Home Blog Page 4647

પ્રિયંકા ગાંધીએ સીએએનો વિરોધ કરવા અપનાવી આ નવી રીત

લખનૌ: વિપક્ષી નેતાઓ નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ માટે નવી નવી રીતો અપનાવી રહ્યા છે. હવે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ એક અલગ રીતે ઝૂંબેશ શરુ કરી છે. પ્રિયંકા દ્વારા પાર્ટીના નેતાઓને નવા વર્ષના અવસરે મોકલવામાં આવતા શુભેચ્છા સંદેશની સાથે સંવિધાનની પ્રસ્તાવના પણ મોકલવામાં આવી રહી છે.

જાણકારી અનુસાર, પ્રિયંકાએ યુપી કોંગ્રેસના લગભગ 3000 કર્યકર્તાઓ, પાર્ટી વિધાયકો અને બુદ્ધિજીવિઓને નવા વર્ષના ઉપલક્ષ્યમાં શુભેચ્છા સંદેશ મોકલયા છે. આ શુભેચ્છા સંદેશની સાથે પ્રિયંકાએ સંવિધાનની પ્રસ્તાવના પણ મોકલી છે. સોશિયલ મીડિયા પર પ્રિયંકાનો આ ખાસ શુભેચ્છા સંદેશ ચર્ચાનો વિષય બન્યો છે.

મહત્વનું છે કે, છેલ્લા થોડા સમયથી પ્રિયંકા રાજનીતિમા ઘણી સક્રિય છે. શનિવારે તે મુઝફ્ફરનગરમાં નાગરિકતા સંશોધન કાયદાની વિરોધમાં પ્રદર્શન દરમ્યાન થયેલી હિંસામાં માર્યા ગયેલા નૂરાના પરિવારને મળી અને તેમનો સ્થિતિ અંગે જાણકારી મેળવી. પ્રિયંકાની સાથે કોંગ્રેસના નેતા ઈમરાન મસૂદ અને પંકજ મલિક પણ નૂરાના ઘરે પહોંચ્યા હતાય નૂરાનું હિંસા દરમ્યાન 20 ડિસેમ્બરે મોત થયું હતું.

આ ઉપરાંત પ્રિયંકાએ હિંસા દરમ્યાન ઘાયલ થયેલા મોલાના અસદ હુસેની સાથે પણ મુલાકાત કરી. આ પહેલા પ્રિયંકાએ પ્રદર્શન દરમ્યાન થયેલી હિંસમાં માર્યા ગયેલા પરિવારોને પત્ર લખીને દરેક સ્તર પર સાથ આપવાની વાત કહી હતી.

ફલાવર શો 2020

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રતિ વર્ષ યોજાતા ‘ફ્લાવર શો-૨૦૨૦’ને રિવરફ્રંટ ખાતે ખુલ્લો મુક્યો હતો.

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગટર અને પાણીની વ્યવસ્થાની સાથે સાથે લોકોના મનોરંજન માટે કાંકરિયા કાર્નિવલ, બુક ફેર, અને હવે ફ્લાવર-શો જેવા વિવિધ આયોજન કરે છે તે સર્વગ્રાહી નગર સુખકારીનું એક  આવકારદાયક પગલું છે.

વિવિધ થીમ પર દેશ-વિદેશના લાખો ફૂલોનો આ ફ્લાવર શો આહલાદક ઠંડીમાં નગરજનોના મનોરંજનનું નવું સરનામું બની રહ્યો છે. પ્રતિ વર્ષ આ ફ્લાવર શો જોવા માટે નગરજનો ઉમટી પડે છે.

ફ્લાવર શોના મુખ્ય આકર્ષણોમાં આ વખતે ગાંધીજીની ૧૫૦ મી જન્મ જ્યંતિ ઉજવણી અંતર્ગત ગાંધીજીના જીવન ચરિત્રની ઝાંખી કરાવતા વિવિધ પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે. મેલેરિયા જાગૃતિ અભિયાન અંતર્ગત એડિસ મચ્છરની લાઇફ સાયકલ અને તેના ઉત્પત્તિ સ્થળોની પ્રતિકૃતિઓ, સંજીવની પર્વત સાથેના હનુમાનજીની પ્રતિકૃતિ તેમજ વિવિધ આયુર્વેદિક વનસ્પતિઓની પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે.

૪ જાન્યુઆરી થી ૧૯ જાન્યુઆરી સુધી ફ્લાવર ગાર્ડન, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જાહેર જનતા માટે ખુલ્લો રહેશે.

ફ્લાવર શોમાં ઓર્કિડ, રેનેક્યુલસ, લીલીયમ, પીટુનિયા, ડાયન્થસ જેવા જુદી-જુદી વેરાયટીના ૭૫૦ થી વધુ જાતોના ૧૦ લાખથી વધુ રોપા દ્વારા તૈયાર કરાયેલ ફુલ-છોડની પ્રદર્શની, વિવિધ ફુલોમાંથી બનાવેલ મોરની પ્રતિકૃતિ સાથેનો આકર્ષક પ્રવેશ દ્વાર પર બનાવવામાં આવ્યો છે.

ગ્રીન અમદાવાદની થીમને સાર્થક કરતી ૨૦૦ ફૂટ લાંબી ગ્રીન વોલ, સ્પોર્ટ્સ થીમ પર વિવિધ રમત-ગમતના સ્કલ્પચર તેમજ ફાયર વિભાગના જુદા-જુદા સાધનોને ફુલોથી શણગારી તેનું પ્રદર્શન પણ આ ફ્લોવાર શોમાં પ્રદર્શિત કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત સેવ વોટરના સંદેશ આપતા સ્કલ્પચર અને રી-યુઝ થીમ આધારિત જૂના ટાયરમાંથી બનાવેલ ફ્લાવર વોલ, અશોક સ્તંભની પ્રતિકૃતિ, બટર ફ્લાય ડિઝાઇન ઘરાવતી બેઠક વ્યવસ્થા, હિપ્પોપોટેમસ અને ડ્રેગન જેવા વિશાળકાય પ્રાણીઓના સ્કલ્પચર, મુલાકાતીઓમાં માટે વિવિધ થીમ આધારિત સેલ્ફી પોઇન્ટ્સ અને વોલ પણ ફ્લાવર શોમાં મુકવામાં આવ્યા છે.

આ વખતે સૌ પ્રથમ વખત ફ્લવાર શો-૨૦૨૦માં શહેરીજનો માટે મોબાઇલ એપ્લિકેશન, ‘શો માય પાર્કિંગ’ આધારિત સ્માર્ટ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે તથા પાર્કિંગ સ્થળેથી ફ્લાવર શોના સ્થળ સુધી પહોંચવા માટે વિનામુલ્યે ઇલેક્ટ્રીક બસની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. મોબાઇલ એપ્લિકેશનથી મુલાકાતીઓ ફ્લાવર શોના સ્થળે જુદી-જુદી જગ્યાએ આવેલ પાર્કિંગ સ્થળોની વિગત તથા તે સ્થળોએ ચોક્કસ સમયે ૨ વ્હિલર, ૩ વ્હિલર તેમજ ૪ વ્હિલર માટે પાર્કિંગની કુલ કેટલી જગ્યા બાકી છે તે જાણી શકશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દરેક સિટી સિવીક સેન્ટરો પરથી ફ્લવાર શોની પ્રવેશ ટિકિટી મેળવી શકાશે. અમદાવાદ ફ્લાવર શોમાં પ્રવેશ મેળવવા માટે ૧૨ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓની સોમવારથી શુક્રવાર દરમિયાન પ્રવેશ ફી રૂ. ૨૦ રહેશે. જ્યારે સિનિયર સિટીઝનને વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. તેમજ શનિવાર અને રવિવારના રોજ તમામ વ્યક્તિઓ માટે પ્રવેશ ફી રૂ.૫૦ રાખવામાં આવી છે.

નનકાના સાહિબ ગુરુદ્વારા પર પથ્થરમારા મુદ્દે રાજકારણ શરુ

નવી દિલ્હી: પાકિસ્તાનમાં શીખોનો પવિત્ર સ્થળ નનકાના સાહિબ ગુરુદ્વારા પર પથ્થરમારો અને શીખો પર થયેલા હુમલાને લઈને ભારતમાં રાજનીતિ શરુ થઈ ગઈ છે. નાગરિકતા કાયદાને લઈને કોંગ્રેસના વિરોધનો સામનો કરી રહેલી  ભાજપને પાકિસ્તામાં થયેલી આ ઘટનાએ પલટવાર કરવાનું હથિયાર આપી દીધું છે. શનિવારે ભાજપની સાથે પંજાબમાં તેમના સહયોગી અકાલી દળે કોંગ્રેસને નાગરિકતા કાયદાના વિરોધ મુદ્દે ઘેરી. ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, આ ઘટનાથી જાણવા મળ્યું કે, દેશમાં નાગરિકતા કાયદાની જરુર છે. અકાલી દળની નેતા અને કેબિનેટ મંત્રી હરસિમરત કૌર બાદલે પણ કોંગ્રેસ પર હુમલો કર્યો. નનકાના સાહિબમાં થયેલા પથ્થરમારાનો ઉલ્લેખ કરતા હરસિમરત કૌરે કહ્યું કે, પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોનું ઉત્પીડન એક હકીકત છે.

પાકિસ્તાનની આ ઘટનાને લઈને ભારતના શીખ સમુદાયમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. શીખોએ નનકાના હુમલાના વિરોધમાં શનિવાર બપોરે દિલ્હી અને જમ્મુમાં પ્રદર્શન કર્યું. દિલ્હીમાં આ હુમલાના વિરોધમાં શીખ સમુદાયના લોકો પોસ્ટર અને બેનરો સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલા શીખ સમુદાયના લોકોનું પ્રતિનિધિત્વ કરી રહેલા અકાલી દળના નેતા મનજિન્દર સિંહ સિરસાએ જણાવ્યું કે, પાકિસ્તાને જે કર્યું તે ઘણુ નિદનીય છે. પાકિસ્તાનામાં શીખોને ધમકી આપવામાં આવી રહી છે, એટલું જ નહીં નનકાના સાહિબના નામને બદલવાની જે ધમકી દેવામાં આવી છે અને ત્યાં સુધી કે, પાકિસ્તાનમાંથી શીખોને કાઢવાની ધમકી આપવામાં આવી રહી છે અમે તેની કડક નિંદા કરીએ છીએ.

બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ નનકાના સાહિબની ઘટના દરમ્યાન એક યુવકનું ભડકાઉ નિવેદન ટ્વીટ કરતા કોંગ્રેસ પર નિશાન તાક્યું છે. તેમણે કહ્યું કે, શું કોઈ આને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી માટે ઈટાલીમાં અનુવાદ કરી શકે તો તે પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોના ઉત્પીડનના પુરાવા માગવાનું બંધ કરી દે.

છત્તિસગઢ કોંગ્રેસે ટ્વીટર પર જ સંબિત પાત્રાને તીખી પ્રતિક્રિયા આપતા ટ્વીટ કર્યું કે કોઈ પણ ભાષામાં અનુવાદ કરવાની જરુર નથી સૌ કોઈ જાણે છે કે, આ સંઘી ભાષા છે. આ જ ભાષામાં થોડા દિવસો પહેલા જ ઈન્ડિયા ગેટ પર ગોળી મારોના નારા ભાજપના નેતાઓ દ્વારા લગાવમાં આવી રહ્યા હતા. બંને તરફથી એક જેવા જ જૂઠા વિડિયો ટ્વીટ થઈ રહ્યા છે, એક જેવી જ ભાષા બોલવામાં આવી રહી છે.

કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી હરદીપ પુરીએ પણ આ મામલે ટ્વીટ કરતા લખ્યું કે, નનકાના સાહિબ ગુરુદ્વારામાં થયેલા આ શર્મજનક ઘટનાઓથી એ તમામ લોકોની આંખો ખુલી જવી જોઈએ જે પાકિસ્તાનમાં ધાર્મિક અલ્પસંખ્યકોના ઉત્પીડનનો ઈનકાર કરી રહ્યા અને સીએએનો વિરોધ કરી રહ્યા છે.

અમેરિકાને નેસ્તનાબૂદ કરવાની ધમકી આપનાર કાસિમ શિયાઓનો જેમ્સ બોન્ડ હતો

વોશિગ્ટન: ઈરાકમાં ઈરાનના મેજર જનરલ કાસિમ સુલેમાનીના મોત પછી અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ વધી ગયો છે. લાંબા સમયથી હરીફ ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ ચરમ પર પહોંચી ગયો છે. ઈરાનમાં સર્વોચ્ચ ધાર્મિક નેતા અયાતુલ્લાહ ખામેનેઈ પછી કાસિમ બીજા નંબરનો સૌથી શક્તિશાળી વ્યક્તિ માનવામાં આવતો હતો. આવો જાણીએ ઈરાન માટે કેટલો મહત્નો હતો કાસિમ સુલેમાની અને કેવી રીતે બન્યો તે આટલો શક્તિશાળી….

સીરિયા, યમન, લેબનાન અને ઈરાકમાં હતો દબદબો

કાસિમ સુલેમાની ઈરાનની સેના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડની વિદેશી વિંગ કદ્સ ફોર્સનો જનરલ હતો. આ યુનિટે 1998માં તેમના કામની શરુઆત કરી હતી, જેની દખલગીરી સીરિયા, લેબનાન, ઈરાક અને યમન સુધી હતી. આ ચારેય દેશોમાં કાસિમ સુલેમાનીની મજબૂત પકડ હતી.

1957માં પૂર્વ ઈરાનના એક ગરીબ પરિવારમાં જન્મેલો કાસિમ ઘણી નાની વયે જ સેનામાં જોડાય ગયો હતો. 1980થી ઈરાન-ઈરાક યુદ્ધમાં સરહદની સુરક્ષાને લઈને ઘણો ચર્ચિત રહ્યો. આ યુદ્ધમાં અમેરિકાએ ઈરાકનો સાથ આપ્યો હતો.

શિયાઓના જેમ્સ બોન્ડ કહેવાતા હતા સુલેમાની

મધ્ય પૂર્વના શિયાઓની વચ્ચે સુલેમાની ઘણો ચર્ચિત હતો. ઈરાનની બહાર મધ્યપૂર્વના દેશોમાં ઝૂંબેશ ચલાવવામાં તેણે મહત્વની ભૂમિકા નિભાવી હતી. એક પૂર્વ સીઆઈએ એનાલિસ્ટે સુલેમાનીને મધ્યપૂર્વના શિયાઓ વચ્ચે જેમ્સ બોન્ડ અને લેડી ગાગા જેવો પોપ્યુલર ગણવામાં આવ્યો હતો. 2019માં જ સુલેમાનીને ઈરાનનો સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ ઝુલ્ફિકાર આપવામાં આવ્યો હતો.

અમેરિકા તરફથી અનેક વખત પ્રતિબંધનો સામનો કરનારા કાસિમ સુલેમાનીના મોતના અગાઉ પણ અનેક વખત સમાચારો વહેતા થયા હતા. 2006માં ઈરાનમાં એક પ્લેન ક્રેશ, 2012માં દમિશ્કમાં થયેલા બોમ્બ ધડાકા અને એલેપ્પોમાં 2015માં થયેલા અટેકમાં પણ તેમના મોતની અફવાઓ ફેલાઈ હતી પણ આ વખતે એવું થયું નહીં.

ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા અયાતુલ્લાહ ખામેનેઈ કાસિમ સલમાનીને જીવંત શહીદ કહેતા હતા. તેની પાછળ કારણ એ હતું કે, તે જાણતા હતા કે, કાસિમ સુલેમાની દુશ્મનોના ટાર્ગેટ પર છે. સુલેમાનીના મોત પછી ખામેનેઈ એ કહ્યું કે, ભલે તે ચાલ્યા ગયા, પણ તેમનું મિશન અને રસ્તો ખત્મ નહીં થાય.

2018માં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક ટ્વીટના જવાબમાં કાસિમે લખ્યું હતું કે, અમે તમારા એટલા નજીક છીએ જેટલું તમે વિચારી પણ નહીં શકો. આવો અમે તૈયાર છીએ. જો તમે યુદ્ધ શરુ કરશો તો ખતમ અમે કરીશું. તમે જાણો છો કે, આ યુદ્ધ તમારી શક્તિને સંપૂર્ણ રીતે ખતમ કરી દેશે.

 

અમેરિકાએ 1980માં ઈરાન અને ઈરાક વચ્ચે થયેલા યુદ્ધમાં ઈરાકનો સાથ આપ્યો હતો. ત્યાર પછીથી જ બંને દેશો વચ્ચે સંબંધો ઘણા વણસી ગયા. 1984માં અમેરિકાએ ઈરાનને આતંકવાદને પ્રોત્સાહન આપનારો દેશ ગણાવ્યો અને અનેક પ્રકારના પ્રતિબંધો લગાવી દીધા. ત્યારથી લઈને આજ સુધી ઈરાન અને અમેરિકાના સંબંધો સામાન્ય ન રહ્યા.

હું અનુરાધા પૌંડવાલની દીકરી છુંઃ કેરળની મહિલાનો દાવો

નવી દિલ્હીઃ પ્રસિદ્ધ ગાયિકા અનુરાધા પૌંડવાલ અત્યારે ચર્ચામાં છે. કારણ એ છે કે કેરળની એક મહિલાએ ગત સપ્તાહે દાવો કર્યો હતો કે તે અનુરાધાની દીકરી છે. મહિલાએ એ પણ જણાવ્યું કે આને સાબિત કરવા માટે તેમણે કોર્ટમાં એક અરજી પણ કરી છે. દાવો કરનારી મહિલાએ એ કહીને તેને જૈવિક માતા-પિતાએ તેને ન અપનાવ્યા અને આના માટે 50 કરોડ રુપિયા આપવાની માંગ કરી છે. કોર્ટે મહિલાની અરજી સ્વીકારી લીધી છે અને અનુરાધા પૌડવાલને પોતાના બંન્ને બાળકો સાથે 27 જાન્યુઆરીના રોજ કોર્ટમાં રજૂ થવાના આદેશ આપ્યા છે.

હવે આ મામલે અનુરાધા પૌડવાલે પ્રતિક્રિયા આપી છે અને તેમણે આ તમામ દાવાઓને ફગાવ્યા છે. તેમણે આ દાવાને મૂર્ખતાપૂર્ણ ગણાવતા કહ્યું છે કે આનાથી મારી ઈમેજને ઠેસ પહોંચી છે. અનુરાધા પૌડવાલના પ્રવક્તાએ કહ્યું કે, અનુરાધાની દીકરી 1974 માં જન્મી હતી એટલા માટે આરોપ લગાવનારી મહિલાના દાવા ખોટા છે. આરોપ લગાવનારી મહિલાએ અનુરાધાના પતિનો પણ ઉલ્લેખ કર્યો છે પરંતુ તેમને નથી ખ્યાલ કે પહેલા જ તેમનું મૃત્યુ થયું છે. જો હકીકતમાં તે અનુરાધાની દીકરી છે તો તેમણે અનુરાધાને પૈસા આપવા જોઈએ ન કે 50 કરોડ રુપિયાની માંગ કરવી જોઈએ.

આરોપ લગાવનારી મહિલાએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, આશરે 5 વર્ષ પહેલા મારા પિતા પોન્નાચેને આ ખુલાસો કર્યો હતો કે હું અનુરાધા પૌડવાલની દીકરી છું. મહિલાએ કહ્યું કે, હું કોઈની માનહાની કરવા નથી માંગતી, હું માત્ર સત્યની શોધ કરવા માંગુ છું. જ્યારથી મેં સત્યને શોધવાના પ્રયત્નો કર્યા છે ત્યારથી મને મારા પરિવારનો સહારો પૂરતો મળી રહ્યો છે. બાદમાં મને સોશિયલ મીડિયા દ્વારા ખ્યાલ આવ્યો કે તેમનું કહેવું છે કે તેમની એક દીકરીનું મોત થયું છે. ત્યાર બાદ મેં મારી માતાને મળવાના પૂરતા પ્રયત્નો કર્યા પરંતુ મને સફળતા ન મળી.

સોનું 41000 ના ભાવેઃ શું હજી એમાં રોકાણ કરાય કે પછી….

નવી દિલ્હીઃ ઈરાન અને અમેરિકા વચ્ચે ઘર્ષણ વધ્યા બાદ સોનાની કિંમત 41 હજાર રુપિયા આસપાસ પહોંચી ગઈ છે. શેર માર્કેટ તૂટ્યું છે. ત્યારે આવામાં જે લોકોએ સોનામાં રોકાણ કર્યું હશે તેઓ ખુશ હશે અને શેર, મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારા લોકો નારાજ થયા હશે. પરંતુ બજારની આ સ્થિતિ તાત્કાલિક છે અને સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે શું સોનામાં રોકાણ કરવું એક સારો વિકલ્પ છે?

આ મુદ્દે ઈન્વેસ્ટમેન્ટ મેનેજરોના અલગ-અલગ મત છે, પરંતુ એ વાતથી કોઈ ઈનકાર નથી કરી રહ્યું કે સોનું એક નિરર્થક એસેટ છે જેનું ઈકોનોમિક એક્ટિવીટીમાં કોઈ યોગદાન નથી રહેતું. આની કીંમતમાં ઉછાળનું કારણ તાત્કાલિક હોય છે. પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા 10 વર્ષમાં સોનાએ સરેરાશ 8.3 ટકાનું રિટર્ન આપ્યું છે.

રિટર્ન પર ધ્યાન આપીશું તો ખ્યાલ આવશે કે સોનાની જગ્યાએ શેર માર્કેટ, મ્યૂચ્યુઅલ ફંડ, બોન્ડ અથવા અન્ય કોઈ જગ્યાએ રોકાણ કરવામાં આવ્યું હોત તો રિટર્ન આના કરતા વધારે મળત. થોડા વર્ષો પહેલા સુધી રિયલ એસ્ટેટને ઈન્વેસ્ટમેન્ટનો સૌથી સારે વિકલ્પ માનવામાં આવતો હતો પરંતુ હવે અહીંયા રોકાણ કર્યા બાદ આપને નુકસાની પણ આવી શકે છે.

ઈકોનોમિક એક્ટિવિટીમાં યોગદાન ન હોવાના કારણે અસલી સોનાની જગ્યાએ પેપર ગોલ્ડને રોકાણ કરવા માટેનો નવો વિકલ્પ બનાવવામાં આવ્યો છે. આ સીવાય બજારમાં ગોલ્ડ બેક્ડ મ્યૂચ્યુઅલ ફંડ્સના પણ ઘણા ઓપ્શન છે. અહીંયા રિટર્ન પણ સારુ મળે છે. સરકાર ગોલ્ડ બોન્ડ જાહેર કરે છે જેના પર 2.5 ટકા એક્સ્ટ્રા ઈન્ટ્રસ્ટ મળે છે પરંતુ આ ટેક્સેબલ હોય છે. જો કે બોન્ડ પર કેપિટલ ગેન ટેક્સ ફ્રી હોય છે.

સત્તારના રાજીનામા પર દેવેન્દ્ર ફડણવીસ બોલ્યાઃ સરકારનું પતન શરુ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારના કેબિનેટના વિસ્તારના પાંચમા દિવસે મંત્રી અબ્દૂલ સતારના રાજીનામા બાદ રાજનીતિ તેજ થઈ ગઈ છે. એકબાજુ આના પર શિવસેના કોઈપણ પ્રકારે સ્થિતિને સંભાળવામાં જોડાઈ ગઈ છે તો ભાજપે આને ઉદ્ધવ ઠાકરે સરકારના પતનની શરુઆત ગણાવી છે. આ વચ્ચે શિવસેનાના સિનિયર લીડર સંજય રાઉતે કહ્યું કે, પાર્ટીમાં અબ્દુલ સતારનું પૂર્ણ સન્માન કરવામાં આવ્યું છે. તેઓ કયા કારણે નારાજ છે તેની જાણકારી મળી નથી.

તેમણે કહ્યું કે, અબ્દુલ સતારે રાજીનામું આપ્યું છે કે નહી તે મામલે સત્ય કાં તો સીએમ અથવા તો રાજભવનના સૂત્રો જ જણાવી શકે છે. જો તેઓ નારાજ છે તો કયા કારણે નારાજ છે તેની મને ખબર નથી. મેં વાંચ્યું કે તેઓ એક રાજ્ય મંત્રી છે અને કેબિનેટ મંત્રી બનવા ઈચ્છી રહ્યા છે. શિવસેના પાસે વધારે કોટા નથી અને બધાનો ખ્યાલ રાખવાનો છે.

પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ ઠાકરે સરકારના પતનની શરુઆત છે. તેમણે કહ્યું કે, અબ્દુલ સત્તાર સાથે દગો થયો હતો. સરકારમાં બધાને મલાઈવાળા મંત્રાલયો જોઈએ છે. શિવસેનાએ અબ્દુલ સત્તારને દગો આપવાનું કામ કર્યું છે. હવે સરકારના પતનની શરુઆત થઈ ગઈ છે.

આ મંત્રી મહોદયે નાછૂટકે કારને બદલે બસમાં કેમ જવું પડયું?

પુડુચેરીઃ પુડુચેરી સરકારમાં મંત્રી આર કમલકન્નનનો એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં તેઓ બસમાં બેઠેલા નજરે આવી રહ્યા છે. તેઓ બસ દ્વારા મુસાફરી કરીને એક મિટીંગ માટે જઈ રહ્યા છે. તેમણે મજબૂરીના કારણે બસમાં મુસાફરી કરવી પડી. હકીકતમાં તેમની સરકારી ગાડીમાં પેટ્રોલ નહોતું અને પેટ્રોલ પંપ વાળાએ તેમની કારમાં પેટ્રોલ ભરી આપવાની ના પાડી દીધી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, આ પેટ્રોલ પંપ માલીકના ઘણા પૈસા સરકાર પાસેથી લેવાના નિકળે છે. વિભાગ દ્વારા તેના બાકી પૈસા ચૂકવવામાં નથી આવ્યા. એટલા માટે તેમણે મંત્રીની કારમાં પેટ્રોલ ભરવાની ના પાડી દીધી. મંત્રી કમલકન્નનને એક મિટીંગ માટે જવાનું હતું. જો કે બાદમાં મંત્રી સરકારી બસમાં મુસાફરી કરીને મીટિંગ માટે પહોંચ્યા.

મંત્રી આર કમલકન્નનને બસમાં જોઈને લોકો પણ અચંબિત થઈ ગયા. બસમાં સવાર ઘણા લોકો તેમને મળ્યા. કેટલાલ લોકોએ તેમને પોતાની સમસ્યાઓ પણ જણાવી. બસમાં મુસાફરી દરમિયાન તેમનો એક વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. આ પહેલા મોદી સરકારના ઘણા મંત્રીઓ મેટ્રોમાં મુસાફરી કરતા નજરે આવ્યા છે. વડાપ્રધાન મોદી પોતે પણ દિલ્હી મેટ્રોમાં ઘણીવાર મુસાફરી કરી ચૂક્યા છે.

સુલેમાનીની હત્યા: ભારતની ઈરાન-અમેરિકાને શાંતિની અપીલ

નવી દિલ્હી: ઈરાનના રિવૉલ્યુશન ગાર્ડની એલિટ શાખા ‘કુદ્સ ફોર્સ’ના વડા જનરલ કાસિમ સુલેમાની બગદાદ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર અમેરિકાએ કરેલા એક હવાઈ હુમલામાં માર્યા ગયા છે. જેને પરિણામે અમેરિકા અને ઈરાન વચ્ચે તંગદિલીમાં થયેલા વધારાથી ભારતીય અર્થતંત્રમાં રિકવરીને ફટકો પડવાની સંભાવના ઊભી થઈ છે. કાસિમ સુલેમાનીના મોત પર પ્રતિક્રિયા આપતા ભારતે કહ્યું કે, તણાવમાં વૃદ્ધિથી સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છું. આ સાથે જ ભારતે એ વાત પર પણ ભાર મુક્યો કે, તેના માટે આ ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સુરક્ષા અત્યંત મહત્વપૂર્ણ છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, ભારત સતત સંયમની તરફેણ કરતું આવ્યું છે એથી એ મહત્વપૂર્ણ રહેશે કે, સ્થિતિ વધુ ખરાબ ન થાય.

આ અગાઉ પેન્ટાગને જાહેરાત કરી હતી કે, અમેરિકન ડ્રોન હુમલામાં ઈરાનની રિવોલ્પુશનરી ગાર્ડ્સના શક્તિશાળી કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીનું મોત થયું છે. પેન્ટાગને કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પના આદેશથી સુલેમાનીને હવાઈ હુમલામાં મારી નાખવામાં આવ્યાં છે.

અમેરિકાના આ પગલાથી ખાડી ક્ષેત્રમાં નાટકીય રૂપથી તણાવ વધી ગયો છે. જનરલ સુલેમાની ઈરાનના અલ-કુદ્સ ફોર્સના પ્રમુખ અને તેની ક્ષેત્રીય સુરક્ષા હથિયારોના રચયિતા હતા. આ હુમલામાં ઈરાકના શક્તિશાળી હશદ અલ-શાબી અર્ધસેનિક દળાના ઉપપ્રમુખ પણ માર્યા ગયા. અમેરિકાએ કોર-કુદ્સ ફોર્સના સંગઠનને પ્રતિબંધિત વિદેશી આતંકવાદી સંગઠનની યાદીમાં રાખ્યું છે.

સુલેમાનીના મોત પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકાના ધ્વજની તસવીર ટ્વીટ કરી હતી. અત્યારે ટ્રમ્પ ફ્લોરિડામાં વેકેશન માણી રહ્યા છે. સુલેમાનીના મોત પર ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ પશ્ચિમ એશિયામાં ઈરાનના સહયોગી દેશોનો હવાલો આપતા કહ્યું કે, એમાં કોઈ શંકાને સ્થાન નથી કે, ઈરાન અને આ ક્ષેત્રના અન્ય ત્રણ દેશો ‘અપરાધી અમેરિકા’ પાસેથી આ ગંભીર અપરાધનો બદલો લેશે.

ટ્રમ્પના આ નિર્ણયનું સમર્થન કરતા ભારતીય મૂળની અમેરિકન નાગરિક નિક્કી હેલીએ ટ્વીટ કર્યું કે, કાસિમ સુલેમાની એક કટ્ટર આતંકવાદી હતો, જેના હાથ અમેરિકાના નાગરિકોના લોહીથી રંગાયેલા હતા. તેમના મોત પર એ તમામને પ્રશંસા કરવી જોઈએ જે શાંતિ અને ન્યાય ઈચ્છે છે. આવો મજબૂત અને યોગ્ય નિર્ણય લેવા બદલ રાષ્ટ્રપતિ પર ગર્વ છે.

ભારતમાં ઘુસણખોરી કરવા માટે આતંકી તૈયાર બેઠા છે: આર્મી ચીફ

નવી દિલ્હીઃ નવા સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેએ કહ્યું કે, આશરે 250 જેટલા પાકિસ્તાની આતંકવાદીઓ LOC પાર તૈયાર બેઠા છે અને તે લોકો ભારતમાં ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે એલઓસી પાર આશરે 20 થી 25 સક્રિય આતંકી લોન્ચ પેડ છે અને તેઓ ભારત પર સતત નજર રાખીને બેઠા છે. જનરલ નરવણેએ કહ્યું કે, પાકિસ્તાને બાલાકોટમાં ફરીથી આતંકી કેમ્પ સક્રિય કરી દિધા છે.26 ફેબ્રુઆરી 2019 ના રોજ બાલાકોટ પર એર સ્ટ્રાઈક મામલે નરવણેએ કહ્યું કે, આપણે નિશ્ચિત રુપે ઘણું પ્રાપ્ત કર્યું છે. આતંકી શિબિરોનો નાશ થયો હતો. તેમણે કહ્યું કે, ત્યાં ફરીથી આતંકી શિબિરો સક્રીય બની ગઈ છે. સાથે જ તેમણે કહ્યું કે, આતંકી શિબિરો અને લોન્ચ પેડના સ્થાન બદલાતા રહે છે.

જનરલ નરવણેએ કહ્યું કે, આ એવી ધારણા છે કે આતંકી કેમ્પ મદરેસા અથવા કેટલાક વિશાળ મકાનોમાં ચલાવવામાં આવે છે. નાની ઝુંપડીઓથી પણ આતંકી શિબિરો સંચાલિત કરવામાં આવે છે. આ શિબિરો ગામડાના ઘરોમાંથી પણ ચલાવવામાં આવે છે. તેમણે કહ્યું કે, ગુપ્તચર વિગતો અનુસાર સીમા પાર 200 થી 250 આતંકવાદીઓ રાહ જોઈ રહ્યા છે અને રોજ ઘુસણખોરીના પ્રયાસ કરી રહ્યા છે.

આર્મી ચીફે કહ્યું કે, ઘાટીમાં ભારે બરફવર્ષા થઈ રહી છે જેના કારણે પાકિસ્તાની આતંકવાદીઓ માટે ઘુસણખોરી મુશ્કેલ બની ગઈ છે. જ્યારે વિદેશી આતંકવાદીઓ દ્વારા નિયંત્રણ રેખા પાર કરવાના પ્રયત્ન મામલે પૂછવામાં આવ્યું તો, તેમણે કહ્યું કે આ પ્રકારનો પ્રયત્ન કરનારા ઘણા આતંકીઓ માર્યા ગયા છે.