Home Blog Page 4648

પંચાંગ 20/09/2020

(મયંક રાવલ)

સંસદનું ચોમાસુ સત્ર સમય પહેલાં આટોપી લેવાય એવી શક્યતા

નવી દિલ્હીઃ કોરોનાના પ્રકોપને લીધે સંસદનું મોન્સુન સત્ર એક ઓક્ટોબર પહેલાં પૂરું કરવા પર વિચાર થઈ રહ્યો છે. જોકે આ વિશે કોઈ અંતિમ નિર્ણય લેવામાં નથી આવ્યો. સરકાર અને વિપક્ષમાં આ વિશે ચર્ચા થઈ છે. બે પ્રધાનો અને એક ભાજપ સંસદસભ્ય સત્ર દરમ્યાન કોરોના સંક્રમિત થયા પછી ચોમાસુ સત્રને સમય પહેલાં પૂરું કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. સત્ર મંગળવાર અથવા બુધવારે પૂરું થાય

સંસદનું જારી સત્ર આગામી સપ્તાહમાં મંગળવાર અથવા બુધવારે પૂરું થાય એવી શક્યતા છે. ભાજપના સંસદસભ્ય વિનય સહસ્રબુદ્ધેએ રાજ્યસભામાં ભાષણ આપ્યું હતું. ત્યાર બાદ તેઓ કોરોના સંક્રમિત હોવાનું માલૂમ પડ્યું હતું. જોકે સત્ર શરૂ થવા પહેલાં કરવામાં આવેલી તપાસમાં તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આ જ રીતે નીતિન ગડકરી અને પ્રહલાદ પટેલ પણ કોરોના પોઝિટિવ થયા છે.

નીતિન ગડકરી કોરોના સંક્રમિત

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ બુધવારે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે તેઓ કોરોના સંક્રમિત થયા છે. એ પહેલાં ગૃહપ્રધાન અમિત શાહ સહિત કેટલાય કેન્દ્રીય પ્રધાન સંસદસભ્ય કોવિડ-19ની ચપેટમાં આવી ગયા છે. નીતિન ગડકરીએ લખ્યું હતું કે હું નબળાઈ અનુભવી રહ્યો છું અને ડોક્ટરથી સલાહ લીધી છે. મારા ચેકઅપ દરમ્યાન હું કોરોના સંક્રમિત થયો હોવાનું માલૂમ પડ્યું હતું. તમારા બધાના આશીર્વાદ અને શુભકામનાઓથી હું હાલ સ્વસ્થ છું. મેં મારી જાતને આઇસોલેટ કરી લીધી છે.

11 વટહુકમોને વિધેયક તરીકે પસાર કરી લેવાની ઇચ્છા

સંસદનું મોન્સુન સત્ર 14 સપ્ટેમ્બરથી શરૂ થયું હતું. સત્રના પહેલા દિવસે લોકસભાની બેઠક સવારે નવ કલાકથી બપોરે એક કલાક સુધી થઈ. ત્યાર બાદ બપોરે ત્રણ કલાકથી સાંજે સાત કલાક સુધી બેઠક થતી રહી. આ સત્રમાં શનિવારે અને રવિવારે રજા નહીં હોય. મોન્સુન સત્ર 14 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી થવાનું છે, જેમાં સરકાર બધા પક્ષોને વિશ્વાસમાં લેવા સિવાય 11 વટહુકમોને વિધેયક તરીકે પસાર કરી લેવા ઇચ્છે છે. લોકસભાએ કૃષિ સંબંધિત ત્રણ વિધેયકોને પસાર કરી દીધા છે. આ વિધેયકો વટહુકમોને સ્થાને લાવવામાં આવ્યા હતા. આ સિવાય સંસદસભ્યોના વેતનકાપથી સંબંધિત વટહુકમને પણ સંસદની મંજૂરી મળી ગઈ છે.

 

 

 

UPમાં સૌથી મોટી ફિલ્મ સિટી બનશેઃ CM યોગી આદિત્યનાથ

નવી દિલ્હીઃ ફિલ્મઉદ્યોગ આજકાલ બહુ ચર્ચાના ચકડોળે છે, હાલમાં રવિ કિશને બોલિવુડમાં ડ્રગ્સ સેવનનો મામલો સંસદમાં ઉઠાવ્યો હતો. એ પછી જયા બચ્ચને સંસદમાં કહ્યું હતું કે જે થાળીમાં ખાઓ, એ થાળીમાં છેદ ના કરો. બીજી બાજુ, કંગના રણોત મહારાષ્ટ્ર સરકાર વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. આવામાં ફિલ્મ ઉદ્યોગ માટે સારા સમાચાર છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પ્રદેશમાં સૌથી મોટી ફિલ્મ સિટી બનાવવાની ઘોષણા કરી હતી. એના પર બોલિવુડ એક્ટ્રેસ કંગના રણૌતની પ્રતિક્રિયા સામે આવી છે. તેણે એક પછી એક ટ્વીટ કરીને ઘણું બધું કહ્યું છે.

મનોજ તિવારીની પ્રતિક્રિયા

દિલ્હીના ભાજપના સંસદસભ્ય અને ફિલ્મ અભિનેતા મનોજ તિવારીએ યમુના ઓથોરિટી પાસે યુપી સરકારને નોએડામાં ફિલ્મ સિટી બનાવવાનો પ્રસ્તાવ આપવા કહ્યું છે કે જો નોએડામાં ફિલ્મ સિટી બને તો એનાથી ઘણો વિકાસ થાય. બે અલગ-અલગ ગ્રુપો સોશિયલ મિડિયા પર એકમેક સામે બાથ ભીડી રહ્યા છે. ફિલ્મ સિટી બનશે તો ત્યાં બધા પ્રકારની સુવિધા હોય. પછી એ રેકોર્ડિંગની હોય અથવા એડિટિંગની હોય. આનાથી મુંબઈ જેવી ફિલ્મ સિટી યુપીમાં થઈ જશે.
કંગના રણોતે પ્રતિક્રિયા આપી

અભિનેત્રી કંગના રણોતે આ વાત ટ્વીટ કરતાં કહ્યું હતું કે હું યોગી આદિત્યનાથની આ ઘોષણાની સરાહના કરું છું. અમને ફિલ્મ ઉદ્યોગમાં કેટલાય સુધારાઓની આવશ્યક્તા છે. સૌથી પહેલાં અમને એક મોટા ફિલ્મ ઉદ્યોગની આવશ્યકતા છે.

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે આપી પ્રતિક્રિયા

મશહૂર કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે વિડિયો જારી કરીને કહ્યું હતું કે હું યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનો અભિનંદન આપું છું, કેમ કે તેમણે ફિલ્મ સિટી બનાવવાની માગ સ્વીકારી લીધી. કેટલાય અભિનેતાઓની ઇચ્છા હતી કે યુપીમાં એક ફિલ્મ સિટી બને અને એ સપનું હવે સાકાર થવા જઈ રહ્યું છે. એનાથી કમસે કમ એક લાખ લોકોને રોજગારી મળશે.

અનુપ જલોટાએ પણ પ્રતિક્રિયા આપી

ભજન ગાયક અનુપ જલોટાએ વિડિયો જારી કરીને કહ્યું હતું કે યોગીજી ધન્યવાદ આપવા ઇચ્છું છું અને શુભેચ્છાઓ પણ આપવા ઇચ્છું છું કે તમે યુપીમાં ફિલ્મ સિટી બનાવવાનો નિર્ણય લીધો. ઉત્તર પ્રદેશે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને બહુ યોગદાન આપ્યું છે.

 

રાજ્યમાં કોવિડ-19થી 38 ડોક્ટરોનાં મોતઃ IMAની વળતર આપવા માગ

અમદાવાદઃ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA)એ કેન્દ્ર સરકારના એ નિવેદન પર નારાજગી દર્શાવી હતી કે સરકારે સંસદમાં કહ્યું હતું કે કોરોના રોગચાળાને કારણે દેશમાં કેટલા ડોક્ટરોનાં મોત થયા છે અને એના વાઇરસથી કેટલો મેડિકલ સ્ટાફ સંક્રમિત થયો છે એનો ડેટા નથી. IMAએ કહ્યું હતું કે દેશમાં કોવિડ-19એ 382 ડોક્ટર્સનાં મોત થયાં છે.દેશમાં ગુજરાત ડોક્ટરોના મોત મામલે ત્રીજા ક્રમે છે.

તામિકનાડુમાં 61, આંધ્ર પ્રદેશમાં 41, ગુજરાતમાં 38, મહારાષ્ટ્રમાં 36 અને કર્ણાટકમાં 35 ડોક્ટરોનાં મોત થયાં છે. ગુજરાતમાં 38 ડોક્ટરો પૈકી 16 ડોક્ટરોના અમદાવાદ અને સુરતમાં છ ડોક્ટરોનાં મોત થયાં છે. આ બધા ડોક્ટર્સ પ્રાઇવેટ પ્રેક્ટિસર્નર્સ હતા. આ ડોક્ટરો સામાન્ય નાગરિકો કરતાં ચાર ગણા વધુ સંક્રમિત હતા અને ખાનગી ડોક્ટરોનો મૃત્યુદર આઠ ગણો વધુ હતો.

જે ડોક્ટરોના મોત કોવિડ-19ને લીધે થયાં છે, IMAએ આ ડોક્ટરો માટે શહીદનો દરજ્જો માગ્યો છે અને વળતર પણ આપવા માગ કરી છે. IMAએ વધુમાં કહ્યું હતું કે આ પ્રકારનો ડેટા દેશભરમાં પેરામેડિક્સનો એકત્ર કરવામાં આવશે.

IMAની ચાર મુખ્ય માગો છે.

  1. સરકાર કોરોનાથી માર્યા ગયેલા ડોક્ટર્સને શહીદનો દરજ્જો આપે
  2. દેશની સરકાર તેમના પરિવારને સાંત્વના અને વળતર આપે
  3. સરકાર નર્સો અને અન્ય હેલ્થકેર વોરિયર્સનો પણ ડેટા એકત્ર કરે
  4. વડા પ્રધાન ઉચિત સમજે તો અમારા રાષ્ટ્રીય અધ્યક્ષને બોલાવે અને તેમની ચિંતાઓ સમજે અને સૂચનો લે.

 

 

 

NIAએ અલ કાયદાના નવ આતંકવાદીઓની ધરપકડ કરી

નવી દિલ્હીઃ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ આજે સવારે પાડેલા દરોડામાં મોટી કાર્યવાહી કરી છે. NIAએ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ અને કેરળના એર્નાકુલમમાં કેટલાંક સ્થળે દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમ્યાન પાકિસ્તાની આતંકવાદી સંગઠન અલ કાયદાથી જોડાયેલા નવ આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ દરોડામાં NIAએ પશ્ચિમ બંગાળથી છ અને કેરળથી ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી છે.

આ આતંકવાદીઓ પાસેથી ડિજિટલ ઉપકરણ, દસ્તાવેજ , જેહાદી સાહિત્ય, ધારદાર હથિયાર, દેશી હથિયાર અને ઘરેમાં વિસ્ફોટક ઉપકરણ બનાવવા સંબંધિત કાગળિયાં સહિત ભારે માત્રામાં આપત્તિજનક સામગ્રી મળી આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર NIAને પશ્ચિમ બંગાળ અને કેરળ સહિત દેશના વિવિધ ભાગોમાં અલ કાયદાના આંતરરાજ્ય મોડ્યુલ વિશે માલૂમ પડ્યું હતું. આ ગ્રુપ નિર્દોષ લોકોના જીવ લેવાના ઉદ્દેશથી ભારતમાં મહત્ત્વનાં સ્થાનો પર આતંકવાદી હુમલા કરવા માટે ષડયંત્ર રચી રહ્યા હતા.

NIAએ જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસ મુજબ આ લોકોએ સોશિયલ મિડિયા પર પાકિસ્તાન સ્થિત અલ કાયદા આતંકવાદીઓ દ્વારા કટ્ટરપંથી બનાવવામાં આવ્યા હતા. એ સાથે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર સહિત કેટલાંક સ્થાનો પર હુમલા કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ ઉદ્દેશ માટે મોડ્યુલ સક્રિય રૂપે નાણાં એકત્ર કરવામાં લાગેલાં હતાં અને હથિયાર તથા ગોળાબારુદ ખરીદવા માટેની ગેંગના કુછ સભ્યો દિલ્હી જવાની યોજના બનાવી રહ્યા હતા.

NIA આ આતંકવાદીઓની પોલીસ કસ્ટડી લેવા અને વધુ તપાસ કરવા માટે એને કેરળ અને પશ્ચિમ બંગાળમાં કોર્ટ સમક્ષ રજૂ કરશે.

NIA દ્વારા ધરપકડ કરવામાં આવેલા આતંકવાદીઓનાં નામ મુર્શીદ હસન, યાકુલ વિશ્વાસ, મોર્શફ હુસૈન, નજમૂસ શાકિબ, અબુ સુફિયાન, મેનુલ મંડલ, લિયુ યિન અહમદ, અલ મામૂન કમાલ અને અતિતૂર રહમાન છે.

 

 

કોરોનાના 93,337 નવા કેસઃ દેશના GDPમાં દ્વિઅંકી ઘટાડો થવાની સંભાવના

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 52 લાખને પાર થયા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 93,337 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1225 લોકોનાં મોત થયાં છે. દેશમાં સતત 18 દિવસથી પ્રત્યેક દિવસે 1000થી વધુ લોકોનાં મોત થઈ રહ્યાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 53,08,015 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 85,619 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 42,08,431 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 10,13,964 પહોંચી છે. રિકવરી રેટ વધીને 78.64 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.63 ટકા થયો છે.

દેશના GDPમાં દ્વિઅંકી ઘટાડો થવાની સંભાવના

ભારતમાં  હવે કોરોના વાઇરસના દિન-પ્રતિદિન 90,000થી વધુ કેસ આવી રહ્યા છે. અર્થશાસ્ત્રી અને ADB જેવી વૈશ્વિક સંસ્થાઓએ GDP ગ્રોથનું અનુમાન ઘટાડી દીધું છે. ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં દેશનો GDP 24 ટકા ઘટ્યોછે.  ત્યાર બાદ કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. ગોલ્ડમેન સાક્સે ભારતનો GDPનો અંદાજ 15 ટકા નેગેટિવ રહેવાનો લગાવ્યો છે. ADB પણ ભારતનો GDP નવ ટકા ઘટવાની સંભાવના વ્યક્ત કરી છે. જ્યારે ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટે દેશનો GDP 10 ટકાથી વધુ ઘટવાનો અંદાજ માંડ્યો છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

પાકિસ્તાને ગુજરાતના 56 માછીમારોને પકડ્યા, 10 બોટ જપ્ત

 અમદાવાદઃ પાકિસ્તાને ગુજરાત પાસેની આંતરરાષ્ટ્રીય જળ સીમાને પાર કરવા બદલ 56 ભારતીય માછીમારોને પકડ્યા છે. પાકિસ્તાની મેરિટાઇમ સિક્યોરિટી એજન્સી (PMSA) એ માછીમારોની બોટ જપ્ત કરી લીધી છે. આ બોટો પાકિસ્તાની મેરિટાઇમ અને વેરાવળની બતાવવામાં આવી રહી છે. આ બધા માછીમારોને કરાચી લઈ જવામાં આવ્યા છે.

ગુજરાતના માછીમારો માછલી પકડવાની લાલચમાં વારંવાર આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમા રેખા (IMBL)ને પાર કરીને પાકિસ્તાનની સીમામાં પહોંચી જાય છે.

કોરોના કાળમાં આવું પહેલી વાર એવું થયું છે, જ્યારે પાકિસ્તાન દ્વારા ભારતીય માછીમારોને પકડવામાં આવ્યા હોય. આ પહેલાં ફેબ્રુઆરીમાં પાકે ત્રણ બોટ સાથે 17 ભારતીય માછીમારોનું અપહરણ કર્યું હતું. ત્યારે એક સપ્તાહમાં એ અપહરણની ત્રીજી ઘટના હતી.આ પહેલાં જાન્યુઆરીમાં રાજ્ય સરકારે કહ્યું હતું કે પાકિસ્તાનના કબજામાં ગુજરાતના માછીમારોને જલદી પરત લાવવાના પ્રયાસ કરવામાં આવશે. ગુજરાતનો સમુદ્રકિનારો પાકિસ્તાથી જોડાયેલો છે. એટલા માટે એ વધુ સંવેદનશીલ છે.

 

 

વાહ ભાઈ વાહ! ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૦

વાહ ભાઈ વાહ! ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૦

રાશિ ભવિષ્ય 19/09/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિકકામમાં મિલન મુલાકાત થઇ શકે, માંર્કેટિંગ ક્ષેત્રમાં પરિચિતકે જુનાસંપર્કમાં કામકાજ કરવામાં આવે તો સારું પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસ થઈ  શકે છે, વેપારમાં નાનું કામ કરવુ જ યોગ્ય છે ,વડીલવર્ગે બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું.


આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસ કરીને વાણી સયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે, ડાયાબીટીસના દર્દી એ થોડી તકેદારી રાખવી, વેપારમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવું, માર્કેટિંગક્ષેત્રમાં સમયનો દુર્વ્યય વધુ થાય.


આજનો દિવસ સામાન્ય છે, મન થોડું અશાંત  રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમાં  સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પુર્વાક્નુજ  કામ કરવુ  યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં શાંતિ રાખવી અને તેમના કામમાં સહકાર આપવો યોગ્ય છે.


આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈ જૂની ઓળખાણ તાજી થાય, વેપારના કામકાજમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે, તમને આજે થોડો ગુસ્સો કોઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું તેમજ  મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમી પરિબળથી દુર રહેવું સલાહભર્યું છે.


આજનો દિવસ સરસ છે તેમાં પણ તમારા ધાર્યાકામ થાય તેવા સંજોગો બની શકે છે, પ્રિયજનનો સાથ તમને કોઈ કામમાં જોવા પણ મળી શકે છે, યુવાવર્ગ માટે પોતાની પસંદગીની કોઈવાત ક્યાંક રજુ કરવાની હોય તેમાં પણ તક દેખાઈ શકે છે, વેપારના કામકાજમાં લાભ મળી શકે તેવા યોગ પણ છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું અને કોઈની સાથે ઉગ્રતાના થાયતે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગ ક્ષેત્રમાં કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે , વેપારમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસ પણ થઈ શકે છે, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવું પણ બની શકે છે, તમારી કરેલી મહેનતનું  ફળ સારું મળે, યુવાવર્ગને અન્યનો સાથસહકારકે માર્ગર્દર્શન સારું મળવાથી કામ પ્રત્યે ઉત્સાહ સારો જોવા મળે, વેપારમાં કોઈ લાભની વાત જાણવા મળે તેવા યોગ છે.


આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમાં દિવસ પસાર થઇ જાય, તમારા કામમાં થોડા વ્યસ્ત રહો તેવું પણ બની શકે છે, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામજ યોગ્ય છે, વડીલવર્ગને  માનસિકથાકની લાગણી વધુ લાગે તેવું બની શકે છે, ઉતાવળ અને ઉશ્કેરાટથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમાં તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમાં સારા કામકાજ કર્યાનો સંતોષ મળે, વેપારમાં નાનુંજ કામ કરવું યોગ્ય છે, ક્યાય કોઈની સાથે ગેરસમજના થાય તેબાબત તકેદારી રાખવી સારી કહી શક્ય.


આજનોદિવસ શાંતિ અને સાવચેતીમાં પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય  પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મક વિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો, કંઇક સારું શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમાં આયોજનબદ્ધ કામકરવાથી સારું પરિણામ મળી રહે, વેપારમાં અનુભવ મુજબ કામ કરવાથી કામ કર્યાનો સારો સંતોષ થાય.

૧૯ સપ્ટેમ્બર ૨૦૨૦

૧૯ સપ્ટેમ્બર ૨૦૨૦