Home Blog Page 4638

આને કારણે હાર્દિક પંડ્યા પાસે બોલિંગ કરાવી શકાતી નથી

દુબઈઃ આઈપીએલ-2020 સ્પર્ધામાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમના ડાયરેક્ટર (ક્રિકેટ ઓપરેશન્સ) ઝહીર ખાને ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વિશે એક સ્પષ્ટતા કરી છે.

એમણે કહ્યું છે કે હાર્દિક પંડ્યા ગયા વર્ષના સપ્ટેમ્બરમાં દક્ષિણ આફ્રિકા સામે T20I સિરીઝમાં રમ્યા બાદ અહીં પહેલી મોટી ટુર્નામેન્ટમાં રમી રહ્યો છે. દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝ બાદ એને પીઠની સર્જરી કરાવવી પડી હતી અને એને કારણે એને લાંબો સમય સુધી ક્રિકેટમાંથી બ્રેક લેવો પડ્યો હતો.

હાર્દિક પંડ્યાએ વર્તમાન મોસમમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમની અત્યાર સુધીમાં રમાઈ ગયેલી એકેય મેચમાં બોલિંગ કરી નથી. તેથી એની ફિટનેસ વિશે સવાલો ઊભા થયા છે.

ઝહીર ખાનનું કહેવું છે કે હાર્દિક બોલિંગ કરવા ઉત્સૂક છે. તમે ટૂંક સમયમાં જ એને બોલિંગ કરતો જોઈ શકશો એવી અમે આશા રાખીએ છીએ.

ગયા વર્ષની ચેમ્પિયન મુંબઈ ટીમ આ વખતે અત્યાર સુધીમાં બે મેચ રમી છે અને એમાં એકમાં જીતી છે અને એકમાં હારી છે. પોઈન્ટ્સ ટેબલમાં તે હાલ ચોથા ક્રમે છે.

ઝહીર ખાને કહ્યું છે કે હાર્દિક પંડ્યા જ્યારે બોલિંગ કરે છે ત્યારે કોઈ પણ હરીફ ટીમનું સંતુલન બગાડી નાખવાની એનામાં ક્ષમતા હોય છે. પરંતુ, આપણે એના શરીર વિશે પણ વિચારવું પડે. અમારે એ જોવું પડે કે ફિઝિયોથેરપિસ્ટ હાર્દિક વિશે અમને શું સલાહ આપે છે.

26 વર્ષના હાર્દિક પટેલે ગયા વર્ષના નવેમ્બરમાં લંડનમાં જઈને એની પીઠની સર્જરી કરાવી હતી. ત્યારબાદ એ ગયા માર્ચમાં ક્રિકેટમાં પાછો ફર્યો હતો.

હાર્દિકે કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની બંને મેચમાં બેટિંગ કરી હતી. એકમાં એણે 18 અને બીજીમાં 14 રન કર્યા હતા.

બીજા ત્રિમાસિકમાં ભારતીય GDPમાં 12 ટકા ઘટાડાની શક્યતાઃ સર્વે

નવી દિલ્હીઃ દેશમાં અનલોકનો દોર શરૂ થયા પછી ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં GDPમાં 12 ટકા ઘટાડો થવાની શક્યતા છે, એમ એક સર્વે કહે છે. ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં દેશના GDPમાં 24 ટકાનો જોરદાર ઘટાડો નોંધાયો હતો. આની પાછળ વિશ્લેષકોનો એ તર્ક હતો કે લોકડાઉનના સમયગાળામાં આર્થિક કામગીરી ઠપ થઈ હતી, એને કારણે GDPમાં ભારે ઘટાડો નોંધાયો હતો.

એક સર્વેમાં નિષ્ણાતોએ કહ્યું હતું કે  માગ વધારવા માટે સરકારે એક રાહત પેકેજ જાહેર કરવું જોઈએ. એની સાથે બોન્ડ માર્કેટમાં લિક્વિડિટી વધારવાની વ્યવસ્થા કરવાનું સૂચન તેમણે કર્યું હતું. કોરોના વાઇરસના વધતા સંક્રમણને કારણે અને સ્થાનિક સ્તરે કેટલાય જિલ્લાઓમાં લોકડાઉનને કારણે ગ્રાહકોની માગ પર અસર પડી છે.

દેશની વાસ્તવિક GDP ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં આઠથી 16 ટકા સુધીનો ઘટાડો થવાની સંભાવના છે. જો નોમિનલ ગ્રોથની વાત કરીએ તો એમાં બીજા ત્રિમાસિક ગાળામાં એ 7.5 ટકાથી 9.5 ટકા સુધીનો ઘટાડો થવાની શક્યતા છે.

કોટક મહિન્દ્રા બેન્કના અર્થશાસ્ત્રી ઉપાસના ભારદ્વાજે કહ્યું હતું કે આપણે હજી એ નથી કહી શકતા કે સૌથી ખરાબ સમય જતો રહ્યો છે. તેમણે કહ્યું હતું કે કન્ઝ્યુમર ડ્યુરેબલ, ઇલેક્ટ્રિસિટી, ટ્રેડ એન્ડ ટ્રાન્સપોર્ટ અને મેન્યુફેક્ચરિંગના કેટલાંક ક્ષેત્ર સારોનરસો દેખાવ કરી રહ્યા છે, પણ હાલ રિકવરીની પેટર્ન અનિશ્ચિત છે. ભારતીય અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષમાં નકારાત્મક ઝોનમાં રહે એવી શક્યતા છે. આશા છે કે વર્ષના બીજા અર્ધવાર્ષિક ગાળામાં અર્થતંત્રની સ્થિતિ થોડી સારી રહેવાની સંભાવના છે.

 

 

 

સાવચેતી રાખીને મૂડીરોકાણ કરવાનું છેઃ કોવિડ-19 મહામારી બાદની નિષ્ણાતોની સલાહ

‘ચિત્રલેખા.કોમ’ અને ‘આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુલ ફંડ’ દ્વારા 28 સપ્ટેમ્બરના રવિવારે સંયુક્તપણે યોજીત વિશેષ વેબિનાર ‘રીફ્રેશ – રીસેટ – રીસ્ટાર્ટ’… તમારી મૂડી, તમારી સંવેદના અને તમારા જીવનનાં ધ્યેય’માં ઓનલાઈન દર્શકોએ આર્થિક જગતના નિષ્ણાતો પાસેથી કિંમતી માર્ગદર્શન મેળવ્યું હતું. નિષ્ણાતો તરફથી જાણવા મળ્યું કે રોકાણકારોએ એમના નાણાકીય લક્ષ્યોને નિર્ધારિત કરવાના છે. તે પછી એમાં એમના સપનાં કયા છે અને જવાબદારી કઈ છે એ સમજવાનું રહે. સપનાં કરતાં જવાબદારીઓને નિભાવવાનું વધારે મહત્ત્વનું હોય છે. સપનામાં પણ અરજન્ટ કયા અને મહત્ત્વના કયા એ નક્કી કરવું જોઈએ. આ બધું સમજ્યા પછી નાણાંનું આયોજન કરવાની શરૂઆત કરવી જોઈએ. દોઢ કલાક જેટલી ચાલેલી વિસ્તૃત ચર્ચામાં નિષ્ણાતોએ ઈન્વેસ્ટરોને સલાહ આપી કે કોરોનાવાઈરસની મહાબીમારીના લોકડાઉન બાદ આર્થિક પ્રવૃત્તિઓ ધીમે ધીમે અનલોક થવા માંડી છે ત્યારે પૈસાનું રોકાણ કરવામાં બધાએ સાવચેતી તો રાખવાની જ છે, લાગણીના પ્રવાહમાં વહી જવાનું નથી.

કોવિડ-19ની મહામારીને ભૂલીને હવે આગળ વધવાનો સમય છે, જિંદગીના લક્ષ અને આર્થિક બાબતોને નવેસરથી ગોઠવીને નવાં આયોજન કેવી રીતે કરવા એ વિશે આદિત્ય બિરલા સન લાઈફ એએમસી લિમિટેડના ઈનવેસ્ટર એજ્યૂકેશન અને ડિસ્ટ્રિબ્યૂશન ડેવલપમેન્ટ વિભાગના વડા કે.એસ. રાવ, જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર ગૌરવ મશરૂવાળા અને પર્સનલ ફાઈનાન્સ ક્ષેત્રના લેખક તથા નિષ્ણાત અમિત ત્રિવેદીએ પોતાનાં વિચારો દર્શકો સમક્ષ રજૂ કર્યા હતા.

રાવે કાર્યક્રમની શરૂઆતમાં એક રસપ્રદ પ્રેઝન્ટેશન દ્વારા માહિતી પૂરી પાડી હતી.

વેબિનાર – પેનલચર્ચાની શરૂઆત કરતાં અમિત ત્રિવેદીએ કહ્યું હતું કે અગાઉ લોકોને કોરોના મહાબીમારીનો ડર વધારે હતો, ત્યારે કેસો ઓછા હતા. ધીરે ધીરે કેસોની સંખ્યા વધવા લાગી તે છતાં લોકોનો ડર ઘટી ગયો. એમાં અનલોક પ્રક્રિયા શરૂ થઈ અને તે પછી લોકો સાવચેતી ઓછી રાખતા થયા છે. આ માનવસહજ સ્વભાવ છે. માર્ચમાં એક પછડાટ આવી હતી, પણ બાદમાં બજારોમાં તેજીની રેલી આવી. પરંતુ લાંબા ગાળાના રિટર્ન મળવાને હજી વાર છે. લોકો એમની ધીરજ ખોઈ ન બેસે, લાગણીના પ્રવાહમાં વહી ન જવાય એટલા માટે જ આજે આપણે મહત્ત્વની ચર્ચા કરવાના છીએ.

મ્યુચ્યુઅલ ફંડ કઈ રીતે કામ કરે છે, નવા રોકાણકારોએ બજારમાં મ્યુચ્યુઅલ ફંડમાં ઈન્વેસ્ટ કરીને શરૂઆત કરવી જોઈએ? શું મ્યુચ્યુઅલ ફંડ આમ આદમી માટે છે? એવા કાર્યક્રમના સંચાલક અમિત ત્રિવેદીના સવાલના જવાબમાં કે.એસ. રાવે કહ્યું કે, આમ આદમી મ્યુચ્યુઅલ ફંડથી ઈન્વેસ્ટમેન્ટની શરૂઆત જરૂર કરી શકે છે. મ્યુચ્યુઅલ ફંડ આમઆદમી માટે સરળ છે અને વાસ્તવમાં એમને માટે જ ક્રીએટ કરવામાં આવ્યા છે. આ યોજનાઓમાં તમે 500 રૂપિયા જેટલી નાની રકમ હોય તો પણ અને 5000 રૂપિયા જેવી મોટી રકમ હોય તો પણ મૂડીરોકાણ કરી શકો છો.

રાવે વધુમાં કહ્યું કે, બજારોની કામગીરીઓની એમની પોતાની રીતરસમ હોય છે. એમાં ફંડામેન્ટલ્સ બદલાતા નથી. મ્યુચ્યુઅલ ફંડની સાથે શરૂઆત કરવી જોઈએ. મૂડીરોકાણની શરૂઆત કરનારાઓ આરંભમાં લિક્વિડ ફંડમાં આવો, પછી ધીમે ધીમે ઈક્વિટી ફંડમાં જાવ.

લોકડાઉનના મહિનાઓમાં સૌથી વધારે – 17 લાખ જેટલા ડીમેટ એકાઉન્ટ્સ ખોલવામાં આવ્યા હતા એવા SEBIના ચેરમેનના વિધાનનો અમિત ત્રિવેદીએ ઉલ્લેખ કર્યો હતો અને આ નવા એકાઉન્ટધારકો વિશે SEBI ચેરમેને એમ કહ્યું હતું કે 17 લાખ અભિમન્યૂ મહાભારતના યુદ્ધમાં સામેલ થયા છે. આ ટિપ્પણી વિશે તેમજ નવા ઈન્વેસ્ટરોએ શું સાવચેતી રાખવી જોઈએ? એવા અમિત ત્રિવેદીના સવાલના જવાબમાં ગૌરવ મશરૂવાળાનું કહેવું હતું કે આટલા બધા નવા ડીમેટ એકાઉન્ટ ખોલાયા એ ભલે સારી વાત કહેવાય પરંતુ, એ પણ ભૂલવું ન જોઈએ કે તે એક ફ્રી ટાઈમ હતો અને એવા સમયમાં લોકો ખોટા નિર્ણય લઈ શકે છે. સ્ટેબલ લોકો પણ સટ્ટો કરી નાખતા હોય છે. તેથી જ ડીમેટ એકાઉન્ટ વધારે ખૂલ્યા હોય એવું બની શકે.

અમિત ત્રિવેદીએ સરસ વાત કહી કે, મ્યુચ્યુઅલ ફંડ એ માત્ર ઈન્વેસ્ટમેન્ટ નથી, પરંતુ તમને મૂડીરોકાણ કરવામાં મદદ કરનારું એક વેહિકલ છે.

મશરૂવાળાએ કહ્યું કે, રોકાણકારોએ એમની જરૂરિયાતો અને સપનાંઓને જાણવાની જરૂર હોય છે અને તે જાણ્યા પછી જ આગળ વધવું જોઈએ. તમારી જવાબદારી મહત્ત્વની છે.

કાર્યક્રમના આરંભમાં ‘ચિત્રલેખા.કોમ’ના તંત્રી કેતન ત્રિવેદીએ ત્રણેય પેનલિસ્ટ તથા દર્શકોનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમને અંતે અમિત ત્રિવેદીએ ‘ચિત્રલેખા’ અને ‘આદિત્ય બિરલા મ્યુચ્યુઅલ ફંડ’નો આભાર માન્યો હતો.

સંપૂર્ણ વેબિનાર જોવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરોઃ

Aditya Birla webinar

Refresh – Reset – RestartYour Finances, your emotions and your life goals

Chitralekha द्वारा इस दिन पोस्ट की गई रविवार, 27 सितंबर 2020

કોરોના સંક્રમિતોની સંખ્યા દેશમાં 60 લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 60 લાખને પાર થયા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 82,170 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1039 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 60,74,702 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 95,542 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 50,16,520 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 9,62,640 પહોંચી છે. પાછલા 24 કલાકમાં 74,893 દર્દીઓ ઠીક થયા છે. રિકવરી રેટ વધીને 82.14 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.60 ટકા થયો છે.

કોરોનાની સારવાર શોધ્યાનો દાવો

અમેરિકામાં ફ્લોરિડાના ડોકટરોએ દાવો કર્યો છે કે તેમણે કોરોનાનો ઇલાજ શોધી કાઢ્યો છે. નવી સારવારથી ૫૦ ટકા દર્દીઓના જીવ બચાવ્યાનો દાવો પણ કરવામાં આવ્યો છે. ફ્લોરિડાની એડવેન્ટ હેલ્થ હોસ્પિટલનાં ડોકટરોએ કહ્યું હતું કે, તેમણે ચાર પ્રકારની દવાનું મિશ્રણ કરીને એક થેરપી બનાવી છે જેનું નામ ICAM છે જેના દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધે છે. જે ચાર દવા ઉપયોગમાં લેવામાં આવી છે, તેમાંFઈમ્યુનો સપોર્ટ ડ્રગ્સ જેવી કે વિટામિન C અને ઝિંક તેમજ Corticosteroids, Anticoagulants અને Macrolides સામેલ છે. આ દવાથી ફેફસાંમાં ઇન્ફેક્શન રોકી શકાય છે.

કોલેસ્ટરોલ ઘટાડતી દવા સ્ટેટિન્સ અસરકારક પુરવાર થઈ

કોરોનાની સારવારમાં સ્ટેટિન્સ અસરકારક પુરવાર થઈ શકે છે. ૧૭૦ દર્દીઓ પર તેનો પ્રયોગ કરવામાં આવતા ૫૦ ટકા દર્દીઓનો કોરોના ગંભીરરૂપ ધારણ કરે એ પહેલાં એને રોકી શકાયો હતો. કોલેસ્ટરોલ અને લિપિડ મેટાબોલિઝમમાં સામેલ CH25Hથી જીન્સમાં એન્ટિ કોરોના વાઇરસ પ્રોસેસ થઈ હતી અને કોરોનાનાં વાઇરસનો નાશ કર્યો હતો.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

ટ્રમ્પના Tiktokના પ્રતિબંધના આદેશ પર અમેરિકી કોર્ટનો કામચલાઉ મનાઈહુકમ

વોશિંગ્ટનઃ અમેરિકી જજે દેશમાં મધ્યરાત્રિથી ચીની વિડિયો શેરિંગ એપ Tiktok પર પ્રતિબંધ લગાવવાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિર્ણયને કામચલાઉ રીતે સ્થગિત કર્યો છે. જોકે નવેમ્બરમાં રાષ્ટ્રપતિ ચૂંટણીના એક સપ્તાહ પછી વ્યાપક પ્રતિબંધનો નિર્ણય અમલમાં રહેશે. US  ડિસ્ટ્રિક્ટ કોર્ટ કોલમ્બિયાના જજ કાર્લ નિકોલસે નવેમ્બરમાં લાગતા પ્રતિબંધને સ્થગિત કરવાનો ઇનકાર કર્યો હતો.
જજ નિકોલસે આ આદેશ રવિવારે સવારે ઇમર્જન્સી સુનાવણી પછી આપ્યો હતો. આ પહેલાં સુનાવણી દરમ્યાન Tiktokના વકીલોએ દલીલ કરી હતી કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના Tiktokના પ્રતિબંધના નિર્ણયથી બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન થશે અને એનાથી વેપાર-ધંધાને અસર થશે. જજે આ ચુકાદા પાછળનાં કારણોને સાર્વજનિક નહોતાં કર્યાં.
આ પહેલાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને રવિવારે અમેરિકામાં Tiktok પર પ્રતિબંધ લગાવવાની ઘોષણા કરી હતી. આ અહેવાલ મુજબ Tiktok સિવાય We Chatને પણ અમેરિકામાં હવે એપ સ્ટોરમાંથી ડાઉનલોડ નહીં કરી શકાય. અમેરિકામાં Tiktokના આશરે 10 કરોડ કરોડ યુઝર્સ છે.

ગ્લોબલ ઓફિસ અમેરિકામાં શિફ્ટ

ચીની કંપની બાઇટડાન્સ Tiktokના અમેરિકી ઓપરેશનને ત્યાંની કંપનીઓને વેચવાની કવાયત ગંભીરતાથી કરી રહી હતી. આ વેચાણની કાર્યવાહી પહેલાં ન્યૂઝ હતા કે ટ્રમ્પે Tiktok વિશે નિર્ણય લેતા પહેલાં વોલમાર્ટ અને ઓરેકલના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી હતી. પાછલા મહિને ટ્રમ્પે Tiktok અને We Chat પર પ્રતિબંધ લગાવવા માટે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર હસ્તાક્ષર કર્યા હતા. હાલ Tiktokની માલિકી બાઇટડાન્સ પાસે છે.

બીજી બાજુ બાઇટડાન્સે Tiktokની મુખ્ય ઓફિસ અમેરિકામાં સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રતિબંધના આદેશની બચવા કંપનીએ વચલો રસ્તો કાઢ્યો હતો.

 

 

 

 

પ્યારની વાત – ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૦

પ્યારની વાત – ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૦

૨૮ સપ્ટેમ્બર ૨૦૨૦

૨૮ સપ્ટેમ્બર ૨૦૨૦

રાશિ ભવિષ્ય 28/09 થી 04/10/20

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

લાભના સમાચાર મળે,  કામકાજ દરમિયાન વધુવિચારો આવવાના કારણે તમને તમારા કામની ગતિ ઓછી થાય તેમજ કામનો થાક હોય તેવી લાગણી મનમાને મનમા રહ્યા કરે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે, ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે, મોસાળપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સાંભળવા મળી શકે છે, આરામકરવાની વૃતિ વધુ જોવા મળી શકે, બજારમા અનુભવના આધારે નાનુ કામકાજ કરવુ વધુ યોગ્ય છે, યુવાવર્ગને મનોરંજનમા મન વધુ લાગે.


અચાનક કોઈ સારીવાત સાંભળવા મળી જાય અને તમે સારો ઉત્સાહ અનુભવો, લગ્નબાબત કોઈજગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમા પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે સારી મસ્તીમજાક કરો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થી વર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા પોતાનુ માન જળવાય અને તમારા કામકાજમા અન્યનો સાથસહકાર મળે જેમા તમે ખુશીની લાગણી અનુભવો. બજારના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવુ બનવાથી તમારી ખુશીમા વધારો પણ થાય.


આ સપ્તાહ દરમિયાન તમારા મનને કોઈવાતની શાંતિનો અનુભવ થાય, તમારા કામકાજમા ઉત્સાહ વધુ જોવા મળે તેમજ કામની બાબતમા થોડી ઉતાવળ કરવાનીવૃતી રહે, ઘરમા કે ઓફીસમા તમારી અન્ય સાથે દલીલબાજી થાય પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ પણ ઘણી નિયંત્રણમાં રહી શકે છે, તમારા કામકાજમા અન્યનો સાથસહકાર જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામા થોડા ઉત્સાહી બનો, વેપારના કામકાજમા થોડી રઘવાટ અનુભવો અને તેની અસર તમારા કામકાજમા થઇ શકે છે, લગ્નબાબતની વાર્તાલાપમા યોગ્ય પ્રયત્ન કરવાથી વાત આગળ ચાલે તેવા સંજોગો પણ બની શકે.


વિદ્યાર્થીવર્ગને થોડી તકેદારી રાખવી, આર્થિકક્ષેત્રમા થોડો ઉતર-ચઢાવ આવી શકે છે, સંતાનબાબત,ઘર, કુટુંબમા ભાઈ-બહેનની કોઈ ચિંતા થાય તેવુ બની શકે છે, કામકાજમાં કોઈનો સાથ-સહકાર ઓછો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈ ખટપટ ના થાય તેનુ ધ્યાન રાખવું ઇચ્છનીય છે, બજારના કામકાજ ધીરજ રાખવી સારી કહી શકાય, તમારી વાણી-વર્તણુકના કારણે ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવુ, મુસાફરી થોડી કંટાળાજનક બને અને તેનો માનસિકથાક વધુ વર્તાય, પ્રિયજન સાથે મતભેદ ના થાય તેનુ ધ્યાન રાખવુ.


સામાન્ય પરિસ્થિતિ જોવા મળે, ધીરજ રાખવી જરૂરી છે કેમકે  ક્ષણિકઆવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યાખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમા તમને કોઈ મોટી સમસ્યા થાય તેવુ જણાતુ નથી. તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમારા કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાય મુસાફરી પણ થઈ શકે છે તેમા તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો, કોઈજગ્યાએ વાતચીત દરમિયાન તકેદારીકે ચોખવટ જેવી બાબતનુ ધ્યાન રાખવુ સારુ, બજારના કોઈપણ પ્રકારના કામકાજમા ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે.


આશા-નિરાશા જેવા પરિબળો વચ્ચે સપ્તાહ પસાર થાય, ક્યાંક તમારાથી કોઈની અવગણના ના થઇ જાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે. લગ્ન માટે ક્યાય વાર્તાલાપકે મિલન-મુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડી સારી રીતે પડી શકે છે, તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકો છો પણ તેમ થોડું સજાગ રહેવુ જેથી ક્યાય ગેરસમજ ના વર્તાય, બજારના કામકાજમા તમે થોડી અપેક્ષા વધુ રાખો પણ કામકાજતો રાબેતા મુજબનુ થાય, અચાનક કોઈ પસંદગીની વ્યક્તિ સાથે મુલાકાત થવાથી તમારી ખુશીમા વધારો થઈ જાય, તમારામા થોડી ક્યાંક કામ ટાળવાની નીતિ જોવા મળી શકે છે.


કામકાજમા રુકાવટને કારણે તમે કામકાજમા વ્યસ્ત વધુ રહો, સામાજિકકે ધાર્મિકકાર્યક્રમમા તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમા તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીનકામકાજ થાય તેવુ પણ બની શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ થાય, તમે કોઈના કામકાજમા સારી રીતે સહભાગી બની શકો છો અને તમારા કામની સારીનોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જૂનીવાતકે કામ ક્યાય અટકેલુ હોય તેમા પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમા કામકાજ દરમિયાન ગણતરીપૂર્વક વર્તવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા મહેનત પ્રમાણે ફળ મળે.


તમારે પુરુષાર્થ વધુ કરવો પડે અને કામનુ જે ફળ મળે તેનો સંતોષ રાખવો, મિત્રો સાથે મિલન-મુલાકાતમા તમે ખુશીની લગાણીની સાથે માનસિકથાક અને કંટાળાનો પણ અનુભવ કરો, જુના કોઈ અટકેલા કામકાજમા મહેનત કરોતો તેમા પણ થોડી ગતિ જોવા મળી શકે છે, સ્વાસ્થબાબત થોડી કાળજી રાખવી તેમા પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમા ચાલતી હોય તેવા લોકોએ ચોકસાઈ વધુ રાખવી સારી કહી શકાય, બજારમા નાનુ અને આયોજનપૂર્વકનુજ કામ કરવુ ઇચ્છનીય છે, યુવાવર્ગને ઈતર પ્રવૃત્તિમા વધારો થાય અને કયાંક આસ્મિક નાણાકીયખર્ચા પણ થઈ શકે છે માટે તકેદારી રાખવી.


વડીલવર્ગની આરોગ્યબાબત થોડી ચિંતા થાય, કોઈ કામની બાબતમા થોડુ અધીરાપણુ વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમા તમને કોઈનો સાથ-સહકાર પણ સારો મળી શકે છે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમાકે ઓફીસમા તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહારકુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમા લાવીદો. બજારના કામકાજમા તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમારા કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરીપુર્વક જ કામ કરવુ જોઈએ, વાહન ધીમે ચલાવવુ સલાહભર્યું છે.


જીવનસાથી સાથે આત્મીયતા વધે તેથી ઉત્સાહ જોવા મળે અને તેમા પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારીવાતની આપ-લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈજગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયુ હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, લગ્નનીવાત કોઈજગ્યાએ ચાલતી હોય તેમા પણ તમને સારો પ્રતિભાવ કે જાણવા જેવી વાત સાંભળવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવુ પણ બની શકે છે, બજારના કામકાજમા તમારા અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરીને લાભ મેળવી શકો છો.


યુવાવર્ગને નાનીવાતમા ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવુ તે મુજબનુ વર્તન જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિકનાણાકીય કે કોઈબાબતે ખુશી થવાય તેવો લાભ પણ બની શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તેવા લોકોએ થોડી તકેદારી રાખવી જરૂરી છે, સગા-સ્નેહી સાથેની વાર્તાલાપમા તમને ગમતી કોઇ વાત સાંભળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈવસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમા પસંદગી અનુરૂપ નાના કામ કરવા યોગ્ય છે.


તમારા કામકાજમા અન્યનો સાથ-સહકાર ઓછો મળી શકે છે, તમારા કામમા ગણતરી અને મહેનતના  પ્રમાણમા ઓછુફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોયતો તેની વાર્તાલાપ અને મિલન-મુલાકાતમા અતિઉત્સાહ ના રાખવો ફક્ત એટલુ ધ્યાન રાખવુંકે ઈર્ષાળુ કોઈ ખટપટ ના કરી જાય, યાત્રા-પ્રવાસ પણ તમને ઓછા ઉત્સાહવાળો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમા તમને સારુ કરવાની લાગણી જન્મી શકે છે અને આયોજનપૂર્વક કામ કરોતો થોડો લાભ થઈ શકે છે, કોઈ કારણસર આકસ્મિકખર્ચ થવાથી મન થોડુ નાખુશ રહે તેવુ પણ બનવા જોગ છે.

રાશિ ભવિષ્ય 28/09/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિકકામમા મિલન-મુલાકાત થઇ શકે, માર્કેટિંગ ક્ષેત્રમા પરિચિતકે જુનાસંપર્કમા કામકાજ કરવામા આવેતો સારુ પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસયોગ થઈ શકે છે, યુવાવર્ગને ગમતી કોઈવાત સાંભળવા મળે,  વેપારમા નાનુ કામ કરવુજ યોગ્ય છે.


આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસકરીને વાણીસયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે,  વેપારમા કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે વિચારમતભેદ ના થાય તેની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમા સમયનો દુર્વ્યય વધુ થાય.


આજનો દિવસ સામાન્ય છે, મન થોડુ અશાંત  રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમા  સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમા નાનુ અને ગણતરીપુર્વાક્નુ કામ કરવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા વ્યસ્તતા વચ્ચે પણ કામ શાંતિથી પૂર્ણ થઇ શકે છે.


આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈજૂની ઓળખાણથી લાભની વાત બને, વેપારના કામકાજમા અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે,  તમને આજે થોડો ગુસ્સો કઈને કઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણી ના દુભાય તેનુ ધ્યાન રાખવુ, વાહન ધીમે ચલાવવું તેમજ  મુસાફરીમા ધ્યાન રાખવુ, વેપારના કામકાજમા જોખમીપરિબળથી દુર રહેવુ સલાહ ભર્યું છે.


આજનો દિવસ સરસ છે તેમા પણ તમારા ધાર્યા કામ થાય મન થોડુ આજે ઉદાર બની ક્યાંક કોઈને સહભાગી બનો અને જૂનીભૂલ સુધારવા માટે પ્રયત્ન કરો, વેપારના કામકાજમા ચોકસાઈ રાખોતો લાભ થાય, યુવાવર્ગને પોતાની કોઈ અંગતવાતની દ્વિધા હોયતો તેમા પણ યોગ્ય રાહ મળે તેવુ બની શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ, વાહન ધીમે ચલાવવુ અને ક્યાય કોઈની સાથે ઉગ્રતા ના થાય તે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમા કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે, વેપારમા જોખમથી દુર રહેવુ.


આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસયોગ બને, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવુ પણ બનવા જોગ છે, તમારી કરેલી મહેનતનુ ફળ સારુ મળી શકે તેવુ પણ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમને અન્યનુ માર્ગર્દર્શન સારુ મળી રહે, વેપારમા લાભની તક રહેલી છે, યુવાવર્ગને સારી ખુશી જોવા મળી શકે છે.


આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમા દિવસ પસાર થઇ જાય, તમારા કામમા થોડા વ્યસ્ત રહો તેવુ પણ બની શકે છે, વેપારમા નાનુ અને ગણતરીપૂર્વકનુ કામ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા માનસિકથાકની લાગણી વધુ અનુભવો, યુવાવર્ગને કોઇવાતમા આતુરતા વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમા તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમા સારાકામ કર્યાનો સંતોષ મળે, વેપારમા નાનુ કામજ કરવુ યોગ્ય છે, યુવાવર્ગને આજે પોતાના મનની કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીમા પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય  પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મકવિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમા કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવુ.


આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા વધુ સમય ફાળવોતો કંઇક સારુ શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમા આયોજનબદ્ધ કામ કરવાથી સારુ પરિણામ મળી રહે, વેપારમા અનુભવ મુજબ કામ કરવાથી લાભ થઈ શકે છે.

ગતિહીનતા/પ્રવાહીનતા એ એક પ્રકારની બીમારી છે…

(સદગુરૂ જગ્ગી વાસુદેવ)

ગતિહીનતા/પ્રવાહીનતા એ એક પ્રકારની બીમારી છે. એ જીવન ની વિરોધી છે. સ્થિરતા/નિશ્ચળતા ભરપુર જીવન છે જે કોઈ પણ રીતે પોતાને વ્યક્ત/પ્રકટ કરતી નથી. તે બસ મૌજૂદ છે–શક્તિશાળી રૂપે. તે ભગવાન છે. ભગવાન સ્થિરતા/નિશ્ચળતા છે, ગતિહીનતા/પ્રવાહીનતા નથી. મન ગતિહીનતા/પ્રવાહીનતા છે. સાધના (આધ્યાત્મિક અભ્યાસ) એક એવું બળ છે જે તમને ગતિહીનતા/પ્રવાહીનતા થી સ્થિરતા/નિશ્ચળતામાં લઇ જાય છે, પણ ગતિહીનતા/પ્રવાહીનતા અને સ્થિરતા/નિશ્ચળતા વચ્ચે, જ્યારે તેઓ સાથે હોય છે, ત્યારે ખૂબ જ ઓછો તફાવત હોય એમ લાગે છે, કારણ કે તમારું તાર્કિક મન ફક્ત જે ચાલે અને જે નથી ચાલતુ ના સંદર્ભમાં જ સમજી શકે છે.

ભૌતિક દ્રષ્ટિએ, સ્થિરતા/નિશ્ચળતા અને ગતિહીનતા/પ્રવાહીનતા એક જેવા જ દેખાઈ શકે છે, પણ ગુણાત્મક રીતે તેમની વચ્ચે આભ-જમીન નું અંતર છે. એક વ્યક્તિ ધ્યાન કરે છે અને એક વ્યક્તિ સૂતો છે, તે બંને જોવામાં એક સરખાં લાગી શકે. બહારથી, સ્થિરતા/નિશ્ચળતા અને ગતિહીનતા/પ્રવાહીનતા વચ્ચે કોઈ અંતરના જણાય પણ આંતરિક રીતે, જબરદસ્ત તફાવત છે. ગતિહીનતા/પ્રવાહીનતા થી સ્થિરતા/નિશ્ચળતા સુધી, અજ્ઞાન થી આત્મસાક્ષાત્કાર સુધી, આજ તફાવત છે. એક રીતે, તેઓ એક જ વસ્તુ છે, ફક્ત તેમના ગુણમાં અંતર/તફાવત છે.

જ્યારે તમે પોતેજ અજ્ઞાનમાં ડૂબેલા છો ત્યારે તમે આ ગુણાત્મક તફાવતને કંઈ રીતના જાણી શકશો?

એટલા માટે જ સાધના ની પ્રક્રિયા સંપૂર્ણ’થવી જોઈએ. તે વ્યક્તિની મૂઢતા પર આધાર રાખે છે કે તેની સાધના કેટલી લાંબી હોવી જોઈએ. શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે તમારી જાતને હદ સુધી લઇ જાવ અને જુઓ ત્યાં શું છે. જો તમે દરેક નાની અસુવિધા માટે રોકાઈ જશો, તો તમે ક્યારેય જાણી નહિ શકો તે શું છે. બસ પોતાને હદ સુધી લઇ જાવ. તમે પોતાને અસુવિધા ના બિંદુ સુધી લઇ જાવ પણ ત્યાં છોડી ના દો, વધુ આગળ જાવ અને હજી વધુ આગળ જાવ. તેને પરમ સુધી લઇ જાવ, ચરમ સુધી. ફક્ત ત્યારે જ મન પોતાનામાં વિસર્જિત/વિલીન થશે. તમારે કોઈ અન્ય સાધના કરવાની જરૂર નથી.

આ એક જ સાધના ની જરૂર છે. સાધના ના રૂપમાં બાકીની બધીજ પ્રવૃત્તિ આ એક વસ્તુને મેળવવા માટે છે. વ્યક્તિએ એવી રીતે હોવું જોઈએ કે તમારો સંકલ્પ (નિશ્ચય) અડગ હોય. શા માટે કોઈને હિમાલયમાં જઈ અને ત્યાં ૧૨ (બાર) વર્ષ માટે રેહવાનું કેહવામાં આવે છે, તે એટલા માટે નહિ કે જો તેઓ હિમાલય માં રેહશે તો ત્યાના પથ્થરો તેમને આત્મસાક્ષાત્કાર આપશે. તે એટલા માટે કે કોઈ પોતાના જીવન ના ૧૨ વર્ષ   સુદ્ધાં બરબાદ/વેડફવા કરવા માંગે છે, બધી કઠિનાઈઓ વેઠી ને, ફક્ત સત્ય ને શોધવા માટે. જો આવો સંકલ્પ આવ્યો હોય, તો  વ્યક્તિ ઘણી નજીક છે. એક રીતે, તે ખરેખર જીવન ને બરબાદ/વેડફવા જેવું જ છે. જ્યારે આખી દુનિયા મજાથી ખાતી હોય, મજા થી પીતી હોય અને આનંદ માણતી હોય, તમે ઠંડી માં “શિવ, શિવ, શિવ” નું રટણ કરતા હોવ, એ જાણતા કે કદાચ કશું ના મળે.

સંભવ છે કે શિવજી પ્રકટ ના પણ થાય અને તમને ત્યાંથી બહાર કાઢે. તમે જો ભૂખ્યા છો, તો તમે બસ ભૂખ્યા છો. તમને જો ઠંડી લાગે છે, તો તમે ઠંડા છો. તમે જાણો છો કે ત્યાં જીવવું આશાવિહીન બની શકે છે. તે છતાંય તમે ત્યાં રહો છો, કેમ કે તમારા જીવનમાં સૌથી મહત્વની વસ્તુ કંઇક જુદી છે. જ્યારે તેવો સંકલ્પ આવે છે, તો ૧૨ વર્ષ  નથી લગતા. એક ક્ષણ માં, તે થઇ શકે છે. કોઈએ ૧૨ વર્ષ રાહ જોવાની જરૂર નથી. આ તે ક્ષણ હોઈ શકે છે. કારણ કે તમે આ ક્ષણ નો ઉપયોગ નથી કરતા માટે તમારે આગલા ની પ્રતીક્ષા કરવી પડે છે. હંમેશા આ જ ક્ષણ છે.

(ભારતની પચાસ સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન ધરાવતા સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને બેસ્ટસેલિંગ ઓથર છે. 2017માં ભારત સરકાર દ્વારા સદગુરુને પદ્મવિભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા હતા, જે વિશિષ્ટ અને અસાધારણ સેવા બદલ આપવામાં આવતો વાર્ષિક એવોર્ડ છે.)