Home Blog Page 4683

કોરોનાના સંદર્ભમાં UNને ડાયસાકુ ઈકેદાના શાંતિ પ્રસ્તાવ પર વેબિનારમાં વિચારવિમર્શ

અમદાવાદ: નવી દિલ્હી, 24, ઓગસ્ટ, 2020: સદીના અત્યાર સુધીના સૌથી ખરાબ રોગચાળાએ કે જેણે માનવતાને એક ઘા માર્યો છે, ભારતના બૌદ્ધિક દાર્શનિક અને શાંતિ કાર્યકર્તા ડો. ડાયસાકુ ઇકેદાએ વાર્ષિક સંમેલનમાં સંયુક્ત રાષ્ટ્રને શાંતિ પ્રસ્તાવ રજૂ કર્યો તથા તેમના વિચારોને રજૂ કરી વિશ્વને નવી દિશા તરફ દોરી જવા વિનંતી કરી છે.

સોકા ગાક્કાઈ ઇન્ટરનેશનલ (એસજીખાઈ)ના ભારતીય કાર્યાલય, ભારત સોકા ગાક્કાઇએ (બીએસજી) પ્રથમ શાંતિમંત્રણા વેબિનારનું આયોજન કર્યું હતું. આ વેબિનાર દરમ્યાન આઈકેડાએ જણાવ્યું હતું કે, “વહેંચાયેલા જીવનની જાગૃત શોધનો આધાર એ પ્રશંસામાં મળી રહ્યો છે કે જે લોકો ગંભીર જોખમોની છાયા હેઠળ જીવે છે, આપણે તેમના માટે જાણવું જરૂરી છે કે તે લોકો આપણાથી અલગ નથી.” શાંતિ સિમ્પોઝિયમના વક્તાઓએ કહ્યું કે આવી વૈશ્વિક એકતાની શરૂઆત મૂળ માનવ મૂલ્યોને ફરીથી જીવંત કરવાથી થવી જોઈએ.

શાંતિ પ્રસ્તાવમાં ઈકેડાએ કહ્યું છે કે વિશ્વને કુદરતી આફતો અને હવામાન પરિવર્તન જેવા મુદ્દાઓ માટે સર્વગ્રાહી અભિગમ અપનાવવાની જરૂર છે. કુદરતી આફતો કે જે લોકોને તેમના લાંબા સમયથી ટેવાયેલા મકાનો છોડી દેવાની ફરજ પાડે છે, તે બાબતે વધુમાં તેમણે જણાવ્યું હતું કે “ભૂમિ સાથેની જોડાણનું નુકસાન અને દુઃખની લાગણી એ ભૂકંપ અને સુનામી જેવી મોટી આફતોનું એક અનિવાર્ય પાસું રહ્યું છે,” આ અચાનક આવેલી આફત, મિત્રો અને સ્વજનોને ખોવાનું દુઃખ અને વદનની આ પરાકાષ્ઠાને પહોંચી વળવા તેનાથી અસર પામેલા લોકોને પ્રતિસાદ આપવો સમગ્ર સમાજ માટે જરૂરી છે.

બનસ્થલી વિદ્યાપીઠના કુલપતિ, બ્લૂમિંગ્ટન, ઇન્ડિયાના યુનિવર્સિટીના ભૂતપૂર્વ રાજદૂત અને પ્રોફેસર, રાજેન્દ્ર અભ્યંકર, બીએસજીના અધ્યક્ષ વિશેષ ગુપ્તા, પદ્મવિભૂષણ ડો. રઘુનાથ માશેલકરે પણ સંબોધન કર્યું હતું.

એસજીઆઈ વિશે વધુ માહિતી માટે આની મુલાકાત લોઃ https://www.sgi.org/

બીએસજીની વધુ માહિતી માટે આની મુલાકાત લોઃ https://www.bharatsokagakkai.org/

રાશિ ભવિષ્ય 25/08/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસે શાંતિ જાળવવી , ખોટાવિચારો પર કાબુ રાખવો, પાડવા,વાગવાથી સાચવવું, બ્લડપ્રેશરની તકલીફ વાળાએ સાચવવું, કામકાજ અર્થે સહકર્મચારી સાથે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, આકસ્મિક ખર્ચ થઈ શકે છે,  વેપારમાં નાનું કામજ કરવુ યોગ્ય છે, યુવાવર્ગ માટે ગેરસમજથી બચવું યોગ્ય છે.


આજનો દિવસ સારો છે, તમારા કામમાં સારીપ્રતિભા બતાવી શકો અને તેથી તમને કામ કરવાનોનો સંતોષ પણ થાય નવીનકામનું આયોજન થઇ શકે છે, કોઈ સારાસમાચાર સંભાળવા પણ મળી જાય તેવું બની શકે છે, વેપારના કામકાજમાં સારોપ્રતિસાદ મળે અને તેમાં તમે સારી લાગણી અનુભવો.


આજનો દિવસ સામાન્ય છે, માનસિકઅશાંતિ જેવું રહે, નાનીનાની વાતમાં ગુસ્સો આવી જાય તેવું બની શકે છે માટે ધીરજ અને શાંતિ રાખવી, ક્યાંક પરાણે કામકરતા હોવ તેવી લાગણી જોવા મળે, વેપારના કામમાં ધીરજ રાખવી સારી, કોઈની દોરવણીથી દોરવાઈને ઉતાવળિયોકે ખોટો નિર્ણયના લેવાય તેવું ધ્યાન રાખવું.


આજના દિવસે કામકાજમાં ઉતાવળ જોવા મળી શકે તેના કારણે તમને કામકાજમાં થોડી અકળામણની    લાગણી અનુભવો, મિત્રો,પરિચિતો સાથેના વ્યવહાર તમને થોડા રોમાંચિત અને ઉત્સાહિત રાખે.વેપારના કામકાજમાં થોડી શાંતિ જાળવવી, વડીલવર્ગે આજે કોઈને વણમાંગી સલાહના આપવી ઇચ્છનીય છે.


આજના દિવસે થોડી શાંતિ અને ધીરજનો અભાવ દેખાય, બેદરકારી તમને તકલીફ આપી શકે છે, કોઈની સાથે કામની બાબતે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, વાણીસયમ રાખવો અગત્યનો બને છે, કામસિવાય કોઈની સાથે વધુ વાર્તાલાપના કરવો, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવાની સલાહ છે.


આજનો દિવસ સારો છે, તમને કામબાબત ઉત્સાહ સારો જોવા મળે તેના કારણે કઈક વધુ શીખવાની જીજ્ઞાસા પણ વધે, કામની કદર થાયની લાગણી પણ અનુભવો, તમને ક્યાંક નસીબસાથ આપતું હોય તેવું જણાય વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય,પ્રિયજન સાથે સારો સમય પસાર થાય.


આજનો દિવસ કામકાજમાં આકસ્મિક વ્યસ્તતા અપાવે તેવો છે, અણધાર્યા કોઈકામ આવી પડે તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, કામની બાબતમાં ક્યાય વાણીવિલાસના થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે, પસંગીની કોઈવાત સંભળાવ પણ મળી જાય, વેપારના કામકાજ નાનુંજ કામ કરવું હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, પરિચિતોને મળવાથી તમારો ઉત્સાહ વધે,  મુસાફરીના યોગ ઉભા થઇ શકે છે, સ્પર્ત્ધાત્મકપરીક્ષા આપનાર માટે પોતાના વિષયમાં રૂચી ઓછી અને ઈતરપ્રવૃત્તિમાં  ધ્યાન વધુ રહે તેવું પણ બની શકે છે, વેપારના કામકાજ ઉતાવળિયો નિર્ણયકે જોખમના લેવાઈ જાય તેનું ધ્યાન રાખવું.


આજના દિવસે કામ ટાળવાની અને ઈતરપ્રવૃત્તિ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે છે, તમારી લાગણી કોઈ સમજે નહિ તેવી મનમાં ફરિયાદ રહે અને ક્યાંક તમે કોઈ ગ્યાએ અતિ ગણીશીલ પણ બની જાવ. કોઈ વિચારોની દ્વિધા તમને થોડા નરમ પણ બનાવી શકે છે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહભર્યું છે.


આજનો દિવસ જૂનીયાદોથી ભરપુર બની શકે છે, તમારા મનનું કોઈ કામ પણ થઇ શકે, કોઈ ધાર્મિક પ્રસગમાં જવાના પણ યોગ છે તેમાં તમને ઉત્સાહ અને મનની શાંતિ પણ મળે, તમે કોઈને તેના કામમાં સાથસહકાર પણ આપો અને તેમ કરવાનો સંતોષ પણ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ શાંતિથી પસાર કરવો, બિનજરૂરી કામકાજમાં સમયનો વ્યય થાય, કોઈની દોરવાણીથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું, મુસાફરી કંટાળાજનક અને માનસિકથાક અપાવે, મજાકમસ્તીથી તમે થોડા ઉશ્કેરાઈના જાવ તેનું ધ્યાન રાખવું, વેપારમાં શાંતિથી નિર્ણય લઈ કામ કરવું જરૂરી છે.


આજનો દિવસ સારો છે, તમારું વર્તન અને વ્યવહાર લોકો આગળ સારું જોવા મળે અને તેના દ્વારા તમને ક્યાંક લાભ પણ અપાવી શકે છે. તમે કોઈને તેના કામમાં સહભાગી પણ બનો, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ વિષય શીખવામાં સમય વધુ ફાળવવો યોગ્ય છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.

મા ના સ્વમુખેથીઃ કાણાને કાણો ન કીજીયે…

 

કાણાને કાણો ન કીજીયે, માઠાં લાગે વેણ ધીરે રહીને પૂછીએઃ ભાઈ, શીદને ગયાં તમારાં નેણ ?

 

કોઈ પણ વ્યક્તિ દિવ્યાંગ હોય તો એની શારીરિક ત્રુટિ કે ખોડખાંપણને લઈને ક્યારેય મજાક કે ટીકા કરવી નહીં. એનાથી આ વ્યક્તિને ખૂબ દુઃખ પહોંચે છે. પૂછવું જ હોય તો સહાનુભૂતિપૂર્વક સારી ભાષામાં એની આ શારીરિક ક્ષતિનું કારણ પૂછી શકાય.

આ કથા તો તમને યાદ જ હશે. રાવણે નંદીને કૂબડો કહીને મશ્કરી કરી હતી. નંદીએ શ્રાપ આપ્યો કે તારૂં મોત મારા જેવા કૂબડા પશુઓને કારણે થશે. વાંદરાં અને રીંછ રામના સૈનિકો બન્યાં. સેતુ બંધાયો. રાવણ હણાયો.

સાર એ જ કે, શારિરીક ખોડખાંપણ ધરાવતા લોકો સાથે પણ સહાનુભૂતિપૂર્વક વાત કરીને એમની આ ત્રુટી વિશે પૂછવું.

(જયનારાયણ વ્યાસ) 

(જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવશે.) 


 

૨૫ ઓગસ્ટ ૨૦૨૦

૨૫ ઓગસ્ટ ૨૦૨૦

પંચાંગ 25/08/2020

રાજ્યનાં અનેક શહેર જળબંબોળઃ હજી ત્રણ દિવસ સુધી અતિ ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મહેસાણા, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છ તથા પાટણમાં ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને લીધે રાજ્યમાં નદીઓ અને ડેમો ઓવરફ્લો થયા છે. અનેક શહેરોમાં જનજીવનને માઠી અસર પહોંચી છે. અનેક ગામો સંપર્કવિહોણાં થયાં છે. ભારે વરસાદને લીધે અનેક શહેરો જળબંબોળ થયાં છે. ક્યાંક રસ્તાઓ ધોવાયા છે તો ક્યાંક કેનાલ તૂટવાને કારણે ખેતરોમાં અને ઘરોમાં પાણી ઘૂસી ગયાં છે. પાછલા છ કલાકમાં સૌથી વધુ રાજકોટના ગોંડલમાં 6.5 ઇંચ અને દ્વારકાના ભાણવડમાં 4.25 ઇંચ  મિમી. જેટલો ભારે વરસાદ વરસ્યો છે. NDRF અને SDRFની ટીમોને તૈયાર રાખવામાં આવી છે.

તમામ કલેક્ટરોને હાઇ એલર્ટ

રાજ્યમાં પડી રહેલા સાર્વત્રિક વરસાદથી ધરોઈ ડેમમાં વધતાં પાણીને પગલે અમદાવાદ કલેક્ટર કચેરીએ એલર્ટ રહેવા આદેશ આપ્યો છે. જિલ્લાના તમામ મામલતદાર, પ્રાંત અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીને તકેદારીનાં પગલાં લેવા જાણ કરવામાં આવી છે.

કચ્છમાં 188  ટકા વરસાદ

કચ્છમાં આ વર્ષે ભારે વરસાદ વરસ્યો છે.  ગઈ કાલ સુધી કચ્છમાં સીઝનનો 188 ટકા વરસાદ નોંધાયો છે. કચ્છનો ટપ્પર ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાં ત્રણ દરવાજા ખોલવમાં આવ્યા છે.. ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવતાં ડેમ નીચે આવતાં 12 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. કચ્છમાં વરસાદથી ભુજ-માધાપર હાઇવે પર પાણી ભરાયા છે. પાણીને કારણે વાહનચાલકોને ખૂબ પરેશાની ભોગવવી પડી હતી. 

કડીમાં જળબંબોળ

મહેસાણા શહેરમાં વરસેલા વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. સરકારી કર્મચારીઓ માટેના આવાસમાં ઢીચણ સુધી પાણી ભરાયાં છે. મહેસાણાના કડીમાં પાંચ ઇંચ વરસાદથી જળબંબાકાર થઈ ગયું છે. કડી-થોળ રોડ પર આવેલા અંડરબ્રિજમાં છ ફૂટ જેટલા પાણી ભરાઈ જતા ખાનગી ટ્રાવેલ્સ અને ટ્રક ફસાઈ ગયા હતા.

જામનગરમાં છેલ્લા 24 કલાકમાં 35 ઇંચ વરસાદ

જામનગરમાં છેલ્લા 24 કલાકમાં 35 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. સૌથી વધારે જોડિયામાં 16 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સાથે જામનગરમાં 5 ઇંચ, કાલાવડમાં 3 ઇંચ, ધ્રોલમાં 6 ઇંચ, લાલપુરમાં 3 ઇંચ, જામજોધપુરમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. જામનગરના 24 જળાશયોમાંથી 16 ડેમ ઓવરફ્લો થયા છે.

 પાટણમાં અનેક ગામો સંપર્કવિહોણાં

પાટણના સરસ્વતી તાલુકામાં 209 મિમી, રાધનપુરમાં 162 મિમી, હારીજમાં 156 મિમી, પાટણમાં 152 અને સિદ્ધપુરમાં 149 મિમી વરસાદ થયો છે.  બનાસ નદીનો જળ સ્તર વધતાં પાટણના સાંતલપુરમાં આવેલાં અનેક ગામો સંપર્કવિહોણાં થયાં છે. ભારે વરસાદને લીધે અનેક સ્થળોએ લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

વિરમગામમાં કેનાલ તૂટતાં ખેતરોમાં પાણી

અમદાવાદ જિલ્લાના વિરમગામના રૂપાવટી અને અસલગામ પાસે કેનાલ તૂટતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે, જેથી ખેતરોમાં કરાયેલા વાવેતરને વ્યાપક નુકસાન થયું છે.

 મોરબીના ટંકારામાં 10.8 ઇંચ વરસાદ

મોરબીમાં ભારે વરસાદ પડ્યો હતો. મોરબીના ટંકારમાં છેલ્લા 24 કલાકમાં 10.8 ઇંચ વરસાદ નોંધાયો છે. હળવદમાં 3 ઇંચ, મોરબીમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. મચ્છુ 2 ડેમ ઓવરફ્લો થતાં મોરબી- કચ્છ હાઇવે બંધ કરવામાં આવ્યો છે. મોરબી APMCમાં પણ ઢીંચણ સુધી પાણી ભરાઈ ગયાં છે. APMCના અનેક વેપારીઓની દુકાનમાં એકથી બે ફૂટ પાણી ભરાઈ ગયા છે.

ઉકાઈ ડેમમાંથી 1.30 લાખ ક્યુસેક પાણી છોડાયું

સુરતમાં વિયર કમ કોઝવે 9.32 મીટરથી ઓવરફ્લો થઈ ગયો હતો. એ સાથે જ ઉકાઈ ડેમમાંથી 1.30 લાખ ક્યુસેક પાણી છોડાયું છે, જેથી સુરતમાં તાપી કિનારાના નીચાણવાળા વિસ્તારમાં સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. તાપી નદીમાં પાણીની આવક વધતા અડાજણ રિવરફ્રન્ટ પાણીમાં ગરકાવ થયો છે.

ગોંડલમાં પણ ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી

રાજકોટના ગોંડલમાં પણ ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયા છે. ગોંડલનુ અક્ષર મંદિર વરસાદી પાણીમાં ગરકાવ થયું છે.

હજી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજુ પણ આગામી 48થી 72 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વિભાગે અમદાવાદ અને ગાંઘીનગર સહિત ઉતર ગુજરાતમાં પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને સૌરાષ્ટ્રમાં વ્યાપક વરસાદ વરસવાની આગાહી કરી છે. આ ઉપરાંત જામનગર, દ્વારકા, મોરબી અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત અને વલસાડમાં વ્યાપક વરસાદની આગાહી કરવામાં છે. બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર બનું રહ્યું છે. જેની અસર ગુજરાતમાં 26 ઓગષ્ટ પછી જોવા મળશે. રાજ્યમાં વરસેલા કુલ વરસાદની ટકાવારી 102 ટકા નોંધવામાં આવી છે. અત્યાર સુધીમાં 18 ટકા વધુ વરસાદ વરસ્યો છે.

કોંગ્રેસના હંગામી પ્રમુખપદે સોનિયા ગાંધી યથાવત્; આવતા વર્ષે વાત

નવી દિલ્હીઃ કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)ની વર્ચ્યુઅલ બેઠક આજે સાંજે અહીં સમાપ્ત થઈ. પક્ષનું નેતૃત્ત્વ બદલવું જોઈએ કે નહીં એ મુદ્દે સાત કલાક સુધી ચર્ચા બાદ સમિતિએ એવું ઠેરવ્યું કે સોનિયા ગાંધી જ હાલ પક્ષના વચગાળાના પ્રમુખપદે ચાલુ રહે અને નવા પ્રમુખની પસંદગી આવતા છ મહિનામાં કરવી.

CWC કોંગ્રેસ પાર્ટીની સર્વોચ્ચ નિર્ણાયક મંડળ છે. તેના સભ્યોએ આજે એ પણ નક્કી કર્યું કે સોનિયા ગાંધીને પક્ષની દૈનિક કામગીરી સંભાળવામાં મદદરૂપ થવા માટે એક સમિતિની રચના કરવી.

ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)નું સત્ર છ મહિનામાં બોલાવવું જેમાં આગળનો નિર્ણય લેવો એવું નક્કી કરવામાં આવ્યું છે.

સોનિયા ગાંધી પક્ષનું નેતૃત્ત્વ છોડી દેવા મક્કમ હતાં, પરંતુ આખરે તેઓ હોદ્દા પર ચાલુ રહેવા સંમત થયાં છે. મેરેથોન બેઠક બાદ એમણે કહ્યું કે કોંગ્રેસ એક પરિવાર છે અને હું કોઈની પણ વિરુદ્ધમાં નથી. પરંતુ, પક્ષના વરિષ્ઠ નેતાઓએ પક્ષના માત્ર આ મંડળમાં જ એમના સવાલો ઉઠાવવા જોઈએ.

પક્ષમાં નેતૃત્ત્વના મામલે કટોકટી આ મહિનાના આરંભમાં શરૂ થઈ હતી જ્યારે 23 નેતાઓએ એક સંયુક્ત પત્ર સોનિયા ગાંધીને લખ્યો હતો અને પક્ષમાં કેન્દ્રીય નેતૃત્ત્વ સહિત ધરખમપણે સુધારા-ફેરફારો કરવા જોઈએ એવી માગણી મૂકી હતી. પક્ષના ફૂલ-ટાઈમ પ્રમુખની વરણી થવી જોઈએ એવી તેમણે માગણી રજૂ કરી હતી.

આ પત્ર ઉપર ચર્ચા કરવા માટે સોનિયા ગાંધીએ આ સવારે 11 વાગ્યે CWCની બેઠક બોલાવી હતી.

23 નેતાઓમાં ત્રણ મુખ્ય અસંતુષ્ટ નેતા છે – ગુલામ નબી આઝાદ, કપિલ સિબ્બલ અને મુકુલ વાસનિક. જોકે બેઠકમાં આઝાદ, વાસનિક અને આનંદ શર્માએ સોનિયા ગાંધીનાં નેતૃત્ત્વની પ્રશંસા કરી હતી. ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ સહિત ઘણા નેતાઓએ સોનિયા ગાંધીને એમનાં પદ પર ચાલુ રહેવાની વિનંતી કરી હતી.

કહેવાય છે કે CWC બેઠકમાં પક્ષનાં ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ સોનિયા ગાંધીને પત્ર લખનાર નેતાઓની આકરી ઝાટકણી કાઢી હતી અને એવી શંકા વ્યક્ત કરી હતી કે પક્ષના નેતૃત્ત્વમાં ફેરફારની માગણીવાળો પત્ર ભાજપ સાથે સાંઠગાંઠમાં લખાયો છે. જોકે બાદમાં કોંગ્રેસ પાર્ટીએ જ આવા સમચારોને રદિયો આપ્યો હતો અને કહ્યું કે રાહુલ ગાંધી એવું કંઈ બોલ્યા નહોતા.

કપિલ સિબ્બલે પણ બાદમાં કહ્યું કે રાહુલ ગાંધીએ વાસ્તવમાં એમ કહ્યું હતું કે અમારામાંના કોઈને ભાજપ સાથે સાંઠગાંઠ નથી.

40 લાખના વાર્ષિક ટર્નઓવરવાળા વેપારીઓને GSTમાંથી રાહત  

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાપ્રધાન સ્વ. અરુણ જેટલીની આજે પહેલી પુણ્યતિથિ છે. ગયા વર્ષે 24 ઓગસ્ટે તેઓ આ ફાની દુનિયાને છોડી ગયા હતા. નાણાં મંત્રાલયે જેટલીની પહેલી પુણ્યતિથિ પર ટ્વીટ્સની એક શૃંખલા પોસ્ટ કરી હતી. અરુણ જેટલીનું દેશમાં અપ્રત્યક્ષ કર GST લાગુ કરવામાં મહત્ત્વનું યોગદાન રહ્યું છે. GSTમાં 17 સ્થાનિક કરવેરા સામેલ છે, જેને 1 જુલાઈ, 2017એ લાગુ કરવામાં આવ્યા હતા. જેટલીએ 2014 પછી મોદી સરકારના પહેલા કાર્યકાળ દરમ્યાન ફાઇનાન્સ પોર્ટફોલિયો સંભાળ્યો હતો.

GST હેઠળ ટેક્સ વસૂલાતમાં સતત સુધારો થઈ રહ્યો છે અને કરદાતાનો બેઝ આશરે બે ગણો થઈને 1.24 કરોડ થઈ ગયો છે. નાણાં મંત્રાલયના જણાવ્યા મુજબ GSTના એ દરોને ઓછા કરવામાં આવ્યા છે, જેના પર લોકોએ કરની ઓછી ચુકવણી કરવાની રહેશે. RNR (રેવન્યુ ન્યુટ્રલ રેટ) સમિતિ અનુસાર પહેલાં દેશમાં રેવન્યુ ન્યુટ્રલ રેટ 15.3 ટકા હતા, એની તુલનામાં રિઝર્વ બેન્કના અનુસાર વર્તમાનમાં વેટેડ GST રેટ માત્ર 11.6 ટકા છે.

હાઉસિંગ ક્ષેત્ર પર પાંચ ટકા સ્લેબમાં રાખવામાં આવ્યો છે. જ્યારે અફોર્ડેબલ હાઉસિંગ પર GST ઘટાડીને એક ટકા કરવામાં આવ્યો છે.

ટેક્સ પેયર્સનો બેઝ વધ્યો

નાણાં મંત્રાલયે કહ્યું હતું કે GST લાગુ થયા પછી ટેક્સપેયર્સનો બેઝ આશરે બે ગણો થઈ ગયો છે. જ્યારે GSTની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારે કરદાતાઓની સંખ્યા લગભગ 65 લાખ હતી, હવે કરદાતાનો આધાર 1.24 કરોડથી વધુ છે. અત્યાર સુધી 50 કરોડ રિટર્ન ઓનલાઇન ભરવામાં આવ્યાં છે અને 131 કરોડ ઈ-વે બિલ જનરેટ કરવામાં આવ્યાં છે.

230માંથી 200 ચીજવસ્તુઓ નીચલા સ્લેબમાં ટ્રાન્સફર

નાણાં મંત્રાલયનું કહેવું છે કે GST લાગુ થયા પછી મોટી સંખ્યામાં કરના દરોને નીચે લાવવામાં આવ્યા હતા. હવે 28 ટકાના દરો આશરે સંપૂર્ણ રીતે વ્યસનના ઉત્પાદનો અને લક્ઝરી ચીજવસ્તુઓ સુધી સીમિત છે. 28 ટકાના સ્લેબની કુલ 230 ચીજવસ્તુઓમાંથી આશરે 200 ચીજવસ્તુઓને નીચલા સ્લેબમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. દૈનિક ધોરણે કામ આવતી મોટા ભાગની ચીજવસ્તુઓ પર GST શૂન્ય અથવા પાંચ ટકા છે. હેર ઓઇલ, ટૂથપેસ્ટ અને સાબુ પર GST લાગુ થવા પહેલાં 29.3 ટકા હતો, જે હવે 18 ટકા છે.

ફ્રિજ, વોશિંગ મશીન, વેક્યુમ ક્લીનર, ફૂડ ગ્રાઇન્ડર્સ અને મિક્સર, વોટર હીટર, હેર ડ્રાયર અને 32 ઇંચ ટીવી વગેરે પહેલાં 31.3 ટકા હતી, હવે આ ચીજવસ્તુઓ 18 ટકાના GSTના સ્લેબમાં છે. ફિલ્મની ટિકિટ પર ટેક્સના દરો પહેલાં 35થી 110 ટકાની વચ્ચે હતી, જે હવે 12થી 18 ટકાના દરની વચ્ચે છે. રેસ્ટોરાં પર પાંચ ટકા GST લાગુ છે.

વાર્ષિક 40 લાખના ટર્નઓવર પર GSTમાંથી રાહત

નાણાં મંત્રાલયના જણાવ્યા પ્રમાણે 40 લાખ રૂપિયા સુધીના વાર્ષિક ટર્નઓવરવાળા વેપારીઓને GSTમાંથી છૂટ મળશે, પ્રારંભમાં આ મર્યાદા 20 લાખ રૂપિયા હતી. આ સિવાય 1.5 કરોડ રૂપિયા સુધીના ટર્નઓવરવાળા લોકો કોમ્પોઝિશન સ્કીમનો વિકલ્પ પસંદ કરી શકે છે અને માલસામાન પર માત્ર એક ટકો કર ચુકવણી કરી શકે છે.

કૃષિ ક્ષેત્રને પણ લાભ

કૃષિ ક્ષેત્રને GSTમાં પર્યાપ્ત રાહત આપવામાં આવી છે. કૃષિ ક્ષેત્રોનાં મશીનો પર કરના દરોને 15-18 ટકાથી ઘટાડીને 12 ટકા થઈ ગઈ છે. કેટલીક ચીજવસ્તુઓમાં આશરે આઠ ટકાથી ઘટાડીને પાંચ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે.

મુંબઈ મહાપાલિકાનો નવો પ્રયોગઃ દર્દીના અવાજ પરથી કરાશે કોરોનાની ચકાસણી

મુંબઈઃ કોરોના વાઈરસના કોઈ શંકાસ્પદ દર્દીના અવાજના નમૂના પરથી બીમારીનો તાગ મેળવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ ઈઝરાયલની એક વોઈસ ટેક કંપની સાથે કરાર કર્યો છે. વોકેલીસ હેલ્થ ઈઝરાયલની સ્ટાર્ટઅપ કંપની છે.

આ કંપની આવતા બુધવારથી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સોફ્ટવેર ટેક્નોલોજી મારફત દર્દીઓના અવાજના સેમ્પલ્સ લઈ ચકાસણી શરૂ કરશે.

કોવિડ-19 ગ્રસ્ત લોકોને ઓળખી કાઢવા માટે એક ડાયગ્નોસ્ટિક સાધન વિક્સાવવાના પ્રયાસ રૂપે વોકેલીસ હેલ્થ કંપની દુનિયાભરમાંથી લોકોના અવાજના નમૂના એકત્ર કરી રહી છે. આ કોન્સેપ્ટ નવો છે, પરંતુ અમેરિકા અને ઈઝરાયલ જેવા અનેક દેશો આનો ઉપયોગ કરી રહ્યા છે. 

મુંબઈના અતિરિક્ત મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાનીએ કહ્યું છે કે ગોરેગાંવ (પૂર્વ)સ્થિત NESCO જમ્બો કોવિડ કેન્દ્રો ખાતે 2000 જેટલા અત્યંત શંકાસ્પદ કોરોનાગ્રસ્ત દર્દીઓ હાજર થશે જ્યાં આગામી ત્રણ દિવસમાં વોકેલીસ હેલ્થના અધિકારીઓ એમના અવાજના સેમ્પલ્સ લેશે. આ પદ્ધતિનો ભારતમાં પહેલી જ વાર ઉપયોગ કરવામાં આવશે. વોઈસ બાયોમાર્કર્સ મશીન દ્વારા વ્યક્તિના અવાજનો નમૂનો લીધા બાદ વ્યક્તિમાં SARS-COV-2 કે નોવેલ કોરોના વાઈરસના લક્ષણ છે કે નહીં એની માત્ર 30 સેકંડમાં જ ખબર પડી જશે.

વિલે પારલે (વેસ્ટ)સ્થિત મહાપાલિકા સંચાલિત કૂપર હોસ્પિટલમાં એથિક્સ કમિટીના નિરીક્ષણ હેઠળ વોઈસ સેમ્પલ્સનો અભ્યાસ હાથ ધરાશે.

નાયર ડેન્ટલ હોસ્પિટલનાં ડીન અને નેસ્કો કોવિડ સેન્ટરનાં ઈન-ચાર્જ ડો. નીલમ આંદ્રાડેએ કહ્યું છે કે વોઈસ બાયોમાર્કર્સ મશીનનો ભારતમાં કોરોના દર્દીઓની પહેચાન માટે પહેલી જ વાર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભારતભરમાંથી 10 હજાર વોઈસ સેમ્પલ્સ ભેગા કરાશે. મુંબઈમાંથી 2000 સેમ્પલ્સ લેવાશે.

આના અભ્યાસ માટે ત્રણ ગ્રુપ પસંદ કરાયા છે – કોવિડ પોઝિટીવ, શંકાસ્પદ અને નેગેટિવ દર્દીઓ. અમે દર્દીઓને 50-70 આંકડા અવાજથી બોલાવીને એમના વોઈસ રેકોર્ડ કરીશું અને ત્યારબાદ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ઉપયોગ દ્વારા એનું પૃથક્કરણ કરાશે. જો કોઈ દર્દીનો ઓડિયો પોઈન્ટ 0.05 હોય તો એ કોવિડ પોઝિટીવ છે, પરંતુ જો તે 0.08થી વધારે હોય તો મતલબ એ કે આ અત્યંત ગંભીર કેસ છે અને એને તાત્કાલિક સારવારની જરૂર છે.

વોકેલીસ હેલ્થ દુનિયાભરમાં લોકોને અપીલ કરી રહી છે કે તેઓ એમના અવાજ કંપનીને દાન કરે. લોકો આ કંપનીની વેબસાઈટ પર જઈને પોતાનો અવાજ દાન કરી શકે છે. લોકોને રોગથી વહેલી તકે સાવચેત કરવાનો આ કંપનીના સંશોધકોનો હેતુ છે.

સોફ્ટવેર દર્દીના અવાજ પરથી એના શ્વસન પ્રભાવથી એનામાં વાઈરસના સંકેતોને ઓળખવાનું કામ કરે છે.

સલમાન, ઋતિક, શિલ્પાએ કર્યું ગણપતિ વિસર્જન…

બોલીવૂડ અભિનેતાઓ સલમાન ખાન અને ઋતિક રોશન તથા અભિનેત્રી શિલ્પા શેટ્ટી-કુંદ્રાએ ગણેશોત્સવ નિમિત્તે મુંબઈમાં પોતપોતાના નિવાસસ્થાને પધરાવેલા દોઢ દિવસના ગણપતિની મૂર્તિનું મહાપાલિકા દ્વારા ઘોષિત નિયમો અનુસાર 23 ઓગસ્ટ, રવિવારે વિસર્જન કર્યું હતું.