Home Blog Page 4650

Chitralekha Gujarati – September 28, 2020

PDF Version Password for PDF- cg28092020

૧૮ સપ્ટેમ્બર ૨૦૨૦

૧૮ સપ્ટેમ્બર ૨૦૨૦

રાશિ ભવિષ્ય 18/09/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજના દિવસે સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકા ની તકલીફથી સાચવવું, વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, ખરીદી પાછળકે ફરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય અને તેનો થોડો અજંપો તમારી શાંતિને ખલેલ પોહ્ચાડી શકે છે.


આજનો દિવસ સારી રીતે પસાર થાય કારણકે તમને ઉત્સાહ રહે તેવા સંજોગો બને અને નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, ધાર્મિકકાર્ય હેતુ ક્યાક મુસાફરી થાય અને તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય, તમે કોઈને મદદ કરવાની સદભાવના રાખો તેવું બની શકે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સારી રીતે સમય પસાર થાય, ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, હરવાફરવામાં ઉત્સાહ સારો જોવા મળે,  માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિતકે જુનાસંપર્ક દ્વારા તમને તમારા કામમાં સારો પ્રતિસાદ જોવા મળી શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો ખાસ કરીને વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે જેથી ખોટો અજંપો ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું, પાડવા, વાગવા, કફ, છાતી, પ્રેસરજેવી તકલીફથી સાચવવું, માર્કેટિંગક્ષેત્રમાં મહેનત કરતા ઓછું ફળ મળે તેવું બની શકે છે, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે, મનમાં થોડી અશાંતિ જોવા મળી શકે છે, સરકારીકામ,યુનિફોર્મવાળી નોકરી,સોનાઝવેરાત,ફાર્મા જેવા ક્ષેત્રમાં કામકરનારને માનસિકથાકની લાગણી અનુભવાય. માર્કેટિંગક્ષેત્રમાં તમને સમયનો વ્યય વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સારી રીતે પસાર થઇ શકે છે અને જો જુના કામની કોઈ ગુંચ પડેલી હોયતો તેને ઉકેલી શકાય તેવા યોગ બની શકે છે, તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય કે તેમાં તમને કોઇ મદદ કરતા મળે તેવું પણ બની શકે છે, વેપારમાં યોગ્ય ગણતરીપૂર્વક કામકાજ કરવાથી લાભ થઈ શકે છે.


આજનો દિવસ તમારે સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે , વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, હિતશત્રુ અને ખટપટી લોકોથી દુર રહેવાની જરૂર છે , ક્યાય કોઇપણ બાબતની મિલનમુલાકાત કરવાની હોય તે દરમિયાન વાર્તાલાપમાં ધ્યાન આપવું કે જેથી કોઇપણ પ્રકારની ગેરસમજ ટાળી શકાય.


આજનો દિવસ સરસ છે અને તેમાં પણ જો કોઈ જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી અને લાગણીમાં ખુબજ વધારો થાય, તમારા કોઈકામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય. વેપારમાં લાભની વાત સંભાળવા મળી શકે છે. પ્રિયજન તરફથી સારો આદરભાવ જોવા મળે અને ક્યાંક નાનાઅંતરની યાત્રા પણ થઈ શકે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું જેથી બિનજરૂરી વિવાદ ટાળી શકાય, યુવાવર્ગ માટે મશ્કરીમજાક જેવી બાબતથી દુર રહેવાની સલાહ છે. વેપારમાં કોઈ મોટાનિર્ણય લેતા પહેલા વાતને ચકાસવી યોગ્ય કહી શકાય.


આજનો દિવસ સારો છે, તમને તમારા કામકાજમાં ઉત્સાહ સારો રહે, ક્યાંક મુસાફરી થઈ શકે છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવા યોગ પણ છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો  યોગ્ય છે, પ્રિયજન સાથે કોઈ ખરીદીકે ફરવાના પ્રસંગ બને અને તેમાં તમને સારી લાગણીનો અનુભવ થાય.


આજનો દિવસ સામાન્ય છે, તમારા કામમાં વ્યસ્ત વધુ રહેવાય તેવા સંજોગો બની શકે છે, જુના કોઈ કામમાં અટવાવતો તેમાં જલ્દીથી ઉકેલન આવે અને સમયનો વ્યય થાય તેવું બની શકે છે, માનસિક થાકની લાગણી તમે વધુ અનુભવો. વેપારમાં નાનું કામ કરવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, તમારા મિત્રો સાથે કામની કોઈ લાભકારી ચર્ચા થાય અને તેમાં તમારી ગણતરી મુજબ કામ થાય તેવું બની શકે છે, મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં રેફરન્સથી કામ કરોતો લાભ થાય, આજે તમારામાં ધાર્મિકભાવના સારી રહે અને કોઈક જાત્રા કરવા જવાના વિચાર વધુ જાગે.

ખુશી એટલે આંતરિક ખુશી

(બી.કે. શિવાની)

આપણે એ વાત જાણવી જોઈએ કે આપણા જીવનમાં ખુશી હંમેશા કેવી રીતે રહે. આપણે શાંતિથી પોતાની જાતનું અવલોકન કરવું જોઈએ કે, દિવસ દરમિયાન આપણી ખુશી ઓછી તો નથી થતી કે ગાયબ તો નથી થતી? જીવનમાં ઉતરાવ-ચઢાવ તો આવે. પણ જીવનમાં ખુશી સદા માટે કેવી રીતે રહે? આ લેખમાળામાં મારો એ જ ઉદ્દેશ્ય છે.

ધારો કે હું આખો દિવસ આપને ખુશ રાખવા મહેનત કરું છું. પરંતુ આપ ખુશ થતા નથી જે મારી અસફળતાનું કારણ બને છે. આ ઘટનાથી મારા ઉપર બે બાબતોનો પ્રભાવ પડે છે. એક તો આપ ખુશ ન થયા અને બીજું હું આપને ખુશ કરી ન શકી. અર્થાત્ હું મારા ઉદ્દેશ્યમાં અસફળ થઈ. જે વાતનું મને દુઃખ થાય છે, જેથી મારી આંતરિક ખુશી અને ઉત્સાહ જતો રહે છે.

આપણને દરરોજ કોઈ નવી વસ્તુઓ ખરીદવાની ઈચ્છા થાય છે. આના બે પાસા છે. એક તો ક્યાંકને ક્યાંક હું ખુશીઓને વસ્તુઓમાં શોધું છું અને બીજું મને નવી-નવી વસ્તુઓ ભેગી કરવાનો શોખ થઈ ગયો છે. એમ કહેવાય કે વસ્તુઓને ખરીદી હું ખુશીઓને મેળવવાનો નિર્રથક પ્રયત્ન કરું છું. આજ એક બહુ મોટું કારણ છે, જે મારી ખુશીને પ્રભાવિત કરે છે.

હું બજારમાંથી પસાર થઇ રહી છું. દુકાનની બહાર રાખેલ શોકેસ પાસેથી પસાર થતાં, હું જોઉં છું કે તેની અંદર આકર્ષક ચીજ-વસ્તુઓ છે. હું તે દુકાનથી થોડી આગળ જતી રહી. પણ તે ચીજ-વસ્તુઓની યાદ સતત મારા મનમાં આવી રહી છે. આને તે ચીજ પ્રત્યેનો મારો એક લગાવ છે એમ કહી શકાય. ત્યારબાદ મારું મન વર્તમાનમાં ન રહેતા ક્યાંક ને ક્યાંક તે ચીજ-વસ્તુઓ સાથે જોડાયેલું રહે છે. હું તે ચીજ ખરીદી લઉં છું, તો મને સારું લાગે છે. આને આપને નામ આપીએ છીએ – ‘મારી સુખ- સુવિધા માટેના સાધન’. અર્થાત સુખ પણ અને સુવિધા પણ. સુવિધા ચોક્કસ આપણા માટે આરામદાયક હોય છે.  પરંતુ આપણે સુવિધા અને સુખ બંનેને એક બીજા સાથે મેળવી દીધા. હવે તે સુખમાં હું ખુશીને શોધવાનો પ્રયત્ન કરું છું. આપણા મનમાં એવા વિચારો ચાલે છે કે, આ ચીજ મારે ખરીદવી છે, જે મારી પાસે આવશે અને મને ખુશી-આનંદ મળશે.

હું 40 લાખ રૂપિયાની ગાડી ખરીદું છું. જેમાં A.C બહુ જ સરસ છે. મ્યુઝિક સિસ્ટમ પણ ઉત્તમ છે. ગાડીની તમામ સુવિધા મારા માટે આરામદાયક છે. જે કારણે હું બહુ જ ખુશ છું. પરંતુ શું ગાડીમાં બેસતી વખતે મારી ખુશી કાયમ બની રહેશે? અને હું તે ગાડીમાં ૨૪ કલાક તો બેસી રહેવાની નથી, કે મને સતત તેના દ્વારા ખુશી મળ્યા જ કરે. માનો કે હું ઓફિસમાંથી બહાર નીકળી અને ગાડીમાં બેઠી. અને આજે જ  ઓફિસમાં મારા બોસ સાથે ઝઘડો થઈ ગયો. તો શું હું 40 લાખ રૂપિયાની ગાડીમાં બેઠા પછી પણ સવારે જે રીતે ખુશ હતી તેવી આ પરીસ્થિતિમાં ખુશી રહેવાની? ખુશીનો અનુભવ કરીશ? તે ગાડી હવે મને ખુશી આપશે? નહીં. આપણે એમ વિચાર્યું કે, આરામદાયક ગાડીમાં બેસવાથી હું હંમેશા ખુશ રહીશ. પરંતુ એ જરૂરી નથી કે, ગાડીમાં બેસતી વખતે કાયમ હું ખુશ રહીશ. એમ પણ બની શકે કે ગાડીમાં બેઠા પછી પણ હું દુઃખી જ રહું, ચિંતામાં રહું. ગાડી પાસે એવી કોઈ શક્તિ કે તાકત નથી કે, તે મારી જિંદગીની સમસ્યાઓનું નિરાકરણ કરી શકે. આમ આપણે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, ગાડી આરામ આપી શકે છે, પરંતુ ખુશી નહીં. આપણે ગુસ્સામાં હોઈએ અને આરામદાયક સ્થાન પર થોડો વિશ્રામ લઈ લઈએ તો બની શકે કે આપણો થોડો ગુસ્સો ઓછો થઈ જાય. પરંતુ ગુસ્સાનું પુરું ચક્ર તો મનમાં ચાલતું જ રહે છે.

જ્યારે આપણે પહેલી વાર ગાડી ખરીદીએ છીએ ત્યારે ઘરના બધા સભ્યો ખૂબ ખુશ અને ઉત્સાહમાં હોય છે. પરંતુ તે કેટલા દિવસ સુધી? એક મહિનો, બે મહિના. ત્યારબાદ જેવી રીતે અન્ય વસ્તુઓ ઘરમાં સામાન્ય રીતે પડી હોય છે એ જ પ્રકારે એક વસ્તુ તરીકે એટલી મોઘી ગાડી પણ આપણા ઘરમાં પડી જ રહે છે. ત્યારબાદ પુનઃ તેજ ચિંતા, દુઃખ, પરેશાની વાળી જીંદગીની દિનચર્યા (રોજનો નિત્યક્રમ) શરૂ થઈ જાય છે.

હવે આપણે એવું વિચારીએ છીએ કે, હવે ફરીથી કઈ નવી વસ્તુ ખરીદીએ જેથી મને ખુશી થાય. આમ દરેક વખતે થોડા-થોડા સમય બાદ આપણે એવું કઈક કરવા ઇચ્છીએ છીએ કે, જેનાથી મનને શાંતિ અને ખુશી મળે. જીવનમાં પરિસ્થિતિઓ અને સંબંધોમાં ઉતરાવ-ચઢાવ થયા કરે. સ્વભાવ અને સંસ્કારનો ટકરાવ પણ રહે. હવે હું દુઃખી છું, એમ વિચારીને, એવું તો હું શું કરું, જેથી મને જીવનમાં શાંતિ અને ખુશી મળે? એ દિશામાં જવા માંગીએ છીએ.

ધારો કે મારા ઘરમાં ચાર વ્યક્તિઓ છે. અમે ક્યાંક એકબીજાથી અસંતુષ્ટ છીએ. ઘરનું વાતાવરણ સુધારવા માટે હું ઘરમાં એક નવી વસ્તુ ખરીદીને લાવું છું. પરિણામે ઘરના તમામ વ્યક્તિઓ ખુશ થઈ  જાય છે. ઉત્સાહમાં આવી જાય છે, અને કહે છે કે, આજે તો પાર્ટી થવી જોઈએ. આમ ઘરમાં ખુશીનું વાતાવરણ બની જાય છે.

બે-ત્રણ દિવસ સુધી નવી વસ્તુનો પ્રભાવ રહેશે. ત્યાર બાદ ફરીથી પહેલાની જેમ જ નિત્યક્રમ શરૂ થઈ જશે. થોડા દિવસ પછી ફરીથી આપણે વિચારીશું કે હવે હું શું નવું ખરીદું? આપણે ખુશ રહેવા માટે વારંવાર કેટલીક ચીજો ખરીદતાં રહીશું? કેટલી વાર વર્ષમાં નવી ગાડીઓ ખરીદશું? કેટલી વાર નવા TV કે મોબાઈલ ખરીદશું? જે ચીજની આવશ્યકતા જ નથી છતાં પણ તે ખરીદવાની ઈચ્છા થાય છે. અને જ્યાં સુધી નવી ચીજ ઘરમાં આવતી નથી, ત્યાં સુધી આપણે ખુશ નહીં રહી શકીએ એમ આપણે માનીએ છીએ. પરિણામે દુઃખ, અશાંતિ, પરેશાની ને ગુસ્સો પણ આવશે. આપણે જે વસ્તુ ખરીદી રહ્યા છીએ તે અંગે સ્પષ્ટ સમજ હોવી જોઈએ કે, તે વસ્તુ શરીરને આરામ આપવા માટે બનાવવામાં આવી છે, મારા મનને ખુશ કરવા માટે નહીં.

જાહેરાત આપતી કંપનીઓ ગ્રાહકોને આકર્ષણ કરી ખરીદવા માટે લોભામણી જાહેરાતો કરી લલચાવી ખરીદવા માટેની ભાવનાઓને જાગૃત કરે છે. આ પણ એક મનો-વૈજ્ઞાનિક વાત છે કે, તેઓ જે વસ્તુની જાહેરાત આપે છે, તેમાં જણાવે છે કે, જો તમે આ વસ્તુ ખરીદશો તો આપનો પરિવાર તમારાથી ખુશ થઈ જશે. ગ્રાહકોની માનસિક અવસ્થા એવી હોય છે કે, તેઓ જાહેરાતથી પ્રભાવિત થઈને તે ચીજ ખરીદવા માટે લલચાય છે. આપણે વિચારીએ છીએ કે હું આ ચીજ ખરીદું તો મારા ઘરના તમામ સભ્યો ખુશ થઈ જશે.

આપણે સ્થૂળ વસ્તુઓ ભેગી કરવા માટે પ્રયત્નશીલ છીએ. જે શરીરના સુખ માટે યોગ્ય છે. પરંતુ આપણે સાથે-સાથે એ પણ યાદ રાખવું જોઈએ કે, આ ચીજ-વસ્તુઓ મને ખુશી નહીં આપે. મેં એમ વિચાર્યું હતું કે, જ્યારે હું આ વસ્તુ ખરીદીશ તો મારો પરિવાર ખુશ થઈ જશે. એકવાર આપણે શાંતચિત્તે એ વિચારવું પડશે કે, આજકાલ મારા પરિવારના સભ્યોનું ખુશીનું સ્તર કેવું છે? જયારે આપણે સાંજે કાર્યસ્થળથી ઘેર આવતા સમયે બાળકો માટે કોઈ એક રમકડું કે કોઈ ચીજ લઈ આવીએ છીએ, ત્યારે બાળકો ખુશ થઈ જાય. આપણે એમ વિચાર્યું કે, આપણે બાળકોને ખુશ કરી દીધા. આ ચીજ થોડા સમય માટે બાળકોને ખુશી આપશે. ત્યારબાદ બાળકો તે વસ્તુને ભૂલી જશે અને પોતાના કામમાં વ્યસ્ત થઈ જશે. પરંતુ ચીજ-વસ્તુઓ આપીને આપણે બાળકોને જ્યાંથી ખુશી મેળવી શકતા હતા, તે માર્ગેથી તેમને દૂર કરી દીધા. હવે તો બાળકોને એક આદત (ટેવ) પડી જશે કે, જેટલી નવી-નવી વસ્તુઓ તેમની પાસે આવતી જશે એટલી ખુશી મળશે. પછી આપણે એમ કહીએ છીએ કે, બાળકોની માંગણીઓ તો પુરી જ થતી નથી. દરરોજ નવી-નવી ચીજ-વસ્તુઓની માંગણી કરે છે. હવે પ્રશ્ન એ થાય છે કે બાળકોને આવું શીખવ્યું કોણે? આપણે જ તો તેમને શીખવ્યું કે નવી-નવી ચીજ-વસ્તુઓ તમારી પાસે આવતા તમને ખુશી થશે. આપણો હેતુ તથા વ્યવહાર તેમના માટે ખૂબ શુદ્ધ છે, પરંતુ આપણે એ પણ યાદ રાખવું પડશે કે, તેના માટે આપણે જે પદ્ધતિ અપનાવી તે અયોગ્ય છે.

વધુ આવતા લેખમાં…

બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.

 

પંચાંગ 18/09/20

હરસિમરતકૌર બાદલે કેન્દ્રીય પ્રધાનપદેથી રાજીનામું આપ્યું

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં શિરોમણી અકાલી દળના એકમાત્ર પ્રધાન હરસિમરતકૌર બાદલે કૃષિ સંબંધિત ખરડાઓ સામેના વિરોધમાં આજે રાજીનામું આપી દીધું છે.

અકાલી દળ, ભારતીય જનતા પાર્ટીની સૌથી જૂની સહયોગી પાર્ટી છે.

ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ ખાતાનાં પ્રધાન હરસિમરતકૌર બાદલે એમનું રાજીનામું વડા પ્રધાન કાર્યાલયને મોકલી આપ્યું છે.

અકાલી દળના નેતા સુખબીર બાદલે અગાઉ લોકસભામાં કહ્યું હતું કે પાર્ટીનાં નેતા અને કેન્દ્રીય પ્રધાન હરસિમરતકૌર બાદલ સંસદમાં રજૂ કરાયેલા કૃષિ સંબંધિત ખરડા સામેના વિરોધમાં મોદી સરકારમાંથી રાજીનામું આપશે.

હરસિમરતકૌર બાદલ સુખબીર સિંહ બાદલનાં પત્ની છે.

સુખબીર સિંહે કહ્યું કે શિરોમણી અકાલી દળ કિસાનોની પાર્ટી છે અને તે કૃષિ સંબંધિત આ ખરડાનો વિરોધ કરે છે. શિરોમણી અકાલી દળે ક્યારેય પણ યૂ-ટર્ન લીધો નથી. અમે નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ)ના સાથી છીએ. અમે સરકારને કિસાનોની લાગણીથી વાકેફ કરી દીધી છે. અમે આ મુદ્દાને દરેક મંચ પર ઉઠાવ્યો છે. કિસાનોની આશંકા દૂર થાય એ માટે અમે બધા પ્રયાસો કરી જોયા ,પરંતુ એવું બન્યું નથી.

પંજાબના કિસાનોએ અન્ન મામલે દેશને આત્મનિર્ભર બનાવવા માટે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. પરંતુ નવા ખરડા રાજ્યમાં કૃષિ આધારિત ઢાંચાને બરબાદ કરી નાખે એવો છે. કિસાનોની 50 વર્ષની તપસ્યાને બરબાદ કરી નાખશે. હું ઘોષણા કરું છું કે હરસિમરતકૌર બાદલ સરકારમાંથી રાજીનામું આપશે.

રોહિત-ડી કોકની જોડી જ મુંબઈ ઈન્ડિયન્સના દાવનો આરંભ કરશે

દુબઈઃ ગયા વર્ષની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સે આ વખતની મોસમ માટે ઓસ્ટ્રેલિયાના આક્રમક ઓપનર ક્રિસ લીનને ખરીદ્યો હોવા છતાં ટીમ દાવનો આરંભ કેપ્ટન રોહિત શર્મા અને ક્વિન્ટન ડી કોક દ્વારા જ કરાવશે, એમ ટીમના કોચ મહેલા જયવર્દનેએ આજે જણાવ્યું છે.

રોહિત અને ડી કોકની ઓપનિંગ જોડીના દેખાવે મુંબઈ ઈન્ડિયન્સને ગયા વર્ષની સ્પર્ધામાં ચોથું વિજેતાપદ અપાવવામાં મોટો ભાગ ભજવ્યો હતો.

રોહિત અને ડી કોકની ઓપનિંગ જોડીના દેખાવે મુંબઈ ઈન્ડિયન્સને ગયા વર્ષની સ્પર્ધામાં વિજેતાપદ અપાવવામાં મોટો ભાગ ભજવ્યો હતો.

મુંબઈ ઈન્ડિયન્સ આ વખતની સ્પર્ધામાં તેની પહેલી મેચ 19 સપ્ટેમ્બરે અબુધાબીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમશે.

જયવર્દનેએ વર્ચ્યુઅલ પત્રકાર પરિષદમાં કહ્યું કે, તમારી પાસે વિકલ્પો હોય એ તો હંમેશાં મોટી જ વાત કહેવાય. અમારી ટીમમાં લીનના રૂપમાં મોટો ઉમેરો કરવામાં આવ્યો છે. પરંતુ રોહિત અને ક્વિન્ટનની જોડી જબરદસ્ત રહી છે, એ બંને વચ્ચે તાલમેલ પણ ખૂબ સરસ રહ્યો છે.

શ્રીલંકાના 43 વર્ષીય અને ભૂતપૂર્વ કેપ્ટન અને બેટ્સમેન જયવર્દનેએ વધુમાં કહ્યું કે રોહિત અને ક્વિન્ટન, બંને ઘણા જ અનુભવી ક્રિકેટરો છે અને સારા સુકાની પણ છે. એટલે જે ભાંગ્યુંતૂટ્યું જ નથી એને ફિક્સ કરવાની જરૂર જ શું છે. એક વિકલ્પ તરીકે લીનના આગમનથી અમારી ટીમને ઘણી સગવડતા મળી છે. છેલ્લા અમુક વર્ષોથી અમે આવું જ કરતા આવ્યા છીએ. અમે ટીમનો પ્રભાવ વધારવાનો કાયમ પ્રયત્ન કરીએ છીએ.

મોસમના આરંભ પૂર્વેના તાલીમ સત્રમાં મુંબઈ ટીમના તમામ બેટ્સમેનોએ જે તૈયારીઓ કરી છે એનાથી પોતે બહુ જ ખુશ છે એમ જયવર્દનેએ કહ્યું.

ટીમ યૂએઈ આવી એ પહેલાં ઝહીર ખાને ટીમના ખેલાડીઓ માટે મુંબઈમાં ઘણા સરસ તાલીમ સત્રોનું આયોજન કર્યું હતું. એટલે મોટા ભાગના ખેલાડીઓ બેટિંગમાં ચમકવા સજ્જ છે, એમ જયવર્દનેએ વધુમાં કહ્યું.

વર્ચ્યુઅલ પત્રકાર પરિષદમાં રોહિત શર્મા પણ ઉપસ્થિત રહ્યો હતો.

 

હોટેલ પચાવી પાડ્યાનો કેસઃ ચિદમ્બરમના પરિવારજનો વિરુદ્ધ સીબીઆઈએ કોર્ટમાં પુરાવો રજૂ કર્યો

નવી દિલ્હીઃ તિરુપુરની એક હોટેલને બળજબરીથી તેના માલિક પાસેથી પડાવી લેવાના કિસ્સામાં ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમના કુટુંબીજનો સંડોવાયેલા હોવાનો અહેવાલ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને (CBI) દિલ્હી વડી અદાલતમાં સુપરત કર્યો છે. ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક (IOB)ની સાથે ષડ્યંત્ર રચીને આ હોટેલ લિલામમાં ખરીદી લેવામાં આવી હતી. 

CBIએ તેના 20 પાનાંના આ અહેવાલમાં કહ્યું છે કે વર્ષ 2007માં ભૂતપૂર્વ નાણાપ્રધાન ચિદમ્બરમનાં પત્ની નલિનીએ તિરુપુરની કમ્ફર્ટ ઇન નામની હોટેલ પોતાનાં બહેન પદ્મિનીને અપાવવા માટે ષડ્યંત્ર ઘડ્યું હતું.

અદાલતને જણાવાયા મુજબ સીબીઆઇએ આ કેસની પ્રાથમિક તપાસને હવે નિયમિત કેસમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય લીધો છે. જોકે IOB તેના અધિકારીઓની વિરુદ્ધ ફોજદારી ખટલો ચલાવવા માટે મંજૂરી આપી રહી નથી.

આ કેસની વિગતો એવી છે કે ડો. કતિરવેલની માલિકીની કમ્ફર્ટ ઇન હોટેલ મેળવવાની નલિનીનાં બહેન પદ્મિનીની ઇચ્છા હતી, પરંતુ માલિક એ હોટેલ વેચવા તૈયાર ન હતા. આથી ઉક્ત બેન્કના અધિકારીઓની સાંઠગાંઠથી એ હોટેલના અકાઉન્ટને નોન પરફોર્મિંગ એસેટ્સ (NPA) તરીકે જાહેર કરવામાં આવી હતી અને ઉતાવળે એ હોટલનું લિલામ કરવામાં આવ્યું. હોટેલમાલિકે વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ તેને ગણકારવામાં આવ્યો ન હતો. બેન્કે પરાણે લિલામ કરાવીને પદ્મિનીને માલિક જાહેર કરી દીધાં.

નલિની ચિદમ્બરમે ડો. કતીરવેલની બોલતી બંધ રખાવવા માટે ઘણા પ્રયાસ કર્યા હતા. તેમણે કરેલાં કૃત્યોની નોંધ દિલ્હી વડી અદાલતમાં 2016માં નોંધાવાયેલી અરજીમાં લેવામાં આવી હતી. ડો. કતીરવેલ વતી એડ્વોકેટ યતીન્દર ચૌધરીએ દલીલ કરી હતી કે તત્કાલીન કેન્દ્રીય નાણાપ્રધાનના પરિવારે સરકારી બેન્ક એટલે કે ઇન્ડિયન ઓવરસીઝ બેન્કની સાથે મળીને હોટેલ કબજે કરી હતી. CBIએ અદાલતને જણાવ્યા મુજબ લિલામમાં પણ ગરબડ કરીને પદ્મિનીએ ઘણી ઓછી બોલી લગાવી હતી. છેલ્લી ઘડીએ ભાવ વધારવામાં આવ્યો. બીજા માત્ર એક જ બિડર હતા, જેમણે લિલામમાં ભાગ લીધો ન હતો.

નલિનીએ કેસ પાછો ખેંચી લેવા માટે કતિરવેલને ચેકથી પૈસા પણ આપ્યા હતા. તેમના અવાજની રેકોર્ડ દિલ્હી વડી અદાલતમાં સુપરત કરવામાં આવી હતી. આશ્ચર્યની વાત છે કે દિલ્હી વડી અદાલતે સીબીઆઇ તપાસ કરાવવાનો આદેશ આપ્યાનાં થોડાં જ સપ્તાહ બાદ 2017માં પદ્મિનીની લાશ મળી આવી હતી. ત્યાર બાદ 2018માં તેમના જમાઈની પણ લાશ ભેદી સંજોગોમાં મળી આવી હતી.

સીબીઆઇએ અદાલતને અહેવાલમાં કહ્યું છે કે નલિનીએ હોટેલમાલિક પર કરેલા દબાણ બાબતે તથા હોટેલના લિલામ માટે અપનાવાયેલી પદ્ધતિ બાબતે તપાસ કરવાની જરૂર છે. હવે બેન્ક તેના અધિકારીઓ વિરુદ્ધ ખટલો ચલાવવા માટે મંજૂરી કેમ આપી રહી નથી, એ એક મોટો સવાલ છે.

અમદાવાદમાં મહાપાલિકાએ ચાની કિટલીઓ બંધ કરાવી: વિપક્ષ કોંગ્રેસ મુદ્દો વિધાનસભામાં ઉઠાવશે

અમદાવાદઃ અમદાવાદીઓ ઘરેથી ચા પીને નીકળ્યા હોય તે છતાં રસ્તા પર ચાની કિટલીએ (ચાના સ્ટોલ કે લારી પર) ઊભીને અડધી ચા પીએ નહીં ત્યાં સુધી તેમને ચા પીધાનો સંતોષ ન થાય. આ સિવાય પણ ઓફિસ પાસે હોય કે ભાઇબંધ-દોસ્તાર મળે ત્યારે અમદાવાદમાં ચા ચોરે અને ચૌટે પીવાય છે. અમદાવાદીઓ વ્યસ્ત સમયમાંથી પણ થોડોક સમય તો ચાની કિટલીએ ફાળવી જ દેતા હોય છે. જોકે હાલ કોરોનાને ધ્યાનમાં લેતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટેના નિયમોની અવગણના કરવા બદલ રસ્તા પર ચાના તમામ સ્ટોલ્સ બંધ કરાવવાનો નિર્ણય કર્યો છે. આને શહેરમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો છે.

કોરોના કેસોમાં સતત વધારો

શહેરમાં કોરોના સંક્રમણ અટકી ગયા બાદ ફરીથી પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં સતત 150થી વધુ પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. જેથી ચાની કિટલીઓ પર તવાઈ કરવામાં આવી રહી છે.

કોરોના સંક્રમણ વધતા AMC કામે લાગી

શહેરમાં કોરોના સંક્રમણ વધતા AMC કામે લાગી ગઈ છે. શહેરની ચાની કિટલીઓ પર સોલિડ વેસ્ટ વિભાગ આકરી કાર્યવાહી કરી રહ્યો છે. વહેલી સવારથી જ કિટલીઓ બંધ આવી આવી રહી છે. જે ચાની કિટલીઓ પર ભીડ એકઠી થાય અને જ્યાં સામાજિક અંતરની જાળવણી ન થતી હોય તેવી જગ્યાઓને બંધ કરાવવામાં આવી રહી છે. શહેરના તમામ ઝોનમાં ચાની કિટલીઓ બંધ કરાવવામાં આવી રહી છે.

AMCના અધિકારીએ કહ્યું હતું કે ચાની કિટલીઓ પર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ના થતું હોવાથી અને ગ્રાહકો માસ્ક ના પહેરતા હોવાથી ચાની કિટલીઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

લારી-ગલ્લા લડત સમિતિના પ્રમુખ અશોક પંજાબીએ કહ્યું હતું કે સમાચાર મળ્યા પછી મેં ચા વેચતા તમામ વિક્રેતાઓને થોડો સમય દુકાનો બંધ રાખવા જણાવ્યું છે.

જોકે શહેરમાં ચાની કિટલીઓ બંધ કરાવવાને લઈને રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. પૂર્વ મેયર અને બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલે ચાની કિટલીઓ તાત્કાલિક શરૂ કરવા માગ કરી છે. તેમણે કહ્યું કે ચાની કિટલીઓ શરૂ નહીં થાય તો વિધાનસભામાં કોંગ્રેસ મુદ્દો ઉઠાવશે. AMCના નિર્ણયથી પૂર્વ મેયર હિમંતસિંહ પટેલે નારાજગી વ્યક્ત કરી છે.

કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલાએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે ચાની કિટલીઓ બંધ કરાવવાથી કહી જ નહીં વળે, કોરોના રોગચાળામાં ભાજપના તાયફાઓ ક્યારે બંધ થશે?

મનપાના વિપક્ષના નેતા દિનેશ શર્માએ પણ નોંધાવ્યો વિરોધ

શહેરમાં સામાજિક અંતરના અભાવના નામે મનપા દ્વારા ચાની કિટલીઓ પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે મનપાના વિપક્ષના નેતા દિનેશ શર્માએ શાસક પક્ષ પર આક્ષેપોનો મારો ચલાવ્યો છે. દિનેશ શર્માએ કહ્યું કે મનપાના અધિકારીઓ બેવડાં ધોરણો અપનાવે છે. રાજકીય કાર્યક્રમો પર મીઠી નજર રાખે છે જ્યારે રોજીરોટી કમાવનારા લોકો પાસેથી સામાજિક અંતરના ભંગ બદલ દંડ ફટકારવામાં આવે છે.

(તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)

મહારાષ્ટ્રએ લેવાના નીકળતા રૂ. 25,000 કરોડ કેન્દ્ર સરકાર આપતી નથીઃ સંજય રાઉતનો રાજ્યસભામાં આક્ષેપ

મુંબઈ/નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી સરકારમાં ત્રણમાંના એક પક્ષ – શિવસેનાના રાજ્યસભાના સદસ્ય સંજય રાઉતે આજે રાજ્યસભા ગૃહમાં એવો આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર સરકાર મહારાષ્ટ્રને આપવાના બાકી નીકળતા રૂ. 25,000 કરોડ આપવા તૈયાર નથી. આ પરિસ્થિતિમાં રાજ્ય સરકાર કોરોના વાઈરસના ફેલાવા સામે કેવી રીતે લડે? એવો સવાલ પણ રાઉતે કર્યો.

કોરોના વાઈરસ સામે જંગ વિષય પર રાજ્યસભામાં હાથ ધરાયેલી ચર્ચામાં પોતાની રજૂઆત કરતાં રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રમાં અમે બિન-ભાજપ સરકાર બનાવી છે તો શું એ લોકશાહીમાં ગુનો થઈ ગયો? મહારાષ્ટ્રએ કેન્દ્ર પાસેથી જીએસટી મામલે પૈસા લેવાના નીકળે છે અને કેન્દ્ર એ આપવા તૈયાર નથી. અમે કોરોના સામે કેવી રીતે લડીએ, લોકોના જાન કેવી રીતે બચાવીએ?

રાઉતે કહ્યું કે, ‘કોરોના સામેના જંગને રાજકીય સ્વરૂપ આપવું ન જોઈએ. આ લોકોના જાનનો સવાલ છે. મહારાષ્ટ્રમાં રાજ્ય સરકાર કોરોના રોગચાળાના ફેલાવાને રોકવામાં સફળ થઈ છે. ધારાવી અને વરલી કોલીવાડા જેવા ગીચ વિસ્તારોમાં પણ કોરોના બીમારી હવે નિયંત્રણમાં આવી ગઈ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ રાજ્ય સરકારની કામગીરીની પ્રશંસા કરી છે. હજારો લોકો સાજા થઈ ગયા છે. આ કંઈ ભાભીજીના પાપડ ખાવાથી નથી થયું.’  દેખીતી રીતે જ, રાઉતનો કટાક્ષપ્રહાર ભાજપના કેન્દ્રીય પ્રધાન અર્જૂન મેઘવાળ પર હતો, જેમણે ગયા જુલાઈમાં ભાભીજી બ્રાન્ડના પાપડ લોન્ચ કરીને એવો દાવો કર્યો હતો કે આ પાપડ ખાવાથી શરીરમાં કોરોનાવાઈરસ સામે એન્ટી-બોડીઝ ડેવલપ થાય છે.

મજાની વાત એ છે કે ખુદ અર્જૂન મેઘવાળ બાદમાં કોરોના બીમારીમાં પટકાયા હતા.