સલમાન, ઋતિક, શિલ્પાએ કર્યું ગણપતિ વિસર્જન…

બોલીવૂડ અભિનેતાઓ સલમાન ખાન અને ઋતિક રોશન તથા અભિનેત્રી શિલ્પા શેટ્ટી-કુંદ્રાએ ગણેશોત્સવ નિમિત્તે મુંબઈમાં પોતપોતાના નિવાસસ્થાને પધરાવેલા દોઢ દિવસના ગણપતિની મૂર્તિનું મહાપાલિકા દ્વારા ઘોષિત નિયમો અનુસાર 23 ઓગસ્ટ, રવિવારે વિસર્જન કર્યું હતું.