવરી રેટ 64 ટકાની નજીક પહોંચ્યો છે.

 એક લાખ કેસ 110 દિવસોમાં અને 179 દિવસોમાં 14 લાખને પાર

 

દેશમાં કોરોના વાઇરસની સ્થિતિ ગંભીર બની રહી છે, એ એ વાતથી સમજી શકાય છે કે દેશમાં એક લાખ સંક્રમિતોની સંખ્યાએ પહોંચતાં 110 દિવસ લાગ્યા હતા, જ્યારે 179 દિવસોમાં એ આંકડો 14 લાખને પાર થઈ ગયો છે. એટલે કે પાછલા 69 દિવસોમાં દેશમાં આશરે 13 લાખ નવા સંક્રમિત કેસો નોંધાયા છે.

કોરોના ટેસ્ટિંગમાં તેજી

હવે કોરોના ટેસ્ટની સંખ્યામાં તેજી જોવા મળી છે. ICMRના આંકડા અનુસાર 26 જુલાઈએ 5,15,472 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધી 1,68,06,803 લોકોના ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે.

 

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

રાખડી દ્વારા ‘માસ્ક’ પહેરવાનો સંદેશ આપતા રાજ્યના વેપારીઓ

અમદાવાદઃ રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે, જેમાં અમદાવાદના રાખડી ઉત્પાદકોએ કોવિડ-19ની વચ્ચે મહત્ત્વપૂર્ણ સંદેશ ફેલાવી રહ્યા છે. આમ તો દરેક વર્ષે ગુજરાતના રાખડીના ઉત્પાદકો રક્ષા બંધનના તહેવારમાં વિવિધ સંદેશની સાથે રાખડીઓ વેચે છે, પણ આ વર્ષે આ ઉત્પાદકો કોવિડ-19 રોગચાળાની સામે સાવધાની રાખવાનો સંદેશ ફેલાવી રહ્યા છે.

કોરોના વાઇરસ સામે સુરક્ષિત રહેવાનો સંદેશ

રાખડીના એક વેપારી મોહમ્મદ ઇકબાલે કહ્યું હતું કે અને આ વાઇરસથી સુરક્ષિત રહેવા માટે જાગરૂકતા ફેલાવવા ઇચ્છીએ છીએ. રક્ષા બંધનનો તહેવાર ભાઈ અને બહેનની વચ્ચે પ્રેમ અને સ્નેહને દર્શાવે છે. દર વર્ષે અમે અલગ-અલગ ડિઝાઇનોની રાખડી બનાવીએ છીએ. આ વર્ષે અમે રાખડીના પેકેટ પર કોવિડ-19ની થીમ રાખી છે. દર વર્ષની જેમ લોકો આ વર્ષે પણ રક્ષાબંધનની ઉજવણી ચોક્કસ કરશે. એક બહેન ભાઈના હાથે રાખડી બાંધે છે, પણ આ પેકેટો પર અમે કોવિડ-19ના સમયે માસ્ક મહેરવાની, સામાજિક અંતર રાખવા અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવાનો આગ્રહ કરીએ છીએ, જેથી કોરોનાનો ફેલાવો ઓછો થાય, એમ તેમણે ઉમેર્યું હતું.

ચીની વસ્તુઓ (રાખડી)ઓની ખરીદી બંધ કરવી જોઈએ

સરકારે ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે, એ જોતાં લોકોએ ચીની વસ્તુઓ (રાખડી)ઓની ખરીદી બંધ કરવી જોઈએ. લોકોને સ્થાનિક સ્તરે બનાવવામાં આવેલી રાખડીઓની ખરીદી માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. રાખડી બાંધતાં સમયે લોકોએ આત્મનિર્ભર બનવું જોઈએ, જેથી કેટલીય મહિલાઓ અને ગરીબ લોકોને રોજગાર મળે.

તેમણે કહ્યું હતું કે આ વખતે કોવિડ-19ની સામે જાગરૂકતા સંદેશની સાથે ઉત્કૃષ્ટ રાખડીઓ બનાવી છે. વેપારી જગદીશે કહ્યું હતું કે રાખડીના પેકેટ પર મેં ભાઈ અને બહેન –બંને માટે રોગચાળાને લીધે ઘરમાં રહેવાનો સંદેશ આપ્યો છે. રક્ષા બંધનનો તહેવાર ત્રીજી ઓગસ્ટે છે.

 

 

 

 

પ્યારની વાત – ૨૭ જુલાઈ, ૨૦૨૦

પ્યારની વાત – ૨૭ જુલાઈ, ૨૦૨૦

રાશિ ભવિષ્ય 27/07 થી 02/08/20

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

સપ્તાહ દરમિયાન કાયદાકીયપ્રશ્નથી માનસિકથાકની લાગણી જગાવે તેના કારણે ક્યાંક ખોટીવાર્તાલાપ કે વાદવિવાદની ઘટના બની શકે છે. નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી જરૂરી છે. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછુ થવાથી ક્યાંક ઉતાવળિયાનિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે. કોઈને વણમાગી સલાહસુચન ના આપવા, ખટપટી લોકોથી દુર રહેવામાજ શાણપણ છે, સ્પર્ધાત્મકપરિક્ષામા આત્મવિશ્વાસ સારો જોવા મળી શકે છે, નવાઆયોજનના વિચારો અને દ્વિધા વધુ જોવા મળી શકે છે.


આકસ્મિકખર્ચા વધે તેવા બનાવ બની શકે છે, પરિવાર સાથે મુસાફરી થઈ શકે છે ,અંગતસંબંધ જેવાકે મિત્રતામા,સગાસ્નેહીની તમે મજાકકરવાની વૃતિવાળા બનો. જૂનીઓળખાણકે જૂનીયાદથી ઘણા રોમાંચિત બનો. સામાજિક, ધાર્મિકપ્રસંગમા તમારી હાજરી પ્રભાવી બની શકે છે, વેપારના કામકાજમા ઉત્સાહને સફળતા જોવા મળે તેવી વાત બને,  જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરીકે ફેરબદલી કરવા માટે સમય યોગ્ય કહી શકાય. સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ નવીરીત શીખવી હોયતો આ સમયનો સદઉપયોગ કરવો સારો છે, લગ્નબાબતની વાર્તાલાપ ક્યાંક આગળ વધી શકે છે.


મહેનત કરતા ઓછુફળ મળવાની ફરિયાદ મનમા વધુ રહે, ક્યારેય વાણીવિલાસ ના થાય તેનુ દયાન રાખવુ ઇચ્છનીય છે. ધરમાંકે કુટુંબમાં કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈજગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે, વેપારના કામકાજમા ધીરજ અને અનુભવથી કામકાજ કરવુ, અન્યની વાતમા દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે, નોકરીકે વ્યવસાયમા સમયનો દુરુપયોગ અને કારણ વગરની કામકાજમા સમસ્યા ના થાય તેનુ ધ્યાન રાખવુ સારુ, જરૂરપુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય.


સાહસિકવૃત્તિ જોવા મળે, આવક-જાવક સરખી રહે, મિલનમુલાકાતકે હરવાફરવામા સમય વધુ પસાર થાય, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમા લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબકે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે તેમા તમારી હાજરીનુ વર્ચસ્વ પણ દેખાય, વેપારના કામકાજમા તમને ઉત્સાહ અને નવીનકાર્ય કરવાનીવૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે તેમજ સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે. ઘણા વખતથી કોઈવાત મનમા રહેતી હોય તેને ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.


સપ્તાહ દમિયાન સફળતા વધુ જોવા મળે, વિચારોની માયાજાળમા ફસાયેલા રહો, વેપારના કામકાજમા ધીરજનો અભાવ વર્તાય પણ તેની અસર કામકાજમા ખાસ ન પડે, શરદી, ખાસી, કફ, તાવ જેવી નાની નાની તકલીફથી પણ પરેશાની રહે તેમા ઉકેલ પણ આપ મેળે મળી જાય, તમારી લાગણી અન્ય લોકો સારી રીતે સમજી શકે, પ્રભુભક્તિમા ધ્યાન અને મન વધુ રહે અને ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો, ક્યાંક આળસવૃતીકે આરામ કરવાની ભાવના વધુ જાગે, હિતશત્રુ કે ખટપટી વ્યક્તિથી તમારો કુદરતી રીતે સારો બચાવ થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારકે વિવાહિતવર્ગ માટે સારા સંજોગો ઉભા થઈ શકે છે.


સપ્તાહ દરમિયાન પરિવાર સાથે મનદુઃખ ના થાય તેની દકેદારી રાખવી, છાતી, ફેફસાના દર્દ હોય તેવા લોકોએ દવાબાબત ચોકસાઈ રાખવી, ધાર્મિકભાવના વધુ દેખાઈ આવે તમને કોઈ સામાજિકકે ધાર્મિકકાર્ય માં કોઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ નવીનસમાચાર તમારા આત્મવિશ્વાસમા વધારો કરી શકે છે, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન આનંદની લાગણી અનુભવી શકે છે. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતુ હોય તેમના માટે કોઈ સારીવાત જાણવા મળે, પસંદગીની ચીજવસ્તુની ખરીદી કરવામા ગણતરી કરતા વધુ ખર્ચ થઈ શકે છે.


ઘરમા કોઈને સ્વાસ્થબાબત નાનીમોટી તકલીફ ના થાય તેનુ ધ્યાન રાખવુ, લગ્નની વાતચીત ક્યાય ચાલતી હોય તેવા યુવાવર્ગ માટે પણ આ સપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થઈ શકે છે, જૂનીવાત ક્યાય અટકેલી હોય તેમા પણ પ્રયત્ન કરવામા આવેતો નસીબ જોગસંજોગ પણ સાથ આપી શકે છે, વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજમા પણ સફળતા મળી શકે છે, મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે આનંદઉત્સાહ અનુભવી શકો છે, તમારામા સહકાર આપવાની ભાવના વધુ જાગે તેવુ પણ બની શકે છે, ભાઈ-બહેનો, મિત્રો તરફથી સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે.


કામકાજમા ગણતરી કરતા વધુ મહેનત થયા બાદ ફળ મળે, કામકાજમા ધીરજ અને સમજણનો વ્યવહારુ અભિગમ રાખવો જરૂરી છે,  જાહેરજીવનમા તમને લોકો વચ્ચે થોડી મજાકમસ્તી કરવાની વૃતિ વધુ જાગે, ઘરમાકે નજીકના સગાસ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયુ હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે, વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, તમારો મોભો,પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકાર કે માર્ગદર્શન સારુ મળી રહે અને તેના કારણે તે કામ માટે તમારો ઉત્સાહ પણ વધી શકે છે.


કોઇપણ પ્રકારની મિલનમુલાકાત સફળ થઈ શકે છે, પાડવા,વાગવા કે લાપસવા જેવી બાબત ઉપરાંત શરદી,ઉધરસ, તાવ,ઇન્ફેકશન લાગવા જેવી બાબતથી તકેદારી રાખવી, ખટપટ કરનારવર્ગથી દુર રહેવાની જરૂર છે જેથી કોઈની ખોટીવાતમા દોરવાઈ ના જવાય, વેપારના કામકાજમા ધીરજ અને તકેદારી રાખવી જરૂરી છે, સલાહ, ઠપકો કે કઈપણપ્રકારનુ માર્ગદર્શન કોઈને આપતા પહેલા વિચાર કરવો જરૂરી છે કે તેમા તેને કોઈ ગેરસમજ ના થઇ જાય, વાર્તાલાપ દરમિયાન વધુ પડતા સ્પષ્ટશબ્દો પણ ના વાપારવા ધીરજ અને કુનેહપૂર્વક વર્તવાથી ઘણીશાંતિ અને સરળતા તમારા વ્યવહારમા રહી શકે છે.


રોકાણ માટે કે નવાકોઇપણ આયોજન માટે સમય સાથ આપી શકે છે, યાત્રાકે જાત્રા થાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. તમારામા ધાર્મિકભાવના વધુ જાગે અને લોકકલ્યાણના વિચારો આવે,  સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા અઘરો પડતો હોયતો તે વિષય શીખવામા વધુમહેનત કરવાથી સારા  ફળની પ્રાપ્તિ થઇ શકે છે, વેપારના કામકાજમા લાભની કોઈવાત બની શકે છે,  લગ્નમાટેની વાતચીત ગોઠવવી અને તેમા મિલનમુલાકાત કરવી ફાયદાકારક બની શકે છે, વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આ સપ્તાહ દરમિયાન તેમા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરેતો તેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે છે.


તમારા સંબંધને મજબુત રાખવા પ્રયત્ન કરવા પડે, કામકાજમા વ્યસ્તતા અને માનસિકથાકની લાગણી અનુભવો, કામકાજમા સમયનો વ્યય પણ વધુ થઇ શકે તેમજ કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે, ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવુ વધુ યોગ્ય છે, વેપારમા કામકાજ દરમિયાન નિર્ણયશક્તિનો થોડો અભાવ દેખાવ પરંતુ કામકાજ થઇ શકે. ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થઈ શકે છે માટે તકેદારી રાખવી, મુસાફરી, થોડી કંટાળાજનક, સમય અને નાણાનોવ્યય થાય તેવો રહી શકે શકે છે.


પરિવાર, સહ-કર્મચારી સાથે સુમેળ થોડો ઓછો જોવા મળે માટે વાર્તાલાપ અને વર્તણુકમા યોગ્યગણતરી રાખવી સલાહભરી છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમારી જૂની મિલનમુલાકાતની યાદી બનાવી તેમા કામ કરવાથી લાભ થઈ શકે છે. મુસાફરીનુ આયોજન થઈ શકે છે, પેટ,અપચાની તકલીફ બાબતે તકેદારી રાખવી, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય અને કોઈ સામાજિકકે ધાર્મિકકામકાજમા જોડાવાની વૃતિ વધુ જાગે, કોઈપ્રવૃત્તિમા અન્યનો સાથસહકાર મળી શકે છે, નાણાની લેવડદેવડ તેમજ પ્રેમસંબંધમા ધીરજ અને જાગૃતતા રાખવી ઇચ્છનીય છે.

Chitralekha Marathi – August 03, 2020

PDF Version
This post is only available to members.