ગતિહીનતા/પ્રવાહીનતા એ એક પ્રકારની બીમારી છે…

(સદગુરૂ જગ્ગી વાસુદેવ)

ગતિહીનતા/પ્રવાહીનતા એ એક પ્રકારની બીમારી છે. એ જીવન ની વિરોધી છે. સ્થિરતા/નિશ્ચળતા ભરપુર જીવન છે જે કોઈ પણ રીતે પોતાને વ્યક્ત/પ્રકટ કરતી નથી. તે બસ મૌજૂદ છે–શક્તિશાળી રૂપે. તે ભગવાન છે. ભગવાન સ્થિરતા/નિશ્ચળતા છે, ગતિહીનતા/પ્રવાહીનતા નથી. મન ગતિહીનતા/પ્રવાહીનતા છે. સાધના (આધ્યાત્મિક અભ્યાસ) એક એવું બળ છે જે તમને ગતિહીનતા/પ્રવાહીનતા થી સ્થિરતા/નિશ્ચળતામાં લઇ જાય છે, પણ ગતિહીનતા/પ્રવાહીનતા અને સ્થિરતા/નિશ્ચળતા વચ્ચે, જ્યારે તેઓ સાથે હોય છે, ત્યારે ખૂબ જ ઓછો તફાવત હોય એમ લાગે છે, કારણ કે તમારું તાર્કિક મન ફક્ત જે ચાલે અને જે નથી ચાલતુ ના સંદર્ભમાં જ સમજી શકે છે.

ભૌતિક દ્રષ્ટિએ, સ્થિરતા/નિશ્ચળતા અને ગતિહીનતા/પ્રવાહીનતા એક જેવા જ દેખાઈ શકે છે, પણ ગુણાત્મક રીતે તેમની વચ્ચે આભ-જમીન નું અંતર છે. એક વ્યક્તિ ધ્યાન કરે છે અને એક વ્યક્તિ સૂતો છે, તે બંને જોવામાં એક સરખાં લાગી શકે. બહારથી, સ્થિરતા/નિશ્ચળતા અને ગતિહીનતા/પ્રવાહીનતા વચ્ચે કોઈ અંતરના જણાય પણ આંતરિક રીતે, જબરદસ્ત તફાવત છે. ગતિહીનતા/પ્રવાહીનતા થી સ્થિરતા/નિશ્ચળતા સુધી, અજ્ઞાન થી આત્મસાક્ષાત્કાર સુધી, આજ તફાવત છે. એક રીતે, તેઓ એક જ વસ્તુ છે, ફક્ત તેમના ગુણમાં અંતર/તફાવત છે.

જ્યારે તમે પોતેજ અજ્ઞાનમાં ડૂબેલા છો ત્યારે તમે આ ગુણાત્મક તફાવતને કંઈ રીતના જાણી શકશો?

એટલા માટે જ સાધના ની પ્રક્રિયા સંપૂર્ણ’થવી જોઈએ. તે વ્યક્તિની મૂઢતા પર આધાર રાખે છે કે તેની સાધના કેટલી લાંબી હોવી જોઈએ. શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે તમારી જાતને હદ સુધી લઇ જાવ અને જુઓ ત્યાં શું છે. જો તમે દરેક નાની અસુવિધા માટે રોકાઈ જશો, તો તમે ક્યારેય જાણી નહિ શકો તે શું છે. બસ પોતાને હદ સુધી લઇ જાવ. તમે પોતાને અસુવિધા ના બિંદુ સુધી લઇ જાવ પણ ત્યાં છોડી ના દો, વધુ આગળ જાવ અને હજી વધુ આગળ જાવ. તેને પરમ સુધી લઇ જાવ, ચરમ સુધી. ફક્ત ત્યારે જ મન પોતાનામાં વિસર્જિત/વિલીન થશે. તમારે કોઈ અન્ય સાધના કરવાની જરૂર નથી.

આ એક જ સાધના ની જરૂર છે. સાધના ના રૂપમાં બાકીની બધીજ પ્રવૃત્તિ આ એક વસ્તુને મેળવવા માટે છે. વ્યક્તિએ એવી રીતે હોવું જોઈએ કે તમારો સંકલ્પ (નિશ્ચય) અડગ હોય. શા માટે કોઈને હિમાલયમાં જઈ અને ત્યાં ૧૨ (બાર) વર્ષ માટે રેહવાનું કેહવામાં આવે છે, તે એટલા માટે નહિ કે જો તેઓ હિમાલય માં રેહશે તો ત્યાના પથ્થરો તેમને આત્મસાક્ષાત્કાર આપશે. તે એટલા માટે કે કોઈ પોતાના જીવન ના ૧૨ વર્ષ   સુદ્ધાં બરબાદ/વેડફવા કરવા માંગે છે, બધી કઠિનાઈઓ વેઠી ને, ફક્ત સત્ય ને શોધવા માટે. જો આવો સંકલ્પ આવ્યો હોય, તો  વ્યક્તિ ઘણી નજીક છે. એક રીતે, તે ખરેખર જીવન ને બરબાદ/વેડફવા જેવું જ છે. જ્યારે આખી દુનિયા મજાથી ખાતી હોય, મજા થી પીતી હોય અને આનંદ માણતી હોય, તમે ઠંડી માં “શિવ, શિવ, શિવ” નું રટણ કરતા હોવ, એ જાણતા કે કદાચ કશું ના મળે.

સંભવ છે કે શિવજી પ્રકટ ના પણ થાય અને તમને ત્યાંથી બહાર કાઢે. તમે જો ભૂખ્યા છો, તો તમે બસ ભૂખ્યા છો. તમને જો ઠંડી લાગે છે, તો તમે ઠંડા છો. તમે જાણો છો કે ત્યાં જીવવું આશાવિહીન બની શકે છે. તે છતાંય તમે ત્યાં રહો છો, કેમ કે તમારા જીવનમાં સૌથી મહત્વની વસ્તુ કંઇક જુદી છે. જ્યારે તેવો સંકલ્પ આવે છે, તો ૧૨ વર્ષ  નથી લગતા. એક ક્ષણ માં, તે થઇ શકે છે. કોઈએ ૧૨ વર્ષ રાહ જોવાની જરૂર નથી. આ તે ક્ષણ હોઈ શકે છે. કારણ કે તમે આ ક્ષણ નો ઉપયોગ નથી કરતા માટે તમારે આગલા ની પ્રતીક્ષા કરવી પડે છે. હંમેશા આ જ ક્ષણ છે.

(ભારતની પચાસ સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન ધરાવતા સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને બેસ્ટસેલિંગ ઓથર છે. 2017માં ભારત સરકાર દ્વારા સદગુરુને પદ્મવિભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા હતા, જે વિશિષ્ટ અને અસાધારણ સેવા બદલ આપવામાં આવતો વાર્ષિક એવોર્ડ છે.)