Home Blog Page 4616

સુવિચાર – ૧૫ ઓક્ટોબર, ૨૦૨૦

સુવિચાર – ૧૫ ઓક્ટોબર, ૨૦૨૦

કોરબેટના વાઘ સ્વભાવે ગુસ્સાવાળા એટલે…

ભારતના વિવિધ ટાઇગર રીસર્વમાં જવાનો આનંદ અનેરો છે, પણ મારા કેટલાક પ્રિય સ્થાનો માં એક છે કોરબેટ ટાઇગર રીસર્વ. કોરબેટમાં પણ અનેક ભાગ છે જ્યાં વાઘ જોવા માટે જઇ શકાય જેવા કે ઢીકાલા, બીજરાની, ઝિરના, સીતાબની વગેરે, પણ ઢીકાલાના કુદરતી સૌદર્યની વાત જ કંઇક અલગ છે. ધનગડી ગેટથી પાર્કની અંદર જેવા જાવ કે તરત એક સરસ ઇન્ટરપ્રીટેશન સેન્ટર આવે જે કોરબેટ વિશેની સંપુર્ણ માહિતી આપે. ધનગડી ગેટથી જેવી ડ્રાઇવ શરુ થાય કે તરતજ તમને મોટા મોટા શાલ ના ઝાડ સતત દેખાય, વચ્ચે વચ્ચે સુર્ય પ્રકાશની અવર જવરથી આ દ્રશ્ય એકદમ સુંદર લાગે. ધનગડી ગેટથી ઢીકાલા ફોરેસ્ટ ગેસ્ટહાઉસ ના રસ્તે હાથી સહિતના અનેક પ્રાણીઓ જોવા મળે અને જો ભાગ્ય સારુ હોય તો વાઘ પણ મળી જાય, અને ખરાબ હોય તો હાથી તમારી પાછળ દોડી તમને ચાર્જ પણ કરે.  

અમે સવારે વહેલા ધનગડી ગેટથી ઢીકાલા ગેસ્ટહાઉસ પહોંચ્યાં, થોડો આરામ કરી અને સાંજની સફારીમાં નિકળ્યા, લગભગ એક કલાક સુધી ફર્યા પણ ચિતલ સિવાય કશું ન મળ્યું, અમે રામગંગા નદી વટાવીને બીજી તરફ ગયા, થોડુ ફર્યા અને બાદમા એક મોટા ઢાળ વાળા રસ્તા પર આગળ વધી રહ્યા હતા તો બે જીપ્સી રોડ વચ્ચે ઉભી હતી એક જીપ્સીમાંથી એક ભાઇ એ અવાજ ન કરવા ઇશારો કર્યો, અમે સમજી ગયા કે વાઘ છે. રોડ વચ્ચે કોઇ વાહન પસારના થઇ શેકે તેમ સુતેલો હતો. કેમેરો પકડીને 15 મીનીટ રાહ જોઇ ઉભા રહ્યા અને અચાનક વાઘ ગુસ્સે થઇ ગયાની મુદ્રામાં આવ્યો અને અમે ખટાખટ આ ક્લીક કરી લીધી.

બાદમાં એકદમ થી ઉઠીને જીપ્સી તરફ ચાલવા લાગ્યો અને બધી જીપ્સીમાં ભાગાદોડી થઇ ગઇ. કોરબેટના હાથી અને વાઘ સ્વભાવે થોડા ગુસ્સા વાળા એટલે તે ક્યારેક ટુરીસ્ટને ચાર્જ પણ કરી દેતા હોય છે. જો કે, આ  રોમાંચ પણ ગજબનો હોય. આવા રોમાંચનો અનુભવ કરવા તમારે એક વખત કોરબેટ ચોક્કસ જવું જઇએ.  

(શ્રીનાથ શાહ)

 

રાશિ ભવિષ્ય 15/10/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસ્તા વધુ રહે તેવું બની શકે છે, માથા, હાડકા, લોહીની બીમારીવાળાએ થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે, સરકારીકામકાજ, સોના,ઝવેરાત જેવા ક્ષેત્રમાં કામકાજ કરનારને માનસિકથાક વધુ લાગે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારું સારું પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય કહી શકાય.


આજનો દિવસ તકેદારી અને સાવચેતી સૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું અગત્યનું છે, ખટપટથી દુર રહેવું ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચનના આપવું, વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું જરૂરી છે.


આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામાં આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય તેવું બની શકે છે, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો પણ બની શકે છે, વેપારમાં અનુભવથી કોઈ કામ કરોતો તેમાં તમને લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવી શક્યતા પણ રહેલી છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ઘરકે ઓફીસમાં વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી, કોઈની સાથે વધુ દલીલબાજીના કરવી, ગેસ,અપચા,વાયુ,જેવા દર્દથી સાચવવું, વેપારમાં જોખમભર્યા કામન કરવાની સલાહ છે .


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તતા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે તેને કારણે થોડી માનસીક અશાંતિ જેવું રહે, વાણીવર્તણુકમાં ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગના બનવું પડે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, આજે ધીરજ રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ સારો છે, થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરંતુ કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ જોવા મળે, ખેતી, બાંધકામ, જમીન, વાહન, ધાતુ જેવા કામ કરનારને ઉત્સાહ રહે, વેપારમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, પરિચિત તરફ થી કઈ સમાચાર મળે તેવું બની શકે છે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહ કર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા સલાહભર્યા છે.


આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈકામ જૂની ગુંચ હોય તને ઉકેલી શકાય તેવા સંજોગો બને છે, માંર્કેટિંગક્ષેત્રમાં સારું પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં સમય વધુ ફાળવોતો કોઈ વસ્તુ પર આવડત વધે , વેપારમાં લાભ થઈ શકે, પ્રિયજનની યાદ વધુ રહે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવું શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, પગ, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફ વાળાએ આરોગ્ય બાબતે થોડું સાચવું, વેપારમાં જોખમન કરવું, માર્કેટિંગક્ષેત્રમાં થોડી મેહનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળે.


આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યા કામ થાય તેવી શક્યતા વધુ રહેલી છે,માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામકાજ કરવાથી સારું રહે, નવીનકાર્યની તક મળી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે, મિત્રો તરફથી સહકાર મળી શકે છે.

૧૫ ઓક્ટોબર ૨૦૨૦

૧૫ ઓક્ટોબર ૨૦૨૦

પંચાંગ 15/10/2020

(મયંક રાવલ)

અભિનેત્રી, પર્યાવરણવિદ્દ ભૂમિ પેડણેકર બની સંપૂર્ણ શાકાહારી

મુંબઈઃ કોરોના રોગચાળાએ બધાની જીવનશૈલી બદલી દીધી છે. દરેક જણની જિંદગીમાં મોટાં પરિવર્તન આવ્યાં છે. આવું જ એક પરિવર્તન બોલીવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડણેકરની જિંદગીમાં આવ્યું છે. આ પરિવર્તન કેવી રીતે આવ્યું એ ભૂમિએ જણાવ્યું હતું. આ લોકડાઉને ભૂમિની ભોજનને લઈને પસંદ-નાપસંદ સંપૂર્ણ રીતે બદલી નાખી છે.

ભૂમિ સતત પર્યાવરણ સુરક્ષા માટે કામ કરતી રહી છે અને એના વિશે તે કહે છે કે કોરોના રોગચાળા દરમ્યાન આ વિશે એને તમામ નવા વિચારો પર કામ કરવા પ્રેરિત કરી. પોતાની આસપાસની પ્રકૃતિને જાળવી રાખવા માટે હંમેશાં આગળ રહેતી ભૂમિ પેડણેકરે લાંબા સમયથી આ દિશામાં કામ કર્યું છે. તે ક્લાયમેટ વોરિયર્સની ટીમ બનાવવા પર કામ કરી રહી છે.

ભૂમિની નવી ફિલ્મ દુર્ગાવતી આવતા મહિને રિલીઝ થવાની છે. આ ફિલ્મની ચર્ચા દરમ્યાન એ જાણવા મળ્યું હતું કે ભૂમિ હવે શાકાહારી બની ગઈ છે અને એની ક્રેડિટ તે જળવાયુને લઈને સજાગતાવાળી પોતાના પ્રવાસને આપે છે, જેના લીધે તે પોતાના રૂટિનમાં આટલો મોટો નિર્ણય કરી શકી.

ભૂમિએ કહ્યું હતું કે કેટલાંય વર્ષોથી તે શાકાહારી બનવા ઇચ્છતી હતી. કોઈ પણ આદતને છોડવી સૌથી મુશ્કેલ છે. એ ક્લાયમેટ વોરિયરની સાથે મારો પ્રવાસ હતો, જેણે મને બહુબધી ચીજવસ્તુઓ શીખવાડી અને હવે મને માંસ (મીટ) ખાવાનું મન નથી થતું. તેણે કહ્યું હતું કે હું ક્યારેય નોન-વેજિટેરિયન ખાવા પર નિર્ભર નહોતી, પરંતુ મેં લોકડાઉન દરમ્યાન વિચાર્યું હતું કે હું મીટ ખાવાનું છોડી દઈશ. આ એટલું સારી રીતે થયું કે હવે છ મહિના થઈ ગયા અને મને સારું લાગી રહ્યું છે કે હું શારીરિક રીતે એટલી મજબૂત અને સ્વસ્થ અનુભવ કરી રહી છું, જેવું હું ઇચ્છતી હતી.

 

 

 

BSE SME પ્લેટફોર્મ પર 329મી કંપની લિસ્ટેડ

મુંબઈઃ BSE SME પ્લેટફોર્મ પર તાજેતરમાં 329મી કંપની જી એમ પોલિપ્લાસ્ટ લિ. લિસ્ટ થઈ હતી. જી એમ પોલિપ્લાસ્ટનો રૂ.10ની મૂળ કિંમતના 5,08,800 ઈક્વિટી શેર્સનો કુલ રૂ.8.09 કરોડનો પબ્લિક ઈશ્યુ 6 ઓક્ટોબર, 2020ના રોજ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. ઈક્વિટી શેર્સ રૂ.159ની કિંમતે ઓફર કરવામાં આવ્યા હતા.

જી એમ પોલિપ્લાસ્ટ લિ. HIPS, ABS, PET શિટ્સ અને  મેન્યુફેક્ચરર ગ્રેન્યૂઅલ્સનો બિઝનેસ કરે છે. જી એમ પોલિપ્લાસ્ટના ઈશ્યુની લીડ મેનેજર ગ્રેટેક્સ કોર્પોરેટ સર્વિસીસ પ્રા. લિ. હતી.

BSE SME પ્લેટફોર્મ પર લિસ્ટેડ 328 કંપનીઓએ 14 ઓક્ટોબર, 2020 સુધીમાં રૂ.3,366.78 કરોડની રકમ એકત્ર કરી છે અને તેમનું કુલ માર્કેટકેપિટલાઈઝેશન અત્યારે રૂ.21,415.59 કરોડ છે. બીએસઈ આ ક્ષેત્રમાં 61 ટકાના બજાર હિસ્સા સાથે માર્કેટ લીડર છે.

ધોનીના પ્રશંસકે ઘરને પીળા રંગથી રંગ્યું

ચેન્નાઈઃ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીના એક ચાહકે કંઈક એવું કર્યું છે જેનાથી સહુનું ધ્યાન એની પર આકર્ષિત થયું છે. તામિલનાડુના કડ્ડલોર જિલ્લાના આરંગુર ગામમાં ધોનીનો આ ચાહક રહે છે અને એણે એના ઘરને પીળા રંગથી રંગી નાખ્યું છે. આ રંગ ધોની જેનો હાલ કેપ્ટન છે તે ચેન્નાઈ સુપર કિંગ્સ આઈપીએલ ટીમના ખેલાડીઓના ડ્રેસનો છે.

ગોપીકૃષ્ણન નામના આ ચાહકે ઘરને પીળા રંગથી રંગ્યું છે એટલું જ નહીં, ઘરની બહારની દીવાલ પર એણે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમના લોગો (ગર્જના કરતા સિંહ)ને તેમજ ટીમની ટેગલાઈન તથા ધોનીના ચિત્રને પણ પ્રદર્શિત કર્યું છે.

ગોપીકૃષ્ણન કહે છે કે પોતે ધોનીનો મોટો ચાહક છે. એણે તેના ઘરના પ્રવેશદ્વારની ઉપર મોટા અક્ષરોમાં લખાવ્યું છેઃ ‘હોમ ઓફ ધોની ફેન’ (ધોનીના ચાહકનું ઘર).

ગોપીકૃષ્ણન મધ્ય પૂર્વના દેશમાં નોકરી કરે છે. હાલ કોરોના વાઈરસ મહાબીમારી ફેલાઈ હોવાથી એ પોતાના ગામ ખાતે તેના ઘેર પાછો ફર્યો છે.

ઘરને ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમના રંગોથી રંગવા માટે એણે દોઢ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

આઈપીએલ સ્પર્ધાની 13મી આવૃત્તિ હાલ યૂએઈમાં રમાઈ રહી છે, પણ એમાં ધોનીની ચેન્નાઈ ટીમે હજી સુધી અપેક્ષા કરતાં ખરાબ દેખાવ કર્યો છે. આઠ મેચોમાંથી એ માત્ર ત્રણમાં જ જીતી છે અને પોઈન્ટ્સ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. આ ટીમ ત્રણ વખત ચેમ્પિયન બની ચૂકી છે.

કોરોનાને કારણે વાજિંત્ર બજારનો આર્થિક તાલ તૂટી ગયો

અમદાવાદઃ નવરાત્રિ મહોત્સવમાં રાસગરબે રમતા રસિયાઓને ઢોલ, તબલાં જેવાં વાજિંત્રો વાગે એટલે તાનમાં આવી ઝૂમી ઊઠે, પણ આ વર્ષે કોરોનાના કારણે ગરબા રમવા પર પાબંધી છે. જેના કારણે ઢોલ- નગારાં, તબલાં  તૈયાર કરતા અને વેચાણ કરતાં બજારમાં મંદી જોવા મળી રહી છે.

શહેરના સ્વામિનારાયણ મંદિર દરિયાપુર તંબુ ચોકી તરફ જતા માર્ગ પર ડબગરવાડ આવેલો છે. આ ડબગરવાડમાં વર્ષોથી ઢોલ-નગારા-તબલાં જેવાં અનેક વાજિંત્રો બનાવતા અને વેચાણ કરતા પરિવારો વસે છે. તહેવાર, ઉત્સવો અને પ્રસંગોની સીઝનમાં નવાં વાજિંત્રો ખરીદવા અને જૂના વાજિંત્રોનું સમારકામ કરાવવા આ વિસ્તારમાં ભારે ભીડ લાગે છે, પરંતુ  2020ના તહેવાર-પ્રસંગો ફિક્કા રહ્યા છે અને નવરાત્રિ જેવા ઉત્સવ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હોવાથી ડબગરવાડનું બજાર સૂનું થઈ ગયું છે.

પહેલાં લોકો નવરાત્રિ એકદમ નજીક આવે એ સમયગાળામાં ઢોલ અને અન્ય ઇન્સ્ટ્રુમેન્ટ તૂટી ગયાં હોય તો એનું સમારકામ કરાવવા ગામેગામ થી આવતા હતા. ગરબા મંડળો  માટે નવાં ઢોલ-નગારા અને ઇન્સ્ટ્રુમેન્ટ્સની દર વર્ષે ધૂમ ખરીદી થતી હતી. 2020નું વર્ષ વેપારીઓ માટે નુકસાનકર્તા રહ્યું છે.

ડબગરવાડમાં પેઢીઓથી રહેતા ડબગર પરિવારો કહે છે, નવરાત્રિ મહોત્સવમાં આરતીની જ પરવાનગી હોવાથી વાજિંત્રોના ઓટોમેટિક મશીનની ઇન્કવાયરી અને વેચાણ થઈ રહ્યું છે. ઢોલ-નગારાં, તબલાંની ખરીદી  સમારકામ માટે હાલ નિયમિત આવતા ભજનિકો , ડાયરાવાળા અને સ્ટેજ કલાકારો જ બજારમાં આવે છે. આ વર્ષે નવરાત્રિ મહોત્સવનો વેપાર સાવ નહિવત્ છે, એટલે આર્થિક તાલ તૂટી ગયો છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

 

 

મુંબઈમાં ૧૯ ઓક્ટોબરથી મેટ્રો રેલવે ફરી શરૂ થશે

મુંબઈઃ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારે જાહેરાત કરી છે કે ઘાટકોપર-વર્સોવા મેટ્રો રેલવે લાઈન આવતીકાલથી ફરી શરૂ કરી શકાશે. આ સેવા જોકે રાજ્ય સરકારની નવી ‘મિશન બીગિન અગેન’ માર્ગદર્શિકા અનુસાર તબક્કાવાર શરૂ કરાશે. મુંબઈ મેટ્રોએ આ માટે મહારાષ્ટ્ર સરકારનો આભાર માન્યો છે અને એક ટ્વીટમાં જણાવ્યું છે કે એણે સુરક્ષાની ચકાસણીઓ અને ટ્રાયલ રનની શરૂઆત કરી જ દીધી છે અને પેસેન્જર સેવાઓ ૧૯ ઓક્ટોબરે સવારે ૮.૩૦ વાગ્યાથી શરૂ કરવામાં આવશે.

મેટ્રો ટ્રેન સેવા અને પશ્ચિમ-મધ્ય-હાર્બરની લોકલ ટ્રેન સેવાઓ ફરી શરૂ કરવાની શહેરના રહેવાસીઓ દ્વારા ઘણા વખતથી માગણી કરવામાં આવી રહી છે. સરકારે હાલ મેટ્રો રેલવે માટે પરવાનગી આપી છે.

રાજ્ય સરકારે મુંબઈમાં ગયા મહિનાથી ખાનગી ઓફિસોને 30 ટકા કર્મચારીઓ સાથે ચાલુ કરવાની પરવાનગી આપ્યા બાદ મેટ્રો અને લોકલ ટ્રેન સેવાઓ ફરી શરૂ કરવાનું એની પર ખૂબ દબાણ થાય છે.

રાજ્ય સરકારે તમામ રાજ્ય સરકાર સંચાલિત તથા ખાનગી લાઈબ્રેરીઓને પણ આવતીકાલથી ફરી શરૂ કરવાની પરવાનગી આપી છે. જોકે આ માટે સરકારે ઈસ્યૂ કરેલી તમામ કોવિડ-19 સંબંધિત માર્ગદર્શિકાઓનું ફરજિયાત પાલન કરવાનું રહેશે.

સરકારે કન્ટેનમેન્ટ ઝોન્સની બહાર આવતીકાલથી વ્યાપારી ધોરણે પ્રદર્શનો યોજવાની પણ મંજૂરી આપી છે. કન્ટેનમેન્ટ ઝોન્સની બહાર સાપ્તાહિક બજારો ભરવાની પણ મંજૂરી આપવામાં આવી છે.

લોકોની ભીડને ટાળવાના ઉદ્દેશ્ય સાથે બજારો અને દુકાનોને આવતીકાલથી રાતે ૯ વાગ્યા સુધી ખુલ્લી રાખવાની પરવાનગી રહેશે.