Home Blog Page 4605

બ્રાઝિલના રાષ્ટ્રપતિ ભારતના પ્રવાસેઃ ગણતંત્ર દિવસ સમારોહમાં ઉપસ્થિત રહેશે

નવી દિલ્હી: બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર મેસિયાસ બોલસોનારો ગણતંત્ર દિવસ સમારોહમાં વિશેષ અતિથિ તરીકે ભાગ લેવા અને મંદીથી પ્રભાવિત બંને મોટી અર્થવ્યવસ્થા વચ્ચે વેપારિક સંબંધોને વધારવા આજે ચાર દિવસીય યાત્રા પર ભારત આવશે. રાષ્ટ્રપતિ પદનો કાર્યભાર સંભાળ્યા પછી બોલસોનારોની આ પ્રથમ ભારત યાત્રા રહેશે. તેમની સાથે સાત મંત્રી, ટોચના અધિકારીઓ અને એક મોટું વેપારિક પ્રતિનિધિમંડળ પણ આવશે.

વિદેશ મંત્રાલયે ટ્વિટ કર્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિમંત્રણ પર બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર મેસિયાસ બોલસોનારો 24 થી 27 જાન્યુઆરી સુધી ભારતના પ્રવાસે રહેશે. તે 26 જાન્યુઆરીએ ભારતના 71માં ગણતંત્ર દિવસ પરેડમાં વિશેષ અતિથિ રહેશે. મંત્રાલયે કહ્યું છે કે આ યાત્રાથી ભારત-બ્રાઝિલના સંબંધો વધારે ગાઢ અને મજબૂત થવાની આશા છે. પૂર્વ સેના પ્રમુખ બોલસોનારોએ ઓક્ટોબર 2018માં ચૂંટણીમાં મોટી જીત મેળવી ગત વર્ષે જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યું હતું.

ગિફ્ટ આઈટમ્સની આયાત પર પ્રતિબંધ નથી, ડ્યૂટી ચૂકવવી પડશે

નવી દિલ્હી – દેશમાં ઈ-કોમર્સ મારફત ડ્યૂટી-ફ્રી ગિફ્ટ વસ્તુઓની આયાત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ આ પ્રતિબંધ એ વેપારીઓનાં કન્સાઈનમેન્ટ પર લાગુ નહીં થાય, જેઓ તમામ જરૂરી ડ્યૂટી ચૂકવીને વિદેશમાંથી માલ મગાવે છે.

કેન્દ્ર સરકારની ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એજન્સીએ આ પ્રતિબંધો અંગે એક માર્ગદર્શિકા બહાર પાડી છે અને સ્પષ્ટતા કરી છે કે પ્રતિબંધોનો ઉદ્દેશ્ય માત્ર એવા કન્સાઈનમેન્ટ્સને રોકવાનો છે જેઓ પર્સનલ ગિફ્ટ વસ્તુઓ માટે આપવામાં આવેલી છૂટનો લાભ લઈને એ ચીજવસ્તુઓને બાદમાં ભારતની બજારોમાં વેચવા ઉતારે છે.

કસ્ટમ્સ એક્ટ, 1962 અને સુધારિત ટેરિફ રુલ્સ અંતર્ગત 5000 રૂપિયાની કિંમત સુધીની પર્સનલ ગિફ્ટ વસ્તુઓની આયાતને કસ્ટમ ડ્યૂટીમાંથી બાકાત રાખવામાં આવી છે, પરંતુ છેલ્લા અમુક વર્ષોમાં જોવા મળ્યું હતું કે અનેક ચાઈનીઝ ગિફ્ટ કંપનીઓ અને ક્લબ ફેક્ટરી તથા અલી એક્સપ્રેસ જેવી ઈ-રીટેલર કંપનીઓએ સરકારે આપેલી છૂટની આડમાં ડ્યૂટી-ફ્રી કસ્ટમ ક્લીયરન્સ ક્લેમ કરીને મોટા પાયે ભારતમાં ગ્રાહકોને સીધા જ માલ મોકલવાનું/વેચવાનું શરૂ કરી દીધું હતું.

કૂરિયર અને ટપાલ માર્ગે વધી રહેલા વ્યાપાર વિશે દેશમાંના વ્યાપાર સંગઠનોએ ફરિયાદ કર્યા બાદ ગયા ડિસેંબરમાં કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયે રાખડી તથા જીવનરક્ષક દવાઓને બાદ કરતાં ઈ-કોમર્સ મારફત કૂરિયર અને ટપાલ મારફત ગિફ્ટ વસ્તુઓની કરાતી આયાત પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

પરંત, અનેક દેશી ગિફ્ટ આયાતકારો તથા વેપારીઓએ એવી ફરિયાદ કરી હતી કે નિયમોમાં સ્પષ્ટતાના અભાવને કારણે શિપમેન્ટમાં ક્લીયન્સમાં વિલંબ થાય છે અને એમનો માલ ફસાઈ જાય છે.

સ્થાનિક કસ્ટમ્સ અધિકારીઓ પણ ડ્યૂટી-ફ્રી તથા ડ્યૂટી-પેઈડ ગિફ્ટ્સ અંગે નિર્ણય લેવામાં ભૂલ કરતા હતા.

તેથી DGFT એજન્સીએ એક સર્ક્યૂલર બહાર પાડીને સ્પષ્ટતા કરી છે કે જે ગિફ્ટ આઈટમ્સ નિર્ધારિત ડ્યૂટીઓ ચૂકવીને આયાત કરાય એની પર પ્રતિબંધ લાગુ નહીં કરાય, પછી ભલે એ ઈ-કોમર્સ મારફત ભારતમાં લાવવામાં આવી હોય. એવી ચીજવસ્તુઓ પર કસ્ટમ્સ ટેરિફ કાયદા અનુસાર બેઝિક કસ્ટમ ડ્યૂટી ચૂકવવાની રહેશે, જે હાલ 35 ટકાના દરે ચાર્જ કરાય છે. સાથોસાથ, જીએસટીના રેટ શેડ્યૂલ-4ના હેડિંગ 9804 અંતર્ગત નિર્ધારિત 28 ટકાના દરે આઈજીએસટી પણ ચૂકવવાનો રહેશે. તે ઉપરાંત એની ખાતરી આપવી પડશે કે આ પ્રકારની આયાતમાં કોઈ અન્ડરવેલ્યૂએશન થયું નથી એટલે કે ડ્યૂટી વાસ્તવિક મૂલ્ય ઉપર જ ચાર્જ થયેલી હોવી જોઈએ.

રાખડી તથા જીવનરક્ષક દવાઓની ઈ-કોમર્સ મારફત અથવા કૂરિયર કે ટપાલ મારફત ડ્યૂટી-ફ્રી આયાત પરની છૂટ લાગુ રહેશે. જોકે આમાં રાખડીની સાથે ગિફ્ટને સામેલ કરવામાં આવી નથી.

ગિફ્ટના વેપારીઓનું કહેવું છે કે તેઓ એવી જ કંપનીઓ પાસેથી માલ ખરીદે છે જેઓ ભારતમાં ઈ-કોમર્સ મારફત ગ્રાહકોને જ સીધો માલ મોકલતી હતી.

Chitralekha Marathi – February 03, 2020

  E-Magazine – Desktop Version PDF Version
This post is only available to members.

રાશિ ભવિષ્ય 24/01/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ સારો અને ઉત્સાહ વાળો જણાય છે, તમારા ધાર્યાકામ થવાથી તમે આનંદની લાગણી અનુભવો, પ્રિયજન તરફથી સારો પ્રેમભાવ જોવા મળી શકે છે, અગત્યની મિલનમુલાકાત ફળદાયક બની શકે,વેપારમાં નાનુંકામ કરવુજ યોગ્ય છે, કોઈના કામમાં સહયોગ આપો તેવી વૃત્તી જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, તમારા કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત થઇ શકે, પ્રવાસનું ક્યાંક આયોજન પણ થઈ શકે છે અને તેમાં ક્યાંક અણધર્યા નાણાકીયખર્ચ થાય, માર્કેટિંગક્ષેત્રમાં તમારો સારો પ્રભાવ જોવા મળે, પ્રિયજન તરફથી ખુશીની લાગણીનો અનુભવ થાય, ધાર્મિકભાવના વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈની સાથે કોઈપણ પ્રકારનું ગેરવર્તનના થાય તેનું ધ્યાન રાખવું, પ્રિયજન સાથે વાર્તાલાપ દરમિયાન ઉગ્રતાના આવે તેનું ધ્યાન રાખવું, તમારે આજે સમાધાનકારી નીતિ અપનાવાથી પરિસ્થિતિ હળવી બની રહશે. મનમાં કોઈવાતનો તમને ઉદ્વેગ રહ્યા કરે તેવું બની શકે.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસતા જોવા મળી શકે છે અને માનસિકથાકની લાગણી વધુ જોવા મળે જેના કારણે તમારા સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, આજે કોઈને વણમાગી સલાહન આપવી તેમજ વાર્તાલાપમાં ક્યાય દલીલબાજીન કરવી, વેપારમાં જોખમન લેવું યોગ્ય છે.


આજનો દિવસ સરસ છે, તમે આત્મવિશ્વાસથી કામ કરતા જોવા મળો, તમારા ભૂતકાળના કોઈકામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે વધુ મહેનત યોગ્ય છે, જૂનીકોઈ ઓળખાણ તાજી થાય અને તેમાં તમે સારી વાર્તાલાપ કરી ખુશીની લાગણી અનુભવો. થોડા મજાકવૃત્તિવાળા બનો.


આજનો દિવસે થોડી સાવચેતી રાખવી તેમજ વાણીસંયમ રાખવો પણ જરૂરી છે, હિતશત્રુથી સજાગ રહેવું, વાહન ધીમે ચલાવવું, કોઈપણ પ્રકારની મિલનમુલાકાત દરમિયાન વાર્તાલાપમાં કોઇપણ પ્રકારની ગેરસમજ ના થાય તેનું ધ્યાન રાખવું અગત્યનું કહી શકાય, ભક્તિમાં દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.


આજનો દિવસ સારો છે આજે તમારા પસંદગીના કામ થઇ શકે, તમારી લાગણીની કદર થાય, પરિચિત સાથે કોઈબાબતનો સાથસહકાર સારો જોવા મળી શકે અને તેની ખુશી અનુભવાય, ધાર્મિકભાવના વધુ જોવા મળે અને મન ભક્તિકે સદ્કાર્ય કરવા પ્રેરાય તેવું પણ બનવા જોગ છે. મન પ્રફુલ્લિત રહેશે.


આજના દિવસે શાંતિ અને સાવચેતી રાખવી, વાણીસયમ અને ગુસ્સાને કાબુમાં રાખવો, મજાકમસ્તી કરનાર લોકોથી થોડું અંતર રાખવું તેમજ તેમની વાતોને જરૂરિયાત પુરતુજ ધ્યાન આપવું. ક્યાંક જુનાપ્રસંગો યાદ આવવાથી મન અશાંત વધુ રહી શકે છે, માટે વ્યવહારુ અભિગમ અપનાવો સારો કહી શકાય.


આજનો દિવસ સરસ છે, પ્રિયજન સાથેના જુનામતભેદ ભૂલવાની તક મળે, વિદ્યાર્થીવર્ગ માટે હરવાફરવા માં સારો સમય પસાર થાય, અગત્યની વાર્તાલાપકે મિલનમુલાકાત માટેના પ્રયત્ન કરતા હોવતો તેમાપણ તમને અન્યનો સારો સાથ-સહકાર અને માર્ગદર્શન મળે તેવું બની શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ સામાન્ય છે, નાનાકામમાં દિવસ પસાર થઇ જાય, જુનાસ્મરણો તાજા થાય જેમાં તમને સારી ખુશીની લાગણી થાય, વાતચિત દરમિયાન ખોટો ઉશ્કેરટના આવે તેનું ધ્યાન રાખવું જેથી તમે કદાચ કોઈની મજાકના પાત્રના બનો. બિનજરૂરી ખરીદી થવાથી તમારું મન થોડું બેચેન બને તેવું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રવર્તુળ સાથે બિનજરૂરી સમય અને નાણાનો વ્યય થાય અને તેનું ભાન તમને દિવસને અંતે થવાથી મનમાં ગુસ્સાની લાગણી અનુભવો પરંતુ તમારા પ્રિયજનની યોગ્યવર્તણુક અને વાતચીતથી તમે પ્રભાવિત થઇ ખુશીની લાગણી અનુભવી રાહત પામો, મનમાં દ્વિધા રહ્યા કરે.


આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈને કોઈબાબતમાં નકારત્મકવિચારની અસર તમારી દિનચર્યા પર પણ પડે માટે તમારે આજે કોઈ કામમાં વ્યસ્ત રહેવું, હરવુંફરવુંકે ભક્તિમાં મન પોરવવું યોગ્ય કહી શકાય. કોઈ પણ અગત્યના કામકાજ કરવામાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો ઇચ્છનીય છે.

વાસ્તુ: મને એમની સાથે પ્રેમ થઈ ગયો પણ એમને સમજાતું નથી

મે ક્યારેય કોઈને પ્રેમ કર્યો છે? મને પ્રેમનો કોઈ અનુભવ નથી. અઢારની ઉમરે હું કામ કરતો થઇ ગયો. ક્યારેક ટ્રક ચલાવી, તો ક્યારેક રીપેરીંગ પણ કર્યું. હવે એક સોસાયટીમાં ગાર્ડ છું. થોડા સમય પહેલા મારી ભૂલના કારણે એક સાહેબને ખુબ મોટી તકલીફ આવી ગઈ. પણ એ સાહેબે મને એવું કહીને બચાવી લીધો કે મને વિશ્વાસ છે કે એ એવું ન કરે. હું જયારે મળવા ગયો તો એમણે કહ્યું કે તારી આંખોમાં ભોળપણ છે. તારી ભૂલ થઈ હશે. ફરી ધ્યાન રાખજે. શું કહું તમને? મેં એમની આંખો જોઈ. કેટલી સરસ આંખો? ભગવાને ફુર્સતે એ સાહેબને બનાવ્યા હશે. સામાન્ય રીતે કોઈ આવું છોકરી માટે કહે તમે પણ એક વાર એમને જુઓને તો તમને પણ ગમી જાય. બસ, પછી એમના બહાર જવાના અને પાછા આવવાના સમયે હું ગેટ આગળ બેસી જતો. એ જો હાથ ઉંચો કરે તો મારો દિવસ સુધારી જતો.

એક ખાનગી વાત કહું? એમને જોવાથી સાચે જ એ દિવસે કોઈને કોઈ લાભ થાય છે. એક વાર એમનો માણસ નહતો આવ્યો ત્યારે મેં લાગ જોઇને એમની ગાડી પણ સાફ કરી દીધી. એમણે મને ગાડીમાંથી ચોકલેટ આપી. બસ, મને એમની સાથે પ્રેમ થઇ ગયો. હું વારંવાર એમને કહેવા પ્રયત્ન કરું છું પણ એમને સમજાતું નથી. સીધીરીતે કહેવામાં ડર લાગે છે. આવું કેમ થાય છે? કોઈ ઉપાય બતાવો.

ભાઈશ્રી, ગમો અને અણગમો એ વ્યક્તિગત છે. કોઈ વ્યક્તિ પ્રેમથી બોલાવે તો ગમે. અને વળી ઘરથી દુર સાવ એકલા રહેતા હોઈએ તો આવું થવાની શક્યતાઓ વધી જાય. એ સાહેબ સારા છે એવું તમે માનો છો. તેથી એ તમને ગમે છે. તમે એવું પણ લખ્યું છે કે એ ગુસ્સા વાળા છે અને કશુજ ખોટું ચલાવી લેતા નથી. છતાં પણ એમણે તમને માફ કરી દીધા એ સારી વાત છે. કદાચ એમને એવું લાગ્યું હશે કે જે થઇ ગયું છે તેના કારણે કોઈની નોકરી જવી ન જોઈએ. એવું પણ બને કે હકીકતમાં એમાં એમને તમારું ભોળપણ દેખાયું હોય. ભૂલ ને ગુન્હો સમજી લેવો એ પણ નાસમજી છે. એમને તમારી આંખો ગમી પછી તમે એમની આંખો જોઈ. બરાબર? પહેલા પણ એ એવાજ સુંદર દેખાતા હતા? પણ ત્યારે એ તમારી નજરમાં આવ્યા ન હતા. તમને એમનું વ્યક્તિત્વ ગમે છે. એ માણસ નીતિમત્તામાં માને છે તેથી એ સાચા સમયે સાચા નિર્ણય લે છે. તમે એમનું ધ્યાન રાખો છો તેથી એ તમારું ધ્યાન રાખે છે. બની શકે એ વ્યક્તિ સકારાત્મક હોય. તેથી તમને લાગે કે એમના લીધે તમારો દિવસ સારો જાય છે. વળી તમારા બદલાયેલા સ્વભાવના કારણે એમને તમારા પર ભરોસો વધ્યો હોય. આ એક સામાન્ય બાબત છે.

મોટા ભાગે આપણે દરેક સંબંધ માટે એક નામ શોધીએ છીએ. અને એ નામ ન મળે એટલે દુખી થઈએ છીએ અને દુખી કરીએ છીએ. તમને એમની સાથે વાત કરવી ગમે છે, તો કરો. એમને તકલીફ ન થતી હોય તો એમાં કશું ખોટું નથી. એ તમને પસંદ છે તો વાંધો નહિ. પણ એમની ઈચ્છા વિરુદ્ધ એમને પામવાની મહેચ્છા માત્ર દુઃખને જ જન્મ આપશે.

હવે કરીએ વાસ્તુની વાત. તમારા ઘરમાં વાયવ્યનો દોષ છે તેથી તમે ઘર છોડી અને નાની ઉમરમાં બહાર આવી ગયા. તમે વાયવ્યમાં રહો છો તેથી તમને અચાનક કોઈ ગમવા લાગ્યું. તમે જ્યાં કામ કરો છો એ સોસાયટીમાં અગ્નિથી વાયવ્યનો અક્ષ નકારાત્મક છે તેથી તમને આવું આકર્ષણ થયું. તમારા કહેવા પ્રમાણે સોસાયટીમાં આવા ઘણા કિસ્સાઓ પણ છે. તેનું કારણ પૂર્વ પશ્ચિમના અક્ષની નકારાત્મકતા પણ હોઈ શકે. વળી તમારા કહેવા પ્રમાણે જેમને આવા સંબંધો છે તે જ તમારું નામ એ સાહેબ સાથે જોડી અને તમને ઉશ્કેરે છે. તમારા હૃદયની ભાષા સમજો. અન્યની નહિ. બની શકે એ લોકોને પણ પેલા સાહેબ ગમતા હોય અને એમનો મેળ ન પડ્યો હોય તેથી તમને આવી વાતો કરતા હોય. કાયદાકીય રીતે આ વાત ખોટી નથી. પણ તમારી એકલતાને ખાળવા તમને કોઈ એવા જીવનસાથીની જરૂર છે જે હમેશા તમારી સાથે રહે. વળી આખી વાતમાં એ સાહેબ શું વિચારે છે તે પણ સમજવું જરૂરી છે. શિવલિંગ પર અભિષેક કરવાથી આપને સાચી દિશા મળશે.

‘તમે કૃતઘ્ન માણસ છો’: સુષ્મા સ્વરાજનાં પતિએ નસીરુદ્દીન શાહની ઝાટકણી કાઢી

નવી દિલ્હી – પીઢ બોલીવૂડ અભિનેતાઓ નસીરુદ્દીન શાહ અને અનુપમ ખેર વચ્ચે શાબ્દિક યુદ્ધ ફાટી નીકળ્યું છે. આ શાબ્દિક ઝઘડો શાહે એક મુલાકાતમાં ખેરને જોકર કહ્યા એમાંથી થયો છે.

શાહે તે ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, અનુપમ ખેર જેવા કેટલાક લોકો ગમે તેમ બોલે છે. એવા લોકોને ગંભીરતાથી લેવા ન જોઈએ. એ તો એક જોકર છે અને ચસકી ગયેલા મગજના છે. એ એના લોહીમાં છે.

અનુપમ ખેરે આનો જવાબ પોતાનો એક વિડિયો ઈન્ટરનેટ પર રિલીઝ કરીને આપ્યો છે. એમણે કહ્યું કે, નસીરુદ્દીન શાહ, તમે આખી જિંદગી આટલી સફળતા મળી છે તે છતાં હતાશાથી પીડાતા રહ્યા છો. કોઈએ તમારી ટીકાને ગંભીરતાથી લીધી નથી. તમે જે પદાર્થોનું સેવન કરો છો એને કારણે તમને ખરા-ખોટાનું ભાન નથી થતું.

અનુપમ ખેરે આ વિડિયો પોસ્ટ કરીને શાહને જવાબ આપ્યો છેઃ

દરમિયાન, ભાજપના કટ્ટર સમર્થક ખેરને સ્વ. કેન્દ્રીય પ્રધાન સુષમા સ્વરાજનાં પતિ સ્વરાજ કૌશલે ટેકો આપ્યો છે. સ્વરાજ કૌશલે ટ્વીટ કરીને નસીરુદ્દીન શાહની ઝાટકણી કાઢી છે. મિઝોરમના ભૂતપૂર્વ ગવર્નર કૌશલે લખ્યું છે કે, શ્રીમાન નસીરુદ્દીન શાહ તમે એક કૃતઘ્ન માણસ છો. આ દેશે તમને નામ, ખ્યાતિ અને પૈસા આપ્યા છે. તે છતાં તમે દુઃખી માણસ છો. તમે લગ્ન પણ અલગ ધર્મમાં કર્યા છે. તે છતાં કોઈએ એની ટીકા નથી કરી. તમારા ભાઈ પણ ભારતીય લશ્કરમાં લેફ્ટેનન્ટ જનરલ બન્યા હતા. આનાથી વધારે તમને બીજું શું જોઈએ?

કૌશલના કહેવાનો મતલબ છે શાહની પત્ની રત્ના પાઠક વિશે, જેઓ હિન્દુ છે. નસીરના ભાઈ ઝમીરઉદ્દીન શાહ ભારતીય લશ્કરમાં લેફ્ટેનન્ટ જનરલના હોદ્દા સુધી પહોંચ્યા હતા અને હવે નિવૃત્ત થયા છે.

કૌશલે વધુમાં લખ્યું છે કે હું અનુપમ ખેરને 47 વર્ષોથી ઓળખું છું. તે પ્રામાણિક અને આત્મનિર્ભર માણસ છે, સિદ્ધહસ્ત અભિનેતા છે. એ સ્ટાર બન્યા તે છતાં સાદગીને છોડી નથી.

સ્વરાજ કૌશલે અનુપમ ખેરની તરફેણ કરતી વખતે કશ્મીરી પંડિતોની યાતનાનો પણ ઉલ્લેખ કર્યો છે. એમણે કહ્યું કે, ખેર એમના મૂળને ભૂલ્યા નથી. એમના પરિવારનું શ્રીનગરમાં ઘર હતું. કશ્મીરી પંડિતોને કશ્મીરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા એટલે તેઓ ત્યાં રહી શક્યા નથી.

કૌશલે નસીરુદ્દીન શાહને કહ્યું કે, તમે એમ સમજો છો કે તમે અનુપમ ખેર કરતાં સારા અભિનેતા છો, પણ એવું સમજવામાં તમે ગંભીર ભૂલ કરી રહ્યા છો.

સુભાષચંદ્ર બોઝ સાથે જોડાયેલી અજાણી વાતો

નવી દિલ્હીઃ “તુમ મુજે ખુન દો, મે તુમ્હે આઝાદી દૂંગા” ના પોતાના વાયદા અંતર્ગત દેશને આઝાદી અપાવવામાં મહત્વપૂર્ણ ફાળો આપનાર સુભાષચંદ્ર બોઝનું જીવન આમતો તેની વીરતાના દ્રષ્ટાંતો અને વાતો સાથે યાદ કરવામાં આવે છે પરંતુ સંઘર્ષ સાથે જીવનના રહસ્યો માટે તો માત્ર સુભાષચંદ્ર બોઝને જ યાદ કરવામાં આવે છે. તેમના 123 મા જન્મ દિવસ પર તેમના જીવનના રહસ્યો વિશે વાત કરીએ કે જેનાથી ઘણા લોકો અજાણ છે.

નેતાજી સુભાષ ચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજની સ્થાપના કરી હતી, તે બધાને ખબર છે પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે આ પહેલા તેમણે યૂનિફોર્મ વોલેન્ટિયર કોર નામથી એક ફોર્સ બનાવી હતી. નેતાજી શરુઆતથી સૈન્ય શિસ્તમાં માનતા હતા. આ જ ઉદ્દેશ્યથી તેમણે આ ફોજ બનાવી હતી. નેતાજી યૂનિફોર્મ વોલેન્ટિયર કોરના જનરલ ઓફિસર કમાન્ડિંગ હતા. નેતાજી વોલેન્ટિયર કોરના સભ્યો સાથે રોજ સવારો કોલકત્તામાં લોંગ માર્ચ, ડ્રિલ, ઘોડેસવારી, બંદૂકબાજી, કસરત કરતા હતા. આ સૈન્ય તાલીમ જેવું જ હતું.

ઓડીસાના કટકમાં આજના દિવસે જ 1887 માં એક સંપન્ન બંગાળી પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તેમનું બાળપણ ઓડિસામાં વિત્યું હતું. પ્રાથમિક અભ્યાસ બાદ દર્શનશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન માટે કોલકત્તાના પ્રેસીડેન્સી કોલેજમાં એડમિશન લીધું હતું. દેશને આઝાદી અપાવવામાં તેમની લાંબી યાત્રા બાદ તેમની સાથે જોડાયેલા ઘણા રહસ્યો આજે અકબંધ છે. વર્ષ 2017માં કેન્દ્ર સરકાર દ્વારા ભલે તેમના મૃત્યુના કારણોને સ્પષ્ટ કરી દેવામાં આવ્યા પરંતુ આ નિર્ણય તેમના પરિવાર અને તેમની સાથે જોડાયેલા લોકોના મન અને હ્યદયમાં દર્દ સાથે ઘણા સવાલો પણ ઉભા કરી જાય છે.

1919 માં તેઓ બ્રિટન ગયા અને આઈસીએસની પરિક્ષા પણ પાસ કરી. વિદેશી સરકાર સાથે કામ ન કરવાની ઈચ્છાના કારણે તેમણે 1921 માં રાજીનામુ આપ્યું અને પાછા ભારત આવી ગયા.

1937 માં તેઓ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા. 1939ના કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે પણ તેઓ ચૂંટણીમાં ઉભા રહ્યા હતા. મહાત્મા ગાંધીએ પટ્ટાભિ સીતારમૈયાને ઉભા રાખ્યા હતા અને ચૂંટણીમાં સીતારમૈયા હારી ગયા. કોંગ્રેસના અસહયોગને લઈને તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું.

22 જૂન 1939 ના રોજ આ સંસ્થાનું ગઠન કર્યું. બે જુલાઈ, 1940 ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી અને કોલકત્તાના પ્રેસીડેન્સી જેલમાં તેમને રાખવામાં આવ્યા.

અફઘાનિસ્તાનના રસ્તે તેઓ સોવિયત સંઘ પહોંચ્યા. ત્યાં ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં સ્ટાલિન પાસે મદદ માંગી પરંતુ તેણે ઈનકાર કર્યો. 1943 માં સિંગાપુર પહોંચીને આઝાદ હિંસ ફોજની કમાન સંભાળી. જાપાને સમર્થન આપ્યું. 1945 માં તેમનું વિમાન દુર્ઘટનામાં મોત થયું હોવાના સમાચારો આવ્યા.

બાદમાં 1982 નો માર્ચ મહિનો અને લગભગ અડધી રાત્રી પસાર થઈ ચૂકી હતી અને વ્હીલ ચેર પર એક વૃદ્ધને લઈને કેટલાક શિષ્યો ગેટની અંદર પ્રવેશ્યા. ભવનના પૂર્વી ઉત્તરી ભાગમાં આ વૃદ્ધ રહેવા લાગ્યા. તેમનો સામાન ધીરે-ધીરે એક માસ સુધી આવતો રહ્યો. ત્યારબાદ છ મહીના પછી ચર્ચાઓ શરુ થઈ કે આ વૃદ્ધ સુભાષચંદ્ર બોઝ છે. અઢી વર્ષ સુધી તેઓ આ ઘરમાં રહ્યા પરંતુ તેમને કોઈએ જોયા નહોતા. વર્ષમાં બે વાર કોલકત્તાથી એક વિશેષ સભ્યોની ટીમ અહીંયા દુર્ગા પૂજા માટે આવતા હતી.