Home Blog Page 4639

પંચાંગ 28/09/2020

યશ ચોપરાની 88મી જન્મતિથિએ યશરાજ ફિલ્મ્સનો નવો લોગો રિલીઝ

મુંબઈઃ હિન્દી ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપરાએ એમની ફિલ્મ પ્રોડક્શન કંપની યશરાજ ફિલ્મ્સનો નવો લોગો બહાર પાડ્યો છે. ફિલ્મ નિર્માણગૃહની સ્થાપનાના 50-વર્ષની ઉજવણીનો આ શુભારંભ છે.

સિલસિલા, દિલ તો પાગલ હૈ, ચાંદની, ધૂમ, વોર જેવી ફિલ્મો વડે યશરાજ ફિલ્મ્સે અત્યાર સુધીમાં અમિતાભ બચ્ચન, રિશી કપૂર, શાહરૂખ ખાન, વિનોદ ખન્ના, સૈફ અલી ખાન, રેખા, શ્રીદેવી જેવા સુપરસ્ટાર કલાકારોની કારકિર્દીને ચાર ચાંદ લગાવ્યા છે અને દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું છે.

27 સપ્ટેમ્બર આદિત્યના સદ્દગત પિતા અને નિર્માતા યશ ચોપરાની 88મી જન્મતિથિ છે અને આજના દિવસે આદિત્યએ કંપનીનો નવો લોગો બહાર પાડ્યો છે.

આદિત્યએ કહ્યું છે કે 1970માં, મારા પિતા યશ ચોપરાએ એમના ભાઈ બી.આર. ચોપરાની છત્રછાયા અને આરામની જિંદગીને છોડી દઈને પોતાની માલિકીની ફિલ્મ પ્રોડક્શન કંપની શરૂ કરી હતી. ત્યાં સુધી તેઓ બી.આર. ફિલ્મ્સ કંપનીમાં એક પગારદાર કર્મચારી હતા. ફિલ્મ નિર્માણ કંપની કેવી રીતે ચલાવવી એનું તેમને ત્યારે કોઈ જ્ઞાન પણ નહોતું. પરંતુ, એમને પોતાની પ્રતિભામાં, સખત પરિશ્રમમાં અને આત્મનિર્ભર બનવાનું સપનું સાકાર કરવામાં ખૂબ જ વિશ્વાસ હતો. પોતે એક સર્જનાત્મક માનવી હતા અને એમની કળાએ જન્મ આપ્યો હતો યશરાજ ફિલ્મ્સને.

મુંબઈમાં ‘બેસ્ટ’ના કાફલામાં વધુ 40 ઈલેક્ટ્રિક બસનો ઉમેરો થશે; પર્યાવરણનું રક્ષણ થશે

મુંબઈઃ મહાનગરના નિવાસીઓ, કામ-ધંધો કરનારા તેમજ પર્યટકો માટે રાહત-આનંદના સમાચાર છે. મહાનગરપાલિકા દ્વારા સંચાલિત ‘બેસ્ટ’ વહીવટીતંત્રના સિટી બસ કાફલામાં ટૂંક સમયમાં જ વધુ 40 ઈલેક્ટ્રિક બસનો ઉમેરો થવાનો છે. મુંબઈમાં પ્રદૂષણ ઘટાડવામાં મદદરૂપ થાય એ માટે આ ઈલેક્ટ્રિક બસોને સેવામાં ઉતારવામાં આવશે.

મુંબઈગરાઓના પર્યાવરણ-રક્ષિત પ્રવાસ માટે ઈલેક્ટ્રિક બસો ઘણી સહાયરૂપ છે. આ માટે જ કેન્દ્ર સરકારે ‘ફેમ’ (ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ હાઈબ્રિડ એન્ડ ઈલેક્ટ્રિક વેહિકલ્સ) યોજના અંતર્ગત વિવિધ રાજ્યોમાં ઈલેક્ટ્રિક બસ માટે વિશેષ ભંડોળ પૂરું પાડવાનું નક્કી કર્યું છે. તે જ નિર્ણયના ભાગરૂપે કેન્દ્ર સરકારે મુંબઈ માટે વધુ 40 ઈલેક્ટ્રિક બસો ફાળવી છે.

બેસ્ટના કાફલામાં ‘ફેમ’ અંતર્ગત આશરે 300 ઈલેક્ટ્રિક બસ સામેલ થવાની છે.

કેન્દ્ર સરકાર મહારાષ્ટ્ર રાજ્યમાં બેસ્ટ કંપનીને, એસ.ટી. તથા નવી મુંબઈ પરિવહન સેવા માટે, ગોવા, ગુજરાતમાં રાજકોટ અને સુરત શહેરોમાં અને ચંડીગઢમાં – એમ બધું મળી 670 ઈલેક્ટ્રિક બસો પૂરી પાડવાની છે.

આ ઈલેક્ટ્રિક બસોની ખરીદી કરવા માટે કેન્દ્ર સરકાર જે તે રાજ્ય સરકારને સબસિડી આપે છે.

મુંબઈમાં બેસ્ટના કાફલામાં કુલ 3,500 બસો છે. આમાં બેસ્ટ કંપનીની પોતાની 6 ઈલેક્ટ્રિક બસોનો પણ સમાવેશ થાય છે. હવે એમાં કેન્દ્ર સરકાર તરફથી મળનારી 40 અને સમય જતાં કુલ 300 ઈલેક્ટ્રિક બસોનો ઉમેરો થશે.

વડા પ્રધાન મોદીની ખાતરીની WHO વડાએ પ્રશંસા કરી

ન્યૂયોર્કઃ ભારતની કોરોનાવાઈરસ રસી ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ દુનિયાના અન્ય દેશોને કોવિડ-19 સામેના જંગમાં મદદરૂપ થવા માટે કરવામાં આવશે એવી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલી ખાતરીની વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના વડા ટેડ્રોસ એધનોમમ ગેબ્રીસસે પ્રશંસા કરી છે અને કહ્યું છે કે સમાન હિતકાર્ય માટે સંસાધનોને સંગઠિત કરવાથી જ આ રોગચાળાને નાથી શકાશે.

વડા પ્રધાન મોદીએ ગઈ કાલે યૂનાઈટેડ નેશન્સની મહાસમિતિના 75મા સત્રને કરેલા સંબોધનમાં જણાવ્યું હતું કે ભારત વિશ્વમાં સૌથી મોટા રસી ઉત્પાદક દેશ હોવાના નાતે હું સમગ્ર વિશ્વને આજે ફરીવાર ખાતરી આપવા માગું છું. ભારતની રસી નિર્માણ તથા ડિલીવરી ક્ષમતાનો ઉપયોગ આ કટોકટીનો સામનો કરવામાં માનવજાતને મદદરૂપ થવા માટે કરવામાં આવશે.

WHOના ડાયરેક્ટર-જનરલ ગેબ્રીસસે એક ટ્વીટમાં વડા પ્રધાન મોદીને ટેગ કરીને એમનો આભાર માન્યો છે અને કહ્યું છે કે સમાન હિતમાં આપણી સઘળી તાકાત અને સાધનોને સંગઠિત કરીને સંયુક્ત થઈને જ કોવિડ-19 મહાબીમારીનો આપણે અંત લાવી શકીશું.

પીએમ મોદીએ 193-સભ્યોની યૂએન મહાસમિતિને વર્ચ્યુઅલ સંબોધનમાં જણાવ્યું હતું કે અમે, ભારત તથા પડોશના દેશો, ભારતમાં કોરોના રસીની ક્લિનિકલ ટ્રાયલના ત્રીજા તબક્કા તરફ આગળ વધી રહ્યા છીએ. રસીના જથ્થાની ડિલીવરી કરવામાં પણ ભારત તમામ દેશોને મદદરૂપ થશે.

મોદીએ જોકે કોરોના રોગચાળાનો સામનો કરવામાં સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાના પ્રતિસાદ સામે સવાલ પણ ઉઠાવ્યો હતો. એમણે કહ્યું કે, છેલ્લા 8થી 9 મહિનામાં, સમગ્ર વિશ્વ કોરોનાવાઈરસ રોગચાળા સામે લડી રહ્યું છે. આ રોગચાળા સામેની સંયુક્ત લડાઈમાં સંયુક્ત રાષ્ટ્રનું સ્થાન ક્યાં છે? ક્યાં છે એનો અસરકારક પ્રતિસાદ?

ઓખાના સમુદ્રકાંઠા નજીક કોસ્ટ ગાર્ડે ડૂબતા જહાજનાં ખલાસીઓને બચાવ્યા

અમદાવાદઃ ભારતીય કોસ્ટ ગાર્ડના જવાનોએ ગુજરાતના સમુદ્રકાંઠા નજીક અરબી સમુદ્રમાં ડૂબી રહેલા એક કાર્ગો જહાજના 12 ખલાસીઓને બચાવી લીધા છે.

આ ઘટના ગઈ કાલે રાતે લગભગ 9 વાગ્યે બની હતી.

કોસ્ટ ગાર્ડના અધિકારીઓને જાણકારી મળી હતી કે ઓખાના સમુદ્રકાંઠાથી લગભગ 10 દરિયાઈ માઈલ દૂર ‘MSV કૃષ્ણ સુદામા’ નામના જહાજ પર પાણી ભરાયા છે.

કોસ્ટ ગાર્ડે એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ જહાજ ગઈ કાલે ગુજરાતના મુન્દ્રા બંદરેથી જીબુટી ટાપુ તરફ જવા માટે રવાના થયું હતું. એમાં 905 ટન ચોખા અને ખાંડ હતા, જે આફ્રિકી ટાપુરાષ્ટ્ર જીબુટીમાં પહોંચાડવાના હતા.

કોસ્ટ ગાર્ડને જ્યારે ખબર પડી કે કૃષ્ણ સુદામા જહાજ ડૂૂબી રહ્યું છે ત્યારે એનું જહાજ C-411 એમાં રહેલા ખલાસીઓને બચાવવા માટે ઓખાથી રવાના થયું હતું. તે સમુદ્રવિસ્તારમાં રહેલા અન્ય જહાજ એમ.વી. સધર્ન રોબીનને પણ સહાયતા માટે એ તરફ વાળી દેવામાં આવ્યું હતું.

કોસ્ટ ગાર્ડના જહાજ C-411 એ વ્યાપક ખોજ કરીને ડૂૂબતા જહાજને શોધી કાઢ્યું હતું. એમાંના 12 ખલાસીઓ એમના જહાજમાં પાણી ભરાતાં એ ડૂબવાનું શરૂ થતાં એને પડતું મૂકીને એક રબરની હોડીમાં સવાર થયા હતા.

કોસ્ટ ગાર્ડના જહાજે હવામાનની ભયજનક પરિસ્થિતિમાં અને ગભરાયેલી હાલતમાં રહેલા તમામ 12 ખલાસીઓને ઉગારી લીધા હતા. એ બધાયને સહીસલામત રીતે ઓખા બંદરે લાવવામાં આવ્યા હતા.

ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન જસવંત સિંહ (82)નું નિધન

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના સ્થાપક સભ્યોમાંના એક, જસવંત સિંહનું આજે સવારે અહીં આર્મી હોસ્પિટલમાં હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું છે. તે 82 વર્ષના હતા.

રાજસ્થાનના બાડમેરના વતની જસવંત સિંહે સંરક્ષણ ઉપરાંત વિદેશ પ્રધાન તરીકેનો હોદ્દો પણ સંભાળ્યો હતો.

તેઓ ભારતીય લશ્કરમાં મેજર પણ રહી ચૂક્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જસવંત સિંહના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.

એક ટ્વીટમાં મોદીએ લખ્યું છે કે જસવંત સિંહે આપણા દેશની પૂરી નિષ્ઠા સાથે સેવા કરી હતી. પહેલા એમણે એક સૈનિકના રૂપમાં અને ત્યારબાદ રાજકારણમાં લાંબો સમય સુધી જોડાઈને. એમણે અટલી (વાજપેયી)ની સરકારમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ મંત્રાલયો સંભાળ્યા હતા. તેઓ નાણાં, સંરક્ષણ અને વિદેશને લગતી બાબતોમાં પોતાની મજબૂત છાપ છોડી ગયા છે. હું એમના નિધનથી દુઃખી છું.

એક અન્ય ટ્વીટમાં મોદીએ કહ્યું છે કે, જસવંત સિંહજીને રાજકીય તથા સામાજિક બાબતોમાંના વિશિષ્ટ દ્રષ્ટિકોણ માટે યાદ કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવામાં એમણે પણ યોગદાન આપ્યું હતું. એમના પરિવાર તથા સમર્થકો પ્રતિ મારી સંવેદના છે. ઓમ શાંતિ.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ટ્વીટ કરીને જસવંત સિંહના નિધન અંગેના સમાચાર આપ્યા હતા. એમણે ટ્વીટમાં લખ્યું છે કે વરિષ્ઠ ભાજપ નેતા અને ભૂતપૂર્વ પ્રધાન જસવંત સિંહજીના નિધનથી ઘેરું દુઃખ થયું છે. એમણે રક્ષામંત્રી સહિત અનેક હોદ્દાઓ પર રાષ્ટ્રની સેવા બજાવી હતી. તેઓ અસરદાર પ્રધાન અને સાંસદ હતા.

Chitralekha Marathi – October 05, 2020

PDF Version
This post is only available to members.

રાશિ ભવિષ્ય 27/09/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજના દિવસમાં તમને થોડો ઉત્સાહ જોવા મળી શકે છે, વાર્તાલાપમાં સારો સમય પસાર થાય, જૂની ઓળખાણ તાજી થાય તેમાં તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામકરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળે, ધાર્મિકસ્થાનની મુલાકાત પણ થઈ શકે છે.


આજે સગા-સ્નેહી, જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજ યોગ છે, આરોગ્યબાબત થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુ અભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના પણ ભોગ બની શકો છે, ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.


આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટી મુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્ય માટેના શુભપ્રસંગ અંગે ચર્ચા-વિચારણા થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું.


આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. શાંતિથી દિવસ પસાર કરવો.યોગ્ય છે


આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારી કે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, આજે તમે કોઈના કામકાજમાં મદદગાર પણ બની શકો છે. ઉત્સાહદાયક દિવસ કહી શકાય.


આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાય કે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે. તમને કોઈની મજાક-મશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે


આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, લગ્નયોગ ધરવતા યુવાવર્ગ માટે વાર્તાલાપકે મિલનમુલાકાત સારી રહી શકે. નાનાઅંતરની મુસાફરી થઈ શકે, આજે કોઈના કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે, પ્રિયજન તરફથી સારી વાત જાણવા મળે


આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર આબાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું. બ્લડપ્રેશર, છાતીના દર્દ હોય તેવા લોકો માટે આજે તકેદારી રાખવી, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ખાસ ધ્યાન રાખવું..


આજે મિત્રો સાથે સારોસમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. જુનાસંબંધ અચાનક યાદ આવે તેવા પણ યોગ છે. લગ્નબાબતની વાતચીતકે મિલનમુલાકાત કરવાથી સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.


આજે થોડાક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, .કમર, હાડકા,પગમાં દુખાવાની તકલીફ વાળાએ આરોગ્યબાબતમાં ધ્યાન વધુ આપવું ઇચ્છનીય છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, લાકડા, ચામડા, ધાતુ, ઓઈલ, પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્ર,  ના કામ કરનારને સારું રહે, જુના કોઈકામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે તેને કારણે તમે અશાંત બની શકો છે, કોઈની ખોટીદોરવાણીથી ઉશ્કેરાઈના જવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે.


આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરી થઈ શકે છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારી વાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો, કોઈ માટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. લગ્નમાટેની મિલનમુલાકાત આજે આશાસ્પદ બને તેવા યોગ પણ છે.

વાહ ભાઈ વાહ! ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૦

વાહ ભાઈ વાહ! ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૦

૨૭ સપ્ટેમ્બર ૨૦૨૦

૨૭ સપ્ટેમ્બર ૨૦૨૦