Home Blog Page 4677

પાસાની જોગવાઈઓમાં મહત્ત્વપૂર્ણ સુધારા કરાશેઃ રૂપાણી

અમદાવાદઃ રાજ્યમાં હવે સાયબર ક્રાઇમ આચરનારા, નાણાં ધીરધાર સામે ગેરકાયદે વ્યાજના હપતા વસૂલવા સહિત શારીરિક હિંસા તેમ જ ધમકી આપવી, જાતીય ગુનાઓ-જાતીય સતામણી જેવી અસામાજિક પ્રવૃત્તિઓ કરનારા ગુનેગારોને કડક સજા અપાવવા માટે પ્રિવેન્શન ઓફ એન્ટિ-સોશિયલ એક્ટિવિટીઝ (PASA-પાસા) એક્ટમાં સુધારાઓ કરવાનો સરકારે નિર્ધાર કર્યો છે.

મુખ્ય પ્રધાન  વિજયભાઈ રૂપાણીએ રાજ્યની શાંત અને સલામતીની આગવી ઓળખને જાળવી રાખવા અને વધુ આગળ ધપાવવાની નેમ સાથે પાસા કાયદામાં મહત્ત્વપૂર્ણ સુધારાઓ કરવાનો નિર્ણય લીધો છે.

 રાજ્યમાં પાસા ૧૯૮પથી અમલી

તેઓ પ્રવર્તમાન સાયબર ટેક્નોલોજીને લગતા ગુનાઓ સહિત જાતિય સતામણી જેવા ગુનાઓને કડક હાથે ડામી દેવા પાસા એક્ટમાં સુધારાના વટહુકમની દરખાસ્ત રાજ્ય પ્રધાનમંડળની આગામી કેબિનેટની બેઠકમાં મૂકવાના છે. રાજ્યમાં ૧૯૮પથી ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબત અધિનિયમ (પાસા) ૧૯૮પ અમલી છે.

પાસા કાયદાની જોગવાઈઓમાં આ સુધારો અમોઘ શસ્ત્ર

હવે આધુનિક બદલાતી ટેકનોલોજીમાં વિશ્વ સાથે ગુનાખોરીની પ્રવૃત્તિઓમાં પણ ટેક્નોલોજી આધારિત ગુનાઓ-સાયબર ક્રાઇમનું પ્રમાણ વધ્યું છે તેમ જ જાતીય સતામણીના ગુનાઓ પણ વધ્યા છે ત્યારે આ ગુનાઓને ડામવામાં પાસા કાયદાની જોગવાઈઓમાં આ સુધારો અમોઘ શસ્ત્ર બનશે.

પાસા કાયદામાં જે નવી જોગવાઈઓ

આ પાસા કાયદામાં જે નવી જોગવાઈઓ ઉમેરવામાં આવી છે તેમાં નાણાં ધીરધાર સંબંધી ગુનો કરનારાઓની અધિનિયમના પ્રકરણ–૯ હેઠળ શિક્ષાપાત્ર ગુનો કરનાર, ગુનાનો પ્રયત્ન કરનાર, તેમાં મદદગારી કરનાર, લોન અથવા તેના વ્યાજ અથવા તેના હપતા વસૂલવા અથવા લોનના વ્યવહાર સાથે સંકળાયેલા સ્થાવર કે જંગમ મિલકતનો કબજો લેવા હેતુથી શારીરિક હિંસાનો ઉપયોગ કરવો, કે એ માટે ધમકી આપવી, અથવા આવી વ્યક્તિ વતી કોઈ વ્યક્તિ પાસે કામ કરાવવાની બાબતનો પણ સજા પાત્ર જોગવાઈમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ગુનાઓનું પ્રમાણ ઘટાડવા અને મહિલાઓને સુરક્ષા આપવાની નેમ

રાજ્યમાં જાતીય ગુનાઓનું પ્રમાણ ઘટે અને મહિલાઓને વધુ સુરક્ષિત કરી શકાય એ આશયથી પાસાના કાયદાની  જોગવાઈઓને વિસ્તારવામાં આવી છે. ભારતીય ફોજદારી અધિનિયમ ૧૮૬૦ની વિવિધ કલમો તેમ જ પોક્સોના કાયદા હેઠળના શિક્ષાપાત્ર ગુનો કરે કે એવો પ્રયાસ કરે કે તેમાં મદદ કરે તેવી વ્યક્તિઓને હવે પાસા કાયદાની સજા કરવામાં આવશે.

પાસા હેઠળ કાર્યવાહી

આ અધિનિયમમાં સુધારો થવાથી જુગારની પ્રવૃતિ આચરનાર, સાયબર ગુનેગારો, વ્યાજખોરી તથા જાતીય સતામણીના ગુના જેવા ગુનેગારો સામે પાસાની કાર્યવાહી થઈ શકશે. આ અધિનિયમની હાલની જોગવાઈ પ્રમાણે ભારતીય દંડ સંહિતાના ચેપ્ટર-૧૬ અને ૧૭માં દર્શાવેલા ગુના આચરનાર સામે ભયજનક કેટેગરીમાં પાસાની કાર્યવાહી કરવામાં આવતી હતી. તેમાં હવે ચેપ્ટર-૮ અથવા ૧૬ (કલમ-૩૫૪, ૩૫૪ (એ), ૩૫૪ (બી), ૩૫૪ (સી),  ૩૫૪ (ડી), ૩૭૬, ૩૭૬ (એ), ૩૭૬ (બી), ૩૭૬ (સી), ૩૭૬ (ડી) અથવા ૩૭૭ના સિવાય અથવા ચેપ્ટર-૧૭ અથવા ચેપ્ટર-૨૨ના ગુનાઓ કરનાર સામે પણ પાસાની કાર્યવાહી શક્ય બનશે.

 

 

 

 

 

 

કોરોનાના 76,472 નવા કેસ, 1021નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 76,472 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1021 લોકોનાં મોત થયાં છે, દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 34,63,972 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 62,550 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 26,48,998 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 7,52,424 પહોંચી છે. રિકવરી રેટ વધીને 76.47 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.83 ટકા થયો છે. 

વેક્સિનની કિંમત 225થી 550 રૂપિયા

કોવિડ-19ની વેક્સિનનું પરીક્ષણ ઝડપથી આગળ વધી રહ્યું છે, દેશનાં બજારોમાં 2021ની શરૂઆતમાં એક સ્વીકૃત વેક્સિન થઈ જવાની આશા વધી રહી છે. અહેવાલ કહે છે કે વૈશ્વિક સ્તર પર ચાર સંભવિત વેક્સિન છે, જે 2020ના અંત અથવા 2021ની શરૂઆતમાં મંજૂરી મળી જવાની આશા છે.  દેશમાં વેક્સિનની કિંમત પ્રતિ ડોઝ ત્રણથી છ ડોલર (225થી 550 રૂપિયા) હોઈ શકે છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

‘બિગ બોસ’માં ભાગ લેવા માટે દિશા વાકાણીનો સંપર્ક સધાયો

મુંબઈઃ કલર્સ ચેનલ પર રિયલ્ટી શો ‘બિગ બોસ-14’ની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. ‘બિગ બોસ’ શો ચોથી ઓક્ટોબરથી પ્રસારિત થવાનો છે. મુંબઈમાં વરસાદ છતાં ‘બિગ બોસ’ શો માટેની તૈયારી પુરજોશથી ચાલી રહી છે. કેટલાય ટીવી સ્ટાર્સને ‘બિગ બોસ’ 14નો પ્રસ્તાવ મળ્યો છે. સબ ટીવીના સૌથી પોપ્યુલર શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં’ની ‘દયાબહેન’ ઉર્ફે દિશા વાકાણીને પણ ‘બિગ બોસ- 14’ માટે પ્રસ્તાવ મળ્યો છે.   

‘બિગ બોસ’માં ભાગ લેવા દિશા વાકાણીને ઓફર
પ્રાપ્ત અહેવાલો અનુસાર આ શોના પ્રોડ્યુસર ઇચ્છે છે કે દિશા વાકાણી પણ ‘બિગ બોસ’નો હિસ્સો બને. જોકે આ પ્રસ્તાવનો હજી સુધી દિશા વાકાણી પ્રત્યુત્તર નથી આપ્યો.

દિશાએ માતા બન્યા પછી શો છોડ્યો

અભિનેત્રી દિશા વાકાણીએ માતા બન્યા પછી કોમેડી શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં’ને અધવચ્ચે છોડ્યો હતો. બે વર્ષ પછી પણ દિશા વાકાણી ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં’ના સેટ પર પાછી નથી ફરી. ત્યાર પછી તેના ફેન્સને વિશ્વાસ થવા માંડ્યો કે દિશા વાકાણીએ આ કોમેડી સિરિયલને છોડી દીધી છે. જોકે દિશા આ શોમાં પરત ફરશે એવી ચર્ચા ચાલી રહી છે. દિશા વાકાણીએ ભલે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં’ સિરિયલ છોડી દીધી હોય, પણ પ્રશંસકોની વચ્ચે હજી પણ તે લોકપ્રિય છે અને લોકો તેને તેના ચરિત્ર ‘દયાબહેન’ માટે પ્રેમ કરે છે.

 

 

 

 

disha

BSE સ્ટાર્ટઅપ્સ પ્લેટફોર્મ પર છઠ્ઠી કંપની ટ્રેક્રિંગટોઝ.કોમ લિસ્ટ થઈ

મુંબઈ: BSE સ્ટાર્ટઅપ્સ પ્લેટફોર્મ પર વધુ એક કંપની ટ્રેકિંગટોઝ.કોમ લિસ્ટ થઈ છે. BSEના આ પ્લેટફોર્મ પર આ છઠ્ઠી કંપની લિસ્ટ થઈ છે.

ટ્રેકિંગટોઝ.કોમ લિમિટેડએ રૂ.10ની મૂળ કિંમતના 4,33,200 ઈક્વિટી શેર્સ રૂ.105ના ભાવે ઓફર કરી રૂ.454 લાખ એકત્રિત કર્યા હતા. કંપનીનો પબ્લિક ઈશ્યુ 20 ઓગસ્ટ, 2020ના રોજ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

ટ્રેકિંગટોઝ.કોમ રાજસ્થાન સ્થિત કંપની છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ જયપુરમાં છે. વર્ષ 2012માં સ્થપાયેલી આ કંપની ટ્રાવેલ અગ્રેગેટર પ્લેટફોર્મ ધરાવે છે અને ઓનલાઈન કેબ રેન્ટલ સર્વિસીસ ઓફર કરે છે.

BSE સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ પરથી કંપનીઓ અત્યાર સુધીમાં રૂ.26.8 કરોડ એકત્ર કરી ચૂકી છે જેનું માર્કટ કેપિટલાઈઝેશન અત્યારે રૂ.75.87 કરોડ છે. BSE અત્યારે સ્ટાર્ટઅપ્સનો સંપૂર્ણ બજાર હિસ્સો ધરાવે છે.

વાહ ભાઈ વાહ! ૨૯ ઓગસ્ટ, ૨૦૨૦

વાહ ભાઈ વાહ! ૨૯ ઓગસ્ટ, ૨૦૨૦

રાશિ ભવિષ્ય 29/08/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિકકામમાં મિલન મુલાકાત થઇ શકે, માંર્કેટિંગ ક્ષેત્રમાં પરિચિતકે જુનાસંપર્કમાં કામકાજ કરવામાં આવે તો સારું પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસ થઈ  શકે છે, વેપારમાં નાનું કામ કરવુ જ યોગ્ય છે ,વડીલવર્ગે બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું.


આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસ કરીને વાણી સયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે, ડાયાબીટીસના દર્દી એ થોડી તકેદારી રાખવી, વેપારમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવું, માર્કેટિંગક્ષેત્રમાં સમયનો દુર્વ્યય વધુ થાય.


આજનો દિવસ સામાન્ય છે, મન થોડું અશાંત  રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમાં  સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પુર્વાક્નુજ  કામ કરવુ  યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં શાંતિ રાખવી અને તેમના કામમાં સહકાર આપવો યોગ્ય છે.


આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈ જૂની ઓળખાણ તાજી થાય, વેપારના કામકાજમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે, તમને આજે થોડો ગુસ્સો કોઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું તેમજ  મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમી પરિબળથી દુર રહેવું સલાહભર્યું છે.


આજનો દિવસ સરસ છે તેમાં પણ તમારા ધાર્યાકામ થાય તેવા સંજોગો બની શકે છે, પ્રિયજનનો સાથ તમને કોઈ કામમાં જોવા પણ મળી શકે છે, યુવાવર્ગ માટે પોતાની પસંદગીની કોઈવાત ક્યાંક રજુ કરવાની હોય તેમાં પણ તક દેખાઈ શકે છે, વેપારના કામકાજમાં લાભ મળી શકે તેવા યોગ પણ છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું અને કોઈની સાથે ઉગ્રતાના થાયતે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગ ક્ષેત્રમાં કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે , વેપારમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસ પણ થઈ શકે છે, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવું પણ બની શકે છે, તમારી કરેલી મહેનતનું  ફળ સારું મળે, યુવાવર્ગને અન્યનો સાથસહકારકે માર્ગર્દર્શન સારું મળવાથી કામ પ્રત્યે ઉત્સાહ સારો જોવા મળે, વેપારમાં કોઈ લાભની વાત જાણવા મળે તેવા યોગ છે.


આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમાં દિવસ પસાર થઇ જાય, તમારા કામમાં થોડા વ્યસ્ત રહો તેવું પણ બની શકે છે, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામજ યોગ્ય છે, વડીલવર્ગને  માનસિકથાકની લાગણી વધુ લાગે તેવું બની શકે છે, ઉતાવળ અને ઉશ્કેરાટથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમાં તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમાં સારા કામકાજ કર્યાનો સંતોષ મળે, વેપારમાં નાનુંજ કામ કરવું યોગ્ય છે, ક્યાય કોઈની સાથે ગેરસમજના થાય તેબાબત તકેદારી રાખવી સારી કહી શક્ય.


આજનોદિવસ શાંતિ અને સાવચેતીમાં પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય  પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મક વિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો, કંઇક સારું શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમાં આયોજનબદ્ધ કામકરવાથી સારું પરિણામ મળી રહે, વેપારમાં અનુભવ મુજબ કામ કરવાથી કામ કર્યાનો સારો સંતોષ થાય.

૨૯ ઓગસ્ટ ૨૦૨૦

૨૯ ઓગસ્ટ ૨૦૨૦

પંચાંગ 29/08/2020

આખા દેશમાં ‘વીજ બિલ માફ’ના વાઇરલ ન્યૂઝ સદંતર ખોટા

નવી દિલ્હીઃ જો તમે પહેલી સપ્ટેમ્બરથી વીજળીનાં બિલ માફીને લઈને ન્યૂઝ વાંચ્યા છે અથવા સાંભળ્યા છે તો એ સંપૂર્ણ રીતે ખોટા છે. પાછલા કેટલાક દિવસોથી સોશિયલ મિડિયા પ્લેટફોર્મ યુટ્યુબ પર એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં દર્શાવવામાં આવી રહ્યું છે કે સરકાર વીજળીના બિલ માફી યોજના 2020 લાવી રહી છે. જેથી સપ્ટેમ્બરથી સંપૂર્ણ દેશમાં સૌનું વીજળીનાં બિલ માફ થશે. આને લઈને PIBએ FACT Check કરીને જણાવ્યું છે કે આ દાવો ખોટો છે.

DL NEWS નામની યુટ્યુબ ચેનલ પર એક વિડિયો બનાવવામાં આવ્યો છે, જેનું શીર્ષક છે- વીજળી બિલ માફી યોજના 2020 હેઠળ પહેલી સપ્ટેમ્બરથી સંપૂર્ણ દેશમાં બધાનુ વીજળી બિલ માફ થશે…આ લિસ્ટમાં તમારું નામ ઉમેરો. 26 ઓગસ્ટે અપલોડ કરવામાં આવેલો આ વિડિયો અત્યાર સુધી 4000થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. વીજળી બિલ માફી યોજનાને નામથી યુટ્યુબ પર આ પ્રકારના કેટલાય વિડિયો છે.

વાસ્તવિકતાની તપાસ

  • ઇન્ટરનેટ પર એવા કોઈ સમાચાર અમને નથી મળ્યા, જેનાથી વીજળી બિલ માફી થવાના દાવાની પુષ્ટિ થતી હોય.
  • કેન્દ્ર સરકારના વીજ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ પર અમને વીજળી બિલ માફ કરવાવાળા ન્યૂઝના કોઈ અપડેટ ના મળ્યા.
  • સરકારી એજન્સી PIB ફેક્ટ ચેકે ટ્વીટ કરીને સ્પષ્ટ કર્યું હતું કે સરકારે વીજ બિલ માફીની કોઈ ઘોષણા નથી કરી. સોશિયલ મિડિયા પર કરવામાં આવી રહેલો દાવો સંપૂર્ણ રીતે ખોટો છે.

 

કંગના રણૌત અભિનીત ‘તેજસ’ ફિલ્મનું શૂટિંગ ડિસેંબરથી શરૂ થશે

મુંબઈઃ કંગના રણૌત નવી હિન્દી ફિલ્મ ‘તેજસ’માં વીરાંગનાનાં રૂપમાં જોવા મળશે.  આ ફિલ્મ ભારતીય હવાઈ દળના યુદ્ધવિમાન ‘તેજસ’ વિશેની છે. ફિલ્મનું શૂટિંગ આ વર્ષના ડિસેંબરથી શરૂ કરાશે.

કંગના આ ફિલ્મમાં ફાઈટર પાઈલટનો રોલ કરી રહી છે.

કંગનાએ કહ્યું છે કે, ‘એર ફોર્સની પાઈલટનો રોલ કરવાનું મને સદ્દભાગ્ય સાંપડ્યું છે. પોતાની ફરજના રૂપમાં પ્રત્યેક દિવસ બલિદાન આપનાર દેશના બહાદુર પુરુષ અને મહિલા જવાનોનાં શૌર્યને બિરદાવતી આ ફિલ્મનો હું એક હિસ્સો બની છું એ બદલ હું ગર્વની લાગણી મહેસુસ કરી રહી છું.’

કંગનાએ જ પોતાનાં ટ્વિટર હેન્ડલ પર આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું છે અને ફિલ્મનું શૂટિંગ ડિસેંબરમાં શરૂ થવાની જાણકારી આપી છે. પોસ્ટરમાં પણ એરફોર્સની ફાઈટર પાઈલટનાં ગણવેશમાં કંગનાનો વટ પડે છે.

ફિલ્મના નિર્માતા રોની સ્ક્રૂવાલા છે. પટકથા લેખક અને દિગ્દર્શક સર્વેશ મેવાડા છે.

ફિલ્મ 2021ના એપ્રિલમાં રિલીઝ કરવાનું નિર્ધારિત છે.

દિગ્દર્શક મેવાડાએ કહ્યું કે, ‘અમે આપણા સશસ્ત્ર દળોને બિરદાવીએ છીએ અને મને આશા છે કે આ ફિલ્મના માધ્યમથી દેશભક્તિ અને રાષ્ટ્રવાદનો જુસ્સો ફેલાશે. કંગના રણૌત વાસ્તવિક જીવનમાં એક બહાદુર સ્ત્રી છે અને એની બોલવાની છટા પણ આપણા દેશના યુવાઓને પ્રભાવિત કરનારી છે. અમે એની સાથે શૂટિંગ શરૂ કરવા આતુર છીએ.’