Home Blog Page 4707

BSEના ઈક્વિટી ડેરિવેટિવ્ઝમાં સેગમેન્ટમાં રૂ.52,763 કરોડનું રેકોર્ડ ટર્નઓવર

મુંબઈઃ BSEના ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ટર્નઓવર 30 જુલાઈ, 2020ના રોજ રૂ.52,763 કરોડની નવી ટોચે પહોંચ્યું હતું. સોમવારની એક્સપાયરી ધરાવતા સેન્સેક્સ 50 વીકલી ફ્યૂચર્સ એન્ડ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ જ્યારથી શરૂ કરાયા ત્યારથી એક્સચેન્જના ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં સતત ટર્નઓવર વધી રહ્યું છે.

BSEએ 29 જૂન, 2020થી સેન્સેક્સ 50ના વીકલી ફ્યુચર્સ અને ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સ લોન્ચ કર્યા હતા એ પછી ટર્નઓવર કૂદકેને ભૂસકે વધી રહ્યું છે. આ પૂર્વે 23 જુલાઈએ રૂ.38229 કરોડના સૌથી અધિક ટર્નઓવરનો રેકોર્ડ સર્જાયો હતો. વીકલી ફ્યુચર્સ લોન્ચ કરાયાના માત્ર 13 દિવસમાં આ સેગમેન્ટમાં ટર્નઓવર વધીને રૂ.20,209 કરોડ થયું હતું.

BSE અન્ય સર્વિસીસ જેવી કે સુપિરિયર ફ્રન્ટ-એન્ડ ટ્રેડિંગ સોફ્ટવેર અને કો-લોકેશન્સ સર્વિસીસ પણ વિનામૂલ્યે પૂરી પાડી રહ્યું છે.

BSEના ઈન્ડિયા INX ખાતે ટર્નઓવર 1 ટ્રિલ્યન ડોલરની સપાટી વટાવી ગયું

અમદાવાદઃ અહીંથી નિકટ આવેલા ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી) ખાતે આવેલા દેશના સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ ઈન્ડિયા ઈન્ટરનેશનલ એક્સચેન્જમાં BSEના ઈન્ડિયા INXનો પ્રારંભ કરાયો એ બાદ અત્યાર સુધીમાં થયેલા ટર્નઓવરનો કુલ આંકડો એક ટ્રિલ્યન (100 અબજ) યુએસ ડોલર (આશરે રૂ.75,00,477 કરોડ)ને વટાવી ગયો છે. BSEના ઈન્ડિયા INX ખાતે 24 જુલાઈએ એક દિવસમાં 4.92 યુએસ ડોલર (આશરે રૂ.36,866 કરોડ)ના કામકાજનો નવો રેકોર્ડ સર્જાયો હતો.

BSEના ઈન્ડિયા INXએ જાન્યુઆરી, 2017થી કામકાજ શરૂ કર્યું ત્યારથીતેના પરનું ટર્નઓવર દિન પ્રતિદિન વધી રહ્યું છે. આ એક્સચેન્જમાં સરેરાશ 2.25 અબજ ડોલરનું કામકાજ થાય છે. દૈનિક સરેરાશ વોલ્યુમ જૂન 2020ની તુલનાએ 30 ટકા વધીને 2.92 અબજ યુએસ ડોલર (આશરે રૂ.21,893 કરોડ) થયું છે.

8 મે, 2020થી શરૂ કરવામાં આવેલા રૂપી-ડોલર ડેરિવેટિવ્ઝનું કુલ કામકાજ જુલાઈના અંતે 877.22 કરોડ યુએસ ડોલર થયું છે જે ગિફ્ટ IFSC બજારનો 84 ટકા હિસ્સો દર્શાવે છે.

વેશ્વિક મહામારીના કપરા સમયમાં પણ એક્સચેન્જ અવિરત 22 કલાક કાર્યરત રહે છે. પરિણામે વધુને વધુ વેપારીઓ અને કંપનીઓની સામેલગીરી વધી હોઈ  ઈન્ડિયા INX નંબર વન એક્સચેન્જ બની રહ્યું છે.

બ્રિટિશ સરકાર મહાત્મા ગાંધીની યાદમાં કદાચ સિક્કો બહાર પાડશે

લંડનઃ બ્રિટનમાં અશ્વેત, એશિયન તથા અન્ય લઘુમતી વંશીય સમુદાયોનાં લોકો તરફથી દેશના કલ્યાણ માટે કરાતા યોગદાનની કદર વધી રહી છે ત્યારે બ્રિટિશ સરકાર મહાત્મા ગાંધીની સ્મૃતિમાં એક સિક્કો બહાર પાડવા વિચાર કરી રહી છે.

બ્રિટનના નાણાં પ્રધાન રિશી સુનકે દેશની રોયલ મિન્ટ એડવાઈઝરી કમિટીને એક પત્ર લખીને જણાવ્યું છે કે

ઉક્ત સમુદાયોનાં લોકોનાં પ્રદાનની કદર કરવામાં આવે. આ જાણકારી બ્રિટનના નાણાં મંત્રાલયે ઈમેલ કરેલા એક નિવેદન દ્વારા આપી છે.

નાણાં મંત્રાલયે કહ્યું કે, એડવાઈઝરી કમિટી મહાત્મા ગાંધીની યાદમાં એક સિક્કો બહાર પાડવા વિચારી રહી છે.

ભારતમાં રાષ્ટ્રપિતાનું સમ્માન પ્રાપ્ત કરનાર અને મહાત્મા તરીકે ઓળખાતા મોહનદાસ કરમચંદ ગાંધીએ એમના સમગ્ર જીવન દરમિયાન અહિંસાની હિમાયત કરી હતી તેમજ ભારતની આઝાદીની ચળવળમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. એમનો જન્મ 1869ની બીજી ઓક્ટોબરે થયો હતો અને દર વર્ષે બીજી ઓક્ટોબરનો દિવસ ‘આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

ભારતે 1947ની 15 ઓગસ્ટે બ્રિટિશ હકુમતમાંથી આઝાદી મેળવી એનાં અમુક જ મહિના બાદ, 1948ની 30 જાન્યુઆરીએ મહાત્મા ગાંધીજીનું નિધન થયું હતું.

બ્રિટનમાં બ્લેક, એશિયન એન્ડ માઈનોરિટી એથનિક (BAME) સમુદાયોને મદદરૂપ થવા અને વંશીય વિવિધતાને ટેકો આપવાના ઉદ્દેશ્ય સાથે મૂડીરોકાણ કરવાની ઘણી સામાજિક સંસ્થાઓએ પહેલ શરૂ કરી છે.

વાહ ભાઈ વાહ! ૨ ઓગસ્ટ, ૨૦૨૦

વાહ ભાઈ વાહ! ૨ ઓગસ્ટ, ૨૦૨૦

રાશિ ભવિષ્ય 02/08/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસે શાંતિ રાખવી, તમારા શબ્દપ્રયોગ અને ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે, વાહન ધીમે ચલાવવું તેમજ ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, તાવ, માથા, આંખ,હાડકાની તકલીફથી થોડું સાચવવું, થોડી આળસવૃતિના કારણે કામના થવાની મનમાં ફરિયાદ રહે તેવું બની શકે છે.


આજનો દિવસ સારો અને ઉત્સાહવાળો જોવા મળી શકે છે, તમારા કોઈ નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, કોઈ અગત્યની વાતચીત ક્યાય ચાલતી હોય તેમાં તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે અને તેમાં અન્યની મદદકે માર્ગદર્શન તમને સારો ટેકો આપી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય પસાર થાય અને ક્યાંક નાણાકીયખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય તેમાં તમે થોડા ઉત્સાહિત રહો, અગત્યના કામ માટે ક્યાંક વાર્તાલાપકે મિલનમુલાકાતમાં તમારા મનમાં રહેલા કોઈ પ્રશ્નનો કોઈ રસ્તો આપમેળે મળે તેવું બની શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, ખોટા વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી,પ્રેસર જેવી તકલીફથી સાચવવું, મનમાંને મનમાં કોઈવાતનો અજંપો રહ્યા કરે અને તેને કારણે તમારા રોજીંદા વ્યવહાર અને વર્તન પર તેની થોડી અસર વર્તાઈ શકે છે, વાદવિવાદથી દુર રહેવું.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થઈ શકે છે, તમારા કામમાં વ્યસ્તતાથી થાક લાગવાની લાગણી અનુભવાય અને આરામકરવાની વૃતિ જાગે, ફરવાકે મુસાફરીમાં ઉત્સાહની સાથે થાક પણ અનુભવો, કોઈ જગ્યાએ કામકાજ અર્થે મિલનમુલાકાત કરવાની હોયતો શાંતિ અને ચોકસાઈ રાખવી યોગ્ય છે.


આજનો દિવસ સારો છે, મિત્ર અને પરિચિત સાથે કોઈ લાભની વાત કરવાની તક મળી શકે છે, ઘણા વખત થી કોઈ ચીજવસ્તુ ખરીદવાની ઈચ્છા ધરાવતા હોવતો તેપણ ફળીભૂત થાય તેવા સંજોગો બની શકે છે, આગળના કોઈ અધૂરાકામ પુરા કરવા માટે પ્રયત્ન કરવાથીતે કામને પણ ગતિ મળી શકે છે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો ઇચ્છનીય છે, ક્યાંક પડવાકે વાગવાના યોગ બની શકે છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે,  હિતશત્રુ,ખટપટી લોકોથી દુર રહેવું, ચામડી,એલર્જી,,ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ તકેદારી રાખવી, પ્રભુભક્તિમાં વધુ ધ્યાન રાખવું યોગ્ય કહી શકાય.


આજનો દિવસ સારો અને મસ્તીમજાક વાળો કહી શકાય,  તમારી ક્યાંક જૂનીઓળખાણ તાજી થાય અને તમે કરેલા ભૂતકાળના કોઈ કામની કદર થાય, અગત્યના કામની કોઈ વાર્તાલાપકે મિલનમુલાકાત તમારા માટે આજે કરવી યોગ્ય છે જેમાં તમને સારો પ્રતિસાદ મળે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય પરંતુ કોઈ આજના દિવસ માટેનું આયોજન હોયતો તેમાં થોડો વિલંબ થઇ શકે છે પરંતુ કામ સારી રીતે થયાની લાગણી પણ અનુભવાય, ખરીદી કરવા જાવ ત્યારે ધાર્યા કરતા પણ વધુ ખર્ચ થાય તેવું બની શકે છે પરંતુ પસંદગીની ખરીદીનો સંતોષ પણ થાય.


આજનો દિવસ સારો અને ઉત્સાહવાળો કહી શકાય, કોઈ મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકામ થવાથી ખુશીની લાગણીનો અનુભવ થાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, તમારા કોઈપણ કામકાજમાં અન્યનો સાથ સહકાર સારો મળી શકે, યુવાવર્ગ માટે ક્યાંક નવીનઓળખાણ પણ થાય.


આજનો દિવસ સામાન્ય છે કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાથી થાકની લાગણીનો અનુભવ થાય, કોઈકામ પરાણે કરતા હોવ તેવું લાગ્યા કરે, ખરીદી કરવા પાછળકે કોઈ સામાજિકકાર્ય કરવા પાછળ નાણા અને સમયનો વ્યય થાય, વ્યવહારુ અભિગમ અપનાવો અને શાંતિ જાળવવી ઇચ્છનીય છે.


આજનો દિવસ સારો છે, હરવાફરવામાં અને મિલનમુલાકાતમાં દિવસ પસાર થઇ શકે છે. નોકરીઅંગે કોઈ પસંદગીની જગ્યાએ વાતચીતકે મિલનમુલકાત કરવાની હોય તેમાં તમારા કોઈ અંગત વિશ્વાસુવ્યક્તિની મદદકે માર્ગદર્શન તમને લાભ અપાવે,  ક્યાંક સારી વાત આપલે કરવાની તક પણ મળે તેવા યોગ છે.

ઓનલાઈન જોબપોર્ટલ દ્વારા નવી નોકરી શોધવી કેટલી મુશ્કેલ…કેટલી સરળ…

૧૯૩૦ પછીની આ સૌથી વધુ ખતરનાક વૈશ્વિક મહામંદીએ જોબમાર્કેટ ઉપર ઊંડો પ્રહાર કર્યો છે. પણ; ખરા સમયે ફરીએકવાર ટેકનોલોજીએ પોતાની અનિવાર્યતા સિધ્ધ કરી દીધી છે અને જોબસીકર્સ માટે ઓનલાઈન જોબપોર્ટલનાં માધ્યમથી  આશાનો દિપક પ્રજ્વલિત રાખ્યો છે. ઝડપથી નવી નોકરી મેળવવા ઓનલાઈન જોબપોર્ટલનો ઉપયોગ કેવી રીતે કરવો તેની માહિતી સાથે  “chitralekha.com” વાંચકો સમક્ષ આજે હાજર છે…

“પોતાનાં કર્મચારીઓને માનવતાનાં ધોરણે કોઈએ નોકરીમાંથી છુટ્ટા કરવાં ન જોઈએ” લોકડાઉન વખતે દેશને કરેલાં ટીવી સંબોધનમાં પ્રધાનમંત્રીએ જયારે આવી અપીલ કરી ત્યારે દેશનાં તમામ નોકરિયાતવર્ગને ખાસ્સો હાશકારો થયો હતો. પરંતુ; પાછળથી સુપ્રીમ કોર્ટમાં સરકારી વકીલે આ બાબતે ફેરવી તોળ્યું કે આ પ્રકારની ફરજ પાડીને ધંધાદારી એકમોને નાદારીમાં ધકેલવાનો સરકારનો કોઈ જ ઈરાદો નથી. સરકારે આપેલી આવી પરોક્ષ સંમતિથી વેપારીઆલમે પોતાના અસ્તિત્વને ટકાવવા કર્મચારીઓને લે-ઓફ આપવાની ઘણા સમયથી શરૂઆત પણ કરી દીધી છે. આશ્વાસનની વાત એ છે કે ભોગગ્રસ્ત કર્મચારીવર્ગે મોટા મને આ કડવી હકીકત સ્વીકારી કોઈ ઉહાપોહ મચાવ્યો નથી.

“ધી હિન્દુ” અખબારે તો મે મહિનામાં જ એક અહેવાલમાં જણાવેલું કે કોરોના મહામારીથી દેશના અંદાજે બાર કરોડ લોકોની નોકરીનો ભોગ લેવાશે. આજે એ વાત સાચી સાબિત થઈ રહી છે અને દેશમાં અંદાજે સાડા તેર કરોડ નોકરીઓનો ભોગ લેવાયો છે. દેશનાં કરોડો નોકરીપીડિતો નવી નોકરીની શોધમાં લાગી ગયા છે અને ટેકનોલોજી તેમને જબ્બરદસ્ત મદદ કરી રહી છે. ચોકાવનારો આંકડો એ છે કે ૮૦%થી પણ વધુ ઉમેદવારો ઈન્ટરનેટની આધુનિક દેન કહેવાય તેવાં ઓનલાઈન જોબપોર્ટલ દ્વારા જ નોકરી શોધી રહ્યા છે અને અરજીઓ મોકલી રહ્યા છે. ઇન્ટરવ્યુ પણ ઓનલાઈન જ લેવાઈ રહ્યા છે.

જૂન મહિનામાં આ રીતે પોતાની સેલ્સ-એક્ઝીક્યુટીવની નોકરી ગુમાવનાર બેન્ક-કર્મચારી હાર્દિક ચુડાસમાનું આ બાબતે કહેવું છે કે “પ્લેસમેન્ટ એજન્સીઓમાં કે જોબ-ફેરમાં રૂબરૂ ભટકવાનું અને વર્તમાનપત્રો-મેગેઝીનોમાં વેકેન્સીની જાહેરાતોને વીંખ્યા કરવાનું તો અમારી જનરેશનનાં મિત્રોએ બંધ જ કરી કીધું છે. હું મારા મોબાઈલ દ્વારા જ ઓનલાઈન જોબપોર્ટલનો ઉપયોગ કરું છું, અને ટૂંક સમયમાં નવી નોકરી ચોક્કસ મેળવી પણ લઈશ”.

ઓનલાઇન જોબપોર્ટલની પોતાની પ્રોફાઈલ ઉમેદવારે શું ધ્યાન રાખીને તૈયાર કરવી અને  કઈ રીતે તેનું નિયમિત સંચાલન કરવું તે મુદ્દાઓ બાબત ઉમેદવારોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે…

યુવાવર્ગમાં એકદમ પ્રચલિત છે તેવા LinkedIn પોર્ટલ દ્વારા જ ચાલો શરૂઆત કરીએ…

LinkedIn દુનિયાનું સૌપ્રથમ “સોશિયલ” જોબપોર્ટલ છે. તમારી એકદમ ધ્યાનાકર્ષક રિઝયુમ તૈયાર કરવા માટે ઘણું જ ઉપયોગી છે. તમને સ્યુટ થાય તે પ્રકારની નેક્સ્ટ નોકરી માટે જરૂરી તમામ ફીચર્સ સાથે સૌથી લાયક કોઈ જોબપોર્ટલ હોય તો તે LinkedIn જ છે.

LinkedInમાં નવી પ્રોફાઈલ બનાવવા અથવા અગાઉની પ્રોફાઈલને અપડેટ કરવા બેસો ત્યારે પહેલેથી જ તમારા કવોલીફિકેશનની માર્કશીટ્સ, અનુભવ, જુદી-જુદી જગ્યાએથી મળ્યા હોય તેવા સર્ટીફીકેટ્સ, સન્માનપત્રો અને એવોર્ડ્સ વિગેરે અંગેના ડોક્યુમેન્ટ્સ સ્કેન કરીને JPG અથવા PDF ફોરમેટમાં તૈયાર રાખશો તો આગળનું કામ વધુ મુશ્કેલ નહીં પડે.

પ્રોફાઈલમાં ક્રમવાર પૂછવામાં આવે તે રીતે તમારો ટૂંક પરિચય, અભ્યાસ, અનુભવ,  ભાષા, વ્યવસાયિક લાયસન્સ, શોર્ટ-ટર્મ કોર્સીસ, પ્રોજેક્ટ્સ, પેટન્ટ્સ, સામાજિક કાર્યોમાં કરેલા યોગદાનોની વિગતો, અનુભવથી કેળવેલી જુદીજુદી સ્કીલ, સન્માનપત્રો, એવોર્ડ્સ, તમે જોડાયેલા હો તેવી નાની-મોટી સંસ્થાઓનાં નામ અને તેમાં તમારા યોગદાન બાબતની તમામ માહિતીઓ ઉપરાંત ક્યાંય પ્રસિદ્ધ થયા હોય તેવા તમારા સ્વલિખિત રીસર્ચ પેપર્સની ઓનલાઈન લિંક અંગેની રજેરજ માહિતીઓ ધીરજપૂર્વક ટાઈપ કરીને પ્રોફાઈલમાં ઉમેરતાં જવાની હોય છે; અને સાથે-સાથે તેનાં પુરાવારૂપે સ્કેન કરેલા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરતાં જવાનાં હોય છે. આટલું કામ થઇ જાય એટલે  નવી નોકરીનાં પ્રયત્નોનું પ્રથમ ચરણ અહી પૂરું થયું તેમ ગણી શકીએ.

આ પછી, તમારી કારકિર્દી માટે ભવિષ્યમાં ઉપયોગી થવાની શક્યતા અથવા સમર્થતા ધરાવતાં યોગ્ય લોકોને LinkedInમાં તમારે શોધવાનાં હોય છે. ફેસબુકમાં જેમ ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલીએ છીએ તે માફક જ તેમને “કનેકટ” થવા વિનંતી મોકલો. તમારું આમંત્રણ સ્વીકારનાર તમામને આ પછી તમારી કેરિયર અંગેની માહિતી નિયમિત રીતે જોવા માટે ઉપલબ્ધ થવા લાગે છે અને તમે એક ઉભરતા ઉમેદવાર તરીકે પ્રસ્થાપિત થતાં જાઓ છો. બીજું અગત્યનું કામ એ કરવાનું  છે કે અનેક ખાનગી પ્લેસમેન્ટ એજન્સીઓ, જોબપોર્ટલ અને વિવિધ વિષયો અંગેનાં ગૃપ તમને LinkedInમાં મળશે. તો તેમને શોધી-શોધીને ફોલો કરવાનું અથવા તેમાં જોડાઈ જવાનું પણ હવે શરુ કરી દો. ત્રીજું અગત્યનું કામ કરવાનું હોય છે જોબ એલર્ટ સેટ કરવાનું. આ સેટિંગ કર્યા પછી તમારી પસંદગીની  જોબ-પ્રોફાઈલ ધરાવતી વેકેન્સીઓ બાબતે તમને નિયમિત રીતે નોટીફીકેશન, SMS થવા ઈમેઈલ દ્વારા જાણકારી મળવાનું શરૂ થઈ જશે જેથી તમે તેમાં એપ્લાય કરી શકો.

આપણા દેશનાં આ જોબપોર્ટલને પણ નજરઅંદાજ કરવા તમને બિલકુલ પોષાશે નહી…

જાણીતા કેરિયર કાઉન્સેલર ક્રિપાલસિંહ જાડેજા સરળતાથી નોકરી મેળવવા શું કરવું જોઈએ તે બાબતે પોતાનાં અનુભવનાં આધારે કહે છે કે “Naukri, Monster, Glassdoor, Indeed, Shine, Neuvoo, Placement India, IIM Jobs, Job Rapido, Intern Theory, Freshers Live, Freshersworld જેવા જોબપોર્ટલ આપણા દેશમાં નોકરી શોધી આપવામાં ટોપ-પરફોર્મર હોવા છતાં; ભારતની કોર્પોરેટ કંપનીઓ આર્ટીફીસીયલ ઈન્ટેલેજન્સથી સજ્જ Vasitum, Skillate, Cutshort, Instahyre, Hirist, Dice Simply Hired જેવાં જોબપોર્ટલ સાથે કરારબદ્ધ થવાનું વધુ પસંદ કરે છે”.

નોકરી ગુમાવ્યા પછી માત્ર વીસેક દિવસ જેટલાં ટૂંકા ગાળામાં જ આઈ.ટી. સપોર્ટ એન્જીનીયરની નોકરી જોબપોર્ટલ દ્વારા શોધી કાઢનાર નિશાંત શાહનો કિસ્સો એકદમ રસપ્રદ છે. તેમનું કહેવું છે કે “દરરોજ ઓછામાં ઓછુ એકવાર હું LinkedInમાં લોગ-ઇન કરીને મળેલા નોટીફીકેશન પ્રમાણેની કામગીરી કરતો હતો. બીજા અનેક જોબપોર્ટલ ઉપર પણ મારી પ્રોફાઈલ અપલોડ કરી હતી. વેકેન્સી બાબતની તમામ એલર્ટને મહત્વ આપી યોગ્ય તમામ કંપનીઓમાં મારી અરજીઓ મોકલી આપતો હતો. નોકરી મેળવવાનાં કામને એક પ્રોજેક્ટ સમકક્ષ મહત્વ આપ્યું એ જ કદાચ મને ફળ્યું છે”.

મહેરબાની કરીને જોબપોર્ટલ સાથે આવી મજાક-મસ્તી તો કરશો જ નહી…

ઇન્ટરનેશનલ જર્નલ ઓફ સાયન્ટીફીક એન્ડ રીસર્ચ પબ્લીકેશનમાં પ્રસિદ્ધ થયેલો એક રીપોર્ટ ઓનલાઈન જોબપોર્ટલનો ઉપયોગ કરનારાઓ માટે આંખ ઉઘાડી કાઢે તેવો છે. તેમનાં  સર્વેક્ષણમાં એવું જાણવા મળ્યું હતું કે જોબપોર્ટલ ઉપરની ૧૦% પ્રોફાઈલ તો ઉમેદવારોએ સાવ જ જૂઠી અપલોડ કરી હોય છે; અધૂરામાંપૂરું જે નોકરી માટે પોતાની લાયકાત હોય જ નહી તેમાં પણ પોતાની અરજીઓ ઠપકાર્યા કરે છે. આ જ રીપોર્ટ દ્વારા એવું પણ જાણવા મળેલું કે અરજી કરનારા ૭૫% જેટલા ઉમેદવારોને તો ખરેખર જોબમાં રસ જ હોતો નથી. આવી રીતે જોબપોર્ટલને કનડ્યા કરતાં ઉમેદવારોને પ્રતાપે બીજા નિષ્ઠાવાન ઉમેદવારોને પણ ઘણું સહન કરવાનું આવે છે, એટલે બીજાની ખાતર પણ આવી પ્રવૃત્તિથી બધાએ દૂર રહેવું જોઈએ.

શું લાગે છે બોસ… કોરોનાયુગ પછીનું ભવિષ્ય…

એકદમ જ ઉજ્જવળ. કોઇપણ શંકા વગર. પણ હા……. કેટલું ઉજ્જવળ? એ નક્કી કરવાનું કામ ઉપરનાં માર્ગદર્શનને વાંચ્યા પછી તમારા હાથમાં છે. નોકરીઓ હાજર જ છે; તમારે જોઈએ છે તેવા પગારવાળી અને તમારે જોઈએ છે તેવી સગવડતાઓવાળી. માત્ર થોડી ધીરજ અને મહેનતની જરૂર છે. અલબત્ત…જ્યાં સુધી નવી નોકરી ન મળી જાય ત્યાં સુધી આપણા જાગૃત અને સુષુપ્ત મનમાં ઉજ્જવળ ભવિષ્યનાં રંગબેરંગી સપનાઓની સજાવટ તો કરતાં જ રહેવાનું છે.

(લેખક: પુનીત આચાર્ય સોમપુરા)

પંચાંગ: 02/08/2020

સપાના ભૂતપૂર્વ નેતા અને રાજ્યસભાના સભ્ય અમર સિંહનું નિધન

નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટીના ભૂતપૂર્વ નેતા અને રાજ્યસભાના સંસદસભ્ય અમર સિંહનું નિધન થયું છે. તેઓ 64 વર્ષના હતા. તેમણે સિંગાપોરની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા, તેઓ ઘણા દિવસથી બીમાર હતા. તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ થઈ હતી. તેઓ છેલ્લા દોઢ મહિનાથી ICUમાં હતા.

વર્ષ 2013માં અમર સિંહની કિડની ખરાબ થઈ હતી. તેઓ બીમાર હોવા છતાં પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટમાં સક્રિય હતા. તેમણે બકરી ઇદની શુભકામનાઓ આપી હતી. તેમણે લખ્યું હતું કે ઈદ-ઉલ-અજહાના અભિનંદન. આવો આ દિવસને પ્રેમ અને ખુશી વહેંચીને મનાવીએ.

સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે ટ્વીટ કર્યું

સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે અમર સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. રાજનાથે સિંહે પોતાના ટ્વીટમાં કહ્યું હતું કે વરિષ્ઠ નેતા અને સંસદસભ્ય અમરસિંહના નિધનથી દુઃખ થાય છે. જાહેર જીવનમાં તેમણે બધા પક્ષોની સાથે મિત્રતા હતી. તેઓ સ્વભાવે વિનોદી અને હંમેશા ઊર્જાવાન રહેતા અમરસિંહજીને ઈશ્વર તેમનાં ચરણોમાં સ્થાન આપે. તેમના શોકાતુર પરિવાર પ્રતિ મારી સંવેદનાઓ.

યુપીના રાજકારણમાં આશરે બે દાયકાની સફર

પાંચ જુલાઈએ અમર સિંહે રાજ્યસભાનું સભ્યપદ મેળવ્યું હતું. તેમની ઉત્તર પ્રદેશના રાજકારણમાં આશરે બે દાયકાઓ સુધી સફર રહી. એક વખત તેઓ સમાજવાદી પાર્ટીના સૌથી વધુ અસરકારકક નેતા હતા. તેમને મુલાયમ સિંહના સૌથી નજીકના માનવામાં આવતા હતા. તેઓ પાર્ટીના મહા સચિવ હતા, પણ સમાજવાદી પાર્ટીનું સુકાન અખિલેશ યાદવના હાથમાં ગયા પછી તેઓ સમાજવાદી પાર્ટીથી અંતર રાખતા હતા.

 

અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજનની ભવ્ય તૈયારીઓ

અયોધ્યાઃ અયોધ્યામાં પાંચ ઓગસ્ટે શ્રીરામ મંદિરના ભૂમિપૂજનને લઈને ઉત્સાહ ચરમસીમાએ છે. રામનગરી સંપૂર્ણ રીતે સજ્જ છે. અયોધ્યાના રૂપરંગ બદલાઈ ચૂક્યાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને સુરક્ષા-વ્યવસ્થા કડક કરવામાં આવી છે. પ્રસાદ માટે લાડુઓ બનાવવાનું કામ ચાલી રહ્યું છે.

અયોધ્યાને ભવ્ય રીતે સજાવવામાં આવી રહી છે. અયોધ્યાના પ્રવેશદ્વારને ભવ્ય રીતે તૈયાર કરવામાં આવી રહ્યું છે. અયોધ્યાને વિકસિત કરવા માટે તૈયાર કરવામાં આવેલી યોજના અનુસાર શહેરના પ્રવેશદ્વારને વિકસિત કરવામાં આવી રહ્યાં છે.  

રામ મંદિર માટે પાંચ ઓગસ્ટે થઈ રહેલા ભૂમિપૂજન સમારોહના સ્વાગતમાં એક જ રંગમાં અયોધ્યાના ભવનને તૈયાર કરવામાં આવી રહ્યા છે. યુગો પૂર્વે ભગવાન રામના જન્મની સ્મૃતિના ઉલ્લાસને જીવંત કરી રહ્યા છે. આ ઉલ્લાસમાં સામેલ હનુમાનગઢી ચાર રસ્તાથી રામ જન્મભૂમિના માર્ગ અને એના કિનારાને પીળા રંગથી રંગવામાં આવી રહ્યો છે.  

અયોધ્યામાં દિવાળી જેવો માહોલ

અયોધ્યા શહેરને દિવાળીના ઉત્સવની જેમ સજાવવામાં આવી રહ્યું છે. અનેક જગ્યાએ રામના જીવન સાથે જોડાયેલી કિવદંતીઓનાં ચિત્રો બનાવવામાં આવ્યા છે. ફ્લાયઓવર પાર્ક અને તમામ જગ્યાએ મરામત અને રંગરોગાન કરવામાં આવી રહ્યાં છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું છે કે ત્રણ દિવસ સુધી અયોધ્યામાં દિવાળી જેવો માહોલ રહેશે. લોકો ઘરમાં પણ દીવા કરીને દિવાળી મનાવશે. આ સાથે દરેક મંદિર અને મઠમાં ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.  

રામલલાના પરિધાન

રામલલાને વિશેષ શણગાર કરવામાં આવશે. તેમના પરિધાન લીલા રંગથી તૈયાર થશે. રામ પરિવારને લીલાં વસ્ત્ર, તેમના પડદા, ચાદર, તકિયા અને રજાઈ બધું જ લીલા રંગનું હશે, કેમ કે પાંચ ઓગસ્ટે બુધવારે છે અને બુધવારનો રંગ લીલો માનવામાં આવે છે.

ભૂમિપૂજન પછી પ્રસાદ વિતરણ

શ્રીરામ જન્મભૂમિ પર ભવ્ય મંદિરના નિર્માણના ભૂમિકપૂજન પછી પ્રસાદ વિતરણની પણ જોરદાર તૈયારી થઈ રહી છે. રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ શરૂ થવાની ખુશીમાં જથ્થાબંધ લાડુ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

પવિત્ર જળ અને માટી

વિશ્વ હિન્દુ પરિષદ કાર્યલાયથી તીર્થરાજ પ્રયાગ અને અન્ય જિલ્લાઓમાંથી એકત્રિત જળ અને માટીને લઈને રામ મંદિર નિર્માણમાં ભૂમિપૂજન માટે વિહિપના કાર્યકરો અયોધ્યાના રવાના થયા હતા.

બનાસકાંઠામાં 50 કરોડ રૂપિયાનું મનરેગા કૌભાંડઃ હાર્દિકનો આક્ષેપ

પાલનપુરઃ કોંગ્રેસના નવા કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ અને વડનગરના વિધાનસભ્ય જિગ્નેશ મેવાણીએ સરકાર પર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યા હોવાના આક્ષેપ કર્યા છે. તેમણે આ માટે કેટલાક પુરાવા પણ રજૂ કર્યા છે. તેમણે કહ્યું છે કે મનરેગા મારફતે ગરીબ લોકોને રોજગાર અપાતી હોવાના સરકાર દ્વારા દાવા કરવામાં આવ્યા છે, પણ કોરોના રોગચાળા દરમ્યાન સરકારી અધિકારીઓની રહેમ નજર હેઠળ કરોડો રૂપિયા ચાંઉ થયા હોવાનો ગંભીર આક્ષેપ આ નેતાઓએ કર્યો છે.

મનરેગામાં કૌભાંડની કાર્યપદ્ધતિ

બનાસકાંઠા જિલ્લાના બાલિન્દ્રા ગામમાં મનરેગા યોજના અંતર્ગત ચાલતા કામમાં 10 કરોડના મોટા કૌભાંડનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ આક્ષેપ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ તેમ જ અપક્ષ વિધાનસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કર્યો છે. મનરેગામાં કામ ના કર્યું હોય તેવા લોકોના બેન્કમાં ખાતાં ખૂલી ગયાં છે અને તેમનાં જોબકાર્ડ પણ બની ગયાં છે, એમ હાર્દિક પટેલે કહ્યું હતું તો બીજી બાજુ TDOની સહીથી ભૂતિયા જોબકાર્ડધારકોને પેમેન્ટ કરવામાં આવ્યું છે, એવો આક્ષેપ મેવાણીએ કર્યો હતો.  

હાર્દિક પટેલે ભાજપ સરકાર પર આક્ષેપ કર્યા હતા કે રાજ્યમાં મનરેગાનું રાજ્યવ્યાપી કૌભાંડ આચરવામાં આવ્યું છે અને મનરેગા હેઠળ ગરીબોના પૈસા ચાઉં કરી જવાય છે. હાર્દિક પટેલે કહ્યું છે કેક લોકોનાં બેન્ક ખાતાંઓ ખોલાવી પૈસા ઉપાડી લેવામાં આવે છે અને ભાજપ સમર્થક સરપંચ અને TDO દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. એક ગામમાંથી 50થી 100 લોકોનાં ખોટાં એકાઉન્ટ અને જોબકાર્ડ બનાવવામાં આવ્યાં છે.

 જિગ્નેશ મેવાણીએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે મનરેગા યોજના અંતર્ગત 200થી 250 દિવસ કામ અપાય છે, ત્યારે હાલમાં 100 દિવસ જ કામ આપવામાં આવે છે. બનાસકાંઠામાં 300 ગામોમાં મનરેગાનું કૌભાંડ ચાલે છે. આ મનરેગાનું કૌભાંડ 50 કરોડની આસપાસનું છે.