Home Blog Page 4630

રાશિ ભવિષ્ય 05/10 થી 11/10/20

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

સપ્તાહ દરમિયાન માનસિકથાકની લાગણીના કારણે ક્યાંક ખોટીવાર્તાલાપ કે વાદવિવાદની ઘટના બની શકે છે. નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી જરૂરી છે. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછુ થવાથી ક્યાંક ઉતાવળિયાનિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે. કોઈને વણમાગી સલાહસુચન ના આપવા, ખટપટી લોકોથી દુર રહેવામાજ શાણપણ છે, સ્પર્ધાત્મકપરિક્ષામા આત્મવિશ્વાસ સારો જોવા મળી શકે છે, નવાઆયોજનના વિચારો અને દ્વિધા વધુ જોવા મળી શકે છે.


આકસ્મિકખર્ચા વધે તેવા બનાવ બની શકે છે, પરિવાર સાથે મુસાફરી થઈ શકે છે ,અંગતસંબંધ જેવાકે મિત્રતામા,સગાસ્નેહીની તમે મજાકકરવાની વૃતિવાળા બનો. જૂનીઓળખાણકે જૂનીયાદથી ઘણા રોમાંચિત બનો. સામાજિક, ધાર્મિકપ્રસંગમા તમારી હાજરી પ્રભાવી બની શકે છે, વેપારના કામકાજમા ઉત્સાહને સફળતા જોવા મળે તેવી વાત બને,  જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરીકે ફેરબદલી કરવા માટે સમય યોગ્ય કહી શકાય. સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ નવીરીત શીખવી હોયતો આ સમયનો સદઉપયોગ કરવો સારો છે, લગ્નબાબતની વાર્તાલાપ ક્યાંક આગળ વધી શકે છે.


મહેનત કરતા ઓછુફળ મળવાની ફરિયાદ મનમા વધુ રહે, ક્યારેય વાણીવિલાસ ના થાય તેનુ દયાન રાખવુ ઇચ્છનીય છે. ધરમાંકે કુટુંબમાં કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈજગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે, વેપારના કામકાજમા ધીરજ અને અનુભવથી કામકાજ કરવુ, અન્યની વાતમા દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે, નોકરીકે વ્યવસાયમા સમયનો દુરુપયોગ અને કારણ વગરની કામકાજમા સમસ્યા ના થાય તેનુ ધ્યાન રાખવુ સારુ, જરૂરપુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય.


સાહસિકવૃત્તિ જોવા મળે, આવક-જાવક સરખી રહે, મિલનમુલાકાતકે હરવાફરવામા સમય વધુ પસાર થાય, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમા લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબકે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે તેમા તમારી હાજરીનુ વર્ચસ્વ પણ દેખાય, વેપારના કામકાજમા તમને ઉત્સાહ અને નવીનકાર્ય કરવાનીવૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે તેમજ સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે. ઘણા વખતથી કોઈવાત મનમા રહેતી હોય તેને ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.


સપ્તાહ દમિયાન સફળતા વધુ જોવા મળે, વિચારોની માયાજાળમા ફસાયેલા રહો, વેપારના કામકાજમા ધીરજનો અભાવ વર્તાય પણ તેની અસર કામકાજમા ખાસ ન પડે, શરદી, ખાસી, કફ, તાવ જેવી નાની નાની તકલીફથી પણ પરેશાની રહે તેમા ઉકેલ પણ આપ મેળે મળી જાય, તમારી લાગણી અન્ય લોકો સારી રીતે સમજી શકે, પ્રભુભક્તિમા ધ્યાન અને મન વધુ રહે અને ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો, ક્યાંક આળસવૃતીકે આરામ કરવાની ભાવના વધુ જાગે, હિતશત્રુ કે ખટપટી વ્યક્તિથી તમારો કુદરતી રીતે સારો બચાવ થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારકે વિવાહિતવર્ગ માટે સારા સંજોગો ઉભા થઈ શકે છે.


સપ્તાહ દરમિયાન પરિવાર સાથે મનદુઃખ ના થાય તેની દકેદારી રાખવી, છાતી, ફેફસાના દર્દ હોય તેવા લોકોએ દવાબાબત ચોકસાઈ રાખવી, ધાર્મિકભાવના વધુ દેખાઈ આવે તમને કોઈ સામાજિકકે ધાર્મિકકાર્ય માં કોઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ નવીનસમાચાર તમારા આત્મવિશ્વાસમા વધારો કરી શકે છે, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન આનંદની લાગણી અનુભવી શકે છે. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતુ હોય તેમના માટે કોઈ સારીવાત જાણવા મળે, પસંદગીની ચીજવસ્તુની ખરીદી કરવામા ગણતરી કરતા વધુ ખર્ચ થઈ શકે છે.


ઘરમા કોઈને સ્વાસ્થબાબત નાનીમોટી તકલીફ ના થાય તેનુ ધ્યાન રાખવુ, લગ્નની વાતચીત ક્યાય ચાલતી હોય તેવા યુવાવર્ગ માટે પણ આ સપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થઈ શકે છે, જૂનીવાત ક્યાય અટકેલી હોય તેમા પણ પ્રયત્ન કરવામા આવેતો નસીબ જોગસંજોગ પણ સાથ આપી શકે છે, વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજમા પણ સફળતા મળી શકે છે, મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે આનંદઉત્સાહ અનુભવી શકો છે, તમારામા સહકાર આપવાની ભાવના વધુ જાગે તેવુ પણ બની શકે છે, ભાઈ-બહેનો, મિત્રો તરફથી સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે.


કામકાજમા ગણતરી કરતા વધુ મહેનત થયા બાદ ફળ મળે, કામકાજમા ધીરજ અને સમજણનો વ્યવહારુ અભિગમ રાખવો જરૂરી છે,  જાહેરજીવનમા તમને લોકો વચ્ચે થોડી મજાકમસ્તી કરવાની વૃતિ વધુ જાગે, ઘરમાકે નજીકના સગાસ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયુ હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે, વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, તમારો મોભો,પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકાર કે માર્ગદર્શન સારુ મળી રહે અને તેના કારણે તે કામ માટે તમારો ઉત્સાહ પણ વધી શકે છે.


કોઇપણ પ્રકારની મિલનમુલાકાત સફળ થઈ શકે છે, પાડવા,વાગવા કે લાપસવા જેવી બાબત ઉપરાંત શરદી,ઉધરસ, તાવ,ઇન્ફેકશન લાગવા જેવી બાબતથી તકેદારી રાખવી, ખટપટ કરનારવર્ગથી દુર રહેવાની જરૂર છે જેથી કોઈની ખોટીવાતમા દોરવાઈ ના જવાય, વેપારના કામકાજમા ધીરજ અને તકેદારી રાખવી જરૂરી છે, સલાહ, ઠપકો કે કઈપણપ્રકારનુ માર્ગદર્શન કોઈને આપતા પહેલા વિચાર કરવો જરૂરી છે કે તેમા તેને કોઈ ગેરસમજ ના થઇ જાય, વાર્તાલાપ દરમિયાન વધુ પડતા સ્પષ્ટશબ્દો પણ ના વાપારવા ધીરજ અને કુનેહપૂર્વક વર્તવાથી ઘણીશાંતિ અને સરળતા તમારા વ્યવહારમા રહી શકે છે.


રોકાણ માટે કે નવાકોઇપણ આયોજન માટે સમય સાથ આપી શકે છે, યાત્રાકે જાત્રા થાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. તમારામા ધાર્મિકભાવના વધુ જાગે અને લોકકલ્યાણના વિચારો આવે,  સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા અઘરો પડતો હોયતો તે વિષય શીખવામા વધુમહેનત કરવાથી સારા  ફળની પ્રાપ્તિ થઇ શકે છે, વેપારના કામકાજમા લાભની કોઈવાત બની શકે છે,  લગ્નમાટેની વાતચીત ગોઠવવી અને તેમા મિલનમુલાકાત કરવી ફાયદાકારક બની શકે છે, વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આ સપ્તાહ દરમિયાન તેમા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરેતો તેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે છે.


તમારા સંબંધને મજબુત રાખવા પ્રયત્ન કરવા પડે, કામકાજમા વ્યસ્તતા અને માનસિકથાકની લાગણી અનુભવો, કામકાજમા સમયનો વ્યય પણ વધુ થઇ શકે તેમજ કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે, ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવુ વધુ યોગ્ય છે, વેપારમા કામકાજ દરમિયાન નિર્ણયશક્તિનો થોડો અભાવ દેખાવ પરંતુ કામકાજ થઇ શકે. ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થઈ શકે છે માટે તકેદારી રાખવી, મુસાફરી, થોડી કંટાળાજનક, સમય અને નાણાનોવ્યય થાય તેવો રહી શકે શકે છે.


પરિવાર, સહ-કર્મચારી સાથે સુમેળ થોડો ઓછો જોવા મળે માટે વાર્તાલાપ અને વર્તણુકમા યોગ્યગણતરી રાખવી સલાહભરી છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમારી જૂની મિલનમુલાકાતની યાદી બનાવી તેમા કામ કરવાથી લાભ થઈ શકે છે. મુસાફરીનુ આયોજન થઈ શકે છે, પેટ,અપચાની તકલીફ બાબતે તકેદારી રાખવી, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય અને કોઈ સામાજિકકે ધાર્મિકકામકાજમા જોડાવાની વૃતિ વધુ જાગે, કોઈપ્રવૃત્તિમા અન્યનો સાથસહકાર મળી શકે છે, નાણાની લેવડદેવડ તેમજ પ્રેમસંબંધમા ધીરજ અને જાગૃતતા રાખવી ઇચ્છનીય છે.

૫ ઓક્ટોબર ૨૦૨૦

૫ ઓક્ટોબર ૨૦૨૦

રાશિ ભવિષ્ય 05/10/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજના દિવસમાં તમને ઉત્સાહ જોવા મળી શકે છે, અંગતમિત્રો સાથેની વાર્તાલાપમાં સારોસમય પસાર થાય તેમાં જુનાસ્મરણ તાજા થાય અને તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામ કરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળે, ધાર્મિકસ્થાનની મુલાકાત થઈ શકે છે.


આજે સગાસ્નેહી,જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજ થાય તેવા યોગ છે, કામકાજકે ઈતરપ્રવૃત્તિના કારણે આરોગ્યબાબતે થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુ અભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના ભોગ પણ બની શકો છે.


આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટી મુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્ય માટેના શુભપ્રસંગઅંગે ચર્ચા વિચારણા પણ થાય, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખવું.


આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. શાંતિથી દિવસ પસાર કરવો.


આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરા કરવા માટે પ્રયત્ન કરવો સારો કહી શક્ય જેમાં સારો પ્રતિભાવ જોવા મળી શકે છે, ક્યાય દાનદક્ષિણા આપવાના યોગ પણ બની રહ્યા છે.


આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાયકે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે. તમને કોઈની મજાકમશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, નાનાઅંતરની મુસાફરી થઈ શકે છે. તમે આજે મિત્રોના કોઈ કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે, ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને તેમાં તમારું મન સારું પ્રસન્ન રહે તેવું બની શકે છે.


આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર આબાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. મિત્રોકે ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું, પ્રભુભક્તિમાં સમય વધુ પસાર કરવાની ઈચ્છા થાય અને ધાર્મિકસ્થળની મુલાકાત કરવાથી મનને શાંતિ પણ મળે.


આજે મિત્રો સાથે સારો સમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. લાગણીભર્યા જુનાસંબંધ અચાનક યાદ આવી શકે છે. કોઈ કાર્ય બાબતની ક્યાય મિલનમુલાકાત થવાથી તમને સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.


આજે થોડાક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, કોઈ જરૂરિયાત વાળી વ્યક્તિને યથાશક્તિ દાન આપવું ઇચ્છનીય છે, પ્રભુમાં ચિત્ત રાખવું યોગ્ય કહી શકાય.


આજે કોઈ ધાર્મિકસ્થળકે સામાજિકપ્રસંગ માટેની મુલાકાત થઈ શકે છે, જાહેરજીવનમાં તમારો મોભો સારો વર્તાય, આજે તમારું વર્ચસ્વ તમાર કામ અને આવડત પર સારું જોવા મળે. યુવાવર્ગને પોતાની પસંદગીની કોઈ વાત સંભાળવા મળે કે જાણવા મળી શકે છે, નાનાઅંતરની મુસાફરી પણ થઈ શકે છે.


આજે એકલા હાથે ઘણા કામ કરવાના આવે તેવું બની શકે છે તેમાં તમને અન્યનો સાથ ઓછો જોવા મળે તેના કારણે તમે કામ ટાળવાની વૃતિ જાગે અને આરામ કરવાનું મન વધુ થાય, ક્યાંક આકામિકનાણાકીય ખર્ચ આવી શકે છે, મિલનમુલાકાતકે હરવાફરવામાં ઉમંગનો અભાવ જોવા મળી શકે છે.

તમારી તીવ્રતા વધારો…

(સદગુરૂ જગ્ગી વાસુદેવ)

મોટાભાગની વ્યક્તિઓ ફક્ત જોખમની સ્થિતિમાં જ કાર્યક્ષમ બને છે. ધારો કે, તમે કાર ચલાવી રહ્યા છો, કારની સ્પીડ 120 માઇલ પ્રતિ કલાક છે. આ સ્પીડમાં તમે કાર ચલાવી રહ્યા છો અને અચાનક જ કશુંક માર્ગમાં આવે છે. સંભવિત અકસ્માત પહેલાંની અમુક ક્ષણોમાં તમે કશુંક કરવાનો પ્રયત્ન કરો છો, કાં તો બ્રેક મારો છો, ગભરાઈ જાઓ છો અથવા તો તમારી સામે જે હોય તેને ટાળવાનો પ્રયત્ન કરો છો. ધારી લો કે તે અકસ્માત ટળી ગયો, તમે બચી ગયા, તમે જીવતા છો અને આજે અહીં બેઠા છો. છતાં, તે ગણીગાંઠી ક્ષણો તમે કદી પણ ભૂલી શકતા નથી. તે ક્ષણો એટલી તીવ્ર, એટલી ઉત્કટ હતી કે તેનો વિચાર કરવા માત્રથી આજે પણ તે દ્રશ્ય તમારી સામે જીવંત થઈ ઊઠે છે.

બીજું ઉદાહરણ જોઈએ, ધારો કે તમે ઊંચી બિલ્ડીંગની ધાર પર ઊભા છો અને પડવાની તૈયારીમાં છો. શું તમે જાણો છો કે તે ક્ષણે તમે કેટલા આવેશમાં આવી જાઓ છો? જો પડી જવાનું પરિણામ હટાવી દેવામાં આવે, તો પડવું ઘણી જ રોમાંચક ક્રિયા છે, ખરુંને? જો કાર અથડાવાનાં પરિણામોને હમણાં બાજુ પર રાખી દઈએ, તો તમે રોજ કારને અથડાવા ઇચ્છશો. પણ કાર ટકરાવાથી કારને નુકસાન થાય છે, તમને ઇજા થાય છે, આથી તમે અકસ્માતને ટાળવા ઇચ્છો છો. ધારો કે તે પરિણામો ન સર્જાય, તો શું તમે અવાર-નવાર કાર અકસ્માતનો અનુભવ કરવાનું પસંદ નહીં કરો? તમને શું લાગે છે, આ એડવેન્ચર સ્પોર્ટ્સ શું છે? પરિણામ વિનાના અકસ્માતો… તમે પ્લેનમાંથી નીચે કૂદો છો અને છેલ્લી ઘડીએ પેરેશૂટ ખોલો છો. પડવાનો આ અનુભવ તમે મેળવવા માંગો છો, કારણ કે તે તમારામાં જોશનો સંચાર કરે છે.

આમ, સામાન્યપણે જોખમની ક્ષણોમાં જ લોકો તીવ્રતાને જાણે છે. હવે હું તમને એ કહી રહ્યો છું કે, પર્વત પરથી છલાંગ મારવાનાં કે કાર ટકરાવવાનાં કે અન્ય કોઈ સાહસો કરવાને બદલે અત્યંત તીવ્રતા સાથે અહીં બેસો. જો તમે તેટલા તીવ્ર થઈ શકતા હોવ, તો જો એક વાર તમે તમારી આંખો બંધ કરશો, તો તમારા સમગ્ર જીવનકાળ દરમિયાન આંખો ખોલવાની જરુરિયાત નહીં વર્તાય, કારણ કે, જીવનમાં અત્યંત તીવ્રતા સર્જાઈ રહી છે. લોકો તેમની આંખો બંધ કરે છે અને લાંબા સમય સુધી આંખો ખોલતા નથી, તેનો અર્થ એ નથી કે તેમને જીવનમાં રસ નથી, ઊલટું, તેઓ પ્રચંડ તીવ્રતાથી જીવનનો અનુભવ કરી રહ્યા છે. બીજું કશું તેમને સૂઝતું નથી.

લોકો એવું માને છે કે કોઈ વ્યક્તિ ધ્યાનમાં મગન હોય, તો તેનો અર્થ એ કે તે સુષુપ્તાવસ્થામાં છે. સુષુપ્તાવસ્થા એટલે જીવનને ઘટાડવું. ધ્યાનથી જીવન ઘટતું નથી. ધ્યાન જીવનને ઉન્નત કરે છે. જ્યારે તમે તીવ્રતાની ચરમસીમા પર હોવ, ત્યારે કરવા માટેનું આ સૌથી રોમાંચક કાર્ય બની રહે છે – ફકત બેસી રહેવું.

શિવ હજ્જારો વર્ષ સુધી આ સ્થિતિમાં બેસી રહેતા, કારણ કે તેઓ તીવ્રતાની પ્રચંડ સ્થિતિમાં રહે છે. આથી, જ્યારે તમારો “વોલ્ટેજ” વધે છે, ત્યારે તમે કુદરતી રીતે તે બધુ જ જોઈ શકશો જેને જોવું સાર્થક છે. શિવ તેમના વોલ્ટેજને ઘણા જ ઉન્નત સ્તરે લઈ ગયા અને આ રીતે તેમનું ત્રીજું નેત્ર ખૂલ્યું. “ત્રીજું નેત્ર” એટલે કપાળ પરનો કાપો નહીં. ત્રીજું નેત્ર એટલે અન્ય લોકો જે વસ્તુ જોઈ ન શકે, તે શિવ જોઈ શકે. તે તમે પણ જોઈ શકો છો, પણ તે માટે તમારે તમારો વોલ્ટેજ વધારવો પડશે.

(ભારતની પચાસ સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન ધરાવતા સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને બેસ્ટસેલિંગ ઓથર છે. 2017માં ભારત સરકાર દ્વારા સદગુરુને પદ્મવિભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા હતા, જે વિશિષ્ટ અને અસાધારણ સેવા બદલ આપવામાં આવતો વાર્ષિક એવોર્ડ છે.)

 

પંચાંગ 05/10/2020

(મયંક રાવલ)

 

સંજય દત્તની નવી તસવીરથી પ્રશંસકો એમના આરોગ્ય વિશે ચિંતિત

મુંબઈઃ બોલીવૂડ અભિનેતા સંજય દત્તની એક નવી તસવીર ઈન્ટરનેટ પર વાયરલ થઈ છે અને એ જોયા પછી એમના પ્રશંસકોએ એમના આરોગ્ય વિશે ચિંતા વ્યક્ત કરી છે.

જે તસવીર વાઈરલ થઈ છે એમાં સંજય ઘણા નબળા પડી ગયેલા દેખાય છે. તસવીરમાં એમની સાથે કોઈક પ્રશંસક છે.

આ તસવીર જોયા બાદ સોશિયલ મિડિયા પર યૂઝર્સે ‘મુન્નાભાઈ એમબીબીએસ’ના સ્ટારને જલદી સાજા થઈ જાય એવી શુભેચ્છા વ્યક્ત કરી છે.

એક યૂઝરે લખ્યું છે, ‘સંજુબાબા બહુ નબળા દેખાય છે. આશા રાખીએ કે એ જલદી સાજા થઈ જાય.’

એક અન્ય યૂઝરે લખ્યું છે, ‘એમને જલદી સારું થઈ જાય એવી આશા રાખીએ.’

સંજયની તબિયત હાલ સારી નથી. ગઈ 11 ઓગસ્ટે એમણે જાહેરાત કરી હતી કે પોતે મેડિકલ સારવાર લેવા માટે કામકાજમાંથી બ્રેક લઈ રહ્યા છે.

61 વર્ષીય સંજયે કે એમના પરિવારજનોએ હજી સુધી કંઈ પણ સત્તાવાર રીતે જાહેર કર્યું નથી, પરંતુ ટ્રેડ એનાલિસ્ટ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઈનસાઈડર કહેવાતા કોમલ નાહટાએ એક ટ્વીટમાં લખ્યું હતું કે સંજયને ફેફસાંનું કેન્સર છે.

2021ના જુલાઈ સુધીમાં 25 કરોડ લોકોને કોરોના-રસી આપી શકાશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને જણાવ્યું છે કે કેન્દ્ર સરકારને આશા છે કે આવતા વર્ષના જુલાઈ સુધીમાં કોવિડ-19 બીમારીને રોકતી રસીના 40-50 કરોડ ડોઝ મળશે અને તે ડોઝથી દેશમાં 20-25 કરોડ લોકોને રસી આપી શકાશે.

ડો. હર્ષવર્ધને આજે એમના સાપ્તાહિક જનસંવાદ કાર્યક્રમમાં એમ પણ કહ્યું કે ભારતીય રસી ઉત્પાદકો પાસેથી કોરોનાની રસી ઉપલબ્ધ થશે અને તે સંપૂર્ણપણે સરકારના ટેકા સાથે લોકોને આપવામાં આવશે.

સરકારને રસીના જે ડોઝ મળશે તે દેશની કુલ 130 કરોડની વસ્તીના આશરે 25 કરોડ લોકોને આપવા માટે પર્યાપ્ત હશે. આ રસી પહેલાં આગળ પડતાં રહીને સેવા બજાવનાર આરોગ્ય ક્ષેત્રના કર્મચારીઓને આપવામાં આવશે, કારણ કે રસીની સૌથી પહેલી જરૂર એમને જ હશે.

આ રસીની ખરીદી કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે. આ કામ પ્રગતિના પંથે છે. રસીના ડોઝનું ક્રમબદ્ધ રીતે વિતરણ કરવામાં આવશે. એમાં પારદર્શકતા અને જવાબદારી નક્કી કરવા માટે સમગ્ર પ્રક્રિયા જાહેર કરવામાં આવશે.

મુંબઈમાં રેલવે સ્ટેશનો પર રોજ 20 નકલી ID કાર્ડધારકો પકડાય છે, દંડાય છે

મુંબઈઃ કોરોનાવાઈરસ રોગચાળાને કારણે મુંબઈમાં આમ જનતા માટે લોકલ ટ્રેન સેવા ગયા માર્ચ મહિનાથી બંધ છે. માત્ર સરકારી આવશ્યક સેવાઓમાં જોડાયેલા કર્મચારીઓને જ વિશેષ લોકલ ટ્રેનોમાં સફર કરવા દેવામાં આવે છે. તેથી ચાલબાજી કરીને, ખોટી રીતે ટ્રેનોમાં પ્રવાસ કરનો પ્રયાસ કરવા બદલ રોજ 20 જેટલા લોકોને પકડવામાં આવે છે.

પશ્ચિમ રેલવેના જણાવ્યા મુજબ, મુંબઈમાં દરરોજ 20 નકલી રેલવે આઈડેન્ટિટી કાર્ડધારકોને પકડવામાં આવે છે અને એમને દંડ ફટકારવામાં આવે છે. આવા લોકો ‘આવશ્યક સેવા કર્મચારી’નું નકલી આઈડી કાર્ડ મેળવીને રેલવે સ્ટેશનો પર પ્રવેશવાનો પ્રયાસ કરે છે. આવા લોકોની સંખ્યા વધી રહી છે.

કોરોનાવાઈરસ બીમારી ફેલાઈ હોવાને કારણે એનો ચેપ વધે નહીં એટલા માટે સામાન્ય નાગરિકોને મુંબઈની જીવાદોરી ગણાતી લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવા દેવામાં આવતો નથી. હાલ માત્ર રાજ્ય તથા કેન્દ્ર સરકારોના કર્મચારીઓ, રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેન્કોના કર્મચારીઓ તથા અન્ય આવશ્યક સેવાઓના સ્ટાફ સભ્યોને જ વિશેષ ઉપનગરીય ટ્રેનોમાં પ્રવાસ કરવા દેવામાં આવે છે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે એક નિવેદનમાં કહ્યું છે કે દરરોજ સરેરાશ 20 જેટલા લોકોને નકલી કે શંકાસ્પદ આઈડી કાર્ડ સાથે પકડવામાં આવે છે અને દંડ ફટકારવામાં આવે છે.

રેલવે તંત્રએ ગઈ 15મી જૂનથી વિશેષ લોકલ ટ્રેનોની સેવા શરૂ કરી છે. અત્યાર સુધીમાં ટિકિટ વગર ટ્રેનોમાં પ્રવાસ કરવા બદલ 4,555 જણને દંડ ફટકારવામાં આવ્યો છે. એવા લોકો પાસેથી દંડરૂપે કુલ રૂ. 23.24 લાખની રકમ વસૂલ કરવામાં આવી છે.

એક શખ્સ નકલી આઈડેન્ટિટી કાર્ડ વાપરીને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતો હતો. એના આઈડી કાર્ડ પર ધારકનો ફોટો હતો, આધાર કાર્ડ નંબર હતો અને પશ્ચિમ રેલવેનો નંબર સાથેનો લોગો હતો. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે તે માણસ બોરીવલીમાં એક કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતો હતો. એણે રેલવે પાસેથી પ્રપંચ કરીને ઓથોરિટી લેટર મેળવ્યો હતો.

આ કેસને જીઆરપીને સુપરત કરી દેવામાં આવ્યો છે અને એફઆઈઆર નોંધવામાં આવી છે.

આવો જ એક કેસ અંધેરી સ્ટેશન પર બન્યો હતો. એ શખ્સે પણ નકલી આઈડી કાર્ડ મેળવ્યું હતું. પૂછપરછ કરતાં એણે કહ્યું કે પોતે એક ફોટોકોપિઅર દુકાનમાં કામ કરે છે અને એના માલિકે એને તથા અન્ય કર્મચારીઓને નકલી આઈડી કાર્ડ આપ્યા હતા. તે શખ્સે એમ પણ કહ્યું કે આ નકલી ઈમરજન્સી પાસ લઈને ઓછામાં ઓછા 50-60 જણ પ્રવાસ કરે છે. આ શખ્સને પણ જીઆરપીને હવાલે કરવામાં આવ્યો છે અને એફઆઈઆર નોંધવામાં આવી છે.

બાદમાં, બોરીવલી સ્ટેશન ઉપર આ જ એજન્ટે ઈસ્યૂ કરેલા નકલી આઈડી કાર્ડ ધરાવનાર બે જણને પકડવામાં આવ્યા હતા. એજન્ટની ધરપકડ કરવામાં આવી હતી અને હાલ એ જામીન પર છૂટ્યો છે.

ચલણી નોટ્સથી પણ કોરોના ફેલાઈ શકે છેઃ RBIની પુષ્ટિ

નવી દિલ્હીઃ કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)નું કહેવું છે કે કરન્સી નોટ્સથી પણ નોવેલ કોરોનાવાઈરસનો ચેપ ફેલાઈ શકે છે એવી સંભાવનાને ભારતીય રિઝર્વ બેન્કે પુષ્ટિ આપી છે. વેપારીઓની આ રાષ્ટ્રીય સંસ્થાએ હવે એવી માગણી કરી છે કે સરકાર ડિજિટલ પેમેન્ટ્સ વધે એ માટે સવલત આપે.

શું ચલણી નોટ્સ બેક્ટેરિયા અને વાઈરસના વાહક બને એવી સંભાવના ખરી? આ વિશે સ્પષ્ટતા મેળવવા માટે CAIT સંસ્થાએ આ વર્ષની 9 માર્ચે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામનને પત્ર લખ્યો હતો.

તે પત્ર જોકે રિઝર્વ બેન્કને ફોરવર્ડ કરવામાં આવ્યો હતો, જેણે CAITને જવાબ લખ્યો છે અને એવો સંકેત આપ્યો છે કે કરન્સી નોટ્સથી બેક્ટેરિયા અને કોરોનાવાઈરસ સહિતના વાઈરસો ફેલાઈ શકે છે. તેથી કરન્સી નોટ્સની લેતી-દેતી ટાળવા માટે ડિજિટલ પેમેન્ટ્સનો વધુ ને વધુ ઉપયોગ કરવો જોઈએ, એમ કોન્ફેડરેશને એક નિવેદનમાં જણાવ્યું છે.

RBIએ વધુમાં જણાવ્યું છે કે કોરોનાવાઈરસ રોગચાળાને અંકુશમાં રાખવા માટે લોકો મોબાઈલ અને ઈન્ટરનેટ બેન્કિંગ, ક્રેડિટ અને ડેબિટ કાર્ડ વગેરે જેવા અનેક ઓનલાઈન ડિજિટલ માધ્યમોની મારફત ઘેરબેઠાં પેમેન્ટ કરી શકે છે. અને એ રીતે રોકડનો ઉપયોગ તથા ઉપાડને શક્ય એટલી હદે ઓછા રાખી શકે છે.

CAITના રાષ્ટ્રીય પ્રમુખ બી.સી. ભારતિયા અને મહામંત્રી પ્રવીણ ખંડેલવાલના જણાવ્યા મુજબ, રિઝર્વ બેન્કનો જવાબ દર્શાવે છે કે ચલણી નોટો વાઈરસો અને બેક્ટેરિયાના વાહક છે, તેથી ચલણી નોટોની લેતીદેતી ટાળવા માટે ડિજિટલ પેમેન્ટ્સનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ.

CAIT સંસ્થાએ નાણાં પ્રધાન સીતારામનને એવી વિનંતી કરી છે કે ડિજિટલ પેમેન્ટ્સને પ્રોત્સાહન મળે અને એનો ઉપયોગ વધે એ માટે સરકાર કોઈક સવલતવાળી યોજના બહાર પાડે.

નિવેદનમાં જણાવાયું છે કે ડિજિટલ સોદાઓ પર બેન્કો દ્વારા લેવાતા ચાર્જિસને માફ કરવા જોઈએ અને સરકારે બેન્ક ચાર્જિસની જગ્યાએ બેન્કોને સીધી સબસિડી આપવી જોઈએ.

કોરોના રોગચાળાને કારણે વોશિંગ્ટન સ્થગિત; પ્રમુખ ટ્રમ્પ હોસ્પિટલમાં છે

વોશિંગ્ટનઃ વર્લ્ડ બેન્કના કાર્યાલયના વિશાળ દરવાજાઓની પાછળ સુરક્ષા ચોકિયાતો પહેરો ભરી રહ્યા છે, પરંતુ સાવ નવરા જેવા લાગ છે. બહાર, વોશિંગ્ટન ડી.સી.ની ફૂટપાથો મોટે ભાગે ખાલી દેખાય છે.

બેન્ક ખુલ્લી છે, ગ્રાહકોને સેવા આપવા સજ્જ છે, પરંતુ ગ્રાહકો ગેરહાજર છે. બેન્કમાં પણ આજકાલ મીટિંગો વર્ચ્યુઅલ માધ્યમથી જ યોજાય છે.

બાજુમાં જ, ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)નું હેડક્વાર્ટર-2 બિલ્ડિંગ આવેલું છે. ત્યાં તો બોર્ડ જ મૂકી દેવામાં આવ્યું છે, ‘કામચલાઉ બંધ છે’. જોકે આ બોર્ડ તો છેલ્લા છ મહિનાથી લટકતું જોવા મળે છે.

અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી આડે હવે માત્ર એક જ મહિનો બાકી રહી ગયો છે ત્યારે અમેરિકાના રાજકારણના કેન્દ્રસમું વોશિંગ્ટન શહેર – રાષ્ટ્રીય પાટનગર કોરોના વાઈરસ રોગચાળાને કારણે સામાજિક અને આર્થિક પ્રવૃત્તિઓના અભાવને કારણે સૂમસામ દેખાય છે.

અમેરિકામાં કોરોનાના કેસો વધતા જ જાય છે. વોશિંગ્ટન શહેરમાં શનિવારે વધુ 609 કેસ નોંધાયા હતા. હવે તો દેશના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ મહાબીમારીના શિકાર બની ગયા છે અને મિલિટરી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. એમના પત્ની, ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. તેઓ હોમ-ક્વોરન્ટાઈન સ્થિતિમાં છે.

વ્હાઈટ હાઉસના સત્તાવાર ફિઝિશન ડો. શોન કોન્લીનું કહેવું છે કે પ્રમુખ ટ્રમ્પની તબિયત સુધારા પર છે, પણ ભયમુક્ત નથી. એમને તાવ નથી અને કોઈ તકલીફ વિના આસપાસ હરીફરી શકે છે. તેઓ હોસ્પિટલમાંથી જ એમની કામગીરી બજાવી રહ્યા છે.